ૐ શ્રી ગણેશાય નમ:
શ્રીમદ્ભાગવત મહાપુરાણ
તૃતીય સ્કંધ
પહેલો અધ્યાય
ઉદ્ધવ અને વિદુરનું મળવું
શ્રી શુકદેવજીએ કહ્યું -પરીક્ષિત ! જે વાત તમે પૂછી છે,તે પૂર્વકાળમાં પોતાના સુખસમૃદ્ધિથી ભરેલા ઘરને છોડીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી.જયારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા,ત્યારે તેઓ દુર્યોધનનો મહેલ છોડીને તેજ વિદુરજીના ઘરમાં તેમને પોતાના જ માનીને વગર બોલાવ્યે જતા રહ્યા હતા.
રાજા પરીક્ષિતે પૂછ્યું- પ્રભુ ! એ તો બતાવો કે ભગવાન મૈત્રેયની સાથે વિદુરજીનો સમાગમ ક્યાં અને કયા સમયે થયો હતો ? પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીથી કોઈ સાધારણ પ્રશ્ન નહિ કર્યો હોય,કેમકે તેમને તો મૈત્રેયજી જેવા સાધુશિરોમણીએ અભિનંદનપૂર્વક જવાબ આપીને મહિમાન્વિત કર્યા હતા.
સુતજી કહે છે- સર્વજ્ઞ શુકદેવજીએ રાજા પરીક્ષિતે આવી રીતે પૂછવાથી અતિ પ્રસન્ન થઈને કહ્યું -સાંભળો.
શ્રી શુકદેવજી કહેવા લાગ્યા - પરીક્ષિત ! આ તે દિવસોની વાત છે,જયારે આંધળા રાજા ધુતરાષ્ટ્રે અન્યાયથી પોતાના પુત્રોના પાલન પોષણ કરતા કરતા પોતાના નાના ભાઈ પાંડુના અનાથ બાળકોને લાક્ષાગૃહમાં મોકલીને આગ લગાવડાવી.જયારે તેમની પુત્રવધુ અને રાજા યુધિષ્ઠિરની પટરાણીના વાળ દુ:શાસને ભરી સભામાં ખેંચ્યા,તે વખતે દ્રૌપદીની આંખોમાંથી આસુંઓની ધારા વહેવા લાગી અને અને તે પ્રવાહથી તેના વક્ષ:સ્થળ ઉપર લગાવેલું કેસર પણ વહેવા લાગ્યું,પરંતુ ધૃતરાષ્ટ્રે તેના પુત્રને કુકર્મ કરતા ન રોક્યો.દુર્યોધને સત્યપરાયણ ભોળા ભલા યુધિષ્ઠિરનું રાજ્ય જુગારમાં અન્યાયથી જીતી લીધું અને તેમને વનમાં કાઢી મૂક્યા.પરંતુ વનમાંથી પાછા આવ્યા પછી પ્રતિજ્ઞા પ્રમાણે પોતાનો ન્યાય ઉચિત પિતૃક ભાગ માંગ્યો,ત્યારે પણ મોહના લીધે તે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો હિસ્સો ન આપ્યો.મહારાજા યુધિષ્ઠિરના મોકલવા પર જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણે કૌરવોની સભામાં હિતભર્યા કેટલાક સુમધુર વચનો કહ્યા,જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃત જેવા લાગ્યા પણ કુરુરાજે તેમના વચનોને કઈ પણ આદર ન આપ્યો,આપે કેવી રીતે? તેમના તો બધાજ પુણ્યો નાશ પામ્યા હતા.પછી જયારે સલાહ માટે વિદુરજીને બોલાવ્યા,ત્યારે મંત્રીઓમાં શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્ર પર પૂછવા પર તેમને તે સંમતિ આપી જેને નીતિશાસ્ત્રના જાણનારા પુરુષ ‘વિદુરનીતિ’ કહે છે.
તેમણે કહ્યું- ‘ મહારાજ ! આપ અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો હિસ્સો આપી દો.તે તમારા ન સહી શકાય તેવા અપરાધને સહી રહ્યા છે.ભીમરુપ કાલા નાગથી તો તમે પણ ડરો છો,જુઓ તે પોતાના નાના ભાઈયો સાથે બદલો લેવા માટે ઘણા ક્રોધથી ફૂંફાડા મારી રહ્યા છે.તમને ખબર નથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે.તે યદુ વીરોનાં આરાધ્ય દેવ આ વખતે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે.તેમણે પૃથ્વીના બધા મોટા મોટા રાજાઓને પોતાના આધીન કરી લીધા છે તથા બ્રાહ્મણ અને દેવતા પણ તેમના પક્ષમાં છે.જેને તમો પુત્ર માનીને પાળી રહ્યા છો તથા જેની હામાં હા મેળવતા જાઓ છો,તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમાન દોષ જ તમારા ઘરમાં ઘૂસીને બેઠો છે.તે તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણથી દ્વેષ કરવાનો છે.તેના કારણથી તમો ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રી હીન થઇ રહ્યા છો. એટલે જો તમો આપણા કુળને કુશળ ઈચ્છો છો તો દુષ્ટનો તરત ત્યાગ કરો.
વિદુરજીનો એટલો સુંદર સ્વભાવ હતો કે સાધુજનો પણ તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા હતા.પરંતુ તેમની વાત સાંભળતા જ કર્ણ,દુ:શાસન અને શકુની સાથે દુર્યોધનના હોઠ અત્યંત ક્રોધથી ફરકવા લાગ્યા અને તેણે તેમનો તિરસ્કાર કરતા કહ્યું- ‘અરે ! આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે ? એ જેના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેના જ વિરુદ્ધમાં જઈને શત્રુનું કામ કરવા માંગે છે.તેનો પ્રાણ ન લો પણ તેણે આપણા શહેરથી તરત બહાર કાઢો ‘
ભાઈની સામેજ કાનમાં બાણોની માફક લાગનારા તે અતયંત કઠોર શબ્દોથી અપમાનિત થઈને પણ વિદુરજીને કઈ ખોટું ન લાગ્યું અને ભગવાનની માયાને પ્રબળ માનીને પોતાનું ધનુષ્ય રાજદ્વાર પર મૂકીને તે હસ્તિનાપુરથી જતા રહ્યા.કૌરવોને વિદુર જેવા મહાત્મા ઘણા પુણ્યથી મળ્યા હતા.તે હસ્તિનાપુરથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છાથી ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં ફરવા લાગ્યા,જ્યાં શ્રી હરિ,બ્રહ્મા,રુદ્ર ,અનંત વગેરે અનેકો મૂર્તિયોના રૂપમાં વિરાજમાન છે.જ્યાં જ્યાં ભગવાનની પ્રતિમાઓથી સુશોભિત તીર્થસ્થાનો,નગર,પવિત્ર વન,પર્વત,નિકુંજ અને નિર્મલ પાણીથી ભરેલા નદી સરોવર વગેરે હતા,તે બધા સ્થાનોમાં તેઓ એકલાજ ફરતા હતા.તેઓ અવધૂત વેશમાં સ્વચ્છંદતાપૂર્વક પૃથ્વી પર ફરતા હતા,તેથી આત્મીયજન તેમનેઓરખી ન શક્યા.તેઓ શરીરને સજાવતા ન હતા,પવિત્ર અને સાધારણ ભોજન કરતા,શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા,જમીન પર સુતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા.
એવી રીતે ભારત વર્ષમાં જ ફરતા ફરતા જ્યાંસુધી તે પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા,ત્યાંસુધી ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી મહારાજ યુધિષ્ઠિર પૃથ્વીના એકચ્છત્ર અખંડ રાજ્ય કરવા લાગ્યા હતા.ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓને વિનાશના સમાચાર સાંભળ્યા,જે અંદરોદરના ઝગડાને કારણે પરસ્પર લડી-ભીડીને એવી રીતે નષ્ટ થઇ ગયા હતા,જેમ પોતાના જ ઘસાવાથી ઉત્તપન્ન થયેલી આગથી વાસોનું આખું જંગલ બળીને ખાક થઇ જાય છે.તે સાંભળીને તેઓ શોક કરતા કરતા ચુપચાપ સરસ્વતીના કિનારે આવ્યા.
ત્યાં તેમણે ત્રિત,ઉશના,મનુ,પૃથુ,અગ્નિ,અસિત,વાયુ,સુદાસ,ગૌ,ગુહ અને શ્રાદ્ધદેવના નામે અગિયાર પ્રસિદ્ધ તીર્થોનું સેવન કર્યું.તેના સિવાય પૃથ્વીમાં બ્રાહ્મણ અને દેવતાઓના સ્થાપિત કરેલા જે ભગવાન વિષ્ણુના બીજા પણ કેટલાય મંદિરો હતા.જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ ચક્રના ચિન્હો હતા,અને જેના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઇ જતું હતું,તેનું પણ સેવન કર્યું.ત્યાંથી ચાલીને તેઓ ધન ધાન્યથી ભરેલા સૌરાષ્ટ્ર,સૌવીરઃ,મત્સ્ય અને
કુરુજાંગલ વગેરે દેશોમાં થતા જયારે કેટલાક દિવસોમાં યમુના કિનારે પહોંચ્યા,ત્યારે ત્યાં તેમણે પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન કર્યું.તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખ્યાત સેવક અને અત્યંત શાંતસ્વભાવના હતા.તે પહેલા બૃહસ્પતિના શિષ્ય રહી ચૂકયા હતા.વિદુરજીએ તેમને જોઈને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું.અને તેમને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના આશ્રિત તેમના સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા.
વિદુરજી કહેવા લાગ્યા -ઉદ્ધવજી ! પુરાણપુરુષ શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના નાભિ કમળથી ઉત્તપન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે.તે પૃથ્વીનો ભાર ઉતારીને બધાને આનંદ આપતા હવે શ્રી વાસુદેવજીના ઘેર કુશળતાથી રહે છે ને ? પ્રિયવર ! અમે કુરુવંશીયોના પરમ સુહૃદ અને પૂજ્ય વસુદેવજી,જે પિતાના જેમ ઉદારતા પૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓનો સંતોષ કરાવતા તેમની બધી મનચાહી વસ્તુઓ આપતા આવ્યા છે,આનંદપૂર્વક છે ને ?
જાળમાં સંતાઈને કિરાતવેષધારી,એટલે કોઈની સમજમાં ન આવનારા ભગવાન શંકર પ્રસન્ન થઇ ગયા હતા,તે રથી
અને યુધ્ધપતિઓના સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન તો પ્રસન્ન છે ને ? હવે તો તેના બધા શત્રુઓ શાંત થઇ ગયા હશે ? પલક જેમ આંખની રક્ષા કરે છે,તેવી રીતે કુંતીના પુત્રો યુધિષ્ઠિર વગેરે જેમની કાયમ સંભાળ રાખતા હતા અને કુંતાએજ જેમનું લાલનપાલન કર્યું છે,તે માદ્રીના યમાંજ પુત્ર નકુલ-સહદેવ કુશળ તો છે ને ? તેમણે યુદ્ધમાં શત્રુથી પોતાનું રાજ્ય એવી રીતે ઝૂંટવી લીધું જેમ બે ગરુડ ઇન્દ્રના મોઢામાંથી અમૃત કાઢી લાવ્યા. અહો ! બિચારી કુંતા તો રાજર્ષિશ્રેષ્ઠ પાંડુના વિયોગમાં મૃતપાય જેવી થઈને પણ તે બાળકો માટે જ પ્રાણ ધારણ કરી રહેતી હતી.
રથિઓમાં શ્રેષ્ઠ મહારાજા પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે ફક્ત એક ધનુષ્ય લઈને એકલાએજ ચારો દિશાઓ જીતી લીધી હતી. સૌમ્યસ્વભાવ ઉદ્ધવજી ! મને તો અધઃપતન તરફ જતા ધૃતરાષ્ટ્ર માટે વારંવાર શોક થાય છે,જેમણે પાંડવોના રૂપમાં પોતાના પરલોકવાસી ભાઈ પાંડુથી જ દ્રોહ કર્યો,તથા પોતાના પુત્રોની હા માં હા મેળવીને પોતાના હિતચિંતક મને પણ નગરમાંથી કાઢી મુકાવ્યો.પરંતુ ભાઈ ! મને તેનો કોઈ ખેદ અથવા આશ્ચર્ય નથી.જગદવિધાતા ભગવાન શ્રી કૃષ્ણજ મનુષ્યો જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિયોને ભ્રમિત કરી નાખે છે.હું તો તેમની કૃપાથી તેમનો મહિમા જોતો બીજાઓની નજરથી દૂર રહીને સાનંદ ફરી રહ્યો છું.જોકે કૌરવોએ તેમના ઘણા અપરાધ કર્યા,છતાંપણ ભગવાને તેમની તેટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તે તેમની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા ઇચ્છતા હતા,જે ધન,વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી થઇ રહ્યા હતા અને વારંવાર પોતાની સેનાઓથી પૃથ્વીને કંપાવી રહ્યાં હતા.ઉદ્ધવજી ! ભગવાન શ્રી કૃષ્ણ જન્મ અને કર્મથી રહિત છે,છતાંપણ દુષ્ટોનો નાશ કરવા અને લોકોને પોતાના તરફ આકર્ષવા તેમના દિવ્ય જન્મ અને કર્મ થયા કરે છે.નહિ તો ભગવાનની તો વાત જ શું-બીજા જે લોકો ગુણોથી પાર થઇ ગયા છે,તેમાં પણ એવું કોણ છે,જે આ કર્માધિન દેહના બંધનમાં પડવાનું વિચારશે.એટલે મિત્ર ! જેમણે અજન્મા થઈને પણ પોતાની શરણમાં આવેલા બધાજ લોકપાલ અને આજ્ઞાકારી ભક્તોનું પ્રિય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે,તે પવિત્રકીર્તિ શ્રીહરિની વાતો સંભળાવો.
બીજો અધ્યાય
ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળલીલાઓનું વર્ણન.
શ્રી શુકદેવજી કહે છે -જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આવી રીતે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણથી સબંધ રાખનારી વાતો પૂછી,ત્યારે તેમને પોતાના સ્વામીનું સ્મરણ થઇ આવ્યું અને તે હૃદય ભરાઈ આવવાના કારણે કોઈ પણ જવાબ આપી ન શક્યા. જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની માફક રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તન્મય થઇ જતા હતા કે કલેવે માટે માના બોલાવવા પર પણ તેને છોડીને જવા ચાહતા નહોતા.હવે તે લાંબા સમયથી તેમની સેવામાં રહેતા રહેતા તે વૃદ્ધ થઇ રહ્યા હતા,એટલે વિદુરજીના પૂછવાથી તેમને તેમના પ્યારા પ્રભુના ચારણકમળોનું સ્મરણ થઇ આવ્યું- તેમનું મન વિરહથી વ્યાકુળ થઇ ગયું.પછી તે જવાબ શી રીતે આપી શકે.ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણાર્વિન્દ મકરંદ સુધાથી સરચોર થઈને બે ઘડી સુધી કઈ પણ બોલી ન શક્યા.તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તે આનંદમગ્ન થઇ ગયા.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો તથા ભરેલા નેત્રોમાંથી પ્રેમના આસુંઓની ધારા વહેવા માંડી.ઉદ્ધવજીને આવી રીતે પ્રેમપ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેને કૃતકૃત્ય માન્યું.કેટલાક સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામથી ઉતરીને ફરીથી ધીરે ધીરે સંસારમાં આવ્યા,ત્યારે પોતાની આંખો લૂછીને ભગવત્લ્લીલાઓનું સ્મરણ થઇ આવવાથી વિસ્મિત થઈને વિદુરજીથી એવી રીતે કહેવા લાગ્યા.
ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળલીલાઓનું વર્ણન.
શ્રી શુકદેવજી કહે છે -જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આવી રીતે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણથી સબંધ રાખનારી વાતો પૂછી,ત્યારે તેમને પોતાના સ્વામીનું સ્મરણ થઇ આવ્યું અને તે હૃદય ભરાઈ આવવાના કારણે કોઈ પણ જવાબ આપી ન શક્યા. જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની માફક રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તન્મય થઇ જતા હતા કે કલેવે માટે માના બોલાવવા પર પણ તેને છોડીને જવા ચાહતા નહોતા.હવે તે લાંબા સમયથી તેમની સેવામાં રહેતા રહેતા તે વૃદ્ધ થઇ રહ્યા હતા,એટલે વિદુરજીના પૂછવાથી તેમને તેમના પ્યારા પ્રભુના ચારણકમળોનું સ્મરણ થઇ આવ્યું- તેમનું મન વિરહથી વ્યાકુળ થઇ ગયું.પછી તે જવાબ શી રીતે આપી શકે.ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણાર્વિન્દ મકરંદ સુધાથી સરચોર થઈને બે ઘડી સુધી કઈ પણ બોલી ન શક્યા.તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તે આનંદમગ્ન થઇ ગયા.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો તથા ભરેલા નેત્રોમાંથી પ્રેમના આસુંઓની ધારા વહેવા માંડી.ઉદ્ધવજીને આવી રીતે પ્રેમપ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેને કૃતકૃત્ય માન્યું.કેટલાક સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામથી ઉતરીને ફરીથી ધીરે ધીરે સંસારમાં આવ્યા,ત્યારે પોતાની આંખો લૂછીને ભગવત્લ્લીલાઓનું સ્મરણ થઇ આવવાથી વિસ્મિત થઈને વિદુરજીથી એવી રીતે કહેવા લાગ્યા.
ઉદ્ધવજીએ કહ્યું -વિદુરજી ! શ્રી કૃષ્ણરૂપ સૂર્યના છુપાઈ જવાથી અમારા ઘરોને કાળરૂપ અજગર ગળી ગયો છે,તે શ્રીહીન થઇ ગયા છે.હવે હું તેઓની શું કુશળતા સંભળાવું.ઓહ ! આ મનુષ્ય લોક ઘણું કમનસીબ છે,તેમાં યાદવ તો ખૂબ જ ભાગ્યહીન છે,જેમણે નિરંતર શ્રી કૃષ્ણની સાથે રહેવા છતાં પણ તેમને ન ઓરખ્યાં- જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવાના સમયે માછલીઓ તેને નહોતી ઓરખી શકી.યાદવ લોકો મનના ભાવને તોળનારા ઘણા સમજદાર અને ભગવાનની સાથે એકજ સ્થાનમાં રહીને ક્રીડા કરનારા હતા,તો પણ તે બધાએ આખા વિશ્વના આશ્રય સર્વાન્તર્યામી શ્રી કૃષ્ણને એક શ્રેષ્ઠ યાદવ જ સમજ્યા.પરંતુ ભગવાનની માયાથી મોહિત તે યાદવો અને તેમનાથી નકામું વેર કરનારા શિશુપાલ વગેરે અવહેલના તથા નિંદાસૂચક વાક્યોથી ભગવત્પ્રાણ મહાનુભાવોની બુદ્ધિ ભ્રમમાં પડતી નહોતી.જેમણે ક્યારેય તપ નથી કર્યું,તે લોકોને પણ એટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને સંતોષ્યા વિના જ તે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ત્રિભુવન મોહન શ્રીવિગ્રહને છુપાવીને અંતર્ધ્યાન થઇ ગયા છે અને એવી રીતે માનો તેમના નેત્રોને જ ઝૂંટવી લીધા છે.ભગવાને તેમની યોગમાયાનો પ્રભાવ બતલાવવા માટે માનવલીલાઓના યોગ્ય જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો,તે એટલો સુંદર હતો કે તેને જોઈને આખી દુનિયા તો મોહિત થઇ જતી હતી જ,તે જાતે પણ વિસ્મિત થઇ જતા હતા.સૌભાગ્ય અને સુંદરતાની તે રૂપમાં પરાકાષ્ઠા હતી.તેનાથી આભૂષણ (અંગોના ઘરેણાં ) પણ વિભૂષિત થઇ જતા હતા.
બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગારમાં વાસુદેવ-દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો.તે વખતે કંસના ડરથી વસુદેવજીએ તેમને નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા.ત્યાં તેઓ બલરામજીની સાથે અગિયાર વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેનો પ્રભાવ વ્રજની બહાર કોઈની ઉપર ન પડ્યો.યમુનાના ઉપવનમાં,જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ઝુંડોના ઝુંડો રહે છે.ભગવાન શ્રી કૃષ્ણે વાછરડા ચરાવતા ચરાવતા ગોવાળ મંડળીની સાથે વિહાર કર્યો હતો.તે વ્રજ વાસિયોની દ્રષ્ટિ અકૃષ્ટ કરવા માટે અનેક બાળલીલાઓ તેમને બતાવતા હતા.ક્યારેક રડવા લગતા,ક્યારેક હસતા ક્યારેક સિંહ-સાવકની જેમ મુગ્ધ નજરથી જોતા.પછી થોડા મોટા થયા પછી તે સફેદ બળદ અને રંગ-બેરંગી શોભાની મૂર્તિ ગાયોને ચરાવતી વખતે પોતાના સાથી ગોપોને વાંસળી વગાડી વગાડીને રીઝવવા લાગ્યા.તે વખતે જયારે કંસે તેમને મારવા માટે ખુબ જ માયાવી અને મનમાંના રૂપ ધારણ કરનારા રાક્ષસો મોકલ્યા,ત્યારે તેમને રમત રમતમાં ભગવાને મારી નાખ્યા -જેમ બાળક રમકડાંને તોડીફોડી નાખે છે.કાલીનાગને નાથીને ઝેર થી ભળેલા પાણી પીવાથી મરેલા ગોપબાળકોને જીવતા કરી તેમને કાલિયદહનું નિર્દોષ પાણી પીવાની સુવિધા કરી આપી.ભગવાન શ્રી કૃષ્ણે વળી ગયેલા ધનનો સદ્વ્યય કરવાની ઈચ્છાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા નંદબાબાથી ગોવર્ધન પૂજા રૂપ ગોયજ્ઞ કરાવ્યો.ભદ્ર ! એનાથી પોતાનું માનભંગ થવાથી જયારે ઇન્દ્રે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી,ત્યારે ભગવાને કરુણાવશ રમત રમતમાં છત્રીની માફક ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને ખુબ જ ઘભરાયેલા વ્રજવાસીઓની તથા તેમના પશુઓની રક્ષા કરી.સંધ્યાના સમયે જયારે આખા વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની રેલાય જતી ત્યારે શ્રી કૃષ્ણ તેનું સમ્માન કરતા મધુર ગાન કરતા અને ગોપીઓના મંડળની શોભા વધારતા તેમની સાથે રાસવિહાર કરતા.
અધ્યાય ત્રીજો
ભગવાનની અન્ય લીલાચરિત્રોનું વર્ણન.
ઉધ્ધ્વજી કહે છે - તેના પછી શ્રી કૃષ્ણ પોતાના માતા-પીતા દેવકી વસુદેવને સુખી કરવાની ઈચ્છાથી બલદેવજી સાથે મથુરા આવ્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઉંચા સિંહાસન ઉપરથી નીચે પછાડીને તથા તેનો પ્રાણ લઈને તેની લાશને ઘણા જોરથી પૃથ્વી ઉપર ઘસેડી.સાંદિપની મુનિ દ્વારા એક વાર ઉચ્ચાર કરેલા સાંગોપાંગ વેદનું અધ્યયન કરીને દક્ષિણાસ્વરૂપ તેમના મરેલા પુત્રને પ્રસજન નામના રાક્ષસના પેટમાંથી(યમપુરીથી) લાવીને આપ્યો.
ભીષ્મકનંદિની રુક્મણીના સૌંદર્યથી અથવા રુક્મિના બોલાવવાથી જે શિશુપાલ અને તેના સહાયક ત્યાં આવ્યા હતા,તેમના માથા ઉપર પગ રાખીને ગંધર્વ વિધિ દ્વારા વિવાહ કરવા માટે પોતાની નિત્યસંગીની રુક્મણીને તે એમ જ હરણ કરી લાવ્યા,જેમ ગરુડ અમૃત કળશને લઇ આવ્યા હતા.સ્વયંવરમાં સાત નાથ્યા વગરના બળદોને નાથીને
નાગ્નજિતી(સત્યા) સાથે વિવાહ કર્યો.આવી રીતે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્ર ઉઠાવીને રાજકુમારીને ઝૂટાવવા વિચાર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતે ઘાયલ થયા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા.ભગવાન વિષયી પુરુષોની જેવી લીલા કરતા કરતા પોતાની પ્રાણ પ્રિયા સત્યભામાને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેમના માટે સ્વર્ગથી કલ્પવૃક્ષ ઉખાડી લાવ્યા.તે વખતે ઇન્દ્રએ ક્રોધથી આંધળા થઈને પોતાના સૈનિકો સાથે તેમના ઉપર હુમલો કર્યો,કેમકે તે નિર્ણય જ પોતાની સ્ત્રીઓના ક્રીડામૃગ બનેલો છે.પોતાના વિશાલ ડીલદૌલથી આકાશને પણ ઢાંકી દેનારા પોતાના પુત્ર ભીમશૂરને ભગવાનના હાથે મરાયેલો જોઈને પૃથ્વીએ જયારે તેમને પ્રાર્થના કરી,ત્યારે તેમણે ભીમશૂરના પુત્ર ભગદત્તને તેનું બચેલું રાજ્ય આપીને તેના અંત:પુરમાં પ્રવેશ કર્યો.ત્યાં ભીમશૂર દ્વારા હરિને લાવેલી ઘણી બધી રાજકન્યાઓ હતી.તેઓ દીનબંધુ શ્રીકૃષ્ણને જોતા જ ઉભી થઇ ગઈ અને બધાએ ખુબ જ હર્ષ ,લાજ તેમજ પ્રેમપૂર્ણ ચિત્તવનથી તરત જ ભગવાનને પ્રતિરૂપમાં વરી લીધા.
ત્યારે ભગવાને પોતાની નિજશક્તિ યોગમાયાથી તે લલનાઓને અનુરૂપ તેટલા જ રૂપ ધારણ કરીને તે બધાનું જુદા જુદા મહેલોમાં એક જ મુહૂર્તમાં વિધિ પ્રમાણે હસ્તવિવાહ કર્યા.પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓમાંથી દરકેના ગર્ભથી બધા ગુણોમાં પોતાની જેવા જ દસ દસ પુત્રો ઉત્તપન્ન કર્યા.જયારે કાલયવન,જરાસંધ અને શાલવાદીને પોતાની સેનાઓ સાથે મથુરા અને દ્વારકાપુરીને ઘેર્યું હતું,ત્યારે ભગવાને નિજ્જનોને પોતાની અલૌકિક શક્તિ આપીને તેમણે જાતે મરાવ્યા હતા.શમ્બર,દ્વિવિદ,બાણાસુર ,મુર,બલવલ તથા દંતવક વગેરે બીજા યોદ્ધાઓમાં પણ કોઈકને તેમણે પોતે માર્યો હતો અને કોઈને બીજાથી મરાવ્યા હતા.તેના પછી તમારા ભાઈ ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો પણ સંહાર કર્યો,જેમના સેનાસહિત કુરુક્ષેત્રમાં પહોંચવાથી પૃથ્વી ડોલવા લાગી હતી.કર્ણ,દુઃશાસન અને શકુનિની ખોટી સલાહથી જેની ઉમર અને શ્રી બંને નાશ થઇ ચુકી હતી,તથા ભીમસેનની ગદાથી જેની જાંઘ ભાંગી ગઈ હતી,તે દુર્યોધનને પોતાના સાથિયો સાથે પડેલો જોઈને પણ તેમને પ્રસન્નતા ન થઇ.તેઓ વિચારવા લાગ્યા-જો દ્રોણ,ભીષ્મ,અર્જુન અને ભીમસેન દ્વારા અઢાર અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર થઇ પણ જાય,તો તેનાથી પૃથ્વીનો કેટલો ભાર હલકો થયો.હજુ તો મારા અંશ રૂપ પ્રદુમન વગેરેના બળથી વધેલ યાદવનું દુઃસહ દળ બનેલું છે જ .જયારે તે મધુ પાનથી મતવાલા થઈને લાલ લાલ આંખો કરીને અંદર અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે.તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.હકીકતમાં મારા સંકલ્પ કરવાથી તે જાતે અંતર્ધ્યાન થઇ જશે.
તે વિચારીને ભગવાને યુધિષ્ઠિરને પોતાની પિતૃક રાજગાદી ઉપર બેસાડ્યા અને પોતાના બધાજ સગા સબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા.ઉત્તરાના ઉદરમાં જે અભિમન્યુ પુરુવંશનું જે બીજ સ્થાપિત કર્યું હતું,તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી નષ્ટ જેવું થઇ ગયું હતું,પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરથી ત્રણ અશ્વમેધ યજ્ઞ કરાવ્યા અને તે પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયતાથી પૃથ્વીની રક્ષા કરતા કરતા ઘણા આનંદથી રહેવા લાગ્યા.વિશ્વાત્મા શ્રી ભગવાને પણ
દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદોની મર્યાદાનું પાલન કરતા બધા પ્રકારના ભોગો ભોગવ્યા,પરંતુ શાંખ્યયોગની
સ્થાપના કરવા માટે તેમાં ક્યારેય આસક્ત ન થયા.મધુર મુસ્કરાત,સ્નેહમયી ચિંત્વન,સુધામયી વાણી,નિર્મલ ચરિત્ર,તથા સમસ્ત શોભા અને સુંદરતાના નિવાસ,પોતાના શ્રી વિગ્રહથી લોકપરલોક અને ખાસ કરીને યાદવોને આનંદિત કર્યા તથા રાતમાં પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગ યુક્ત થઈને સમયોચીત વિહાર કર્યો અને એવી
રીતે ઘણા વર્ષો ફરતા ફરતા તેમને ગૃહસ્થ આશ્રમ સબંધી ભોગ સામગ્રીઓથી વૈરાગ્ય થઇ ગયો.તે ભોગસામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે.તે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનેજ તેનાથી વૈરાગ્ય થઇ ગયો ત્યારે ભક્તિ યોગ દ્વારા તેમનું અનુગમન કરનારા ભક્ત તો તેમના પર વિશ્વાસ જ કેવી રીતે
કરશે ?
એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ચિઢાવ્યાં.ત્યારે યાદવકુળનો નાશ જ ભગવાનને અમિષ્ટ છે - એ સમજીને તે ઋષિયોએ બાળકોને શ્રાપ આપી દીધો.
તેના કેટલાક મહિના પછી ભાવિ વશ વૃષ્ણી ભોજ અને અંધકવંશી યાદવ ઘણા હર્ષથી રથો પર ચઢીને પ્રભાસ ક્ષેત્ર બાજુ ગયા.ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના પાણીથી પિતર,દેવતા અને ઋષિયોનું તર્પણ કર્યું,તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયો આપી.તેમણે સોનુ ,ચાંદી,શય્યા,વસ્ત્ર,મૃગચર્મ,કંબલ,પાલખી,રથ,હાથી,કન્યાઓ અને એવી ભૂમિ જેનાથી જીવન ચાલી શકે તથા નાના પ્રકારના સરસ અન્ન પણ ભગવદર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા,તેના પછી ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોને પૃથ્વી પર માથું ટેકવીને તેમને પ્રણામ કર્યા.
છઠ્ઠો અધ્યાય
વિરાટ શરીરની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેય ઋષિએ કહ્યું- સર્વશક્તિમાન ભગવાને જયારે જોયું કે અંદરોદર સંગઠિત ન થવાને કારણે આ મારી મહતત્વ વગેરે શક્તિઓ વિશ્વ રચનાના કાર્યમાં નકામી થઇ રહી છે,ત્યારે તે કાળ શક્તિનો સ્વીકાર કરીને એક સાથે જ મહતત્વ,અહંકાર,પંચભૂત,પંચતન્માત્રા અને મન સાથે અગિયાર ઇન્દ્રિયો-આ તેવીસ તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઇ ગયા.તેમાં પ્રવિષ્ટ થઈને તેમણે જીવોના સુતેલા અદ્રષ્ટને જાગૃત કર્યા અને એકબીજાથી જુદા થયા તે તત્વ સમૂહને પોતાની ક્રિયા શક્તિ દ્વારા અંદરોદર મેળવી દીધા.એવી રીતે ભગવાને અદ્રષ્ટને કાર્યોન્મુખ કર્યા,ત્યારે તે તેવીસ તત્વોના સમૂહને ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધીપુરુષ-વિરાટને ઉત્તપન્ન કર્યા.એટલે ભગવાને જયારે અંશરૂપથી પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો,ત્યારે તે વિશ્વરચના કરનારા મહત્તત્વાદિ નો સમુદાય એક બીજાને મળીને પરિણામને પ્રાપ્ત થયા.આ તત્વોનું પરિણામ જ વિરાટ પુરુષ છે.જેમાં ચરાચર જગત વિદયમાન છે.
પાણીની અંદર જે ઈંડાના રૂપમાં આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ બધાજ જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા.તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ(કાર્ય) હતો તથા જ્ઞાન,ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો.તે શક્તિઓથી તેણે પોતાના ક્રમથી એક(હૃદયરૂપ),દસ(પ્રાણરૂપ) અને ત્રણ(આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) વિભાગ કર્યા.તે વિરાટ પુરુષ જ પ્રથમ પ્રથમ જીવ હોવાને કારણે બધાજ જીવોના આત્મા,જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પહેલો અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે.આ સંપૂર્ણ ભૂત સમુદાય એમાં પ્રકાશિત થાય છે.આ અધ્યાત્મ,અધિભૂત અને અધિદૈવ રૂપથી ત્રણ પ્રકારના,પ્રાણ રૂપથી દસ પ્રકારના(દસ ઇન્દ્રિયો સાથે મન અધ્યતમ છે,ઈંદ્રિયાદિ ના વિષય અધિભૂત છે,ઈંદ્રિયાધીશતાથા દેવ અધિદૈવ છે,તથા પ્રાણ,અપાન,ઉદાન,સમાન,વ્યાન,નાગ,કૂર્મ,કૃપર્ણ,દેવદત્ત અને ધનંજય - તે દસ પ્રાણ છે.)અને હૃદયરૂપથી એક પ્રકારના છે.
પછી વિશ્વની રચના કરનારા મહતત્વ આદિના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થનાને સ્મરંણ કરીને તેમની વૃત્તિયોને જગાડવા માટે પોતાના ચેતનરૂપ તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યા,તેમને જગાડ્યા.તેમના જાગૃત થતા જ
દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા - તે હું બતલાવું છું,સાંભળો .
વિરાટ પુરુષનું પહેલા મુખ પ્રગટ થયું તેમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગીન્દ્રિયની સાથે પ્રવિષ્ટ થઇ ગયા જેનાથી આ જીવ બોલે છે.પછી વિરાટ પુરુષનું ટાળવું ઉત્પન્ન થયું તેમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સાથે સ્થિર થયા,જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે.એના પછી તે વિરાટ પુરુષની નસકોરા ઉત્તપન્ન થયા તેમાં બંને અશ્વનીકુમાર પોતાના અંશ ઘ્રારેન્દ્રીય સાથે પ્રવિષ્ટ થયા જેનાથી જીવ ગંધ ગ્રહણ કરે છે.તેવી રીતે જયારે વિરાટ પુરુષની આંખો પ્રગટ થઇ ત્યારે તેમાં પોતાના અંશ નેતેંદ્રિય સાથે- લોકપતિ સૂર્યે પ્રવેશ કર્યો,જે નેતેંદ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે.પછી તે વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્ત્પન્ન થઇ તેમાં પોતાના અંશ ટ્વગીન્દ્રીયની સાથે વાયુ સ્થિર થયો,જે ટ્વગઈંદ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે.જયારે તેના કર્ણછીદ્ર પ્રગટ થયા,ત્યારે તેમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સાથે દિશાઓએ પ્રવેશ કર્યો જે શ્રવણેન્દ્રિય દ્વારા જીવને શબ્દનું જ્ઞાન થાય છે.પછી વિરાટ શરીરમાં ચામડી ઉત્ત્પન્ન થઇ,તેમાં પોતાના અંશ રોમો સાથે ઔષધિયો સ્થિર થઇ,જે રોમોથી જીવ ખંજવાળ વગેરેનો અનુભવ કરે છે.હવે તેને લિંગ ઉત્તપન્ન થયું પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સાથે પ્રવેશ કર્યો,જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે.પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થયું,તેમાં લોકપાલ મિત્રે પોતાના અંશ પાયું-ઇન્દ્રિય સાથે પ્રવેશ કર્યો,તેનાથી જીવ મળત્યાગ કરે છે.તેના પછી તેના હાથ પ્રગટ થયા, તેમાં પિતાની ગ્રહણ-ત્યાગ રૂપા શક્તિની સાથે દેવરાજ ઇન્દ્રે પ્રવેશ કર્યો,આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે.જયારે તેના પગ ઉત્તપન્ન થયા,ત્યારે તેમાં પોતાની શક્તિ ગતિની સાથે લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો - આ ગતિ શક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે.
પછી તેને બુદ્ધિ ઉત્તપન્ન થઇ,પોતાના તે સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિની સાથે વાક્પતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો,આ બુધીધીશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.પછી તેમાં હૃદય પ્રગટ થયું,તેમાં પોતાના અંશ મન સાથે ચંદ્રમા સ્થિર થયા.આ મનશક્તિ દ્વારા જીવ સંકલ્પ- વિકલ્પયાદીરૂપ વિકારોને પ્રાપ્ત કરે છે.ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્તપન્ન થયો,આ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સાથે અભિમાને (રુદ્ર ) પ્રવેશ કર્યો.તેનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે.હવે તેમાં ચિત્ત પ્રગટ થયું. તેમાં ચિત્તશક્તિ સાથે મહતત્વ(બ્રહ્મા) સ્થિર થયા આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના )ને ઉત્તપન્ન કરે છે.તે વિરાટ પુરુષના માથાથી સ્વર્ગલોક,પગથી પૃથ્વી અને નાભિથી અંતરિક્ષ(આકાશ )ઉત્તપન્ન થયું.તેમાં ક્રમથી સત્વ,રજ અને તમ - આ ત્રણ ગુણોના પરિણામ રૂપે દેવતા,મનુષ્ય અને પ્રેત વગેરે જોવાય છે.તેમાં દેવતાલોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં,મનુષ્ય અને તેના upayogi ગાય વગેરે જીવો રજોગુણ વધુ હોવાથી પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદગણો(ભૂત,પ્રેત વગેરે) બંનેની વચમાં સ્થિર ભગવાનના નાભીસ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે.
વિદુરજી ! વેદ અને બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી પ્રગટ થયા.મોઢાથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ બધી જાતિમાં શ્રેષ્ઠ અને બધાના ગુરુ છે.તેમની ભુજાઓથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારા ક્ષત્રિયવર્ણ ઉત્તપન્ન થયો,જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને બધી જાતિઓનું ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે.
ભગવાનની બંને જાંઘોથી બધા લોકોની નિર્વાહ કરનારી વૈષ્યવૃત્તિ ઉત્તપન્ન થઇ અને તેનાથી વૈશ્ય વર્ણનો પાદુર્ભાવ થયો.આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે.પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોથી સેવાવૃત્તિ પ્રગટ થઇ અને તેનાથી પહેલા પહેલ તે વૃત્તિનો અધિકારી શૂદ્રવર્ણ પણ પ્રગટ થયો,જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઇ જાય છે.( બધા ધર્મોની સિદ્ધિનું ફળ સેવા છે,સેવા કર્યા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ નથી થતો એટલે બધા ધર્મોની મૂળભૂત સેવા જ જેનો ધર્મ છે,તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે.બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે,ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે,વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શૂદ્રનો ધર્મ ધર્મ માટે છે. એવી રીતે પહેલા ત્રણ વર્ણોના ધર્મ બીજા પુરુષાર્થો માટે છે પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે છે,એટલે તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.)
વિરાટ શરીરની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેય ઋષિએ કહ્યું- સર્વશક્તિમાન ભગવાને જયારે જોયું કે અંદરોદર સંગઠિત ન થવાને કારણે આ મારી મહતત્વ વગેરે શક્તિઓ વિશ્વ રચનાના કાર્યમાં નકામી થઇ રહી છે,ત્યારે તે કાળ શક્તિનો સ્વીકાર કરીને એક સાથે જ મહતત્વ,અહંકાર,પંચભૂત,પંચતન્માત્રા અને મન સાથે અગિયાર ઇન્દ્રિયો-આ તેવીસ તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઇ ગયા.તેમાં પ્રવિષ્ટ થઈને તેમણે જીવોના સુતેલા અદ્રષ્ટને જાગૃત કર્યા અને એકબીજાથી જુદા થયા તે તત્વ સમૂહને પોતાની ક્રિયા શક્તિ દ્વારા અંદરોદર મેળવી દીધા.એવી રીતે ભગવાને અદ્રષ્ટને કાર્યોન્મુખ કર્યા,ત્યારે તે તેવીસ તત્વોના સમૂહને ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધીપુરુષ-વિરાટને ઉત્તપન્ન કર્યા.એટલે ભગવાને જયારે અંશરૂપથી પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો,ત્યારે તે વિશ્વરચના કરનારા મહત્તત્વાદિ નો સમુદાય એક બીજાને મળીને પરિણામને પ્રાપ્ત થયા.આ તત્વોનું પરિણામ જ વિરાટ પુરુષ છે.જેમાં ચરાચર જગત વિદયમાન છે.
પાણીની અંદર જે ઈંડાના રૂપમાં આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ બધાજ જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા.તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ(કાર્ય) હતો તથા જ્ઞાન,ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો.તે શક્તિઓથી તેણે પોતાના ક્રમથી એક(હૃદયરૂપ),દસ(પ્રાણરૂપ) અને ત્રણ(આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) વિભાગ કર્યા.તે વિરાટ પુરુષ જ પ્રથમ પ્રથમ જીવ હોવાને કારણે બધાજ જીવોના આત્મા,જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પહેલો અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે.આ સંપૂર્ણ ભૂત સમુદાય એમાં પ્રકાશિત થાય છે.આ અધ્યાત્મ,અધિભૂત અને અધિદૈવ રૂપથી ત્રણ પ્રકારના,પ્રાણ રૂપથી દસ પ્રકારના(દસ ઇન્દ્રિયો સાથે મન અધ્યતમ છે,ઈંદ્રિયાદિ ના વિષય અધિભૂત છે,ઈંદ્રિયાધીશતાથા દેવ અધિદૈવ છે,તથા પ્રાણ,અપાન,ઉદાન,સમાન,વ્યાન,નાગ,કૂર્મ,કૃપર્ણ,દેવદત્ત અને ધનંજય - તે દસ પ્રાણ છે.)અને હૃદયરૂપથી એક પ્રકારના છે.
પછી વિશ્વની રચના કરનારા મહતત્વ આદિના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થનાને સ્મરંણ કરીને તેમની વૃત્તિયોને જગાડવા માટે પોતાના ચેતનરૂપ તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યા,તેમને જગાડ્યા.તેમના જાગૃત થતા જ
દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા - તે હું બતલાવું છું,સાંભળો .
વિરાટ પુરુષનું પહેલા મુખ પ્રગટ થયું તેમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગીન્દ્રિયની સાથે પ્રવિષ્ટ થઇ ગયા જેનાથી આ જીવ બોલે છે.પછી વિરાટ પુરુષનું ટાળવું ઉત્પન્ન થયું તેમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સાથે સ્થિર થયા,જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે.એના પછી તે વિરાટ પુરુષની નસકોરા ઉત્તપન્ન થયા તેમાં બંને અશ્વનીકુમાર પોતાના અંશ ઘ્રારેન્દ્રીય સાથે પ્રવિષ્ટ થયા જેનાથી જીવ ગંધ ગ્રહણ કરે છે.તેવી રીતે જયારે વિરાટ પુરુષની આંખો પ્રગટ થઇ ત્યારે તેમાં પોતાના અંશ નેતેંદ્રિય સાથે- લોકપતિ સૂર્યે પ્રવેશ કર્યો,જે નેતેંદ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે.પછી તે વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્ત્પન્ન થઇ તેમાં પોતાના અંશ ટ્વગીન્દ્રીયની સાથે વાયુ સ્થિર થયો,જે ટ્વગઈંદ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે.જયારે તેના કર્ણછીદ્ર પ્રગટ થયા,ત્યારે તેમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સાથે દિશાઓએ પ્રવેશ કર્યો જે શ્રવણેન્દ્રિય દ્વારા જીવને શબ્દનું જ્ઞાન થાય છે.પછી વિરાટ શરીરમાં ચામડી ઉત્ત્પન્ન થઇ,તેમાં પોતાના અંશ રોમો સાથે ઔષધિયો સ્થિર થઇ,જે રોમોથી જીવ ખંજવાળ વગેરેનો અનુભવ કરે છે.હવે તેને લિંગ ઉત્તપન્ન થયું પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સાથે પ્રવેશ કર્યો,જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે.પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થયું,તેમાં લોકપાલ મિત્રે પોતાના અંશ પાયું-ઇન્દ્રિય સાથે પ્રવેશ કર્યો,તેનાથી જીવ મળત્યાગ કરે છે.તેના પછી તેના હાથ પ્રગટ થયા, તેમાં પિતાની ગ્રહણ-ત્યાગ રૂપા શક્તિની સાથે દેવરાજ ઇન્દ્રે પ્રવેશ કર્યો,આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે.જયારે તેના પગ ઉત્તપન્ન થયા,ત્યારે તેમાં પોતાની શક્તિ ગતિની સાથે લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો - આ ગતિ શક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે.
પછી તેને બુદ્ધિ ઉત્તપન્ન થઇ,પોતાના તે સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિની સાથે વાક્પતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો,આ બુધીધીશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.પછી તેમાં હૃદય પ્રગટ થયું,તેમાં પોતાના અંશ મન સાથે ચંદ્રમા સ્થિર થયા.આ મનશક્તિ દ્વારા જીવ સંકલ્પ- વિકલ્પયાદીરૂપ વિકારોને પ્રાપ્ત કરે છે.ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્તપન્ન થયો,આ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સાથે અભિમાને (રુદ્ર ) પ્રવેશ કર્યો.તેનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે.હવે તેમાં ચિત્ત પ્રગટ થયું. તેમાં ચિત્તશક્તિ સાથે મહતત્વ(બ્રહ્મા) સ્થિર થયા આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના )ને ઉત્તપન્ન કરે છે.તે વિરાટ પુરુષના માથાથી સ્વર્ગલોક,પગથી પૃથ્વી અને નાભિથી અંતરિક્ષ(આકાશ )ઉત્તપન્ન થયું.તેમાં ક્રમથી સત્વ,રજ અને તમ - આ ત્રણ ગુણોના પરિણામ રૂપે દેવતા,મનુષ્ય અને પ્રેત વગેરે જોવાય છે.તેમાં દેવતાલોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં,મનુષ્ય અને તેના upayogi ગાય વગેરે જીવો રજોગુણ વધુ હોવાથી પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદગણો(ભૂત,પ્રેત વગેરે) બંનેની વચમાં સ્થિર ભગવાનના નાભીસ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે.
વિદુરજી ! વેદ અને બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી પ્રગટ થયા.મોઢાથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ બધી જાતિમાં શ્રેષ્ઠ અને બધાના ગુરુ છે.તેમની ભુજાઓથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારા ક્ષત્રિયવર્ણ ઉત્તપન્ન થયો,જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને બધી જાતિઓનું ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે.
ભગવાનની બંને જાંઘોથી બધા લોકોની નિર્વાહ કરનારી વૈષ્યવૃત્તિ ઉત્તપન્ન થઇ અને તેનાથી વૈશ્ય વર્ણનો પાદુર્ભાવ થયો.આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે.પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોથી સેવાવૃત્તિ પ્રગટ થઇ અને તેનાથી પહેલા પહેલ તે વૃત્તિનો અધિકારી શૂદ્રવર્ણ પણ પ્રગટ થયો,જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઇ જાય છે.( બધા ધર્મોની સિદ્ધિનું ફળ સેવા છે,સેવા કર્યા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ નથી થતો એટલે બધા ધર્મોની મૂળભૂત સેવા જ જેનો ધર્મ છે,તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે.બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે,ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે,વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શૂદ્રનો ધર્મ ધર્મ માટે છે. એવી રીતે પહેલા ત્રણ વર્ણોના ધર્મ બીજા પુરુષાર્થો માટે છે પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે છે,એટલે તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.)
એ ચારે વર્ણો પોત પોતાની વૃતિયો સાથે જેનાથી ઉત્તપન્ન થયા છે,તે આપણા ગુરુ શ્રી હરિના પોત પોતાના ધર્મોથી ચિત્તશુદ્ધિને માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.વિદુરજી ! આ વિરાટ પુરુષ કાળ,કર્મ અને સ્વભાવશક્તિથી યુક્ત ભગવાનની યોગમાયા ના પ્રભાવને પ્રગટ કરનારા છે.તેના સ્વરૂપનું પુરે પૂરું વર્ણન કરવાનું કોણ સાહસ કરી શકે છે.તે ઉપરાંત પ્યારા વિદુરજી ! બીજી વ્યવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખથી સાંભળીયુ છે તેવું શ્રી હરિનું સુયશ વર્ણન કરું છું.મહાપુરુષોનો મત છે કે પુણ્યશ્લોકશિરોમણી શ્રી હરિના ગુણોનું ગાન કરવું જ મનુષ્યોની વાણીનું તથા વિદ્વાનોના મોઢેથી ભગવત કથામૃતનું પાન કરવું જ તેમના કણોનો ઘણો મોટો લાભ છે.વત્સ ! અમે જ નહિ,આદિ કવિ શ્રી બ્રહ્માજીએ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો,છતાં પણ શું તે ભગવાનની અમિત મહિમાનો પાર પામી શક્યા ? એટલે ભગવાનની માયા મોટા મોટા માયાવીયોને પણ મોહિત કરી દેનારી છે.તેના ચક્કરમાં નાખનારી ચાલ અનંત છે,તે ઉપરાંત ભગવાન જાતે પણ તેની ચાહ લગાવી ન શકે,પછી બીજાની તો વાત જ શું હોય.જ્યાં ન પહોંચીને મનની સાથે વાણી પણ પાછી આવી જાય છે તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર તથા બીજા ઇન્દ્રિયધષ્ઠા દેવતા પણ સમર્થ નથી તે શ્રી ભગવાનને અમો નમસ્કાર કરીએ છીએ.
સાતમો અધ્યાય
વિદુરજીના પ્રશ્ન.
શ્રી શુકદેવજી કહે છે -મૈત્રયજીનું આ ભાષણ સાંભળીને બુદ્ધિમાન વ્યાસનન્દન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું.
વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ,નિર્વિકાર અને નિર્ગુણ છે,તેમની સાથે લીલાથી પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે ? બાળકમાં તો કામના અને બીજાની સાથે રમવાની ઈચ્છા રહે છે,તેનાથી તે રમવાનો પ્રયત્ન કરે છે.પરંતુ ભગવાન તો સ્વતઃ નિત્યતૃપ્ત- પૂર્ણકામ અને કાયમ અસંગ છે,તે ક્રીડાઓ માટે પણ શા માટે સંકલ્પ કરશે.ભગવાને પોતાની ગુણમયી માયાથી જગતની રચના કરી છે,તેનાથી તે તેનું પાલન કરે છે અને પછી તેનાથી સંહાર પણ કરશે.તેમનો જ્ઞાનનો દેશ,કાળ અથવા અવસ્થાથી,પોતાની જાતે અથવા બીજા કોઈ નિમ્મિતથી પણ ક્યારે લોપ નથી થતો,તેનો માયાની સાથે કેવી રીતે સંયોગ હોઈ શકે છે.એકમાત્ર ભગવાન જ બધા ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપથી સ્થિર છે,પછી તેને દુર્ભાગ્ય અથવા કોઈ પ્રકારના કર્મજનીત કલેશની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે છે.ભગવન ! આ અજ્ઞાનસંકટમાં પડીને મારુ મન ખુબ ખિન્ન થઇ રહ્યું છે,તમો મારા મનના આ મહાન મોહને કૃપા કરીને દૂર કરો.
શ્રી શુકદેવજી કહે છે -તત્વજિજ્ઞાસુ વિદુરજીની તે પ્રેરણા મેળવીને અહંકારરહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા મુસ્કરાતા કહ્યું.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- જે આત્મા બધાનો સ્વામી અને કાયમ મુકિતસ્વરૂપ છે,તેજ દીનતા અને બંધનને પ્રાપ્ત હોય-આ વાત યુક્તિવિરુદ્ધ અવશ્ય છે,પરંતુ હકીકતમાં તેજ તો ભગવાનની માયા છે.
આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસુદનના ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે,જે આવાગમનની યંત્રણાનો નાશ કરી નાખે છે.માહાત્માંલોકો ભગવત્પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ હોય છે,તેમને ત્યાં કાયમ દેવાધિદેવ શ્રી હરિના ગુણોનું ગાન થયા કરે છે અલ્પપૂણ્ય પુરુષને તેમની સેવાનો અવસર મળવો ખુબ જ કઠિન છે.
ભગવન ! તમોએ કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમથી મહદાદિ તત્વ અને તેના વિકારોને રચીને પછી તે અંશોથી વિરાટને ઉત્તપન્ન કર્યા અને તેના પછી તેઓ જાતે તેમાં પ્રવેશી ગયા.તે વિરાટના હજારો પગ,જાંઘો અને હાથો છે,તેને જ વેદ આદિ પુરુષ કહે છે.તેમનામાં આ બધા લોકો વિસ્તૃત રૂપથી સ્થિર છે.તેમનામાં જ ઇન્દ્રિય,વિષય અને ઇન્દ્રિયઅભિમાની દેવતાઓની સાથે દસ પ્રકારના પ્રાણોના - જે ઇન્દ્રિયબલ,મનોબળ અને શારીરિક બળરૂપથી ત્રણ પ્રકારના છે -તમોએ વર્ણન કર્યું છે અને તેનાથી બ્રાહ્મણાદિ વર્ણ પણ ઉત્તપન્ન થયા છે.હવે તમો મને તેમની બ્રહ્માદિ વિભૂતીયોનુ વર્ણન સંભળાવો -જેનાથી પુત્ર,પૌત્ર,નાતી અને કુટૂમ્બીઓ સાથે જાત જાતની પ્રજા ઉત્તપન્ન થઇ અને તેનાથી આ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું.તે વિરાટ બ્રહ્માદિ પ્રજાપતીયોના પણ પ્રભુ છે.તેમણે કયા કયા પ્રજાપતીયોને ઉત્તપન્ન કર્યા તથા સર્ગ,અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમથી રચના કરી ? મૈત્રેયજી ! તે મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોના,પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભુલોકનો વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા તે પણ બતાવો કે તિર્યક ,મનુષ્ય,દેવતા,સરીસૃપ (સાપ વગેરે રેંગનારા જંતુ ) અને પક્ષી તથા જરાયુઝ,સ્વેદજ,અંડજ અને યુદ્ધવિજ - આ ચાર પ્રકારના પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થયા.શ્રી હરિએ સૃષ્ટિ બનાવતી વખતે જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને સંહારને માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી,તેનું પણ વર્ણન કરો.વેષ,આચરણ અને સ્વભાવના પ્રમાણે વર્ણાશ્રમનો વિભાગ,ઋષિયોના જન્મ કર્મ વગેરે ,વેદોનો વિભાગ,યજ્ઞોનો વિસ્તાર,યોગનો માર્ગ,જ્ઞાન માર્ગ અને તેમનું સાધન સંખ્યમાર્ગ તથા ભગવાનના કહેલા નારદપાશવરાત્ર વગેરે તંત્રશાસ્ત્ર જુદા જુદા પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા,નીચ વર્ણનાં પુરુષથી ઉચ્ચવર્ણની સ્ત્રીઓમાં થનારી સંતાનોના પ્રકાર તથા જુદા જુદા ગુણો અને કર્મના કારણ જીવની જેવી અને જેટલી ગતિયો હોય છે,તે બધું અમને સંભળાવો.
સાતમો અધ્યાય
વિદુરજીના પ્રશ્ન.
શ્રી શુકદેવજી કહે છે -મૈત્રયજીનું આ ભાષણ સાંભળીને બુદ્ધિમાન વ્યાસનન્દન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું.
વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ,નિર્વિકાર અને નિર્ગુણ છે,તેમની સાથે લીલાથી પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે ? બાળકમાં તો કામના અને બીજાની સાથે રમવાની ઈચ્છા રહે છે,તેનાથી તે રમવાનો પ્રયત્ન કરે છે.પરંતુ ભગવાન તો સ્વતઃ નિત્યતૃપ્ત- પૂર્ણકામ અને કાયમ અસંગ છે,તે ક્રીડાઓ માટે પણ શા માટે સંકલ્પ કરશે.ભગવાને પોતાની ગુણમયી માયાથી જગતની રચના કરી છે,તેનાથી તે તેનું પાલન કરે છે અને પછી તેનાથી સંહાર પણ કરશે.તેમનો જ્ઞાનનો દેશ,કાળ અથવા અવસ્થાથી,પોતાની જાતે અથવા બીજા કોઈ નિમ્મિતથી પણ ક્યારે લોપ નથી થતો,તેનો માયાની સાથે કેવી રીતે સંયોગ હોઈ શકે છે.એકમાત્ર ભગવાન જ બધા ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપથી સ્થિર છે,પછી તેને દુર્ભાગ્ય અથવા કોઈ પ્રકારના કર્મજનીત કલેશની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે છે.ભગવન ! આ અજ્ઞાનસંકટમાં પડીને મારુ મન ખુબ ખિન્ન થઇ રહ્યું છે,તમો મારા મનના આ મહાન મોહને કૃપા કરીને દૂર કરો.
શ્રી શુકદેવજી કહે છે -તત્વજિજ્ઞાસુ વિદુરજીની તે પ્રેરણા મેળવીને અહંકારરહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા મુસ્કરાતા કહ્યું.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- જે આત્મા બધાનો સ્વામી અને કાયમ મુકિતસ્વરૂપ છે,તેજ દીનતા અને બંધનને પ્રાપ્ત હોય-આ વાત યુક્તિવિરુદ્ધ અવશ્ય છે,પરંતુ હકીકતમાં તેજ તો ભગવાનની માયા છે.
જેવી રીતે સ્વપ્ન જોનાર પુરુષને પોતાનું માથું કપાવું વગેરે વેપાર ન થવાથી જ અજ્ઞાનને કારણે સાચા જેવું લાગે છે,તેવી રીતે આ જીવને બંધન વગેરે ન હોવા છતાં અજ્ઞાનતાથી ભાસ્યા કરે છે.જો તે કહેવામાં આવે કે પછી ઈશ્વરમાં તેને પ્રતીતિ કેમ નથી થતી,તો તેનો જવાબ એ છે કે જેવી રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્રમાના પ્રતિબિંબમાં ન હોવા છતાં દેખાય છે.આકાશના ચંદ્રમામાં નહિ,એવી રીતે દેહાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે,પરમાત્મામાં નહિ.નિષ્કામ ભાવથી ધર્મોનું આચરણ કરવાથી ભગવત્કૃપાથી પ્રાપ્ત થયેલી ભક્તિ યોગના દ્વારા આ પ્રતીતિ ધીરે ધીરે નિવૃત થઇ જાય છે.જે વખતે બધી ઇન્દ્રિયો વિષયોથી દૂર થઈને સાક્ષી પરમાત્મા શ્રી હરિમાં નિશ્ચલભાવથી સ્થિર થઇ જાય છે.,તે વખતે ગાઢ નિદ્રામાં સુતેલા મનુષ્યના જેવા જીવમાં રાગ દ્વેષ વગેરે બધા દોષો કાયમ માટે નાશ પામે છે.શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન જ શ્રવણ અશેષ દુઃખરાશીને શાંત કરી દે છે.પછી જો અમારા હૃદયમાં તેમની ચરણકમળોની રજનું સેવન જાગી જાય,તો તો કહેવું જ શું ?
વિદુરજીએ કહ્યું-ભગવન ! તમારા યુક્તિયુક્ત વચનોની તલવારથી મારી શંકાઓ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.હવે મારુ મન ભગવાનની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા- બંને વિષયોમાં ખુબ પ્રવેશ કરી રહ્યું છે.વિદ્વાન ! તમે એ વાત્ત ખુબ સાચી કહી કે જીવને જો કલેશ વગેરેની પ્રતીતિ થઇ રહી છે,તેનો આધાર ફક્ત ભગવાનની માયા જ છે.આ કલેશ ફક્ત મિથ્યા એટલે નિર્મૂળ જ છે,કેમકે આ વિશ્વનું મૂળ કારણ જ માયાથી વધારે બીજું કઈ નથી.આ દુનિયામાં બે જ પ્રકારના લોકો સુખી છે-અથવા તો જે અત્યંત મૂઢ(અજ્ઞાનગ્રસ્ત)છે,અથવા જે બુદ્ધિ વગેરેથી અતીત શ્રી ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે.વચ્ચેની શ્રેણીના સંશયાપન્ન લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે.ભગવન ! તમારી કૃપાથી મને એ ખાતરી થઇ ગઈ છે કે આ અનાત્મ પદાર્થ ખરેખર છે જ નહિ,ફક્ત દેખાય છે.હવે હું તમારા ચરણૉની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ.
વિદુરજીએ કહ્યું-ભગવન ! તમારા યુક્તિયુક્ત વચનોની તલવારથી મારી શંકાઓ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.હવે મારુ મન ભગવાનની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા- બંને વિષયોમાં ખુબ પ્રવેશ કરી રહ્યું છે.વિદ્વાન ! તમે એ વાત્ત ખુબ સાચી કહી કે જીવને જો કલેશ વગેરેની પ્રતીતિ થઇ રહી છે,તેનો આધાર ફક્ત ભગવાનની માયા જ છે.આ કલેશ ફક્ત મિથ્યા એટલે નિર્મૂળ જ છે,કેમકે આ વિશ્વનું મૂળ કારણ જ માયાથી વધારે બીજું કઈ નથી.આ દુનિયામાં બે જ પ્રકારના લોકો સુખી છે-અથવા તો જે અત્યંત મૂઢ(અજ્ઞાનગ્રસ્ત)છે,અથવા જે બુદ્ધિ વગેરેથી અતીત શ્રી ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે.વચ્ચેની શ્રેણીના સંશયાપન્ન લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે.ભગવન ! તમારી કૃપાથી મને એ ખાતરી થઇ ગઈ છે કે આ અનાત્મ પદાર્થ ખરેખર છે જ નહિ,ફક્ત દેખાય છે.હવે હું તમારા ચરણૉની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ.
આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસુદનના ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે,જે આવાગમનની યંત્રણાનો નાશ કરી નાખે છે.માહાત્માંલોકો ભગવત્પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ હોય છે,તેમને ત્યાં કાયમ દેવાધિદેવ શ્રી હરિના ગુણોનું ગાન થયા કરે છે અલ્પપૂણ્ય પુરુષને તેમની સેવાનો અવસર મળવો ખુબ જ કઠિન છે.
ભગવન ! તમોએ કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમથી મહદાદિ તત્વ અને તેના વિકારોને રચીને પછી તે અંશોથી વિરાટને ઉત્તપન્ન કર્યા અને તેના પછી તેઓ જાતે તેમાં પ્રવેશી ગયા.તે વિરાટના હજારો પગ,જાંઘો અને હાથો છે,તેને જ વેદ આદિ પુરુષ કહે છે.તેમનામાં આ બધા લોકો વિસ્તૃત રૂપથી સ્થિર છે.તેમનામાં જ ઇન્દ્રિય,વિષય અને ઇન્દ્રિયઅભિમાની દેવતાઓની સાથે દસ પ્રકારના પ્રાણોના - જે ઇન્દ્રિયબલ,મનોબળ અને શારીરિક બળરૂપથી ત્રણ પ્રકારના છે -તમોએ વર્ણન કર્યું છે અને તેનાથી બ્રાહ્મણાદિ વર્ણ પણ ઉત્તપન્ન થયા છે.હવે તમો મને તેમની બ્રહ્માદિ વિભૂતીયોનુ વર્ણન સંભળાવો -જેનાથી પુત્ર,પૌત્ર,નાતી અને કુટૂમ્બીઓ સાથે જાત જાતની પ્રજા ઉત્તપન્ન થઇ અને તેનાથી આ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું.તે વિરાટ બ્રહ્માદિ પ્રજાપતીયોના પણ પ્રભુ છે.તેમણે કયા કયા પ્રજાપતીયોને ઉત્તપન્ન કર્યા તથા સર્ગ,અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમથી રચના કરી ? મૈત્રેયજી ! તે મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોના,પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભુલોકનો વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા તે પણ બતાવો કે તિર્યક ,મનુષ્ય,દેવતા,સરીસૃપ (સાપ વગેરે રેંગનારા જંતુ ) અને પક્ષી તથા જરાયુઝ,સ્વેદજ,અંડજ અને યુદ્ધવિજ - આ ચાર પ્રકારના પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થયા.શ્રી હરિએ સૃષ્ટિ બનાવતી વખતે જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને સંહારને માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી,તેનું પણ વર્ણન કરો.વેષ,આચરણ અને સ્વભાવના પ્રમાણે વર્ણાશ્રમનો વિભાગ,ઋષિયોના જન્મ કર્મ વગેરે ,વેદોનો વિભાગ,યજ્ઞોનો વિસ્તાર,યોગનો માર્ગ,જ્ઞાન માર્ગ અને તેમનું સાધન સંખ્યમાર્ગ તથા ભગવાનના કહેલા નારદપાશવરાત્ર વગેરે તંત્રશાસ્ત્ર જુદા જુદા પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા,નીચ વર્ણનાં પુરુષથી ઉચ્ચવર્ણની સ્ત્રીઓમાં થનારી સંતાનોના પ્રકાર તથા જુદા જુદા ગુણો અને કર્મના કારણ જીવની જેવી અને જેટલી ગતિયો હોય છે,તે બધું અમને સંભળાવો.
બ્રહ્મન ! ધર્મ,અર્થ,કામ અને મોક્ષની પ્રાપ્તિ ના પરસ્પર અવિરોધી સાધનોના,વાણિજ્ય ,દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિયોના,શ્રાદ્ધની વિધિના,પિતૃગણોની સૃષ્ટિનું તથા કાલચક્રમાં ગ્રહ,નક્ષત્ર અને તારાગણની સ્થિતિનું પણ જુદું જુદું વર્ણન કરો.દાન,તપ તથા ઇષ્ટ અને પૂર્ત કર્મોનું શું ફળ છે ? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યોનો શું
ધર્મ હોય છે ? નિષ્પાપ મૈત્રેયજી ! ધર્મનું મૂળ કારણ શ્રી જનાર્દન ભાગવાન કયા આચરણથી સંતોષ પામે છે અને કોના પર અનુગ્રહ કરે છે.તે વર્ણન કરો.દ્વિજવર ! દિનવત્સલ ગુરુજન પોતાના અનુગત શિષ્યો અને પુત્રોને વગર પૂછ્યે પણ પોતાના હિતની વાત બતલાવી દે છે.ભગવન ! તે મહદાદિ તત્વોના પ્રલય કેટલા પ્રકારના છે ? તથા જયારે ભગવાન યોગનિંદ્રામાં શયન કરે છે ત્યારે તેમનામાંથી કયા કયા તત્વો તેમની સેવા કરે છે અને કોણ તેમાં
લિન થઇ જાય છે ? જીવનું તત્વ,પરમેશ્વરનું સ્વરૂપ,ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ અને શિષ્યના પારસ્પિક પ્રયોજન શું છે ? પવિત્રાત્માન ! વિદ્વાનોના તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાય બતલાવ્યા છે ? કેમકે મનુષ્યોનું જ્ઞાન ,ભક્તિ અથવા વૈરાગ્યની પ્રાપ્તિ એમનેમ તો થઇ ન શકે.બ્રહ્મન ! માયા મોહને કારણે મારી વિચાર દ્રષ્ટિ નાશ પામી છે.હું અજ્ઞાન છું,તમો મારા પરમ સહૃદ છે,એટલે શ્રી હરિલીલાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મેં જે પ્રશ્ન કર્યા છે તેના જવાબ મને આપો.પુણ્યમય મૈત્રેયજી ! ભગવતત્વ ના ઉપદેશ દ્વારા જીવને જન્મ મૃત્યુથી છોડાવીને તેને અભય કરવામાં જે પુણ્ય થાય છે,બધા વેદોનું અધ્યયન,યજ્ઞ,તપસ્યા અને દાન વગેરેથી થનારું પુણ્ય તે પુણ્યના સોળમા અંશની બરાબર પણ ન હોય શકે.
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! જયારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ મુનિવર મૈત્રેયજી ને આવી રીતે પુરાણવિષયક પ્રશ્ન કર્યા,ત્યારે ભગવતચર્ચા ને માટે પ્રેરિત કરવાને કારણે તે ખુબ જ પ્રસન્ન થયા અને મુસ્કરાઇને તેમને કહેવા લાગ્યા.
આઠમો અધ્યાય
બ્રહ્માજીની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -
વિદુરજી ! તમો ભાગવત ભકતોમાં મુખ્ય લોકપાલ યમરાજા જ છો. તમે પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો માટે પણ સેવા યોગ્ય થઇ ગયો છે.ધન્ય છે ! તમો વારંવાર પગલે પગલે શ્રી હરિની
કિર્તીમયી માળાને નિત્ય નવીન બનાવી રહ્યા છો.હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને મોડી લેનારા પુરુષોની દુઃખનિવૃતીયો માટે, શ્રીમદ્ભાગવતપુરાણ પ્રારંભ કરું છું-જેને શ્રી સંકર્ષણ ભગવાને જાતે સનકાદિ ઋષિયોને સંભળાવ્યું હતું.
અખંડ જ્ઞાનસંપન્ન આદિદેવ ભગવાન સંકર્ષણ ભગવાન પાતાળલોકમાં વિરાજમાન છે.સનતકુમાર આદિ ઋષિયોને તેનાથી પરમ પુરુસોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો.તે વખતે શેષજી પોતાના અશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા,જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે.તેમના કમલકોશ જેવા નેત્રો બંધ હતા.પ્રશ્ન કરવાથી સનતકુમાર વગેરે જ્ઞાનીજનોના આનંદ માટે તેમણે પોતાના અધખૂલા નેત્રોથી જોયું.
સનતકુમાર વગેરે ઋષિયોએ મંદાકિની નદીના પાણીથી ભીંજાયેલા પોતાના વાળની જટાનેતેમના ચારણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો,જેમની નાગરાજકુમારીયોં પસંદગીનું વર મેળવવા માટે ભેટ-સામગ્રીઓથી પૂજા કરે છે.
સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે.તેમણે વારંવાર પ્રેમથી ભરેલી વાણીથી તેમની લીલાનું ગાન કર્યું.તે વખતે શેષ ભગવાનના ઉઠેલા હજારો ફેણ કિરિટોના હજારો હજારો શ્રેષ્ઠ મણિઓની ફંગોળાતી રોશનીથી ઝળહળિત થઇ રહ્યા હતા.ભગવાન સંકર્ષણે નિવૃતપરાયણ સન્તકુમારજીને તે ભાગવત સંભળાવ્યું હતું.-તેવું પ્રચલિત છે.સન્તકુમારજીએ પછી તેને પરમ વ્રતશીલ સાંખ્યાયન મુનિને,તેમના પ્રશ્ન કરવાથી સંભળાવ્યું.પરમહંસોમાં મુખ્ય શ્રી સંખ્યાયનજીને ભગવાનની વિભૂતીયોનનું વર્ણન કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે પોતાના અનુગત શિષ્ય,આપણા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું.તેના પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિપુરાણ મને કહ્યું.વત્સ ! શ્રદ્ધાળુ અને કાયમ અનુગત જોઈને હવે તે પુરાણ હું તને સંભળાવું છું.
બ્રહ્માજીની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -
વિદુરજી ! તમો ભાગવત ભકતોમાં મુખ્ય લોકપાલ યમરાજા જ છો. તમે પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો માટે પણ સેવા યોગ્ય થઇ ગયો છે.ધન્ય છે ! તમો વારંવાર પગલે પગલે શ્રી હરિની
કિર્તીમયી માળાને નિત્ય નવીન બનાવી રહ્યા છો.હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને મોડી લેનારા પુરુષોની દુઃખનિવૃતીયો માટે, શ્રીમદ્ભાગવતપુરાણ પ્રારંભ કરું છું-જેને શ્રી સંકર્ષણ ભગવાને જાતે સનકાદિ ઋષિયોને સંભળાવ્યું હતું.
અખંડ જ્ઞાનસંપન્ન આદિદેવ ભગવાન સંકર્ષણ ભગવાન પાતાળલોકમાં વિરાજમાન છે.સનતકુમાર આદિ ઋષિયોને તેનાથી પરમ પુરુસોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો.તે વખતે શેષજી પોતાના અશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા,જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે.તેમના કમલકોશ જેવા નેત્રો બંધ હતા.પ્રશ્ન કરવાથી સનતકુમાર વગેરે જ્ઞાનીજનોના આનંદ માટે તેમણે પોતાના અધખૂલા નેત્રોથી જોયું.
સનતકુમાર વગેરે ઋષિયોએ મંદાકિની નદીના પાણીથી ભીંજાયેલા પોતાના વાળની જટાનેતેમના ચારણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો,જેમની નાગરાજકુમારીયોં પસંદગીનું વર મેળવવા માટે ભેટ-સામગ્રીઓથી પૂજા કરે છે.
સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે.તેમણે વારંવાર પ્રેમથી ભરેલી વાણીથી તેમની લીલાનું ગાન કર્યું.તે વખતે શેષ ભગવાનના ઉઠેલા હજારો ફેણ કિરિટોના હજારો હજારો શ્રેષ્ઠ મણિઓની ફંગોળાતી રોશનીથી ઝળહળિત થઇ રહ્યા હતા.ભગવાન સંકર્ષણે નિવૃતપરાયણ સન્તકુમારજીને તે ભાગવત સંભળાવ્યું હતું.-તેવું પ્રચલિત છે.સન્તકુમારજીએ પછી તેને પરમ વ્રતશીલ સાંખ્યાયન મુનિને,તેમના પ્રશ્ન કરવાથી સંભળાવ્યું.પરમહંસોમાં મુખ્ય શ્રી સંખ્યાયનજીને ભગવાનની વિભૂતીયોનનું વર્ણન કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે પોતાના અનુગત શિષ્ય,આપણા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું.તેના પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિપુરાણ મને કહ્યું.વત્સ ! શ્રદ્ધાળુ અને કાયમ અનુગત જોઈને હવે તે પુરાણ હું તને સંભળાવું છું.
સૃષ્ટિની પહેલા આખું જગત પાણીમાં ડૂબેલું હતું. તે વખતે એકમાત્ર શ્રી નારાયણદેવ શેષશૈયા પર સુતેલા હતા.તે પોતાની જ્ઞાનશક્તિને અક્ષુણ્ણ રાખીને જ યોગનિંદ્રાનો આશ્રય લેતા પોતાના નેત્રો બંધ કરેલા હતા.સૃષ્ટિના કર્મથી અવકાશ લઈને આત્માનંદમાં મગ્ન હતા.તેઓમાં બીજી કોઈ પણ ક્રિયાનો ઉન્મેષ ન હતો.જેવી રીતે અગ્નિ પોતાની દઝાડનારી વગેરે શક્તિઓને છુપાવતા લાકડામાં વ્યાપ્ત રહે છે,તેજ રીતે શ્રી ભગવાને સંપૂર્ણ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતામાં શરીરમાં મેળવી દઈને પોતાના આધારભૂત તે પાણીમાં સુતા, તેમણે સૃષ્ટિકાળ આવવાથી ફરીથી
જાગવા માટે ફક્ત કાળશક્તિને જાગૃત રાખી.તેવી રીતે પોતાની સ્વરૂપભુતા ચીચ્છશક્તિ ની સાથે એક હજાર ચતુર્યુગ દરમ્યાન પાણીમાં શયન પછી જયારે તેમના દ્વારા નિયુક્ત તેમની કાળશક્તિ તેમણે જીવોને કર્મોની પ્રવુત્તિઓ માટે પ્રેરિત કર્યા,ત્યારે તેમણે પોતાના શરીરમાં લિન થયેલા અનંત લોક જોયા.જે વખતે ભગવાનની દૃષ્ટિ પોતાનામાં રહેલા લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી ,ત્યારે તે કાળ આશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમની નાભિદેશથી બહાર નીકળ્યો.કર્મશક્તિને જગાડનારા કાળ દ્વારા વિષ્ણુભગવાનની નાભિથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમાલકોશના રૂપમાં એકદમ ઉપર આવ્યું અને તેણે સૂર્યના જેવા પોતાના તેજથી તે અપાર જળશક્તિને દેદીપ્યમાન કરી દીધી.
જાગવા માટે ફક્ત કાળશક્તિને જાગૃત રાખી.તેવી રીતે પોતાની સ્વરૂપભુતા ચીચ્છશક્તિ ની સાથે એક હજાર ચતુર્યુગ દરમ્યાન પાણીમાં શયન પછી જયારે તેમના દ્વારા નિયુક્ત તેમની કાળશક્તિ તેમણે જીવોને કર્મોની પ્રવુત્તિઓ માટે પ્રેરિત કર્યા,ત્યારે તેમણે પોતાના શરીરમાં લિન થયેલા અનંત લોક જોયા.જે વખતે ભગવાનની દૃષ્ટિ પોતાનામાં રહેલા લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી ,ત્યારે તે કાળ આશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમની નાભિદેશથી બહાર નીકળ્યો.કર્મશક્તિને જગાડનારા કાળ દ્વારા વિષ્ણુભગવાનની નાભિથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમાલકોશના રૂપમાં એકદમ ઉપર આવ્યું અને તેણે સૂર્યના જેવા પોતાના તેજથી તે અપાર જળશક્તિને દેદીપ્યમાન કરી દીધી.
સંપૂર્ણ ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વ લોકમય કમળમાં તે વિષ્ણુભગવાન જ અન્તર્યામીરૂપથી પ્રવેશી ગયા ત્યારે તેમાંથી વગર ભણાવ્યે જ જાતે સંપૂર્ણ વેદોના જાણનારા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા,જેમને લોકો સ્વયંભૂ કહે છે.તે કમળની કર્ણિકા( ગાદી) માં બેઠેલા બ્રહ્માજી જયારે કોઈ લોકો દેખાયા નહિ,ત્યારે તેઓ આંખો ફાડીને આકાશમાં ચારે બાજુ ગરદન ઘુમાવીને જોવા લાગ્યા,તેનાથી તેમના ચારે દિશાઓમાં ચાર મોઢા થઇ ગયા.તે વખતે પ્રલાયકાલીન પવનની થપાટોથી ઉછળતી પાણીની તરંગમાળાઓના કારણે તે જલરાશિની ઉપર ઉઠેલા કમળ પર બેઠેલા આદિદેવ બ્રહ્માજીને પોતાના તથા તે લોકતત્વરૂપ કમળનું કોઈ પણ રહસ્ય ન જણાયું.
તે વિચારવા લાગ્યા ' આ કમળની ડાળી ઉપર બેઠેલો હું કોણ છે ? આ કમળ પણ બીજા કોઈ આધાર વગર આ પાણીમાં ક્યાંથી ઉત્તપન્ન થઇ ગયું ? તેની નીચે જરૂર કોઈ એવી વસ્તુ હોવી જોઈએ,જેના આધાર ઉપર તે સ્થિર છે.
એવું વિચારીને તેઓ તે કમળની ડાળીના સુક્ષ્મ છીદ્રોમાં થઈને તે પાણીમાં ઘુસ્યા.પરંતુ તે ડાળીના આધારને શોધતા શોધતા તે નાભિપ્રદેશ નજીક પહોંચી જવા છતાં તેમને તે ન મળ્યું.વિદુરજી ! તેઓ ઘોર અંધકારમાં પોતાના ઉત્તપત્તિ સ્થાનને શોધતા શોધતા તેમને ઘણો સમય લાગ્યો,આ કાળ જ ભગવાનનું ચક્ર છે,જે પ્રાણીઓને ભયભીત( કરતા તેની ઉંમરને ઓછી )કરતુ રહે છે.અંતમાં પ્રયત્ન સફળ ન થતા તેઓ ત્યાંથી પાછા આવ્યા અને ફરીથી પોતાના આધારભૂત કમળ પાર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને ની:સઁકલ્પ કર્યું અને સમાધિમાં સ્થિર થઇ ગયા.તે પ્રમાણે પુરુષની પૂર્ણ ઉમર બરાબરના કાળસુધી(એટલે દિવ્ય સો વર્ષો સુધી)સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું,ત્યારે તેમણે પોતાના તે અધિસ્થાનને ,જેને પહેલા શોધવાથી પણ ન જોઈ શક્યા હતા, પોતાના જ હૃદયમાં પ્રકાશિત થતું જોયું.તેમણે જોયું કે તે પ્રલાયકાલીન પાણીમાં શેષજીના કમનલસદર્શ ગૌર અને વિશાળ વિગ્રહ ની શય્યા પર પુરુસોત્તમ ભગવાન એકલા જ સુતા હતા.શેષજીના દસ હજાર ફેણ છત્રની માફક ફેલાયેલા હતા.તેમના માથા ઉપર કિરીટ શોભાયમન છે,તેમાં જે મણિયો જડેલા છે તેના તેજથી ચારે બાજુનો અંધકાર દૂર થઇ ગયો છે.તેઓ પોતાના શ્યામ શરીરની આભાથી મસ્તકમણીના પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે,.તેમની કમરનો પિતપટ પર્વતના પ્રાંત દેશમાં છવાયેલા સાયંકાળના પીળા પીળા ચમકતા મેઘોની આભાને મલિન કરી રહ્યો છે,માથા ઉપર સુશોભિત સોનાનો મુકુટ સુવર્ણમય શિખરોનું માન મર્દન કરી રહ્યો છે.તેની વનમાળા પર્વતના રત્ન,જળપ્રપાત,ઔષધિ અને પુષ્પોની શોભાને પરાસ્ત કરી રહી છે,તથા તેમના ભૂજદંડ વેણુદંડનો અને ચરણો વૃક્ષોનો તિરસ્કાર કરે છે.તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ-પહોળાઈમાં ત્રિલોકીનો સંગ્રહ કરેલો છે.તે પોતાની શોભાથી વિચિત્ર તેમજ દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારા હોવા છતાં પણ પીતામ્બર વગેરે પોતાની વેષભુષાથી સુસજ્જિત છે.પોત પોતાની અભિલાષાની પૂર્તિ માટે જુદા જુદા ભાગોથી પૂજા કરનારા ભક્તજનોને કૃપા પૂર્વક પોતાના ભક્તવાંછાકલ્પતરુ ચરણોનું દર્શન આપી રહ્યા છે.જેમના સુંદર અંગુલીદળ નખચંદ્રની ચંદ્રીકાથી જુદા જુદા સ્પષ્ટ ચમકતા રહે છે.સુંદર નાસિકા અનુગ્રહ વર્ષી ભ્રમરો,કાનોમાં ઝીલમીલાતા કુંડળોની શોભા ,ચીમબા ફળની જેવી લાલ લાલ હોઠોની કાંતિ તેમજ લોકરતીહારી મુસ્કરાતથી યુક્ત મુખારવિંદના દ્વારા તે પોતાના ઉપાસકોને સંમાન - અભિનંદન કરી રહ્યા છે.વત્સ !તેમના નિતંબદેશમાં કદંબકુસુમની કેસરના જેવી પીતવસ્ત્ર અને સુવર્ણમયી મેખલા સુશોભિત છે.તથા વૃક્ષ:સ્થળમાં અમૂલ્ય હાર,અને સુનહરી રેખાવાળા શ્રીવત્સચિહ્નની અપૂર્વ શોભા થઇ રહી છે.
તે અવ્યક્તમૂલ ચંદનવૃક્ષ જેવા છે.ખુબ જ કિંમતી કેયુર અને ઉત્તમ ઉત્તમ મણિયોથી સુશોભિત તેમના વિશાલ ભુજ દંડ જ માનો તેમની હજારો શાખાઓ છે,અને ચંદનના વૃક્ષોમાં મોટા મોટા સાપો વીતરાયેલા રહે છે તેવી રીતે તેમના ખભાઓને શેષજીની ફેણોએ લપેટી રાખ્યા છે.તે નાગરાજ અનંતના ભાઈ શ્રી નારાયણ એવા દેખાય છે માનો કોઈ પાણીથી ઘેરાયેલા પર્વતરાજ જ હોય.પર્વત જાણે અનેકો જીવો રહે છે,એવી રીતે તેઓ સંપૂર્ણ ચરાચરના આશ્રય છે,શેષજીના ફેણો પર જે હજારો મુગુટ છે,તે જ માનો તે પર્વતના સુવર્ણમંડિત શિખરો છે,તથા વક્ષ:સ્થળમાં વિરાજેલા કૌસ્તુભમણિ તેના ગર્ભથી પ્રગટ થયેલું રત્ન છે.પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાથી ગુંજતી તેમની કીર્તિમયી વનમાળા વિરાજ રહી છે,સૂર્ય,ચંદ્ર,વાયુ અને અગ્નિ વગેરે દેવતાઓની પણ તમારા સુધી પહુંચ નથી,તથા ત્રિભુવનમાં રોક ટોક વગર વિચરણ કરનારા સુદર્શનચક્રાદિ શસ્ત્રો પણ પ્રભુની અસપાસજ ફરતા રહે છે,તેમના માટે પણ તમો અત્યંત દુર્લભ છો.
ત્યારે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભિ સરોવરમાં પ્રગટેલું તે કમળ,જળ,આકાશ,વાયુ અને પોતાનું શરીર- ફક્ત તે પાંચ જ પદાર્થ જોયા,તે સિવાય બીજું કઈ તેમને ન દેખાયું.રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાની રચના કરવા ઇચ્છતા હતા.જયારે તેમણે સૃષ્ટિના કારણભૂત ફક્ત એ પાંચ પદાર્થ જ જોયા ત્યારે લોકરચનાના ઉત્સાહમાં તે અચીંત્યગતિ શ્રી હરિમાં ચિત્ત લગાવીને તે પરમપુજનિય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
નવમો અધ્યાય
બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ
બ્રહ્માજીએ કહ્યું -પ્રભુ હું આજે ઘણા સમય પછી આપને સમજી શક્યો છું.અહો ! કેટલા દુર્ભાગ્યની વાત છે કે દેહધારી જીવો આપને નથી જાણી શકતા. ભગવાન ! આપના સિવાય કોઈ વસ્તુ નથી. જે વસ્તુ દેખાય છે તે તે પણ સ્વરૂપમાં સત્ય નથી કેમકે માયાના ગુણોને ક્ષુભિત થવાને કારણે ફક્ત આપ જ અનેક રૂપોમાં દેખાવ છો.દેવ ! આપની ચિત્ત શક્તિના પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપથી સદા દૂર રહે છે.આપનું આ રૂપ, જેના નાભિ કમળથી હું પ્રગટ થયો છું સેંકડો અવતારોનું મૂળ કારણ છે.તેને આપે સત્પુરુષો ઉપર કૃપા કરવા પહેલા પહેલ પ્રગટ કર્યું છે. પરમાત્માં ! આપનું જે આનંદમાત્ર, ભેદ વગરનું અખંડ તેજોમય સ્વરૂપ છે તેને હું તેનાથી જુદું નથી સમજતો.એટલા માટે મેં વિશ્વની રચના કરનારો હોવા છતાં પણ વિશ્વાતીત તમારા આ અદ્વિતીય રૂપનું જ શરણું લીધું છે.તે સંપૂર્ણ ભૂત અને ઈન્દ્રિયોનું પણ અધિષ્ઠાન છે. વિશ્વકલ્યાણમય ! હું આપનો ઉપાસક છું, આપે મારા હિત માટે જ મને ધ્યાનમાં આપનું આ રૂપ બતલાવ્યું છે.જે પાપાત્મા વિષયાસક્ત જીવ છે,તે જ તેનો અનાદર કરે છે.હું તો આપને આ રૂપમાં વારંવાર નમસ્કાર કરું છું.મારા સ્વામી ! જે લોકો વેદરૂપ વાયુથી લાવેલી આપના ચરણરૂપ કમળકોશની ગંધને પોતાના કર્ણપટથી ગ્રહણ કરે છે, તે આપના ભકજનોના હૃદયકમળથી આપ ક્યારે પણ દૂર નથી થતા કેમકે તે પરા ભક્તિરૂપી દોરીથી આપના પાદપદ્મોને બાંધી લે છે. જ્યાં સુધી પુરુષ આપના અભયપદ ચરણાર્વિન્દનો આશ્રય નથી લેતા, ત્યાં સુધી તેમને ધન , ઘર,અને બંધુજનોના કારણે પ્રાપ્ત થનારા ભય, શોક, લાલસા, દીનતા અને ખુબ જ લોભ વગેરે હેરાન કરે છે અને ત્યાં સુધી teen હું- હું પણાનો દુરાગ્રહ રહે છે,ke દુઃખનું એકમાત્ર કારણ છે.જે લોકો બધાજ પ્રકારના અમંગળોને નષ્ટ કરનારા શ્રવન કીર્તિ નાદિ પ્રસંગોથી ઇન્દ્રિયોને દૂર કરીને નાના પ્રકારના વિષયસુખ માટે ગરીબ અને મનમાં ને મનમાં લાલચુ થઈને કાયમ દુષ્કર્મોમાં રચ્યા રહે છે, તે બિચારાઓની બુદ્ધિ નસીબે હરિ લીધી છે.અચ્યુત ! ઉરૂક્રમ ! આ પ્રજાને ભૂખ, તરસ,વાત, પિત્ત ,કફ,ઠંડી , ગરમી,હવા અને વરસાદથી અંદરોદર એકબીજાથી તથા કામાંગ્ની અને દુ:સહ ક્રોધથી વારંવાર કષ્ટ ઉઠાવતા જોઈને મારુ મન ખુબ જ નારાજ રહે છે.સ્વામી ! જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિય અને વિષયરૂપી માયાના પ્રભાવથી તમારાથી તેમને જુદા જુએ છે, ત્યાં સુધી આ સંસારના ફેરા મટતા નથી. જો કે તે મિથ્યા છે, તે ઉપરાંત કર્મફળ ભોગનું ક્ષેત્ર હોવાને કારણે તેમને નાના નાના દુઃખો ભોગવ્યા કરવા પડે છે.
દેવ ! બીજાઓની તો વાત જ શું -જે સાક્ષાત મુનિ છે તે પણ આપના કથા પ્રસંગથી અલગ રહે છે તો તેને સંસારમાં ફસાવું પડે છે.તે દિવસમાં અનેક પ્રકારના કામોને કારણે વિક્ષેપ મનવાળા થઇ જાય છે અને રાત્રે ઊંઘમાં અચેત પડ્યા રહે છે.તે સમયે પણ જાત જાતના વિચારોને કારણે તેમની ઊંઘમાં ભંગ થતો રહે છે.અને નસીબને કારણે તેમના કમાવાના બધા ધંધા નિષ્ફળ થતા રહે છે.નાથ ! તમારો માર્ગ ફક્ત ગુણોના સાંભળવાથી જ સમજી શકાય છે.આપ જરૂર થી મનુષ્યના ભક્તિયોગ દ્વારા પરિશુદ્ધ થયેલા હૃદયકમળમાં નિવાસ કરો છો.પુણ્યશ્લોક પ્રભુ ! આપના ભક્તજનો જે જે ભાવનાથી આપણું ચિંતન કરે છે,તે સાધુપુરુષો પાર અનુગ્રહ કરવા માટે તે તે રૂપ ધારણ કરી લો છો. ભગવન ! તમો એક છો તથા સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં તેમના પરમ હિતકારી અંતરાત્મા છો.એટલા માટે દેવતાલોકો પણ હૃદયમાં જાતજાતની ઈચ્છાઓ સાથે જાત જાતની ભરચક સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી તમો તેટલા પ્રસન્ન નથી થતા જેટલા બધા પ્રાણીઓ પર દયા કરવાથી થાવ છો.પરંતુ તે સર્વભૂત દયા અસત પુરુષો માટે ખુબ જ દુર્લભ છે.જે કર્મ આપને અર્પિત કરી દેવામાં આવે છે,તેનો ક્યારેય નાશ નથી થતો-તે અક્ષય થઇ જાય છે. એટલે નાના પ્રકારના કર્મ-યજ્ઞ,દાન,કઠિન તપસ્યા વ્રત વગેરે દ્વારા આપની પ્રસન્નતા મેળવવી જ મનુષ્યનું સહુથી મોટું કર્મ ફળ છે.કેમકે આપની પ્રસન્નતા થવાથી કયું એવું ફળ છે જે સુલભ નથી થઇ જતું.તમો કાયમ આપના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદ બ્રહ્મ સ્વરૂપના અંધકારનો નાશ કરતા રહો છો.તથા જ્ઞાનના અધિષ્ઠાન સાક્ષાત પરમપુરુષ છો હું આપને નમસ્કાર કરું છું.સંસારની ઉત્તપત્તિ ,સ્થિતિ અને સંહારના નિમિત્તથી જે લીલાઓ થાય છે,તે આપની જ રમત છે,એટલે હું આપ પરમેશ્વરને વારંવાર નમસ્કાર કરું છું.જે લોકો પ્રાણત્યાગ કરતી વખતે આપના અવતાર,ગન અને કર્મોને બતાવનાર દેવકીનંદન,જનાર્દન,કંસનિકંદન વગેરે નામોનું વિવિશ થઈને પણ ઉચચ્ચારણ કરે છે,તે અનેકો જન્મોના પાપોથી તરતજ મુક્ત થઈને માયા વગેરે આવરણો વગરનું બ્રહ્મપદ મેળવે છે.
નિત્ય અજન્મા છો,હું આપનું શરણું લઉં છું.ભગવન ! આ વિશ્વવૃક્ષના રૂપ માં તમો જ બેઠેલા છો.તમો જ પોતાની મૂળ પ્રકૃતિને સ્વીકારીને જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને પ્રલય માટે મારા ,આપણા તથા મહાદેવજીના રૂપમાં ત્રણ મુખ્ય શાખાઓમાં વહેંચાયેલા છે અને પછી પ્રજાપતિ એટલે મનુ વગેરે શાખા પ્રશાખાઓના રૂપમાં ફેલાઈને ખુબ જ વિસ્તૃત થઇ ગયા છે.હું આપને નમસ્કાર કરું છું.ભગવન ! તમોએ તમારી આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવ્યો છે પરંતુ તે આ બાજુથી ઉદાસીન રહીને કાયમ વિપરીત
( નિષિદ્ધ ) કર્મોમાં લાગ્યા રહે છે.આવી પ્રમાદની અવશ્થામાં પડેલા આ જીવોની જીવન આશાને જે કાયમ સાવધાન રાખીને ખુબ જ શીઘ્રતાથીકાપતો રહે છે.તે બળવાન કાળ પણ આપનું જ રૂપ છે,
હું તેને નમસ્કાર કરું છું.કદાચ હું સત્યલોકનો અધિષ્ઠાતા છું,
જે બે પરાર્ધ માટે રહેનારા અને બધાજ લોકોના વંદનીય છે.તો પણ આપના તે કાલરૂપથી ડરતો રહું છું.તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા જ મેં ઘણા સમય માટે તપસ્યા કરી છે.આપ જ અધિયજ્ઞ રૂપથી મારી આ તપસ્યાના સાક્ષી છો,હું આપણે નમસ્કાર કરું છું.આપ પૂર્ણ કામ છો આપને કોઈ વિષય સુખની ઈચ્છા નથી,છતાં પણ આપ આપની બનાવેલી ધર્મમર્યાદાની રક્ષા માટે પશુ-પક્ષી,મનુષ્ય અને દેવતા વગેરે જીવયોનિયોમાં આપની જ ઈચ્છાથી શરીર ધારણ કરીને અનેકો લીલાઓ કરી છે.એવા આપ પુરુસોત્તમ ભગવાનને મારા નમસ્કાર છે.પ્રભુ ! આપ અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ અને અભિનિવેશ-પાંચોમાંથી એકને પણ આધીન નથી,તે ઉપરાંત આ સમયે જે આખા સંસારને આપના ઉદરમાં લિન કરીને ભયંકર તરંગમાળાઓથી વિક્ષુબ્ધ પ્રલાયકાળના પાણીમાં અનંત વિગ્રહની કોમળ શય્યા પર શયન કરી રહ્યા છો, આ પૂર્વ કલ્પની કર્મ પરંપરાથી શ્રમિત થયેલા જીવો ને આરામ આપવા માટે જ છે.આપના નાભીકમલ રૂપ ભવનથી મારો જન્મ થયો છે.આપની કૃપાથી જ હું ત્રિલોકીની રચના રૂપ ઉપકારમા પ્રવુત્ત થયો છું. અત્યારે યોગનિદ્રાનો અંત થઇ જવાને કારણે આપના નેત્રકમળ વિકસિત થઇ રહ્યા છે,આપને મારા નમસ્કાર છે.આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો,તથા શરણાગતો પર કૃપા કરનારા છો.એટલે આપના જે જ્ઞાન અને એશ્વર્યાથી આપ જગતને આનંદિત કરો છો,તેનાથી મારી બુદ્ધિને પણ યુક્ત કરો-જેનાથી હું પુર્નકલ્પની જેમ અત્યારે પણ જગતની રચના કરી શકું.આપ ભક્તવચ્છ કલ્પ સુધી છો.આપની શક્તિ લક્ષ્મીજીની સાથે અનેકો ગુણાવતાર લઈને આપ જે જે અદભુત કર્મ કરશો મારો આ જગતને રચવાનો ઉદ્યમ પણ તેમનો એક છે.એટલે એને રચવાના સમયે આપ મારા ચિત્તને પ્રેરિત કરો-શક્તિ આપો,જેનાથી હું સૃષ્ટિરચના વિષયક અભિમાનરૂપી મળથી દૂર રહી શકું. પ્રભુ ! આ પ્રલાયકાલીન જળમાં શયન કરતા આપ અનંતશક્તિ પરમ પુરુષના નાભિ કમળથી મારો પાદુર્ભાવ થયો છે અને હું આપની જ વિજ્ઞાન શક્તિ છું,એટલે આ જગતના વિચિત્ર રૂપનો વિસ્તાર કરતા સમયે આપની કૃપાથી મારી વેદરૂપી વાણીનું ઉચ્ચારણ લુપ્ત ન થાય.આપ અપાર કરુણામયી પુરાણપુરુષ છો.આપ પરમ પ્રેમમયી મુસ્કરાહત સાથે આપના નેત્ર કમળ ખોલો અને અને શેષ શય્યા ઉપરથી ઉઠીને દુનિયાના ઉદ્ભવ માટે આપની સુમુધર વાણીથી મારો વિષાદ દૂર કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! આવી રીતે તપ, વિદ્યા અને સમાધિના દ્વારા પોતાના ઉત્તપત્તિસ્થાન ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ પ્રમાણે તેમની પ્રાર્થના કરીને થાકેલા બ્રહ્માજી મૌન થઇ ગયા. શ્રી મધુસુદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિમાં ખુબ જ ગભરાયેલા છે,તથા લોકરચના ના વિષયમાં કોઈ ચોક્કસ વિચાર ન હોવાને કારણે તેમનું મન ખુબ જ દુઃખી છે.ત્યારે તેમના અભિયાનને જાણીને તેઓ પોતાની ગંભીર વાણીથી તેમનો ખેદ શાંત કરતા કહેવા લાગ્યા.
શ્રી ભગવાને કહ્યું-વેદગર્ભ ! તમે વિષાદને વશીભૂત થઈને આળસ ન કરો,સૃષ્ટિરચનાના ઉદયમમાં તત્પર થઇ જાઓ.તમે જે મારાથી ઈચ્છો છો તે તો હું પહેલેથી જ કરી ચુક્યો છું. તમે એકવાર ફરીથી તપ કરો,અને ભાગવતજ્ઞાનનું અનુસ્થાન કરો.તેનાથી તમો બધા લોકોમાં સ્પષ્ટ રીતે તમારા હૃદયમાં જોશો.પછી ભક્તિ યુક્ત અને સમાહિત ચિત્ત થઈને તમે સંપૂર્ણ લોક અને તમારામાં મને વ્યાપ્ત જોશો તથા મારામાં સંપૂર્ણ લોક અને તમને પોતાને જોશો.જે વખતે જીવ લાકડામાં રહેલો અગ્નિ ની જેમ બધાજ ભૂતોમાં મને સ્થિર જુએ છે,તે જ વખતે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઇ જાય છે.
જયારે તે પોતાને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન જુએ છે ત્યારે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે.બ્રહ્માજી ! નાના પ્રકારના કર્મ સંસ્કારો પ્રમાણે અનેક પ્રકારની જીવ સૃષ્ટિ રચવાની ઈચ્છા હોવા છતાં તમારું મન મોહિત નથી થતું,તે જ મારી ખુબ જ કૃપાનું ફળ છે.તમે સહુથી પહેલા મંત્રદ્રષ્ટા છો.પ્રજા ઉત્તપન્ન કરતી વખતે પણ તમારું મન મારામાં લાગેલું રહે છે,તેનાથી પાપમય રજોગુણ તમને બાંધી નથી શકતો.તમે મને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત સમજો છો,તેનાથી ખબર પડે છે કે કદાચ દેહધારી જીવો ને મારુ જ્ઞાન થવાનું ખુબ જ કઠિન છે,તે ઉપ્રરાંત તમે મને જાણી લીધો છે.'મારો આશ્રય કોઈ છે કે નહિ 'એ સંદેહમાં તમે કમળનાળ દ્વારા જળમાં તમો તેનું મૂળ શોધી રહ્યા હતા,એટલે મેં તમને પોતાનું આ સ્વરૂપ તમારા હૃદયમાં જ બતાવ્યું છે.
પ્યારા બ્રહ્માજી ! તમે જે મારી કથાના વૈભવવાળી મારી પ્રાર્થના કરી છે અને તપસ્યામાં તમારી જે નિષ્ઠા છે.તે પણ મારી કૃપાનું જ ફળ છે.લોકરચનાની ઈચ્છાથી તમે સગુણ પ્રતીત હોવા છતાં પણ જે નિર્ગુણ રૂપથી મારુ વર્ણન કરતા પ્રાર્થના કરી છે,તેનાથી હું ખુબ જ પ્રસન્ન છું,તમારું કલ્યાણ થાઓ.
હું બધીજ ઈચ્છાઓ અને મનોરથોને પુરા કરવામાં સમર્થ છું.જે પુરુષ કાયમ માટે આ સ્ત્રોત્ર દ્વારા પ્રાર્થના કરીને મારુ ભજન કરશે,તેના પર હું તરત જ પ્રસન્ન થઇ જઈશ.તતવેત્તાઓનો મત છે કે પૂર્ત,તપ,યજ્ઞ,દાન,યોગ અને સમાધિ વગેરે સાધનોથી પ્રાપ્ત થતું જે કલ્યાણમયી ફળ છે,તે મારી પ્રસન્નતા જ છે.વિધાતા ! હું આત્માઓનો પણ આત્મા અને સ્ત્રી-પત્રાદિ પ્રિયોનો પણ પ્રિય છું.એટલે મારાથી જ પ્રેમ કરવો જોઈએ.બ્રહ્માજી ! ત્રિલોકીને તથા જે પ્રજા આ સમયે મારામાં લિન છે,તેને તમો પૂર્વ કલ્પની માફક મારાથી ઉત્તપન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી જાતે જ રચો.
શ્રી મૈત્રેયજી કહે છે -પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમલનાભઃ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આવી રીતે જગતની અભિવ્યક્તિ કરાવીને તેમના તે નારાયણસ્વરૂપથી અદ્રશ્ય થઇ ગયા.
અધ્યાય દસમો
દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન
વિદુરજીએ કહ્યું-મુનિવર ! ભગવાન નારાયણના અંતર્ધ્યાન થઇ જવાથી સંપૂર્ણ લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના દેહ અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્તપન્ન કરી ? ભગવન ! આ સિવાય મેં આપણે જે જે વાતો પૂછી છે તે બધાનો પણ ક્રમથી વર્ણન કરો,કેમકે આપ સહુ બહુજ્ઞોમાં શ્રેષ્ઠ છો.
સુતજી કહે છે- શૌનકજી વિદુરજીના આ પ્રકારે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખુબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં સ્થિર તે પ્રશ્નોનો આ રીતે જવાબ આપવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - અજન્મા ભગવન શ્રી હરિએ જેવું કહ્યું હતું,બ્રહ્માજીએ પણ તેવી રીતે મનને પોતાના આત્મા શ્રી નારાયણમાં લગાવીને સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું.બ્રહ્માજીએ જોયું કે પ્રલાયકાલીન પ્રબળ વાયુ ના ઝપાટાથી,જેનાથી તે ઉત્તપન્ન થયા છે અને જેના પર તે બેઠા છે તે કમલ અને પાણી કાપી રહ્યા છે.પ્રબળ તપસ્યા તેમ જ હૃદયમાં રહેલું આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધી ગયું,અને તેમને જળની સાથે વાયુને પીય લીધા પછી જેના પર પોતે બેઠેલા હતા,તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે 'પૂર્વરૂપથી લિન થયેલા લોકોને હું આનાથી રચીશ'. ત્યારે ભગવાન દ્વારા સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂ:,ભૂવઃ સ્વ:-આ ત્રણ ભાગ કર્યા,તે ઉપરાંત તે કમળ એટલું મોટું હતું કે તેના ચૌદ ભુવન અથવા તેનાથી પણ વધારે લોકોના રૂપમાં વિભાગ કરી શકાતા હતા, જીવોના ભોગ સ્થાનના રૂપમાં આજ ત્રણ લોકોનું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે,જે નિષ્કામ કર્મ કરનારા છે,તેમણે મહ:,તપ:,જન અને સત્યલોક રૂપ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
વિદુરજીએ કહ્યું -બ્રહ્મન ! આપે અંદ્ધર્તકર્માં વિશ્વરૂપ શ્રી હરિની જે કાળ નામની શક્તિની વાત કરી હતી ,
પ્રભુ ! કૃપા કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિષયોનું રૂપાંતર (બદલાવું)જ કાળનો આધાર છે.જાતે તો તે નિર્વિશેષ,અનાદિ અને અનંત છે.તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત-રમતમાં પોતાની જાતને સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે.પહેલા આ આખું વિશ્વ ભગવાનની માયાથી લિન થઈને બ્રહ્મરૂપથી સ્થિર હતું.તેને અવ્યક્તમૂર્તિ કાળ દ્વારા ભગવાને ફરીથી પૃથક રૂપથી પ્રગટ કર્યું છે.આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા હતું,અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે.તેમની સૃષ્ટિ નવ પ્રકારની હોય છે,તથા પ્રાકૃત-વૈકૃત ભેદથી એક બીજી દસમી સૃષ્ટિ પણ છે.અને તેના પ્રલયકાળ,દ્રવ્ય તથા ગુણોના દ્વારા ત્રણ પ્રકારથી થાય છે.(હવે હું પહેલા દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું) પહેલી સૃષ્ટિ મહત્વની છે.ભગવાનની પ્રેરણાંથી સતવાદી ગુણોમાં વિષમતા હોવી તેનું જ સ્વરૂપ છે..બીજી સૃષ્ટિ અહંકારની છે,જેનાથી પૃથ્વી વગેરે પંચભૂત એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ઉત્તપત્તિ થાય છે.ત્રીજી સૃષ્ટિ ભૂતસર્ગ છે,જેમાં પંચમહાભુતોને ઉત્તપન્ન કરનારા તન્માત્ર વર્ગ રહે છે.ચોથી સૃષ્ટિ ઇંદ્રિયોની છે,તે જ્ઞાન અને ક્રિયા શક્તિથી સંપન્ન થાય છે.પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયઅધિષ્ઠાતા દેવતાઓની છે,મન પણ તે સૃષ્ટિનું અંતર્ગત છે.છઠ્ઠી સૃષ્ટિ અવિદ્યાની છે,તેમાં તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,તમ,મોહ અને મહામોહ -આ પાંચ ગાંઠો છે.તે જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે.આ છ પ્રાકૃત સૃષ્ટિઓ છે,હવે વૈકૃત સૃષ્ટિઓનું પણ વર્ણન સાંભળો
જે ભગવાન પોતાનું ચિંતન કરનારા ના બધાજ દુઃખો હરિ લે છે,આ બધી જ લીલા શ્રી હરિની છે.તેઓ જ
બ્રહ્મના રૂપમાં રજોગુણને સ્વીકારીને જગતની રચના કરે છે.છ પ્રકારની પ્રાકૃત સૃષ્ટિઓ પછી સાતમી મુખ્ય વૈકૃત સૃષ્ટિ એ છ પ્રકારના સ્થાવર વૃક્ષોની હોય છે.વનસ્પતિ( જે મોર આવ્યા વિના ફળ આપે છે
જેમ ગુલર,વડ,પીપળો વગેરે વગેરે ),ઔષધિ (જે ફળોના પાકી જવાથી નષ્ટ થઇ જાય છે,જેમ ધન,ઘઉં,ચણા વગેરે.), વેલ(જે કોઈનો આશ્રય લઈને વધે છે,જેમ બ્રાહ્મી,ગિલોય વગેરે),ત્યકસાર(જેની છાલ ખુબ જ કઠણ હોય છે,જેમ વાસ વગેરે),વિરુધ(જે વેલ ધરતી ઉપર જ ફેલાય છે પરંતુ કઠણ થઈને ઉપરની બાજુ નથી ચઢતી,જેમ ખરબુચ,તરબૂચ વગેરે,અને દ્રુમ(જેમાં પહેલા ફૂલ આવીને પછી તેના સ્થાન પર ઉપર જ ફળ લાગે છે જેમ આંબો,જાંબુ વગેરે.તેનો સંચાર નીચે (મૂળ)થી ઉપરની બાજુ હોય છે,તેમાં પહેલા જ્ઞાનશક્તિ પ્રગટ નથી રહેતી,તે અંદરને અંદર ફક્ત સ્પર્શનો અનુભવ કરે છે તથા તેમાં દરેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે.આઠમી સૃષ્ટિ તિર્યગ યોનિઓ (પશુ પક્ષીઓ)ની છે.તે અઠ્ઠાવીસ પ્રકારની મનાઈ છે.તેને કાળનું જ્ઞાન નથી હોતું, તમોગુણ વધારે હોવાને કારણે તે ફક્ત ખાવું પીવું,મૈથુન કરવું,સૂવું વગેરે જ જાણે છે,તેમને ફક્ત સૂંઘવાથી વસ્તુઓની જાણ થઇ જાય છે.તેઓના હૃદયમાં વિચારશક્તિ અને દૂરનું વિચારવાની શક્તિ નથી હોતી.સાધુ શ્રેષ્ઠ ! આ તિર્યકોમાં ગાય, બકરા,ભેંસ,કાળીયાર(કૃષ્ણ-મૃગ),સુવર,નીલગાય,રુરુ નામનું હરણું,ભેડિયા અને ઉંટ-તે દ્વિશક(બે ખરીવાળા)પશુ કહેવાય છે.ગધેડા,ઘોડા,ખચ્ચર,ગૌરમૃગ,શરક અને ચમરી- આ એકશક (એક ખરીવાળા) છે.હવે પાંચ નખવાળા પશુ પક્ષીઓ ના નામ સાંભળો.કુતરા,ગીદડ ,ભેડિયા,વાઘ,બિલાડા,,,સસલા,સાહી,સિંહ,વાંદરા,હાથી,કાચબો,ગો અને મગર વગેરે(પશુ)છે.કંક(બગલો),ગીધ,,બટેર,બાઝ,ભાસ,ભલ્લુક,મોર,હંસ,સારસ,ચકલા,કાગડો,અને ઘુવડ વગેરે ઊડનારા જીવ પક્ષી કહેવાય છે.વિદુરજી ! નવમી સૃષ્ટિ મનુષ્યની છે,તે એક જ પ્રકારની છે.તેમનો ખોરાકનો પ્રવાહ ઉપર (મોઢું)થી નીચેની બાજુ હોય છે.મનુષ્ય રજોગુણપ્રધાન,કર્મપરાયણ અને દુઃખરૂપી વિષયોમાં જ સુખ માનનારા હોય છે.સ્થાવર,પશુ પક્ષી અને મનુષ્ય-એ ત્રણેય પ્રકારની સૃષ્ટિમાં તથા આગળ કહેનારા દેવસર્ગ વૈકૃત સૃષ્ટિ છે,તથા જે મહત્તત્વાદીરૂપ વૈકારીક દેવસર્ગ છે,તેની ગણના પહેલા પ્રાકૃત સૃષ્ટિમાં કરવામાં આવી છે.તેના સિવાય સનત્કુમાર વગેરે ઋષિયોના જે કૌમારસર્ગ છે,તે પ્રાકૃત-વૈકૃત બંને પ્રકારના છે.
દેવતા,પિત્રો,અસુર,ગંધર્વ-અપ્સરા,યક્ષ-રાક્ષસ,સિદ્ધ-ચારણ-વિદ્યાધર,ભૂત-પ્રેત-પિશાચ,અને કિન્નર-કિંપુરુષ-અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ આઠ પ્રકારની છે.વિદુરજી ! આવી રીતે શ્રી બ્રહ્માજીની રચેલી દસ પ્રકારની સૃષ્ટિ મેં તમને કહી.હવે આગળ હું વંશ અને મન્વંતરનું વર્ણન કરીશ.આવી રીતે સૃષ્ટિ કરનારા સત્યસંકલ્પ ભગવાન હરિ જ બ્રહ્માનાં રૂપમાં દરેક કલ્પની શરૂઆતમાં રજોગુંણથી પ્રસરીને જાતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે.
અધ્યાય અગિયારમો
મન્વંતરાદી કાળવિભાગનું વર્ણન
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પૃથ્વી વગેરે જે કાર્ય વર્ગના સૂક્ષતમ અંશ છે -જેનો બીજો વિભાગ ન થઇ શકે,તથા જે કાર્યરૂપને પ્રાપ્ત નથી થયા અને જેમના બીજા પરમાણુઓ સાથે સંયોગ નથી થયો તેને પરમાણુ કહેવાય છે.આ અનેક પરમાણુઓના એકબીજા સાથે મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાય રૂપ એક અવયવીની પ્રતીતિ થાય છે.આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે,પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલી આ પૃથ્વી વગેરે કાર્યોની એકતા (સમુદાય અથવા સમપ્રરૂપ )નું નામ પરમ મહાન છે.આ વખતે ન તો તેમાં પ્રલય વગેરે અવસ્થાભેદની સ્ફૂર્તિ હોય છે ,ના નવા-જુના વગેરે કાળભેદનું ભાન હોય છે અને ન પટ-પટાદી વસ્તુભેદની જ કલ્પના હોય છે.સાધુશ્રેષ્ઠ ! આવી રીતે આ વસ્તુનો સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો.તેના સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વિસ્તારીને વ્યક્ત પદાર્થોને ભોગવવાવાળા સૃષ્ટિ વગેરેમાં સમર્થ ,અવ્યક્તસ્વરૂપ ભગવાંન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે.જે કાળ પ્રપજ્ઞની પરમાણુ જેવી સૂક્ષ્મ અવસ્થામાં વ્યાપ્ત રહે છે,તે ખુબ જ સૂક્ષ્મ છે,અને જે સૃષ્ટિથી લઈને પ્રલય દરમ્યાન તેની બધી જ અવસ્થાઓનો ભોગ કરે છે,તે પરમ મહાન છે.
બે પરમાણુ મળીને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી 'ત્રસરેણુ' થાય છે,જે ઝરૂખામાંથી
આવતા સૂર્યના કિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતા જોઈ શકાય છે.એંવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને 'ત્રુટિ' કહેવાય છે.તેનાથી સોગણો કાળ 'વેધ' કહેવાય છે અને ત્રણ વૈદ્યનો એક 'લવ' થાય છે. ત્રણ લવને એક 'નિમેષ'અને ત્રણ નિમેષને એક 'ક્ષણ' કહેવાય છે.પાંચ ક્ષણની એક 'કાષ્ઠા' થાય છે અને પંદર કાષ્ઠનો એક 'લઘુ'. પંદર લઘુની એક 'નાડિકા'(દંડ) કહેવાય છે,બે નાડિકાનું એક 'મુહૂર્ત'થાય છે,અને દિવસના ઘટવા વધવા પ્રમાણે (દિવસ એટલે રત્ન બંને સંધિયોના બે મુહૂર્ત છોડીને)છ અથવા સાત નાડિકાનો એક 'પ્રહર' થાય છે.તે 'યામ'કહેવાય છે જે મનુષ્યના દિવસ અથવા રાતનો ચોથો ભાગ હોય છે.છ પલ તાંબાનું એક વાસણ બનાવવામાં આવે જેમાં એક પ્રસ્થ પાણી આવી શકે અને ચાર માશ સોનાની ચાર અંગુલ લાંબી છીણી બનાવીને તેના દ્વારા તે વાસણના તળિયામાં કાણું પાડીને તેને પાણીમાં છોડી મુકવામાં આવે.જેટલા સમયમાં એક પ્રસ્થ પાણી તે વાસણમાં ભરાઈ જાય તે વાસણ પાણીમાં ડૂબી જાય ,તેટલા સમયને એક 'નાડિકા' કહે છે.વિદુરજી ! ચાર ચાર પ્રહરના મનુષ્યના 'દિવસ ' અ ને 'રાત' હોય છે અને પંદર દિવસ-રાતનું એક 'પક્ષ'થાય છે.જે શુક્લ અને કૃષ્ણ ભેદથી બે પ્રકારના માનવામાં આવ્યા છે.તે બંને પક્ષને મેળવીને એક 'મહિનો' થાય છે. જે પિત્રાઈના એક દિવસ-રાત છે.બે મહિનાની એક 'ઋતુ' અને છ મહિનાનું એક 'અયન ' થાય છે.અયન 'દક્ષિણાયન' અને 'ઉત્તરાયણ' ભેદથી બે પ્રકારના છે.તે બંને અયન મળીને દેવોના એક દિવસ-રાત થાય છે.તથા મનુષ્ય લોકમાં તે 'વર્ષ'અથવા બાર મહિના કહેવામાં આવે છે.એવા સો વર્ષની મનુષ્યની પરમ ઉંમર બતાવવામાં આવી છે.'ચંદ્રમ' વગેરે ગ્રહ 'અશ્વિની ' વગેરે નક્ષત્ર અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાલસ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુ થી લઈને સંવત્સર દરમ્યાન કાળમાં બાર રાશિરૂપી સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે.સૂર્ય,બૃહસ્પતિ,
સવન,ચંદ્રમા અને નક્ષત્ર સંબંધી મહિનાઓના ભેદથી તે વર્ષ જ સંવત્સર,પરિવત્સર,ઈડાવત્સર,અનુવત્સર અને વત્સર કહેવાય છે.વિદુરજી ! આ પાંચ પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા ભગવાન સૂર્યની તમો ઉપહાર વગેરે સમર્પિત કરીને પૂજા કરો.આ સૂર્યદેવ યજ્ઞભૂતોથી તેજસ્વરૂપ છે,અને પોતાની કાળ શક્તિ થી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્તપન્ન કરવાની શક્તિને અનેક પ્રકારથી કાર્યોન્નમુખ કરે છે. તે પુરુષોની મોહ નિવૃત્તિને માટે તેની ઉંમરને ઓછી કરતા આકાશમાં ફર્યા કરે છે,તથા આ જ સકામ પુરુષ ને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનાર સ્વર્ગ વગેરે કલ્યાણકારી ફળોને વધારતા રહે છે.
વિદુરજીએ કહ્યું-મુનિવર ! આપણે દેવતા,પિત્રો અને મનુષ્યોની પરમ ઉમરનું વર્ણન તો કર્યું.હવે જે સનકાદિ જ્ઞાની મુનિજન ત્રિલોકીથી બહાર કલ્પથી પણ વધારે કાળ સુધી રહેવાના છે,તેમની ઉંમરનું પણ વર્ણન કરો.તમો ભગવાન કાલની ગતિ સારીરીતે જાણો છો,કેમકે જ્ઞાની લોકો પોતાની યોગસિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી આખા સંસારને જોઈ લે છે.
મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! સત્યયુગ,ત્રેતા,દ્વાપર અને કળી- આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યાશોની સાથે દેવતાઓના બાર હજાર વર્ષો સુધી રહે છે,એવું બતાવવામાં આવ્યું છે.એ સત્યાદિ ચારો યુગમાં ક્રમથી ચાર ,ત્રણ ,બે અને એક હજાર દિવ્ય વર્ષ હોય છે અને દરેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બેગણા સો વર્ષ તેની સંધ્યા અને સંદ્યશોમાં હોય છે.(એટલે સત્યયુગમાં ૪૦૦૦ દિવ્ય વર્ષ યુગના અને ૮૦૦ સંધ્યા તેમેજ સંધ્યાશકે - આવી રીતે ૪૮૦૦ વર્ષ થાય છે.એવી રીતે ત્રેતામાં ૩૬૦૦,દ્વાપરમાં ૨૪૦૦ અને કળિયુગમાં ૧૨૦૦ દિવ્યવર્ષ હોય છે.મનુષ્યનું એક વર્ષ દેવતાઓનો એક દિવસ હોય છે,એટલે દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ૩૬૦ વર્ષના બરાબર થયા.એવી રીતે માનવીય માનથી કળિયુગમાં ૪૩૨૦૦૦ વર્ષ થયા,તથા તેનાથી બેગણા દ્વાપરમાં,ત્રણ ગણા ત્રેતામાં અને ચારગણા સત્યયુગમાં હોય છે.) યુગની શરૂઆતમાં સંધ્યા થાય છે,અને અંતમાં સંધ્યાનશ .તેની વર્ષ-ગણતરી સેંકડોની સંખ્યામાં બતલાવવામાં આવી છે.તેની વચ્ચેનો જે સમય હોય છે,તેને કાળવેત્તાઓએ યુગ કહ્યો છે.દરેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળતું હોય છે.સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચારે ચરણોથી રહે છે, પછી બીજા યુગોમાં અધર્મ વધવાથી તેનો એક એક ચરણ ઓછો થતો જાય છે.પ્યારા વિદુરજી ! ત્રિલોકીમાં બહાર મહલોકથી બ્રહ્મલોક દરમ્યાન અહીંના એક હજાર ચતુરયોગીનો એક દિવસ થાય છે અને એટલીજ મોટી રાત હોય છે.જેમાં જગત કર્તા બ્રહ્મા શયન કરે છે. તે રાતનો અંત થવાથી આ લોકના કલ્પની શરૂઆત થાય છે, તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે,ત્યાં સુધી ચાલ્યા કરે છે.તે એક કલ્પમાં ચૌદ મનુ થઇ જાય છે.દરેક મનુ
એકોતેર ચતુર્યુગીથી કૈક વધારે સમય (૭૧ ૬/૧૪ ચતુર્યુગી )પોતાનો અધિકાર ભોગવે છે.દરેક મન્વંતરમાં જુદા જુદા મનુ વંશી રાજા લોકો,સપ્તર્ષિ,દેવગણ,ઇન્દ્ર અને તેમના અનુયાયી ગંધર્વ વગેરે સાથે સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે.આ બ્રહ્માજીની દરેક દિવસની સૃષ્ટિ છે,જેમાં ત્રણે લોકની રચના થાય છે.તેમાં પોતપોતાના કર્માનુસાર પશુ-પક્ષી,મનુષ્ય,પિતૃ તેમ જ દેવતાઓની ઉત્તપત્તિ થાય છે.આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લે, પોતાની મનુ વગેરે મુરતિયો દ્વારા પૌરુષ પ્રગટ કરતા કરતા આ વિશ્વનું પાલન કરે છે.કાળક્રમથી જયારે બ્રહ્માનો દિવસ પસાર થઇ જાય છે,ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને પોતાના સૃષ્ટિરચનારૂપ પૌરુષને સ્થાગિત કરીને નિશ્ચિન્ત ભાવથી સ્થિર થઇ જાય છે.તે સમયે આખું જગત તેમનામાં લિન થઈ જાય છે.જયારે સૂર્ય અને ચંદ્રમા રહિત આ પ્રલયરાત્રિ આવે છે ત્યારે તેઓ ભૂ:,ભૂવઃ:સ્વ:- ત્રણે લોક તે બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે.તે અવસર ઉપર ત્રણે લોક શેષજીના મુખથી નીકળટી અગ્નિ રૂપ ભગવાનની શક્તિથી સળગવા માંડે છે.એટલા માટે તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરગણ મહલોકથી જનલોકમાં જતા રહે છે.એટલામાં જ સાતેય સમુદ્ર પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા ઊંચા ઊંચા મોઝાઓથી ત્રિલોકીને ડુબાડી દે છે.ત્યારે તે પાણીની અંદર ભગવાન શેષછાયી યોગનિદ્રામાં નેત્રો બંધ કરી શયન કરે છે.તે સમયે જનલોકી મુનીગણો તેમની પ્રાર્થના કર્યા કરે છે.આવી રીતે કાળની ગતિથી એક એક હજાર ચતુર્યુગી રૂપમાં દેખાતા દિવસ રાતના હેરફેરથી બ્રહ્માજીના સો વર્ષની પરમ ઉમર પણ વીતી ગયેલી દેખાવા લાગે છે.
બ્રહ્માજીની ઉંમરના અડધા ભાગને પરાર્ધ કહે છે.અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ગયો છે,બીજો ચાલી રહ્યો છે.પહેલા પરાર્ધનાં આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો.તેમ બ્રહ્માજીની ઉત્તપત્તિ થઇ હતી.પંડીત લોકો તેને શબ્દબ્રહ્મ કહે છે.તેજ પરાર્ધનાં અંતમાં જે કલ્પ થયો હતો,તેને પાદ્મકલ્પ કહે છે.તેમ ભગવાનના નાભિસરોવરથી સર્વલોકમય કમળ પ્રગટ થયું હતું.વિદુરજી ! આ વખતે જે કલ્પ ચાલી રહ્યો છે,તે બીજા પરાર્ધનો આરંભક બતલાવ્યો છે,તે વારાહ કલ્પ નામથી વિખ્યાત છે,તેમ ભગવાને શુવ્વરનું રૂપ લીધું હતું.આ બે પરાર્ધનો સમય અવ્યક્ત,અનંત,અનાદિ,વિશ્વાત્મા,શ્રી હરિનો એક નિમેષ મનાય છે.આ પરમાણુ થી લઈને દ્વિપરાર્ધ દરમ્યાન ફેલાયેલો કાળ,સર્વસમર્થ હોવાથી,જ સર્વાત્મા શ્રીહરિ ઉપર કોઈ પ્રકારની પ્રભુતા નથી રાખતો.આ બે બે દેહો વગેરેમાં અભિમાન રાખનાર જીવોનું જ શાસન કરવામાં સમર્થ છે.
પ્રકૃતિ,મહતત્વ,અહંકાર અને પંચતન્માત્ર -આ આઠ પ્રકૃતિયો ની સાથે દાસ ઇન્દ્રિયો,મન અને પંચભૂત -આ સોળ વિકારોમાં મળીને આ બનેલો બ્રહ્માન્ડકોષ અંદરથી પચાસ કરોડ વિસ્તારવાળો છે,તથા તેની બહાર ચારેબાજુ દસ દસ ગણા એક પછી એક સાત આવરણ છે.તે બધાની સાથે આ જેમાં પરમાણુ ની જેવા પડેલા દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્મરાશિયો છે,તે આ પ્રધાન આદિ બધાજ કારણોના કારણ અક્ષરબ્રહ્મ કહેવાય છે,અને આ જ પુરાણપુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુભગવાનનું શ્રેષ્ઠ ધામ (સ્વરૂપ) છે.
દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન
વિદુરજીએ કહ્યું-મુનિવર ! ભગવાન નારાયણના અંતર્ધ્યાન થઇ જવાથી સંપૂર્ણ લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના દેહ અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્તપન્ન કરી ? ભગવન ! આ સિવાય મેં આપણે જે જે વાતો પૂછી છે તે બધાનો પણ ક્રમથી વર્ણન કરો,કેમકે આપ સહુ બહુજ્ઞોમાં શ્રેષ્ઠ છો.
સુતજી કહે છે- શૌનકજી વિદુરજીના આ પ્રકારે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખુબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં સ્થિર તે પ્રશ્નોનો આ રીતે જવાબ આપવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - અજન્મા ભગવન શ્રી હરિએ જેવું કહ્યું હતું,બ્રહ્માજીએ પણ તેવી રીતે મનને પોતાના આત્મા શ્રી નારાયણમાં લગાવીને સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું.બ્રહ્માજીએ જોયું કે પ્રલાયકાલીન પ્રબળ વાયુ ના ઝપાટાથી,જેનાથી તે ઉત્તપન્ન થયા છે અને જેના પર તે બેઠા છે તે કમલ અને પાણી કાપી રહ્યા છે.પ્રબળ તપસ્યા તેમ જ હૃદયમાં રહેલું આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધી ગયું,અને તેમને જળની સાથે વાયુને પીય લીધા પછી જેના પર પોતે બેઠેલા હતા,તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે 'પૂર્વરૂપથી લિન થયેલા લોકોને હું આનાથી રચીશ'. ત્યારે ભગવાન દ્વારા સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂ:,ભૂવઃ સ્વ:-આ ત્રણ ભાગ કર્યા,તે ઉપરાંત તે કમળ એટલું મોટું હતું કે તેના ચૌદ ભુવન અથવા તેનાથી પણ વધારે લોકોના રૂપમાં વિભાગ કરી શકાતા હતા, જીવોના ભોગ સ્થાનના રૂપમાં આજ ત્રણ લોકોનું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે,જે નિષ્કામ કર્મ કરનારા છે,તેમણે મહ:,તપ:,જન અને સત્યલોક રૂપ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
વિદુરજીએ કહ્યું -બ્રહ્મન ! આપે અંદ્ધર્તકર્માં વિશ્વરૂપ શ્રી હરિની જે કાળ નામની શક્તિની વાત કરી હતી ,
પ્રભુ ! કૃપા કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિષયોનું રૂપાંતર (બદલાવું)જ કાળનો આધાર છે.જાતે તો તે નિર્વિશેષ,અનાદિ અને અનંત છે.તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત-રમતમાં પોતાની જાતને સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે.પહેલા આ આખું વિશ્વ ભગવાનની માયાથી લિન થઈને બ્રહ્મરૂપથી સ્થિર હતું.તેને અવ્યક્તમૂર્તિ કાળ દ્વારા ભગવાને ફરીથી પૃથક રૂપથી પ્રગટ કર્યું છે.આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા હતું,અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે.તેમની સૃષ્ટિ નવ પ્રકારની હોય છે,તથા પ્રાકૃત-વૈકૃત ભેદથી એક બીજી દસમી સૃષ્ટિ પણ છે.અને તેના પ્રલયકાળ,દ્રવ્ય તથા ગુણોના દ્વારા ત્રણ પ્રકારથી થાય છે.(હવે હું પહેલા દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું) પહેલી સૃષ્ટિ મહત્વની છે.ભગવાનની પ્રેરણાંથી સતવાદી ગુણોમાં વિષમતા હોવી તેનું જ સ્વરૂપ છે..બીજી સૃષ્ટિ અહંકારની છે,જેનાથી પૃથ્વી વગેરે પંચભૂત એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ઉત્તપત્તિ થાય છે.ત્રીજી સૃષ્ટિ ભૂતસર્ગ છે,જેમાં પંચમહાભુતોને ઉત્તપન્ન કરનારા તન્માત્ર વર્ગ રહે છે.ચોથી સૃષ્ટિ ઇંદ્રિયોની છે,તે જ્ઞાન અને ક્રિયા શક્તિથી સંપન્ન થાય છે.પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયઅધિષ્ઠાતા દેવતાઓની છે,મન પણ તે સૃષ્ટિનું અંતર્ગત છે.છઠ્ઠી સૃષ્ટિ અવિદ્યાની છે,તેમાં તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,તમ,મોહ અને મહામોહ -આ પાંચ ગાંઠો છે.તે જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે.આ છ પ્રાકૃત સૃષ્ટિઓ છે,હવે વૈકૃત સૃષ્ટિઓનું પણ વર્ણન સાંભળો
જે ભગવાન પોતાનું ચિંતન કરનારા ના બધાજ દુઃખો હરિ લે છે,આ બધી જ લીલા શ્રી હરિની છે.તેઓ જ
બ્રહ્મના રૂપમાં રજોગુણને સ્વીકારીને જગતની રચના કરે છે.છ પ્રકારની પ્રાકૃત સૃષ્ટિઓ પછી સાતમી મુખ્ય વૈકૃત સૃષ્ટિ એ છ પ્રકારના સ્થાવર વૃક્ષોની હોય છે.વનસ્પતિ( જે મોર આવ્યા વિના ફળ આપે છે
જેમ ગુલર,વડ,પીપળો વગેરે વગેરે ),ઔષધિ (જે ફળોના પાકી જવાથી નષ્ટ થઇ જાય છે,જેમ ધન,ઘઉં,ચણા વગેરે.), વેલ(જે કોઈનો આશ્રય લઈને વધે છે,જેમ બ્રાહ્મી,ગિલોય વગેરે),ત્યકસાર(જેની છાલ ખુબ જ કઠણ હોય છે,જેમ વાસ વગેરે),વિરુધ(જે વેલ ધરતી ઉપર જ ફેલાય છે પરંતુ કઠણ થઈને ઉપરની બાજુ નથી ચઢતી,જેમ ખરબુચ,તરબૂચ વગેરે,અને દ્રુમ(જેમાં પહેલા ફૂલ આવીને પછી તેના સ્થાન પર ઉપર જ ફળ લાગે છે જેમ આંબો,જાંબુ વગેરે.તેનો સંચાર નીચે (મૂળ)થી ઉપરની બાજુ હોય છે,તેમાં પહેલા જ્ઞાનશક્તિ પ્રગટ નથી રહેતી,તે અંદરને અંદર ફક્ત સ્પર્શનો અનુભવ કરે છે તથા તેમાં દરેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે.આઠમી સૃષ્ટિ તિર્યગ યોનિઓ (પશુ પક્ષીઓ)ની છે.તે અઠ્ઠાવીસ પ્રકારની મનાઈ છે.તેને કાળનું જ્ઞાન નથી હોતું, તમોગુણ વધારે હોવાને કારણે તે ફક્ત ખાવું પીવું,મૈથુન કરવું,સૂવું વગેરે જ જાણે છે,તેમને ફક્ત સૂંઘવાથી વસ્તુઓની જાણ થઇ જાય છે.તેઓના હૃદયમાં વિચારશક્તિ અને દૂરનું વિચારવાની શક્તિ નથી હોતી.સાધુ શ્રેષ્ઠ ! આ તિર્યકોમાં ગાય, બકરા,ભેંસ,કાળીયાર(કૃષ્ણ-મૃગ),સુવર,નીલગાય,રુરુ નામનું હરણું,ભેડિયા અને ઉંટ-તે દ્વિશક(બે ખરીવાળા)પશુ કહેવાય છે.ગધેડા,ઘોડા,ખચ્ચર,ગૌરમૃગ,શરક અને ચમરી- આ એકશક (એક ખરીવાળા) છે.હવે પાંચ નખવાળા પશુ પક્ષીઓ ના નામ સાંભળો.કુતરા,ગીદડ ,ભેડિયા,વાઘ,બિલાડા,,,સસલા,સાહી,સિંહ,વાંદરા,હાથી,કાચબો,ગો અને મગર વગેરે(પશુ)છે.કંક(બગલો),ગીધ,,બટેર,બાઝ,ભાસ,ભલ્લુક,મોર,હંસ,સારસ,ચકલા,કાગડો,અને ઘુવડ વગેરે ઊડનારા જીવ પક્ષી કહેવાય છે.વિદુરજી ! નવમી સૃષ્ટિ મનુષ્યની છે,તે એક જ પ્રકારની છે.તેમનો ખોરાકનો પ્રવાહ ઉપર (મોઢું)થી નીચેની બાજુ હોય છે.મનુષ્ય રજોગુણપ્રધાન,કર્મપરાયણ અને દુઃખરૂપી વિષયોમાં જ સુખ માનનારા હોય છે.સ્થાવર,પશુ પક્ષી અને મનુષ્ય-એ ત્રણેય પ્રકારની સૃષ્ટિમાં તથા આગળ કહેનારા દેવસર્ગ વૈકૃત સૃષ્ટિ છે,તથા જે મહત્તત્વાદીરૂપ વૈકારીક દેવસર્ગ છે,તેની ગણના પહેલા પ્રાકૃત સૃષ્ટિમાં કરવામાં આવી છે.તેના સિવાય સનત્કુમાર વગેરે ઋષિયોના જે કૌમારસર્ગ છે,તે પ્રાકૃત-વૈકૃત બંને પ્રકારના છે.
દેવતા,પિત્રો,અસુર,ગંધર્વ-અપ્સરા,યક્ષ-રાક્ષસ,સિદ્ધ-ચારણ-વિદ્યાધર,ભૂત-પ્રેત-પિશાચ,અને કિન્નર-કિંપુરુષ-અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ આઠ પ્રકારની છે.વિદુરજી ! આવી રીતે શ્રી બ્રહ્માજીની રચેલી દસ પ્રકારની સૃષ્ટિ મેં તમને કહી.હવે આગળ હું વંશ અને મન્વંતરનું વર્ણન કરીશ.આવી રીતે સૃષ્ટિ કરનારા સત્યસંકલ્પ ભગવાન હરિ જ બ્રહ્માનાં રૂપમાં દરેક કલ્પની શરૂઆતમાં રજોગુંણથી પ્રસરીને જાતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે.
અધ્યાય અગિયારમો
મન્વંતરાદી કાળવિભાગનું વર્ણન
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પૃથ્વી વગેરે જે કાર્ય વર્ગના સૂક્ષતમ અંશ છે -જેનો બીજો વિભાગ ન થઇ શકે,તથા જે કાર્યરૂપને પ્રાપ્ત નથી થયા અને જેમના બીજા પરમાણુઓ સાથે સંયોગ નથી થયો તેને પરમાણુ કહેવાય છે.આ અનેક પરમાણુઓના એકબીજા સાથે મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાય રૂપ એક અવયવીની પ્રતીતિ થાય છે.આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે,પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલી આ પૃથ્વી વગેરે કાર્યોની એકતા (સમુદાય અથવા સમપ્રરૂપ )નું નામ પરમ મહાન છે.આ વખતે ન તો તેમાં પ્રલય વગેરે અવસ્થાભેદની સ્ફૂર્તિ હોય છે ,ના નવા-જુના વગેરે કાળભેદનું ભાન હોય છે અને ન પટ-પટાદી વસ્તુભેદની જ કલ્પના હોય છે.સાધુશ્રેષ્ઠ ! આવી રીતે આ વસ્તુનો સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો.તેના સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વિસ્તારીને વ્યક્ત પદાર્થોને ભોગવવાવાળા સૃષ્ટિ વગેરેમાં સમર્થ ,અવ્યક્તસ્વરૂપ ભગવાંન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે.જે કાળ પ્રપજ્ઞની પરમાણુ જેવી સૂક્ષ્મ અવસ્થામાં વ્યાપ્ત રહે છે,તે ખુબ જ સૂક્ષ્મ છે,અને જે સૃષ્ટિથી લઈને પ્રલય દરમ્યાન તેની બધી જ અવસ્થાઓનો ભોગ કરે છે,તે પરમ મહાન છે.
બે પરમાણુ મળીને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી 'ત્રસરેણુ' થાય છે,જે ઝરૂખામાંથી
આવતા સૂર્યના કિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતા જોઈ શકાય છે.એંવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને 'ત્રુટિ' કહેવાય છે.તેનાથી સોગણો કાળ 'વેધ' કહેવાય છે અને ત્રણ વૈદ્યનો એક 'લવ' થાય છે. ત્રણ લવને એક 'નિમેષ'અને ત્રણ નિમેષને એક 'ક્ષણ' કહેવાય છે.પાંચ ક્ષણની એક 'કાષ્ઠા' થાય છે અને પંદર કાષ્ઠનો એક 'લઘુ'. પંદર લઘુની એક 'નાડિકા'(દંડ) કહેવાય છે,બે નાડિકાનું એક 'મુહૂર્ત'થાય છે,અને દિવસના ઘટવા વધવા પ્રમાણે (દિવસ એટલે રત્ન બંને સંધિયોના બે મુહૂર્ત છોડીને)છ અથવા સાત નાડિકાનો એક 'પ્રહર' થાય છે.તે 'યામ'કહેવાય છે જે મનુષ્યના દિવસ અથવા રાતનો ચોથો ભાગ હોય છે.છ પલ તાંબાનું એક વાસણ બનાવવામાં આવે જેમાં એક પ્રસ્થ પાણી આવી શકે અને ચાર માશ સોનાની ચાર અંગુલ લાંબી છીણી બનાવીને તેના દ્વારા તે વાસણના તળિયામાં કાણું પાડીને તેને પાણીમાં છોડી મુકવામાં આવે.જેટલા સમયમાં એક પ્રસ્થ પાણી તે વાસણમાં ભરાઈ જાય તે વાસણ પાણીમાં ડૂબી જાય ,તેટલા સમયને એક 'નાડિકા' કહે છે.વિદુરજી ! ચાર ચાર પ્રહરના મનુષ્યના 'દિવસ ' અ ને 'રાત' હોય છે અને પંદર દિવસ-રાતનું એક 'પક્ષ'થાય છે.જે શુક્લ અને કૃષ્ણ ભેદથી બે પ્રકારના માનવામાં આવ્યા છે.તે બંને પક્ષને મેળવીને એક 'મહિનો' થાય છે. જે પિત્રાઈના એક દિવસ-રાત છે.બે મહિનાની એક 'ઋતુ' અને છ મહિનાનું એક 'અયન ' થાય છે.અયન 'દક્ષિણાયન' અને 'ઉત્તરાયણ' ભેદથી બે પ્રકારના છે.તે બંને અયન મળીને દેવોના એક દિવસ-રાત થાય છે.તથા મનુષ્ય લોકમાં તે 'વર્ષ'અથવા બાર મહિના કહેવામાં આવે છે.એવા સો વર્ષની મનુષ્યની પરમ ઉંમર બતાવવામાં આવી છે.'ચંદ્રમ' વગેરે ગ્રહ 'અશ્વિની ' વગેરે નક્ષત્ર અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાલસ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુ થી લઈને સંવત્સર દરમ્યાન કાળમાં બાર રાશિરૂપી સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે.સૂર્ય,બૃહસ્પતિ,
સવન,ચંદ્રમા અને નક્ષત્ર સંબંધી મહિનાઓના ભેદથી તે વર્ષ જ સંવત્સર,પરિવત્સર,ઈડાવત્સર,અનુવત્સર અને વત્સર કહેવાય છે.વિદુરજી ! આ પાંચ પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા ભગવાન સૂર્યની તમો ઉપહાર વગેરે સમર્પિત કરીને પૂજા કરો.આ સૂર્યદેવ યજ્ઞભૂતોથી તેજસ્વરૂપ છે,અને પોતાની કાળ શક્તિ થી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્તપન્ન કરવાની શક્તિને અનેક પ્રકારથી કાર્યોન્નમુખ કરે છે. તે પુરુષોની મોહ નિવૃત્તિને માટે તેની ઉંમરને ઓછી કરતા આકાશમાં ફર્યા કરે છે,તથા આ જ સકામ પુરુષ ને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનાર સ્વર્ગ વગેરે કલ્યાણકારી ફળોને વધારતા રહે છે.
વિદુરજીએ કહ્યું-મુનિવર ! આપણે દેવતા,પિત્રો અને મનુષ્યોની પરમ ઉમરનું વર્ણન તો કર્યું.હવે જે સનકાદિ જ્ઞાની મુનિજન ત્રિલોકીથી બહાર કલ્પથી પણ વધારે કાળ સુધી રહેવાના છે,તેમની ઉંમરનું પણ વર્ણન કરો.તમો ભગવાન કાલની ગતિ સારીરીતે જાણો છો,કેમકે જ્ઞાની લોકો પોતાની યોગસિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી આખા સંસારને જોઈ લે છે.
મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! સત્યયુગ,ત્રેતા,દ્વાપર અને કળી- આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યાશોની સાથે દેવતાઓના બાર હજાર વર્ષો સુધી રહે છે,એવું બતાવવામાં આવ્યું છે.એ સત્યાદિ ચારો યુગમાં ક્રમથી ચાર ,ત્રણ ,બે અને એક હજાર દિવ્ય વર્ષ હોય છે અને દરેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બેગણા સો વર્ષ તેની સંધ્યા અને સંદ્યશોમાં હોય છે.(એટલે સત્યયુગમાં ૪૦૦૦ દિવ્ય વર્ષ યુગના અને ૮૦૦ સંધ્યા તેમેજ સંધ્યાશકે - આવી રીતે ૪૮૦૦ વર્ષ થાય છે.એવી રીતે ત્રેતામાં ૩૬૦૦,દ્વાપરમાં ૨૪૦૦ અને કળિયુગમાં ૧૨૦૦ દિવ્યવર્ષ હોય છે.મનુષ્યનું એક વર્ષ દેવતાઓનો એક દિવસ હોય છે,એટલે દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ૩૬૦ વર્ષના બરાબર થયા.એવી રીતે માનવીય માનથી કળિયુગમાં ૪૩૨૦૦૦ વર્ષ થયા,તથા તેનાથી બેગણા દ્વાપરમાં,ત્રણ ગણા ત્રેતામાં અને ચારગણા સત્યયુગમાં હોય છે.) યુગની શરૂઆતમાં સંધ્યા થાય છે,અને અંતમાં સંધ્યાનશ .તેની વર્ષ-ગણતરી સેંકડોની સંખ્યામાં બતલાવવામાં આવી છે.તેની વચ્ચેનો જે સમય હોય છે,તેને કાળવેત્તાઓએ યુગ કહ્યો છે.દરેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળતું હોય છે.સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચારે ચરણોથી રહે છે, પછી બીજા યુગોમાં અધર્મ વધવાથી તેનો એક એક ચરણ ઓછો થતો જાય છે.પ્યારા વિદુરજી ! ત્રિલોકીમાં બહાર મહલોકથી બ્રહ્મલોક દરમ્યાન અહીંના એક હજાર ચતુરયોગીનો એક દિવસ થાય છે અને એટલીજ મોટી રાત હોય છે.જેમાં જગત કર્તા બ્રહ્મા શયન કરે છે. તે રાતનો અંત થવાથી આ લોકના કલ્પની શરૂઆત થાય છે, તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે,ત્યાં સુધી ચાલ્યા કરે છે.તે એક કલ્પમાં ચૌદ મનુ થઇ જાય છે.દરેક મનુ
એકોતેર ચતુર્યુગીથી કૈક વધારે સમય (૭૧ ૬/૧૪ ચતુર્યુગી )પોતાનો અધિકાર ભોગવે છે.દરેક મન્વંતરમાં જુદા જુદા મનુ વંશી રાજા લોકો,સપ્તર્ષિ,દેવગણ,ઇન્દ્ર અને તેમના અનુયાયી ગંધર્વ વગેરે સાથે સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે.આ બ્રહ્માજીની દરેક દિવસની સૃષ્ટિ છે,જેમાં ત્રણે લોકની રચના થાય છે.તેમાં પોતપોતાના કર્માનુસાર પશુ-પક્ષી,મનુષ્ય,પિતૃ તેમ જ દેવતાઓની ઉત્તપત્તિ થાય છે.આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લે, પોતાની મનુ વગેરે મુરતિયો દ્વારા પૌરુષ પ્રગટ કરતા કરતા આ વિશ્વનું પાલન કરે છે.કાળક્રમથી જયારે બ્રહ્માનો દિવસ પસાર થઇ જાય છે,ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને પોતાના સૃષ્ટિરચનારૂપ પૌરુષને સ્થાગિત કરીને નિશ્ચિન્ત ભાવથી સ્થિર થઇ જાય છે.તે સમયે આખું જગત તેમનામાં લિન થઈ જાય છે.જયારે સૂર્ય અને ચંદ્રમા રહિત આ પ્રલયરાત્રિ આવે છે ત્યારે તેઓ ભૂ:,ભૂવઃ:સ્વ:- ત્રણે લોક તે બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે.તે અવસર ઉપર ત્રણે લોક શેષજીના મુખથી નીકળટી અગ્નિ રૂપ ભગવાનની શક્તિથી સળગવા માંડે છે.એટલા માટે તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરગણ મહલોકથી જનલોકમાં જતા રહે છે.એટલામાં જ સાતેય સમુદ્ર પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા ઊંચા ઊંચા મોઝાઓથી ત્રિલોકીને ડુબાડી દે છે.ત્યારે તે પાણીની અંદર ભગવાન શેષછાયી યોગનિદ્રામાં નેત્રો બંધ કરી શયન કરે છે.તે સમયે જનલોકી મુનીગણો તેમની પ્રાર્થના કર્યા કરે છે.આવી રીતે કાળની ગતિથી એક એક હજાર ચતુર્યુગી રૂપમાં દેખાતા દિવસ રાતના હેરફેરથી બ્રહ્માજીના સો વર્ષની પરમ ઉમર પણ વીતી ગયેલી દેખાવા લાગે છે.
બ્રહ્માજીની ઉંમરના અડધા ભાગને પરાર્ધ કહે છે.અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ગયો છે,બીજો ચાલી રહ્યો છે.પહેલા પરાર્ધનાં આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો.તેમ બ્રહ્માજીની ઉત્તપત્તિ થઇ હતી.પંડીત લોકો તેને શબ્દબ્રહ્મ કહે છે.તેજ પરાર્ધનાં અંતમાં જે કલ્પ થયો હતો,તેને પાદ્મકલ્પ કહે છે.તેમ ભગવાનના નાભિસરોવરથી સર્વલોકમય કમળ પ્રગટ થયું હતું.વિદુરજી ! આ વખતે જે કલ્પ ચાલી રહ્યો છે,તે બીજા પરાર્ધનો આરંભક બતલાવ્યો છે,તે વારાહ કલ્પ નામથી વિખ્યાત છે,તેમ ભગવાને શુવ્વરનું રૂપ લીધું હતું.આ બે પરાર્ધનો સમય અવ્યક્ત,અનંત,અનાદિ,વિશ્વાત્મા,શ્રી હરિનો એક નિમેષ મનાય છે.આ પરમાણુ થી લઈને દ્વિપરાર્ધ દરમ્યાન ફેલાયેલો કાળ,સર્વસમર્થ હોવાથી,જ સર્વાત્મા શ્રીહરિ ઉપર કોઈ પ્રકારની પ્રભુતા નથી રાખતો.આ બે બે દેહો વગેરેમાં અભિમાન રાખનાર જીવોનું જ શાસન કરવામાં સમર્થ છે.
પ્રકૃતિ,મહતત્વ,અહંકાર અને પંચતન્માત્ર -આ આઠ પ્રકૃતિયો ની સાથે દાસ ઇન્દ્રિયો,મન અને પંચભૂત -આ સોળ વિકારોમાં મળીને આ બનેલો બ્રહ્માન્ડકોષ અંદરથી પચાસ કરોડ વિસ્તારવાળો છે,તથા તેની બહાર ચારેબાજુ દસ દસ ગણા એક પછી એક સાત આવરણ છે.તે બધાની સાથે આ જેમાં પરમાણુ ની જેવા પડેલા દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્મરાશિયો છે,તે આ પ્રધાન આદિ બધાજ કારણોના કારણ અક્ષરબ્રહ્મ કહેવાય છે,અને આ જ પુરાણપુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુભગવાનનું શ્રેષ્ઠ ધામ (સ્વરૂપ) છે.
અધ્યાય બારમો
સૃષ્ટિનો વિસ્તાર
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! અહીં સુધી મેં આપને ભગવાનનો કાળરૂપ મહિમા સંભળાવ્યો.હવે જે પ્રકારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તે સાંભળો.સહુથી પહેલા તેમને અજ્ઞાનની પાંચ વૃત્તિઓ-તમ(અવિદ્યા),મોહ(અસ્મિતા),મહામોહ(રાગ),તામિસ્ત્ર(દ્વેષ) અને અંધ તામિસ્ત્ર(અભિનિવેશ ) રચી.
પરંતુ આ અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેમેને પ્રસન્નતા ન થઇ.ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને બીજી સૃષ્ટિ રચી.આ વખતે બ્રહ્માજીએ સનત,સનંદન,સનાતન અને સનતકુમાર-એ ચાર નિવૃત્તિપરાયણ ઉરધરતા મુનિ ઉત્તપન્ન કર્યા. પોતાના તે પુત્ર્ત્રોને બ્રહ્માજીએ કહ્યું ,'પુત્રો ! તમે લોકો સૃષ્ટિ ઉત્તપન્ન કરો.'પરંતુ તે જન્મથી જ મોક્ષમાર્ગ(નિવૃત્તિમાર્ગ)-નું અનુશરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા.એટલા માટે તેમણે એવું કરવાનું ન ચાહ્યું.જયારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા ન માનીને મારા પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે ત્યારે તેમણે અસહ્ય ક્રોધ થયો.તેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો.પરંતુ બુદ્ધિ દ્વારા તેને ખુબ રોકવા છતાં પણ તે ક્રોધ તરત જ પ્રજાપતિના મોહોની વચ્ચેથી એક નીલ- લોહિત ( નીલા અને લાલરંગના) બાળક ના રૂપમાં પ્રગટ થઇ ગયો.તે દેવતાઓના પૂર્વજ ભગવાન ભવ(રુદ્ર) રડતા રડતા કહેવા લાગ્યા -જગતપિતા,! વિધાતા ! મારુ નામ અને રહેવાનું સ્થાન બતાવો.
ત્યારે કમલયોની બ્રહ્માજીએ તે બાળકની પ્રાર્થના પુરી કરવાને માટે મધુરવાણીમાં કહ્યું,'રડો નહિ, હું તારી ઈચ્છા હમણાં જ પુરી કરું છું'.દેવ શ્રેષ્ઠ ! તમે જન્મ લેતા જ બાળકની માફક ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા,એટલા માટે પ્રજા તમને 'રુદ્ર' નામથી પોકારશે.તમારા રહેવા માટે મેં પહેલેથી જ હૃદય,ઇન્દ્રિય,પ્રાણ,આકાશ,વાયુ,અગ્નિ,પાણી ,પૃથ્વી,સૂર્ય ચંદ્રમા અને તપ-એ સ્થાનો રચી દીધા છે.તમારા નામ મન્યું,મનુ,મહીનસ,મહાન,શિવ,ઋતુધ્વજ,ઉગ્રરેતા,ભવ,કાલ,વામદેવ અને ધૃતવ્રતઃ હશે.તથા ઘી,વૃત્તિ,ઉશના ,ઉમા,નિયૂત,સર્પી,ઈલા,અંબિકા,ઈરાવતી,સુધા અને દીક્ષા-આ અગિયાર રૃદ્રાણીયો તમારી પત્નીઓ હશે.તમે ઉપરના નામો,સ્થાન અને સ્ત્રીઓનો સ્વીકાર કરો અને તેના દ્વારા ખુબ જ પ્રજા ઉત્તપન્ન કરો,કેમકે તમે પ્રજાપતિ છો.
લોકપિતા બ્રહ્માજીથી એવી આજ્ઞા મેળવીને ભગવાન નીલલોહિત બળ,આકાર અને સ્વભાવમાં પોતાના જ જેવી પ્રજા ઉત્તપન્ન કરવા લાગ્યા.ભગવાન રુદ્ર દ્વારા ઉત્તપન્ન થયેલા તે રુદ્રોના અસંખ્ય યુથ બનાવીને આખા સંસારને ભક્ષણ કરતા જોઈને બ્રહ્માજીને મોટી શંકા થઇ.ત્યારે તેમને રૂરને કહ્યું-'સુરશ્રેષ્ઠ ! તમારી પ્રજા તો તેમની ભયંકર દ્રષ્ટિથી મને અને બધી દિશાઓને ભસ્મ કરી નાખે છે,એટલે એવી સૃષ્ટિ વધારે ન રચો.તમારું કલ્યાણ થાવ, હવે તમો બધાજ પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો.પછી તે તપના પ્રભાવ થી જ આગળપ્રમાણે તમો આ સંસારની રચના કરો.પુરુષ તપના દ્વારા જ ઇન્દ્રિયાતીત,સર્વાન્તર્યામી,જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
શ્રી મૈત્રેયજી કહે છે-જયારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી,ત્યારે રુદ્રે 'ખુબ સરસ' કહીને તેને માથે ચઢાવી,અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા.
તેના પછી જયારે ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિને માટે સંકલ્પ કર્યો,ત્યારે તેમના બીજા દસ પુત્રો ઉત્તપન્ન થયા.તેમાં લોકોનો ખુબ વધારો થયો.તેમના નામ મરીચિ,સ્ત્રી,અંગિરા,પુલસ્તય,પુલહ,ક્રતુ,ભૃગુ,વશિષ્ઠ,દક્ષ અને દસમા નારદ.હતા.તેમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીની ગોદમાંથી,દક્ષ અંગુઠાથી,વશિષ્ઠ પ્રાણથી,ભૃગુ ત્વચાથી ,ક્રતુ હાથથી,પુલહ નાભિથી,પુલત્સ્ય ઋષિ કાનોથી,અંગિરા મોઢાથી,સ્ત્રી નેત્રોથી અને મરીચિ મનથી ઉત્તપન્ન થયા.પછી તેમના જમણા સ્તનથી ધર્મ ઉત્તપન્ન થયો,જેમની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતાર પામ્યા,તથા તેમની પીઠથી અધર્મનો જન્મ થયો.અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્તપન્ન થયું.એવી રીતે બ્રહ્માજીના હૃદયથી કામ,ભ્રવરોથી ક્રોધ,નીચેના હોઠથી લોભ,મુખથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી,લિંગથી સમુદ્ર,ગુદાથી પાપની નિવાસસ્થાન,(રાક્ષસોના અધિપતિ)નીત્રમૂર્તિ. છાયાથી દેવહૂતિના પતિ ભગવાન કર્દમજી ઉત્તપન્ન થયા.એવી રીતે આ આખું જગત જગત કર્તા બ્રહ્માજીના શરીરથી અને મનથી ઉત્તપન્ન થયા.
વિદુરજી ! બ્રહ્માની કન્યા સરસ્વતી ખુબ જ સુકુમારી અને મનોહર હતી. અમે સાંભર્યું છે-એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઇ ગયા હતા,જોકે તે જાતે વાસનાવગરની હતી.તેમને એવો અધર્મમય સંકલ્પ કરતાં જોઈ,તેમના પુત્ર મરીચિ વગેરે ઋષિયોએ તેમને વિશ્વાસપૂર્વક સમજાવ્યા-
'પિતાજી ! આપ સમર્થ છો,છતાં પણ આપના મનમાં ઉત્તપન્ન થયેલા કામના વેગને ન રોકીને પુત્રીગમન જેવું દુસ્તર પાપકરવાનો સંકલ્પ કરી રહ્યા છો.એવું તો આપનાથી પૂર્વવત કોઈ બ્રહ્માએ નથી કર્યું,અને આગળ પણ કોઈ નહિ કરે.જગતગુરુ ! આપ જેવા તેજસ્વી પુરુષને જ એવું કામ શોભા નથી આપતું,કેમકે આપલોકોના અચરણોને અનુશરણ કરવાથી જ જગતનું કલ્યાણ થાય છે.જે શ્રી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થિર આ જગતને પોતાના તેજથી પ્રગટ કર્યું છે,તેને નમસ્કાર છે.આ વખતે તેજ ધર્મની રક્ષા કરી શકે છે.' પોતાના પુત્ર મરીચિ વગેરે પ્રજાપતિઓને આવી રીતે તેમની સામે કહેતા જોઈ બ્રહ્માજી ખુબ જ લજ્જિત થયા,અને તેમણે તે શરીરને તે જ સમયે છોડી દીધું.ત્યારે તે ઘોર શરીરને દિશાઓએ લઇ લીધું,ત્યાં કોહરા થયો જેને અંધકાર પણ કહેવાય છે.
એકવાર બ્રહ્માજી એ વિચારી રહ્યા હતા કે"હું પહેલાની માફક સુવ્યવસ્થિતરૂપે બધા લોકોની રચના કેવી રીતે કરું?"તેજ વખતે તેમના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ થયા.તે સિવાય ઉપવેદ,ન્યાયશાસ્ત્ર,હોતા,ઉદ્દગાતા,અધ્વર્યુ અને બ્રહ્મા-આ ચાર ઋષિયોના કર્મ,યજ્ઞના વિસ્તાર,ધર્મના ચાર ચરણ અને ચારે આશ્રમ તથા તેમની વૃતિયો- તે બધું પણ બ્રહ્માજીના મુખમાંથી જ પ્રગટ થયું.
વિદુરજીએ પૂછ્યું-તપોધન ! વિશ્વ રચિયાતાના સ્વામી શ્રી બ્રહ્માજીએ પોતાના મુખોથી જયારે આ વેદ વગેરેને રચ્યા,તો તેમને તેમના ક્યાં મોઢાથી કઈ વસ્તુ ઉત્તપન્ન કરી.-તે તમો કૃપા કરીને મને બતાવો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું-વિદુરજી !બ્રહ્માએ પોતાના પૂર્વ,દક્ષિણ,પશ્ચિમ અને ઉત્તરના મોઢાથી ક્રમથી,ઋક,યજું,સામઅને અર્થવેદને રચ્યા તથા તે ક્રમથી શસ્ત્ર(હોતાનો કર્મ ),
ઈજ્યા (અધ્વર્યુનું કર્મ )સ્તુતીસ્તોમ(ઉદ્દગાતાનું કર્મ )અને પ્રાયશ્ચિત્ત (બ્રહ્માનું કર્મ)-આ ચારેની રચના કરી.-એવી રીતે આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર),ધનુર્વેદ(શસ્ત્રવિદ્યા),ગાંધર્વવેદ (સંગીત શાશ્ત્ર) અને સ્થાપત્યવેદ(શિલ્પવિદ્યા)-આ ચાર ઉપવેદોને પણ ક્રમથી તે પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન કર્યા.પછી સર્વદર્શી બ્રહ્માએ પોતાના ચારે મુખોથી ઇતિહાસ-પુરાણરૂપ પાંચમો વેદ બનાવ્યો.એજ ક્રમથી ષોડશી અને ઉકથ,ચયન અને અગ્નિષ્ટોમ,આપ્તોર્યમ અને અતિરાત્ર,તથા વાજપેય અને ગોસવ-એ બે બે યાગ પણ તેમના પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન થયા.વિદ્યા, દાન, તપ અને સત્ય-આ ધર્મના ચાર પગ અને વૃતિયો સાથે ચાર આશ્રમ પણ એ જ ક્રમથી પ્રગટ થયા.સાવિત્ર (ઉપનયન સંસ્કાર દરમ્યાન ગાયત્રીના અધ્યયન માટે ધારણ કરવાનું ત્રણ દિવસનું બ્રહ્મચર્યવ્રત.)પ્રાજાપત્ય (એક વર્ષનું બ્રહ્મચર્યવ્રત),બ્રાહ્મ(વેદાધ્યયનની સમાપ્તિ સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત) અને બૃહત (ઉંમર સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત)-આ ચાર વૃતિયો બ્રહ્મચારીની છે તથા વાર્તા(ખેતી વગેરે શાસ્ત્ર વગરની વૃતિયો ),સંચય (યાગ વગેરે કરાવવું),શાલીન( અયાચિત વૃત્તિ) તથા શિલૉંચ્છ (ખેતર કાપી નાખ્યા પછી જમીન પર પડેલા અને અનાજની મંદીમાં પડેલા દાણાને વીણીને જીવન ચલાવવું)આ ચાર વૃતિયો ગૃહસ્થની છે.
એવી રીતે વૃતિભેદથી વૈખાનસ(વગર ખેડ-રોપ ધરતીથી ઉત્તપન્ન થયેલા પદાર્થોથી નિર્વાહ કરનારા ),વાલખિલ્ય (નવું અનાજ માલ્ટા પહેલા સંગ્રહ કરેલું અનાજ દાન કરનારા ),ઔદુમ્બર (પ્રાતઃકાળમાં ઉઠીને જે દિશામા મોઢું હોય તે દિશામાંથી ફળો લાવીને નિર્વાહ કરનારા) અને ફેનપ (પોતાની જાતે ઝડીને પડેલા ફળો ખાઈને રહેનારા)આ ચાર ભેદો વાનપ્રસ્થોના તથા કુતિચક (ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેવું અને આશ્રમના ધર્મોનું પૂરું પાલન કરનારા ) ,વધુદક (કર્મની અને ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ મુખ્ય માનનારા),હંસ (જ્ઞાનાભ્યાસી) અને નિષ્ક્રિય(પરમહંસ,જ્ઞાની જીવન્મુક્ત ) -આ ચાર ભેદો સન્યાસિયોંના છે.એજ ક્રમથી આણ્વીક્સિકી(મોક્ષ પ્રાપ્ત કરાવનારી આત્મવિદ્યા),ત્રયી (સ્વર્ગાદિ ફળ આપનારી કર્મવિદ્યા ),વાર્તા(ખેતી વેપાર વગેરે સંબંધી વિદ્યા )અને દંડનીતિ (રાજનીતિ)-આ ચાર વિદ્યાઓ તથા ચાર વ્યાહુતિયા (ભૂ:,ભુર્વઃ:,સ્વ:-આ ત્રણ અને ચોથી ,મહ: ને મેળવીને ,આવી રીતે ચાર વ્યાહુતિયા આશ્વલાયનને પોતાના ગૃહસૂત્રોમાં બતલાવી છે -તેમજ વ્યાહતય:પ્રોકતા વ્યક્તા:
સમસ્તા:.અથવા ભૂ:ભૂવઃ:,સ્વ:અને મહ: -આ ચાર વ્યાહુતિયો,જેમ કે શ્રુતિ કહે છે -ભૂર્ભવઃ:સુવરીતિ વ એતસ્તિસ્ત્રો વ્યાહતયસ્થાસામું હ સમૈતાં ચતુર્થીમાંહ.વાચમસ્ય પ્રવેદયતે મહ: વગેરે.)પણ બ્રહ્માજીના ચાર મુખોથી ઉત્તપન્ન થઇ તથા તેમના હૃદયાકાશમાં ૐકાર પ્રગટ થયો.
તેમ ના રોમથી ઉષનિક,ત્વચાથી ગાયત્રી,માસથી ત્રિષ્ટુપ ,સ્નાયુથી અનુષ્ટુપ,અસ્થિઓથી જગતી મજ્જાથી પંક્તિ અને પ્રાણોથી બૃહતી છંદ ઉત્તપન્ન થયા.એમ જ તેમનો જીવ સ્પર્ષવાર્ણ(કવગ આદિ
પજ્ઞવર્ગ )અનેદેહ સ્વરવર્ણ(અકારાદિ) કહેવાયા. તેમની ઇન્દ્રિયોનો ઉષ્મવર્ણ (શ ય સ હ)અને વલકો અંતઃસ્થ (ય ર લ વ )કહે છે,તથા તેમની ક્રીડાથી નિષાદ,ઋષભ,ગાંધાર,ષડજ, મધ્યમ,ધૈવત અને પશ્ચમ- આ સાત સ્વર થયા.હે તાત ! બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે.તેઓ વૈખરી રૂપથી વ્યક્ત અને ઉંકારરૂપથી અવ્યક્ત છે.તથા તેમનાથી ઉપર જે સર્વત્ર પરિપૂર્ણ પરબ્રહ્મ છે,તેજ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપોમાં દેખાય રહ્યા છે.
વિદુરજી ! બ્ર્હમાજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી કોહરા થયું હતું- છોડ્યા પછી બીજું શરીર ધારણ કરીને વિશ્વવિસ્તારનો વિઆચાર કર્યો,તેઓ જોઈ ચુક્યા હતા કે મરીચિ વગેરે મહાન શક્તિશાળી ઋષિયોથી પણ સૃષ્ટિનો વિસ્તાર વધારે ન થયો ,એટલે તેઓ મનમાં ને મનમાં ફરીથી ચિંતા કરવા લાગ્યા -' અહો ! બ્રહ્મ આશ્ચર્ય છે,મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પ્રજાની વૃદ્ધિ નથી થઇ રહી.માલમ પડે છે તેમાં નસીબ જ કૈક વિઘ્ન નાખી રહ્યું છે.'જે વખતે યથોચિત ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી એવી રીતે નસીબના માટે વિચાર કરી રહ્યા હતા તે જ વખતે તેમના શરીરના અકસ્માતે બે ભાગ થઇ ગયા.'ક'બ્રહ્માજીનું નામ છે તેનાથી જુદા પડવાને કારણે શરીરને 'કાયા' કહે છે તે બંને વિભાગથી એક સ્ત્રી -પુરુષનું જોડું પ્રગટ થયું.તેમાં જે પુરુષ હતો તે સાર્વભોમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થઇ. ત્યારથી મીથુન ધર્મ(સ્ત્રી-પુરુષ-સંભોગ)થી પ્રજાની વૃદ્ધિ થવા લાગી.મહારાજ સ્વયંમભવ મનુએ શતરૂપાથી પાંચ સંતાનો ઉત્તપન્ન કરી.સાધુશિરોમની વિદુરજી ! તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -બે પુત્ર હતા તથા આકુતિ,દેવહુતિ અને પ્રસુતિ- ત્રણ કન્યાઓ હતી.મનુજીએ આકૃતિનો વિવાહ રુચિ પ્રજાપતિથી કર્યો ,વચલી કન્યા દેવહુતિ કર્દમજીને આપી અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને આ ત્રણ કન્યાઓની પ્રસુતિથી આખો સંસાર ભરાય ગયો.
તેરમો અધ્યાય
વરાહ અવતારની કથા
શ્રી શુકદેવજીએ કહયું -રાજન ! મુનિવર મૈત્રેયજીના મુખથી આ પરમ પુજયમયી કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરીથી પૂછ્યું,કેમકે ભગવાનની લીલાકથામાં તેમનો અત્યંત અનુરાગ થઇ ગયો હતો.
વિદુરજીએ કહ્યું - મુનિ ! સ્વમ્ભુ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપાને મેળવીને પછી શું કર્યું ? આપ સાધુશિરોમણી છો.આપ મને આદિરાજ રાજર્ષિ સ્વંભૂવઃ મનુના પવિત્ર ચરિત્ર સંભળાવો.તેઓ વિષ્ણુભગવાનના શરણાપાત્ર હતા,એટલે એમનું ચરિત્ર સાંભળવામાં મને ખુબ જ શ્રધ્દ્ધા છે.જેમના હૃદયમાં શ્રીમુકુંદના ચરણાર્વિન્દ વિરાજમાન છે,તે ભકજનોના ગુણોને સાંભળવા જ મનુષ્યોના ઘણા જ લાંબા સમયના કરેલા શાસ્ત્રભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે,એવો વિધ્નોનો શ્રેષ્ઠ મત છે.
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! વિદુરજી શાસ્ત્રશીર્ષા ભગવાન શ્રી હરિના ચારણાશ્રિત ભક્ત હતા.તેમણે જયારે વિનયથી ભગવાનની કથા માટે પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીના રોમે રોમ ખીલી ઉઠયા.તેમણે કહ્યું.
શ્રી મૈત્રેયજી બોલ્યા - જયારે પોતાની ભાર્યા શતરૂપાની સાથે સ્વાયંભુવ મનુનો જન્મ થયો,ત્યારે તેમણે ખુબ જ નમ્રતાથી હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું -‘ભગવન ! એકમાત્ર તમો જ બધા જીવોના જન્મદાતા અને જીવિકા આપનારા પિતા છો.તે ઉપરાંત અમે આપની સંતાન એવું કયું કર્મ કરીએ, જેનાથી આપની સેવા થઇ શકે?
પૂજ્યપાદ ! અમો આપને નમસ્કાર કરીએ છીએ. આપ અમોને થઇ શકે તે યોગ્ય કોઈ એવા કામ માટે આજ્ઞા આપો જેનાથી આ લોકમાં અમારી બધે જ કીર્તિ થાય,અને પરલોકમાં સદ્દગતિ મળે.
શ્રી બ્રહ્માજીએ કહ્યું-તાત ! પૃથ્વીપતિ ! તમારું બંનેનું કલ્યાણ થાઓ,હું તમારાથી ખુબ જ પ્રસન્ન છું,કેમકે તમે નિષ્કપટ ભાવથી 'મને આજ્ઞા આપો 'એવું કહીને મને આત્મસમર્પણ કર્યું છે.વીર ! પુત્રોને પોતાના પિતાની આ રૂપમાં પુંજા કરવી જોઈએ.તેમને તે જ શોભે છે જે બીજાના તરફ ઈર્ષ્યાનો ભાવ ન રાખીને જ્યાં સુધી થઇ શકે,તેમની આજ્ઞાનું આદરથી સાવધાની સાથે પાલન કરવું.તમે તમારી આ ભાર્યાથી પોતાના જેવી જ ગુણવાન સંતતિ ઉત્તપન્ન કરીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો,અને યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરો.રાજન ! પ્રજાપાલનથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમને પ્રસન્ન થશે.જેના પર યજ્ઞમૂર્તિ ભગવાન પ્રસન્ન નથી થતા,તેની બધી જ મહેનત નકામી જાય છે,કેમકે તે તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે.
મનુજીએ કહ્યું- પાપના નાશ કરનારા પિતાજી ! હું આપની આજ્ઞાનું પાલન જરૂર કરીશ,પણ તમો આ જગતમાં મારુ તેમજ મારી ભાવિ પ્રજાનું રહેવા માટેનું સ્થાન બતલાવો. દેવ ! બધા જીવોનું નિવાસસ્થાન પૃથ્વી અત્યારે પાણીમાં ડૂબેલી છે.આપ તે દેવીના ઉદ્ધારનો પ્રયત્ન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - પૃથ્વીને આવી રીતે અપાર જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે,
'એને કેવી રીતે કાઢું.'જે વખતે હું લોકરચનામાં લાગેલો હતો,તે સમયે પૃથ્વી પાણીમાં ડૂબી જવાથી રસતાલમાં જતી રહી.અમે લોકો સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત છીએ એટલે,તેના માટે અમારે શું કરવું જોઈએ ? હવે તો,જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે,તે શ્રી હરિ જ મારુ આ કામ પૂરું કરે.'
નિષ્પાપ વિદુરજી ! બ્રહ્માજી આવી રીતે વિચાર કરી રહ્યા હતા કે તેમના નસ્કોરામાં અકસ્માત અંગુઠાના બરાબર આકારનો એક વરાહ શિશુ નીકળ્યો.ભારત ! મોઅત આશ્ચર્યની વાત તો તે થઇ કે આકાશમાં ઉભેલો તે વરાહ શિશુ બ્રહ્માજીના જોતા જોતા તો મોટો થઈને હાથીના જેવો થઇ ગયો.તે વિશાલ વરાહ શિશુને જોઈને મરીચિ વગેરે મુનિજન,સનકાદિઅને સ્વાયંભુવ મનુ ની સાથે બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા.-
અહો ! સુવ્વરના રૂપમાં આજે આ કોણ દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે ?કેવું આશ્ચર્ય છે ! આ હમણાં જ મારા નાકથી નીકળ્યું હતું.પહેલા તો તે અંગુઠાના ટેળવા જેવું દેખાતું હતું પરંતુ એક જ ક્ષણમાં મોટી ભારે શીલા જેવું થઇ ગયું જરૂર યગ્નમૂર્તિ ભગવાન આપણા લોકોના મનને મોહિત કરી રહ્યા છે.બ્રહ્માજી અને તેમના પુત્રો આવી રીતે વિચારી રહ્યા હતા કે ત્યાં ભગવાન યગ્નપુરુષ પર્વતાકાર થઇ ગર્જવા લાગ્યા.સર્વશક્તિમાન શ્રી હરિએ તેમની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિ કરીને બ્રહ્મા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને હર્ષથી ભરી દીધા.પોતાનો ખેદ દૂર કરનારી માયામય વરાહ ભગવાનની ઘુરઘુરાટીને સાંભળીને તે જનલોક,તપલોક,અને સત્યલોક નિવાસી મુનિગણ ત્રણે વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.ભગવાનના સ્વરૂપોના વેદોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે,એટલે તે મુનીશ્વરો એ જે પ્રાર્થના કરી ,તેને વેદરૂપ માનીને ભગવાન ખુબ પ્રસન્ન થયા અને એકવાર ફરીથી ગરજીને દેવતાઓના હિતને માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા પાણીમાં ઘુસી ગયા.પહેલા તે સુવ્વર રૂપ ભગવાન પૂંછડી ઉઠાવીને ઘણા જ વેગથી આકાશમાં ઉછળ્યાઅને પોતાની ડોકના વાળને ફટકારતા ખૂરોના આઘાતથી વાદળોને વિખેરવા લાગ્યા . તેમનું શરીર ખુબ જ કઠોર હતું ત્વચા ઉપર કઠણ કઠણ વાળો હતા,દાઢો સફેદ હતી,અને નેત્રોથી તેજ નીકળી રહ્યું હતું,તે વખતે તેમની ખુબ શોભા દેખાઈ રહી હતી.ભગવાન જાતે યજ્ઞપુરુષ છે તે ઉપરાંત સુવ્વર રૂપ ધારણ કરવાને કારણે પોતાની નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીને શોધવા લાગ્યા.તેમની દાઢો ખુબ જ કઠોર હતી.આવી રીતે ક્યારેક તે ખુબ ક્રૂર દેખાતા હતા,છતાં પણ તેમની પ્રાર્થના કરનારા મરીચિ વગેરે મુનિયો તરફ ખુબ જ સૌમ્ય દ્રષ્ટિથી નિહાળતા તેમણે પાણીમાં પ્રવેશ કર્યો.
જે વખતે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર કલેવર પાણીમાં પડ્યું,ત્યારે તેના વેગથી જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું,અને તેમાં વાદળોની ગડગડાટ ના જેવો મોટો ભયંકર શબ્દ બન્યો.તે વખતે એવું દેખાતું હતું,જાણે પોતાની કસેલી તરંગરૂપ ભુજાઓને ઉઠાવીને તે મોટા આર્તસ્વરમાં 'હે યજ્ઞેશ્વર ! મારી રક્ષા કરો !' એવી રીતે પોકારી રહ્યો હોય. ત્યારે ભગવાન યગ્નમૂર્તિ પોતાના બાણના જેવા તીક્ષણ ખરીઓથી પાણીને ચીરતાં તે અપાર જળરાશીને તે પાર પહોંચ્યા ત્યાં રસાતળમાં બધાજ જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોયા,જેને કલ્પાન્તમાં સુવા માટે ઉદ્યત શ્રી હરિએ જાતે તેમના પેટમાં લિન કરી દીધા હતા.
પછી તે પાણીમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢોમાં લઈને રસાતળથી ઉપર આવ્યા.તે વખતે તેમની ખુબ શોભા થઇ રહી હતી.પાણીમાંથી બહાર આવતા તેમના માર્ગમાં વિઘ્ન નાખવા માટે મહાપરાક્રમી હિરણાક્ષયે પાણીમાં જ તેમની ઉપર ગદાથી આક્રમણ કર્યું.તેનાથી તેમનો ક્રોધ ચક્રના જેવો તીક્ષણ થઇ ગયો,અને તેમને તેને લીલાથી જ એ રીતે મારી નાખ્યો,જેમ સિંહ હાથીને મારી નાખે છે.તે વખતે તેના લોહીથી ઠુંઠની તથા કાનપટ્ટી સાની જવાથી તે એવા લાગતા હતા જાણે કોઈ હાથી લાલ માટીના મોટા ટેકરામાં ટક્કર મારીને આવ્યો હોય.તાત ! જેમ હાથી પોતાના દાતો પર કમળનું
ફૂલ ધારણ કરી લે,તેવી રીતે પોતાના સફેદ દાંતોની નોક ઉપર પૃથ્વીને ધારણ કરીને પાણીમાંથી બહાર નીકળતા,તમાલ જેવા નીલવર્ણ વરાહ ભગવાન જોઈને બ્રહ્મા,મરીચિ વગેરે ને ખાતરી થઇ કે આ ભગવાન જ છે.ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.
ઋષિયોએ કહ્યું- ભગવાન અજિત ! આપની જય થાઓ,જય થાઓ ! યજ્ઞપતિ ! આપ આપના વેદત્રયી રૂપ વિગ્રહને ફટકારી રહ્યા છો,આપને નમસ્કાર હો ! આપના રોમ કુંપોમાં સંપૂર્ણ યજ્ઞ લિન છે.આપને પૃથ્વીનો ઉદ્ધાર કરવા જ આ સુવ્વરનું રૂપ લીધું છે.આપને નમસ્કાર છે.દેવ ! દુરાચારીઓને આપના આ શરીરના દર્શન થવા અત્યંત કઠિન છે કેમકે તે યજ્ઞરૂપ છે.
તેમની ત્વચાથી ગાયત્રી વગેરે છંદ,રોમાવલીમાં કુશ,નેત્રોમાં ઘૃત તથા ચારો ચરણોમાં હોતા,અધ્વર્યુ,ઉદ્દગાતા અને બ્રહ્મા-આ ચારે ઋષિયોના કર્મ છે.ઈશ ! આપની થુંથની (મુખનો આગળનો ભાગ)માં શ્રુક છે,નાસીકાછિદ્રોમાં સ્તૃવા છે,પેટમાં ઈડા(યાજ્ઞિય ભક્ષણપત્ર )છે,કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશ્ચિત્ર (બ્રહ્મભાગપાત્ર),છે અને કંથછીદ્રમાં ગ્રહ(સોમપાત્ર)છે.ભગવન ! તમારું જે ચાવવાનું છે,તેજ અગ્નિહોત્ર છે.બાર બાર અવતાર લેવા યજ્ઞસ્વરૂપ આપની દિક્ષણીય દ્રષ્ટિ છે,ગરદન ઉપસદ (ત્રણ ઇષ્ટિયો)છે,બંને દાઢો પ્રાયણીય( દીક્ષા પછીની ઇષ્ટિ) અને ઊદનીય (યજ્ઞસમાપ્તીની ઇષ્ટિ) છે,જિહવા પ્રવમરય(દરેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ)છે,સિર સભ્ય
(હોમરહિત અગ્નિ)અને આવસધ્ય( ઔપાસનાગ્નિ)છે તથા પ્રાણ ચિતિ (ઈષ્ટકાચ્યન)છે.દેવ ! આપનું વીર્ય સોમ છે, આસન(બેઠક) પ્રાપ્ત:સવનાદિ ત્રણ સવન છે.સાતેય ધાતુ અગ્નિષ્ટોમ, અત્યંગ્નિષ્ટોમ,ઉકય,ષોડશી ,વાજપેય,અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંશ્થાઓ છે.તથા શરીરની સંધીયો(સાંધા),સંપૂર્ણ સત્ર છે.આવી રીતે આપ સંપૂર્ણ યજ્ઞ (સોમરહિત યાગ)અને ક્રતુ
( સોમસહિત યાગ) રૂપ છે.યજ્ઞાનુષ્ઠાન રૂપ ઇષ્ટિયો આપના અંગોને મેળવી રાખનારી માંસપેશીયો છે.બધાજ મંત્રો,દેવતા,દ્રવ્ય,યજ્ઞ અને કર્મ આપના જ સ્વરૂપ છે.આપને નમસ્કાર છે.વૈરાગ્ય,ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે,તે આપનું જ સ્વરૂપ છે.તથા તમો જ વિદ્યાગુરુ છો,તમોને વારંવાર પ્રણામ છે.પૃથ્વીને ધારણ કરનારા ભગવન ! આપની દાઢોની નોક પર રાખેલી આ પર્વત વગેરેથી છવાયેલી પૃથ્વી એવી સુશોભિત થઇ રહી છે,જેમ વનમાંથી નીકળીને બહાર આવેલા કોઈ હાથીના દાંતો પર પત્રયુક્ત કમલીની રાખી હોય.આપના દાંતો પર રાખેલા ભૂમંડળો સાથે આપનો આ વેદમય વરાહ વિગ્રહ એવો સુશોભિત થઇ રહ્યો છે,જેમ શિખરો પર છવાયેલી મેઘમાલાથી કુલપર્વતની શોભા થાય છે.નાથ ! ચરાચર જીવોને સુખપૂર્વક રહેવા માટે આપ પોતાની પત્ની આ જગતમાતા પૃથ્વીને પાણી ઉપર સ્થાપિત કરો.આપ જગતના પિતા છો,અને અરણીમાં અગ્નિસ્થાપન ની જેમ આપે એમાં ધારણશક્તિરૂપ આપનું તેજ સ્થાપિત કર્યું છે.
અમે આપને તથા આ પૃથ્વીમાતાને પ્રણામ કરીયે છીએ.પ્રભુ ! રસાતળમાં ડૂબેલી આ પૃથ્વીને કાઢવાનું સાહસ આપના સિવાય કોણ કરી શકવાનું હતું.પરંતુ તમો તો સંપૂર્ણ આશ્રયોના આશ્રય છો,તમારા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી. તમેજ તો આ આખાય વિશ્વની આપની માયાથી રચના કરી છે.જયારે આપ આપના વેગમય વિગ્રહને હલાવો છો,ત્યારે અમારા ઉપર આપના ગરદન ઉપરના વાળોથી ઝરતી ઠંડી બૂંદો પડે છે.ઈશ ! તેનાથી ભીંજાઈને અમે જનલોક ,તપલોક અને સત્યલોક માં રહેનારા મુનિજનો કાયમ માટે પવિત્ર થઇ જઇયે છીએ.જે પુરુષ આપના કર્મોની પાર પામવા ચાહે છે,જરૂરથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ છે,કેમકે આપના કર્મોનો કોઈ પાર જ નથી.તમારી જ યોગમાયાના સતવાદી ગુણોથી,આ આખું જગત મોહિત થઇ રહ્યું છે.ભગવન ! આપ તેનું કલ્યાણ કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! તે બ્રહ્મવાદી મુનિઓએ આવી રીતે પ્રાર્થના કરવાથી,બધાની રક્ષા કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી પાણીને સ્તંભિત કરીને તેના પર પૃથ્વીને સ્થાપિત કરી દીધી.એવી રીતે રસાતળથી લાવેલી પૃથ્વીને પાણી પર મૂકી તે વિશ્વકસેન પ્રજાપતિ ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.
વિદુરજી ! ભગવાનના લીલામય ચરિત્ર ખુબ જ કીર્તનીય છે,અને તેમાં લાગેલી બુદ્ધિ બધાજ પ્રકારના પાપ-તાપોને દૂર કરી દે છે.જે પુરુષ તેમની મંગલમયી પવિત્ર કથાને ભક્તિભાવથી સાંભળે અથવા સંભળાવે છે તેના તરફ ભક્તવત્સલ ભગવાન અંતલસ્થળથી તરત જ પ્રસન્ન થઇ જાય છે.ભગવાન તો બધી કામનાઓને પૂર્ણ કરવામાં સફળ છે.તેમના પ્રસન્ન થવાથી સંસારમાં શું દુર્લભ છે.પરંતુ તે નકામી કામનાઓની જરૂર જ શું છે ? જે લોકો તેમનું અનન્ય ભાવથી ભજન કરે છે,તેમને તો તે અંતર્યામી પરમાત્મા પોતે જાતે તેમનું પરમ પદ જ આપી છે.અરે ! સંસારમાં પશુઓને છોડીને પોતાના પુરુષાર્થનો સાર જાણનારા એવો કોણ પુરુષ હશે,જે અવન જવનને છોડાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાને પોતાના કાનોથી એક વાર સાંભળીને પછી તેના
તરફથી મન હટાવી લેશે.
સૃષ્ટિનો વિસ્તાર
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! અહીં સુધી મેં આપને ભગવાનનો કાળરૂપ મહિમા સંભળાવ્યો.હવે જે પ્રકારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તે સાંભળો.સહુથી પહેલા તેમને અજ્ઞાનની પાંચ વૃત્તિઓ-તમ(અવિદ્યા),મોહ(અસ્મિતા),મહામોહ(રાગ),તામિસ્ત્ર(દ્વેષ) અને અંધ તામિસ્ત્ર(અભિનિવેશ ) રચી.
પરંતુ આ અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેમેને પ્રસન્નતા ન થઇ.ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને બીજી સૃષ્ટિ રચી.આ વખતે બ્રહ્માજીએ સનત,સનંદન,સનાતન અને સનતકુમાર-એ ચાર નિવૃત્તિપરાયણ ઉરધરતા મુનિ ઉત્તપન્ન કર્યા. પોતાના તે પુત્ર્ત્રોને બ્રહ્માજીએ કહ્યું ,'પુત્રો ! તમે લોકો સૃષ્ટિ ઉત્તપન્ન કરો.'પરંતુ તે જન્મથી જ મોક્ષમાર્ગ(નિવૃત્તિમાર્ગ)-નું અનુશરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા.એટલા માટે તેમણે એવું કરવાનું ન ચાહ્યું.જયારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા ન માનીને મારા પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે ત્યારે તેમણે અસહ્ય ક્રોધ થયો.તેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો.પરંતુ બુદ્ધિ દ્વારા તેને ખુબ રોકવા છતાં પણ તે ક્રોધ તરત જ પ્રજાપતિના મોહોની વચ્ચેથી એક નીલ- લોહિત ( નીલા અને લાલરંગના) બાળક ના રૂપમાં પ્રગટ થઇ ગયો.તે દેવતાઓના પૂર્વજ ભગવાન ભવ(રુદ્ર) રડતા રડતા કહેવા લાગ્યા -જગતપિતા,! વિધાતા ! મારુ નામ અને રહેવાનું સ્થાન બતાવો.
ત્યારે કમલયોની બ્રહ્માજીએ તે બાળકની પ્રાર્થના પુરી કરવાને માટે મધુરવાણીમાં કહ્યું,'રડો નહિ, હું તારી ઈચ્છા હમણાં જ પુરી કરું છું'.દેવ શ્રેષ્ઠ ! તમે જન્મ લેતા જ બાળકની માફક ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા,એટલા માટે પ્રજા તમને 'રુદ્ર' નામથી પોકારશે.તમારા રહેવા માટે મેં પહેલેથી જ હૃદય,ઇન્દ્રિય,પ્રાણ,આકાશ,વાયુ,અગ્નિ,પાણી ,પૃથ્વી,સૂર્ય ચંદ્રમા અને તપ-એ સ્થાનો રચી દીધા છે.તમારા નામ મન્યું,મનુ,મહીનસ,મહાન,શિવ,ઋતુધ્વજ,ઉગ્રરેતા,ભવ,કાલ,વામદેવ અને ધૃતવ્રતઃ હશે.તથા ઘી,વૃત્તિ,ઉશના ,ઉમા,નિયૂત,સર્પી,ઈલા,અંબિકા,ઈરાવતી,સુધા અને દીક્ષા-આ અગિયાર રૃદ્રાણીયો તમારી પત્નીઓ હશે.તમે ઉપરના નામો,સ્થાન અને સ્ત્રીઓનો સ્વીકાર કરો અને તેના દ્વારા ખુબ જ પ્રજા ઉત્તપન્ન કરો,કેમકે તમે પ્રજાપતિ છો.
લોકપિતા બ્રહ્માજીથી એવી આજ્ઞા મેળવીને ભગવાન નીલલોહિત બળ,આકાર અને સ્વભાવમાં પોતાના જ જેવી પ્રજા ઉત્તપન્ન કરવા લાગ્યા.ભગવાન રુદ્ર દ્વારા ઉત્તપન્ન થયેલા તે રુદ્રોના અસંખ્ય યુથ બનાવીને આખા સંસારને ભક્ષણ કરતા જોઈને બ્રહ્માજીને મોટી શંકા થઇ.ત્યારે તેમને રૂરને કહ્યું-'સુરશ્રેષ્ઠ ! તમારી પ્રજા તો તેમની ભયંકર દ્રષ્ટિથી મને અને બધી દિશાઓને ભસ્મ કરી નાખે છે,એટલે એવી સૃષ્ટિ વધારે ન રચો.તમારું કલ્યાણ થાવ, હવે તમો બધાજ પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો.પછી તે તપના પ્રભાવ થી જ આગળપ્રમાણે તમો આ સંસારની રચના કરો.પુરુષ તપના દ્વારા જ ઇન્દ્રિયાતીત,સર્વાન્તર્યામી,જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
શ્રી મૈત્રેયજી કહે છે-જયારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી,ત્યારે રુદ્રે 'ખુબ સરસ' કહીને તેને માથે ચઢાવી,અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા.
તેના પછી જયારે ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિને માટે સંકલ્પ કર્યો,ત્યારે તેમના બીજા દસ પુત્રો ઉત્તપન્ન થયા.તેમાં લોકોનો ખુબ વધારો થયો.તેમના નામ મરીચિ,સ્ત્રી,અંગિરા,પુલસ્તય,પુલહ,ક્રતુ,ભૃગુ,વશિષ્ઠ,દક્ષ અને દસમા નારદ.હતા.તેમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીની ગોદમાંથી,દક્ષ અંગુઠાથી,વશિષ્ઠ પ્રાણથી,ભૃગુ ત્વચાથી ,ક્રતુ હાથથી,પુલહ નાભિથી,પુલત્સ્ય ઋષિ કાનોથી,અંગિરા મોઢાથી,સ્ત્રી નેત્રોથી અને મરીચિ મનથી ઉત્તપન્ન થયા.પછી તેમના જમણા સ્તનથી ધર્મ ઉત્તપન્ન થયો,જેમની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતાર પામ્યા,તથા તેમની પીઠથી અધર્મનો જન્મ થયો.અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્તપન્ન થયું.એવી રીતે બ્રહ્માજીના હૃદયથી કામ,ભ્રવરોથી ક્રોધ,નીચેના હોઠથી લોભ,મુખથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી,લિંગથી સમુદ્ર,ગુદાથી પાપની નિવાસસ્થાન,(રાક્ષસોના અધિપતિ)નીત્રમૂર્તિ. છાયાથી દેવહૂતિના પતિ ભગવાન કર્દમજી ઉત્તપન્ન થયા.એવી રીતે આ આખું જગત જગત કર્તા બ્રહ્માજીના શરીરથી અને મનથી ઉત્તપન્ન થયા.
વિદુરજી ! બ્રહ્માની કન્યા સરસ્વતી ખુબ જ સુકુમારી અને મનોહર હતી. અમે સાંભર્યું છે-એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઇ ગયા હતા,જોકે તે જાતે વાસનાવગરની હતી.તેમને એવો અધર્મમય સંકલ્પ કરતાં જોઈ,તેમના પુત્ર મરીચિ વગેરે ઋષિયોએ તેમને વિશ્વાસપૂર્વક સમજાવ્યા-
'પિતાજી ! આપ સમર્થ છો,છતાં પણ આપના મનમાં ઉત્તપન્ન થયેલા કામના વેગને ન રોકીને પુત્રીગમન જેવું દુસ્તર પાપકરવાનો સંકલ્પ કરી રહ્યા છો.એવું તો આપનાથી પૂર્વવત કોઈ બ્રહ્માએ નથી કર્યું,અને આગળ પણ કોઈ નહિ કરે.જગતગુરુ ! આપ જેવા તેજસ્વી પુરુષને જ એવું કામ શોભા નથી આપતું,કેમકે આપલોકોના અચરણોને અનુશરણ કરવાથી જ જગતનું કલ્યાણ થાય છે.જે શ્રી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થિર આ જગતને પોતાના તેજથી પ્રગટ કર્યું છે,તેને નમસ્કાર છે.આ વખતે તેજ ધર્મની રક્ષા કરી શકે છે.' પોતાના પુત્ર મરીચિ વગેરે પ્રજાપતિઓને આવી રીતે તેમની સામે કહેતા જોઈ બ્રહ્માજી ખુબ જ લજ્જિત થયા,અને તેમણે તે શરીરને તે જ સમયે છોડી દીધું.ત્યારે તે ઘોર શરીરને દિશાઓએ લઇ લીધું,ત્યાં કોહરા થયો જેને અંધકાર પણ કહેવાય છે.
એકવાર બ્રહ્માજી એ વિચારી રહ્યા હતા કે"હું પહેલાની માફક સુવ્યવસ્થિતરૂપે બધા લોકોની રચના કેવી રીતે કરું?"તેજ વખતે તેમના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ થયા.તે સિવાય ઉપવેદ,ન્યાયશાસ્ત્ર,હોતા,ઉદ્દગાતા,અધ્વર્યુ અને બ્રહ્મા-આ ચાર ઋષિયોના કર્મ,યજ્ઞના વિસ્તાર,ધર્મના ચાર ચરણ અને ચારે આશ્રમ તથા તેમની વૃતિયો- તે બધું પણ બ્રહ્માજીના મુખમાંથી જ પ્રગટ થયું.
વિદુરજીએ પૂછ્યું-તપોધન ! વિશ્વ રચિયાતાના સ્વામી શ્રી બ્રહ્માજીએ પોતાના મુખોથી જયારે આ વેદ વગેરેને રચ્યા,તો તેમને તેમના ક્યાં મોઢાથી કઈ વસ્તુ ઉત્તપન્ન કરી.-તે તમો કૃપા કરીને મને બતાવો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું-વિદુરજી !બ્રહ્માએ પોતાના પૂર્વ,દક્ષિણ,પશ્ચિમ અને ઉત્તરના મોઢાથી ક્રમથી,ઋક,યજું,સામઅને અર્થવેદને રચ્યા તથા તે ક્રમથી શસ્ત્ર(હોતાનો કર્મ ),
ઈજ્યા (અધ્વર્યુનું કર્મ )સ્તુતીસ્તોમ(ઉદ્દગાતાનું કર્મ )અને પ્રાયશ્ચિત્ત (બ્રહ્માનું કર્મ)-આ ચારેની રચના કરી.-એવી રીતે આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર),ધનુર્વેદ(શસ્ત્રવિદ્યા),ગાંધર્વવેદ (સંગીત શાશ્ત્ર) અને સ્થાપત્યવેદ(શિલ્પવિદ્યા)-આ ચાર ઉપવેદોને પણ ક્રમથી તે પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન કર્યા.પછી સર્વદર્શી બ્રહ્માએ પોતાના ચારે મુખોથી ઇતિહાસ-પુરાણરૂપ પાંચમો વેદ બનાવ્યો.એજ ક્રમથી ષોડશી અને ઉકથ,ચયન અને અગ્નિષ્ટોમ,આપ્તોર્યમ અને અતિરાત્ર,તથા વાજપેય અને ગોસવ-એ બે બે યાગ પણ તેમના પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન થયા.વિદ્યા, દાન, તપ અને સત્ય-આ ધર્મના ચાર પગ અને વૃતિયો સાથે ચાર આશ્રમ પણ એ જ ક્રમથી પ્રગટ થયા.સાવિત્ર (ઉપનયન સંસ્કાર દરમ્યાન ગાયત્રીના અધ્યયન માટે ધારણ કરવાનું ત્રણ દિવસનું બ્રહ્મચર્યવ્રત.)પ્રાજાપત્ય (એક વર્ષનું બ્રહ્મચર્યવ્રત),બ્રાહ્મ(વેદાધ્યયનની સમાપ્તિ સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત) અને બૃહત (ઉંમર સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત)-આ ચાર વૃતિયો બ્રહ્મચારીની છે તથા વાર્તા(ખેતી વગેરે શાસ્ત્ર વગરની વૃતિયો ),સંચય (યાગ વગેરે કરાવવું),શાલીન( અયાચિત વૃત્તિ) તથા શિલૉંચ્છ (ખેતર કાપી નાખ્યા પછી જમીન પર પડેલા અને અનાજની મંદીમાં પડેલા દાણાને વીણીને જીવન ચલાવવું)આ ચાર વૃતિયો ગૃહસ્થની છે.
એવી રીતે વૃતિભેદથી વૈખાનસ(વગર ખેડ-રોપ ધરતીથી ઉત્તપન્ન થયેલા પદાર્થોથી નિર્વાહ કરનારા ),વાલખિલ્ય (નવું અનાજ માલ્ટા પહેલા સંગ્રહ કરેલું અનાજ દાન કરનારા ),ઔદુમ્બર (પ્રાતઃકાળમાં ઉઠીને જે દિશામા મોઢું હોય તે દિશામાંથી ફળો લાવીને નિર્વાહ કરનારા) અને ફેનપ (પોતાની જાતે ઝડીને પડેલા ફળો ખાઈને રહેનારા)આ ચાર ભેદો વાનપ્રસ્થોના તથા કુતિચક (ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેવું અને આશ્રમના ધર્મોનું પૂરું પાલન કરનારા ) ,વધુદક (કર્મની અને ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ મુખ્ય માનનારા),હંસ (જ્ઞાનાભ્યાસી) અને નિષ્ક્રિય(પરમહંસ,જ્ઞાની જીવન્મુક્ત ) -આ ચાર ભેદો સન્યાસિયોંના છે.એજ ક્રમથી આણ્વીક્સિકી(મોક્ષ પ્રાપ્ત કરાવનારી આત્મવિદ્યા),ત્રયી (સ્વર્ગાદિ ફળ આપનારી કર્મવિદ્યા ),વાર્તા(ખેતી વેપાર વગેરે સંબંધી વિદ્યા )અને દંડનીતિ (રાજનીતિ)-આ ચાર વિદ્યાઓ તથા ચાર વ્યાહુતિયા (ભૂ:,ભુર્વઃ:,સ્વ:-આ ત્રણ અને ચોથી ,મહ: ને મેળવીને ,આવી રીતે ચાર વ્યાહુતિયા આશ્વલાયનને પોતાના ગૃહસૂત્રોમાં બતલાવી છે -તેમજ વ્યાહતય:પ્રોકતા વ્યક્તા:
સમસ્તા:.અથવા ભૂ:ભૂવઃ:,સ્વ:અને મહ: -આ ચાર વ્યાહુતિયો,જેમ કે શ્રુતિ કહે છે -ભૂર્ભવઃ:સુવરીતિ વ એતસ્તિસ્ત્રો વ્યાહતયસ્થાસામું હ સમૈતાં ચતુર્થીમાંહ.વાચમસ્ય પ્રવેદયતે મહ: વગેરે.)પણ બ્રહ્માજીના ચાર મુખોથી ઉત્તપન્ન થઇ તથા તેમના હૃદયાકાશમાં ૐકાર પ્રગટ થયો.
તેમ ના રોમથી ઉષનિક,ત્વચાથી ગાયત્રી,માસથી ત્રિષ્ટુપ ,સ્નાયુથી અનુષ્ટુપ,અસ્થિઓથી જગતી મજ્જાથી પંક્તિ અને પ્રાણોથી બૃહતી છંદ ઉત્તપન્ન થયા.એમ જ તેમનો જીવ સ્પર્ષવાર્ણ(કવગ આદિ
પજ્ઞવર્ગ )અનેદેહ સ્વરવર્ણ(અકારાદિ) કહેવાયા. તેમની ઇન્દ્રિયોનો ઉષ્મવર્ણ (શ ય સ હ)અને વલકો અંતઃસ્થ (ય ર લ વ )કહે છે,તથા તેમની ક્રીડાથી નિષાદ,ઋષભ,ગાંધાર,ષડજ, મધ્યમ,ધૈવત અને પશ્ચમ- આ સાત સ્વર થયા.હે તાત ! બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે.તેઓ વૈખરી રૂપથી વ્યક્ત અને ઉંકારરૂપથી અવ્યક્ત છે.તથા તેમનાથી ઉપર જે સર્વત્ર પરિપૂર્ણ પરબ્રહ્મ છે,તેજ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપોમાં દેખાય રહ્યા છે.
વિદુરજી ! બ્ર્હમાજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી કોહરા થયું હતું- છોડ્યા પછી બીજું શરીર ધારણ કરીને વિશ્વવિસ્તારનો વિઆચાર કર્યો,તેઓ જોઈ ચુક્યા હતા કે મરીચિ વગેરે મહાન શક્તિશાળી ઋષિયોથી પણ સૃષ્ટિનો વિસ્તાર વધારે ન થયો ,એટલે તેઓ મનમાં ને મનમાં ફરીથી ચિંતા કરવા લાગ્યા -' અહો ! બ્રહ્મ આશ્ચર્ય છે,મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પ્રજાની વૃદ્ધિ નથી થઇ રહી.માલમ પડે છે તેમાં નસીબ જ કૈક વિઘ્ન નાખી રહ્યું છે.'જે વખતે યથોચિત ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી એવી રીતે નસીબના માટે વિચાર કરી રહ્યા હતા તે જ વખતે તેમના શરીરના અકસ્માતે બે ભાગ થઇ ગયા.'ક'બ્રહ્માજીનું નામ છે તેનાથી જુદા પડવાને કારણે શરીરને 'કાયા' કહે છે તે બંને વિભાગથી એક સ્ત્રી -પુરુષનું જોડું પ્રગટ થયું.તેમાં જે પુરુષ હતો તે સાર્વભોમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થઇ. ત્યારથી મીથુન ધર્મ(સ્ત્રી-પુરુષ-સંભોગ)થી પ્રજાની વૃદ્ધિ થવા લાગી.મહારાજ સ્વયંમભવ મનુએ શતરૂપાથી પાંચ સંતાનો ઉત્તપન્ન કરી.સાધુશિરોમની વિદુરજી ! તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -બે પુત્ર હતા તથા આકુતિ,દેવહુતિ અને પ્રસુતિ- ત્રણ કન્યાઓ હતી.મનુજીએ આકૃતિનો વિવાહ રુચિ પ્રજાપતિથી કર્યો ,વચલી કન્યા દેવહુતિ કર્દમજીને આપી અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને આ ત્રણ કન્યાઓની પ્રસુતિથી આખો સંસાર ભરાય ગયો.
તેરમો અધ્યાય
વરાહ અવતારની કથા
શ્રી શુકદેવજીએ કહયું -રાજન ! મુનિવર મૈત્રેયજીના મુખથી આ પરમ પુજયમયી કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરીથી પૂછ્યું,કેમકે ભગવાનની લીલાકથામાં તેમનો અત્યંત અનુરાગ થઇ ગયો હતો.
વિદુરજીએ કહ્યું - મુનિ ! સ્વમ્ભુ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપાને મેળવીને પછી શું કર્યું ? આપ સાધુશિરોમણી છો.આપ મને આદિરાજ રાજર્ષિ સ્વંભૂવઃ મનુના પવિત્ર ચરિત્ર સંભળાવો.તેઓ વિષ્ણુભગવાનના શરણાપાત્ર હતા,એટલે એમનું ચરિત્ર સાંભળવામાં મને ખુબ જ શ્રધ્દ્ધા છે.જેમના હૃદયમાં શ્રીમુકુંદના ચરણાર્વિન્દ વિરાજમાન છે,તે ભકજનોના ગુણોને સાંભળવા જ મનુષ્યોના ઘણા જ લાંબા સમયના કરેલા શાસ્ત્રભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે,એવો વિધ્નોનો શ્રેષ્ઠ મત છે.
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! વિદુરજી શાસ્ત્રશીર્ષા ભગવાન શ્રી હરિના ચારણાશ્રિત ભક્ત હતા.તેમણે જયારે વિનયથી ભગવાનની કથા માટે પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીના રોમે રોમ ખીલી ઉઠયા.તેમણે કહ્યું.
શ્રી મૈત્રેયજી બોલ્યા - જયારે પોતાની ભાર્યા શતરૂપાની સાથે સ્વાયંભુવ મનુનો જન્મ થયો,ત્યારે તેમણે ખુબ જ નમ્રતાથી હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું -‘ભગવન ! એકમાત્ર તમો જ બધા જીવોના જન્મદાતા અને જીવિકા આપનારા પિતા છો.તે ઉપરાંત અમે આપની સંતાન એવું કયું કર્મ કરીએ, જેનાથી આપની સેવા થઇ શકે?
પૂજ્યપાદ ! અમો આપને નમસ્કાર કરીએ છીએ. આપ અમોને થઇ શકે તે યોગ્ય કોઈ એવા કામ માટે આજ્ઞા આપો જેનાથી આ લોકમાં અમારી બધે જ કીર્તિ થાય,અને પરલોકમાં સદ્દગતિ મળે.
શ્રી બ્રહ્માજીએ કહ્યું-તાત ! પૃથ્વીપતિ ! તમારું બંનેનું કલ્યાણ થાઓ,હું તમારાથી ખુબ જ પ્રસન્ન છું,કેમકે તમે નિષ્કપટ ભાવથી 'મને આજ્ઞા આપો 'એવું કહીને મને આત્મસમર્પણ કર્યું છે.વીર ! પુત્રોને પોતાના પિતાની આ રૂપમાં પુંજા કરવી જોઈએ.તેમને તે જ શોભે છે જે બીજાના તરફ ઈર્ષ્યાનો ભાવ ન રાખીને જ્યાં સુધી થઇ શકે,તેમની આજ્ઞાનું આદરથી સાવધાની સાથે પાલન કરવું.તમે તમારી આ ભાર્યાથી પોતાના જેવી જ ગુણવાન સંતતિ ઉત્તપન્ન કરીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો,અને યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરો.રાજન ! પ્રજાપાલનથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમને પ્રસન્ન થશે.જેના પર યજ્ઞમૂર્તિ ભગવાન પ્રસન્ન નથી થતા,તેની બધી જ મહેનત નકામી જાય છે,કેમકે તે તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે.
મનુજીએ કહ્યું- પાપના નાશ કરનારા પિતાજી ! હું આપની આજ્ઞાનું પાલન જરૂર કરીશ,પણ તમો આ જગતમાં મારુ તેમજ મારી ભાવિ પ્રજાનું રહેવા માટેનું સ્થાન બતલાવો. દેવ ! બધા જીવોનું નિવાસસ્થાન પૃથ્વી અત્યારે પાણીમાં ડૂબેલી છે.આપ તે દેવીના ઉદ્ધારનો પ્રયત્ન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - પૃથ્વીને આવી રીતે અપાર જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે,
'એને કેવી રીતે કાઢું.'જે વખતે હું લોકરચનામાં લાગેલો હતો,તે સમયે પૃથ્વી પાણીમાં ડૂબી જવાથી રસતાલમાં જતી રહી.અમે લોકો સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત છીએ એટલે,તેના માટે અમારે શું કરવું જોઈએ ? હવે તો,જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે,તે શ્રી હરિ જ મારુ આ કામ પૂરું કરે.'
નિષ્પાપ વિદુરજી ! બ્રહ્માજી આવી રીતે વિચાર કરી રહ્યા હતા કે તેમના નસ્કોરામાં અકસ્માત અંગુઠાના બરાબર આકારનો એક વરાહ શિશુ નીકળ્યો.ભારત ! મોઅત આશ્ચર્યની વાત તો તે થઇ કે આકાશમાં ઉભેલો તે વરાહ શિશુ બ્રહ્માજીના જોતા જોતા તો મોટો થઈને હાથીના જેવો થઇ ગયો.તે વિશાલ વરાહ શિશુને જોઈને મરીચિ વગેરે મુનિજન,સનકાદિઅને સ્વાયંભુવ મનુ ની સાથે બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા.-
અહો ! સુવ્વરના રૂપમાં આજે આ કોણ દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે ?કેવું આશ્ચર્ય છે ! આ હમણાં જ મારા નાકથી નીકળ્યું હતું.પહેલા તો તે અંગુઠાના ટેળવા જેવું દેખાતું હતું પરંતુ એક જ ક્ષણમાં મોટી ભારે શીલા જેવું થઇ ગયું જરૂર યગ્નમૂર્તિ ભગવાન આપણા લોકોના મનને મોહિત કરી રહ્યા છે.બ્રહ્માજી અને તેમના પુત્રો આવી રીતે વિચારી રહ્યા હતા કે ત્યાં ભગવાન યગ્નપુરુષ પર્વતાકાર થઇ ગર્જવા લાગ્યા.સર્વશક્તિમાન શ્રી હરિએ તેમની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિ કરીને બ્રહ્મા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને હર્ષથી ભરી દીધા.પોતાનો ખેદ દૂર કરનારી માયામય વરાહ ભગવાનની ઘુરઘુરાટીને સાંભળીને તે જનલોક,તપલોક,અને સત્યલોક નિવાસી મુનિગણ ત્રણે વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.ભગવાનના સ્વરૂપોના વેદોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે,એટલે તે મુનીશ્વરો એ જે પ્રાર્થના કરી ,તેને વેદરૂપ માનીને ભગવાન ખુબ પ્રસન્ન થયા અને એકવાર ફરીથી ગરજીને દેવતાઓના હિતને માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા પાણીમાં ઘુસી ગયા.પહેલા તે સુવ્વર રૂપ ભગવાન પૂંછડી ઉઠાવીને ઘણા જ વેગથી આકાશમાં ઉછળ્યાઅને પોતાની ડોકના વાળને ફટકારતા ખૂરોના આઘાતથી વાદળોને વિખેરવા લાગ્યા . તેમનું શરીર ખુબ જ કઠોર હતું ત્વચા ઉપર કઠણ કઠણ વાળો હતા,દાઢો સફેદ હતી,અને નેત્રોથી તેજ નીકળી રહ્યું હતું,તે વખતે તેમની ખુબ શોભા દેખાઈ રહી હતી.ભગવાન જાતે યજ્ઞપુરુષ છે તે ઉપરાંત સુવ્વર રૂપ ધારણ કરવાને કારણે પોતાની નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીને શોધવા લાગ્યા.તેમની દાઢો ખુબ જ કઠોર હતી.આવી રીતે ક્યારેક તે ખુબ ક્રૂર દેખાતા હતા,છતાં પણ તેમની પ્રાર્થના કરનારા મરીચિ વગેરે મુનિયો તરફ ખુબ જ સૌમ્ય દ્રષ્ટિથી નિહાળતા તેમણે પાણીમાં પ્રવેશ કર્યો.
જે વખતે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર કલેવર પાણીમાં પડ્યું,ત્યારે તેના વેગથી જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું,અને તેમાં વાદળોની ગડગડાટ ના જેવો મોટો ભયંકર શબ્દ બન્યો.તે વખતે એવું દેખાતું હતું,જાણે પોતાની કસેલી તરંગરૂપ ભુજાઓને ઉઠાવીને તે મોટા આર્તસ્વરમાં 'હે યજ્ઞેશ્વર ! મારી રક્ષા કરો !' એવી રીતે પોકારી રહ્યો હોય. ત્યારે ભગવાન યગ્નમૂર્તિ પોતાના બાણના જેવા તીક્ષણ ખરીઓથી પાણીને ચીરતાં તે અપાર જળરાશીને તે પાર પહોંચ્યા ત્યાં રસાતળમાં બધાજ જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોયા,જેને કલ્પાન્તમાં સુવા માટે ઉદ્યત શ્રી હરિએ જાતે તેમના પેટમાં લિન કરી દીધા હતા.
પછી તે પાણીમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢોમાં લઈને રસાતળથી ઉપર આવ્યા.તે વખતે તેમની ખુબ શોભા થઇ રહી હતી.પાણીમાંથી બહાર આવતા તેમના માર્ગમાં વિઘ્ન નાખવા માટે મહાપરાક્રમી હિરણાક્ષયે પાણીમાં જ તેમની ઉપર ગદાથી આક્રમણ કર્યું.તેનાથી તેમનો ક્રોધ ચક્રના જેવો તીક્ષણ થઇ ગયો,અને તેમને તેને લીલાથી જ એ રીતે મારી નાખ્યો,જેમ સિંહ હાથીને મારી નાખે છે.તે વખતે તેના લોહીથી ઠુંઠની તથા કાનપટ્ટી સાની જવાથી તે એવા લાગતા હતા જાણે કોઈ હાથી લાલ માટીના મોટા ટેકરામાં ટક્કર મારીને આવ્યો હોય.તાત ! જેમ હાથી પોતાના દાતો પર કમળનું
ફૂલ ધારણ કરી લે,તેવી રીતે પોતાના સફેદ દાંતોની નોક ઉપર પૃથ્વીને ધારણ કરીને પાણીમાંથી બહાર નીકળતા,તમાલ જેવા નીલવર્ણ વરાહ ભગવાન જોઈને બ્રહ્મા,મરીચિ વગેરે ને ખાતરી થઇ કે આ ભગવાન જ છે.ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.
ઋષિયોએ કહ્યું- ભગવાન અજિત ! આપની જય થાઓ,જય થાઓ ! યજ્ઞપતિ ! આપ આપના વેદત્રયી રૂપ વિગ્રહને ફટકારી રહ્યા છો,આપને નમસ્કાર હો ! આપના રોમ કુંપોમાં સંપૂર્ણ યજ્ઞ લિન છે.આપને પૃથ્વીનો ઉદ્ધાર કરવા જ આ સુવ્વરનું રૂપ લીધું છે.આપને નમસ્કાર છે.દેવ ! દુરાચારીઓને આપના આ શરીરના દર્શન થવા અત્યંત કઠિન છે કેમકે તે યજ્ઞરૂપ છે.
તેમની ત્વચાથી ગાયત્રી વગેરે છંદ,રોમાવલીમાં કુશ,નેત્રોમાં ઘૃત તથા ચારો ચરણોમાં હોતા,અધ્વર્યુ,ઉદ્દગાતા અને બ્રહ્મા-આ ચારે ઋષિયોના કર્મ છે.ઈશ ! આપની થુંથની (મુખનો આગળનો ભાગ)માં શ્રુક છે,નાસીકાછિદ્રોમાં સ્તૃવા છે,પેટમાં ઈડા(યાજ્ઞિય ભક્ષણપત્ર )છે,કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશ્ચિત્ર (બ્રહ્મભાગપાત્ર),છે અને કંથછીદ્રમાં ગ્રહ(સોમપાત્ર)છે.ભગવન ! તમારું જે ચાવવાનું છે,તેજ અગ્નિહોત્ર છે.બાર બાર અવતાર લેવા યજ્ઞસ્વરૂપ આપની દિક્ષણીય દ્રષ્ટિ છે,ગરદન ઉપસદ (ત્રણ ઇષ્ટિયો)છે,બંને દાઢો પ્રાયણીય( દીક્ષા પછીની ઇષ્ટિ) અને ઊદનીય (યજ્ઞસમાપ્તીની ઇષ્ટિ) છે,જિહવા પ્રવમરય(દરેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ)છે,સિર સભ્ય
(હોમરહિત અગ્નિ)અને આવસધ્ય( ઔપાસનાગ્નિ)છે તથા પ્રાણ ચિતિ (ઈષ્ટકાચ્યન)છે.દેવ ! આપનું વીર્ય સોમ છે, આસન(બેઠક) પ્રાપ્ત:સવનાદિ ત્રણ સવન છે.સાતેય ધાતુ અગ્નિષ્ટોમ, અત્યંગ્નિષ્ટોમ,ઉકય,ષોડશી ,વાજપેય,અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંશ્થાઓ છે.તથા શરીરની સંધીયો(સાંધા),સંપૂર્ણ સત્ર છે.આવી રીતે આપ સંપૂર્ણ યજ્ઞ (સોમરહિત યાગ)અને ક્રતુ
( સોમસહિત યાગ) રૂપ છે.યજ્ઞાનુષ્ઠાન રૂપ ઇષ્ટિયો આપના અંગોને મેળવી રાખનારી માંસપેશીયો છે.બધાજ મંત્રો,દેવતા,દ્રવ્ય,યજ્ઞ અને કર્મ આપના જ સ્વરૂપ છે.આપને નમસ્કાર છે.વૈરાગ્ય,ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે,તે આપનું જ સ્વરૂપ છે.તથા તમો જ વિદ્યાગુરુ છો,તમોને વારંવાર પ્રણામ છે.પૃથ્વીને ધારણ કરનારા ભગવન ! આપની દાઢોની નોક પર રાખેલી આ પર્વત વગેરેથી છવાયેલી પૃથ્વી એવી સુશોભિત થઇ રહી છે,જેમ વનમાંથી નીકળીને બહાર આવેલા કોઈ હાથીના દાંતો પર પત્રયુક્ત કમલીની રાખી હોય.આપના દાંતો પર રાખેલા ભૂમંડળો સાથે આપનો આ વેદમય વરાહ વિગ્રહ એવો સુશોભિત થઇ રહ્યો છે,જેમ શિખરો પર છવાયેલી મેઘમાલાથી કુલપર્વતની શોભા થાય છે.નાથ ! ચરાચર જીવોને સુખપૂર્વક રહેવા માટે આપ પોતાની પત્ની આ જગતમાતા પૃથ્વીને પાણી ઉપર સ્થાપિત કરો.આપ જગતના પિતા છો,અને અરણીમાં અગ્નિસ્થાપન ની જેમ આપે એમાં ધારણશક્તિરૂપ આપનું તેજ સ્થાપિત કર્યું છે.
અમે આપને તથા આ પૃથ્વીમાતાને પ્રણામ કરીયે છીએ.પ્રભુ ! રસાતળમાં ડૂબેલી આ પૃથ્વીને કાઢવાનું સાહસ આપના સિવાય કોણ કરી શકવાનું હતું.પરંતુ તમો તો સંપૂર્ણ આશ્રયોના આશ્રય છો,તમારા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી. તમેજ તો આ આખાય વિશ્વની આપની માયાથી રચના કરી છે.જયારે આપ આપના વેગમય વિગ્રહને હલાવો છો,ત્યારે અમારા ઉપર આપના ગરદન ઉપરના વાળોથી ઝરતી ઠંડી બૂંદો પડે છે.ઈશ ! તેનાથી ભીંજાઈને અમે જનલોક ,તપલોક અને સત્યલોક માં રહેનારા મુનિજનો કાયમ માટે પવિત્ર થઇ જઇયે છીએ.જે પુરુષ આપના કર્મોની પાર પામવા ચાહે છે,જરૂરથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ છે,કેમકે આપના કર્મોનો કોઈ પાર જ નથી.તમારી જ યોગમાયાના સતવાદી ગુણોથી,આ આખું જગત મોહિત થઇ રહ્યું છે.ભગવન ! આપ તેનું કલ્યાણ કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! તે બ્રહ્મવાદી મુનિઓએ આવી રીતે પ્રાર્થના કરવાથી,બધાની રક્ષા કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી પાણીને સ્તંભિત કરીને તેના પર પૃથ્વીને સ્થાપિત કરી દીધી.એવી રીતે રસાતળથી લાવેલી પૃથ્વીને પાણી પર મૂકી તે વિશ્વકસેન પ્રજાપતિ ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.
વિદુરજી ! ભગવાનના લીલામય ચરિત્ર ખુબ જ કીર્તનીય છે,અને તેમાં લાગેલી બુદ્ધિ બધાજ પ્રકારના પાપ-તાપોને દૂર કરી દે છે.જે પુરુષ તેમની મંગલમયી પવિત્ર કથાને ભક્તિભાવથી સાંભળે અથવા સંભળાવે છે તેના તરફ ભક્તવત્સલ ભગવાન અંતલસ્થળથી તરત જ પ્રસન્ન થઇ જાય છે.ભગવાન તો બધી કામનાઓને પૂર્ણ કરવામાં સફળ છે.તેમના પ્રસન્ન થવાથી સંસારમાં શું દુર્લભ છે.પરંતુ તે નકામી કામનાઓની જરૂર જ શું છે ? જે લોકો તેમનું અનન્ય ભાવથી ભજન કરે છે,તેમને તો તે અંતર્યામી પરમાત્મા પોતે જાતે તેમનું પરમ પદ જ આપી છે.અરે ! સંસારમાં પશુઓને છોડીને પોતાના પુરુષાર્થનો સાર જાણનારા એવો કોણ પુરુષ હશે,જે અવન જવનને છોડાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાને પોતાના કાનોથી એક વાર સાંભળીને પછી તેના
તરફથી મન હટાવી લેશે.
ચૌદમો અધ્યાય
દિતિનું ગર્ભધારણ
શ્રી શુકદેવજી કહે છે-રાજન ! પ્રયોજનવશ સુવ્વર બનેલા શરીરે હરિની કથા ને શ્રી મૈત્રેયજીના મોઢેથી સાંભળીને ભક્તવ્રતધારી શ્રી વિદુરજીને પૂર્ણ તૃપ્તિ ન થઇ એટલે તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું.
વિદુરજીએ કહ્યું- મુનિવર ! અમે આ વાત તમારા મોઢેથી સાંભળી છે,કે આદિ દૈત્ય હિરણ્યાક્ષને ભગવાન યજ્ઞમૂર્તિએ જ માર્યો હતો. બ્રહ્માન ! જે વખતે ભગવાન લીલાથી જ પૃથ્વી પોતાની દાઢો પર રાખીને પાણીમાંથી બહાર કાઢી રહ્યા હતા તે વખતે તેમણે દૈત્યરાજ હિરણ્યાક્ષની મુઠભેડ શા કારણથી થઇ ?
શ્રી મૈત્રેયજીએ કહ્યું -વિદુરજી ! તમારો પ્રશ્ન ખુબ જ સુંદર છે કેમકે તમો શ્રી હરિની અવતાર કથાના વિષયમાં જ પૂછી રહ્યા છો, જે મનુષ્યોના મૃત્યુપાશનું છેદન કરનારી છે.જુઓ,ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ બાળકાળમાં શ્રી નારદજીએ સંભળાવેલી શ્રી હરિની કથાના પ્રભાવથી જ મૃત્યુના માથા પર પગ રાખીને ભગવાનના પરમપદ પર આરૂઢ થઇ ગયો હતો. પ્રાચીન કાળમાં એકવાર આજ વરાહ ભગવાન અને હિરણ્યાક્ષના યુદ્ધના વિષે દેવતાઓએ પ્રશ્ન કરવાથી દેવદેવ શ્રી બ્રહ્માજીએ તેમને આ ઇતિહાસ સંભળાવ્યો હતો,અને તેમની જ પરંપરાથી મેં સાંભળ્યું છે.વિદુરજી ! એકવાર દક્ષની પુત્રી દિતિએ પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સાયંકાળના સમયમાં જ પોતાના પતિ મારિચીનંદનને પ્રાર્થના કરી.તે વખતે કશ્યપજી ખીરની આહુતિયો દ્વારા અગ્નિજિન્હ ભગવાન યજ્ઞપતિની આરાધના કરી સૂર્યાસ્તના સમયે જાન અગ્નિશાળામાં ધ્યાનસ્થ થઈને બેઠા હતા.
દિતિએ કહ્યું-વિદ્વાન ! મતવાલો હાથી જેમ કેળાને મસળી નાખે છે, તેવી રીતે આ પ્રસિદ્ધ ધનુધર કામદેવ મને અબળાને જોર લગાવીને આપના માટે મને બેચેન કરી રહ્યો છે.પોતાની પુત્રવતી સૌતોની સુખ સમરૂધ્ધી જોઈને હું ઈર્ષ્યાની આગથી સળગી મરું છું.એટલે આપ મારા પર કૃપા કરો આપનું કલ્યાણ થાઓ.જેના ગર્ભથી આપ જેવો પતિ પુત્રરૂપથી ઉત્તપન્ન થાય છે,તેજ સ્ત્રીઓ પોતાના પતિઓથી સમ્માનિતા મનાય છે.તેનો સુયશ સંસારમાં બધે ફેલાય જાય છે. અમારા પિતા પ્રજાપતિ દક્ષનો પોતાની પુત્રીઓ પર ખુબ સ્નેહ હતો.એક વાર તેમણે અમને સહુને જુદી જુદી બોલાવીને પૂછ્યું,કે 'તમે તું કોને તારો પતિ બનાવવા માંગે છે ? તેઓ પોતાના સંતાનની દરેક પ્રકારની ચિંતા રાખતા હતા.એટલે અમારા ભાવ જાણીને તેમણે તેઓમાંથી અમને તેર પુત્રીઓને,જે પોતાના ગુણ સ્વભાવ અનુરૂપ હતી,તમારી સાથે પરણાવી દીધી.એટલે ,મંગલમૂર્તિ !
કમલ નયન ! આપ મારી ઈચ્છા પુરી કરો.કેમકે હે મહત્તમ ! આપ જેવા મહાપુરુષો સામે દીનજનોનું આવવું નિષ્ફળ નથી જતું.
વિદુરજી ! દિતિ કામદેવના વેગથી ખુબ જ બેચૈન અને બેબસ થઇ રહી હતી.તેને આવી રીતે ખુબ જ વાતો બનાવતા બનાવતા દીન થઈને કશ્યપજીને પ્રાર્થના કરી,ત્યારે તેમણે તેને સુમુધુર વાણીમાં સંભળાવતા કહ્યું.ભીરુ ! તારી ઈચ્છા અનુસાર હું અત્યારેજ તારું પ્રિય જરૂર કરીશ,ભલા,જેના દ્વારા અર્થ,ધર્મ અને કામ -ત્રણેયની સિદ્ધિ થાય છે,પોતાની તેવી પત્નીની કામના કોણ પુરી ન કરે ? જેવી રીતે વહાણ પર ચઢીને મનુષ્ય મહાસાગર પાર કરી જાય છે,તેવી રીતે ગૃહસ્થાશ્રમી બીજા આશ્રમોને આશ્રય આપતા આપતા પોતાના આશ્રમ દ્વારા જાતે પણ દુઃખ સમુદ્રને પાર થઇ જાય છે.માનિની ! સ્ત્રીને તો ત્રણ પુરુષાર્થની કામનાવાળા પુરુષનું અડધું અંગ કહ્યું છે.તેના પર પોતાની ગૃહસ્થીનો ભાર નાખીને પુરુષ નિશ્ચિન્ત થઈને ફરે છે.ઇન્દ્રિયપુરુષ શત્રુ બીજા આશ્રમવાળો માટે ખુબ જ દુર્જય છે,પરંતુ જેવી રીતે કિલ્લાનો સ્વામી સરળતાથી જ લૂંટનારા શત્રુઓને પોતાના આધીન કરી લે છે,તેજ રીતે અમે પોતાની વિવાહિત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયરૂપ શત્રુઓને સહેજમાં જ જીતી લૈયે છીએ.ગૃહેશ્વરી ! તારી જેવી ભર્યાના ઉપકારનો બદલો તો અમે અથવા કોઈ પણ ગૃહગ્રાહી પુરુષ પોતાની આખી ઉંમરમાં અથવા જન્માંતરમાં પુરી રીતે નથી ચૂકવી શકતા.તો પણ તારી સંતાન પ્રાપ્તિની ઈચ્છાને હું યથાશક્તિ જરૂર પુરી કરીશ.પણ તું હમણાં એક મુહૂર્ત ઉભી રહે જેનાથી લોકો મારી નિંદા ન કરે.આ ખુબ જ ઘોર સમય રાક્ષસ વગેરે જીવોનો છે અને જોવામાં પણ ખુબ ભયાનક છે.તેમાં ભગવાન ભૂતનાથના ગણો ભૂત પ્રેત વગેરે ફર્યા કરે છે.સાધ્વી ! આ સાયંકાળમાં ભૂતભવન ભૂતપતી શંકર પોતાના ગણો ભૂત પ્રેત વગેરેને સાથે લઈને નંદી પર ચઢી ફર્યા કરે છે,જેમની જટાજુટ સ્મશાનભૂમિમાં ઉઠેલા ભવંડરની ધૂળથી ધૂસરિત થઈને દૈદિપ્યમાન થઇ રહ્યા છે,તથા જેમના સુવર્ણ કાંતિમય ગૌર શરીરમાં ભસ્મ લાગેલી છે,તે તારા દિયર (શ્વશુર)મહાદેવજી પોતાના સૂર્ય,ચંદ્રમા અને અગ્નિરૂપ ત્રણ નેત્રોથી જોતા રહે છે.સંસારમાં તેમનું કોઈ પોતાનું કે પરાયું નથી,ન તો કોઈ વધારે આદરણીય અને નિંદનીય.જ છે.આપણેલોકો તો અનેક પ્રકારના વ્રતોનું પાલન કરીને તેમની માયાને જ ગ્રહણ કરવા માંગીયે છીએ,જેને તેમણે ભોગવીને લાત મારી દીધી છે.વિવેકી પુરુષ અવિદ્યાના આવરણને દૂર કરવાની ઇચ્છાએ તેમના નિર્મલ ચરિત્રનું ગાન કર્યા કરે છે,તેનાથી વધારે તો શું ,તેમના જેવું પણ કોઈ નથી,અને તેમના સુધી ફક્ત સત્પુરુષો જ પહોંચી શક્યા છે.આ બધું હોવા છતાં પણ તે પિશાચો જેવું આચરણ કરે છે.આ નરશરીર કૂતરાનું ભોજન છે,જે અવિવેકી પુરુષ આત્મા માનીને વસ્ત્ર,આભૂષણ, માળા અને ચંદનથી તેને શણગારતા સજાવતાં રહે છે.- તે કમનસીબ જ આત્મારામ ભગવાન શંકરના આચરણ પર હસે છે. આપણેલોકો તો શું ,બ્રહ્માદિ લોકપાલ પણ તેમની બાંધેલી ધર્મ-મર્યાદાનું પાલન કરે છે.તેઓ જ આ વિશ્વના અધિષ્ઠાન છે.તથા આ માયા પણ તેમની આજ્ઞાનું પાલન કરનારી છે.એવા હોવા છતાં પણ તેઓ પ્રેતો જેવું આચરણ કરે છે.અહો ! આ જગદ્વ્યાપક પ્રભુની અદભુત લીલા કઈ સમજાતી નથી,
મૈત્રેયજી કહે છ-પતિના આ પ્રમાણે સમજાવ્યા છતાં કામાતુર દિતિને વેશ્યા જેવું નિર્લજ્જ વર્તન કરીને બ્રહ્મશ્રી કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું.ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મમાં પોતાની ભાર્યાનો ખુબ આગ્રહ જોઈને દેવને નમસ્કાર કર્યા અને એકાંતમાં જઈને તેની સાથે સમાગમ કર્યું.પછી પાણીમાં સ્નાન કરીને પ્રાણ અને વાણીનો સંયમ કરીને વિશુદ્ધ જ્યોતિર્મય સનાતન બ્રહ્મનું ધ્યાન કરતા તેના જપ કરવા લાગ્યા.વિદુરજી ! દિતિને પણ તે નિંદિત કર્મથી ખુબ લજ્જા આવી,અને તે બ્રહ્મર્ષિની પાસે જઈને માથું નીચું નમાવીને એ રીતે કહેવા લાગી.
દિતિનું ગર્ભધારણ
શ્રી શુકદેવજી કહે છે-રાજન ! પ્રયોજનવશ સુવ્વર બનેલા શરીરે હરિની કથા ને શ્રી મૈત્રેયજીના મોઢેથી સાંભળીને ભક્તવ્રતધારી શ્રી વિદુરજીને પૂર્ણ તૃપ્તિ ન થઇ એટલે તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું.
વિદુરજીએ કહ્યું- મુનિવર ! અમે આ વાત તમારા મોઢેથી સાંભળી છે,કે આદિ દૈત્ય હિરણ્યાક્ષને ભગવાન યજ્ઞમૂર્તિએ જ માર્યો હતો. બ્રહ્માન ! જે વખતે ભગવાન લીલાથી જ પૃથ્વી પોતાની દાઢો પર રાખીને પાણીમાંથી બહાર કાઢી રહ્યા હતા તે વખતે તેમણે દૈત્યરાજ હિરણ્યાક્ષની મુઠભેડ શા કારણથી થઇ ?
શ્રી મૈત્રેયજીએ કહ્યું -વિદુરજી ! તમારો પ્રશ્ન ખુબ જ સુંદર છે કેમકે તમો શ્રી હરિની અવતાર કથાના વિષયમાં જ પૂછી રહ્યા છો, જે મનુષ્યોના મૃત્યુપાશનું છેદન કરનારી છે.જુઓ,ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ બાળકાળમાં શ્રી નારદજીએ સંભળાવેલી શ્રી હરિની કથાના પ્રભાવથી જ મૃત્યુના માથા પર પગ રાખીને ભગવાનના પરમપદ પર આરૂઢ થઇ ગયો હતો. પ્રાચીન કાળમાં એકવાર આજ વરાહ ભગવાન અને હિરણ્યાક્ષના યુદ્ધના વિષે દેવતાઓએ પ્રશ્ન કરવાથી દેવદેવ શ્રી બ્રહ્માજીએ તેમને આ ઇતિહાસ સંભળાવ્યો હતો,અને તેમની જ પરંપરાથી મેં સાંભળ્યું છે.વિદુરજી ! એકવાર દક્ષની પુત્રી દિતિએ પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સાયંકાળના સમયમાં જ પોતાના પતિ મારિચીનંદનને પ્રાર્થના કરી.તે વખતે કશ્યપજી ખીરની આહુતિયો દ્વારા અગ્નિજિન્હ ભગવાન યજ્ઞપતિની આરાધના કરી સૂર્યાસ્તના સમયે જાન અગ્નિશાળામાં ધ્યાનસ્થ થઈને બેઠા હતા.
દિતિએ કહ્યું-વિદ્વાન ! મતવાલો હાથી જેમ કેળાને મસળી નાખે છે, તેવી રીતે આ પ્રસિદ્ધ ધનુધર કામદેવ મને અબળાને જોર લગાવીને આપના માટે મને બેચેન કરી રહ્યો છે.પોતાની પુત્રવતી સૌતોની સુખ સમરૂધ્ધી જોઈને હું ઈર્ષ્યાની આગથી સળગી મરું છું.એટલે આપ મારા પર કૃપા કરો આપનું કલ્યાણ થાઓ.જેના ગર્ભથી આપ જેવો પતિ પુત્રરૂપથી ઉત્તપન્ન થાય છે,તેજ સ્ત્રીઓ પોતાના પતિઓથી સમ્માનિતા મનાય છે.તેનો સુયશ સંસારમાં બધે ફેલાય જાય છે. અમારા પિતા પ્રજાપતિ દક્ષનો પોતાની પુત્રીઓ પર ખુબ સ્નેહ હતો.એક વાર તેમણે અમને સહુને જુદી જુદી બોલાવીને પૂછ્યું,કે 'તમે તું કોને તારો પતિ બનાવવા માંગે છે ? તેઓ પોતાના સંતાનની દરેક પ્રકારની ચિંતા રાખતા હતા.એટલે અમારા ભાવ જાણીને તેમણે તેઓમાંથી અમને તેર પુત્રીઓને,જે પોતાના ગુણ સ્વભાવ અનુરૂપ હતી,તમારી સાથે પરણાવી દીધી.એટલે ,મંગલમૂર્તિ !
કમલ નયન ! આપ મારી ઈચ્છા પુરી કરો.કેમકે હે મહત્તમ ! આપ જેવા મહાપુરુષો સામે દીનજનોનું આવવું નિષ્ફળ નથી જતું.
વિદુરજી ! દિતિ કામદેવના વેગથી ખુબ જ બેચૈન અને બેબસ થઇ રહી હતી.તેને આવી રીતે ખુબ જ વાતો બનાવતા બનાવતા દીન થઈને કશ્યપજીને પ્રાર્થના કરી,ત્યારે તેમણે તેને સુમુધુર વાણીમાં સંભળાવતા કહ્યું.ભીરુ ! તારી ઈચ્છા અનુસાર હું અત્યારેજ તારું પ્રિય જરૂર કરીશ,ભલા,જેના દ્વારા અર્થ,ધર્મ અને કામ -ત્રણેયની સિદ્ધિ થાય છે,પોતાની તેવી પત્નીની કામના કોણ પુરી ન કરે ? જેવી રીતે વહાણ પર ચઢીને મનુષ્ય મહાસાગર પાર કરી જાય છે,તેવી રીતે ગૃહસ્થાશ્રમી બીજા આશ્રમોને આશ્રય આપતા આપતા પોતાના આશ્રમ દ્વારા જાતે પણ દુઃખ સમુદ્રને પાર થઇ જાય છે.માનિની ! સ્ત્રીને તો ત્રણ પુરુષાર્થની કામનાવાળા પુરુષનું અડધું અંગ કહ્યું છે.તેના પર પોતાની ગૃહસ્થીનો ભાર નાખીને પુરુષ નિશ્ચિન્ત થઈને ફરે છે.ઇન્દ્રિયપુરુષ શત્રુ બીજા આશ્રમવાળો માટે ખુબ જ દુર્જય છે,પરંતુ જેવી રીતે કિલ્લાનો સ્વામી સરળતાથી જ લૂંટનારા શત્રુઓને પોતાના આધીન કરી લે છે,તેજ રીતે અમે પોતાની વિવાહિત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયરૂપ શત્રુઓને સહેજમાં જ જીતી લૈયે છીએ.ગૃહેશ્વરી ! તારી જેવી ભર્યાના ઉપકારનો બદલો તો અમે અથવા કોઈ પણ ગૃહગ્રાહી પુરુષ પોતાની આખી ઉંમરમાં અથવા જન્માંતરમાં પુરી રીતે નથી ચૂકવી શકતા.તો પણ તારી સંતાન પ્રાપ્તિની ઈચ્છાને હું યથાશક્તિ જરૂર પુરી કરીશ.પણ તું હમણાં એક મુહૂર્ત ઉભી રહે જેનાથી લોકો મારી નિંદા ન કરે.આ ખુબ જ ઘોર સમય રાક્ષસ વગેરે જીવોનો છે અને જોવામાં પણ ખુબ ભયાનક છે.તેમાં ભગવાન ભૂતનાથના ગણો ભૂત પ્રેત વગેરે ફર્યા કરે છે.સાધ્વી ! આ સાયંકાળમાં ભૂતભવન ભૂતપતી શંકર પોતાના ગણો ભૂત પ્રેત વગેરેને સાથે લઈને નંદી પર ચઢી ફર્યા કરે છે,જેમની જટાજુટ સ્મશાનભૂમિમાં ઉઠેલા ભવંડરની ધૂળથી ધૂસરિત થઈને દૈદિપ્યમાન થઇ રહ્યા છે,તથા જેમના સુવર્ણ કાંતિમય ગૌર શરીરમાં ભસ્મ લાગેલી છે,તે તારા દિયર (શ્વશુર)મહાદેવજી પોતાના સૂર્ય,ચંદ્રમા અને અગ્નિરૂપ ત્રણ નેત્રોથી જોતા રહે છે.સંસારમાં તેમનું કોઈ પોતાનું કે પરાયું નથી,ન તો કોઈ વધારે આદરણીય અને નિંદનીય.જ છે.આપણેલોકો તો અનેક પ્રકારના વ્રતોનું પાલન કરીને તેમની માયાને જ ગ્રહણ કરવા માંગીયે છીએ,જેને તેમણે ભોગવીને લાત મારી દીધી છે.વિવેકી પુરુષ અવિદ્યાના આવરણને દૂર કરવાની ઇચ્છાએ તેમના નિર્મલ ચરિત્રનું ગાન કર્યા કરે છે,તેનાથી વધારે તો શું ,તેમના જેવું પણ કોઈ નથી,અને તેમના સુધી ફક્ત સત્પુરુષો જ પહોંચી શક્યા છે.આ બધું હોવા છતાં પણ તે પિશાચો જેવું આચરણ કરે છે.આ નરશરીર કૂતરાનું ભોજન છે,જે અવિવેકી પુરુષ આત્મા માનીને વસ્ત્ર,આભૂષણ, માળા અને ચંદનથી તેને શણગારતા સજાવતાં રહે છે.- તે કમનસીબ જ આત્મારામ ભગવાન શંકરના આચરણ પર હસે છે. આપણેલોકો તો શું ,બ્રહ્માદિ લોકપાલ પણ તેમની બાંધેલી ધર્મ-મર્યાદાનું પાલન કરે છે.તેઓ જ આ વિશ્વના અધિષ્ઠાન છે.તથા આ માયા પણ તેમની આજ્ઞાનું પાલન કરનારી છે.એવા હોવા છતાં પણ તેઓ પ્રેતો જેવું આચરણ કરે છે.અહો ! આ જગદ્વ્યાપક પ્રભુની અદભુત લીલા કઈ સમજાતી નથી,
મૈત્રેયજી કહે છ-પતિના આ પ્રમાણે સમજાવ્યા છતાં કામાતુર દિતિને વેશ્યા જેવું નિર્લજ્જ વર્તન કરીને બ્રહ્મશ્રી કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું.ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મમાં પોતાની ભાર્યાનો ખુબ આગ્રહ જોઈને દેવને નમસ્કાર કર્યા અને એકાંતમાં જઈને તેની સાથે સમાગમ કર્યું.પછી પાણીમાં સ્નાન કરીને પ્રાણ અને વાણીનો સંયમ કરીને વિશુદ્ધ જ્યોતિર્મય સનાતન બ્રહ્મનું ધ્યાન કરતા તેના જપ કરવા લાગ્યા.વિદુરજી ! દિતિને પણ તે નિંદિત કર્મથી ખુબ લજ્જા આવી,અને તે બ્રહ્મર્ષિની પાસે જઈને માથું નીચું નમાવીને એ રીતે કહેવા લાગી.
દિતિ બોલી- બ્રહ્માન ! ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે,મેં તેમનો અપરાધ કર્યો છે. પરંતુ તે ભૂતશ્રેષ્ઠ મારા આ ગર્ભને નષ્ટ ન કરે. હું ભક્તવચ્છ કલ્પતરુ,ઉગ્ર તેમજ રુદ્ર રૂપ મહાદેવને નામસાકાર કરું છું. તેઓ સત્પુરુષ માટે કલ્યાણકારી એટલે દંડ દેવાના ભાવથી રહિત છે.,પરંતુ દુષ્ટો માટે ક્રોધમૂર્તિ દંડપાણી છે.અમે સ્ત્રીઓ પર તો વાઘ પણ દયા કરે છે,પછી તે સતીપતિ તો મારા બનેવી અને પરમ કૃપાળુ છે,એટલે તેઓ મારા પર પ્રસન્ન હો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પ્રજાપતિ કશ્યપજીએ સાયંકાલીન સંધ્યા વંદના વગેરે પતાવીને જોયું કે દિતી થર થર કાપતી પોતાના સંતાનની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી રહી છે,ત્યારે તેમણે તેને કહ્યું.
કશ્યપજીએ કહ્યું - તારું ચિત્ત કામવાસના થી અશુદ્ધ હતું,તે સમય પણ બરાબર ન હતો અને તે મારી વાત પણ ન માની તથા દેવતાઓની પણ અવહેલના કરી.અમંગળમયી ચંડી ! તારી કૂખથી બે ખુબ જ અમંગળમયી અને અધમ પુત્રો ઉત્તપન્ન થશે તેઓ વારંવાર લોકો અને લોકપાલોને પોતાના અત્યાચારથી રડાવશે. જયારે તેમના હાથોથી ઘણા ગરીબ અને નિરપરાધી પ્રાણીઓ મરવા લાગશે અને સ્ત્રિયોપર અત્યાચાર થવા લાગશે અને મહાત્માઓને ક્ષુબ્ધ કરશે તે સમયે સંપૂર્ણ લોકોની રક્ષા કરનારા શ્રી જગદીશશ્વર ક્રોધિત થઈને અવતાર લેશે અને ઇન્દ્ર જેમ પર્વતોનું દમન કરે છે,તેવી રીતે તેનો વધ કરશે.
દિતિએ કહ્યું-પ્રભુ ! તે જ હું ઈચ્છું છું,કે જો મારા પુત્રોના વધ થાય તો તે સાક્ષાત ભગવાન બ્રહ્મપાણીના હાથેજ થાય,ક્રોધિત બ્રાહ્મણોના શ્રાપ વગેરેથી નહિ.જે જીવ બ્રાહ્મણોના શ્રાપથી દગ્ધ અથવા પ્રાણીઓને ભય આપનારા હોય છે,તે કોઈ પણ યોનિમાં જાય -તેના ઉપર નારકી જીવ પણ દયા નથી કરતો.
કશ્યપજીએ કહ્યું- દેવી ! તે તારા પોતાના કરેલા પર શોક અને પશ્ચાતાપ પ્રગટ કર્યો છે,તેને તરત જ ઉચિત અને અનુચીતનો ખ્યાલ પણ આવી ગયો તથા ભગવાન,વિષ્ણુ ,શિવ અને મારા પ્રતિ મારા તરફ પણ તારો ખુબ આદર દેખાય છે,એટલા માટે તારા એક પુત્રના ચાર પુત્રોમાંથી એક એવો થશે,જેને સત્પુરુષો પણ માન આપશે,અને તેના પવિત્ર યશને ભક્તજનો ભગવાનના ગુણોસાથે ગાશે.જેવી રીતે ખોટા સોનાને વારંવાર તપાવીને શુદ્ધ કરવામાં આવે છે,તે જ રીતે સાધુજનો તેના સ્વભાવને અનુકરણ કરવા માટે નિર્વેરતા વગેરે ઉપાયોથી પોતાના હૃદયને શુદ્ધ કરશે.જેમની કૃપાથી તેમનાજ સ્વરૂપભુત આ જગત ખુબ આનંદિત
થાય છે,તે સ્વયંપ્રકાશ ભગવાન પણ તેની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઇ જશે.દિતિ ! આ બાળક ખુબ જ ભગવદ્ભક્ત,ઉદારહ્રદય,પ્રભાવશાળી અને મહાપુરુષોના પણ પૂજ્ય થશે.તથા ખુબ જ ભક્તિભાવથી વિશુદ્ધ અને ભાવાનતીત થઇ હૃદયમાં શ્રી ભગવાનને સ્થાપિત કરીને દેહાભિમાનને ત્યાગી દેશે.તે વિષયોમાં અનાશકત,શીલવાન,ગુણોનો ભંડાર અને બીજાઓની સમૃદ્ધિમાં સુખ અને દુઃખમાં દુઃખ માનનારો હશે.તેનો કોઈ શત્રુ ન હશે,તથા ચંદ્રમા જેમ ગ્રીષ્મ ઋતુના તાપને હરી લે છે,તેમ જ તે સંસારના શોકોને શાંત કરનારો હશે.જે આ સંસારમાં બહાર અંદર બધે જ વિરાજમાન છે ,પોતાના ભક્તોની ઈચ્છા પ્રમાણે સમય સમયે મંગલવિગ્રહ પ્રગટ કરે છે અને લક્ષ્મીરૂપ લાવ્ણ્યમૂર્તિ લલનાની પણ શોભા વધારનાર છે,તથા જેમનું મુખમંડળ ઝગમગતા કુંડળોથી સુશોભિત છે -તે પરમ પવિત્ર કમળનયન શ્રી હરિનું તારા પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે.
શ્રી મૈત્રેયજી કહે છે- વિદુરજી ! દિતિએ જયારે સાંભર્યું કે મારો પૌત્ર ભગવાનનો ભક્ત થશે,
ત્યારે તેને ખુબ આનંદ થયો તથા તે જાણીને પણ કે મારા પુત્ર શ્રી હરિના હાથે માર્યા જશે,તેને તેનાથી પણ વધારે ઉત્સાહ થયો.
પંદરમો અધ્યાય
જય-વીજયને સનકાદિનો શ્રાપ
શ્રી મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી ! દિતિને પોતાના પુત્રોથી દેવતાઓને કષ્ટ પહોંચવાની આશંકા હતી એટલામાટે
તેણે બીજાનાં તેંજનો નાશ કરનારા શ્રી કશ્યપજીના તેજ (વીર્ય ) ને સો વર્ષ સુધી પોતાના પેટમાંજ રાખ્યું.તે
ગર્ભસ્થ તેજથી જ લોકોમાં સૂર્ય વગેરેનો પ્રકાશ ઓછો થવા લાગ્યો તથા ઇન્દ્ર વગેરે લોકપાલ પણ તેજહીન થઈ ગયા.ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે બધી દિશાઓમાં અંધકાર હોવાથી ઘણી જ અવ્યવસ્થા થઇ રહી છે.
દેવતાઓએ કહ્યું - ભગવન ! કાળ તમારી જ્ઞાનશક્તિને કુંઠિત નથી કરી શકતો એટલે આપથી કોઈ વાત છુપી નથી.આપ આ અંધકારના વિષયમાં જાણતા જ હશો અમે તો તેનાથી ખુબ જ ભયભીત થઇ રહ્યા છીએ.દેવાધિદેવ ! આપ જગતના રચયિતા અને બધાજ લોકપાલોના મુકુટમણિ છે.તમો નાના મોટા બધા જીવોના ભાવને જાણો છો. દેવ ! તમો વિજ્ઞાનબળસંપન્ન છો તમોએ માયાથી જ ચતુર્મુખ અને
રજોગુણરૂપ સ્વીકાર્યા છે આપની ઉત્તપત્તિના વાસ્તવિક કારણને કોઈ જાણી નથી શકતું.અમે આપને નમસ્કાર કરીએ છીએ.તમારામાં સંપૂર્ણ ભુવન સ્થિર છે કાર્ય -કારણરૂપ બધોજ પ્રપજ્ઞ આપનું શરીર છે પરંતુ હકીકતમાં તમો તેનાથી ઉપર છો.જે બધાજ જીવનું ઉત્તપત્તિસ્થાન આપનું અનન્ય ભાવથી ધ્યાન કરે છે તે સિદ્ધ યોગીઓને કોઈ પ્રકારે પણ હાસ નથી થઇ શકતો કેમકે તઓ આપના કૃપા કટાક્ષથી કૃત કૃત્ય થઇ જાય છે તથા પ્રાણ ઇન્દ્રિય અને મનને જીતી લેવાને કારણે તેનો યોગ પણ પરિપક્વ થઇ જાય છે.દોરીથી બાંધેલા બળદોની માફક આપની વેદવાણીથી જકડાયેલી બધી પ્રજા તમારી અધીનતામાં નિયમપૂર્વક કર્મ
અનુષ્ઠાન કરીને આપને બલી સમર્પિત કરે છે.તમો બધાના નિયંતા મુખ્ય પ્રાણ છો અમે આપને નમસ્કાર કરીએ છીએ. ભૂમન ! આ અંધકારને કારણે દિવસ રાતનો વિભાગ અસ્પષ્ટ થઇ જવાથી લોકોના બધા કામ અટકી રહ્યા છે જેનાથી તેવો દુઃખી થઇ રહ્યા છે.તેમનું કલ્યાણ કરો અને અમે શરણાગતો તરફ આપની અપાર દયાદ્રષ્ટિથી નીહાળીયે .દેવ ! આગ જેવી રીતે ઇંધણમાં પડીને જેમ વધતી રહે છે તેવી જ રીતે કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો આ દિતિનો ગર્ભ બધી દિશાઓને અંધકારમય કરતો ક્રમથી વધી રહ્યો છે.
શ્રી મૈત્રેયજી કહે છે - મહાબાહુ ! દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન બ્રહ્માજી હસ્યા અને તેમને પોતાની મધુર વાણીથી આનંદિત કરતા કહેવા લાગ્યાં.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - દેવતાઓ ! તમારા પૂર્વજ માનસ પુત્ર સનકાદિ લોકોની આસક્તિ ત્યાગીને બધાજ લોકોમાં આકાશમાર્ગથી ફર્યા કરતા હતા.એકવાર તે ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા લોકોના માથાના ભાગે સ્થિર,વૈકુંઠધામમાં આવી પહોંચ્યા.અહીં બધા લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે,અને તે પ્રાપ્ત તેને જ થાય છે,જે બીજી બધા પ્રકારની ઈચ્છાઓ છોડીને ભગવતચરણ-શરણની પ્રાપ્તિને માટે જ પોતાના ધર્મદ્વારા તેમની આરાધના કરે છે.ત્યાં વેદાંત-પ્રતિપાદ ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ અમે તેમના ભક્તોને સુખ આપવા માટે શુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરીને દરેક સમયે વિરાજમાન રહે છે.તે લોકમાં નૈ:શ્રેયસ નામનું એક વન છે,જે મૂર્તિમાન કૈવલ્ય જેવું જ દેખાય છે.તે બધા પ્રકારની ઈચ્છાઓ પુરી કરનાર વૃક્ષોથી સુશોભિત છે,જે જાતે દરેક વખતે છ એ ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે.ત્યાં વિમાનચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓ સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કર્યા કરે છે.જે લોકોની સંપૂર્ણ પાપ રાશિને ભસ્મ કરી નાખનારી છે.તે સમય સરોવરમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી વેલની સુમુધુર ગંધ તેમના ચિત્તને પોતાની તરફ ખેંચવા ચાહે છે,પરંતુ તેઓ તે તરફ ધ્યાન જ નથી આપતા ઉલ્ટા તે ગંધને ઉડાવીને લાવનારા પવનને જ ભલું-બૂરું કહે છે.જે વખતે ભ્રમરરાજ ઉંચા સ્વરથી ગુંજન કરતા માનો હરિકથાનું ગાન કરતા હોય,તે વખતે થોડા વખત માટે કબૂતર,કોયલ,સારસ,ચકલા,પપીહા,હંસ,પોપટ,તીતર,અને મોરોનો કોલાહલ બંધ થઇ જાય છે.-માનો તેઓ પણ આ કીર્તનાનંદમાં બેભાન થઇ જાય છે.શ્રી હરિ તુલસીથી પોતાનો શ્રીવિગ્રહને સજાવે છે,અને તુલસીની ગંધનોજ વધારે આદર કરે છે.-આ જોઈને ત્યાંના મંદાર,કુંદ,કુરબક(તિલકવૃક્ષ),ઉત્પલ(રાતમાં ખીલનારા કમળ),ચંપક,અર્ન,પુન્નાગ,નાગકેસર,બકુલ(મૌલસિરી),અંબુજ(દિવસમાં ખીલનારા કમળ)અને પારિજાત વગેરે ફૂલો સુગંધયુક્ત હોવા છતાં પણ તુલસીનું જ તપ વધારે માને છે.તે લોક વૈદૂર્ય,મર્કટ-મણિ (પન્ના) અને સોનાના વિમાનોમાં ભરેલા છે.એ બધા કોઈ કર્મ કોઈ કર્મફળથી નહિ પરંતુ એકમાત્ર શ્રી હરિના પાદપદ્મોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે.તે વિમાનો પર ચઢેલા કૃષ્ણપ્રાણ ભગવતભક્તો ના મનમાં મોટા મોટા નિતંબોવાળી સુંદર મુખવાળી સુંદરીયો પણ પોતાની મંદ મુસ્કરાત એટલે મનોહર હાસ-પરિહાસને કામવિકાર નહિ ઉત્તપન્ન કરી શકતી.
પરમ સૌન્દર્યશાલીની લક્ષ્મીજી,જેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દેવગણ પણ યત્નશીલ રહે છે,શ્રી હરિના ભવનમાં ચંચળતારૂપ દોષને ત્યાગીને રહે છે.જે વખતે પોતાના ચરણકમલોના નૂપુરોની ઝંકાર કરતી તે પોતાની લીલાકમલ ઘુમાવે છે,તે સમયે તે કનકભવનની સ્ફટિકમય દીવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાય છે,માનો તે તેને વુહાર રહી હોય પ્યારા દેવતાઓ ! જે વખતે દાસીઓને સાથે લઈને તે પોતાના ક્રીડાવનમાં તુલસી પાન સાથે ભગવાનનું પૂજન કરે છે,ત્યારે ત્યાંના નિર્મલ પાણીથી ભરેલા સરોવરમાં જેમાં મુગના ઘાટ બન્યા છે,પોતાનું સુંદર અલ્કાવલી અને ઉન્નત નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને 'આ ભગવાનનું ચુંબન કરેલું છે'તેમ જાણીને તે તેને ખુબ જ સૌભાગ્યશાળી સમજે છે.જે લોકો ભગવાનની પાપાપહારિણી લીલાકથાઓ ને છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ-કામસંબંધીની બીજી નિંદિત કથાઓ સાંભળે છે,તે આ વૈકુંઠલોકમાં નથી જઈ શકતા.હાય ! જયારે તે અભાગી લોકો આ સાર વગરની વાતોને સાંભળે છે,ત્યારે તેઓ પોતાના પુણ્યોને નષ્ટ કરીને તેમને આશ્રય વગરના ઘોર નરકોમાં નાખી દે છે.અહા ! આ મનુષ્યોની મોટી મહિમા છે,અમે દેવતા લોકો પણ તેને ચાહે છે.તેમાં તત્વજ્ઞાન અને ધર્મની પણ પ્રાપ્તિ થઇ
પણ પ્રાપ્તિ થઇ શકે છે.તેને મેળવીને પણ જે લોકો ભગવાનની આરાધના નથી કરતા,તે હકીકતમાં તેમની બધે ફેલાયેલી માયાથી મોહિત છે.દેવાધિદેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેનાથી યમરાજા પણ દૂર રહે છે,અંદરોદર પ્રભુના સૂયશની ચર્ચા થવાને કારણે અનુરાગજન્ય વિહ્વળતા વશ જેમના નેત્રોથી અવિરત અશ્રુધારા વહેતી રહે છે,તથા શરીરમાં રોમાન્ચ થઇ જાય છે,અને જેમનાથી શીલ સ્વભાવ જેવી અમે લોકો પણ ઈચ્છા કરીયે છીએ.-તે પરમ ભાગવત જ અમારા લોકોથી ઉપર તે વૈકુંઠધામમાં જાય છે.જે સમયે સનકાદિ મુનિ વિશ્વગુરુ શ્રી હરિના નિવાસસ્થાન,સંપૂર્ણ લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદભુત વૈકુંઠધામમાં પોતાના યોગબળથી પહોંચ્યા,ત્યારે તેમને ખુબ જ આનંદ થયો.
ભગવદ્ દર્શનની લાલસાથી બીજી દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા કરતા વૈકુંઠધામની છ ચોકીઓ પાર કરીને જયારે તેઓ પાંચમી ઉપર પહોંચ્યા,ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને બે સરખી ઉંમરવાળા દેવ શ્રેષ્ઠ દેખાયા- જે બાજુબંધ,કુંડળ અને કિરીટ વગેરે અનેકો અમૂલ્ય આભૂષણો પહેરેલ હતા.તેમની ચાર શ્યામલ ભુજાઓની વચ્ચે,મતવાલા મધુકરથી ગુંજાયમાન વનમાળા સુશોભિત હતી.તથા વાંકી ભ્રમરો,ફડકતી નાસિકાઓ અને અરુણ નયનો ના કારણે તેમના ચહેરા પર કૈક ક્ષોભનાં ચિન્હો દેખાય રહ્યા હતા.તેમના આવી રીતે દેખાતા પણ તે મુનિ ગણો તેમને કઈ પણ પૂછ્યા વગર,જેમ સોનુ અને વ્રજમય કબાટોવાળી પહેલી છ ચોકી કૂદીને આવ્યા હતા,તેવી રીતે તેમના દરવાજામાં પણ ઘુસી ગયા.તેમની નજર તો બધે સરખી હતી,અને તે ની;શંક થઈને બધે કોઈ પણ રોક ટોક વગર ફરી રહ્યા હતા.તે ચારે કુંમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં તેઓ ઉંમરમાં બધાથી મોટા હોવા છતાં જોવામાં પાંચ વર્ષના બાળક જેવા દેખાતા હતા.અને દિગંબર-વૃત્તિથી(નંગ-ધડંગ) રહેતા હતા.તેઓને આમ ની:સંકોચરૂપથી અંદર જતા જોઈ તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવ ના વિપરીત સનકાદિ ના તેજની હસી ઉડાવતા તેમને બેત અડાવીને રોકી દીધા,જોકે તેઓ એવા દુર્વ્યવ્હારને યોગ્ય ન હતા.જયારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની સામે પુંજાના સર્વશ્રેષ્ઠ પાત્રો તે કુમારોને આવી રીતે રોક્યા,ત્યારે પોતાના પ્રિય પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો એકદમ કૈક કૈક ક્રોધથી લાલ થઇ ગયા અને તેઓ આવી રીતે કહેવા લાગ્યા.
મુનિયોએ કહ્યું-
અરે દ્વારપાલો ! જે લોક ભગવાનની મહતી સેવાના પ્રભાવથી આ લોકને પ્રાપ્ત થઈને અહીં વસે છે,તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે.તમે બંને પણ તેઓમાંથી છો,પરંતુ તમારા સ્વભાવમાં આ જુદાપણું કેમ છે ? ભગવાન તો જાતે પરમ શાંત સ્વભાવ છે.તેમનો કોઈથી વિરોધ પણ નથી પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય ? તમો જાતે કપટી છો,તેનાથી તમારા જેવા જ બીજાઓ પર શંકા કરો છો.ભગવાનના ઉદરમાં આ આખો સંસાર સ્થિર છે,એટલા માટે અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાતમા શ્રી હરિ થી પોતાનો કોઈ ભેદ નથી જોતા,પરંતુ મહાકાશમાં ઘટાકાશની માફક તેમનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે.તમે તો દેવરૂપધારી છો,છતાં પણ તમને એવું શું દેખાઈ રહ્યું છે,જેનાથી તમોએ ભગવાનની સાથે કોઈ ભેદભાવના કારણે થનારા ભયની કલ્પના કરી લીધી.તમે તો છો ,આ ભગવાન વૈકુંઠનાથના પાર્ષદ ,પરંતુ તમારી બુદ્ધિ ખુબ જ મંદ છે.તેમ છતાં તમારું કલ્યાણ કરવા માટે અમે તમારા અપરાધને યોગ્ય દંડનો વિચાર કરીયે છીએ.તમો પોતાની ભેદબુદ્ધીના દોષથી આ વૈકુંઠલોકથી નીકળીને તે પાપમય યોનિઓમાં જાઓ,જ્યાં,કામ,ક્રોધ,લોભ-પ્રાણીઓના આ ત્રણ શત્રુઓ નિવાસ કરે છે.
સનકાદિ ના આ કઠોર વચનો સાંભળીને અને બ્રાહ્મણોના શ્રાપને કોઈ પણ પ્રકારના શસ્ત્રસમુહથી નિવારણ થવા યોગ્ય ન માનીને શ્રી હરિના તે બંને પાર્ષદો એકદમ ગરીબભાવથી તેઓના ચરણ પકડીને પૃથ્વી પાર લેટી ગયા.તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ બ્રાહ્મણોથી ખુબ ડરતા હતા.પછી તેમણે ખુબ જ આતુર થઈને કહ્યું- 'ભગવન ! અમે જરૂર અપરાધી છીએ,એટલે આપે જે અમોને દંડ આપ્યો છે,તે ઉચિત જ છે,અને અમને મળવો જ જોઈએ.અમે ભગવાનનો અભિપ્રાય ન સમજીને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે.તેનાથી અમને જે પાપ લાગ્યું છે,તે આપના આપેલા દંડથી કાયમ માટે ધોવાઈ જશે.પરંતુ અમારી આ દુર્દશાનો વિચાર કરીને જો કરુણાથી તમને થોડો પણ અનુતાપ થાય તો એવી કૃપા કરો કે જેનાથી તે અધમાધમ યોનિમાં જવા છતાં પણ અમને ભક્તવત્સ્મૃતિને નાશ કરનારો મોહ પ્રાપ્ત ન થાય.
આબાજુ જયારે સાધુજનોના હૃદય ધન ભગવાન કમલનાભને ખબર પડી કે મારા દ્વારપાલોએ સનકાદિ સાધુઓનો અનાદર કર્યો છે,ત્યારે તેઓ લક્ષ્મીજી સાથે પોતાના તે શ્રી ચરણોથી ચાલીને જ ત્યાં પહોંચ્યા,,જેને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે.-સહેલાઈથી મેળવી શકતા નથી.સનકાદિએ જોયુ કે તેમની સમાધિનો વિષય શ્રી વૈકુંઠનાથ જાતે તેમના રહ્યા છે,તથા પ્રભુની બંને બાજુ રાજહંસોની પાંખો જેવા સફેદ ચરમો હલાવતા જય રહ્યા છે.તેના ઠંડા પવનથી તેમના સફેદ છત્રોમાં લાગેલી મોતિયોંની ઝાલર હલતી હલતી એવી શોભા આપી રહી છે,માનો ચંદ્રમાની કિરણોથી અમૃતની બૂંદો ઝરી રહી હોય. પ્રભુ બધાજ સદગુણોના આશ્રય છે,તેમની સૌમ્ય મુખમુદ્રાને જોઈને દેખાતું હતું માનો તેઓ બધા ઉપર અનવરત કૃપા સુધાની વર્ષા કરી રહ્યા છે.પોતાના સ્નેહભર્યા ચિત્તવનથી તેઓ ભક્તોનો હૃદય સ્પર્શ કરી રહ્યા હતા તથા તેમના સુવિશાળ શ્યામ વૃક્ષ:સ્થળ પર સ્વર્ણરેખાના રૂપમાં જે સાક્ષાત લક્ષ્મીજીવિરાજમાન હતા,તેમનાથી માનો આ બધા
દિવ્યલોકોના ચુડામણી વૈકુંઠધામને સુશોભિત કરી રહ્યા હતા. તેમના પિતાંબરમંડિત વિશાલ નિતંબો પર ઝગમઘતી કરધની અને ગળામાં ભ્રમરોથી મુખરિત વનમાળા વીરાજી રહી હતી.તથા તે કલાઈયોમાં સુંદર કંગન પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીનાં ખભા પર રાખીને બીજાથી કમળનુંફૂલ ફેરવી રહ્યા હતા. તેમના અમોલ કપોલ વીજળીની પ્રભાને પણ લજાવનારી મકરાકૃત કુંડળોની શોભા વધારી રહ્યા હતા.ઉભરેલી સુઘડ નાસીકા હતી,ખુબ જ સુંદર મુખડું હતું,માથા પર મણિમય મુકુટ વિરાજેલો હતો,તથા ચારેભુજાઓ વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારકી અને ગાળામાં કૌસ્તુભ મણિ ની અપૂર્વ શોભા હતી.ભગવાનના શ્રી વિગ્રહ ખુબ જ સૌન્દર્યશાલી હતો.તેને જોઈને ભક્તોના મનમાં એવો વિતર્ક થતો હતો,કે તેની સામે લક્ષ્મીજીનું સૌન્દર્યાભિમાન પણ ઓગળી ગયું છે.બ્રહ્માજી કહે છે- દેવતાઓ ! આવી રીતે મારા,મહાદેવજી અને તમારા માટે ખુબ જ સુંદર વિગ્રહ ધારણ કરનારા શ્રી હરિને જોઈને સનકાદિ મુનીશ્વરોએ તેમને માથું નમાવીને પ્રણામ કર્યા. તે વખતે તેમની અદભુત છબીને જોતા જોતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા.
સનકાદિ મુનીશ્વર કાયમ બ્રહ્માનંદમાં નિમગ્ન રહેતા હતા.પરંતુ જયારે ભગવાન કમલનયનના ચરણાર્વિન્દમકરંદથી મળેલી તુલસી મંઝરીની ગંધથી સુવાસિત વાયુને નાસિકારંધોના દ્વારા તેમના હૃદયમાં પ્રવેશ કર્યો,તે વખતે તેઓ પોતાના શરીરને સંભાળી ન શક્યા અને તે દિવ્ય ગંધે તેમના મનમાં પણ ખલબલી મચાવી દીધી.ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું,ખુબ જ સુંદર અધરઅને કુન્દકલી જેવા મનોહર હાસથી તેમની શોભા એકદમ વધી ગઈ.તેમની ઝાકી કરીને તેઓ ખુબ કૃત કૃત્ય થઇ ગયા.અને પછી પદ્મરાગની જેવા લાલ લાલ નખોથી સુશોભિત તેમના ચરણકમલ જોઈને તેઓ તેમનું ધ્યાન કરવા લાગ્યા.તેના પછી તે મુનિગણ બીજા સાધનોથી સિદ્ધ ન થનારી,સ્વાભાવિક અષ્ટસિધ્ધિયોથી સંપન્ન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા -જે યોગમાર્ગદ્વારા મોક્ષપદની શોધ કરનારા પુરુષો માટે તેમના ધ્યાનનો વિષય,ખુબ જ માનનીય અને નયનાનંદની વૃદ્ધિ કરનારા પુરુષ રૂપ પ્રગટ કરે છે.
સનકાદિ મુનિયોએ કહ્યું- અનંત ! કદાચ આપ અંતર્યામી રૂપથી દુષ્ટચિત્ત પુરુષોના હૃદયમાં પણ સ્થિર રહો છો,તે ઉપરાંત તેની દ્રષ્ટિથી ઓઝલ રહો છો.પરંતુ આજે અમારા નેત્રોની સામે તો આપ સાક્ષાત વિરાજમાન છો.પ્રભુ ! તે વખતે આપથી ઉત્તપન્ન થયેલા અમારા પિતા બ્રહ્માજીએ આપનું રહસ્ય વર્ણન કર્યું હતું,તે વખતે શ્રવનરેન્દ્રો દ્વારા અમારી બુદ્ધિમાં તો આપ આવીને વિરાજ્યા હતા,પરંતુ પ્રત્યક્ષ દર્શનનો મહાન લાભ તો અમને આજે જ મળ્યો છે.ભગવન ! અમે તો આપને સાક્ષાત પરમાત્મતત્વ જ જાણીયે છીએ.આ વખતે આપ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહથી આપના આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો.આપની એ સગુણ સાકાર મૂર્તિને રાગ અને અહંકારથી મુક્ત મુનિજનો આપની કૃપાદ્રષ્ટિથી પ્રાપ્ત થયેલા સૃદ્ઢ ભક્તિયોગ દ્વારા અમારા હૃદયમાં ઉપલબ્ધ કરીએ છીએ.પ્રભુ ! આપનો સુયશ ખુબ જ ભજનિક અને સાંસારિક દુઃખોની નિવૃત્તિ કરનારો છે.આપની ચરણોની શરણોમાં રહેનાર જે મહાભાગ આપની કથાના રસિયા છે, તે આપના આત્યંતિક પ્રસાદ મોક્ષપદને પણ કઈ વધારે નથી માનતા,પછી જેને આપની થોડીક વાંકી ભ્રમર જ ભયભીત કરી નાખે છે,તે ઇન્દ્રપદ વગેરે બીજા ભોગોના વિષયોમાં તો કહેવાનું જ શું હોય.ભગવન ! જો અમારું મન ભમરાની માફક આપના ચરણકમલમાં જ ફર્યા કરતુ રહે,અમારી વાણી તુલસીની માફક આપના ચરણ સંબંધથી જ સુશોભિત થાય અને કાન આપની સુયશ સુધાથી પરિપૂર્ણ રહે તો અમારા પાપોને કારણે ભલે ને અમારો જન્મ નરકાદિ યોનિયોમાં થઇ જાય- તેની અમને કોઈ ચિંતા નથી.વિપુલકીર્તિ પ્રભુ ! તમોએ અમારી સામે જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે,તેનાથી અમારા નેત્રોને ખુબ જ સુખ મળ્યું છે,વિષયાસક્ત અજિતેન્દ્રિય પુરુષોને માટે તેનું દેખાવું ખુબ જ કઠિન છે.આપ સાક્ષાત ભગવાન છો અને આવી રીતે સ્પષ્ટ રીતે અમારા નેત્રોની સામે પ્રગટ થયા છો,અમે આપને પ્રણામ કરીયે છીએ.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - દેવતાઓ ! તમારા પૂર્વજ માનસ પુત્ર સનકાદિ લોકોની આસક્તિ ત્યાગીને બધાજ લોકોમાં આકાશમાર્ગથી ફર્યા કરતા હતા.એકવાર તે ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા લોકોના માથાના ભાગે સ્થિર,વૈકુંઠધામમાં આવી પહોંચ્યા.અહીં બધા લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે,અને તે પ્રાપ્ત તેને જ થાય છે,જે બીજી બધા પ્રકારની ઈચ્છાઓ છોડીને ભગવતચરણ-શરણની પ્રાપ્તિને માટે જ પોતાના ધર્મદ્વારા તેમની આરાધના કરે છે.ત્યાં વેદાંત-પ્રતિપાદ ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ અમે તેમના ભક્તોને સુખ આપવા માટે શુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરીને દરેક સમયે વિરાજમાન રહે છે.તે લોકમાં નૈ:શ્રેયસ નામનું એક વન છે,જે મૂર્તિમાન કૈવલ્ય જેવું જ દેખાય છે.તે બધા પ્રકારની ઈચ્છાઓ પુરી કરનાર વૃક્ષોથી સુશોભિત છે,જે જાતે દરેક વખતે છ એ ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે.ત્યાં વિમાનચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓ સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કર્યા કરે છે.જે લોકોની સંપૂર્ણ પાપ રાશિને ભસ્મ કરી નાખનારી છે.તે સમય સરોવરમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી વેલની સુમુધુર ગંધ તેમના ચિત્તને પોતાની તરફ ખેંચવા ચાહે છે,પરંતુ તેઓ તે તરફ ધ્યાન જ નથી આપતા ઉલ્ટા તે ગંધને ઉડાવીને લાવનારા પવનને જ ભલું-બૂરું કહે છે.જે વખતે ભ્રમરરાજ ઉંચા સ્વરથી ગુંજન કરતા માનો હરિકથાનું ગાન કરતા હોય,તે વખતે થોડા વખત માટે કબૂતર,કોયલ,સારસ,ચકલા,પપીહા,હંસ,પોપટ,તીતર,અને મોરોનો કોલાહલ બંધ થઇ જાય છે.-માનો તેઓ પણ આ કીર્તનાનંદમાં બેભાન થઇ જાય છે.શ્રી હરિ તુલસીથી પોતાનો શ્રીવિગ્રહને સજાવે છે,અને તુલસીની ગંધનોજ વધારે આદર કરે છે.-આ જોઈને ત્યાંના મંદાર,કુંદ,કુરબક(તિલકવૃક્ષ),ઉત્પલ(રાતમાં ખીલનારા કમળ),ચંપક,અર્ન,પુન્નાગ,નાગકેસર,બકુલ(મૌલસિરી),અંબુજ(દિવસમાં ખીલનારા કમળ)અને પારિજાત વગેરે ફૂલો સુગંધયુક્ત હોવા છતાં પણ તુલસીનું જ તપ વધારે માને છે.તે લોક વૈદૂર્ય,મર્કટ-મણિ (પન્ના) અને સોનાના વિમાનોમાં ભરેલા છે.એ બધા કોઈ કર્મ કોઈ કર્મફળથી નહિ પરંતુ એકમાત્ર શ્રી હરિના પાદપદ્મોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે.તે વિમાનો પર ચઢેલા કૃષ્ણપ્રાણ ભગવતભક્તો ના મનમાં મોટા મોટા નિતંબોવાળી સુંદર મુખવાળી સુંદરીયો પણ પોતાની મંદ મુસ્કરાત એટલે મનોહર હાસ-પરિહાસને કામવિકાર નહિ ઉત્તપન્ન કરી શકતી.
પરમ સૌન્દર્યશાલીની લક્ષ્મીજી,જેમની કૃપા પ્રાપ્ત કરવા માટે દેવગણ પણ યત્નશીલ રહે છે,શ્રી હરિના ભવનમાં ચંચળતારૂપ દોષને ત્યાગીને રહે છે.જે વખતે પોતાના ચરણકમલોના નૂપુરોની ઝંકાર કરતી તે પોતાની લીલાકમલ ઘુમાવે છે,તે સમયે તે કનકભવનની સ્ફટિકમય દીવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાય છે,માનો તે તેને વુહાર રહી હોય પ્યારા દેવતાઓ ! જે વખતે દાસીઓને સાથે લઈને તે પોતાના ક્રીડાવનમાં તુલસી પાન સાથે ભગવાનનું પૂજન કરે છે,ત્યારે ત્યાંના નિર્મલ પાણીથી ભરેલા સરોવરમાં જેમાં મુગના ઘાટ બન્યા છે,પોતાનું સુંદર અલ્કાવલી અને ઉન્નત નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને 'આ ભગવાનનું ચુંબન કરેલું છે'તેમ જાણીને તે તેને ખુબ જ સૌભાગ્યશાળી સમજે છે.જે લોકો ભગવાનની પાપાપહારિણી લીલાકથાઓ ને છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ-કામસંબંધીની બીજી નિંદિત કથાઓ સાંભળે છે,તે આ વૈકુંઠલોકમાં નથી જઈ શકતા.હાય ! જયારે તે અભાગી લોકો આ સાર વગરની વાતોને સાંભળે છે,ત્યારે તેઓ પોતાના પુણ્યોને નષ્ટ કરીને તેમને આશ્રય વગરના ઘોર નરકોમાં નાખી દે છે.અહા ! આ મનુષ્યોની મોટી મહિમા છે,અમે દેવતા લોકો પણ તેને ચાહે છે.તેમાં તત્વજ્ઞાન અને ધર્મની પણ પ્રાપ્તિ થઇ
પણ પ્રાપ્તિ થઇ શકે છે.તેને મેળવીને પણ જે લોકો ભગવાનની આરાધના નથી કરતા,તે હકીકતમાં તેમની બધે ફેલાયેલી માયાથી મોહિત છે.દેવાધિદેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેનાથી યમરાજા પણ દૂર રહે છે,અંદરોદર પ્રભુના સૂયશની ચર્ચા થવાને કારણે અનુરાગજન્ય વિહ્વળતા વશ જેમના નેત્રોથી અવિરત અશ્રુધારા વહેતી રહે છે,તથા શરીરમાં રોમાન્ચ થઇ જાય છે,અને જેમનાથી શીલ સ્વભાવ જેવી અમે લોકો પણ ઈચ્છા કરીયે છીએ.-તે પરમ ભાગવત જ અમારા લોકોથી ઉપર તે વૈકુંઠધામમાં જાય છે.જે સમયે સનકાદિ મુનિ વિશ્વગુરુ શ્રી હરિના નિવાસસ્થાન,સંપૂર્ણ લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદભુત વૈકુંઠધામમાં પોતાના યોગબળથી પહોંચ્યા,ત્યારે તેમને ખુબ જ આનંદ થયો.
ભગવદ્ દર્શનની લાલસાથી બીજી દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા કરતા વૈકુંઠધામની છ ચોકીઓ પાર કરીને જયારે તેઓ પાંચમી ઉપર પહોંચ્યા,ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને બે સરખી ઉંમરવાળા દેવ શ્રેષ્ઠ દેખાયા- જે બાજુબંધ,કુંડળ અને કિરીટ વગેરે અનેકો અમૂલ્ય આભૂષણો પહેરેલ હતા.તેમની ચાર શ્યામલ ભુજાઓની વચ્ચે,મતવાલા મધુકરથી ગુંજાયમાન વનમાળા સુશોભિત હતી.તથા વાંકી ભ્રમરો,ફડકતી નાસિકાઓ અને અરુણ નયનો ના કારણે તેમના ચહેરા પર કૈક ક્ષોભનાં ચિન્હો દેખાય રહ્યા હતા.તેમના આવી રીતે દેખાતા પણ તે મુનિ ગણો તેમને કઈ પણ પૂછ્યા વગર,જેમ સોનુ અને વ્રજમય કબાટોવાળી પહેલી છ ચોકી કૂદીને આવ્યા હતા,તેવી રીતે તેમના દરવાજામાં પણ ઘુસી ગયા.તેમની નજર તો બધે સરખી હતી,અને તે ની;શંક થઈને બધે કોઈ પણ રોક ટોક વગર ફરી રહ્યા હતા.તે ચારે કુંમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં તેઓ ઉંમરમાં બધાથી મોટા હોવા છતાં જોવામાં પાંચ વર્ષના બાળક જેવા દેખાતા હતા.અને દિગંબર-વૃત્તિથી(નંગ-ધડંગ) રહેતા હતા.તેઓને આમ ની:સંકોચરૂપથી અંદર જતા જોઈ તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવ ના વિપરીત સનકાદિ ના તેજની હસી ઉડાવતા તેમને બેત અડાવીને રોકી દીધા,જોકે તેઓ એવા દુર્વ્યવ્હારને યોગ્ય ન હતા.જયારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની સામે પુંજાના સર્વશ્રેષ્ઠ પાત્રો તે કુમારોને આવી રીતે રોક્યા,ત્યારે પોતાના પ્રિય પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો એકદમ કૈક કૈક ક્રોધથી લાલ થઇ ગયા અને તેઓ આવી રીતે કહેવા લાગ્યા.
મુનિયોએ કહ્યું-
અરે દ્વારપાલો ! જે લોક ભગવાનની મહતી સેવાના પ્રભાવથી આ લોકને પ્રાપ્ત થઈને અહીં વસે છે,તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે.તમે બંને પણ તેઓમાંથી છો,પરંતુ તમારા સ્વભાવમાં આ જુદાપણું કેમ છે ? ભગવાન તો જાતે પરમ શાંત સ્વભાવ છે.તેમનો કોઈથી વિરોધ પણ નથી પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય ? તમો જાતે કપટી છો,તેનાથી તમારા જેવા જ બીજાઓ પર શંકા કરો છો.ભગવાનના ઉદરમાં આ આખો સંસાર સ્થિર છે,એટલા માટે અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાતમા શ્રી હરિ થી પોતાનો કોઈ ભેદ નથી જોતા,પરંતુ મહાકાશમાં ઘટાકાશની માફક તેમનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે.તમે તો દેવરૂપધારી છો,છતાં પણ તમને એવું શું દેખાઈ રહ્યું છે,જેનાથી તમોએ ભગવાનની સાથે કોઈ ભેદભાવના કારણે થનારા ભયની કલ્પના કરી લીધી.તમે તો છો ,આ ભગવાન વૈકુંઠનાથના પાર્ષદ ,પરંતુ તમારી બુદ્ધિ ખુબ જ મંદ છે.તેમ છતાં તમારું કલ્યાણ કરવા માટે અમે તમારા અપરાધને યોગ્ય દંડનો વિચાર કરીયે છીએ.તમો પોતાની ભેદબુદ્ધીના દોષથી આ વૈકુંઠલોકથી નીકળીને તે પાપમય યોનિઓમાં જાઓ,જ્યાં,કામ,ક્રોધ,લોભ-પ્રાણીઓના આ ત્રણ શત્રુઓ નિવાસ કરે છે.
સનકાદિ ના આ કઠોર વચનો સાંભળીને અને બ્રાહ્મણોના શ્રાપને કોઈ પણ પ્રકારના શસ્ત્રસમુહથી નિવારણ થવા યોગ્ય ન માનીને શ્રી હરિના તે બંને પાર્ષદો એકદમ ગરીબભાવથી તેઓના ચરણ પકડીને પૃથ્વી પાર લેટી ગયા.તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ બ્રાહ્મણોથી ખુબ ડરતા હતા.પછી તેમણે ખુબ જ આતુર થઈને કહ્યું- 'ભગવન ! અમે જરૂર અપરાધી છીએ,એટલે આપે જે અમોને દંડ આપ્યો છે,તે ઉચિત જ છે,અને અમને મળવો જ જોઈએ.અમે ભગવાનનો અભિપ્રાય ન સમજીને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે.તેનાથી અમને જે પાપ લાગ્યું છે,તે આપના આપેલા દંડથી કાયમ માટે ધોવાઈ જશે.પરંતુ અમારી આ દુર્દશાનો વિચાર કરીને જો કરુણાથી તમને થોડો પણ અનુતાપ થાય તો એવી કૃપા કરો કે જેનાથી તે અધમાધમ યોનિમાં જવા છતાં પણ અમને ભક્તવત્સ્મૃતિને નાશ કરનારો મોહ પ્રાપ્ત ન થાય.
આબાજુ જયારે સાધુજનોના હૃદય ધન ભગવાન કમલનાભને ખબર પડી કે મારા દ્વારપાલોએ સનકાદિ સાધુઓનો અનાદર કર્યો છે,ત્યારે તેઓ લક્ષ્મીજી સાથે પોતાના તે શ્રી ચરણોથી ચાલીને જ ત્યાં પહોંચ્યા,,જેને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે.-સહેલાઈથી મેળવી શકતા નથી.સનકાદિએ જોયુ કે તેમની સમાધિનો વિષય શ્રી વૈકુંઠનાથ જાતે તેમના રહ્યા છે,તથા પ્રભુની બંને બાજુ રાજહંસોની પાંખો જેવા સફેદ ચરમો હલાવતા જય રહ્યા છે.તેના ઠંડા પવનથી તેમના સફેદ છત્રોમાં લાગેલી મોતિયોંની ઝાલર હલતી હલતી એવી શોભા આપી રહી છે,માનો ચંદ્રમાની કિરણોથી અમૃતની બૂંદો ઝરી રહી હોય. પ્રભુ બધાજ સદગુણોના આશ્રય છે,તેમની સૌમ્ય મુખમુદ્રાને જોઈને દેખાતું હતું માનો તેઓ બધા ઉપર અનવરત કૃપા સુધાની વર્ષા કરી રહ્યા છે.પોતાના સ્નેહભર્યા ચિત્તવનથી તેઓ ભક્તોનો હૃદય સ્પર્શ કરી રહ્યા હતા તથા તેમના સુવિશાળ શ્યામ વૃક્ષ:સ્થળ પર સ્વર્ણરેખાના રૂપમાં જે સાક્ષાત લક્ષ્મીજીવિરાજમાન હતા,તેમનાથી માનો આ બધા
દિવ્યલોકોના ચુડામણી વૈકુંઠધામને સુશોભિત કરી રહ્યા હતા. તેમના પિતાંબરમંડિત વિશાલ નિતંબો પર ઝગમઘતી કરધની અને ગળામાં ભ્રમરોથી મુખરિત વનમાળા વીરાજી રહી હતી.તથા તે કલાઈયોમાં સુંદર કંગન પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીનાં ખભા પર રાખીને બીજાથી કમળનુંફૂલ ફેરવી રહ્યા હતા. તેમના અમોલ કપોલ વીજળીની પ્રભાને પણ લજાવનારી મકરાકૃત કુંડળોની શોભા વધારી રહ્યા હતા.ઉભરેલી સુઘડ નાસીકા હતી,ખુબ જ સુંદર મુખડું હતું,માથા પર મણિમય મુકુટ વિરાજેલો હતો,તથા ચારેભુજાઓ વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારકી અને ગાળામાં કૌસ્તુભ મણિ ની અપૂર્વ શોભા હતી.ભગવાનના શ્રી વિગ્રહ ખુબ જ સૌન્દર્યશાલી હતો.તેને જોઈને ભક્તોના મનમાં એવો વિતર્ક થતો હતો,કે તેની સામે લક્ષ્મીજીનું સૌન્દર્યાભિમાન પણ ઓગળી ગયું છે.બ્રહ્માજી કહે છે- દેવતાઓ ! આવી રીતે મારા,મહાદેવજી અને તમારા માટે ખુબ જ સુંદર વિગ્રહ ધારણ કરનારા શ્રી હરિને જોઈને સનકાદિ મુનીશ્વરોએ તેમને માથું નમાવીને પ્રણામ કર્યા. તે વખતે તેમની અદભુત છબીને જોતા જોતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા.
સનકાદિ મુનીશ્વર કાયમ બ્રહ્માનંદમાં નિમગ્ન રહેતા હતા.પરંતુ જયારે ભગવાન કમલનયનના ચરણાર્વિન્દમકરંદથી મળેલી તુલસી મંઝરીની ગંધથી સુવાસિત વાયુને નાસિકારંધોના દ્વારા તેમના હૃદયમાં પ્રવેશ કર્યો,તે વખતે તેઓ પોતાના શરીરને સંભાળી ન શક્યા અને તે દિવ્ય ગંધે તેમના મનમાં પણ ખલબલી મચાવી દીધી.ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું,ખુબ જ સુંદર અધરઅને કુન્દકલી જેવા મનોહર હાસથી તેમની શોભા એકદમ વધી ગઈ.તેમની ઝાકી કરીને તેઓ ખુબ કૃત કૃત્ય થઇ ગયા.અને પછી પદ્મરાગની જેવા લાલ લાલ નખોથી સુશોભિત તેમના ચરણકમલ જોઈને તેઓ તેમનું ધ્યાન કરવા લાગ્યા.તેના પછી તે મુનિગણ બીજા સાધનોથી સિદ્ધ ન થનારી,સ્વાભાવિક અષ્ટસિધ્ધિયોથી સંપન્ન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા -જે યોગમાર્ગદ્વારા મોક્ષપદની શોધ કરનારા પુરુષો માટે તેમના ધ્યાનનો વિષય,ખુબ જ માનનીય અને નયનાનંદની વૃદ્ધિ કરનારા પુરુષ રૂપ પ્રગટ કરે છે.
સનકાદિ મુનિયોએ કહ્યું- અનંત ! કદાચ આપ અંતર્યામી રૂપથી દુષ્ટચિત્ત પુરુષોના હૃદયમાં પણ સ્થિર રહો છો,તે ઉપરાંત તેની દ્રષ્ટિથી ઓઝલ રહો છો.પરંતુ આજે અમારા નેત્રોની સામે તો આપ સાક્ષાત વિરાજમાન છો.પ્રભુ ! તે વખતે આપથી ઉત્તપન્ન થયેલા અમારા પિતા બ્રહ્માજીએ આપનું રહસ્ય વર્ણન કર્યું હતું,તે વખતે શ્રવનરેન્દ્રો દ્વારા અમારી બુદ્ધિમાં તો આપ આવીને વિરાજ્યા હતા,પરંતુ પ્રત્યક્ષ દર્શનનો મહાન લાભ તો અમને આજે જ મળ્યો છે.ભગવન ! અમે તો આપને સાક્ષાત પરમાત્મતત્વ જ જાણીયે છીએ.આ વખતે આપ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહથી આપના આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો.આપની એ સગુણ સાકાર મૂર્તિને રાગ અને અહંકારથી મુક્ત મુનિજનો આપની કૃપાદ્રષ્ટિથી પ્રાપ્ત થયેલા સૃદ્ઢ ભક્તિયોગ દ્વારા અમારા હૃદયમાં ઉપલબ્ધ કરીએ છીએ.પ્રભુ ! આપનો સુયશ ખુબ જ ભજનિક અને સાંસારિક દુઃખોની નિવૃત્તિ કરનારો છે.આપની ચરણોની શરણોમાં રહેનાર જે મહાભાગ આપની કથાના રસિયા છે, તે આપના આત્યંતિક પ્રસાદ મોક્ષપદને પણ કઈ વધારે નથી માનતા,પછી જેને આપની થોડીક વાંકી ભ્રમર જ ભયભીત કરી નાખે છે,તે ઇન્દ્રપદ વગેરે બીજા ભોગોના વિષયોમાં તો કહેવાનું જ શું હોય.ભગવન ! જો અમારું મન ભમરાની માફક આપના ચરણકમલમાં જ ફર્યા કરતુ રહે,અમારી વાણી તુલસીની માફક આપના ચરણ સંબંધથી જ સુશોભિત થાય અને કાન આપની સુયશ સુધાથી પરિપૂર્ણ રહે તો અમારા પાપોને કારણે ભલે ને અમારો જન્મ નરકાદિ યોનિયોમાં થઇ જાય- તેની અમને કોઈ ચિંતા નથી.વિપુલકીર્તિ પ્રભુ ! તમોએ અમારી સામે જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે,તેનાથી અમારા નેત્રોને ખુબ જ સુખ મળ્યું છે,વિષયાસક્ત અજિતેન્દ્રિય પુરુષોને માટે તેનું દેખાવું ખુબ જ કઠિન છે.આપ સાક્ષાત ભગવાન છો અને આવી રીતે સ્પષ્ટ રીતે અમારા નેત્રોની સામે પ્રગટ થયા છો,અમે આપને પ્રણામ કરીયે છીએ.
સોળમો અધ્યાય
જય વિજયનું વૈકુંઠથી પતન
શ્રી બ્રહ્માજીએ કહ્યું-દેવગણ ! જયારે યોગનિષ્ઠ સનકાદિ મુનિયોએ આવી રીતે સ્તુતિ કરી,ત્યારે વૈકુંઠ નિવાસ શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા કરતા આમ કહ્યું.
શ્રી ભગવાને કહ્યું- મુનિગણ ! આ જય વિજય મારા પાર્ષદ છે.તેઓએ મારી કોઈ પરવા ન કરતા તમારો ખુબ મોટો અપરાધ કર્યો છે.તમે લોકો પણ મારા અનુગત ભક્ત છો,એટલે આવી રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે આપે તેઓને જે દંડ આપ્યો છે,તે મને પણ મંઝૂર છે.બ્રાહ્મણ મારા પરમ આરાધ્ય છે,મારા અનુચરો દ્વારા આપલલોકોનો જે તિરસ્કાર થયો છે,તેને હું મેજ કર્યો હોય તેમ માનું છું.એટલા માટે હું આપ લોકો પાસે પ્રસન્નતાની ભીખ માંગુ છું.સેવકોએ કરેલા અપરાધ માટે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે.આ અપયશ તેમની કીર્તિને આવી રીતે દુષિત કરી નાખે છે.જે ચામડીને ચર્મરોગ.મારી નિર્મલ સુયશ સુધામાં ગોથું મારવાથી ચાંડાલસહિત આખું જગત તરત પવિત્ર થઇ જય છે,એટલા માટે હું 'વિકુંઠ'કહેવાઉં છું.પરંતુ તે પવિત્ર કીર્તિ મને આપલોકોથી જ પ્રાપ્ત થઇ છે.એટલા માટે જે કોઈ આપણા વિરુદ્ધ આચરણ કરશે,તે મારી ભુજાઓ પણ કેમ ન હોય -હું તરત તેને કાપી નાખીશ.આપ લોકોની સેવા કરવાથી જ મારી ચરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઇ છે,કે તે બધા પાપોને તત્કાલ નાશ કરી નાખે છે.અને મને એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ નથી છોડતી.- તોપણ તેને લેશમાત્ર કૃપા કટાક્ષ માટે બીજા બ્રહ્માદિ દેવતા નાના પ્રકારના નિયમો તેમ જ વ્રતોનું પાલન કરે છે.જે પોતાના સંપૂર્ણ કર્મફળ મને અર્પણ કરીને કાયમ સંતોષી રહે છે તે નિષ્કામ બ્રાહ્મણ ગ્રાસ ગ્રાસ પર તૃપ્ત થતા જુદા જુદા પકવાનોનું જયારે ભોજન કરે છે ત્યારે તેમના મુખથી હું એટલો તૃપ્ત થાઉં છું,તેવો યજ્ઞમાં અગ્નિરૂપ મુખથી યજમાનની આપેલી આહુતિયો ગ્રહણ કરીને નથી થતો.યોગમાયાનું અખંડ અને અસીમ એશ્વર્ય મારા આધીન છે,તથા મારી ચરણોદકરૂપીની ગંગાજી ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કરનારા ભગવાન શંકર સાથે બધાજ લોકોને પવિત્ર કરે છે.તેવા પરમ પવિત્ર તેમ જ પરમેશ્વર થઈને પણ હું જેમની ચરણરજને મારા મુકુટ ઉપર ધારણ કરું છું,તે બ્રાહ્મણોના કર્મને કોણ નહિ સહન કરશે.બ્રાહ્મણ, દૂધ આપનારી ગાયો અને અનાથ પ્રાણી -તે મારા જ શરીર છે.પાપોથી વિવેકદ્રષ્ટિ નાશ થઇ જવાને કારણે જે લોકો તેમને મારાથી જુદા માને છે, તેમને મારા દ્વારા નીમેલા યમરાજના ગ્રૂઘ્ર -જેવા દૂત -જે સાપના જેવા ક્રોધી છે, અત્યંત ક્રોધિત થઈને તેમની ચાંચથી કોચે છે.બ્રાહ્મણ તિરસ્કારપૂર્વક ક્તુભાષણ કરે તો પણ જે તેમનામાં મારી ભાવના કરીને પ્રસન્ન ચિત્તથી તથા અમૃતમયી મુસ્કાનથી યુક્ત મુખકમળથી તેનો આદર કરે છે તથા જેમ રિસાયેલા પિતાને પુત્ર અને આપલોકોને હું મનાવું છું,તેવી રીતે જે પ્રેમપૂર્વ વચનોથી પ્રાર્થના કરતા તેમને શાંત કરે છે,તેઓ મને તેમના વશમાં કરી લે છે.મારા તે સેવકોએ મારો અભિપ્રાય ન સમજીને જ આપલોકોનું અપમાન કર્યું છે.એટલા માટે મારા અનુરોધથી આપ ફક્ત એટલી કૃપા કરો કે તેમનો આ નિર્વાસનકાળ તરત જ સમાપ્ત થઇ જય,તે પોતાના અપરાધના પ્રમાણે અધમ ગતિને ભોગવીને તરતજ મારી પાસે પાછા આવે.
શ્રી બ્રહ્માજી કહે છે -દેવતાઓ ! સનકાદિ મુનિ ક્રોધરૂપ સાપથી ડસેલા હતા,તો પણ તેમનું ચિત્ત હૃદયને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમયી વાણી સાંભળતા સાંભળતા તૃપ્ત ન થયા,ભગવાનની ઉક્તિ ખુબ જ મનોહર અને થોડાજ શબ્દોની હતી,પરંતુ તે એટલી અર્થપૂર્ણ ,સરયુક્ત,દુર્વિગનેય અને ગંભીર હતી,કે ખુબ જ ધ્યાનથી સાંભળવા અને વિચાર કરવાથી પણ તેઓ એ ન જાણી શક્યા કે ભગવાન શું કરવા માંગે છે.ભગવાનની આ અદભુત ઉદારતાને જોઈને તેઓ ખુબ આનંદિત થયા,અને તેમના અંગ અંગ પુલકિત થઇ ગયા.પછી યોગમાયાના પ્રભાવથી પોતાના પરમ ઐશ્વર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા.
મુનિયોએ કહ્યું- સ્વપ્રકાશ ભગવન ! આપ સર્વેશ્વર થઈને પણ જે એ કહી રહ્યા છો કે 'આ આપે મારા પર ખુબ જ અનુગ્રહ કર્યો.' તો તેનાથી આપનો શું અભિપ્રાય છે-તે અમે નથી જાણી શક્યા.પ્રભુ ! તમો બ્રાહ્મણોના ખુબ જ હિતકારી છો,તેનાથી લોકશિક્ષા માટે ભલે આપ એ માનો કે બ્રાહ્મણ મારા આરાધ્ય દેવ છે.હકીકતમાં તો બ્રાહ્મણ તથા દેવતાઓના દેવતા બ્રહ્માદિના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો.સનાતન ધર્મ આપ થી જ ઉત્તપન્ન થયો છે,આપણા અવતારો દ્વારા સમય સમય પર તેની રક્ષા થતી રહે છે,તથા નિર્વિકારસ્વરૂપ આપ જ ધર્મના પરમ ગુહ્ય રહસ્ય છો-તે શાસ્ત્રોનો મત છે.આપણી કૃપાથી નિવૃત પરાયણયોગીજન સહેજમાં જ મૃત્યુરુપી સંસાર સાગરથી પાર થઇ જાય છે, પછી ભલા,બીજું કોઈ આપ પાર શું કૃપા કરી શકે. ભગવન ! બીજા અર્થોમાં લોકો જેમની ચરણ રજને કાયમ પોતાના મસ્તક પર ચઢાવે છે,તે લક્ષ્મીજી આપની સેવામાં નિરંતર લાગેલા રહે છે,એટલે એવું જણાય છે,કે ભાગ્યવાન ભક્તજન જે આપણા ચરણકમલ પર જે નવી તુલસીની માળા ચઢાવે છે,તેના પર ગુંજાર કરતા ભમરાની જેમ તેઓ પણ આપના પાદપદ્મોને જ પોતાનું નિવાસસ્થાન બનાવવા માંગે છે.પરંતુ આપના પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવામાં તત્પર રહેનારા તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર નથી કરતા,આપ તો આપના ભક્તોથી જ વિશેષ પ્રેમ રાખો છો.તમો પોતે જ સંપૂર્ણ ભજનિય ગુણોના આશ્રય છો,શું જ્યાં ત્યાં ફરતા બ્રાહ્મણોના ચરણોમાં લાગવાથી પવિત્ર થયેલી માર્ગની ધૂળ અને શ્રી વત્સનું ચિન્હ આપને પવિત્ર કરી શકે છે ? શું તેનાથી આપની શોભા વધી શકે છે ?
ભગવન ! આપ સાક્ષાત ધર્મસ્વરૂપ છો.આપ સત્યાદિ ત્રણે યુગોમાં પ્રત્યક્ષ રૂપથી વિદયમાંન રહો છો,તથા બ્રાહ્મણ અને દેવતાઓને માટે તપ,શૉચ અને દયા- આપના આ ત્રણ ચરણોથી આ ચરાચર જગતની રક્ષા કરો છો.હવે આપ પોતાની શુદ્ધ સત્વમયી વરદાયિની મૂર્તિથી અમારા ધર્મવિરોધી રજોગુણ -તમોગુણને દૂર કરી નાખો.દેવ ! આ બ્રાહ્મણ કુળ આપના દ્વારા અવશ્ય રક્ષણીય છે.જો સાક્ષાત ધર્મરૂપ થઈને પણ આપ સુમુધુર વાણી અને પુજનાદિના દ્વારા આ ઉત્તમ કુળની રક્ષા ન કરો તો આપણું નિશ્ચિત્ત કરેલો કલ્યાણ માર્ગ જ નષ્ટ થઇ જાય,કેમ કે લોકો તો શ્રેષ્ઠ પુરુષના આવરણને જ પ્રમાણ રૂપથી ગ્રહણ કરે છે.પ્રભુ ! આપ સત્વગુણની ખાણ છો,અને બધા જીવોનું કલ્યાણ કરવા માટે ઉત્સુક છો.તેનાથી આપ આપની શક્તિરૂપ રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો,કેમકે વેદમાર્ગનો ઉચ્છેદ આપને અમિષ્ટ નથી.આપ ત્રિલોકીનાથ અને જગતપ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મણો તરફ આટલા નમ્ર રહો છો,તેનાથી આપના તેજને કોઈ નુકશાન થતું નથી,એજ તો આપની લીલામાત્ર છે.સર્વેશ્વર ! આ દ્વારપાળોને આપ જેમ ચાહો તેમ દંડ આપો,અથવા પુરસ્કારરૂપમાં તેમની વૃત્તિ વધારી આપો- અમે નિષ્કપટ ભાવથી બધી રીતે આપની સાથે સહમત છીએ.અથવા અમે આપના આ નિરપરાધ અનુચરોને શાપ આપ્યો છે,તેના માટે અમોને ઉચિત દંડ આપો.અમને તે પણ સહર્ષ સ્વીકાર્ય છે.
શ્રી ભગવાને કહ્યું- મુનિગણ ! આપે તેમને જે શ્રાપ આપ્યો છે,-સાચું માનો ,તે મારી જ પ્રેરણાથી થયું છે.હવે તે તરત જ દૈત્યયોનીને પ્રાપ્ત થશે.અને ત્યાં ક્રોધાવેશમાં વધેલી એકાગ્રતાને કારણે સુદ્રઢ યોગસંપન્ન થઈને પછી જલ્દીથી મારી પાસે પાછા આવી જશે.
બ્રહ્માજી કહે છે - ત્યારપછી તે મુનિયોએ નયનાભિરામ ભગવન વિષ્ણુ અને તેમના સ્વયંપ્રકાશ વૈકુંઠધામના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવી ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતા કરતા પ્રભુદિત થઈને ત્યાંથી પાછા ગયા.પછી ભગવાને તેમના અનુચરોને કહ્યું,
'જાઓ,મનમાં કોઈ પણ પ્રકારનો ભય ન રાખો,તમારું કલ્યાણ થશે.હું બધુજ કરવામાં સમર્થ હોવા છતાં બ્રહ્મ તેજને બુઝાવવા નથી ચાહતો,કેમકે તેવુંજ મને યોગ્ય પણ છે.એક વાર જયારે હું યોગનિદ્રામાં સ્થિર થઇ ગયો હતો,ત્યારે તમે દ્વારમાં પ્રવેશ કરતા લક્ષ્મીજીને રોક્યા હતા.તે વખતે તેમણે ક્રોધિત થઈને તેજ વખતે તમને શ્રાપ આપી દીધો હતો.હવે દૈત્યયોનીમાં મારા તરફ ક્રોધકાર વૃત્તિ રહેવાથી તમને જે એકાગ્રતા થશે,તેનાથી તમે આ વિપ્ર -તિરસ્કારજનિત પાપથી મુક્ત થઇ જશો.અને પછી થોડાજ સમયમાં મારી પાસે પાછા આવી જશો.'
દ્વારપાળોને આવી રીતે આજ્ઞા આપી ભગવાને વિમાનોની શ્રેણિયોંથી સુસજ્જિત પોતાના સર્વાધિક શ્રીસંપન્ન ધામમાં પ્રવેશ કર્યો.તે દેવશ્રેષ્ઠ જય- વિજય તો બ્રહ્મશ્રાપને કારણે તે અલંગનીય ભગવનધામમાં જ શ્રીહીન થઇ ગયા તથા તેમનો બધો ગર્વ ઓગળી ગયો.તે વખતે દિતિના ગર્ભથી સ્થિત જે કશ્યપજીણું ઉગ્ર તેજ છે,તેમાં ભગવાનના તે પાર્ષદપ્રવરોએ જ પ્રવેશ કર્યો છે. તે બંને અસુરોના તેજથી તમારા બધાનું તેજ ફિક્કું પડી ગયું છે. આ વખતે ભગવાન એવું જ કરવા ઈચ્છે છે.જે આદિપુરુષ સંસારની ઉત્તપત્તિ,સ્થિતિ અને લયનુ કારણ છે,જેમની યોગમાયાને મોટા મોટા યોગીજનો પણ કઠિનતાથી પાર કરી શકે છે,- તે સત્વાદિ ત્રણેય ગુણોના નિયંતા શ્રી હરિ જ અમારું કલ્યાણ કરશે.હવે આ વિષયમાં વધારે વિચાર કરવાથી શું લાભ થઇ શકવાનો છે.
સત્તરમો અધ્યાય
હિરણકશ્યપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણીને દેવતાઓની શંકા દૂર થઇ.અને પછી તેઓ બધા સ્વર્ગલોકમાં પાછા ગયા.
આબાજુ દિતિને પોતાના પતિદેવ ના કહેવા અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવની આશંકા થયા કરતી હતી.એટલા માટે જયારે પુરા સો વર્ષો વીતી ગયા,ત્યારે તે સાધ્વીએ બે યમજ૯જોડવા) પુત્રો ઉત્તપન્ન કર્યા.તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ,પૃથ્વી અને અંતરિક્ષમાં અનેકો ઉત્પાત થવા લાગ્યા.-જેનાથી લોકો ખુબ જ ભયભીત થઇ ગયા.જ્યાં ત્યાં પૃથ્વી અને પર્વત કંપવા મંડ્યા, બધી દિશાઓ સળગવા લાગી,સ્થળે સ્થળે ઉત્કાપાત મચવા લાગ્યો,વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટસૂચક ધૂમકેતુ (પૂંછડિયો તારો)દેખાવા લાગ્યો.વારંવાર સાયં-સાયં કરતી અને મોટા મોટા વૃક્ષોને ઉખાડતો ખુબ જ વિકટ અને અસહ્ય પવન વાવા લાગ્યો.તે વખતે આંધી તેની સેના અને ઊડતી ધૂળ ધ્વજાની જેમ દેખાતી હતી.વીજળી જોર જોરથી ચમકીને માનો ખીલ ખીલા રહી હતી.ઘટાઓએ એવું સઘન રૂપ ધારણ કર્યું કે સૂર્ય ,ચંદ્ર વગેરે ગ્રહોના ખોવાઈ જવાથી આકાશમાં ઘેરો અંધકાર વ્યાપી ગયો.તે વખતે ક્યાંય કઈ પણ દેખાતું ન હતું.સમુદ્ર દુઃખી મનુષ્યની માફક કોલાહલ કરવા લાગ્યો,તેમાં ઉંચા ઉંચા મોઝાં ઉઠવા લાગ્યા,અને તેની અંદર રહેનારા જીવોમાં ખુબ જ હલચલ મચી ગઈ.નદીઓ તથા બીજા જળાશયોમાં પણ મોટી ખલબલી મચી ગઈ અને તેના કમળો સુકાઈ ગયા.સૂર્ય અને ચંદ્રમા વારંવાર ગ્રહિત થવા લાગ્યા અને તેમની આજુબાજુ અમંગળ સૂચક મંડળો બેસવા લાગ્યા વાદળો વગર ગર્જવા જેવા શબ્દો થવા લાગ્યા,અને ગુફાઓમાંથી રથોના ગડગડાહટ જેવા શબ્દો નીકળવા લાગ્યા.ગામોમાં ગીધ અને ઘુવડ ના ભયાનક શબ્દોની સાથે શિયાળ મોઢાથી દહેક્તી આગ વરસાવતા ખુબ જ અમંગળ શબ્દો કરવા લાગ્યા.જ્યાં ત્યાં કુતરા પોતાની ગરદન ઉંચી કરીને ક્યારેક ગાવા અને ક્યારેક રડવાના જેવા જાત જાતના અવાજ કરવા લાગ્યા.વિદુરજી ! ગધેડાના ટોળે ટોળાં પોતાના કઠોર ખારીથી જમીન ખોદતાં અને રેકવાના કઠોર શબ્દો સાથે મતવાલા થઇ આમ તેમ દોડવા લાગ્યા.પક્ષીઓ ગધેડાના અવાજથી ડરીને રડતા ચિલ્લાતા પોતાના માળાઓમાંથી ઉડવા લાગ્યા.પોતાના ખીલામાં બંધાયેલા અને વનમાં ચરતાં ગાય - બળદ વગેરે પશુઓ ડરના માર્યા મળ-મૂત્ર ત્યાગવા લાગ્યા.ગાયો એવી ડરી ગઈ કે દોહવાથી તેમના આચળોમાંથી લોહી નીકળવા લાગ્યું,વાદળ પીયની વર્ષ કરવા લાગ્યા,દેવ મૂર્તિયોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા,અને તોફાન વગર જ વૃક્ષો ઉખડી ઉખડીને પડવા લાગ્યા.શનિ, રાહુ વગેરે ક્રૂર ગ્રહ પ્રબળ થઈને ચંદ્ર,બૃહસ્પતિ વગેરે સૌમ્ય ગ્રહો તથા ઘણા બધા નક્ષત્રો ને લાંઘીને વાંકી ગતિથી ચાલવા લાગ્યા તથા અંદર અંદર યુદ્ધ કરવા લાગ્યા.એવા અન્ય કેટલાય ઉત્પાત જોઈને સનકાદિ ના સિવાય બીજા બધા જીવો ભયભીત થઇ ગયા,તથા તે ઉત્પાતોનો મર્મ ન જાણવાને કારણે તેમણે એ જ સમજી લીધું કે હવે સંસારનો પ્રલય થવાનો છે.
તે બંને આદિદૈત્ય જન્મતાની સાથેજ પોતાના ફૌલાદ જેવા કઠોર શરીરથી વધીને મહાન પર્વતો જેવા થઇ ગયા તથા તેમના પૂર્વ પરાક્રમ પણ પ્રગટ થઇ ગયા.તે એટલા ઊંચા હતા કે તેમના સોનાના મુગુટના આગળનો ભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને તેમના વિશાલ શરીરથી બધી દિશાઓમાં છવાઈ જતા હતા.તેમની ભુજાઓમાં સોનાના બાજુબંધ ચમકી રહ્યા હતા.ધરતી પર જે તેઓ એક એક પગલું ભારત હતાતેનાથી ભૂકંપ થવા લાગતો હતો,અને જયારે એઓ ઉભા થતા હતા ત્યારે તેમની જગમઘાતી ચમકીલી કરધનીથી સુશોભિત કમ્મર તેના પ્રકાશથી સૂર્યને પણ ઝાંખો પડતી હતી.તે બંને યમજ હતા.પ્રજાપતિ કાશ્યપજીએ તેઓનું નામકરણ કર્યું.તેમાંથી તેમના વીર્યથી જે પહેલા દિતિના ગર્ભમાં સ્થાપિત થયા હતા તેનું નામ હિરણકશ્યપુ રાખ્યું અને જે દિતિના ઉંદરથી પહેલો નીકળ્યો તે હિરણ્યાક્ષના નામથી વિલહ્યાત થયો.
હિરણકશ્યપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુભયથી મુક્ત થઇ જવાને કારણે ખુબ જ ઉદ્ધત થઇ ગયો હતો.તેણે પોતાની ભુજાના બળથી લોકપાલકો સાથે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધા.તે પોતાના નાના ભાઈ હિરણ્યાક્ષ ને ખુબ ચાહતો હતો. અને તે પણ પોતાના મોટાભાઈના પ્રિય કાર્ય કરતો રહેતો હતો.એક વખત તે હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધનો અવસર શોધતો સ્વર્ગલોકમાં જઈ ચઢ્યો.તેનો વેગ ખુબ જ અસહ્ય હતો.તેના પગોમાં સોનાના ઘૂઘરાની ઝનકાર થઇ રહી હતી,ગાળામાં વિજયસૂચક માળા પહેરેલી હતી.અને ખભા પર વીશાળ ગદા રાખેલી હતી. તેના મનોબળ,શારીરિકબળ અને બ્રહ્માજીના વરદાને તેને અભિમાની કરી રાખ્યો હતો.એટલામાટે તે કાયમ નિરંકુશ અને નિર્ભય થઇ ગયો હતો.તેને જોઈને દેવતાઓ ડરના માર્યા એમ જ જ્યાં ત્યાં છુપાઈ ગયા,જેમ ગરુડના ડરથી સાપ છુપાઈ જાય છે.જયારે દૈત્યરાજ હિરણ્યાક્ષે જોયું કે મારા તેજથી મોટા મોટા ઇન્દ્ર જેવા ગર્વિત દેવતા પણ છુપાઈ ગયા છે,ત્યારે તેઓને પોતાની સામે ન જોતા તે વારંવાર ગર્જના કરવા લાગ્યો.પછી તે મહાબલી દૈત્ય ત્યાંથી પાછો જળક્રીડા કરવા મતવાલા હાથીની માફક ઊંડા સમુદ્રમાં ઘુસી ગયો.જેમાં લહેરોની મોટી ભયંકર ગર્જનાઓ થઇ રહી હતી.જેવો તેણે સમુદ્રમાં પગ રાખ્યો કે ડરના માર્યા વરુણના સૈનિક જળચર જીવો હલબલી ગયા અને કોઈ પ્રકારની છેડછાડ ન કરવા છતાં પણ તેનાથી ગભરાઈને ખુબ દૂર ભાગી ગયા મહાબલી હિરણ્યાક્ષ ઘણા વર્ષો સમુદ્રમાંજ ફરતો અને સામે કોઈ પ્રતિપક્ષીને ન જોતા વારંવાર વાયુવેગથી ઉઠેલી તેની પ્રચંડ તરંગો પરજ તેની લોહમયી ગદાને અજમાવતો રહ્યો,તે રીતે ફરતો ફરતો તે વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ ચઢ્યો.ત્યાં પાતાળલોકનાં સ્વામી જળચરોના અધિપતિ વરુણજીને જોઈને તેણે તેમની હાંસી ઉડાવતા નીચ મનુષ્યની માફક પ્રણામ કર્યા અને કૈક મુસ્કરાતા વ્યંગથી કહ્યું- 'મહારાજ ! મને યુદ્ધની ભિક્ષા આપો,પ્રભુ ! તમો તો લોકપાલક,રાજા અને ખુબ જ કીર્તિશાળી છો.જે લોકો પોતાને વાંકા વીર સમજતા હતા,તેના વીર્યમદને પણ આપ ચૂરો કરી ચુક્યા છો,અને પહેલા એકવાર આપે સંસારના બધાજ દૈત્ય-દાનવોને જીતીને રાજસૂય યજ્ઞ પણ કર્યો હતો.
તે મંદોન્મત્ત શત્રુનો એવી રીતે ખુબ જ ઉપહાસ કરવાથી ભગવાન અરુણને ક્રોધ તો ખુબ આવ્યો,પરંતુ પોતાની બુદ્ધિબળે તેઓ તેણે પી ગયા અને બદલામાં તેણે કહેવા લાગ્યા-'ભાઈ ! મને તો હવે કોઈ યુદ્ધ વગેરેનો કોઈ ચાવ નથી રહી ગયો, ભગવાન પુરાણ પુરુષ ના સિવાય મને કોઈ બીજું દેખાતું પણ નથી જે તારા જેવા રણકુશળ વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે.દૈત્યરાજ ! તમે તેમની પાસે જાઓ ,તેઓ જ તમારી કામના પુરી કરશે.તમારા જેવા વીર તેમનાજ ગુણગાન કર્યા કરે છે.તે ખુબ જ વીર છે.તેમની પાસે પહોંચતા જ તમારી બધો શોખ પૂર્ણ થઇ જશે અને તમે કુતરાથી ઘેરાઈને વીરશય્યા પર શયન કરશો.તે તમારા જેવા દુષ્ટોને મારવા અને સત્પુરુષો પર કૃપા કરવા માટે અનેક પ્રકારના રૂપો ધર્યા કરે છે.
શ્રી બ્રહ્માજીએ કહ્યું-દેવગણ ! જયારે યોગનિષ્ઠ સનકાદિ મુનિયોએ આવી રીતે સ્તુતિ કરી,ત્યારે વૈકુંઠ નિવાસ શ્રી હરિએ તેમની પ્રશંસા કરતા કરતા આમ કહ્યું.
શ્રી ભગવાને કહ્યું- મુનિગણ ! આ જય વિજય મારા પાર્ષદ છે.તેઓએ મારી કોઈ પરવા ન કરતા તમારો ખુબ મોટો અપરાધ કર્યો છે.તમે લોકો પણ મારા અનુગત ભક્ત છો,એટલે આવી રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે આપે તેઓને જે દંડ આપ્યો છે,તે મને પણ મંઝૂર છે.બ્રાહ્મણ મારા પરમ આરાધ્ય છે,મારા અનુચરો દ્વારા આપલલોકોનો જે તિરસ્કાર થયો છે,તેને હું મેજ કર્યો હોય તેમ માનું છું.એટલા માટે હું આપ લોકો પાસે પ્રસન્નતાની ભીખ માંગુ છું.સેવકોએ કરેલા અપરાધ માટે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે.આ અપયશ તેમની કીર્તિને આવી રીતે દુષિત કરી નાખે છે.જે ચામડીને ચર્મરોગ.મારી નિર્મલ સુયશ સુધામાં ગોથું મારવાથી ચાંડાલસહિત આખું જગત તરત પવિત્ર થઇ જય છે,એટલા માટે હું 'વિકુંઠ'કહેવાઉં છું.પરંતુ તે પવિત્ર કીર્તિ મને આપલોકોથી જ પ્રાપ્ત થઇ છે.એટલા માટે જે કોઈ આપણા વિરુદ્ધ આચરણ કરશે,તે મારી ભુજાઓ પણ કેમ ન હોય -હું તરત તેને કાપી નાખીશ.આપ લોકોની સેવા કરવાથી જ મારી ચરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઇ છે,કે તે બધા પાપોને તત્કાલ નાશ કરી નાખે છે.અને મને એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ નથી છોડતી.- તોપણ તેને લેશમાત્ર કૃપા કટાક્ષ માટે બીજા બ્રહ્માદિ દેવતા નાના પ્રકારના નિયમો તેમ જ વ્રતોનું પાલન કરે છે.જે પોતાના સંપૂર્ણ કર્મફળ મને અર્પણ કરીને કાયમ સંતોષી રહે છે તે નિષ્કામ બ્રાહ્મણ ગ્રાસ ગ્રાસ પર તૃપ્ત થતા જુદા જુદા પકવાનોનું જયારે ભોજન કરે છે ત્યારે તેમના મુખથી હું એટલો તૃપ્ત થાઉં છું,તેવો યજ્ઞમાં અગ્નિરૂપ મુખથી યજમાનની આપેલી આહુતિયો ગ્રહણ કરીને નથી થતો.યોગમાયાનું અખંડ અને અસીમ એશ્વર્ય મારા આધીન છે,તથા મારી ચરણોદકરૂપીની ગંગાજી ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કરનારા ભગવાન શંકર સાથે બધાજ લોકોને પવિત્ર કરે છે.તેવા પરમ પવિત્ર તેમ જ પરમેશ્વર થઈને પણ હું જેમની ચરણરજને મારા મુકુટ ઉપર ધારણ કરું છું,તે બ્રાહ્મણોના કર્મને કોણ નહિ સહન કરશે.બ્રાહ્મણ, દૂધ આપનારી ગાયો અને અનાથ પ્રાણી -તે મારા જ શરીર છે.પાપોથી વિવેકદ્રષ્ટિ નાશ થઇ જવાને કારણે જે લોકો તેમને મારાથી જુદા માને છે, તેમને મારા દ્વારા નીમેલા યમરાજના ગ્રૂઘ્ર -જેવા દૂત -જે સાપના જેવા ક્રોધી છે, અત્યંત ક્રોધિત થઈને તેમની ચાંચથી કોચે છે.બ્રાહ્મણ તિરસ્કારપૂર્વક ક્તુભાષણ કરે તો પણ જે તેમનામાં મારી ભાવના કરીને પ્રસન્ન ચિત્તથી તથા અમૃતમયી મુસ્કાનથી યુક્ત મુખકમળથી તેનો આદર કરે છે તથા જેમ રિસાયેલા પિતાને પુત્ર અને આપલોકોને હું મનાવું છું,તેવી રીતે જે પ્રેમપૂર્વ વચનોથી પ્રાર્થના કરતા તેમને શાંત કરે છે,તેઓ મને તેમના વશમાં કરી લે છે.મારા તે સેવકોએ મારો અભિપ્રાય ન સમજીને જ આપલોકોનું અપમાન કર્યું છે.એટલા માટે મારા અનુરોધથી આપ ફક્ત એટલી કૃપા કરો કે તેમનો આ નિર્વાસનકાળ તરત જ સમાપ્ત થઇ જય,તે પોતાના અપરાધના પ્રમાણે અધમ ગતિને ભોગવીને તરતજ મારી પાસે પાછા આવે.
શ્રી બ્રહ્માજી કહે છે -દેવતાઓ ! સનકાદિ મુનિ ક્રોધરૂપ સાપથી ડસેલા હતા,તો પણ તેમનું ચિત્ત હૃદયને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમયી વાણી સાંભળતા સાંભળતા તૃપ્ત ન થયા,ભગવાનની ઉક્તિ ખુબ જ મનોહર અને થોડાજ શબ્દોની હતી,પરંતુ તે એટલી અર્થપૂર્ણ ,સરયુક્ત,દુર્વિગનેય અને ગંભીર હતી,કે ખુબ જ ધ્યાનથી સાંભળવા અને વિચાર કરવાથી પણ તેઓ એ ન જાણી શક્યા કે ભગવાન શું કરવા માંગે છે.ભગવાનની આ અદભુત ઉદારતાને જોઈને તેઓ ખુબ આનંદિત થયા,અને તેમના અંગ અંગ પુલકિત થઇ ગયા.પછી યોગમાયાના પ્રભાવથી પોતાના પરમ ઐશ્વર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા.
મુનિયોએ કહ્યું- સ્વપ્રકાશ ભગવન ! આપ સર્વેશ્વર થઈને પણ જે એ કહી રહ્યા છો કે 'આ આપે મારા પર ખુબ જ અનુગ્રહ કર્યો.' તો તેનાથી આપનો શું અભિપ્રાય છે-તે અમે નથી જાણી શક્યા.પ્રભુ ! તમો બ્રાહ્મણોના ખુબ જ હિતકારી છો,તેનાથી લોકશિક્ષા માટે ભલે આપ એ માનો કે બ્રાહ્મણ મારા આરાધ્ય દેવ છે.હકીકતમાં તો બ્રાહ્મણ તથા દેવતાઓના દેવતા બ્રહ્માદિના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો.સનાતન ધર્મ આપ થી જ ઉત્તપન્ન થયો છે,આપણા અવતારો દ્વારા સમય સમય પર તેની રક્ષા થતી રહે છે,તથા નિર્વિકારસ્વરૂપ આપ જ ધર્મના પરમ ગુહ્ય રહસ્ય છો-તે શાસ્ત્રોનો મત છે.આપણી કૃપાથી નિવૃત પરાયણયોગીજન સહેજમાં જ મૃત્યુરુપી સંસાર સાગરથી પાર થઇ જાય છે, પછી ભલા,બીજું કોઈ આપ પાર શું કૃપા કરી શકે. ભગવન ! બીજા અર્થોમાં લોકો જેમની ચરણ રજને કાયમ પોતાના મસ્તક પર ચઢાવે છે,તે લક્ષ્મીજી આપની સેવામાં નિરંતર લાગેલા રહે છે,એટલે એવું જણાય છે,કે ભાગ્યવાન ભક્તજન જે આપણા ચરણકમલ પર જે નવી તુલસીની માળા ચઢાવે છે,તેના પર ગુંજાર કરતા ભમરાની જેમ તેઓ પણ આપના પાદપદ્મોને જ પોતાનું નિવાસસ્થાન બનાવવા માંગે છે.પરંતુ આપના પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવામાં તત્પર રહેનારા તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર નથી કરતા,આપ તો આપના ભક્તોથી જ વિશેષ પ્રેમ રાખો છો.તમો પોતે જ સંપૂર્ણ ભજનિય ગુણોના આશ્રય છો,શું જ્યાં ત્યાં ફરતા બ્રાહ્મણોના ચરણોમાં લાગવાથી પવિત્ર થયેલી માર્ગની ધૂળ અને શ્રી વત્સનું ચિન્હ આપને પવિત્ર કરી શકે છે ? શું તેનાથી આપની શોભા વધી શકે છે ?
ભગવન ! આપ સાક્ષાત ધર્મસ્વરૂપ છો.આપ સત્યાદિ ત્રણે યુગોમાં પ્રત્યક્ષ રૂપથી વિદયમાંન રહો છો,તથા બ્રાહ્મણ અને દેવતાઓને માટે તપ,શૉચ અને દયા- આપના આ ત્રણ ચરણોથી આ ચરાચર જગતની રક્ષા કરો છો.હવે આપ પોતાની શુદ્ધ સત્વમયી વરદાયિની મૂર્તિથી અમારા ધર્મવિરોધી રજોગુણ -તમોગુણને દૂર કરી નાખો.દેવ ! આ બ્રાહ્મણ કુળ આપના દ્વારા અવશ્ય રક્ષણીય છે.જો સાક્ષાત ધર્મરૂપ થઈને પણ આપ સુમુધુર વાણી અને પુજનાદિના દ્વારા આ ઉત્તમ કુળની રક્ષા ન કરો તો આપણું નિશ્ચિત્ત કરેલો કલ્યાણ માર્ગ જ નષ્ટ થઇ જાય,કેમ કે લોકો તો શ્રેષ્ઠ પુરુષના આવરણને જ પ્રમાણ રૂપથી ગ્રહણ કરે છે.પ્રભુ ! આપ સત્વગુણની ખાણ છો,અને બધા જીવોનું કલ્યાણ કરવા માટે ઉત્સુક છો.તેનાથી આપ આપની શક્તિરૂપ રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો,કેમકે વેદમાર્ગનો ઉચ્છેદ આપને અમિષ્ટ નથી.આપ ત્રિલોકીનાથ અને જગતપ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મણો તરફ આટલા નમ્ર રહો છો,તેનાથી આપના તેજને કોઈ નુકશાન થતું નથી,એજ તો આપની લીલામાત્ર છે.સર્વેશ્વર ! આ દ્વારપાળોને આપ જેમ ચાહો તેમ દંડ આપો,અથવા પુરસ્કારરૂપમાં તેમની વૃત્તિ વધારી આપો- અમે નિષ્કપટ ભાવથી બધી રીતે આપની સાથે સહમત છીએ.અથવા અમે આપના આ નિરપરાધ અનુચરોને શાપ આપ્યો છે,તેના માટે અમોને ઉચિત દંડ આપો.અમને તે પણ સહર્ષ સ્વીકાર્ય છે.
શ્રી ભગવાને કહ્યું- મુનિગણ ! આપે તેમને જે શ્રાપ આપ્યો છે,-સાચું માનો ,તે મારી જ પ્રેરણાથી થયું છે.હવે તે તરત જ દૈત્યયોનીને પ્રાપ્ત થશે.અને ત્યાં ક્રોધાવેશમાં વધેલી એકાગ્રતાને કારણે સુદ્રઢ યોગસંપન્ન થઈને પછી જલ્દીથી મારી પાસે પાછા આવી જશે.
બ્રહ્માજી કહે છે - ત્યારપછી તે મુનિયોએ નયનાભિરામ ભગવન વિષ્ણુ અને તેમના સ્વયંપ્રકાશ વૈકુંઠધામના દર્શન કરીને પ્રભુની પરિક્રમા કરી અને તેમને પ્રણામ કરીને તથા તેમની આજ્ઞા મેળવી ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરતા કરતા પ્રભુદિત થઈને ત્યાંથી પાછા ગયા.પછી ભગવાને તેમના અનુચરોને કહ્યું,
'જાઓ,મનમાં કોઈ પણ પ્રકારનો ભય ન રાખો,તમારું કલ્યાણ થશે.હું બધુજ કરવામાં સમર્થ હોવા છતાં બ્રહ્મ તેજને બુઝાવવા નથી ચાહતો,કેમકે તેવુંજ મને યોગ્ય પણ છે.એક વાર જયારે હું યોગનિદ્રામાં સ્થિર થઇ ગયો હતો,ત્યારે તમે દ્વારમાં પ્રવેશ કરતા લક્ષ્મીજીને રોક્યા હતા.તે વખતે તેમણે ક્રોધિત થઈને તેજ વખતે તમને શ્રાપ આપી દીધો હતો.હવે દૈત્યયોનીમાં મારા તરફ ક્રોધકાર વૃત્તિ રહેવાથી તમને જે એકાગ્રતા થશે,તેનાથી તમે આ વિપ્ર -તિરસ્કારજનિત પાપથી મુક્ત થઇ જશો.અને પછી થોડાજ સમયમાં મારી પાસે પાછા આવી જશો.'
દ્વારપાળોને આવી રીતે આજ્ઞા આપી ભગવાને વિમાનોની શ્રેણિયોંથી સુસજ્જિત પોતાના સર્વાધિક શ્રીસંપન્ન ધામમાં પ્રવેશ કર્યો.તે દેવશ્રેષ્ઠ જય- વિજય તો બ્રહ્મશ્રાપને કારણે તે અલંગનીય ભગવનધામમાં જ શ્રીહીન થઇ ગયા તથા તેમનો બધો ગર્વ ઓગળી ગયો.તે વખતે દિતિના ગર્ભથી સ્થિત જે કશ્યપજીણું ઉગ્ર તેજ છે,તેમાં ભગવાનના તે પાર્ષદપ્રવરોએ જ પ્રવેશ કર્યો છે. તે બંને અસુરોના તેજથી તમારા બધાનું તેજ ફિક્કું પડી ગયું છે. આ વખતે ભગવાન એવું જ કરવા ઈચ્છે છે.જે આદિપુરુષ સંસારની ઉત્તપત્તિ,સ્થિતિ અને લયનુ કારણ છે,જેમની યોગમાયાને મોટા મોટા યોગીજનો પણ કઠિનતાથી પાર કરી શકે છે,- તે સત્વાદિ ત્રણેય ગુણોના નિયંતા શ્રી હરિ જ અમારું કલ્યાણ કરશે.હવે આ વિષયમાં વધારે વિચાર કરવાથી શું લાભ થઇ શકવાનો છે.
સત્તરમો અધ્યાય
હિરણકશ્યપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારણ જાણીને દેવતાઓની શંકા દૂર થઇ.અને પછી તેઓ બધા સ્વર્ગલોકમાં પાછા ગયા.
આબાજુ દિતિને પોતાના પતિદેવ ના કહેવા અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવની આશંકા થયા કરતી હતી.એટલા માટે જયારે પુરા સો વર્ષો વીતી ગયા,ત્યારે તે સાધ્વીએ બે યમજ૯જોડવા) પુત્રો ઉત્તપન્ન કર્યા.તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ,પૃથ્વી અને અંતરિક્ષમાં અનેકો ઉત્પાત થવા લાગ્યા.-જેનાથી લોકો ખુબ જ ભયભીત થઇ ગયા.જ્યાં ત્યાં પૃથ્વી અને પર્વત કંપવા મંડ્યા, બધી દિશાઓ સળગવા લાગી,સ્થળે સ્થળે ઉત્કાપાત મચવા લાગ્યો,વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટસૂચક ધૂમકેતુ (પૂંછડિયો તારો)દેખાવા લાગ્યો.વારંવાર સાયં-સાયં કરતી અને મોટા મોટા વૃક્ષોને ઉખાડતો ખુબ જ વિકટ અને અસહ્ય પવન વાવા લાગ્યો.તે વખતે આંધી તેની સેના અને ઊડતી ધૂળ ધ્વજાની જેમ દેખાતી હતી.વીજળી જોર જોરથી ચમકીને માનો ખીલ ખીલા રહી હતી.ઘટાઓએ એવું સઘન રૂપ ધારણ કર્યું કે સૂર્ય ,ચંદ્ર વગેરે ગ્રહોના ખોવાઈ જવાથી આકાશમાં ઘેરો અંધકાર વ્યાપી ગયો.તે વખતે ક્યાંય કઈ પણ દેખાતું ન હતું.સમુદ્ર દુઃખી મનુષ્યની માફક કોલાહલ કરવા લાગ્યો,તેમાં ઉંચા ઉંચા મોઝાં ઉઠવા લાગ્યા,અને તેની અંદર રહેનારા જીવોમાં ખુબ જ હલચલ મચી ગઈ.નદીઓ તથા બીજા જળાશયોમાં પણ મોટી ખલબલી મચી ગઈ અને તેના કમળો સુકાઈ ગયા.સૂર્ય અને ચંદ્રમા વારંવાર ગ્રહિત થવા લાગ્યા અને તેમની આજુબાજુ અમંગળ સૂચક મંડળો બેસવા લાગ્યા વાદળો વગર ગર્જવા જેવા શબ્દો થવા લાગ્યા,અને ગુફાઓમાંથી રથોના ગડગડાહટ જેવા શબ્દો નીકળવા લાગ્યા.ગામોમાં ગીધ અને ઘુવડ ના ભયાનક શબ્દોની સાથે શિયાળ મોઢાથી દહેક્તી આગ વરસાવતા ખુબ જ અમંગળ શબ્દો કરવા લાગ્યા.જ્યાં ત્યાં કુતરા પોતાની ગરદન ઉંચી કરીને ક્યારેક ગાવા અને ક્યારેક રડવાના જેવા જાત જાતના અવાજ કરવા લાગ્યા.વિદુરજી ! ગધેડાના ટોળે ટોળાં પોતાના કઠોર ખારીથી જમીન ખોદતાં અને રેકવાના કઠોર શબ્દો સાથે મતવાલા થઇ આમ તેમ દોડવા લાગ્યા.પક્ષીઓ ગધેડાના અવાજથી ડરીને રડતા ચિલ્લાતા પોતાના માળાઓમાંથી ઉડવા લાગ્યા.પોતાના ખીલામાં બંધાયેલા અને વનમાં ચરતાં ગાય - બળદ વગેરે પશુઓ ડરના માર્યા મળ-મૂત્ર ત્યાગવા લાગ્યા.ગાયો એવી ડરી ગઈ કે દોહવાથી તેમના આચળોમાંથી લોહી નીકળવા લાગ્યું,વાદળ પીયની વર્ષ કરવા લાગ્યા,દેવ મૂર્તિયોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા,અને તોફાન વગર જ વૃક્ષો ઉખડી ઉખડીને પડવા લાગ્યા.શનિ, રાહુ વગેરે ક્રૂર ગ્રહ પ્રબળ થઈને ચંદ્ર,બૃહસ્પતિ વગેરે સૌમ્ય ગ્રહો તથા ઘણા બધા નક્ષત્રો ને લાંઘીને વાંકી ગતિથી ચાલવા લાગ્યા તથા અંદર અંદર યુદ્ધ કરવા લાગ્યા.એવા અન્ય કેટલાય ઉત્પાત જોઈને સનકાદિ ના સિવાય બીજા બધા જીવો ભયભીત થઇ ગયા,તથા તે ઉત્પાતોનો મર્મ ન જાણવાને કારણે તેમણે એ જ સમજી લીધું કે હવે સંસારનો પ્રલય થવાનો છે.
તે બંને આદિદૈત્ય જન્મતાની સાથેજ પોતાના ફૌલાદ જેવા કઠોર શરીરથી વધીને મહાન પર્વતો જેવા થઇ ગયા તથા તેમના પૂર્વ પરાક્રમ પણ પ્રગટ થઇ ગયા.તે એટલા ઊંચા હતા કે તેમના સોનાના મુગુટના આગળનો ભાગ સ્વર્ગને સ્પર્શ કરતો હતો અને તેમના વિશાલ શરીરથી બધી દિશાઓમાં છવાઈ જતા હતા.તેમની ભુજાઓમાં સોનાના બાજુબંધ ચમકી રહ્યા હતા.ધરતી પર જે તેઓ એક એક પગલું ભારત હતાતેનાથી ભૂકંપ થવા લાગતો હતો,અને જયારે એઓ ઉભા થતા હતા ત્યારે તેમની જગમઘાતી ચમકીલી કરધનીથી સુશોભિત કમ્મર તેના પ્રકાશથી સૂર્યને પણ ઝાંખો પડતી હતી.તે બંને યમજ હતા.પ્રજાપતિ કાશ્યપજીએ તેઓનું નામકરણ કર્યું.તેમાંથી તેમના વીર્યથી જે પહેલા દિતિના ગર્ભમાં સ્થાપિત થયા હતા તેનું નામ હિરણકશ્યપુ રાખ્યું અને જે દિતિના ઉંદરથી પહેલો નીકળ્યો તે હિરણ્યાક્ષના નામથી વિલહ્યાત થયો.
હિરણકશ્યપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુભયથી મુક્ત થઇ જવાને કારણે ખુબ જ ઉદ્ધત થઇ ગયો હતો.તેણે પોતાની ભુજાના બળથી લોકપાલકો સાથે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધા.તે પોતાના નાના ભાઈ હિરણ્યાક્ષ ને ખુબ ચાહતો હતો. અને તે પણ પોતાના મોટાભાઈના પ્રિય કાર્ય કરતો રહેતો હતો.એક વખત તે હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને યુદ્ધનો અવસર શોધતો સ્વર્ગલોકમાં જઈ ચઢ્યો.તેનો વેગ ખુબ જ અસહ્ય હતો.તેના પગોમાં સોનાના ઘૂઘરાની ઝનકાર થઇ રહી હતી,ગાળામાં વિજયસૂચક માળા પહેરેલી હતી.અને ખભા પર વીશાળ ગદા રાખેલી હતી. તેના મનોબળ,શારીરિકબળ અને બ્રહ્માજીના વરદાને તેને અભિમાની કરી રાખ્યો હતો.એટલામાટે તે કાયમ નિરંકુશ અને નિર્ભય થઇ ગયો હતો.તેને જોઈને દેવતાઓ ડરના માર્યા એમ જ જ્યાં ત્યાં છુપાઈ ગયા,જેમ ગરુડના ડરથી સાપ છુપાઈ જાય છે.જયારે દૈત્યરાજ હિરણ્યાક્ષે જોયું કે મારા તેજથી મોટા મોટા ઇન્દ્ર જેવા ગર્વિત દેવતા પણ છુપાઈ ગયા છે,ત્યારે તેઓને પોતાની સામે ન જોતા તે વારંવાર ગર્જના કરવા લાગ્યો.પછી તે મહાબલી દૈત્ય ત્યાંથી પાછો જળક્રીડા કરવા મતવાલા હાથીની માફક ઊંડા સમુદ્રમાં ઘુસી ગયો.જેમાં લહેરોની મોટી ભયંકર ગર્જનાઓ થઇ રહી હતી.જેવો તેણે સમુદ્રમાં પગ રાખ્યો કે ડરના માર્યા વરુણના સૈનિક જળચર જીવો હલબલી ગયા અને કોઈ પ્રકારની છેડછાડ ન કરવા છતાં પણ તેનાથી ગભરાઈને ખુબ દૂર ભાગી ગયા મહાબલી હિરણ્યાક્ષ ઘણા વર્ષો સમુદ્રમાંજ ફરતો અને સામે કોઈ પ્રતિપક્ષીને ન જોતા વારંવાર વાયુવેગથી ઉઠેલી તેની પ્રચંડ તરંગો પરજ તેની લોહમયી ગદાને અજમાવતો રહ્યો,તે રીતે ફરતો ફરતો તે વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ ચઢ્યો.ત્યાં પાતાળલોકનાં સ્વામી જળચરોના અધિપતિ વરુણજીને જોઈને તેણે તેમની હાંસી ઉડાવતા નીચ મનુષ્યની માફક પ્રણામ કર્યા અને કૈક મુસ્કરાતા વ્યંગથી કહ્યું- 'મહારાજ ! મને યુદ્ધની ભિક્ષા આપો,પ્રભુ ! તમો તો લોકપાલક,રાજા અને ખુબ જ કીર્તિશાળી છો.જે લોકો પોતાને વાંકા વીર સમજતા હતા,તેના વીર્યમદને પણ આપ ચૂરો કરી ચુક્યા છો,અને પહેલા એકવાર આપે સંસારના બધાજ દૈત્ય-દાનવોને જીતીને રાજસૂય યજ્ઞ પણ કર્યો હતો.
તે મંદોન્મત્ત શત્રુનો એવી રીતે ખુબ જ ઉપહાસ કરવાથી ભગવાન અરુણને ક્રોધ તો ખુબ આવ્યો,પરંતુ પોતાની બુદ્ધિબળે તેઓ તેણે પી ગયા અને બદલામાં તેણે કહેવા લાગ્યા-'ભાઈ ! મને તો હવે કોઈ યુદ્ધ વગેરેનો કોઈ ચાવ નથી રહી ગયો, ભગવાન પુરાણ પુરુષ ના સિવાય મને કોઈ બીજું દેખાતું પણ નથી જે તારા જેવા રણકુશળ વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે.દૈત્યરાજ ! તમે તેમની પાસે જાઓ ,તેઓ જ તમારી કામના પુરી કરશે.તમારા જેવા વીર તેમનાજ ગુણગાન કર્યા કરે છે.તે ખુબ જ વીર છે.તેમની પાસે પહોંચતા જ તમારી બધો શોખ પૂર્ણ થઇ જશે અને તમે કુતરાથી ઘેરાઈને વીરશય્યા પર શયન કરશો.તે તમારા જેવા દુષ્ટોને મારવા અને સત્પુરુષો પર કૃપા કરવા માટે અનેક પ્રકારના રૂપો ધર્યા કરે છે.
અધ્યાય અઢારમો
હિરણ્યાક્ષ સાથે વરાહ ભગવાનનું યુદ્ધ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -તાત ! વરુણજીની આ વાત સાંભળીને તે અભિમાની દૈત્ય ખુબ જ ખુશ થયો.તેણે તેમના તે કહેવા પર કે 'તું તેમના હાથે માર્યો જઈશ' કઈ પણ ધ્યાન ન અને ઝડપથી નારદજી પાસેથી તેમની જાણ મેળવીને તરત જ રસાતળમાં પહોંચી ગયો.ત્યાં તેણે વિશ્વવિજયી વરાહ ભગવાનને તેમની દાઢોની નોક પર પૃથ્વીને ઉપરની બાજુ લઇ જતા જોયા.તે પોતાના લાલ લાલ ચમકતા નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખીલ ખિલાટ હસી પડ્યો અને બોલ્યો 'અરે ! આ જંગલી પશુ અહીં પાણીમાં ક્યાંથી આવ્યું' પછી વરાહજીને કહ્યું,'અરે ! નાસમજ ! અહીં આવ,આ પૃથ્વીને છોડી દે ,તેને વિશ્વવિધાતા બ્રહ્માજીએ અમને રસાતળવાસીઓને હવાલે કરી દીધી છે.રે સુવ્વરરૂપધારી સુરાધામ ! મારી નજરો નજર તું તેને લઈને કુશળપૂર્વક નહિ જઈ શકે.તું માયાથી લૂપ-છુપાઈને જ દૈત્યોને જીતી લઇ અને મારી નાખે છે.શું તેનાથી અમારા શત્રુઓએ અમારો નાશ કરાવવા તને પાળ્યો છે ? મૂર્ખ ! તારું બળ તો યોગમાયા જ છે, બીજો કોઈ પુરુષાર્થ તારામાં થોડો છે .આજે તને સમાપ્ત કરીને હું મારા ભાઈઓનું દુઃખ દૂર કરીશ.જયારે મારા હાથથી છુટેલી ગદાના પ્રહારથી તારું માથું ફૂટી જવાથી તું મરી જશે,ત્યારે તારી આરાધના કરનારા જે દેવતાઓ અને ઋષિયો છે તે જડમૂળથી કપાઈ ગયેલા વૃક્ષની માફક જાતેજ નાશ પામશે.
હિરણ્યાક્ષ ભગવાનને દુર્વચન બાણોથી વીંધી રહ્યો હતો,પરંતુ તેમણે દાંતોની નોક ઉપર સ્થિર પૃથ્વીને ભયભીત જોઈને તે ઘાવ સહી લીધા તથા પાણીથી તેવી જ રીતે બહાર આવી ગયા,જેમ મગરની પકડથી ગવાઈને હાથીણી સાથે ગજરાજ.જયારે તેની ચુનૌતીનો કોઈ જવાબ ન આપતા તે બહાર આવવા લાગ્યા તેમ મગર જેમ ગજરાજનો પીછો કરે તેમ તે પીળા વાળ અને તીખી દાઢોવાળો તે દૈત્ય તેમનો પીછો કર્યો તથા વ્રજની માફક કડક થઈને તે કહેવા લાગ્યો,'તને ભાગવામાં શરમ નથી આવતી ? સાચું છે,અસત્ય પુરુષો માટે કયું કામ ન કરવા જેવું છે ?'
ભગવાને પૃથ્વીને લઇ જઈને પાણીની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાનમાં સ્થિર કરી દીધી અને તેમાં પોતાની આધારશક્તિ નો સંચાર કર્યો.તે વખતે હિરણ્યાક્ષની સામે જ બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને દેવતાઓએ ફૂલ વર્ષાવ્યા ત્યારે શ્રી હરિએ પોતાની પાછળ ઘણી ભારે ગદ્દા લઈને આવી રહેલા હિરણ્યાક્ષ કે જેણે સોનાના આભૂષણો,અને અદભુત કવચ ધારણ કરેલા હતા,તથા પોતાના કટુ વાક્યોથી તેમને નિરંતર મર્માહટ કરી રહ્યો હતો,અત્યંત હસતા હસતા ક્રોધપૂર્વક કહ્યું.
શ્રી ભગવાને કહ્યું- અરે ! સાચે જ હું જંગલી જીવ છે,જે તારા જેવા ગામ- સિંહોને(કુતરાઓ )શોધતા ફરીયે છીએ,દુષ્ટ ! વીર પુરુષ તારા જેવા મૃત્યુપાશમાં બંધાયેલા અભાગ્યા જીવોની આત્મશ્લાધાર પર ધ્યાન નથી આપતા.હા ! હું રસાતળવાસિની ધરોહર ચોરીને અને શરમ વગર તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યો છું, મારામાં એવું સામર્થ્ય જ ક્યાં કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્ધમાં ટકી શકું.છતાંપણ હું જેમતેમ તારી સામે ઉભો છું, તારા જેવા બળવાન સાથે વેર બાંધીને હું જઈ પણ ક્યાં શકું ?તું પૈદલ વીરોનો સરદાર છે.એટલા માટે હવે નિઃશંક થઈને-ઉધેડ- બન છોડીને અમારું અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર.અને મને મારીને તારા ભાઈ બંધુના આંસુ લુછ.હવે તેમાં વાર ન લગાડ.જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા,તે અસભ્ય છે.-ભલે માણસોમાં બેસવા લાયક ન હોય.
મૈત્રેયજી કહે છે- વિદુરજી !જયારે ભગવાને રોષથી તે દૈત્યને આવી રીતે ખુબ ઉપહાસ અને તિરસ્કાર કર્યો ,ત્યારે તે પકડીને રમાડતા સાપની માફક ક્રોધથી ખદબદી ગયોતે ખિજવાઈને લાંબી લાંબી શ્વાસો લેવા લાગ્યો,તેની ઇન્દ્રિયો ક્રોધથી ક્ષુબ્ધ થઇ ગઈ,અને તે દુષ્ટ દૈત્યે ઘણાજ વેગથી કૂદીને ભગવાનપર ગદાનો
પ્રહાર કર્યો.પરંતુ ભગવાને પોતાની છાતી ઉપર થયેલા પ્રહારને થોડા વાંકા થઇ બચાવી લીધો.-બસ તેજ રીતે જેમ યોગસિદ્ધ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે.પછી જયારે ક્રોધથી પોતાના હોઠ ચબાવતો પોતાની ગદા લઇ વારં વાર ફેરવવા મંડ્યો ત્યારે શ્રી હરિ ક્રોધિત થઈને ઝડપથી તેની તરફ ધસ્યા.સૌમ્ય સ્વભાવ વિદુરજી ! ત્યારે પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાથી પ્રહાર કર્યો.પરંતુ ગદા યુદ્ધમાં નિપુર્ણ હિરણ્યાક્ષે તેને વચ્ચે જ પોતાની ગદા પર લઈ લીધો.એવી રીતે હિરણ્યાક્ષ અને શ્રી હરિ વચ્ચે એક બીજાથી જીતવાની ઈચ્છાથી અત્યંત ક્રોધિત થઈને અંદર અંદર પોતાની ભારે ગદાઓથીપ્રહાર કરવા લાગ્યા.તે વખતે તે બંનેમાં જ જીતવાની હોડ લાગી ગઈ,બંનેના અંગો ગદાઓના પ્રહારથી ઘાયલ થઇ ગયા હતા,પોતાના અંગોના ઘાથી વહેતા લોહીની ગંધથી બંનેનો ક્રોધ વધી રહ્યો હતો અને બંને જાત જાતના દાવ બદલી રહ્યા હતા.એવી રીતે ગાય માટે અંદરોદર લડતા બે આંખલાની માફક બંનેમાં જીતવાની ઈચ્છાથી ખુબજ ભયંકર યુદ્ધ થયું.વિદુરજી ! જયારે આવી રીતે હિરણ્યાક્ષ અને માયાથી વરાહનું રૂપ ધારણ કરેલા શ્રી ભગવાન યગ્નમૂર્તિ પૃથ્વીને માટે દ્વેષ બાંધીને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તેમને જોવા ત્યાં ઋષિયો સાથે બ્રહ્માજી આવ્યા.તેઓ હજારો ઋષિયોથી ઘેરાયેલા હતા.જયારે તેમણે જોયું કે તે દૈત્ય ખુબ જ શૂરવીર છે,તેનામાં ભયનું નામ પણ નથી,તે મુકાબલો કરવામાં પણ સમર્થ છે અને અને તેના પરાક્રમને ચોરી નાખવું ખુબ જ અઘરું કામ છે ત્યારે તે ભગવાન આદીસુકર રૂપ નારાયણથી એવી રીતે કહેવા લાગ્યા.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - દેવ ! મરાઠી વરદાન મેળવીને આ દૈત્ય ખુબ જ પ્રબળ થઇ ગયો છે.અત્યારે તે તમારા ચરણોની સેવામાં રહેનારા દેવતાઓ,બ્રાહ્મણો ,ગાયો તથા બીજા નિરપરાધી જીવોને ખુબ જ નુકશાન પહોચાડનારો,દુઃખ દેનારો અને ભયપ્રદ થઇ રહ્યો છે.તેની જોડનો કોઈ યોદ્ધો નથી,એટલા માટે આ મહાકંટક પોતાનો મુકાબલો કરનાર વીરની શોધમાં બધા લોકોમાં ફરી રહ્યો છે.એ દુષ્ટ ખુબ જ માયાવી,ઘમંડી અને નિરંકુશ છે.બાળક ક્રોધિત સાપથી ખેલ કરે છે તેમ તમે તેની સાથે ખેલ ન કરો,દેવ ! અચ્યુત ! જ્યાં સુધી આ દારુણ દૈત્ય પોતાની બાળબુદ્ધિના સમયને મેળવી પ્રબળ થઇ જાય,તેનાથી પહેલા પહેલા જ તમો તમારી યોગમાયાને સ્વીકારીને આ પાપીને મારી નાખો.પ્રભુ ! જુઓ, લોકોના સંહાર કરનારી સંધ્યાની ભયંકર વેળા આવા જ ઈચ્છે છે.સર્વતમાન ! તમો તે પહેલા જ આ અસુરને મારીને દેવતાઓને વિજય અપાવો.આ સમય અભિજીત નામનું મંગલમય મુહૂર્તનો પણ યોગ આવી ગાયો છે,એટલે આપણા સુહૃદ અમારા લોકોના કલ્યાણ માટે તરત જ આ દુર્જયઃ દૈત્યથી નીપતિઃ લો.પ્રભુ ! તેનું મૃત્યુ આપણા હાથે જ લખાઈ છે,અમારા લોકોનું મોટું ભાગ્ય છે કે તે જાતે જ પોતાના કાળરૂપ આપ પાસે આવી પહોંચ્યો છે.હવે આપ યુદ્ધમાં બળપૂર્વક એને મારીને લોકોને શાંતિ અપાવો.
ઓગણીશમો અધ્યાય
હિરણ્યાક્ષ વધ
મૈત્રેયજી કહે છે- વિદુરજી ! બ્રહ્માજીના આ કપટરહિત અમૃતમય વચન સાંભળીને ભગવાને તેમના ભોળપણ પર હસીને પોતાના પ્રેમપૂર્ણ કટાક્ષ દ્વારા તેમની પ્રાર્થના સ્વીકારી લીધી.પછી તેમણે ઝડપથી પોતાની સામે નિર્ભય ફરતા શત્રુની શરીર તરફ ગદા મારી પણ હિરણ્યાક્ષની ગદા સાથે અથડાઈને તે ગદા ભગવાનની હાથથી છૂટી ગઈ અને ફરતી ફરતી જમીન ઉપર પડી સુશોભિત થઇ ગઈ.પણ ખુબ જ અદભુત ઘટના થઇ,તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો અવસર હોવા છતાં પણ હિરણ્યાક્ષે તેમણે નિશસ્ત્ર જોઈને યુદ્ધ ધર્મનું પાલન કરતા તેમના પર આક્રમણ ન કર્યું.તેણે ભગવાનનો ક્રોધ વધારવા જ એવું કર્યું હતું.ગદા પડી જવાથી અને લોકોનો હાહાકાર બંધ થઇ જવાથી પ્રભુએ તેના ધર્મયુદ્ધની પ્રશંસા કરી અને પોતાના સુદર્શનનું સ્મરણ કર્યું.
ચક્ર તરત જ આવીને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું.પરંતુ તે પોતાના પ્રમુખ પાર્ષદ દૈત્યધામ હિરણ્યાક્ષની સાથે વિશેષરૂપથી રમત કરવા લાગ્યા. તે સમયે તેમના પ્રભાવને ન જાણનારા દેવતાઓના વિચિત્ર વચનો સંભળાવા લાગ્યા-'પ્રભુ ! આપણી જય થાય,એને વધારે ન રમાડો,તરત જ મારી નાખો.'જયારે હિરણ્યાક્ષે જોયું કે કમલ-દળ -લોચન શ્રી હરિ તેની સામે ચક્ર લઈને ઉભા છે.ત્યારે તેની બધી ઇન્દ્રિયો ક્રોધથી ખલબલી ગઈ અને તે લાંબી શ્વાસો લેતો પોતાના હોઠ ચાવવા લાગ્યો.તે વખતે તે તીખી દાઢોવાળો દૈત્ય એવી રીતે તેમની સામે ઘુરવા લાગ્યો,કે માનો તે ભગવાનને ભસ્મ કરી નાખશે.તેણે ઊછળીને,' લે,હવે તું નહિ બચી શકે,'એવી રીતે લલકારતો શ્રી હરિ પર ગદાથી પ્રહાર કર્યો.સાધુસ્વભાવ વિદુરજી ! યગ્નમૂર્તિ શ્રી વરાહ ભગવાને શત્રુને જોત જોતામાં લીલાથી જ પોતાના જમણા પગથી તેની તે વાયુ જેવી ગદા પૃથ્વી પર પાળી નાખી અને તેણે કહ્યું,'અરે ! દૈત્ય ! તું મને જીતવા માંગે છે,એટલા માટે તારું શસ્ત્ર ઉઠાવ અને એકવાર ફરી પ્રહાર કર.' ભગવાને આવી રીતે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મોટી ગર્જના કરવા લાગ્યો.ગદાને પોતાની તરફ આવતી જોઈને ભગવાને જ્યાં ઉભા હતા ત્યાંથી તેણે આવતાજ એવી રીતે પકડી લીધી જેમ ગરુડ સાપણ ને
પકડી લે.
પોતાનો પ્રયત્ન આવી રીતે વ્યર્થ થયેલો જોઈને તે મહા દૈત્યનું ઘમંડ શાંત પડી ગયુ .અને તેનું તેજ નષ્ટ થઇ ગયું.આ વખતે ભગવાનના આપવા પર તેણે તે ગદાને લેવાનું ન ઇચ્છ્યું.પરંતુ જેવી રીતે કોઈ બ્રાહ્મણ ઉપર નિષ્ફળ અભિચાર(મરણાદિ પ્રયોગ) કરે-મુઠ મારે,તે જ રીતે તેણે શ્રી યજ્ઞપુરુષ પર પ્રહાર કરવા માટે એક સળગેલા અગ્નિના જેવું ભભકતું એક ત્રિશુલ લીધું.મહાબલી હિરણ્યાક્ષ નું ખુબ જ વેગથી છોડેલું તે તેજસ્વી ત્રિશુલ આકાશમાં ખુબ તેજથી ચમકવા લાગ્યું,ત્યારે ભગવાને તેને પોતાના તેજ ધારવાળા ચક્રથી એવી રીતે કાપી નાખ્યું,જેમ ઇન્દ્રએ ગરુડજીનાં છોડેલા તેજસ્વી પિછાને કાપી નાખ્યું હતું.(એક વાર ગરુડજી પોતાની માતા વિનીતાને સાપોની માતા કદ્રુ ના દાસીપણાથી મુક્ત કરાવવા માટે દેવતાઓની પાસેથી અમૃત ઝૂંટવી લાવ્યા હતા.ત્યારે ઇન્દ્રે તેમના ઉપર પોતાનું વ્રજ છોડ્યું.ઈન્દ્રનું વ્રજ ક્યારેય વ્યર્થ નથી જતું,એટલે તેનું માન રાખવા ગરુડજીએ પોતાનું એક પીછું ફેંકી દીધું તેને તે વ્રજે કાપી નાખ્યું )
ભગવાનના ચક્રથી પોતાના ત્રિશુલના ઘણા બધા ટુકડા થતા જોઈને તેને ખુબ ક્રોધ આવ્યો.તેણે નજીક આવીને તેમના વિશાલ વૃક્ષ:સ્થળ ઉપર ,જેના પર શ્રી વત્સનું ચિન્હ સુશોભિત છે.જોરદાર ગુચ્છો માર્યો અને પછી જોરથી ગર્જના કરી અંતર્ધ્યાન થઇ ગયો.
વિદુરજી ! જેમ હાથી પર પુષ્પમાલાની ઈજાની કોઈ અસર થતી નથી તેવી રીતે તેના તેવી રીતે ગુચ્છો મારવાથી ભગવાન આદિ વરાહ થોડા પણ ટસથી મસ ન થયા.ત્યારે તે મહા માયાવી દૈત્ય માયા પતિ શ્રી હરિ પર અનેક જાતની માયાઓનો પ્રયોગ કરવા લાગ્યો.તેને જોઈને બધી પ્રજા ખુબ ડરી ગઈ અને સમજવા લાગી કે હવે સંસારનો પ્રલય થવાનો છે.ખુબ જ પ્રચંડ આંધી થવા લાગી તેના કારણે ધૂળથી ચારેબાજુ અંધારું છવાઈ ગયું,બધી બાજુથી પથ્થરો વર્ષવા લાગ્યા તે એવા જણાતા હતા જાણે કોઈ ક્ષેપણયંત્ર (ગુલેલ) થી ફેકવામાં આવતા હોય.વીજળીના ચમકારા,અને કડાકા સાથે વાદળોના ઘેરાવાથી આકાશમાં સૂર્ય,ચંદ્ર વગેરે ગ્રહ ઢંકાઈ ગયા.તથા તેનાથી નિરંતર પિવ,કેશ,લોહી,વિષ્ઠા,મૂત્ર,અને હાડકાની વર્ષા થવા લાગી. વિદુરજી ! એવા એવા પર્વતો દેખાવા લાગ્યા જે જાત જાતના અસ્ત્ર-શસ્ત્ર વરસાવી રહ્યા હતા.હાથમાં ત્રિશુલ લઈને ખુલ્લા વાળ સાથે નાગી રાક્ષસીઓ દેખાવા લાગી.ઘણા બધા પૈદલ,ઘોડેસ્વાર રથી અને હાથિયો પર ચઢેલા સૈનિકો સાથે આતતાયી યક્ષ-રાક્ષસોના 'મારો-મારો,કાપો-કાપો'એવા અતયંત ક્રૂર અને હિંસામય કોલાહોલ સંભળાવા લાગ્યો.
આવી રીતે પ્રગટેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યગ્નમૂર્તિ વરાહ ભગવાને તેમનું પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું.તે વખતે પોતાના પતિના કંથનસ્મરણ થઇ જવાથી દિતી નું હૃદય એકદમ કંપવા લાગ્યું.અને તેના સ્તનોથી લોહી વહેવા લાગ્યું.પોતાની માયાજાળ નષ્ટ થઇ જવાથી તે દૈત્ય ફરીથી ભગવાન પાસે આવ્યો તેણે તેમને ક્રોધથી દબાવીને ચૂરે ચુરા કરવાની ઈચ્છાથી પોતાની ભૂજાઓમાં ઝકડી લીધા પરંતુ જોયું તો તે તો બહાર જ ઉભેલા હતા.હવે તે ભગવાનને કઠોર મુક્કાથી મારવા લાગ્યો.ત્યારે ઇન્દ્રે જેમ વૃત્તાસુર પર પ્રહાર કર્યો હતો ,તેવી રીતે ભગવાને તેની કાનપટ્ટી પર એક તમાચો માર્યો.
વિશ્વવિજયી ભગવાને કદાચ મોટી ઉપેક્ષાથી તમાચો માર્યો હતો,તોય પણ તેની ચોટ થી હિરણ્યાક્ષનું શરીર ફરવા લાગ્યું,તેના નેત્રો બહાર નીકળી આવ્યા તથા હાથ,પગ અને વાળ,છિન્ન ભિન્ન થઇ ગયા,અને તે નિષ્પ્રાણ થઈને આંધીથી ઉખડેલા વિશાલ વૃક્ષની માફક પૃથ્વી પર પડી ગયો.હિરણ્યાક્ષનું તેજ હજુ પણ મલીન થયું ન હતું, તે કઠણ દાઢોવાળો દૈત્યને દાંતોથી હોઠ દબાવતો પૃથ્વી પર પડેલો જોઈ ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્માદિ દેવતા તેમની પ્રશંસા કરવા લાગ્યા કે 'અહો ! આવી અલભ્ય મૃત્યુ કોઈકને મળી શકે છે .પોતાની નકામી ઉપાધિથી છૂટવા માટે જેમનું યોગીજન સમાધિયોગ દ્વારા એકાંતમાં ધ્યાન કરે છે.તેમના જ ચરણ પ્રહારથી તેમનું મોઢું જોતા જોતા આ દૈત્યરાજે તેનું શરીર ત્યાગ્યું.આ હિરણ્યાક્ષ અને હિરણકશ્યપુ ભગવાનના બે પાર્ષદો છે.તેમને શ્રાપવશ આ અધોગતિ પ્રાપ્ત થઇ છે હવે કેટલાક જન્મોમાં તે ફરીથી પોતાના સ્થાન પર પહોંચી જશે.'
દેવલોકો કહેવા લાગ્યા - પ્રભુ ! તમોને વારંવાર નમસ્કાર છે.તમો સંપૂર્ણ યજ્ઞોનો વિસ્તાર કરનારા છો.તથા સંસારની સ્થિતિ માટે શુદ્ધ સ્તવમય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો.ખુબ જ આનંદની વાત છે,કે સંસારને કષ્ટ આપનાર આ દુષ્ટ દૈત્ય મરી ગયો. હવે આપના ચરણોની ભક્તિના પ્રભાવે અમને પણ સુખ શાંતિ મળી ગઈ.
મૈત્રેયજી કહે છે- વિદુરજી ! આવી રીતે મહાપરાક્રમી હિરણ્યાક્ષનો વધ કરીને ભગવાન આદિ વરાહ પોતાના અખંડ આનંદમય ધામમાં પધારી ગયા.તે વખતે બ્રહ્માદિ દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા.ભગવાન અવતાર લઈને જે લીલાઓ કરે છે અને જેવી રીતે તેમણે ભીષણ સંગ્રામમાં રમકડાંની માફક હિરણ્યાક્ષનો વધ કરી નાખ્યો, મિત્ર વિદુરજી ! આ આખું ચરિત્ર જેવું મેં ગુરુમુખથી સાંભર્યું હતું તમને સંભળાવી દીધું.
સુતજી કહે છે - શૌનકજી ! મૈત્રેયજીના મોઢેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ખુબ જ આનંદ થયો. જયારે બીજા પવિત્રકીર્તિ તથા પરમ યશસ્વી મહા પુરુષો નું ચરિત્ર સાંભળીને જ મોટો આનંદ થાય છે તો શ્રી વત્સધારી ભગવાનની લલિત -લલામ લીલાઓની તો વાત જ શું થાય.જે વખતે મગરના પકડવાથી ગજરાજ પ્રભુના ચરણોનું ધ્યાન કરવા લાગ્યા અને તેમની હાથણીયો દુઃખથી ચીસો પાડવા લાગી તે વખતે જેમણે તેને તરત જ દુઃખથી છોડાવ્યો અને જે બધી બાજુથી નિરાશ થઈને પોતાની શરણોમાં આવેલા સરળ હૃદય ભક્તોથી સહજતાથી પ્રસન્ન થઇ જાય છે, પરંતુ દુષ્ટ પુરુષો માટે ખુબ જ દુરારાધ્ય છે- તેના પર જલ્દી પ્રસન્ન નથી થતા.તે પ્રભુના ઉપકારોને જાણનારા એવા કયા પુરુષો છે ,જે તેમનું સેવન ન કરશે ? શૌનકાદિ ઋષિયો ! પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વારાહરૂપ ધારણ કરનારા શ્રી હરિની આ હિરણ્યાક્ષ- વધ નામની પરમ અદભુત લીલા ને જે સાંભળે,ગાય તથા અનુમોદન કરે છે તે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી પણ સહેજમાં જ છૂટી જાય છે,.આ ચરિત્ર પુણ્યપ્રદ,પરમ પવિત્ર,ધન અને યશની પ્રાપ્તિ કરાવનારું આયુવર્ધક અને ઇચ્છાઓની પૂર્તિ કરાવનારું તથા યુદ્ધમાં પ્રાણ અને ઇંદ્રિયોની શક્તિ વધારનારૂ છે.જે લોકો તેને સાંભળે છે,તેને અંતમાં ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે.
હિરણ્યાક્ષ સાથે વરાહ ભગવાનનું યુદ્ધ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -તાત ! વરુણજીની આ વાત સાંભળીને તે અભિમાની દૈત્ય ખુબ જ ખુશ થયો.તેણે તેમના તે કહેવા પર કે 'તું તેમના હાથે માર્યો જઈશ' કઈ પણ ધ્યાન ન અને ઝડપથી નારદજી પાસેથી તેમની જાણ મેળવીને તરત જ રસાતળમાં પહોંચી ગયો.ત્યાં તેણે વિશ્વવિજયી વરાહ ભગવાનને તેમની દાઢોની નોક પર પૃથ્વીને ઉપરની બાજુ લઇ જતા જોયા.તે પોતાના લાલ લાલ ચમકતા નેત્રોથી તેના તેજને હરી લેતા હતા. તેમને જોઈને તે ખીલ ખિલાટ હસી પડ્યો અને બોલ્યો 'અરે ! આ જંગલી પશુ અહીં પાણીમાં ક્યાંથી આવ્યું' પછી વરાહજીને કહ્યું,'અરે ! નાસમજ ! અહીં આવ,આ પૃથ્વીને છોડી દે ,તેને વિશ્વવિધાતા બ્રહ્માજીએ અમને રસાતળવાસીઓને હવાલે કરી દીધી છે.રે સુવ્વરરૂપધારી સુરાધામ ! મારી નજરો નજર તું તેને લઈને કુશળપૂર્વક નહિ જઈ શકે.તું માયાથી લૂપ-છુપાઈને જ દૈત્યોને જીતી લઇ અને મારી નાખે છે.શું તેનાથી અમારા શત્રુઓએ અમારો નાશ કરાવવા તને પાળ્યો છે ? મૂર્ખ ! તારું બળ તો યોગમાયા જ છે, બીજો કોઈ પુરુષાર્થ તારામાં થોડો છે .આજે તને સમાપ્ત કરીને હું મારા ભાઈઓનું દુઃખ દૂર કરીશ.જયારે મારા હાથથી છુટેલી ગદાના પ્રહારથી તારું માથું ફૂટી જવાથી તું મરી જશે,ત્યારે તારી આરાધના કરનારા જે દેવતાઓ અને ઋષિયો છે તે જડમૂળથી કપાઈ ગયેલા વૃક્ષની માફક જાતેજ નાશ પામશે.
હિરણ્યાક્ષ ભગવાનને દુર્વચન બાણોથી વીંધી રહ્યો હતો,પરંતુ તેમણે દાંતોની નોક ઉપર સ્થિર પૃથ્વીને ભયભીત જોઈને તે ઘાવ સહી લીધા તથા પાણીથી તેવી જ રીતે બહાર આવી ગયા,જેમ મગરની પકડથી ગવાઈને હાથીણી સાથે ગજરાજ.જયારે તેની ચુનૌતીનો કોઈ જવાબ ન આપતા તે બહાર આવવા લાગ્યા તેમ મગર જેમ ગજરાજનો પીછો કરે તેમ તે પીળા વાળ અને તીખી દાઢોવાળો તે દૈત્ય તેમનો પીછો કર્યો તથા વ્રજની માફક કડક થઈને તે કહેવા લાગ્યો,'તને ભાગવામાં શરમ નથી આવતી ? સાચું છે,અસત્ય પુરુષો માટે કયું કામ ન કરવા જેવું છે ?'
ભગવાને પૃથ્વીને લઇ જઈને પાણીની ઉપર વ્યવહાર યોગ્ય સ્થાનમાં સ્થિર કરી દીધી અને તેમાં પોતાની આધારશક્તિ નો સંચાર કર્યો.તે વખતે હિરણ્યાક્ષની સામે જ બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી અને દેવતાઓએ ફૂલ વર્ષાવ્યા ત્યારે શ્રી હરિએ પોતાની પાછળ ઘણી ભારે ગદ્દા લઈને આવી રહેલા હિરણ્યાક્ષ કે જેણે સોનાના આભૂષણો,અને અદભુત કવચ ધારણ કરેલા હતા,તથા પોતાના કટુ વાક્યોથી તેમને નિરંતર મર્માહટ કરી રહ્યો હતો,અત્યંત હસતા હસતા ક્રોધપૂર્વક કહ્યું.
શ્રી ભગવાને કહ્યું- અરે ! સાચે જ હું જંગલી જીવ છે,જે તારા જેવા ગામ- સિંહોને(કુતરાઓ )શોધતા ફરીયે છીએ,દુષ્ટ ! વીર પુરુષ તારા જેવા મૃત્યુપાશમાં બંધાયેલા અભાગ્યા જીવોની આત્મશ્લાધાર પર ધ્યાન નથી આપતા.હા ! હું રસાતળવાસિની ધરોહર ચોરીને અને શરમ વગર તારી ગદાના ભયથી અહીં ભાગી આવ્યો છું, મારામાં એવું સામર્થ્ય જ ક્યાં કે તારા જેવા અદ્વિતીય વીરની સામે યુદ્ધમાં ટકી શકું.છતાંપણ હું જેમતેમ તારી સામે ઉભો છું, તારા જેવા બળવાન સાથે વેર બાંધીને હું જઈ પણ ક્યાં શકું ?તું પૈદલ વીરોનો સરદાર છે.એટલા માટે હવે નિઃશંક થઈને-ઉધેડ- બન છોડીને અમારું અનિષ્ટ કરવાનો પ્રયત્ન કર.અને મને મારીને તારા ભાઈ બંધુના આંસુ લુછ.હવે તેમાં વાર ન લગાડ.જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન નથી કરતા,તે અસભ્ય છે.-ભલે માણસોમાં બેસવા લાયક ન હોય.
મૈત્રેયજી કહે છે- વિદુરજી !જયારે ભગવાને રોષથી તે દૈત્યને આવી રીતે ખુબ ઉપહાસ અને તિરસ્કાર કર્યો ,ત્યારે તે પકડીને રમાડતા સાપની માફક ક્રોધથી ખદબદી ગયોતે ખિજવાઈને લાંબી લાંબી શ્વાસો લેવા લાગ્યો,તેની ઇન્દ્રિયો ક્રોધથી ક્ષુબ્ધ થઇ ગઈ,અને તે દુષ્ટ દૈત્યે ઘણાજ વેગથી કૂદીને ભગવાનપર ગદાનો
પ્રહાર કર્યો.પરંતુ ભગવાને પોતાની છાતી ઉપર થયેલા પ્રહારને થોડા વાંકા થઇ બચાવી લીધો.-બસ તેજ રીતે જેમ યોગસિદ્ધ પુરુષ મૃત્યુના આક્રમણથી પોતાને બચાવી લે છે.પછી જયારે ક્રોધથી પોતાના હોઠ ચબાવતો પોતાની ગદા લઇ વારં વાર ફેરવવા મંડ્યો ત્યારે શ્રી હરિ ક્રોધિત થઈને ઝડપથી તેની તરફ ધસ્યા.સૌમ્ય સ્વભાવ વિદુરજી ! ત્યારે પ્રભુએ શત્રુની જમણી ભ્રમર પર ગદાથી પ્રહાર કર્યો.પરંતુ ગદા યુદ્ધમાં નિપુર્ણ હિરણ્યાક્ષે તેને વચ્ચે જ પોતાની ગદા પર લઈ લીધો.એવી રીતે હિરણ્યાક્ષ અને શ્રી હરિ વચ્ચે એક બીજાથી જીતવાની ઈચ્છાથી અત્યંત ક્રોધિત થઈને અંદર અંદર પોતાની ભારે ગદાઓથીપ્રહાર કરવા લાગ્યા.તે વખતે તે બંનેમાં જ જીતવાની હોડ લાગી ગઈ,બંનેના અંગો ગદાઓના પ્રહારથી ઘાયલ થઇ ગયા હતા,પોતાના અંગોના ઘાથી વહેતા લોહીની ગંધથી બંનેનો ક્રોધ વધી રહ્યો હતો અને બંને જાત જાતના દાવ બદલી રહ્યા હતા.એવી રીતે ગાય માટે અંદરોદર લડતા બે આંખલાની માફક બંનેમાં જીતવાની ઈચ્છાથી ખુબજ ભયંકર યુદ્ધ થયું.વિદુરજી ! જયારે આવી રીતે હિરણ્યાક્ષ અને માયાથી વરાહનું રૂપ ધારણ કરેલા શ્રી ભગવાન યગ્નમૂર્તિ પૃથ્વીને માટે દ્વેષ બાંધીને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે તેમને જોવા ત્યાં ઋષિયો સાથે બ્રહ્માજી આવ્યા.તેઓ હજારો ઋષિયોથી ઘેરાયેલા હતા.જયારે તેમણે જોયું કે તે દૈત્ય ખુબ જ શૂરવીર છે,તેનામાં ભયનું નામ પણ નથી,તે મુકાબલો કરવામાં પણ સમર્થ છે અને અને તેના પરાક્રમને ચોરી નાખવું ખુબ જ અઘરું કામ છે ત્યારે તે ભગવાન આદીસુકર રૂપ નારાયણથી એવી રીતે કહેવા લાગ્યા.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - દેવ ! મરાઠી વરદાન મેળવીને આ દૈત્ય ખુબ જ પ્રબળ થઇ ગયો છે.અત્યારે તે તમારા ચરણોની સેવામાં રહેનારા દેવતાઓ,બ્રાહ્મણો ,ગાયો તથા બીજા નિરપરાધી જીવોને ખુબ જ નુકશાન પહોચાડનારો,દુઃખ દેનારો અને ભયપ્રદ થઇ રહ્યો છે.તેની જોડનો કોઈ યોદ્ધો નથી,એટલા માટે આ મહાકંટક પોતાનો મુકાબલો કરનાર વીરની શોધમાં બધા લોકોમાં ફરી રહ્યો છે.એ દુષ્ટ ખુબ જ માયાવી,ઘમંડી અને નિરંકુશ છે.બાળક ક્રોધિત સાપથી ખેલ કરે છે તેમ તમે તેની સાથે ખેલ ન કરો,દેવ ! અચ્યુત ! જ્યાં સુધી આ દારુણ દૈત્ય પોતાની બાળબુદ્ધિના સમયને મેળવી પ્રબળ થઇ જાય,તેનાથી પહેલા પહેલા જ તમો તમારી યોગમાયાને સ્વીકારીને આ પાપીને મારી નાખો.પ્રભુ ! જુઓ, લોકોના સંહાર કરનારી સંધ્યાની ભયંકર વેળા આવા જ ઈચ્છે છે.સર્વતમાન ! તમો તે પહેલા જ આ અસુરને મારીને દેવતાઓને વિજય અપાવો.આ સમય અભિજીત નામનું મંગલમય મુહૂર્તનો પણ યોગ આવી ગાયો છે,એટલે આપણા સુહૃદ અમારા લોકોના કલ્યાણ માટે તરત જ આ દુર્જયઃ દૈત્યથી નીપતિઃ લો.પ્રભુ ! તેનું મૃત્યુ આપણા હાથે જ લખાઈ છે,અમારા લોકોનું મોટું ભાગ્ય છે કે તે જાતે જ પોતાના કાળરૂપ આપ પાસે આવી પહોંચ્યો છે.હવે આપ યુદ્ધમાં બળપૂર્વક એને મારીને લોકોને શાંતિ અપાવો.
ઓગણીશમો અધ્યાય
હિરણ્યાક્ષ વધ
મૈત્રેયજી કહે છે- વિદુરજી ! બ્રહ્માજીના આ કપટરહિત અમૃતમય વચન સાંભળીને ભગવાને તેમના ભોળપણ પર હસીને પોતાના પ્રેમપૂર્ણ કટાક્ષ દ્વારા તેમની પ્રાર્થના સ્વીકારી લીધી.પછી તેમણે ઝડપથી પોતાની સામે નિર્ભય ફરતા શત્રુની શરીર તરફ ગદા મારી પણ હિરણ્યાક્ષની ગદા સાથે અથડાઈને તે ગદા ભગવાનની હાથથી છૂટી ગઈ અને ફરતી ફરતી જમીન ઉપર પડી સુશોભિત થઇ ગઈ.પણ ખુબ જ અદભુત ઘટના થઇ,તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો અવસર હોવા છતાં પણ હિરણ્યાક્ષે તેમણે નિશસ્ત્ર જોઈને યુદ્ધ ધર્મનું પાલન કરતા તેમના પર આક્રમણ ન કર્યું.તેણે ભગવાનનો ક્રોધ વધારવા જ એવું કર્યું હતું.ગદા પડી જવાથી અને લોકોનો હાહાકાર બંધ થઇ જવાથી પ્રભુએ તેના ધર્મયુદ્ધની પ્રશંસા કરી અને પોતાના સુદર્શનનું સ્મરણ કર્યું.
ચક્ર તરત જ આવીને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું.પરંતુ તે પોતાના પ્રમુખ પાર્ષદ દૈત્યધામ હિરણ્યાક્ષની સાથે વિશેષરૂપથી રમત કરવા લાગ્યા. તે સમયે તેમના પ્રભાવને ન જાણનારા દેવતાઓના વિચિત્ર વચનો સંભળાવા લાગ્યા-'પ્રભુ ! આપણી જય થાય,એને વધારે ન રમાડો,તરત જ મારી નાખો.'જયારે હિરણ્યાક્ષે જોયું કે કમલ-દળ -લોચન શ્રી હરિ તેની સામે ચક્ર લઈને ઉભા છે.ત્યારે તેની બધી ઇન્દ્રિયો ક્રોધથી ખલબલી ગઈ અને તે લાંબી શ્વાસો લેતો પોતાના હોઠ ચાવવા લાગ્યો.તે વખતે તે તીખી દાઢોવાળો દૈત્ય એવી રીતે તેમની સામે ઘુરવા લાગ્યો,કે માનો તે ભગવાનને ભસ્મ કરી નાખશે.તેણે ઊછળીને,' લે,હવે તું નહિ બચી શકે,'એવી રીતે લલકારતો શ્રી હરિ પર ગદાથી પ્રહાર કર્યો.સાધુસ્વભાવ વિદુરજી ! યગ્નમૂર્તિ શ્રી વરાહ ભગવાને શત્રુને જોત જોતામાં લીલાથી જ પોતાના જમણા પગથી તેની તે વાયુ જેવી ગદા પૃથ્વી પર પાળી નાખી અને તેણે કહ્યું,'અરે ! દૈત્ય ! તું મને જીતવા માંગે છે,એટલા માટે તારું શસ્ત્ર ઉઠાવ અને એકવાર ફરી પ્રહાર કર.' ભગવાને આવી રીતે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મોટી ગર્જના કરવા લાગ્યો.ગદાને પોતાની તરફ આવતી જોઈને ભગવાને જ્યાં ઉભા હતા ત્યાંથી તેણે આવતાજ એવી રીતે પકડી લીધી જેમ ગરુડ સાપણ ને
પકડી લે.
પોતાનો પ્રયત્ન આવી રીતે વ્યર્થ થયેલો જોઈને તે મહા દૈત્યનું ઘમંડ શાંત પડી ગયુ .અને તેનું તેજ નષ્ટ થઇ ગયું.આ વખતે ભગવાનના આપવા પર તેણે તે ગદાને લેવાનું ન ઇચ્છ્યું.પરંતુ જેવી રીતે કોઈ બ્રાહ્મણ ઉપર નિષ્ફળ અભિચાર(મરણાદિ પ્રયોગ) કરે-મુઠ મારે,તે જ રીતે તેણે શ્રી યજ્ઞપુરુષ પર પ્રહાર કરવા માટે એક સળગેલા અગ્નિના જેવું ભભકતું એક ત્રિશુલ લીધું.મહાબલી હિરણ્યાક્ષ નું ખુબ જ વેગથી છોડેલું તે તેજસ્વી ત્રિશુલ આકાશમાં ખુબ તેજથી ચમકવા લાગ્યું,ત્યારે ભગવાને તેને પોતાના તેજ ધારવાળા ચક્રથી એવી રીતે કાપી નાખ્યું,જેમ ઇન્દ્રએ ગરુડજીનાં છોડેલા તેજસ્વી પિછાને કાપી નાખ્યું હતું.(એક વાર ગરુડજી પોતાની માતા વિનીતાને સાપોની માતા કદ્રુ ના દાસીપણાથી મુક્ત કરાવવા માટે દેવતાઓની પાસેથી અમૃત ઝૂંટવી લાવ્યા હતા.ત્યારે ઇન્દ્રે તેમના ઉપર પોતાનું વ્રજ છોડ્યું.ઈન્દ્રનું વ્રજ ક્યારેય વ્યર્થ નથી જતું,એટલે તેનું માન રાખવા ગરુડજીએ પોતાનું એક પીછું ફેંકી દીધું તેને તે વ્રજે કાપી નાખ્યું )
ભગવાનના ચક્રથી પોતાના ત્રિશુલના ઘણા બધા ટુકડા થતા જોઈને તેને ખુબ ક્રોધ આવ્યો.તેણે નજીક આવીને તેમના વિશાલ વૃક્ષ:સ્થળ ઉપર ,જેના પર શ્રી વત્સનું ચિન્હ સુશોભિત છે.જોરદાર ગુચ્છો માર્યો અને પછી જોરથી ગર્જના કરી અંતર્ધ્યાન થઇ ગયો.
વિદુરજી ! જેમ હાથી પર પુષ્પમાલાની ઈજાની કોઈ અસર થતી નથી તેવી રીતે તેના તેવી રીતે ગુચ્છો મારવાથી ભગવાન આદિ વરાહ થોડા પણ ટસથી મસ ન થયા.ત્યારે તે મહા માયાવી દૈત્ય માયા પતિ શ્રી હરિ પર અનેક જાતની માયાઓનો પ્રયોગ કરવા લાગ્યો.તેને જોઈને બધી પ્રજા ખુબ ડરી ગઈ અને સમજવા લાગી કે હવે સંસારનો પ્રલય થવાનો છે.ખુબ જ પ્રચંડ આંધી થવા લાગી તેના કારણે ધૂળથી ચારેબાજુ અંધારું છવાઈ ગયું,બધી બાજુથી પથ્થરો વર્ષવા લાગ્યા તે એવા જણાતા હતા જાણે કોઈ ક્ષેપણયંત્ર (ગુલેલ) થી ફેકવામાં આવતા હોય.વીજળીના ચમકારા,અને કડાકા સાથે વાદળોના ઘેરાવાથી આકાશમાં સૂર્ય,ચંદ્ર વગેરે ગ્રહ ઢંકાઈ ગયા.તથા તેનાથી નિરંતર પિવ,કેશ,લોહી,વિષ્ઠા,મૂત્ર,અને હાડકાની વર્ષા થવા લાગી. વિદુરજી ! એવા એવા પર્વતો દેખાવા લાગ્યા જે જાત જાતના અસ્ત્ર-શસ્ત્ર વરસાવી રહ્યા હતા.હાથમાં ત્રિશુલ લઈને ખુલ્લા વાળ સાથે નાગી રાક્ષસીઓ દેખાવા લાગી.ઘણા બધા પૈદલ,ઘોડેસ્વાર રથી અને હાથિયો પર ચઢેલા સૈનિકો સાથે આતતાયી યક્ષ-રાક્ષસોના 'મારો-મારો,કાપો-કાપો'એવા અતયંત ક્રૂર અને હિંસામય કોલાહોલ સંભળાવા લાગ્યો.
આવી રીતે પ્રગટેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યગ્નમૂર્તિ વરાહ ભગવાને તેમનું પ્રિય સુદર્શન ચક્ર છોડ્યું.તે વખતે પોતાના પતિના કંથનસ્મરણ થઇ જવાથી દિતી નું હૃદય એકદમ કંપવા લાગ્યું.અને તેના સ્તનોથી લોહી વહેવા લાગ્યું.પોતાની માયાજાળ નષ્ટ થઇ જવાથી તે દૈત્ય ફરીથી ભગવાન પાસે આવ્યો તેણે તેમને ક્રોધથી દબાવીને ચૂરે ચુરા કરવાની ઈચ્છાથી પોતાની ભૂજાઓમાં ઝકડી લીધા પરંતુ જોયું તો તે તો બહાર જ ઉભેલા હતા.હવે તે ભગવાનને કઠોર મુક્કાથી મારવા લાગ્યો.ત્યારે ઇન્દ્રે જેમ વૃત્તાસુર પર પ્રહાર કર્યો હતો ,તેવી રીતે ભગવાને તેની કાનપટ્ટી પર એક તમાચો માર્યો.
વિશ્વવિજયી ભગવાને કદાચ મોટી ઉપેક્ષાથી તમાચો માર્યો હતો,તોય પણ તેની ચોટ થી હિરણ્યાક્ષનું શરીર ફરવા લાગ્યું,તેના નેત્રો બહાર નીકળી આવ્યા તથા હાથ,પગ અને વાળ,છિન્ન ભિન્ન થઇ ગયા,અને તે નિષ્પ્રાણ થઈને આંધીથી ઉખડેલા વિશાલ વૃક્ષની માફક પૃથ્વી પર પડી ગયો.હિરણ્યાક્ષનું તેજ હજુ પણ મલીન થયું ન હતું, તે કઠણ દાઢોવાળો દૈત્યને દાંતોથી હોઠ દબાવતો પૃથ્વી પર પડેલો જોઈ ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્માદિ દેવતા તેમની પ્રશંસા કરવા લાગ્યા કે 'અહો ! આવી અલભ્ય મૃત્યુ કોઈકને મળી શકે છે .પોતાની નકામી ઉપાધિથી છૂટવા માટે જેમનું યોગીજન સમાધિયોગ દ્વારા એકાંતમાં ધ્યાન કરે છે.તેમના જ ચરણ પ્રહારથી તેમનું મોઢું જોતા જોતા આ દૈત્યરાજે તેનું શરીર ત્યાગ્યું.આ હિરણ્યાક્ષ અને હિરણકશ્યપુ ભગવાનના બે પાર્ષદો છે.તેમને શ્રાપવશ આ અધોગતિ પ્રાપ્ત થઇ છે હવે કેટલાક જન્મોમાં તે ફરીથી પોતાના સ્થાન પર પહોંચી જશે.'
દેવલોકો કહેવા લાગ્યા - પ્રભુ ! તમોને વારંવાર નમસ્કાર છે.તમો સંપૂર્ણ યજ્ઞોનો વિસ્તાર કરનારા છો.તથા સંસારની સ્થિતિ માટે શુદ્ધ સ્તવમય મંગલ વિગ્રહ પ્રગટ કરો છો.ખુબ જ આનંદની વાત છે,કે સંસારને કષ્ટ આપનાર આ દુષ્ટ દૈત્ય મરી ગયો. હવે આપના ચરણોની ભક્તિના પ્રભાવે અમને પણ સુખ શાંતિ મળી ગઈ.
મૈત્રેયજી કહે છે- વિદુરજી ! આવી રીતે મહાપરાક્રમી હિરણ્યાક્ષનો વધ કરીને ભગવાન આદિ વરાહ પોતાના અખંડ આનંદમય ધામમાં પધારી ગયા.તે વખતે બ્રહ્માદિ દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા.ભગવાન અવતાર લઈને જે લીલાઓ કરે છે અને જેવી રીતે તેમણે ભીષણ સંગ્રામમાં રમકડાંની માફક હિરણ્યાક્ષનો વધ કરી નાખ્યો, મિત્ર વિદુરજી ! આ આખું ચરિત્ર જેવું મેં ગુરુમુખથી સાંભર્યું હતું તમને સંભળાવી દીધું.
સુતજી કહે છે - શૌનકજી ! મૈત્રેયજીના મોઢેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ખુબ જ આનંદ થયો. જયારે બીજા પવિત્રકીર્તિ તથા પરમ યશસ્વી મહા પુરુષો નું ચરિત્ર સાંભળીને જ મોટો આનંદ થાય છે તો શ્રી વત્સધારી ભગવાનની લલિત -લલામ લીલાઓની તો વાત જ શું થાય.જે વખતે મગરના પકડવાથી ગજરાજ પ્રભુના ચરણોનું ધ્યાન કરવા લાગ્યા અને તેમની હાથણીયો દુઃખથી ચીસો પાડવા લાગી તે વખતે જેમણે તેને તરત જ દુઃખથી છોડાવ્યો અને જે બધી બાજુથી નિરાશ થઈને પોતાની શરણોમાં આવેલા સરળ હૃદય ભક્તોથી સહજતાથી પ્રસન્ન થઇ જાય છે, પરંતુ દુષ્ટ પુરુષો માટે ખુબ જ દુરારાધ્ય છે- તેના પર જલ્દી પ્રસન્ન નથી થતા.તે પ્રભુના ઉપકારોને જાણનારા એવા કયા પુરુષો છે ,જે તેમનું સેવન ન કરશે ? શૌનકાદિ ઋષિયો ! પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વારાહરૂપ ધારણ કરનારા શ્રી હરિની આ હિરણ્યાક્ષ- વધ નામની પરમ અદભુત લીલા ને જે સાંભળે,ગાય તથા અનુમોદન કરે છે તે બ્રહ્મહત્યા જેવા ઘોર પાપથી પણ સહેજમાં જ છૂટી જાય છે,.આ ચરિત્ર પુણ્યપ્રદ,પરમ પવિત્ર,ધન અને યશની પ્રાપ્તિ કરાવનારું આયુવર્ધક અને ઇચ્છાઓની પૂર્તિ કરાવનારું તથા યુદ્ધમાં પ્રાણ અને ઇંદ્રિયોની શક્તિ વધારનારૂ છે.જે લોકો તેને સાંભળે છે,તેને અંતમાં ભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે.
વીસમો અધ્યાય
બ્રહ્માજીની રચેલી અનેક પ્રકારની સૃષ્ટિનું વર્ણન
શૌનકજી કહે છે-સુતજી ! પૃથ્વીરૂપ આધાર મેળવીને સ્વયંભૂ મનુને આગળ થવાની સંતતિને ઉત્તપન્ન કરવા કયા કયા ઉપાયોનું અવલંબન કર્યું.? વિદુરજી ખુબ જ ભગવતભક્ત અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સહૃદ હતા.એટલા માટે તેમણે તેમના મોટાભાઈ ધુતરાષ્ટ્ર્ને તેમના પુત્ર દુર્યોધન સાથે ભગવાન શ્રી કૃષ્ણનો અનાદર કરવા માટે અપરાધી સમજીને છોડી દીધા હતા.તેઓ મહર્ષિ દ્વૈપાયન ના પુત્ર હતા અને મહિમામાં તેઓ તેમનાથી કોઈ પ્રકારે ઓછા ન હતા, તથા બધી રીતે શ્રી કૃષ્ણના આશ્રિત અને કૃષ્ણભક્તોના અનુગામી હતા.તિરતસેવનથી તેમનું હૃદય ખુબ જ શુદ્ધ થઇ ગયું હતું.તેમણે કુશાવર્તક્ષેત્ર(હરિદ્વાર)માં બેઠેલા તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને બીજું શું પૂછ્યું ?સુતજી ! તે બંનેમાં વાર્તાલાપ થવાથી શ્રી હરિના ચરણોમાં સબંધ રાખનારી ઘણી પવિત્ર કથાઓ થઇ હશે ,જે તેજ ચરણોથી નીકળેલા ગંગાજળની જેમ સંપૂર્ણ પાપોનો નાશ કરનારી હશે સુતજી ! આપનું મંગલ થાય,આપ અમને ભગવાનની તે પવિત્ર કથાઓ સંભળાવો.પ્રભુના ઉદાર ચરિત્ર તો કીર્તન કરવા યોગ્ય હોય છે.ભલા ! એવું કોણ રસિક હશે ,જે શ્રી હરિના લીલામૃતનું પાન કરતા કરતા તૃપ્ત થઇ જાય.
નૈમિષારણ્યવાસી મુનિયોના એવી રીતે પૂછવાથી ઉપશ્રવા સુતજીએ ભગવાનમાં ચિત્ત લગાવીને તેઓને કહ્યું -'સાંભળો'
સુતજીએ કહ્યું - મુનિગણ ! પોતાની માયાથી વરાહરૂપ ધારણ કરીનારા શ્રી હરિ ની રસાતળથી પૃથ્વીને કાઢવા અને રમતમાં જ તિરસ્કારપૂર્વક હિરણ્યાક્ષને મારી નાખવાની લીલા સાંભળીને વિદુરજીને ખુબ જ આનંદ થયો અને તેમણે મુનિવર મૈત્રેયજીને કહ્યું.
વિદુરજીએ કહ્યું - બ્રહ્મન ! તમો પરોક્ષ વિષયોને પણ જાણનારા છો,એટલે પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીએ મરીચિ વગેરે પ્રજાપતીયોને ઉત્તપન્ન કરીને પછી સૃષ્ટિને વધારવા શું કર્યું.મરીચિ વગેરે આદિ મુનીશ્વરોને અને સ્વયંભૂવ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી કેવી રીતે પ્રજાની વૃદ્ધિ કરી.?
જયારે તેમણે આ જગતને પત્નીઓ ના સહયોગથી ઉત્તપન્ન કર્યું અથવા પોત પોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને,અથવા બધાએ એક સાથે મળીને આ જગતની રચના કરી ?
વિદુરજીએ કહ્યું - બ્રહ્મન ! તમો પરોક્ષ વિષયોને પણ જાણનારા છો,એટલે પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીએ મરીચિ વગેરે પ્રજાપતીયોને ઉત્તપન્ન કરીને પછી સૃષ્ટિને વધારવા શું કર્યું.મરીચિ વગેરે આદિ મુનીશ્વરોને અને સ્વયંભૂવ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી કેવી રીતે પ્રજાની વૃદ્ધિ કરી.?
જયારે તેમણે આ જગતને પત્નીઓ ના સહયોગથી ઉત્તપન્ન કર્યું અથવા પોત પોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને,અથવા બધાએ એક સાથે મળીને આ જગતની રચના કરી ?
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! જેમની ગતિને જાણવી ખુબ જ અઘરી છે-તે જીવોના પ્રારંભ ,પ્રકૃતિના નિયંતા પુરુષ અને કાળ - એ ત્રણ હેતુઓથી તથા ભગવાનની સંનિધિથી ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ થવાથી તેનાથી મહત્તત્વ ઉત્તપન્ન થયું.દેવની પ્રેરણાથી રજ:પ્રધાન, મહતત્વથી વૈકારીક(સાત્વિક),રાજસ અને તામસ-ત્રણ પ્રકારનો અહંકાર ઉત્તપન્ન થયો.તેને અકાશાદિ પાંચ પાંચ તત્વોના અનેક વર્ણ (પંચતન્માત્ર,પાંચ મહાભૂત,પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,અને તેના પાંચ પાંચ દેવતા -આ છ વર્ગોનો અહીં સંકેત સમજાવવો જોઈએ) પ્રગટ કર્યાં.તે બધા જુદા જુદા રહીને ભૂતોના કાર્યરૂપે બ્રહ્માંડની રચના કરી શકતા ન હતા,એટલા માટે તેમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સુવર્ણ વર્ણ અંડની રચના કરી.તે અંડ ચેતનાશૂન્ય અવસ્થામાં એક હજાર વર્ષોથી પણ વધારે સમય સુધી કારણાબ્ધીના પાણીમાં પડ્યું રહ્યું.પછી તેમાં શ્રી ભગવાને પ્રવેશ કર્યો.તેમાં અધિષ્ઠિત થવાથી તેમની નાભિથી સહસ્ત્ર સૂર્યોના જેવું ખુબ જ દૈદિપ્યમાન એક કમળ પ્રગટ થયું, જે સંપૂર્ણ જીવ સમુદાયનો આશ્રય હતો.તેનાથી સ્વયં બ્રહ્માજીનો પણ આવિર્ભાવ થયો છે.
જયારે બ્રહ્માંડના ગર્ભરૂપ પાણીમાં શયન કરનારા શ્રી નારાયણજીએ શ્રી બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશ કર્યો,ત્યારે તે પૂર્વ કલ્પમાં પોતાના જ દ્વારા નક્કી કરેલી નામરૂપમયી વ્યવસ્થા પ્રમાણે રચના કરવા લાગ્યા. સહુથી પહેલા તેમણે પોતાની છાયાથી તામિસ્ત્ર,અશવતામિસ્ત્ર,તમ, મોહ અને મહામોહ -એમ પાંચ પ્રકારની અવિદ્યા ઉત્તપન્ન કરી.બ્રહ્માજીને તે પોતાનું તમોમય શરીર સારું ન લાગ્યું,એટલે તેમણે તેને ત્યાગી દીધું.ત્યારે જેનાથી ભૂખને તરસની ઉત્તપત્તિ થાય છે -એવા રાત્રીરૂપ તે શરીરને તેનાથી ઉત્તપન્ન થયેલ યક્ષ અને રાક્ષસોએ ગ્રહણ કરી લીધું.તે વખતે ભૂખ -તરસથી વ્યાકુળ થઈને તેઓ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા-'આને ખાય જાવ તેની રક્ષા ન કરો' કેમકે તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઇ રહ્યા હતા.બ્રહ્માજીએ ગભરાઈને તેમને કહ્યું -'અરે ! યક્ષ-રાક્ષસો ! તમે મારી સંતાન છો,એટલે , મારુ ભક્ષણ નહિ.મારી રક્ષા કરો ! ( એમાથી જેમણે કહ્યું "ખાઈ જાવ'તે યક્ષ થયા અને જેમણે કહ્યું 'રક્ષણ ન કરો 'તે રાક્ષસ કહેવાયા)
પછી બ્રહ્માજીને સાત્વિકી પ્રભાથી દૈદિપ્યમાન થઈને મુખ્ય મુખ્ય દેવતાઓની રચના કરી.તેમણે ક્રીડા કરતા કરતા બ્રહ્માજીના ત્યાગવા પર તેમના તે દિનરૂપ પ્રકાશમય શરીર ગ્રહણ કરી લીધું.તેના પછી બ્રહ્માજીએ તેમના જઘાન દેશથી કામાશક્ત અસુરો ઉત્તપન્ન કર્યા.તેઓ ખુબ જ કામલોલુપ થવાને કારણે ઉત્તપન્ન થતાની સાથેજ તેઓ બ્રહ્માજી તરફ મૈથુન માટે જવા મંડ્યા એ જોઈને પહેલા તો તેઓ હસ્યાં,પરંતુ પછી તે નિર્લજ્જ અસુરોને પોતાની પાછળ આવતા જોતા ભયભીત અને ક્રોધિત થઈને ખુબ જ જોરથી ભાગ્યા.ત્યારે તેમણે ભક્તો પર કૃપા કરવા માટે તેમની ભાવના અનુસાર દર્શન આપનારા શરણાગતવત્સલ વરદાયક શ્રી હરિની પાસે જઈને કહ્યું -પ્રરમાત્મન ! મારી રક્ષા કરો,મેં તો આપની જ આજ્ઞાથી પ્રજા ઉત્તપન્ન કરી હતી,પરંતુ તે તો પાપમાં પ્રવૃત થઈને મનેજ હેરાન કરવા લાગી છે.નાથ ! એકમાત્ર આપ જ દુઃખી જીવોનું દુઃખ દૂર કરનારા છો અને અને જે આપની ચરણ શરણમાં નથી જતા,તેમને દુઃખ દેનારા પણ આપ જ છો.
પ્રભુ તો પ્રત્યક્ષવત બધાના હૃદયને જાણનારા છે તેમણે બ્રહ્માજીની આતુરતા જોઈને કહ્યું-' તમે તમારું આ કામકલુષિત શરીરને ત્યાગી દો.'ભગવાનના એમ કહેવાથી તેમણે તે શરીર પણ છોડી દીધું.
(બ્રહ્માજીએ છોડેલું તે શરીર એક સુંદરી સ્ત્રી-સંધ્યાદેવીના રૂપમાં ફેરવાઈ ગયું.)તેના ચરણકમલોના પાયલ ઝણઝર ચમકી રહ્યા હતા.તેની આંખો મતવાલી થઇ રહી હતી,અને કમર કમ્મર કરધનીની લાડુથી સુશોભિત સજીલી સાડીથી ઢંકાયેલી હતી.તેના ઉભરાયેલા સ્તન એવી રીતે એકબીજાથી જોડાયેલા હતા કે એકબીજામાં કોઈ અંતર જ ન હતું.તેની નાસિકા અને દંતાવળી બહુ જ સુઘડ હતી તથા તથા તે મધુર મધુર મુસ્કરાતી અસુરોની સામે હાવભાવપૂર્ણ દ્રષ્ટિથી જોઈ રહી હતી.તે નીલી નીલી અલ્કાવલીથી સુશોભિત સુકુમારી માનો લજ્જાની મારી પોતાના આચલમાં જ સીમટાઈ જતી હતી. વિદુરજી ! તે સુંદરીને જોઈને બધાજ અસુરો મોહિત થઇ ગયા.'અહો ! એનું કેવું વિચિત્ર રૂપ,કેવું અલૌકિક ધૈર્ય,અને કેવી નવી અવસ્થા છે.જુઓ,અમે કામપીડિતોની વચ્ચે આ કેવી બેપરવાહ જેવી ફરી રહી છે.'
આવી રીતે તે કુબુદ્ધિ દૈત્યોએ સ્ત્રી રૂપિણી સંધ્યાના વિષયમાં જાત જાતના તર્ક-વિતર્ક કરીને પછી તેનો બહુજ આદર કરતા પૂછ્યું- 'સુંદરી !તું કોણ છે અને કોની પુત્રી છે ? ભામિની ! અહીં તારું આવવાનું શું પ્રયોજન છે ?તું તારા અનુપ રૂપનો આ બેમોલ સોદો બતાવીને અભાગિયાને કેમ તરસાવી રહી છે.અબળા ! તું કોઈ પણ કેમ ન હોય ,અમને તારું દર્શન થયું - તે ખુબ જ સૌભાગ્યની વાત છે.તું તારા બોલ ઉઠાવી ઉઠાવીને અમે દર્શકોના મનને વલોવી નાખે છે.સુંદરી ! જયારે તું ઉછળતા બોલ પર તારી હથેળીની થપાટ મારે છે,ત્યારે તારા ચરણકમળો એક જગ્યાએ નથી રોકાતા ,ટેરો કમ્મરનો ભાગ સ્થૂળ સ્તનોના ભારથી થાકી જતો હોય તેમ અને તારી નિર્મલ નજરોથી પણ થાક ઝળકતો લાગે છે.અહો ! તારા વાળ કેટલા સુંદર સજાવેલા છે.'આવી રીતે સ્ત્રી રૂપથી પ્રગટેલી તે સાયંકાલીન સંધ્યાએ તેઓને ખુબ જ કામાસક્ત કરી નાખ્યા,અને તે મુર્ખોએ તેને કોઈ રમણિરવ સમજીને ગ્રહણ કરી લીધી.
ત્યાર પછી બ્રહ્માજીએ ગંભીર ભાવથી હસીને પોતાની કાંતિમયી મૂર્તિથી,જે પોતાનું સૌંદર્યનું માનો જાતેજ આસ્વાદન કરતી હતી,ગંધર્વ અને અપ્સરાઓને ઉત્તપન્ન કર્યા.તેમને જ્યોત્સના(ચંદ્રિકા) -રૂપ પોતાના તે કાંતિમય પ્રિય શરીરનો ત્યાગ કર્યો.તેને વિશ્વાવસુ ગાંધર્વોએ પ્રસન્નતાથી ગ્રહણ કર્યું.
તેના પછી ભગવાન બ્રહ્માએ પોતાની તન્દ્રાથી ભૂત-પિશાચ ઉત્તપન્ન કર્યા.તેમને દિગંબર(વસ્ત્રવગર)અને વાળ વિખરાયેલા જોઈ તેમણે આંખો મીંચી દીધી.બ્રહ્માજીના ત્યાગેલા તે જેભયરૂપ શરીરને ભૂત પિશાચોએ ગ્રહણ કરી લીધું.તેને નિદ્રા પણ કહે છે,જેનાથી જીવોમાં શિથિલતા આવતી દેખાઈ છે.કદાચ કોઈ મનુષ્ય એઠા મોઢે સુઈ જાય તો તેના પર ભૂત પિશાચો વગેરે આક્રમણ કરે છે.,તેને જ ઉન્માદ કહે છે.
પછી ભગવાન બ્રહ્માએ ભાવના કરી કે હું તેજોમય છું,અને મારા અદ્રશ્ય રૂપથી સાધ્યગણ એટલે પિતૃગણને ઉત્તપન્ન કર્યા.પિત્રોએ પોતાના ઉત્તપત્તિના સ્થાન તે અદ્રશ્ય શરીરને ગ્રહણ કરી લીધું.તેને લક્ષ્યમાં રાખીને પંડીતલોકો શ્રાદ્ધ વગેરે દ્વારા પિત્રો અને સાધ્યગણોના અનુક્રમે કવ્ય( પિંડ) અને હવ્ય અર્પણ કરે છે.
પોતાની તિરોધાન શક્તિથી બ્રહ્માજીએ સિદ્ધ અને વિદ્યાધરોની સૃષ્ટિ રચી,અને તેમને પોતાનું તે અંતર્ધ્યાન નામનું અદભુત શરીર આપ્યું.એકવાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું.ત્યારે પોતાને ખુબ સુંદર માનીને તે પ્રતિબિંબથી કિન્નર અને કિંપુરુષ ઉત્તપન્ન કર્યા.તેમણે બ્રહ્માજીના ત્યાગી દેવાથી તેમનું તે શરીર ગ્રહણ કર્યું.એટલા માટે તેઓ બધા ઉપકાલમાં પોતાની પત્નીઓ સાથે મળીને ગુણ કર્મો વગેરેનું ગાન કર્યા કરે છે.
એકવાર બ્રહ્માજી સૃષ્ટિની બુદ્ધિ ન હોવાને કારણે ખુબ જ ચિંતિત થઈને હાથ-પગ વગેરે અવયવોને ફેલાવીને સુઈ ગયા અને પછીક્રોધથી તે ભોગમાંય શરીરને ત્યાગી દીધું.તેનાથી જે વાળ ખરીને પડ્યા,તે અહિ થયા.તથા તેમના હાથ-પગ સંકોચીને ચાલવાથી ક્રૂર સ્વભાવ સાપ અને નાગ થયા.જેમનું શરીર ફળરૂપથી ખભા પાસે ખુબ જ ફેલાયેલું હોય છે.
એકવાર બ્રહ્માજીએ પોતાને કૃત-કૃત્ય જેવો અનુભવ કર્યો.તે વખતે અંતમાં તેમણે પોતાના મનથી મનુઓની સૃષ્ટિ કરી.તેઓ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે.બ્રહ્માજીએ તેમને માટે પોતાનું પુરુષાકાર શરીર ત્યાગી દીધું.મનુઓને જોઈને તેમના પહેલા ઉત્તપન્ન થયેલા દેવતા ગંધર્વ વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા.તેઓ બોલ્યા- 'વિશ્વકર્મા બ્રહ્માજી ! આપણી આ (મનુઓની) સૃષ્ટિ ખુબ જ સુંદર છે.તેમાં અગ્નિહોત્ર વગેરે બધા કર્મ પ્રતિષ્ઠ છે.તેમની સહાયતાથી અમો પણ પોતાના અત્ર (હવિભાર્ગ ) ગ્રહણ કરી શકીશું.
પછી આદિ ઋષિ બ્રહ્માજીએ ઇન્દ્રિય સંયમ પૂર્વક તપ,વિદ્યા,યોગ અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતાન ઋષિગણની રચના કરી અને તેઓમાંથી દરેકને પોતાના સમાધિ,યોગ,એશ્વર્ય,તપ,વિદ્યા અને વૈરાગ્યમય શરીરનો અંશ આપ્યો.
એકવીસમો અધ્યાય
કર્દમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન
વિદુરજીએ પૂછ્યું- સ્વાયંભુવ મનુનો વંશ ખુબ જ આદરણીય માનવામાં આવ્યો છે.તેમાં મૈથુન ધર્મના દ્વારા પ્રજાની વૃદ્ધિ થઇ હતી.હવે આપ મને તેની કથા સંભળાવો.બ્રહ્મન ! આપે કહ્યું હતું કે સ્વાયંભુવ મનુના પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદે સાતેય દ્વિપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કર્યું હતું તથા તેની પુત્રી
,જે દેવહુતિ નામથી પ્રખ્યાત હતી.કર્દમપ્રજાપતિ સાથે વિવાહિત હતી.દેવહુતિ યોગના લક્ષણ યમ આદિથી સંપન્ન હતી, તેણે મહાયોગી કર્દમજીથી કેટલી સંતાનો ઉત્તપન્ન કર્યા ? તે બધા પ્રસંગો આપ મને સંભળાવો, મને તે સાંભળવાની ખુબ જ ઈચ્છા છે.આવી રીતે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુજીની કન્યાઓનું પાણિગ્રહણ કરીને તેઓથી કેવી રીતે કયા કયા સંતાન ઉત્તપન્ન કર્યા,એ બધા ચરિત્રો પણ મને સંભળાવો.
મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી ! જયારે બ્રહ્માજીએ ભગવાન કર્દમજીને આજ્ઞા આપી કે તમો સંતાનની ઉત્તપત્તિ કરો,તો તેમણે એક હજાર વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી.તેઓ એકાગ્ર ચિત્તથી પ્રેમપૂર્વક પૂજાનોપચાર દ્વારા શરણાગતવરદાયક શ્રી હરિની આરાધના કરવા લાગ્યા.ત્યારે સત્યયુગની શરૂઆતમાં કમલનયન ભગવાન શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દબ્રહ્મમય સ્વરૂપથી મુર્તિવાન થઈને દર્શન આપ્યા.
ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્યના જેવી તેજોમય હતી. તેઓએ ગળામાં સફેદ કમળ અને કુમુદના ફૂલોની માળા ધારણ કરી હતી.મુખકમળ નીલી અને ચીકણી અલ્કાવલીથી સુશોભિત હતું.તેઓએ નિર્મલ વસ્ત્ર ધારણ કરેલા હતા.માથા પર ઝગમગતો સુવર્ણમય મુકુટ,કાનોમાં ઝળહળતા કુંડળ અને કરકમળોમાં શંખ,ચક્ર ,ગદા વગેરે આયુધ વિરાજમાન હતા.તેમના એક હાથમાં ક્રીડા માટે સફેદ કમળ સુશોભિત હતું.પ્રભુની મધુર મુસ્કરાતવાળી ચિત્તવન ચિત્તને ચોરી લેતી હતી.તેમના ચરણકમળો
ગરુડજીનાં ખભાઓ પર વિરાજમાન હતા તથા વૃક્ષ:સ્થળમાં શ્રી લક્ષ્મીજી અને કંઠમાં કૌસ્તુભમણિ સુશોભિત હતા.પ્રભુની આ આકાશસ્થિર મનોહર મૂર્તિનું દર્શન કરીને કર્દમજીને ખુબ જ હર્ષ થયો,માનો તેમની બધીજ કામનાઓ પૂર્ણ થઇ ગઈ. તેમણે આનંદ સાથે હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમપ્રવણ ચિત્તથી હાથ જોડીને સુમુધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા.
કર્દમજીએ કહ્યું - પ્રાર્થના કરવા યોગ્ય પરમેશ્વર ! આપ સંપૂર્ણ સત્યયુગના આધાર છો.યોગીજનો વારંવાર શુભ યોનિયોમાં જન્મ લઈને અંતમાં યોગસ્થ થવાથી આપણા દર્શનોની ઈચ્છા કરે છે,આજે આપના તે જ દર્શન થયા તેથી નેત્રો નું ફળ મળી ગયું.આપના ચરણકમળો ભવસાગરથી પાર જવા માટે વહાણ છે. જેની બુદ્ધિ આપની માયાથી મારી ગઈ છે,તે જ તે તુચ્છ ક્ષણિક વિષય-સુખો માટે જે નર્કમાં પણ મળી શકે છે તે ચરણોનો આશ્રય લે છે, પરંતુ સ્વામી ! આપ તો તેમને તે વિષય ભોગ પણ આપી દો છો.પ્રભુ ! તમો કલ્પવૃક્ષ છે.આપના ચરણો બધાજ મનોરથોને પુરા કરનારા છે.મારુ હૃદય કામકલુષિત છે.હું પણ એક મારા અનુરૂપ સ્વભાવવાળી અને ગૃહસ્થા ધર્મના પાલનમાં સહાયક શીલવતી કન્યા સાથે વિવાહ કરવા માટે આપના ચરણકમળોની શરણોમાં આવ્યો છું. સર્વેશ્વર ! આપ સંપૂર્ણ લોકોના અધિપતિ છો.નાના પ્રકારની કામનાઓમાં ફસાયેલા આ લોક આપની વેદ વાણીની દોરીમાં બંધાયેલો છે.ધર્મમૂર્તિ ! તેમનું અનુગમન કરતો હું પણ કાળરૂપ આપને આજ્ઞાપાલન રૂપ પુંજા ફળો વગેરે સમર્પિત કરું છું.
પ્રભુ ! આપના ભક્ત વિષયાત્મક લોકો અને તેમના જ માર્ગનું અનુશરણ કરનારા મારા જેવા કર્મ -જડ પશુઓને કઈ પણ ન સમજીને આપના ચરણોની છત્રછાયાનો જ આશરો લે છે તથા પરસ્પર આપણા ગુણગાન રૂપ માદક સુધાનું જ પાન કરીને પોતાના ક્ષુધા પિપાસા વગેરે દેહ ધર્મોને શાંત કરતા રહીએ છીએ.પ્રભુ ! આ કાળચક્ર ખુબ જ પ્રબળ છે.સાક્ષાત બ્રહ્મ જ તેની ફરવાની ધરી છે.અધિક મહિના સાથે તેર મહિના અરે છે,ત્રણસો સાઈઠ દિવસો જોડ છે,છ ઋતુઓ નેમી(હાલ) છે,અનંત ક્ષણ -પળ વગેરે તેમાં પત્રાકાર ધારાઓ છે, તથા ત્રણ ચાતુર્માસ તેની નાભિ છે. તે અતયંત વેગવાન સંવત્સર રૂપ કાળચક્ર સતત જગતની ઉંમરનું છેદન કરતુ ફર્યા કરે છે.પરંતુ આપના ભક્તોની ઉંમરનો હાસ નથી કરી શકતું.ભગવાન ! જેવી રીતે કારોરીયો જાતે જ ઝાળ ફેલાવી,તેની રક્ષા કરતો અંતમાં તેને ગળી જાય છે.તેવી રીતે આપ એકલા જ જગતની રચના કરવા માટે પોતાનાથી જુદી પોતાની યોગમાયાનો સ્વીકાર કરીને તેનાથી અભિવ્યક્ત થયેલી આપની સતવાદી શક્તિઓ દ્વારા જાતે જ આ જગતની રચના ,પાલન અને સંહાર કરો છો.પ્રભુ ! અત્યારે આપે અમને આપની તુલસીમાલામંડીત,માયાથી પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિના દર્શન આપ્યા છે.આપ અમને ભક્તોને જે શબ્દાદિક વિષય સુખ આપો છો,તે માયિક હોવાને કારણે કદાચ આપને પસંદ નથી ,તે ઉપરાંત પરિણામમાં અમારું શુભ કરવા અમોને પ્રાપ્ત થાય.
નાથ ! તમો સ્વરૂપથી નિષ્ક્રિય હોવા છતાં માયા દ્વારા સંસારનો વ્યવહાર ચલાવનારા છો તથા થોડીક ઉપાસના કરનારા ઉપર પણ સમસ્ત અભિલાષીત વસ્તુઓની વર્ષા કરતા રહો છો.તમારા ચરણકમળો વંદનીય છે,હું આપને વારંવાર નમસ્કાર કરું છું.
મૈત્રેયજી કહે છે - ભગવાનની ભ્રમરો પ્રણય મુસ્કરાતભર્યા ચિત્તવનથી ચંચળ થઇ રહ્યાં હતા.તેઓ ગરુડજીનાં ખભા ઉપર વિરાજમાન હતા.જયારે કર્દમજીએ નિષ્કપટભાવથી તેમની પ્રાર્થના કરી ત્યારે તેઓ તેમને પોતાની અમૃતમયી વાણીથી કહેવા લાગ્યા,.
શ્રી ભગવાને કહ્યું - જેને માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે,તમારા હૃદયનો ભાવ જાણીને મેં પહેલેથી જ તમારો ભાવ વાંચીને તેને માટે વ્યવસ્થા કરી દીધી છે.પ્રજાપતિ ! મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ નથી થતી,પછી જેનું ચિત્ત કાયમ એકાન્તરૂપથી મારામાં જ લાગેલું રહે છે,તે તમારા જેવા મહાત્માઓ દ્વારા કરેલી ઉપાસનાનો તો વધારે થી વધારે ફળ હોય છે.પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વાયંભુવ મનુ, બ્રહ્માવર્તમાં રહીને સાત સમુદ્રવાળી આખી પૃથ્વીનું શાસન કરે છે.વિપ્રવર ! તે પરમ ધર્મજ્ઞ મહારાજ મહારાણી શત્રુપાની સાથે તમને મળવા પરમ દિવસે અહીં આવશે.તેમની એક રૂપયૌવન ,શીલ અને ગુણોથી ભરપૂર શ્યામલોચના કન્યા અત્યારે વિવાહને યોગ્ય છે.પ્રજાપતિ ! તમે સર્વથા તેને યોગ્ય છો,એટલે તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે.બ્રહ્મન ! વીતેલા અનેકો વર્ષથી તમારું ચિત્ત આવી ભાર્યાને માટે સમાહિત રહ્યું છે હવે તરત જ તે રાજકન્યા તમારી તેવી જ પત્ની બનીને યથયોગ્ય સેવા કરશે.તે તમારું વીર્ય તેના ગર્ભમાં ધારણ કરીને તેનાથી નવ કન્યા ઉત્તપન્ન કરશે પછી તમારી તે કન્યાઓ થી લોકરીતના પ્રમાણે મરીચિ વગેરે ઋષિગણ પુત્ર ઉત્તપન્ન કરશે.તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરીને શુદ્ધ ચિત્ત થઈ પછી બધા કર્મોના ફળ મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત થશો.જીવો પર દયા કરતા તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી બધાને અભય દાન આપી તમારી સાથે સંપૂર્ણ જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો.મહામુનિ ! હું પણ મારા અંશ કલારૂપથી તમારા વીર્ય દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરિત થઈને સાંખ્યશાસ્ત્રની રચના કરીશ.
મૈત્રેયજી કહે છે - વિદુરજી ! કર્દમ ઋષિ સાથે આવી રીતે સંભાષણ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રી હરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિન્દુસાર તીર્થથી (જ્યાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતા)પોતાના લોકમાં ચાલ્યા ગયા.ભગવાનના સિદ્ધ માર્ગ(વૈકુંઠ માર્ગ)ની બધા સિદ્ધેશ્વર વખાણ કરે છે.તેઓ કર્દમજીને જોતા જોતા પોતાના લોકમાં સિધાવી ગયા.તે વખતે શ્રી ગરુડજીની પાંખોથી જે સામની આધારભૂત ઋચાઓ નીકળતી હતી,તેને તેઓ સાંભળતા જતા હતા.
વિદુરજી ! શ્રી હરિના ચાલ્યા જવાથી ભગવાન કર્દમ તેમણે બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા કરતા બિંદુ સરોવર ઉપર જ રોકાઈ ગયા.વિરવર ! આ બાજુ શ્રી મનુજી પણ પત્ની શતરૂપાની સાથે સુવર્ણજડિત રથ ઉપર સવાર થઈને તથા તેના ઉપર પોતાની કન્યાઓને પણ બેસાડીને પૃથ્વી પર ફરતા જે દિવસ ભગવાને બતાવ્યા હતા,તે દિવસે શાંતિ પારાયણ મહર્ષિ કર્દમના તે આશ્રમ ઉપર પહોંચ્યા.સરસ્વતીના પાણીથી ભરેલું બિદું સરોવર તે સ્થાન છે,જ્યાં તેમના શરણાગત ભક્તો કર્દમ તરફ ઉત્તપન્ન થયેલી અત્યંત કરુણાના વશીભૂત થયેલા ભગવાનના નેત્રોથી આંસુઓની બૂંદો સરી હતી.આ તીર્થ ખુબ જ પવિત્ર છે,તેનું પાણી કલ્યાણમય અને અમૃત જેવું મીઠું છે તથા મહર્ષિગણો કાયમ તેનું સેવન કરે છે. તે વખતે બિદું સરોવર પવિત્ર વૃક્ષ અને વેલાઓથી ઘેરાયેલું હતું,તેમાં જાતજાતની બોલી બોલતા પવિત્ર હરણાં અને પક્ષીઓ રહેતા હતા, તે સ્થાન બધી ઋતુઓના ફળ અને ફૂલોથી સંપન્ન હતું,અને સુંદર વણશ્રેણી તેની શોભા વધારતી હતી.ત્યાં ઝુંડના ઝુંડ પક્ષીઓ ચહેકી રહ્યા હતા.મતવાલા ભમરા ભમતા હતા,ઉન્મત્ત મોર તેની પાંખો ફેલાવી ફેલાવીને નટની માફક નૃત્ય કરી રહ્યા હતા.અને મતવાલી કોયલ કુહૂ કુહૂ કરીને માનો એકબીજાને બોલાવી રહી હતી.તે આશ્રમ કદંબ,ચંપક,અશોક,કરંજ,બકુલ,અસન ,કુંડ,મંદાર કુટજ અને નવા નવા અંબાના વૃક્ષોથી અલંકૃત હતો. ત્યાં જલકાગ,બતક વગેરે પાણી પર તરનારા પક્ષી હંસ,કુરર,જળમૃગ સરસ,ચકવા અને ચકોર મીઠા સ્વરથી કલરવ કરી રહ્યા હતા. હરણ,સુવ્વર,સ્યાહી,નીલગાય,હાથી,લંગુર સિંહ,વાનર,નોળીયા,અને કસ્તુરી મૃગ વગેરે પશુઓથી પણ તે આશ્રમ ઘેરાયેલો હતો.
આદિરાજ મહારાજા મનુએ તે ઉત્તમ તીર્થમાં કન્યાઓ સાથે પહોંચીને જોયું કે મુનિવર કર્દમ અગ્નિહોત્ર પતાવીને બેઠેલા હતા.ઘણા દિવસો કઠણ તપસ્યા કરવાને કારણે તેઓ શરીરથી ખુબ જ તેજસ્વી દેખાતા હતા.તથા ભગવાનના સ્નેહપૂર્ણ ચિત્તવનના દર્શન અને તેમના ઉચ્ચારાયેલા કથામૃત રૂપ વચનોને સાંભળવાથી એટલા દિવસો તપસ્યા કરવાથી પણ તેઓ વધારે નબરા પડેલા દેખાતા ન હતા.તેમનું શરીર લાબું હતું,નેત્રો કમળદળની જેમ વીશાળ અને મનોહર હતા,માથા પર જટાઓ સુશોભિત હતી,અને કમ્મરમાં ચીર વસ્ત્ર હતા.તે નજીકથી જોતા વગર સાંનપર ચઢેલા મહામૂલ્ય મણીની જેમ મલીન દેખાતા હતા.મહારાજ સ્વાયંભુવ મનુને પોતાની ઝૂંપડીમાં આવીને પ્રણામ કરતા જૉઇને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યાં અને યથોચિત અતીથ્યની રીતથી તેમનું સ્વાગત સત્કાર કર્યાં.
જયારે મનુજી તેમની પુંજા ગ્રહણ કરીને સ્વસ્થ ચિત્તથી આસાન પર બેઠા ત્યારે મુનિવર કર્દમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા કરતા આવી રીતે કહ્યું -દેવ ! તમો ભગવાન વિષ્ણુની પાલનશક્તિરૂપ છો,એટલે આપણું ઘૂમવું ફરવું ની:સંદેહ સજ્જનોની રક્ષા અને દુષ્ટોના સંહાર માટે જ થાય છે.આપ સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુરૂપ છો,તથા જુદા જુદા કાર્યોને માટે સૂર્ય,ચંદ્ર,અગ્નિ ઇન્દ્ર,વાયુ,યમ,ધર્મ અને વરુણ વગેરે રૂપ ધારણ કરો છો,તમને નમસ્કાર છે.તમો મણીઓથી જડેલા જયદાયક રથ પર સવાર છો,આપણા પ્રચંડ ધનુષ્યની તંકાર કરતા કરતા તે રથની ઘરઘરાટીથી પાપીઓને
ભયભીત કરી દો છો.અને આપણી સેનાના ચરણોથી ખુંદાયેલા ભૂમંડળોને કંપાવતા આપની તે વીશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની માફક ફરો છો.કદાચ તમો તેમ ન કરો તો ચોર ડાકુ ભગવાનની બનાવેલી વર્ણાશ્રમધર્મ ની મર્યાદાને તરતજ નાશ કરી નાખે,તથા વિષયલોલુપ નિરંકુશ માનવો દ્વારા બધે જ અધર્મ ફેલાય જાય.કદાચ આપ સંસારની બાજુથી નિશ્ચિન્ત થઇ જાવ તો આ લોકો દુરાચારીયોના પંજામાં પાડીને નષ્ટ થઇ જાય.તો પણ વિરવર ! હું આપણે પૂછું છું કે આ વખતે આપનુ આગમન કયા પ્રયોજનથી થયું છે ? મારા માટે જે આજ્ઞા હશે તેને હું નિષ્કપટ ભાવથી સહર્ષ સ્વીકાર કરીશ.
બાવીસમો અધ્યાય
દેવહુતિની સાથે કર્દમ પ્રજાપતિનો વિવાહ
મૈત્રેયજી કહે છે - વિદુરજી ! આવી રીતે જયારે કર્દમજીએ મનુજીના સંપૂર્ણ ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું,ત્યારે તેમણેતે નિવૃત્તિપારાયણ મુનિથી કૈક સંકોચાઈને કહ્યું.
મનુજીએ કહ્યું - મુનિ ! વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ આપણા વેદમય વિગ્રહની રક્ષાને માટે તપ,વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત આપ બ્રાહ્મણોને પોતાના મોઢાથી પ્રગત કર્યા છે,અને પછી તે સહસ્ત્ર ચરણોંવાળા વિરાટ પુરુષે આપ લોકોની રક્ષા માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓથી અમને ક્ષત્રિયોને ઉત્તપન્ન કર્યા છે.એવી રીતે બ્રાહ્મણ તેમના હૃદય અને ક્ષત્રિય શરીર કહેવાય છે.આમ એકજ શરીરથી સબંધ હોવાને કારણે પોત પોતાની અને એક બીજાની રક્ષા કરનારા તે બ્રાહ્મણ અને ક્ષત્રિયયોની હકીકતમાં શ્રી હરિ જ રક્ષા કરે છે,જે બધાજ કાર્યકરણરૃપ હોવા છતાં પણ હકીકતમાં નિર્વિકાર છે,.આપના દર્શન માત્રથી જ મારા બધા સંદેહો દૂર થઇ ગયા.કેમકે આપે મારી પ્રશંસાના મીસથી જાતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોને ખુબજ પ્રેમથી નિરૂપણ કર્યા છે.આપના દર્શન અજિતેન્દ્રિય પુરુષોને ખુબ જ દુર્લભ છે,મારુ મોટું ભાગ્ય છે,કે મને આપના દર્શન થયા અને હું આપના ચારણોની મંગલમયી રજ મારા માથા પર ચઢાવી શક્યો.મારા ભગયોદયથી આપે મને રાજધર્મોની શિક્ષા આપીને મારા પર મહાન અનુગ્રહ કર્યો છે અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ આપની પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે.
મુનિ ! આ કન્યાના સ્નેહવશ મારુ ચિત્ત ખુબ જ ચિંતાગ્રસ્ત થઇ રહ્યું છે,એટલે મારી ગરીબની આ પ્રાર્થના કૃપાથી સાંભળો.આ મારી કન્યા- જે પ્રિયવ્રત અને ઉત્તાનપાદની બેન છે - ઉંમર,શીલ અને ગુણ વગેરેમાં પોતાને યોગ્ય પતિને મેળવવાની ઈચ્છા રાખે છે.જ્યારથી તેને નારદજીના મોઢેથી આપના શીલ,વિદ્યા,રૂપ,ઉંમર અને ગુણોનું વર્ણન સાંભર્યું છે,ત્યારથી તે આપને પોતાના પતિ બનાવવાનો નિર્ણય કરી ચુકી છે.દ્વિજવાર ! હું ખુબ જ શ્રદ્ધાથી આ કન્યા આપને સમર્પિત કરું છું,આપ તેનો સ્વીકાર કરો.આ ગૃહસ્થોચિત કાર્યોને માટે બધી રીતે આપ માટે યોગ્ય છે.જે ભોગ જાતેજ પ્રાપ્ત થઇ જાય તેની અવહેલના કરવી વિરક્ત પુરુષોને પણ ઉચિત નથી, પછી વિષયાશક્તિની તો વાત જ શું છે.જે પુરુષ જાતે પ્રાપ્ત થયેલા ભોગનો બિરાદર કરી પછી કોઈ કુંપણ આગળ હાથ ફેલાવે તેનું ખુબ ફેલાયેલો યશનો પણ નાશ થઇ જાય છે.અને બીજાના તિરસ્કારથી માનભંગ પણ થાય છે.વિદ્વાન ! મેં સાંભળ્યું છે,તમો વિવાહ કરવા ઉચિત છો આપનુ બ્રહ્મચર્ય એક સીમા સુધી છે,આપ નૈષ્ઠિક બ્રહ્મચારી તો છો નહિ,એટલા માટે હવે આપ આ કન્યાનો સ્વીકાર કરો,હું તેને આપને અર્પિત કરું છું.
શ્રી કર્દમ ઋષિએ કહ્યું - ઠીક છે ,હું વિવાહ કરવા ચાહું છું,અને આપની કન્યાનો અત્યારે કોઈની સાથે વાગ્દાન નથી થયું,એટલા માટે અમે બંનેના સર્વશ્રેષ્ઠ બ્રહ્મ (મનુસ્મૃતિમાં આઠ પ્રકારના વિવાહોનો ઉલ્લેખ જોવા મળે છે- ૧-બ્રહ્મ,૨-દેવ,૩-આર્ય,૪-પ્રજાપત્ય,૫-આસુર,૬-ગંધર્વ,૭-રાક્ષસ અને ૮-પિશાચ.તેના લક્ષણો ત્યાં ત્રીજા અધ્યાયમાં જોવા જોઈએ.તેમાં પહેલો(બ્રહ્મ) સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે,તેમાં પિતા યોગ્ય વરને કન્યાનું દાન કરે છે.)વિધિથી વિવાહ ઉંચીત જ હશે.રાજન ! વેદોક્ત વિવાહ વિધિથી પ્રસિદ્ધ જે 'ગુમનામિ તે' વગેરે મંત્રોમાં બતાવેલો કામ (સંતાન ઉત્પાદન રૂપ મનોરથ) છે. તે આપની આ કન્યા ની સાથે મારો સબંધ થવાથી સફળ થશે.
ભલા, જે પોતાની પોતાના અંગોના તેજથી આભૂષણો વગેરેની શોભાનો પણ તિરસ્કાર કરે છે,આપણી તે કન્યાનો કોણ આદર ન કરશે ? એકવાર તે પોતાના મહેલની છત ઉપર દડો રમી રહી હતી,દાદાની પાછળ અહીં તહી દોડવાથી તેના નેત્રો ખુબ જ ચંચળ થઇ રહ્યા હતા,તથા પગના ઝાંઝર મધુર ઝંકાર કરી રહ્યા હતા.તે વખતે તેને જોઈને વિશ્વાવસુ ગંધર્વ મોહથી બેભાન થઈને પોતાના વિમાનમાંથી પડી ગયો હતો.તેજ અહીં જાતે આવીને પ્રાર્થના કરી રહી છે, આવી અવસ્થામાં કોણ સમજદાર પુરુષ તેનો સ્વીકાર ન કરશે ?આ તો સાક્ષાત સ્વાયંભુવ મનુની દુલારી કન્યા અને ઉત્તાનપાદની પ્યારી બહેન છે,તથા તે સુંદરીયોમાં રત્નના જેવી છે.જે લોકોએ ક્યારે ય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના નથી કરી,તેને તો તેના દર્શન પણ ન થઇ શકે.એટલે હું આપની આ સાધ્વી કન્યાનો અવશ્ય સ્વીકાર કરીશ,પરંતુ એક શરત સાથે,જ્યાં સુધી તેનું સંતાન ન થાય ત્યાં સુધી હું તેની સાથે ગૃહસ્થ ધર્મથી તેની સાથે રહીશ.તેના પછી ભગવાનના બતાવેલા સન્યાસ પ્રધાન હિંસારહિત શમ-દમાંડી ધર્મોને જ વધારે મહત્વ આપીશ.જેનાથી આ જગતની ઉત્તપત્તિ થઇ છે જેનામાં તે લિન થઇ જાય છે,અને જેના આશ્રયથી જે ટકેલું છે.મને તો તે પ્રજાપતીયોના પણ પતિ ભગવાન શ્રી અનંત જ બધાથી વધારે માન્ય છે.
મૈત્રેયજી કહે છે - પ્રચંડ ધનુર્ધર વિદુર ! કર્દમજી ફક્ત એટલું જ કહી શક્યા,પછી તેઓ હૃદયમાં ભગવાન કમાલનાભનું ધ્યાન કરતા મૌન થઇ ગયા.તે વખતે તેમના મંદ હાસ્યયુક્ત મુખકમલને જોઈને દેવહુતિનું મન લોભાઈ ગયું.મનુજીએ જોયું કે આ સંબંધમાં મહારાણી શતરૂપા અને રાજકુમારીની ચોખ્ખી અનુમતિ છે,એટલે તેમણે અનેક ગુણોથી ભરેલા કર્દમજીને તેમના જેવીજ ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કર્યું.મહારાણી શતરૃપાએ પણ દીકરી અને જમાઈને પ્રેમપૂર્વક ખુબ જ મૂલ્યોવાળા વસ્ત્રો,આભૂષણ અને ઘરને ઉચિત પાત્ર વગેરે દહેજમાં આપ્યા.આવી રીતે સુયોગ્ય વરને પોતાની કન્યા આપીને મહારાજ મનુ નિશ્ચિત્ત થઇ ગયા.જતી વખતે તેનો વિયોગ ન સહી શકવાને કારણે તેમણે
ઉત્કંઠાવશ વ્યાકુળ થઈને તેને પોતાની છાતી સરસે ચાંપી અને 'દીકરી !દીકરી !' કહીને રડવા લાગ્યા.તેમની આંખોમાંથી આંસુઓની નદી વહેવા લાગી અને તેનાથી તેમણે દેવહૂતિના બધા વાળ પલાળી નાખ્યા.પછી તેઓ મુનિવર કર્દમજીને પૂછીને તેમની આજ્ઞા લઇ રાણી સાથે રથ ઉપર સવાર થયા,અને પોતાના સેવકો સાથે ઋષિકુલસેવિત સરસ્વતીના બંને કિનારાઓ પરના મુનિયોના આશ્રમોની શોભાને જોતા જોતા પોતાની રાજધાની માં ચાલ્યા ગયા.
જયારે બ્રહ્માવર્તની પ્રજાને આ સમાચાર મળ્યા કે પોતાના સ્વામી આવી રહ્યા છે,ત્યારે તેઓ ખુબ જ આનંદિત થઈને સ્તુતિ,ગીત તેમજ વાજા-ગાજાની સાથે આગેવાની કરવા બ્રહ્માવર્તની રાજધાનીથી બહાર આવી.બધાજ પ્રકારની સંપદાઓથી સંપન્ન બહિર્ષ્માતી નગરી મનુજીની રાજધાની હતી.જ્યાં પૃથ્વીને રસાતલથી લાવ્યા પછી શરીર ધ્રુજાવતા વરાહ ભગવાનના વાળ ખર્યા હતા આ રોમ જ કાયમ હર્યા ભર્યા રહેનારા કુશ અને કાસ થયા,જેના દ્વારા મુનિયોએ યજ્ઞમાં વિઘ્ન નાખનારા રાક્ષસો નો તિરસ્કાર કરીને ભગવાન યજ્ઞપુરુષ ની યજ્ઞો દ્વારા આરાધના કરી છે.મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાનથી ભૂમીરૂપ નિવાસસ્થાન મળવાથી તેજ સ્થળમાં કુશ અને કાસની ચટ્ટાઈ પાથરીને શ્રી યજ્ઞભગવાનની પુંજા કરી હતી.
જે બરહિષ્મતી પુરીમાં મનુજી નિવાસ કરતા હતા,તેમાં જઈને તેમણે પોતાના ત્રિતાપનાશક ભવનમાં પ્રવેશ કર્યો.ત્યાં તેમની ભાર્યા અને સંતાનો સાથે તેઓ ધર્મ,અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા.પ્રાપ્ત:કાળ થતા ગંધર્વ જનો તેમની સ્ત્રીઓ સાથે તેમના ગુણગાન કરતા હતા.પરંતુ મનુજી તેનાથી આસક્ત ન થઈને પ્રેમપૂર્ણ હૃદયથી શ્રી હરિની કથાઓ જ સાંભર્યાં કરતા હતા.તેઓ ઈચ્છા પ્રમાણે ભોગો નું નિર્માણ કરવામાં કુશળ હતા.પરંતુ મનન શીલ અને ભગવત્પરાયણ હોવાથી ભોગો ક્યારેય તેમને વિચલિત કરી શકતા ન હતા.ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ,ધ્યાન ,રચના અનેનિરૂપણ કરતા રહેવાથી તેમના મન્વંતરને વ્યતીત કરનારી ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી.આવી રીતે પોતાની જાગ્રત વગેરે ત્રણે અવસ્થાઓ અથવા ત્રણે ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા સંગમાં પોતાના મન્વંતરના એકોતેર ચતુર્યુગ પુરા કરી નાખ્યા.વ્યાસ નંદન વિદુરજી ! જે પુરુષ શ્રી હરિને આશ્રિત રહે છે,તેને શારીરિક,માનસિક,દૈવિક,માનુષિક,અથવા ભૌતિક દુઃખ કેવી રીતે કાષ્ટ પહોંચાડી શકે છે.મનુજી સદાય બધાજ પ્રાણીના હિતમાં લાગ્યા રહેતા હતા.મુનિયોના પૂછવાથી તેમણે મનુષ્યોના,તથા બધાજ વર્ણ અને આશ્રમોના અનેક પ્રકારના ધર્મોનું પણ વર્ણન કર્યું.(જે મનુસંહિતાના રૂપમાં અત્યારે પણ ઉપલબ્ધ છે.)
જગતના સર્વ પ્રથમ સમ્રાટ મહારાજ હકીકતમાં કીર્તનને યોગ્ય હતા.આ મેં તેમના અદભુત ચરિત્રનું વર્ણન કર્યું,હવે તેમની પુત્રી દેવહુતિનો પ્રભાવ સાંભળો.
અધ્યાય ત્રેવીસમો
કર્દમ અને દેવહુતિનો વિહાર
શ્રી નૈત્રેયજીએ કહ્યું - વિદુરજી ! માતા પિતાના ચાલ્યા જવાથી પતિના અભિપ્રાયને સમજી લેવામાં કુશળ સાધ્વી દેવહુતિ કર્દમજીની પ્રતિદિન પ્રેમપૂર્વક સેવા કરવા લાગી, બસ તેવી જ રીતે જેમ શ્રી પાર્વતીજી ભગવાન શંકરની સેવા કરે છે. તેણે કામ વાસના, દંભ , દ્વેષ , લોભ, પાપ, અને મદને ત્યાગીને ખુબ જ સાવધાની અને લગનની સાથે સેવામાં તત્પર રહીને વિશ્વાસ,પવિત્રતા, ગૌરવ, સંયમ ,શુશ્રુષા, પ્રેમ અને મધુર ભાષણ વગેરે ગુણોથી પોતાના પરમ તેજસ્વી પતિદેવને સંતુષ્ટ કરી લીધા.દેવહુતિ સમજતી હતી કે મારો પતિદેવ નસીબથી પણ વધારે છે, એટલે તે તેમનાથી મોટી મોટી આશાઓ રાખીને તેમની સેવામાં લાગી રહેતી હતી. એવી રીતે ઘણા દિવસો સુધી પોતાનું અનુવર્તન કરનારી તે મનુપુત્રી ને વ્રત વગેરેનું પાલન કરવાથી દુર્બળ થયેલી જોઈ દેવર્ષિ શ્રેષ્ઠ કર્દમનજીને દયાથી કૈક ખેદ થયો અને તેમણે તેને પ્રેમથી ગદ ગદ વાણીથી કહ્યું
કર્દમજીએ કહ્યું -મનુનંદિની ! તે મારો ખુબ આદર કર્યો છે.હું તારી ઉત્તમ સેવા અને પરમ ભક્તિથી સંતુષ્ટ છું.બધા દેહધારીયોને પોતાનું શરીર ખુબ જ પ્રિય તેમ જ આદરની વસ્તુ હોય છે,પરંતુ તે મારી સેવાની આગળ તેને ક્ષીણ થવાની પણ કોઈ પરવા નથી કરી.એટલે પોતાના ધર્મનું પાલન કરતા રહેવાથી મને તપ,સમાધિ ઉપાસના અને યોગ દ્વારા જે ભય અને શોકથી રહિત ભગવત્પ્રસાદ સ્વરૂપ વિભુતિયો પ્રાપ્ત થઇ છે.તેના પર મારી સેવાના પ્રભાવથી હવે તારો પણ અધિકાર થઇ ગયો છે.હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું,તેના દ્વારા તું એમને જો.બીજા જેટલા પણ ભોગ છે, તે તો ભગવાન શ્રી હરિના ભૃંકૃતિ વિલાસ માત્રથી નાશ પામે છે,એટલે તે તેમની આગળ કઈ જ નથી.તું મારી સેવાથી જ કૃતાર્થ થઇ ગઈ છે,તારા પતિવ્રત ધર્મનું પાલન કરવાથી તને આ દિવ્યભોગો પ્રાપ્ત થઇ ગયા છે,તું તેને ભોગવી શકે છે.હું રાજા છું,મને કઈ પણ સુલભ છે,આવી રીતે અભિમાન વગેરે વિકારો છે તેના રહેવાથી મનુષ્યોને આ દીવયભોગોની પ્રાપ્તિ થવી ઘણી કઠિન છે.
કર્દમજીના આ રીતે કહેવાથી પોતાના પતિને સંપૂર્ણ યોગમાયા અને વિદ્યાઓમાં કુશળ જાણીને તે અબળાની બધીજ ચિંતાઓ જતી રહી.તેનું મોઢું ક્યાંક સંકોચભર્યું ચિત્તવન અને મધુર મુસ્કરાહતથી ખીલી ઉઠ્યું અને તે વિનય તેમ જ પ્રેમથી ગદગદ વાણીમાં આ પ્રકારે કહેવા લાગી.
દેવહૂતિએ કહ્યું - દ્વિજશ્રેષ્ઠ !સ્વામિન !હું આ જાણું છું કે ક્યારેય નિષ્ફળ ન થનારી યોગશક્તિ અને ત્રિગુણત્મિકા માયા પર અધિકાર રાખનારા આપને આ બધું એશ્વર્ય પ્રાપ્ત છે..પરંતુ પ્રભુ ! તમોએ જે વિવાહ સમયે પ્રતિજ્ઞા કરી હતી કે ગર્ભાધાન થાય ત્યાં સુધી હું તારી સાથે ગૃહસ્થ સુખનો ઉપભોગ કરીશ ,હવે તેની પૂર્તિ થવી જોઈએ.કેમકે શ્રેષ્ઠ પતિ દ્વારા સંતાન પ્રાપ્ત થવું પતિવ્રતા સ્ત્રી માટે મોટો લાભ છે.અમારા બંનેના સમાગમ માટે શાશ્ત્રના અનુસાર જે કર્તવ્ય હોય,તેનો આપ ઉપદેશ આપો અને ઉબટન,ગંધ ભોજન વગેરે ઉપીયોગી સામગ્રી પણ જોડી દો,જેમાં મિલનની ઈચ્છાથી ગરીબ અને દુર્બળ થયેલું મારુ આ શરીર આપણા અંગસંગ માટે યોગ્ય થઇ જાય,કેમકે આપની જ વધારેલી કામવેદનાથી હું પીડિત થઇ રહી છું.સ્વામી ! આ કાર્ય માટે એક ઉપયુક્ત ભવન તૈયાર થાય,તેનો પણ વિચાર કરો.
મૈત્રેયજી કહે છે - વિદુરજી ! કર્દમ મુનિએ પોતાની પત્નીની ઈચ્છા પુરી કરવા માટે તે વખતે યોગમાં લિન થઈને એક વિમાન રચ્યું,જે ઈચ્છા પ્રમાણે બધે જઈ શકતું હતું.આ વિમાન દરેક પ્રકારના ઈચ્છા અનુસાર ભોગસુખ આપનારું,ખુબ જ સુંદર,બધાજ પ્રકારના રત્નો જડિત,બધીજ સંપતીયોમાં એક પછી એક વધારો કરનારું અને મણિના થાંભલાથી સુશોભિત હતું.તે બધી જ ઋતુઓમાં સુખ આપનારું હતું,અને તેમાં જ્યાં ત્યાં બધે બધીજ સામગ્રીઓ રાખેલી હતી,તથા તેને ચિત્ર વિચિત્ર રેશમી ઝંડીઓ અને પતાકાથી સજાવેલું હતું.જેના ઉપર ભ્રમરગણ મધુર ગુંજાર કરી રહ્યા હતા,એવા રણ બેરંગી ફૂલોની માળાઓ તથા અનેક પ્રકારના સુતરી અને રેશમી વસ્ત્રોથી તે ખુબ શોભાયમાન થઇ રહ્યું હતું.એકની ઉપર એક બનાવેલા ઓરડામાં અલગ અલગ રાખેલી શય્યા ,પલંગ,પંખા અને આસનોના કારણે તે ખુબ જ સુંદર જણાતું હતું.જ્યાં ત્યાં દીવાલોમાં કંડારેલી શિલ્પરચનાથી તેની અપૂર્વ શોભા થઇ રહી હતી.તેમાં પાત્રનું ફર્શ હતું અને બેસવા માટે રત્નોની વેદિયો બનાવેલી હતી.રત્નોની જ દેહલીયો હતી.તેના દરવાજામાં હીરાના કીવાડ હતા તથા ઇન્દ્રનીલ મણિના શિખરો પર સોનાના કળશ રાખેલા હતા.તેની હીરાની દિવાલોમાં મોટા લાલ જોડેલા હતા જે એવા લાગતાં હતા જાણે વિમાનની આંખો હોય.અને તેને રંગ બેરંગી ચંદાથી અને ખુબ જ મૂલ્યવાન સુનહરા બંદનવારોથી સજાવવામાં આવ્યા હતા.તે વિમાનમાં જ્યાં ત્યાં કુત્રિમ હંસો અને કબૂતર વગેરે પક્ષીઓ બનાવેલા હતા.જે બિલકુલ સજીવ હોય તેવા દેખાતા હતા તેને પોતાના સજાતીય સમજીને કેટલાય હંસ અને કબૂતર તેમની પાસે બેસીને પોતાની બોલી બોલતા હતા.તેમાં સુવિધાનુંસાર ક્રિડાસ્થળો ,શયનગૃહ,બેઠક,આંગણું અને ચોક વગેરે બનાવેલા હતા-તેને કારણે તે વિમાન સ્વયં કર્દમજીને પણ વિસ્મિત કરી રહ્યું હતું.
આવા સુંદર ઘરને પણ દેવહૂતિએ પ્રસન્ન મનથી ન જોયું,ત્યારે બધાના આંતરિક ભાવને પારખી લેનારા કર્દમજીએ જાતે જ કહ્યું-' ભીરુ ! તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને,વિમાનઘરમાં ચઢી જા,આ વિષ્ણુભગવાનનું રચેલું તીર્થ મનુષ્યોની બધીજ કામનાઓની પ્રાપ્તિ કરાવનારું છે.'
કમલલોચન દેવહૂતિએ પોતાના પતિની વાત માનીને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે સરોવરમાં પ્રવેશ કર્યો.તે વખતે તેણે ખુબ જ મેલી કરચલીવાળી સાડી પહેરી હતી,તેના માથાના વૅલ ચીપકી જવાથી તેમાં લાતો પડી ગઈ હતી.શરીરમાં મેલ જામી ગયો હતો તથા સ્તન તેજ વગરના થઇ ગયા હતા.સરોવરમાં ડૂબકી મારવાથી તેની અંદર એક મહેલમાં એક હજાર કન્યાઓ જોઈ.તે બધી કિશોર અવ્સ્થાવાળી હતી અને તેમના શરીરોથી કમલ જેવી સુગંધ આવી રહી હતી.દેવહૂતિને જોઈને તે બધી કન્યાઓ એકદમ ઉભી થઇ ગઈ,અને હાથ જોડીને કહેવા લાગી' અમો તમારી દાસીઓ છીએ,અમને આજ્ઞા આપો આપની શું સેવા કરીએ'
વિદુરજી ! ત્યારે સ્વમાનીને સન્માન આપનારી તે રમણીયોએ ખુબ જ મૂલ્યવાન મસાલા અને ગંધ વગેરેથી ભેરવેલું પાણીથી મનસ્વિની દેવહૂતિને સ્નાન કરાવ્યું,તથા તેણે બે નવા અને નિર્મલ વસ્ત્રો પહેરવા આપ્યા.પછી તેમણે આ ખુબજ મૂલ્યના ખુબ જ સુંદર ચમકતા આભૂષણો ,સર્વગુણસંપન્ન ભોજન,અને પીવા માટે અમૃત જેવું સ્વાદિષ્ટ આસવ રજુ કાર્ય.હવે દેવહૂતિએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું તો તેણે તેમ લાગ્યું કે તે જાત જાતના સુગંધિત ફૂલોના હારોથી વિભૂષિત છે,સ્વચ્છ વસ્ત્ર ધારણ કરેલ છે,તેનું શરીર પણ નિર્મલ તેજવાળું થઇ ગયું છે.તથા તે કન્યાઓએ ખુબ જ આદરથી તેનો માંગલિક શૃંગાર કર્યો છે.તેણે સીરથી સ્નાન કરાવ્યું છે,સ્નાન પછી અંગે અંગમાં આભૂષણો સજાવ્યા છે,તથા તેના ગળામાં હાર-હુંમેલ,હાથમાં કંગન અને પગમાં છમછમાત કરતા સોનાના ઝાંઝર સુશોભીત છે.કમ્મરમાં પડેલી સોનાની રત્નજડિત કરધનીથી, ખુબ જ મૂલ્યવાન મણિના હારોથી અને અંગે અંગોમાં લાગેલા કનકુમાદિ મંગલ દ્રવ્યોથી તેની ખુબ જ શોભા થઇ રહી છે.તેનો ચહેરો સુંદર,દાંતો,મનોહર ભ્રમરો,કમળની કળી સાથે સ્પર્ધા કરનારા પ્રેમ કટાક્ષમય સુંદર નેત્રો અને નીલી
અલ્કાવલીથી ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.વિદુરજી ! જયારે દેવહૂતિએ પોતાના પતિદેવનું સ્મરણ કર્યું,તો તેણે સહેલીઓ સાથે ત્યાં જોઈ,જ્યાં પ્રજાપતિ કર્દમજી વિરાજમાન હતા.તે વખતે પોતાને હજારો સ્ત્રીઓની સાથે પોતાના પ્રાણનાથની સામે જોઈ અને તેમને તેમના યોગનું પ્રમાણ જાણીને દેવહૂતિને ખુબ જ વિસ્મય થયું.
શત્રુવિજયી વિદુર ! જયારે કર્દમજીએ જોયું કે સ્નાન કરવાથી દેવહુતિનું શરીર અત્યંત નિર્મલ થઇ ગયું છે,અને વિવ્હકલ પહેલા તેનું જે રૂપ હતું,તેજ રૂપને મેળવીને તે ખુબ જ શોભાથી સંપન્ન થઇ ગઈ છે,,તેનું સુંદર વક્ષ:સ્થળ ચોળીથી ઢંકાયેલું છે,હજારો વિદ્યાધારીયો તેની સેવામાં લાગેલી છે તથા તેના શરીર પર સુંદર સુંદર વસ્ત્રો શોભા પામી રહ્યા છે,ત્યારે તેમને તેણે ખુબ જ પ્રેમથી વિમાન ઉપર ચઢાવી.તે વખતે પોતાની પ્રિયાને માટે અનુરક્ત થવાથી પણ કર્દમજી નો મહિમા ( મન અને ઇન્દ્રિયો પર પ્રભુતા) ઓછો ન થયો.વિદ્યાધારીયા તેના શરીરની સેવા કરી રહી હતી.ખીલેલા કુમુદના ફૂલોથી શૃંગાર કરીને ખુબ જ સુંદર વિમાન પર તે એવી રીતે શોભા મેળવી રહ્યા હતા,જાણે આકાશમાં તારાગણોથી ઘેરાયેલા ચંદ્રદેવ વિરાજમાન હોય.તે વિમાન પર નિવાસ કરીને તેમને લાંબા સમય સુધી કુબેરજીની માફક મેરુ પર્વતની ઘાટીઓમાં વિહાર કર્યો.આ ઘાટિયો આથો લોકપાલોની વિહારભૂમિ છે.તેનામાં કામદેવને વધારનારી ઠંડી,મંદ,સુગંધિત વાયુ વહીને તેની કમનીય શોભાનો વિસ્તાર કરે છે.તથા શ્રી ગંગાજીનું સ્વર્ગલોકથી પડવાની મંગલમય અવાજ નિરંતર ગુંજતી રહે છે.તે વખતે પણ દિવ્ય વિદ્યાધારીઓનો સમુદાય તેની સેવામાં ઉપસ્થિત હતો અને સિદ્ધ ગણો વંદના કર્યા કરતા હતા.
એવી રીતે પ્રાણપ્રિયા દેવહુતિની સાથે તેમણે વૈશ્રમ્ભક ,સુરસં,નંદન,પુષ્પભદ્ર અને ચૈત્રરથ વગેરે અનેકો દેવૌદ્યાનો તથા માનસ સરોવરોમાં અનુરાગપૂર્વક વિહાર કર્યો.તે કાંતિમાન અને ઇચ્છાનુસાર ચાલનારું શ્રેષ્ઠ વિમાન પરબેસીને વાયુની માફક બધા દેશોમાં ફરતા કર્દમજી વિમાન વિહારી દેવતાઓની પણ આગળ નીકળી ગયા.વિદુરજી ! જેમણે ભગવાનના ભવભયહારી પવિત્ર પાદપદ્મોનો આશ્રય લીધો છે,તે ધીર પુરુષો માટે કઈ વસ્તુ અથવા શક્તિ દુર્લભ હોય.
એવી રીતે મહાયોગી કર્દમજી આ આખું ભૂમંડળ ,જે દ્વીપ-વર્ષ વગેરેની વિચિત્ર રચનાને કારણે ખુબ જ આશ્ચર્યમય દેખાય છે.,તે પોતાની પ્રિયાને બતાવીને આશ્રમ માં પાછા આવ્યા.પછી તેમણે પોતાને નવ રૂપોમાં વિભક્ત કરીને રતીમુખઃ માટે અત્યંત ઉત્સુક માણુકુમારી દેવહૂતિને આનંદિત કરતા કરતા તેની સાથે ઘણા વર્ષો સુધી વિહાર કર્યો.પરંતુ તેમનો એટલો લમ્બો સમય એક મુહૂર્તની માફક પસાર થઇ ગયો. તે વિમાનમાં રતિસુખને વધારનારી ઘણી જ સુંદર શૈયાનો આશ્રય લઈને પોતાના ખુબ જ રૂપવાન પ્રિયતમની સાથે રહેતી દેવહૂતિને એટલો સમય કઈ પણ ન દેખાયો.આવી રીતે તે કામાસક્ત દંપતીને પોતાના યોગબળથી સેંકડો વર્ષો સુધી વિહાર કરતા પણ તે સમય ખુબ જ થોડા સમયની માફક પસાર થઇ ગયો.આત્મજ્ઞાની કર્દમજી બધાજ પ્રકારના સંકલ્પોને જાણતા હતા એટલે દેવહૂતિને સંતાન પ્રાપ્તિને માટે ઉત્સુક જોઈને તથા ભગવાનના આદેશને સ્મરણ કરીને તેમણે પોતાના સ્વરૂપના નવ વિભાગ કર્યાંતથા કન્યાઓની ઉત્તપત્તિ માટે એકાગ્રચિત્તથી અર્ધાંગરૂપમાં પોતાની પત્નીની ભાવના કરતા તેના ગર્ભમાં વીર્ય સ્થાપિત કર્યું.તેનાથી દેવહૂતિને એક સાથે નવ કન્યાઓ પેદા થઇ.તે સહુ સર્વાંગ સુંદરી હતી,અને તેમના શરીરથી લાલ કમળની સુગંધ પણ નીકળતી હતી.
તે વખતે શુદ્ધ સ્વભાવવાળી સતી દેવહૂતિએ જોયું કે પૂર્વ પ્રતિજ્ઞા પ્રમાણે તેના પતિદેવ સન્યાશ્રમ ગ્રહણ કરીને વનમાં જવા ઈચ્છે છે,તો તેણે પોતાના આંસુઓને રોકીને ઉપરથી મુસ્કરાતા વ્યાકુળ તેમજ સંતપ્ત હૃદયથી ધીરે ધીરે ખુબ જ મીઠી વાણીમાં કહ્યું તે વખતે તે માથું નીચું કરીને પોતાના નખમણીમંડળ ચરણકમલથી જમીન ખોતરતી હતી.
દેવહૂતિએ કહ્યું -ભગવન ! આપને જે કઈ પ્રતિજ્ઞા કરી હતી તે બધી તો પૂર્ણ રીતે પુરી કરી તો પણ હું આપની શરણાગત છું,એટલે આપ મને ફરી અભયદાન આપો.બ્રહ્મન ! આ કન્યાઓ માટે યોગ્ય વર શોધવા પડશે અને આપના વનમાં ચાલ્યા જવા પછી મારા જન્મ-મરણ રૂપ શોકને દૂર કરવા પણ કોઈ હોવું જોઈએ.પ્રભુ ! અત્યાર સુધી પરમાત્માથી દૂર રહીને મારો તો સમય ઇન્દ્રિયસુખ ભોગવવામાં પસાર થયો તે તો નિરર્થક થઇ ગયો.તમારા પરમપ્રભાવને ન જાણવાને કારણે જ મેં ઈંદ્રિયોના વિષયોમાં આસક્ત થઈને આપથી અનુરાગ કર્યો.તે ઉપરાંત પણ તે મારા સંસાર ભયને દૂર કરનારો જ હોવો જોઈએ.અજ્ઞાનતાથી અસત્પુરુષો સાથે કરેલો જે સંગ સંસાર કથનનું કારણ હોય છે,તે જ સત્પુરુષો સાથે કરવાથી અસંગતા આપે છે.સંસારમાં જે પુરુષોના કર્મોથી ન તો ધર્મનું સંપાદન થાય છે,ન વૈરાગ્ય ઉત્તપન્ન થાય છે અને ન ભગવાનની સેવા સંપન્ન થાય છે,તે પુરુષ જીવતાજ મુરદાની જેવો છે.જરૂર હું ભગવાનની માયાથી ઠગાઈ છું,જે આપ જેવા મુક્તિદાતા પતિદેવને મેળવીને પણ મેં સંસારબંધનનથી મુક્ત થવાની ઈચ્છા ન કરી.
અધ્યાય ચોવીસમો
શ્રી કપિલદેવનો જન્મ
શ્રી મૈત્રેયજી કહે છે - ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકુમારી દેવહૂતિને જયારે વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કર્દમજીએ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થયું અને તેમણે તેને કહ્યું.
કર્દમજી બોલ્યા - દોષરહિત રાજકુમારી ! તમે પોતાના વિષયમાં એવી રીતે દુઃખ ન લગાડો.તમારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ ઝડપથી આવશે.પ્રિયા ! તમે અનેક પ્રકારના વ્રતોનું પાલન કર્યું છે,એટલે તમારું કલ્યાણ થશે.હવે તમે સંયમ,નિયમ,તપ અને દાન વગેરે કરતા કરતા શ્રદ્ધાપૂર્વક ભગવાનનું ભજન કરો.આવી રીતે આરાધના કરવાથી શ્રી હરિ તમારા ગર્ભથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરીને તમારી હૃદયના અહંકારમયિ ગ્રંથિનો નાશ કરશે.
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! પ્રજાપતિ કર્દમજીના આદેશમાં ગૌરવ બુદ્ધિ હોવાથી દેવહૂતિએ તેમના પર પૂરો વિશ્વાસ કર્યો.અને તે નિર્વિકાર,જગદ્ગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી.એવી રીતે ઘણો સમય પસાર થઇ જવાથી ભગવાન મધુસુદન કર્દમજીના વીર્યનો આશ્રય લઈને તેના ગર્ભથી એવી રીતે પ્રગટ થયા જેમ લાકડામાંથી અગ્નિ.તે વખતે આકાશમાંથી પાણી વર્ષાવતા મેઘ ગરજી ગરજીને વાજા વગડાવા લાગ્યા,ગંધર્વ ગણો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી.આકાશમાંથી દેવોએ વર્ષાવેલા પુષ્પોની વર્ષ થવા માંડી,બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો.જળાશયોના પાણી સ્વચ્છ થઇ ગયા અને બધા જીવોના મન પ્રસન્ન થઇ ગયા.તે વખતે સરસ્વતી નાડીથી ઘેરાયેલા કર્દમજીના તે આશ્રમમાં મરીચિ વગેરે મુનિયો સાથે બ્રહ્માજી આવ્યા.
શત્રુ દમન વિદુરજી ! સ્વતઃ:સિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને એ ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ વિષ્ણુ સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અવતરિત થયા છે.એટલે ભગવાન જે કામ કરવા ચાહતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તથી અનુમોદન તેમ જ આદર કર્યો અને પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા કર્દમજીને આ રીતે કહ્યું.
શ્રી બ્રહ્માજીએ કહ્યું - પ્રિય કર્દમ ! તમે બીજાઓને માન દેનારા છો.તમે મારુ સન્માન કરીને જે મારી આજ્ઞાનું પાલન કર્યું છે,તેનાથી તમારા દ્વારા નિષ્કપટ ભાવથી મારી પુંજા સંપન્ન થઇ છે.પુત્રોને પોતાના પિતાની સહુથી મોટી સેવા એ કરવી જોઈએકે,'જેવી આજ્ઞા' એવું કહીને આદરપૂર્વક તેમના આદેશનો સ્વીકાર કરો.બીટા ! તમે સભ્ય છો તમારી આ સુંદર કન્યાઓ પોતાના વંશો દ્વારા આ સૃષ્ટિને અનેક રીતે વધારશે.હવે તમે આ મરીચિ વગેરે મુનિવરોને તેમના સ્વભાવ અને રુચિના પ્રમાણે તમારી કન્યાઓ સમર્પિત કરો અને સંસારમાં તમારો સુયશ ફેલાવો.મુનિ ! હું જાણું છું,જે સંપૂર્ણ પ્રાણીઓની નિધિ છે- તેમના અમિષ્ટ મનોરથ પૂર્ણ કરનારા છે,તે આદિપુરુષ શ્રી નારાયણ જ પોતાની યોગમાયાથી કપિલના રૂપમાં અવતરિત થયા છે.પછી દેવહૂતિને કહ્યું-રાજકુમારી ! સુંદર વાળ,કમળ જેવા વિશાલ નેત્રો,અને કમળ અંકિત ચરણકમળોવાળાં શિશુના રૂપમાં કૈટભાસુરને મારનારા સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન-વિજ્ઞાન દ્વારા કર્મોની વાસનાઓનો મૂળથી નાશ કરવા તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે.આ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને કાપીને પૃથ્વીમાં સ્વચ્છંદ ફરશે.આ સિદ્ધગણોના સ્વામી અને સાંખચાર્યોને પણ માનનીય હશે.લોકોમાં તારી કીર્તિનો વિસ્તાર કરશે અને 'કપિલ' નામથી પ્રખ્યાત થશે.
શ્રી મૈત્રેયજી કહે છે -વિદુરજી ! જગતની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી તે બંનેને આ પ્રકારે આશ્વાશન આપીને નારદ અને સનકાદિકને સાથે લઈને,હંસ ઉપર ચઢી બ્રહ્મલોક માટે ચાલ્યા ગયા.બ્રહ્માજીના ચાલ્યા જવા પછી કર્દમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચિ વગેરે પ્રજાપતિયોંની સાથે પોતાની કન્યાઓનો વિધિપૂર્વક વિવાહ કરી દીધો તેમણે તેમની કાલા નામની કન્યા મરીચિને, અનસૂયા સ્ત્રીને,શ્રદ્ધા અંગિરાને અને હવિર્ભૂ પુલસ્યને સમર્પિત કરી.તેના અનુરૂપ ગતિ નામની કન્યા આપી,ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનો વિવાહ કર્યો.મૃગુજીને ખ્યાતિ અને વશિષ્ઠજીને અરૂંધતી સમર્પિત કરી.અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા આપી,જેનાથી યજ્ઞકર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કર્દમજીએ તે વિવાહિત ઋષિયોને તેમની પત્નીઓ સાથે ખુબ સત્કાર કર્યો.વિદુરજી ! આવી રીતે વિવાહ થઇ ગયા પછીઓ બધા ઋષિ કર્દમજીની આજ્ઞા લઇ ખુબ જ આનંદ પૂર્વક પોત પોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા.
કર્દમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે,તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને આવી રીતે કહેવા લાગ્યા.'અહો ! પોતાના પાપકર્મોનો કારણે આ દુઃખભર્યા સંસારમાં નાના પ્રકારે દુઃખી થતાપુરુષો પર દેવતાઓ તો ઘણો સમય પસાર થતા પ્રસન્ન થાય છે.પરંતુ જેમના સ્વરૂપને યોગીજનો અનેક જન્મોના સાધનથી સિદ્ધ થયેલી સૃદ્ઢ સમાધિ દ્વારા એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે,પોતાના ભક્તોની રક્ષા કરનારા તે શ્રી હરિ આ વિષયલોલુપો દ્વારા થનારી પોતાની વાગ્યાનો કઈ પણ વિચાર ન કરતા આજે અમારા ઘરે જન્મ્યા છે.
તમો હકીકતમાં તમારા ભક્તોનું માન વધારનાર છો.પોત પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્યયોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે.ભગવન ! તમો પ્રાકૃત રૂપથી રહિત છો આપણા જે ચતુર્ભુજ વગેરે અલૌકિક રૂપો છે, તેજ આપને યોગ્ય છે,તથા જે મનુષ્ય-સદૃશ રૂપ આપના ભક્તોને પ્રિય લાગે છે.તે પણ આપને રુચિકર હોય છે. આપનું પાદ-પીઠ તત્વજ્ઞાનની ઈચ્છાથી વિદ્વાનો દ્વારા સર્વદા વંદનીય છે.તથા તમો એશ્વર્ય,વૈરાગ્ય,યશ,જ્ઞાન,વીર્ય અને શ્રી-એ છ ઐશ્વર્યોથી પૂર્ણ છે.હું આપની શરણમાં છું.ભગવન ! આપ પરબ્રહ્મ છો,બધી શક્તિઓ તમારે આધીન છે,પ્રકૃતિ,પુરુષ,મહતત્વ,કલ,ત્રિવિધ અહંકા,બધા લોકો તેમજ લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો,તથા આપ સર્વજ્ઞ પરમાત્મા જ આ આખા પ્રપજ્ઞને ચેતનશક્તિ દ્વારા પોતાનામાં લિન કરી લે છે.એટલે એ બધાથી ઉપર પણ આપ જ છો.હું આપ ભગવન કપિલનું શરણ લઉં છું.પ્રભુ ! આપની કૃપાથી હું ત્રણેય ઋણોથી મુક્ત થઇ ગયો છું,અને મારા બધા મનોરથો પૂર્ણ થઇ ગયા છે.હવે હું સન્યાંસમાર્ગને ગ્રહણ કરીને તમારું ચિંતન કરતા કરતા શોકરહિત થઈને ફરીશ.તમો બધીજ પ્રજાના સ્વામી છો તે માટે હું તેને માટે આપની આજ્ઞા ઈચ્છું છું.
શ્રી ભગવાને કહ્યું -મુનિ ! વેદિક અને લૌકિક બધા કર્મોમાં સંસાર માટે મારુ કઠણ જ પ્રમાણ છે.એટલા માટે મેં જે તમને કહ્યું હતું,'હું તમારે ત્યાં જન્મ લઈશ 'તેને સાચું કરવા માટે જ મેં આ અવતાર લીધો છે.આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છા વાળા મુનિયો માટે આત્મદર્શનમાં ઉપીયોગી પ્રકૃતિ વગેરે તત્વોનનું વિવેચન કરવા માટે જ થયો છે.આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લુપ્ત થઇ ગયો છે.તેને ફરીથી પ્રવર્તિત કરવા માટે જ મેં આ શરીર ગ્રહણ કર્યું છે.એવું માનો .મુનિ ! હું આજ્ઞા આપું છું,તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને આપણા સંપૂર્ણ કર્મ મને અર્પણ કરતા કરતા દુર્જયઃ મૃત્યુને જીતીને મોક્ષપદ પ્રાપ્ત કરવા મારુ ભજન કરો.હું સ્વયં પ્રકાશ તથા સંપૂર્ણ જીવોના હૃદયમાં રહેનારો પરમાત્મા છું.એટલે જયારે તમે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા આપણા અંત:કરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે બધા પ્રકારના શોકોથી છૂટીને નિર્ભયપદ (મોક્ષ) પ્રાપ્ત કરી લેશો.માતા દેવહૂતિને પણ હું સંપૂર્ણ કર્મોથી છોડાવનારું આત્મજ્ઞાન આપીશ,જેનાથી તે સંસારરૂપી ભયથી પાર થઇ જશે.
શ્રી મૈત્રેયજી કહે છે -ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કર્દમજી તેમની પરિક્રમા કરીને વનમાં ચાલ્યા ગયા.
ત્યાં અહિંસામય સન્યાસ ધર્મનું પાલન કરતા કરતા તેઓ એકમાત્ર શ્રી ભગવાનની શરણમાં થઇ ગયા.તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને ની:સંગભાવથી પૃથ્વી પર ફરવા લાગ્યા.જે કાર્યકારણથી અતીત છે,સતવાદી ગુણોના પ્રકાશક તેમજ નિર્ગુણ છે અને અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે,તે પરબ્રહ્મમાં તેમણે તેમનું મન લગાવી લીધું. તે અહંકાર,મમતા અને સુખ દુઃખ વગેરે દ્વંધોથી છૂટીને સમદર્શી (ભેદ દ્રષ્ટિથી રહિત )થઇ,
બધામાં પોતાના આત્માને જ જોવા લાગ્યા.તેમની બુદ્ધિ અંતર્મુખ થઇ શાંત થઇ ગઈ.તે વખતે ધીર કર્દમજી શાંત લહેરોવાળા સમુદ્રની જેવા દેખાતા હતા.પરમ ભક્તિભાવ દ્વારા સર્વ અંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઇ જવાથી તેઓ બધાજ બંધનોથી મુક્ત થઇ ગયા.સંપૂર્ણ ભૂતોમાં પોતાનો આત્મા શ્રી ભગવાનને અને સંપૂર્ણ ભૂતોને આત્મસ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા.એવી રીતે ઈચ્છા અને દ્વેષ રહિત ,સર્વત્ર સમબુદ્ધિ અને ભગવત્ભક્તિથી સંપન્ન થઈને શ્રી કર્દમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું.
અધ્યાય પચ્ચીસમો
દેવહુતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલ દ્વારા ભક્તિયોગના મહિમાનું વર્ણન.
સુતજી કહે છે -મુનિ ! તમારી માફક જ જયારે વિદુરજીએ પણ આ આત્મજ્ઞાન વિષયક પ્રશ્ન કર્યો,ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજી પ્રસન્ન થઈને આવી રીતે કહેવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - વિદુરજી ! પિતાના વનમાં ચાલ્યાં જવાથી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિન્દુસાર તીર્થમાં રહેવા લાગ્યા.એક દિવસ તત્વસમૂહના પારદર્શી ભગવાન કપિલ કર્મકળાપથી વિરક્ત થઈને આસન પર વિરાજમાન હતા.તે વખતે બ્રહ્માજીના વચનોને સ્મરણ કરીને દેવહૂતિએ તેમને કહ્યું.
દેવહુતિ બોલી - ભુમન ! પ્રભુ ! આ દુષ્ટ ઇંદ્રિયોની લાલસાથી હું ઉબાઈ ગઈ હતી,અને તેની ઈચ્છા પુરી કરતા રહેવાથી જ આ ઘોર અજ્ઞાન અંધકારમાં પડેલી છું.હવે આપની કૃપાથી મારી જન્મપરંપરા સમાપ્ત થઇ ગઈ છે,તેનાથી તે દુસ્તર અજ્ઞાનઅંધકારથી પાર લગાવવા માટે સુંદર નેત્રરૂપ તમો પ્રાપ્ત થયા છે.તમો સંપૂર્ણ જીવોના સ્વામી ભગવાન આદિ પુરુષ છે તથા અજ્ઞાનાઅંધાકરતથી આંધળા પુરુષો માટે નેત્રસ્વરૂપ સૂર્યના પ્રમાણે ઉદિત થયા છે.દેવ ! આ દેહ ગેહ વગેરેમાં જે હું -હુંપણાનો દુરાગ્રહ હોય છે,તે પણ આપે જ કરાવ્યો છે,એટલે હવે તમો મારા તે મહામોહનો નાશ કરો.તમો તમારા ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કઠિયારા જેવા છો.હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આપ શરણાગતવત્સલના શરણમાં આવી છું.તમો ભગવતધર્મ જાણનારામાં બધાથી શ્રેષ્ઠ છો,હું આપને પ્રણામ કરું છું.
શ્રી મૈત્રેયજી કહે છે - માતા ! આ મારો નિર્ણય છે,કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના અસ્યાક્તિ કલ્યાણનું મુખ્ય સાધન છે.જ્યાં દુઃખ અને સુખની કાયમ માટે નિવૃત્તિ થઇ જાય છે.સાધ્વી ! બધા અંગોથી સંપન્ન આ યોગનો મેં પહેલા નારદ વગેરે ઋષિઓની સામે ,તેમની સાંભળવાની ઈચ્છાથી વર્ણન કર્યું હતું.તેજ હવે હું તમને સંભળાવું છું.
આ જીવનું બંધન અને મોક્ષનું કારણ મનને જ માનવામાં આવ્યું છે.વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ હોય છે અને પરમાત્મામાં અનુરક્ત થવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે.જે સમયે આ મન હું અને હુંપણાના કારણે થનારા કામ લોભ વગેરે વિકારોથી મુક્ત તેમ જ શુદ્ધ થઇ જાય છે,તે સમયે તે દુઃખ સુખથી છૂટીને સરખી અવસ્થામાં આવી જાય છે.ત્યારે જીવ પોતાના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી યુક્ત હૃદયથી આત્માને પ્રકૃતિથી ઉપર એકમાત્ર (અદ્વિતીય),ભેદરહિત,સ્વયંપ્રકાશ,સૂક્ષ્મ,અખંડ અને ઉદાસીન (સુખ દુઃખ શૂન્ય)જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવ કરે છે.યોગિયોં માટે ભવત્પ્રાપ્તિ નિમિત્ત સર્વાત્મા શ્રી હરિ તરફ કરેલી ભક્તિની માફક બીજો કોઈ મંગલમય માર્ગ નથી.વિવેકીજન સંગ અથવા આસક્તિને જ આત્માનો ન વીંધી શકાય તેવું બંધન મને છે પરંતુ તેજ આસક્તિ અથવા સંગ જયારે સંતો અથવા મહાપુરુષો તરફ થઇ જાય છે તો મોક્ષનું ઉઘાડું દ્વાર બની જાય છે.
જે લોકો સહનશીલ,દયાળુ,બધાજ દેહધારીયોના અકારણ હિતેચ્છુ ,કોઈની તરફ શત્રુભાવ ન રાખનારા ,શાંત,સરળસ્વભાવ અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે.જે મારામાં અનન્ય ભાવથી સૃદ્ઢ પ્રેમ કરે છે.મારા માટે સંપૂર્ણ કર્મ તથા પોતાના સગાસંબંધીઓને પણ ત્યાગી દે છે.અને મારા પારાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ, કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત લગાવી રાખે છે -તે ભક્તોને સંસારના જાત જાતના તાપો કોઈ કષ્ટ પહોંચાડી શકતા નથી.સાધ્વી ! આવા આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે,તારે તેવાનાં સંગની ઈચ્છા કરવી જોઈએ,કેમકે તેઓ આસક્તિથી ઉત્તપન્ન બધા દોષોને હરિ લેનારા છે.સત્પુરુષોના સમાગમથી મારા પરાક્રમોના યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી કથાઓ હોય છે,તેનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા ,પ્રેમ અને ભક્તિનું ક્રમથી વિકાશ થશે.પછી મારી સૃષ્ટિ વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ ના દ્વારા લૌકિક તેમજ પરલૌકિક સુખોમાં વૈરાગ્ય થઇ જવાથી મનુષ્ય સાવધાનતાપુર્વક યોગના ભક્તિપ્રધાન સરળ ઉપાયોથી સમાહિત થઈને મનોનિગ્રહના માટે યત્ન કરશે.આવી રીતે પ્રકૃતિના ગુણોથી ઉત્તપન્ન થયેલા શબ્દો વગેરે વિષતઓનો ત્યાગ કરવાથી,વૈરાગ્યયુક્ત જ્ઞાનથી યોગથી અને મારા માટે કરેલી સૃદ્ઢ ભક્તિથી મનુષ્ય મારા પોતાના અંતરાત્માને આ દેહમાં જ પ્રાપ્ત કરી લે છે.
દેવહૂતિએ કહ્યું _ભગવન ! આપની સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે ?અને મારા જેવી અબળાઓ માટે કેવી ભક્તિ યોગ્ય છે,કે જેનાથી સહેજમાં જ આપણા નિર્વાણ પદને મેળવી શકું ?નિર્વાણસ્વરૂપ પ્રભુ ! જેના દ્વારા તત્વજ્ઞાન થાય છે,અને જે લક્ષ્યને વૈધનારા બાણની જેમ ભગવાનની પ્રાપ્તિ કરાવનાર છે તે આપનો કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગો છે ?એ બધું તમો મને એવી રીતે સમજાવો કે જેનાથી આપની કૃપાથી મારા જેવી મંદમતી સ્ત્રી જાતિ પણ આ દુર્બોધ વિષયને સુગમતાથી સમજી શકું.
શ્રી મૈત્રેયજી કહે છે -વિદુરજી ! જેના શરીરથી તેમણે જન્મ લીધો હતો તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરી આવ્યો અને તેમણે પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનું ,જેને સાંખ્ય કહે છે ઉપદેશ કર્યો.સાથેજ ભક્તિનો વિસ્તાર તેમ જ યોગનું પણ વર્ણન કર્યું.
શ્રી ભગવાને કહ્યું - માતા ! જેનું મન એકમાત્ર ભગવાનમાં જ લાગી ગયું છે,તેવા મનુષ્યના વેદવગરના કર્મોમાં લાગેલી તથા વિષયોનું જ્ઞાન કરાવનારી (કર્મેન્દ્રિય તેમજ જ્ઞાનેન્દ્રિય-બંને પ્રકારની )ઇન્દ્રિયોની જે તત્ત્વમૂર્તિ શ્રી હરિ તરફ સ્વભાવની પ્રવૃત્તિ છે,તે જ ભગવાનની અહેતુની ભક્તિ છે.તે મુક્તિથી વધારે છે કારણકે જઠરાનલ ખાધેલા અન્નને જેમ પચાવે છે,તેવી રીતે આ પણ કર્મસંસ્કારોના ભંડારરૂપ લિંગ શરીરને તરત જ ભષ્મ કરી નાખે છે.મારી ચરણસેવામાં પ્રીતિ રાખનાર અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્ય કરનાર કેટલાય ભાગ્યહીન ભક્ત જે એકબીજાથી મળીને પ્રેમપૂર્વક મારા જ પરાક્રમોની ચર્ચા કર્યાં કરે છે,મારી સાથે એકભાવ(સાયુજ્યમોક્ષ)ની પણ ઈચ્છા નથી કરતા.માં ! આ સાધુજનો અરુણ નયન તેમજ મનોહર મુખાર્વિંદથી યુક્ત મારા પરમ સુંદર અને વરદાયક દિવ્ય રૂપોની ઝાંખી કરે છે અને તેમની સાથે સપ્રેમ સંભાષણ પણ કરે છે ,જેના માટે મોટા મોટા તપસ્વીઓ પણ લાલાયિત રહે છે.દર્શનીય અંગ પ્રત્યંગ,ઉદાર,હાસ-વિલાસ,મનોહર ચિત્તવન અને સુમુધુર વાણીથી યુક્ત મારા તે રૂપોની મધુરતામાં તેમનું મન અને ઇન્દ્રિયો ફસાઈ જાય છે.આવી મારી ભક્તિ તેના ન ચાહવાથી પણ તેને પારંપાડની પ્રાપ્તિ કરાવે છે.અવિદ્યાની નિવૃત્તિ થઇ જવાથી કદાચ તે મને માયાપાટીના સત્યાદિ લોકોની ભોગસમ્પત્તી ભક્તિની પ્રવૃત્તિ ઉપરાન્ત જાતે પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિ અથવા વૈકુંઠ લોકના ભgવદીય એશ્વર્યની ઈચ્છા પણ નથી કરતા તો પણ મારા ધામમાં પહોંચ્યા પછી તેને આ બધી વિભુતિયો જાતે જ પ્રાપ્ત થઇ જાય છે.જેનો એકમાત્ર હું જ પ્રિય ,આત્મા,પુત્ર,મિત્ર,ગુરુ,સુહૃદ અને ઇષ્ટદેવ છું-તેઓ મારાજ આશ્રયમાં રહેનાર ભક્તજન શાંતિમય વૈકુંઠધામમાં પહોંચીને કોઈ પ્રકારે પણ આ દિવ્ય ભોગોથી રહિત નથી થતા અને ન તો તેને મારા કાલચક્ર નો અસર થાય છે.
માતાજી ! જે લોકો ઇહલોક,પરલોક,અને એ બંને લોકોમાં સાથ જનારા વાસનામય લિંગદેહને તથા શરીરથી સબંધ રાખનારા જે,ધન,પશુ,તેમ જ ઘર વગેરે પદાર્થ છે,તે બધાને અને અન્યાન્ય સંગહને પણ છોડીને અનન્ય ભક્તિથી બધી રીતે મારુંજ ભજન કરે છે-તેને હું મૃત્યુરૂપ સંસારસાગરથી પાર કરી દઉં છું.હું સાક્ષાત ભગવાન છું,પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું,તથા બધાજ પ્રાણીઓનો આત્મા છું,મારા સિવાય બીજા કોઈનો આશ્રય લેવાથી મૃત્યુરુપી મહાભયથી છુટકારો નથી મળી શકતો.મારા ભયથી આ વાયુ ચાલે છે,મારા ભયથી સૂર્ય તપે છે,મારા ભયથી ઇન્દ્ર વર્ષ કરે છે અને અગ્નિ સળગાવે છે તથા મારા ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવુત્ત થાય છે. યોગીજન જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિયોગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણકમળનો આશ્રય લે છે.સંસારમાં મનુષ્યને માટે બધાથી મોટી કલ્યાણપ્રાપ્તિ તે જ છે કે તેનું મન તીવ્ર ભક્તિયોગ દ્વારા મારામાં લગાવીને સ્થિર થઇ જાય.
અધ્યાય છવ્વીસમો
મહદાદિ જુદા જુદા તત્વો ની ઉત્તપત્તિનું વર્ણન. શ્રી ભગવાને કહ્યું- માતાજી ! હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના જુદા જુદા લક્ષણો બતાવું છું,તેને જાણીને મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઇ જાય છે.આત્મદર્શન રૂપ જ્ઞાન જ પુરુષના મોક્ષનું કારણ છે,અને તે જ તેની અહંકારરૂપ હૃદય ગ્રંથિનો છેદ કરનારું છે,તેવું પંડીતલોકો કહે છે. તે જ્ઞાનનું હું તમારી સામે વર્ણન કરું છું.આ બધું જગત જેને વ્યાપ્ત થઈને પ્રગટ પ્રકાશિત થાય છે,તે આત્મા જ પુરુષ છે.તે અનાદિ,નિર્ગુણ,પ્રકૃતિ થી ઉપર,હૃદયમાં સ્ફુરિત થનારો સ્વયં પ્રકાશ છે. તે સર્વવ્યાપક પુરુષે પોતાની પાસે લીલા-વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મિકતા વૈષ્ણવી માયાનો સ્વેચ્છાથી સ્વીકાર કરી લીધો.લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વાદિ ગુણો દ્વારા તેમને અનુરૂપ પ્રજાની સૃષ્ટિ કરવા લાગી,તે જોઈને પુરુષ જ્ઞાનને આચ્છાદિત કરનારી તેની અવરણશક્તિ થી મોહિત થઇ ગયા,પોતાના સ્વરૂપને ભૂલી ગયા.એવી રીતે પોતાનાથી જુદી પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણોદ્વારા કરાનારા કર્મો માં પોતાને જ કર્તા માનવા લાગે છે.તે કરતુતવાભિમાનથીજ અકર્તા,સ્વાધીન,સાક્ષી અને આનંદસ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરુપી બંધન તેમ જ પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે,. કાર્યરૂપ શરીર કારણરૂપ ઇન્દ્રિય તથા કર્તારૃપ ઈંદ્રિયાધિષ્ઠાત-દેવતાઓમાં પુરુષ જે પોતાનાપણાનો આરોપ કરી લે છે,તેમાં પંડિતજન પ્રકૃતિને જ કારણ માને છે,તથા હકીકતમાં પ્રકૃતિથી ઉપર થઈને પણ જે પ્રકુતિસ્થ થઇ રહ્યા છે,તે પુરુષને સુખ દુઃખોને ભોગવવાનું કારણ માને છે.
દેવહૂતિએ કહ્યું -પરુષોત્તમ ! આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કારણ જેના સ્વરૂપ છે તથા જે તેના કારણો છે,તે પ્રકૃતિ અને પુરુષના લક્ષણો પણ આપ માને કહો.
શ્રી ભગવાને કહ્યું- જે ત્રિગુણાત્મક ,અવ્યક્ત,નિત્ય અને કાર્ય કારણરૂપ છે તથા સ્વયં નિર્વિશેષ થઈને પણ સંપૂર્ણ વિશેષધર્મોના આશ્રય છે,તે પ્રધાન નામક તત્વને જ પ્રકૃતિ કહે છે.પાંચ મહાભૂત,પાંચ તન્માત્રા,ચાર અંત:કરણ અને દસ ઇન્દ્રિય - આ ચોવીસ તત્વોના સમૂહને વિદ્વાન લોક પ્રકૃતિનું કાર્ય માને છે.પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ - તે પાંચ મહાભૂત છે.ગંધ,રસ,રૂપ સ્પર્શ અને શબ્દ -તે પાંચ તન્માત્ર માન્યાં ગયા છે.શ્રોત્ર,ત્વચા,ચક્ષુ ,જીભ,નાસિકા,વાંક,પાણી,પાદ, ઉપસ્થ અને પાયું આ દસ ઇન્દ્રિયો છે.મન,બુદ્ધિ ,ચિત્ત અને અહંકાર-તે ચારના રૂપમાં એક જ હૃદય પોતાનો સંકલ્પ,નિશ્ચય,ચિંતા અને અભિમાનરૂપ ચાર પ્રકારની વૃત્તિયોથી લક્ષિત હોય છે.એવી રીતે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મને સંત્રીવેશસ્થાન એ ચોવીસ તત્વોની સંખ્યા બતાવી છે.તેના સિવાય જે કાળ છે,તે પચીસમું તત્વ છે.કેટલાક લોકો કાળને પુરુષથી મિત્ર તત્વ ન માનીને પુરુષનો પ્રભાવ એટલે ઈશ્વરની સંહારકારીની શક્તિ બતાવે છે.જેનાથી માયાના કાર્યરૂપ દેહ વગેરેમાં આત્મત્વનું અભિમાન કરીને અહંકારથી મોહિત અને પોતાને કર્તા માનનારા જીવને નિરંતર ભય લાગ્યા કરે છે.મનુપુત્રી ! જેમની પ્રેરણાથી ગુણોની સામ્યાવશ્થા રૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ ઉત્તપન્ન થાય છે.હકીકતમાં તે પુરુષરૂપ ભગવાન જ 'કાળ' કહેવાય છે.એવી રીતે જે પોતાની માયા દ્વારા બધા પ્રાણીઓની અંદર જીવરૂપથી અને બહાર કાલરૂપથી વ્યાપ્ત છે તે ભગવાન જ પચ્ચીસમું તત્વ છે.
જયારે પરમપુરુષ પરમાત્માએ જીવોના અદ્રષ્ટવશ ક્ષોભને પ્રાપ્ત થયેલી સંપૂર્ણ જીવોના ઉત્ત્પનનસ્થાનરૂપ પોતાની માયામાં ચિત્તશક્તિરૂપ વીર્ય સ્થાપિત કર્યું તો તેથી તેજોમય મહતત્વ ઉત્તપન્ન થયું.લય-વિક્ષેપ આદિ રહિત તથા જગતના અંકુરરૂપ આ મહતત્વએ પોતાનામાં સ્થિર વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને આચ્છાદિત કરનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજથી પી લીધું.
જે સત્વગુણ સ્વચ્છ,શાંત અને ભગવાનની ઉપ્લબ્ધીના સ્થાનરૂપ ચિત્ત છે,તે જ મહતત્વ છે,અને તેને વાસુદેવ કહે છે(જેને અધ્યાત્મ ચિત્ત કહે છે,તેને જ અધિભૂતમાં મહતત્વ કહેવાય છે.ચિત્તમાં અધિષ્ઠાતા
'ક્ષેત્રજ્ઞ'અને ઉપાસ્યદેવ 'વાસુદેવ' છે.એવી રીતે અહંકારમાં અધિષ્ઠાતા 'રુદ્ર' અને ઉપાસ્યદેવ સંકર્પણ છે,બુદ્ધિમાં અધિષ્ઠાતા 'બ્રહ્મા' અને ઉપાસ્યદેવ 'પ્રદ્યુમ્ન' છે.તથા મનમાં અધિષ્ઠાતા 'ચંદ્રમા' અને ઉપાસ્ય દેવ અનિરુદ્ધ છે.) ,
જેવી રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગથી પૂર્વ જળ પોતાની સ્વાભાવિક
(ફીણ -તરંગો રહિત)અવસ્થામાં અત્યંત સ્વચ્છ વિકાર વગરનું તેમ જ શાંત હોય છે,તેવી રીતે પોતાની સ્વાભાવિકિ અવસ્થાની દ્રષ્ટિથી સ્વ્ચ્છત્વ ,અવિકારીત્વઅને શાંતત્વજ વૃતયી સાથે ચિત્તનું લક્ષણ કહેવાયું છે.તે ઉપરાંત ભગવાનની વીર્યરૂપ ચિત્ત શક્તિથી ઉત્તપન્ન થયેલા મહતત્વ ના વિકૃત થવાથી તેનાથી ક્રિયા શક્તિપ્રધાન અહંકાર ઉત્તપન્ન થયો.તે વૈકારીક, તેજસ અને તામસ ભેદથી એ ત્રણ પ્રકારનો છે.તેનાથી ક્રમ પ્રમાણે મન,ઇન્દ્રિયો અને પંચમહાભૂતોની ઉત્તપત્તિ થઇ.આ ભૂત,ઇન્દ્રિય અને મનરૂપ અહંકારને પંડિત લોકો સાક્ષાત 'સંકર્પણ' નામના હાજર માથાવાળા અનંતદેવ કહે છે.આ અહંકારના દેવતારૂપ થી કર્તુત્વ,ઇન્દ્રિયરૂપથી કરણત્વ અને પંચભૂતરૂપથી કાર્યત્વ લક્ષણ છે,તથા સત્વાદિ ગુણોના સંબંધથી શાંતત્વ,ઘોરત્વ અને મૂઢત્વ પણ તેના જ લક્ષણ છે.ઉપરના ત્રણ પ્રકારના અહંકારમાંથી વૈકારીક અહંકારના વિકૃત થવાથી તેનાથી મન થયું,જેના સંકલ્પ -વિકલ્પોથી કામનાઓની ઉત્તપત્તિ થાય છે.આ મનસ્તત્વ જ ઇંદ્રિયોની અધિષ્ઠાતા 'અનિરુદ્ધ' ના નામથી પ્રસિદ્ધ છે.યોગીજન શરત્કાલિન નીલકમળની જેમ શ્યામ રંગના આ અનિરુદ્ધજીની શનૈઃ:-શનૈઃ: મનને વશીભૂત કરીને આરાધના કરે છે.સાધ્વી ! પછી તેજસ અહંકારમાં વિકાર થવાથી તેનાથી બુધ્ધીતત્વ ઉત્તપન્ન થયું.વસ્તુનું સ્ફુરણરૃપ વિજ્ઞાન અને ઇન્દ્રિયોના વેપારમાં સહાયક થવું- પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું- તે બુદ્ધિના કાર્ય છે.વૃત્તિયોના ભેદથી સંશય,વિપર્યય(વિપ્રિતજ્ઞાન),નિશ્ચય,સ્મૃતિ અને નિંદ્રા પણ બુદ્ધિના જ લક્ષણ છે.આ બુધ્ધીતત્વ જ 'પ્રદ્યુમ્ન' છે.ઇન્દ્રિયો પણ તેજસ અહંકારનું જ કાર્ય છે.કર્મ અને જ્ઞાનના વિભાગથી તેના કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બે ભેદ છે.તેમાં કર્મ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન બુદ્ધિની.
ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાંથી તામસ અહંકારના વિકૃત થવાથી તેનાથી શબ્દતન્માત્રનો પાદુર્ભાવ થયો. શબ્દતન્માત્રાથી આકાશ તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોતેન્દ્રિય ઉત્તપન્ન થઇ.અર્થનું પ્રકાશક થવું ઓટમાં ઉભેલા વક્તાનું પણ જ્ઞાન કરાવી દેવું અને આકાશનું સૂક્ષ્મ રૂપ થવું વિદ્વાનોના મતમાં આજ શબ્દના લક્ષણ છે. ભૂતોનો અવકાશ આપવો,બધાની અંદરબહાર વર્તમાન રહેવો તથા પ્રાણ,ઇન્દ્રિય અને મનનું આશ્રય થવો- તે આકાશના વૃત્તિ(કાર્ય)રૂપ લક્ષણ છે.
પછી શબ્દતન્માત્રના કાર્ય આકાશમાં કાલગતીનો વિકાર થવાથી સ્પર્ષતાનમાત્ર થયો અને તેનાથી વાયુ તથા સ્પર્શનું ગ્રહણ કરાવનારી ત્વગિન્દ્રિય(ત્વચા ) ઉત્તપન્ન થઇ. કોમળતા,કઠોળતા,શીતળતા અને ઉષ્ણતા તથા વાયુનું સૂક્ષ્મ રૂપ થવું- તે સ્પર્શના લક્ષણ છે.ઝાડની ડાળી વગેરે હલાવવી,તણખલાઓને ભેગા કરવા,બધે પહોંચી જવું,ગંધવાળા દ્રવ્યને ઘ્રાણાદિ ઇંદ્રિયોની પાસે તથા શબ્દને શ્રોતેન્દ્રિય પાસે લઇ જવો તથા બધી જ ઇન્દ્રિયોને કાર્યશક્તિ આપવી - તે વાયુની વૃત્તિયોના લક્ષણ છે.
તે ઉપરાંત દૈવની પ્રેણ્ણાથી સ્પર્ષતાનમાત્ર વિશિષ્ઠ વાયુના વિકૃત થવાથી તેનાથી રૂપતનમાત્ર થયો તથા તેનાથી તેજ અને રૂપને ઉપલબ્ધ કરાવનારી નેત્રેન્દ્રિય નો પાદુર્ભાવ થયો.સાધ્વી ! વાસ્તુના આકારનો બોધ કરાવવો,ગૌણ થવું- દ્રવ્યના અંગરૂપથી પ્રતીત થવું,દ્રવ્યના જેવા આકાર -પ્રકાર અને પરિમાણ વગેરે હોય,તેજ રૂપમાં ઉપલક્ષિત થવું તથા તેજનું સ્વરૂપભુત થવું-આ બધી રૂપતન્માત્રની વૃતિયો છે.ચમકવું,પકાવવું,ઠંડીને દૂરકરવી,સુક્વવું,ભૂખ- તરસ પેદા કરવી, અને તેની નિવૃત્તિ માટે ભોજન તેમ જ પાણી પીવડાવવું તે તેજની વૃતિયો છે.
પછી દેવની પ્રેરણાંથી રુપતનમાત્રમય તેજનું વિકૃત થવાથી તેનાથી રસતનમાત્ર થયો,અને તેનાથી પાણી અને રસને ગ્રહણ કરાવનારી રસનેન્દ્રિય (જીભ) ઉત્તપન્ન થઇ.રસ તેના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે,પરંતુ અન્ય ભૌતિક પદાર્થોના સંયોગથી તે કસેલો,મીઠો,તીખો,કડવો,ખાતો અને ખરો વગેરે કેટલાય પ્રકારનો થઇ જાય છે.ભીનો કરવો,માટી વગેરેને પિંડાકાર બનાવવો,તૃપ્ત કરવું,જીવિત રાખવું,તરસ છીપાવવી,પદાર્થોને મૃદુ કરવા,તાપને સમાપ્ત કરવો,અને કુપાદિમાંથી કાઢ્યા પછી પણ ત્યાં વારંવાર ફરી પ્રગટ થઇ જવું-તે પાણીની વૃતિયો છે.
તેના પછી દૈવપ્રેરિત રસસ્વરૃપ પાણીનું વિકૃત થવાથી તેનાથી ગંધતન્માત્ર ઉત્તપન્ન થયો.અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરાવનારી ઘ્રાણેન્દ્રિય પ્રગટ થઇ. ગંધ એક જ છે,તો પણ એકબીજાથી મળેલા દ્રવ્યભાગોની ન્યૂનાધિકતાથી તે મિશ્રિતગંધ,દુર્ગંધ,સુગંધ,મૃદુ,તીવ્ર અને અમ્લ(ખાતું)વગેરે અનેક પ્રકારના થઇ જાય છે.પ્રતિમાદિ રૂપથી બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય થવો,પાણી વગેરેને કારણ-તત્વોથી જુદા કોઈ બીજા આશ્રયની અપેક્ષા કાર્ય વગર જ સ્થિર રહેવું,પાણી વગેરે બીજા પદાર્થો ને ધારણ કરવા,આકાશવગેરેનું અવચ્છેદક થવું (ઘટાકાશ,મઢાકાશ,વગેરે ભેદોને સિદ્ધ કરવા)તથા પરીણામવિશેષથી સંપૂર્ણ પ્રાણીયોના(સ્ત્રીત્વ,પુરુષત્વ વગેરે)ગુણોને પ્રગટ કરવા -તે પૃથ્વીના કાર્યરૂપ લક્ષણ છે.
આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે ,તે શ્રોતેન્દ્રિય છે.વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે,તે ત્વગિન્દ્રિય છે.તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્દ્રિય છે,પાણીનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસનેન્દ્રિય છે,અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તેને ઘ્રાણેંદ્રીય કહે છે.વાયુ વગેરે કાર્ય તત્વોમાં આકાશ વગેરે કારણ તત્વોના રહેવાથી તેના ગુણ પણ અનુગત જોવામાં આવે છે.એટલા માટે બધા જ મહાભુતોના ગુણ શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ ફક્ત પૃથ્વીમાં જ હોય છે.જયારે મહત્ત,અહંકાર અને પંચભૂત-એ સાત તત્વો એકબીજા સાથે મળી ન શક્યા-જુદા જુદા જ રહી ગયા,ત્યારે જગતના આદિકારણ શ્રી નારાયણે કલ,અદ્રષ્ટ અને સતવાદી ગુણોની સાથે તેમાં પ્રવેશ કર્યો.
પછી પરમાત્માના પ્રવેશથી ક્ષુબ્ધ અને એકબીજામાં મળેલા તે તત્વોથી એક જળ અંડ પેદા થયો તે અંડથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઇ.તે અંડનું નામ વિશેષ છે,તેની અંદર શ્રી હરિના સ્વરૂપભુત ચૌદસો ભુવાનોનો વિસ્તાર છે.તે ચારેબાજુથી ક્રમથી એકબીજાથી દસ ઘણા પાણી,અગ્નિ,વાયુ,આકાશ,અહંકાર અને મહત્તત્વ -આ છ આવરણોથી ઘેરાયેલો છે.એ બધાની બહાર સાતમું આવરણ પ્રકૃતિનું છે. કારણમય પાણીમાં સ્થિર તે તેજોમય અંડથી ઉઠીને તે વિરાટ પુરુષે ફરીથી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાય પ્રકારના કાણા પાડ્યા.બધાથી પહેલા તેમાં મોઢું પ્રગટ થયું,તેનાથી વાંક-ઇન્દ્રિય,અને તેના પછી વકનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્તપન્ન થયા. પછી નાકના છિદ્ર૯નસ્કોરા) પ્રગટ થયા તેનાથી પ્રાણ સાથે ઘ્રાણેન્દ્રિય પ્રગટ થઇ.ઘ્રાણ પછી તેના અધિષ્ઠાતા વાયુ ઉત્તપન્ન થયો.તેના પછી નેત્રગોલક પ્રગટ થયા,તેનાથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઇ,અને તેના પછી તેનો અધિષ્ઠાતા સૂર્ય ઉત્તપન્ન થયા.પછી કણોના છિદ્રો પ્રગટ થયા તેનાથી તેની ઇન્દ્રિય શ્રોત અને તેમના અભિમાની દિગ્દેવતા પ્રગટ થયા.તેના પછી તે વિરાટ પુરુષને ત્વચા પ્રગટ થઇ તેમાં રુંવાટા,મૂછ-દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને પછી ત્વચાની અભિમાની ઔષધિયો (અન્ન વગેરે)ઉત્તપન્ન થઇ.તેના પછી લિંગ પ્રગટ થયું,તેનાથી વીર્ય અને વીર્ય પછી લિંગનો અભિમાની ઓપોદેવ(જળ) ઉત્તપન્ન થયા.પછી ગુદા પ્રગટ થયું,તેનાથી અપાનવાયુ,અને અપાનના પછી તેના અભિમાની લોકોને ભયભીત કરનારા મૃત્યુદેવતા પ્રગટ થયા.ત્યાર પછી હાથ પ્રગટ થયા તેનાથી બળ અને બળ પછી હસ્તેન્દ્રિયનો અભિમાની ઇન્દ્ર પ્રગટ થયા પછી ચારણ પ્રગટ થયા,તેનાથી ગતિ (ચાલવાની ક્રિયા) અને પછી પાદેન્દ્રિયના અભિમાની વિષ્ણુદેવતા પ્રગટ થયા.આવી રીતે જયારે વિરાટપુરુષને નાડીયો પ્રગટ થઇ તો તેનાથી લોહી પેદા થયું,અને તેનાથી નદીઓ થઇ.પછી તેનું પેટ (ઉદર) પ્રગટ થયું,તેનાથી ભૂખ અને તરસની અભિવ્યક્તિ થઇ,અને પછી ઉંદરના અભિમાની સમુદ્રદેવતા પ્રગટ થયા.ત્યાર પછી તેમનું હૃદય પ્રગટ થયું.હૃદયમાં મનનું પ્રાગટ્ય થયું.મનના પછી તેના અભિમાની દેવતા ચંદ્રમા થયા.પછી હૃદયથી જ બુદ્ધિ અને તેના અભિમાની બ્રહ્મા થયા.ત્યાર પછી અહંકાર અને તેના પછી તેના અભિમાની રુદ્રદેવતા ઉત્તપન્ન થયા.તેના પછી ચિત્ત અને તેના અભિમાની ક્ષેત્રજ્ઞ પ્રગટ થયા.
જયારે તે ક્ષેત્રજ્ઞ ની સાથે બધા દેવતાઓ ઉત્તપન્ન થઈને પણ વિરાટ પુરુષને ઉઠાવવામાં અસમર્થ રહ્યા તો તો તેમને ઉઠાવવા ક્રમથી ફરીથી પોતાના ઉત્તપત્તિ સ્થાનોમાં દાખલ થવા લાગ્યા.અગ્નિએ વાણીની સાથે મોઢામાં પ્રવેશ કર્યો પરંતુ તેનાથી વિરાટ પુરુષ ન ઉઠ્યા,વાયુએ પ્રાર્ણેન્દ્રિય સાથે નાસાછીદ્રોમાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.સૂર્યે ચક્ષુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો છતાંપણ વિરાટ પુરુષ ન ઉઠ્યા,દિશાઓએ શ્રવેન્દ્રિય સાથે કાનોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.ઓઉષધિયોએ રુંવાટા સાથે ત્વચામાં પ્રવેશ કર્યો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.જળે વીર્યની સાથે લિંગમાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.મૃત્યુએ અપાનની સાથે ગુદામાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.વિષ્ણુએ ગતિની સાથે ચરણોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.નદીયોએ લોહી સાથે નાડીયોમાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.સમુદ્રએ ભૂખ-તરસ સાથે ઉદરમાં પ્રવેશ કર્યો છતાં પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.ચંદ્રમાએ મનની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ પુરુષ ન ઉઠ્યા.બ્રહ્માએ બુદ્ધિ સાથે હૃદયમાં પ્રવેશ કર્યો છતાં વિરાટ પુરુષ ન ઉઠ્યા.રુદ્રે અહંકારની સાથે તેજ હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ન ઉઠ્યા.પરંતુ ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞને ચિત્તની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો ,તો તેજ વખતે વિરાટપુરુષ પાણીથી ઉઠીને ઉભા થઇ ગયા.જેવી રીતે લોકોમાં પ્રાણ ,ઇન્દ્રિય,મન અને બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાયતાથી વગર સુતેલા પ્રાણીને પોતાના બળથી નથી ઉઠાવી શકતા.તેવી રીતે વિરાટ પુરુષને પણ તે ક્ષેત્રજ્ઞ પરમાત્મા વગર ઉઠાવી શક્યા નહિ.એટલે ભક્તિ,વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન દ્વારા તે અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરમાં સ્થિર જાણીને તેનું ચિંતન કરવું જોઈએ.
અધ્યાય સત્તાવીસમો
પ્રકૃતિ-પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન.
શ્રી ભગવાન કહે છે -માતાજી ! જેવી રીતે પાણીથી પ્રતિબિંબિત સૂર્યની સાથે પાણી ની ઠંડક,ચંચળતા વગેરે ગુણોનો સબંધ નથી હોતો, તેવી રીતે પ્રકૃતિના કાર્ય શરીરમાં સ્થિર રહેવા છતાં પણ આત્મા હકીકતમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લિપ્ત નથી હોતો.કેમકે તે સ્વભાવથી નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે.પરંતુ જયારે તેજ પ્રાકૃત ગુણો થી પોતાનો સબંધ જોડી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને'હું કર્તા છું' -એવું માનવા લાગે છે
.તે અભિમાનને કારણે તે દેહના સંસર્ગથી કરેલા પુણ્ય પાપ રૂપ કર્મોના દોષથી પોતાની સ્વાધીનતા અને શાંતિ ખોઈ બેસે છે તથા ઉત્તમ ,મધ્યમ અને નીચ યોનિયોમાં ઉત્તપન્ન થઈને સંસારચક્રમાં ફરતો રહે છે.જેવી રીતે સ્વપ્નમાં ભય-શોક વગેરેનો કોઈ કારણ ન હોવા છતાં સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઇ જવાના કારણે દુઃખ ઉઠાવવું પડે છે તેવી જ રીતે ભય શોક ,અહં-મમ તેમ જ જન્મ મરણ વગેરે રૂપો સંસારની કોઈ પણ સત્તા ન હોવા છતાં અવિદ્યાવશ વિષયોનું ચિંતન કરતાં રહેવાથી જીવનું સંસારચક્ર ક્યારે પણ નિવૃત નથી થતું.એટલા માટે બુદ્ધિમાન મનુષ્યોએ એ ઉચિત છે કે અસંમાર્ગ(વિષય ચિંતન) માં ફસાયેલા ચિત્તને તીવ્ર ભક્તિયોગ અને વૈરાગ્ય દ્વારા ધીરે ધીરે વશમાં લાવે.
.તે અભિમાનને કારણે તે દેહના સંસર્ગથી કરેલા પુણ્ય પાપ રૂપ કર્મોના દોષથી પોતાની સ્વાધીનતા અને શાંતિ ખોઈ બેસે છે તથા ઉત્તમ ,મધ્યમ અને નીચ યોનિયોમાં ઉત્તપન્ન થઈને સંસારચક્રમાં ફરતો રહે છે.જેવી રીતે સ્વપ્નમાં ભય-શોક વગેરેનો કોઈ કારણ ન હોવા છતાં સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઇ જવાના કારણે દુઃખ ઉઠાવવું પડે છે તેવી જ રીતે ભય શોક ,અહં-મમ તેમ જ જન્મ મરણ વગેરે રૂપો સંસારની કોઈ પણ સત્તા ન હોવા છતાં અવિદ્યાવશ વિષયોનું ચિંતન કરતાં રહેવાથી જીવનું સંસારચક્ર ક્યારે પણ નિવૃત નથી થતું.એટલા માટે બુદ્ધિમાન મનુષ્યોએ એ ઉચિત છે કે અસંમાર્ગ(વિષય ચિંતન) માં ફસાયેલા ચિત્તને તીવ્ર ભક્તિયોગ અને વૈરાગ્ય દ્વારા ધીરે ધીરે વશમાં લાવે.
યમાદિ યોગસાધનો દ્વારા શ્રદ્ધાપૂર્વક અભ્યાસ-ચિત્તને વારંવાર એકાગ્ર કરતાં કરતાં મારામાં સાચો ભાવ રાખવા,કોઈથી વેર ન કરવા,આસક્તિનો ત્યાગ,બ્રહ્મચર્ય,મૌન-વ્રત અને બલિષ્ઠ(એટલે ભગવાનને અર્પણ કરેલા)સ્વધર્મથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઇ ગઈ છે કે -નસીબ પ્રમાણે જે કઈ મળી જાય છે તેનામ જ સંતુષ્ટ રહે છે,પરિમિત ભોજન કરે છે,કાયમ એકાંતમાં રહે છે,શાંતસ્વભાવ છે,બધાનો મિત્ર છે,દયાળુ અને ધૈર્યવાન છે,પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાન ને કારણે સ્ત્રી-પત્રાદિ સંબંધીઓ સાથે આ દેહમાં હું મારાપણાનું ખોટું અભિનિવેશ નથી કરતો,બુદ્ધિની જાગ્રદાદિ અવસ્થાઓથી પણ જુદો થઇ ગયો છે,તથા પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી જોતો-તે આત્મદર્શી મુનિ આંખોથી સૂર્યને જોવાની જેમ પોતાના શુદ્ધ હૃદય દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરી તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત થઇ જાય છે.જે દેહાદિ સંપૂર્ણ ઉપાધિઓથી ક્યારેક અહંકારાદિ નકામી વસ્તુઓમાં સત્યરૂપથી દેખાનારું,જગતકારણભૂત પ્રકૃતિના અધિષ્ઠાન ,મહદાદિ કાર્યાવર્ણનો પ્રકાશક અને કાર્ય-કારણરૂપ સંપૂર્ણ પદાર્થોમાં વ્યાપ્ત છે.
દેવહૂતિએ પૂછ્યું-પ્રભુ ! પુરુષ અને પ્રકૃતિ બંને જ કાયમ અને એક બીજાના આશ્રયથી રહેનારા છે એટલા માટે પ્રકૃતિ તો પુરુષને છોડી જ નથી શકતી.બ્રહ્મન ! જેવી રીતે ગંધ અને પૃથ્વી તથા રસ અને પાણી ની પૃથક પૃથક સ્થિતિ ન હોય શકે ,તેવી રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને ન રહી શકે.એટલે જેના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે તે પ્રકૃતિના ગુણોના રહેવાથી તેને કૈવલ્યપદ કેવી રીતે મળી શકશે ? જો તત્વોનો વિચાર કરવાથી ક્યારેક આ સંસારબંધન નો ટાવર ભય નિવૃત થઇ પણ જાય,તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ ન હોવાથી તે ભય ફરી ઉપસ્થિત થઇ શકે છે.
શ્રી ભગવાને કહ્યું- માતાજી ! જેવી રીતે અગ્નિનું ઉત્તપત્તિ સ્થાન અરણી પોતાનાથીજ ઉત્તપન્ન અગ્નિમાં બળીને ખાક થઇ જાય છે તેવી રીતે નિષ્કામ ભાવથી કરેલા સ્વધર્મ પાલન દ્વારા હૃદય શુદ્ધ થઇ જવાથી ઘણો સમય ભાગવત કથા સાંભળવાથી પુષ્ટ થયેલી મારી તીવ્ર ભક્તિથી તત્વ સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી ,પ્રબળ વૈરાગ્યથી,વ્રતનિયમ વગેરે સાથે કરેલા ધ્યાન અભ્યાંસથી અને ચિત્તની પ્રગાઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ (અવિદ્યા) દિવસ રાત ઘટતા ઘટતા ધીરે ધીરે લિન થઇ જાય છે. પછી કાયમ તરફ દોષ દેખાવાથી ભોગીને ત્યાગેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિર અને સ્વતંત્ર(બંધનમુક્ત) થતા તે પુરુષનું કઈ પણ બગાડી નથી શકતી.જેમ સુતેલા પુરુષને સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે,પરંતુ જાગી જવાથી તેને તે સ્વપ્નોના અનુભવોથી કોઈ પ્રકારનો મોહ નથી રહેતો.તેવી રીતે જેને તત્વજ્ઞાન થઇ ગયું છે અને જે મારામાં જ કાયમ મન લગાવેલું રાખે છે,તે આત્મારામ મુનિનું પ્રકૃતિ કઈ પણ બગાડી નથી શકતી.જયારે મનુષ્ય અનેકો જન્મોમાં ઘણા સમય સુધી આવી રીતે અત્મ્ચીન્તાનમાંજ નિમગ્ન રહે છે ત્યારે તેને બ્રહ્મલોક દ્વારા બધા પ્રકારના ભોગોથી વૈરાગ્ય થઇ જાય છે.મારો આ ધૈર્યવાન ભક્ત મારી મહતી કૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ દ્વારા બધાજ સંશયોથી મુક્ત થઇ જાય છે,અને પછી લિંગદેહનો નાશ થવાથી એકમાત્ર મારાજ આશરે પોતાના સ્વરૂપભુત કૈવલ્ય-સંજ્ઞક મંગલમય પદને સહેજમાં જ મેળવી લે છે.જ્યા પહોંચીને પછી યોગી પાછો નથી આવતો.માતાજી ! કદાચ યોગીનું મન યોગ સાધનાથી વધેલી માયામયી અણિમાદિ સિધ્ધિયોમાં ,જેની પ્રાપ્તિનું યોગ સિવાય બીજું કોઈ સાધન નથી,તેમાં ફસાતો નથી તો તેને મારુ તે પરમપદ પ્રાપ્ત થાય છે-જ્યાં મ્ર્ત્યુની કઈ પણ દાળ નથી ગળતી.
અધ્યાય અઠ્ઠાવીસમો
અષ્ટાંગ યોગની વિધિ
પહેલા આસનને જીતો,પછી પ્રાણાયામ ના અભ્યાસને માટે પવિત્ર દેશમાં ઘાસ અથવા મૃગચર્મ વગેરે યુક્ત આસાન બીછાવવું.તેના ઉપર શરીરને સીધું અને સ્થિર રાખતા સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો.શરૂઆતમાં પૂરક,કુમ્ભક અને રેચક ક્રમથી અથવા તેનાથી વિરુદ્ધ રેચક,કુમ્ભક અને પૂરક કરીને પ્રાણના માર્ગનું શોધન કરવું.-જેનાથી ચિત્ત સ્થિર અને નિશ્ચિન્ત થાય જાય.
જેવી રીતે વાયુ અને અગ્નિથી તપાવેલું સોનુ પોતાના મેલને ત્યાગી દે છે એવી રીતે જો યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન તરત જ ખુબ શુદ્ધ થાય જાય છે.એટલે યોગી ને યોચીત છે કે પ્રાણાયામથી વાત પિત્તવાળા દોષો ને,ધારણાથી પાપોને ,પ્રત્યાહારથી વિષયોનેના સંબંધને અને ધ્યાનથી ભગવદવિમુખ કરનારા રાગ દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરવા.જયારે યોગનો અભ્યાસ કરતા કરતા મન નિર્મલ અને એકાગ્ર થાય જાય,ત્યારે નાસિકાના આગળના ભાગમાં નજર જમાવીને આવી રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું.
ભગવાનનું મુખકમળ આનંદથી પ્રફુલ્લ છે,આંખો કમાલકોશની માફક રતન જેવા છે.શરીર નીલકમળ દળની માફક શ્યામ છે,હાથોમાં શંખ,ચક્ર અને ગદા ધારણ કરેલા છે.કમળની કેસરની માફક પીળા રેશમી વસ્ત્રો લહેરાઈ રહ્યા છે વક્ષ:સ્થળમાં શ્રી વત્સચિન્હ છે,અને ગળામાં કૌસ્તુભમણિ ઝળકી રહી છે.વનમાળા ચરણો સુધી લટકેલી છે,તેની ચારેબાજુ ભમરા સુગંધથી મતવાલા થઈને મધુર ગુંજાર કરી રહ્યા છે,અંગ પ્રત્યંગમાં મહામૂલ્ય હાર,કંગનો, કિરીટ,બાહુબંધ અને નૂપુર વગેરે આભૂષણો સજેલા છે.કમ્મરમાં કરધનીની લળીયો તેમની શોભા વધારી રહી છે,ભક્તોના હૃદય કમલ જ તેમનું આસન છે,તેમનું દર્શનીય શ્યામસુંદર સ્વરૂપ ખુબ જ શાંત,તેમજ મન અને આંખોને આનંદિત કરનારું છે.તેમની ખુબ જ સુંદર કિશોર અવસ્થા છે.તેઓ ભક્તો ઉપર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે.ખુબ જ મનોહર દેખાવ છે.ભગવાન કાયમ બધા લોકોથી વંદનીય છે.તેમનું પવિત્ર યશ પરમ કીર્તનીય છે,અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓનાં યશને પણ વધારનારા છેઆવી રીતે શ્રી નારાયણ દેવનું સંપૂર્ણ અંગો સાથે ત્યાં સુધી ધ્યાન કરવું ,જ્યાં સુધી ચિત્ત ત્યાંથી દૂર ન થાય.ભગવાનની લીલાઓ ખુબ જ દર્શનીય છે,એટલે પોતાની રુચિ પ્રમાણે ઉભા થઈ,ચાલતા,બેસ્ટ,સુતા,અથવા અંતર્યામી રૂપથી સ્થિર થઈને તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવ ચિત્તથી ચિંતન કરવું.આવી રીતે યોગી જયારે સારી રીતે જોઈ લે કે ભગવદ્ વિગ્રહમાં સ્થિતિ થઈ ગઈ,ત્યારે તે તેના બધાજ અંગોમાં લાગેલા ચિત્તને વિશેષ રૂપથી એક એક અંગમાં લગાવે.
ભગવાનના ચરણકમળોનું ધ્યાન કરવું જોઈએ.તે વ્રજ ,અંકુશ,ધ્વજ અને કમળનાં મંગલમય ચિન્હોથી યુક્ત છે તથા પોતાના ઉભરેલા લાલ લાલ શોભામય નખચંદ્ર -મંડળની ચંદ્રીકાથી ધ્યાન કરનારાઓને હૃદયના અજ્ઞાનરૂપ ઘોર અંધકાર દૂર કરી નાખે છે તેના ધોવાણથી નાડીયોમાં શ્રેષ્ઠ શ્રીગંગાજી પ્રગટ થઇ હતી,જેના પવિત્ર પાણી માથા ઉપર ચઢાવવાને કારણે મંગલમય શ્રી મહાદેવજી જાતે વધુ મંગલમય થઇ ગયા.તેઓ પોતાનું ધ્યાન કરનારાઓને પાપરૂપ પર્વતો પર છોડેલા ઇન્દ્રના વ્રજની જેવા છે.ભગવાનના આ ચરણકમળોનું લાંબા સમય સુધી ચિંતન કરો.
ભવભયહારી અજન્મા શ્રી હરિની બંને પિંડલીયો અથવા ઘૂંટણોનું ધ્યાન કરો,જેને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા સૂર્યવંદિતા કમલલોચના લક્ષ્મીજી પોતાની જાંઘો પર રાખીને પોતાના કાંતિવાન કરકિસલયોની કાન્તિથી લાડ લડાવતી રહે છે.ભગવાનની જાંઘોનું ધ્યાન કરો,જે અળસીના ફૂલોની જેમ નીલવર્ણ અને બળની નિધિ છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નીતિમ્બ બિમ્બનું ધ્યાન કરો,જે એડી સુધી લટકેલા પીતામ્બરથી ઢંકાયેલ છે,અને તે પીતામ્બરની ઉપર પહેરેલી સોનાની કરધનીની લડીયોને આલિંગન કરી રહ્યું છે.
બધાજ લોકોનું અશ્રયસ્થાન ભગવાનના ઉદરદેશમાં સ્થિર નાભિ સરોવરનું ધ્યાન કરો,તેમાંથી બ્રહ્માજીનું આધારભૂત સર્વલોકમય કમલ પ્રગટ થયું છે.પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણિ સદૃશ બંને સ્તનોનું ચિંતન કરો,જે વક્ષ:સ્થળ પર પડેલા શુભ્ર હારોની કિરણોથી ગૌરવર્ણ દેખાય છે.તેના પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષ:સ્થળનું ધ્યાન કરો જે મહાલક્ષ્મીનું નિવાસસ્થાન અને લોકોના મન તેમ જ નેત્રોને આપનારા છે.પછી સંપૂર્ણ લોકોના વંદનીય ભગવાનના ગળાનું ચિંતન કરો જે માનો કૌસ્તુભમણિ ને સુશોભિત કરવા જ તેને ધારણ કરે છે.
બધાજ લોકપાલોની આધારભૂત ભગવાનની ચારે ભુજાઓનું ધ્યાન કરો,જેમાં ધારણ કરેલા કંકણ વગેરે ઘરેણાં સમુદ્રમંથનના સમયે મદરાચલને રગડવાથી ખુબ જ ઉજળા થઇ ગયા હતા. એવી રીતે જેના તેજને સહન નથી કરી શકાતું,તે સહસ્ત્ર ધારોવાળું સુદર્શનચક્ર નું તથા તેમન કર કમળમાં રાજહંસ જેવા વિરાજમાન શંખનું ચિંતન કરો.પછી વિપક્ષી વીરોનાં લોહીથી સનેલી પ્રભુની પ્યારી કૌમોદની ગદાનું,ભમરાના શબ્દોથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં સુશોભિત સંપૂર્ણ જીવોના નિર્મલ તત્વરૂપ કૌસ્તુભમણીનું ધ્યાન કરો('આત્માનમસ્ય જગતો નિર્લેપમગુણમલમ,યિમર્તિ કૌસ્તુભમણિ સ્વરૂપમ ભગવાન હરિ:. એટલે આ જગતની નીલેશ,નિર્ગુણ,નિર્મલ,તથા સ્વરૂપભુત આત્માને કૌસ્તુભમણીના રૂપમાં ભગવાન ધારણ કરે છે.)
ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં સાકારરૂપ ધારણ કરનારા શ્રી હરિના મુખકમળનુ ધ્યાન કરો,જે સુઘડ નાસિકાથી સુશોભિત છે,અને ઝળહળતા મકરાકૃત કુંડળોના હલવાથી ખુબ જ પ્રકાશમાન સ્વચ્છ કપાળના કારણે ખુબ જ મનોહર લાગે છે.કાળી કાળી ઘુઘરાલી અલ્કાવલીથી મંડિત ભગવાનનું મુખમંડળ પોતાની છબી દ્વારા ભમરાઓથી સેવિત કમળકોશનો પણ તિરસ્કાર કરી રહ્યું છે,અને પોતાના કમાલસદૃશ વિશાલ તેમજ ચંચળ નેત્રો તે કમળકોશ ઉપર ઉછળતા માછલિયોના જોડાની શોભાને માત કરે છે.ઉન્નત ભૃંલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદ ની મનમાં ધારણા કરીને આળસ કર્યાં વગર તેમનું ધ્યાન કરો.
હર્દયગૃહમાં ચિરકાળ સુધી ભક્તિભાવથી ભગવાનના નેત્રોની ચિતવનનું ધ્યાન કરવું જોઈએ,જે કૃપાથી અને પ્રેમભરી મુસ્કરાહતથી ક્ષણ ક્ષણ વધારેમાં વધારે વધતું રહે છે. વિપુલ પ્રસાદની વર્ષ કરતી રહે છે અને ભક્તજનોનું અત્યંત ઘોર ત્રણેય તાપોને શાંત કરવા માટે જ પ્રગટ થયું છે.શ્રી હરિનું હાસ્ય પ્રણતજનોના તીવ્રથી તીવ્ર શોકના અશ્રુસાગરને સુકવી નાખે છે અને અત્યંત ઉદાર છે.મુનિયોના હિટ માટે કામદેવને મોહિત કરવા માટે જ પોતાની માયાથી શ્રી હરિએ પોતાના ભ્રુ મંડળોને બનાવ્યા છે.-તેનું ધ્યાન કરવું જોઈએ.ખુબ જ પ્રેમભાવથી પોતાના હૃદયમાં વિરાજેલા શ્રી હરિને ખળખળાટ હસવાનું ધ્યાન કરો,જે હકીકતમાં ધ્યાનને યોગ્ય જ છે,તથા જેમાં ઉપર અને નીચેના બંને હોઠોની ખુબ જ અરુણ તેજને કારણે તેમના કુંદકળી જેવા શુભ્ર નાના નાના દાંતો પર લાલિમા જેવી દેખાવા લાગી છે.એવી રીતે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય કોઈ બીજા પદાર્થને જોવાની ઈચ્છા ન કરો.
આવી રીતેના ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રી હરિમાં પ્રેમ થઇ જાય છે,તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઇ જાય છે.શરીરમાં આનંદ ખુબ વધવાથી રોમાંજ થવા લાગે છે.ઉતકંઠાજનિત પ્રેમના આંસુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે, અને પછી માછલી પકડવાના કાંટાની માફક શ્રી હરિને પોતાની તરફ આકર્ષિત કરવાના સાધનરૂપ પોતાના મનને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુથી હટાવી લે છે.જેમ તેલ વગેરે ચુકી જવાથી દીવાની જ્યોત પોતાના કારણરૂપ તેજસ તત્વમાં લિન થઇ જાય છે,તેવીજ રીતે આશ્રય,વિષય અને રાગથી રહિત થઈને મન શાંત-બ્રહ્માકાર થઇ જાય છે.આ અવસ્થા મેળવવાથી જીવ ગુણપ્રવાહરૂપ દેહાદિ ઉપાધિના નિવૃત થઇ જવાને કારણે ધ્યાતા ,ધ્યેય વગેરે વિભાગથી રહિત એક અખંડ પરમાત્માને જ બધે અનુગત જુએ છે.યોગાભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યારહિત લયરૂપ નિવૃત્તિથી પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપ મહિમામાં સ્થિર થઈને પરમાત્મતત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી જે સુખ દુઃખના ભોગવતા પહેલા અજ્ઞાનતાથી પોતાના સ્વરૂપમાં જોતો હતો,તેને હવે એવિડયકૃત અહંકારમાં જ જુએ છે.જેવી રીતે દારૂના ચઢવાથી દારૂડિયો પુરુષ પોતાની કમર પર પહેરેલા વસ્ત્રને પહેરેલું કે કાઢીકાઢેલુ છે તેનું કોઈ ભાન નથી રહેતું તેવી જ રીતે ચરમાવસ્થાને પ્રાપ્ત કરવાથી સિદ્ધ પુરુષને પણ પોતાના દેહના બેસવા ઉઠાવાની અથવા નસીબજોગે ક્યાં જવાની કે પાછા આવવાના વિષયમાં કઈ પણ જ્ઞાન નથી રહેતું ,કેમકે તે પોતાના પરમાનંદસ્વરૂપમાં સ્થિર છે.તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે,એટલે જ્યાં સુધી તેનું શરૂઆતનું નસીબ ઓછું છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સાથે જીવિત રહે છે પરંતુ જેને સમાધિ દરમ્યાન યોગની સ્થિતિ મળી ગઈ છે અને જેણે પરમત્વ તત્વને પણ સારી રીતે જાણી લીધું છે,તે સિદ્ધ પુરુષ પુત્ર કાલાત્રાદિની સાથે આ શરીરને સ્વપ્નમાં દેખાતા શરીરોની માફક પછી સ્વીકાર નથી કરતો-પછી તેમાં અહંતા મમતા નથી કરતો.
જેવી રીતે અત્યંત પ્રેમને કારણે પુત અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે પરંતુ થોડોક વિચાર કરવાથી જ તે તેનાથી સ્પષ્ટ રૂપે જુદું દેખાય છે,એવી રીતે જેને તે પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી પણ તેનો સાક્ષી પુરુષ જુદો જ છે.જેવી રીતે સળગતી લાકડીથી,ચિંગારીથી ,સીધો અગ્નિથી પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપ માનેલી તે સળગતી લાકડીથી પણ અગ્નિ હકીકતમાં જુદી જ છે-તેવી જ રીતે ભૂત ,ઇન્દ્રિય અને હૃદયથી તેનો સાક્ષી આત્મા જુદો છે,તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ જુદો છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુસોત્તમ જુદા છે.જેવી રીતે દેહ દ્રષ્ટિથી જરાયુજ,અંડજ,સ્વેદજ અને ઉદ્વીજજ -ચારે પ્રકારના પ્રાણી પંચભૂતમાત્ર છે ,તેવી રીતે બધાજ જીવોમાં આત્માને અને આત્મામાં બધા જ જીવોને અનન્ય ભાવથી અનુગત જુઓ.જેવી રીતે એક જ અગ્નિ પોતાના જુદા જુદા આશ્રયોમાં તેની વિભિન્નતાને કારણે જુદા જુદા પ્રકારનો દેખાય છે,તેવી રીતે દેવ -મનુષ્યાદિ શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગન ભેદના કારણે જુદા જુદા પ્રકારનો દેખાય છે.એટલે ભગવાનનો ભક્ત જીવન સ્વરૂપને છુપાડનાર કાર્ય કારણરૃપથી પરિણામને પ્રાપ્ત થયેલી ભગવાનની આ અચિન્તય શક્તિમયી માયાને ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક શરીર-બ્રહ્મરૂપથી સ્થિર થાય છે.
અધ્યાય ઓગણત્રીસમો
ભક્તિનો મર્મ અને કાળની મહિમા
દેવહૂતિએ પૂછ્યું - પ્રભુ ! પ્રકૃતિ,પુરુષ અને મહતત્વ આદિના ,જેવા લક્ષણ સાંખ્યશાસ્ત્રોમાં કહેવામાં આવ્યા છેતથા જેના દ્વારા તેનું વાસ્તવિક સ્વરૂપ જુદું જુદું જાણવામાં આવે છે અને ભક્તિયોગને જ જેનું પ્રયોજન કહ્યું છે,તે આપે મને બતાવ્યું.હવે કૃપા કરીને ભક્તિયોગનો માર્ગ મને વિસ્તારપૂર્વક બતાવો.તેના સિવાય જીવોની જન્મ-મારાં વગેરે ગતિયોનું પણ વર્ણન કરો.જેને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓનો વૈરાગ્ય થાય છે.જેના ભયથી લોકો શુભ કર્મોમાં પ્રવૃત થાય છે અને જે બ્રહ્માદીનું પણ શાસન કરનારા છે તે સર્વસમર્થ કાલનું સ્વરૂપ પણ આપ મને કહો.જ્ઞાનદૃષ્ટિના જતી રહેવાથી દેહાદિ મિથ્યા વસ્તુઓમાં જેને આત્માભિમાન થઇ ગયું છે,તથા બુદ્ધિના કરમાસક્ત રહેવાને કારણે અતયંત શ્રમિત થઈને જે લાંબા સમયથી અપાર અંધકારમય સંસારમાં સુતા પડ્યા છે તેમને જગાડવાને માટે આપ યોગપ્રકાશક સૂર્ય જ પ્રગટ થયા છો.
શ્રી મૈત્રેયજી કહે છે - કુરુશ્રેષ્ઠ વિદુરજી ! માતાના તે મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો તરફ દયાથી દ્રવીભૂત થઈને ખુબ જ પ્રસન્નતાથી તેમને આવી રીતે બોલ્યા .
શ્રી ભગવાને કહ્યું -માતાજી ! સાધકોના ભાવ પ્રમાણે ભક્તિયોગનો અને રીતે પ્રકાશ થાય છે કેમકે સ્વભાવ અને ગુણોના ભેદથી મનુષ્યોના ભાવોમાં પણ વિભિન્નતા આવી જાય છે.જે ભેદ દર્શી ક્રોધી પુરુષ હૃદયમાં હિંસા,દંભ અથવા માંત્સર્યનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારા તામસ ભક્ત છે.જે પુરુષ વિષય,યશ અને એશ્વર્યની કામનાની પ્રતિમાદિમાં મારુ ભેદભાવથી પૂજન કરે છે,તે રાજસ ભક્ત છે.જે વ્યક્તિ પાપોનો ક્ષય કરવા માટે,પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું કર્તવ્ય છે -તે બુદ્ધિથી મારુ ભેદભાવથી પૂજન કરે છે તે સાત્વિક ભક્ત છે.જેવી રીતે ગંગાનો પ્રવાહ અખંડરૂપથી સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી રીતે મારા ગુણોનું માત્ર શ્રવણ કરવાથી મનની ગતિનું તૈલધારાવાત અવિચ્છત્રિત રૂપથી મારા સર્વાન્તર્યામી ના તરફ થઇ જવું તથા મને પુરુસોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો - તેને નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ કહેવાયું છે.એવા નિષ્કામ ભક્તો આપવાથી પણ મારી સેવાને છોડીને સાલોક્ય(ભગવાનના નિત્ય ધામમાં નિવાસ),સાષ્ટિ(ભગવાનના જેવો એશ્વર્ય ભોગ)સામૌપ્ય(ભગવાનની નિત્ય નજીકતા.),સારૂપ્ય(ભગવાનનું -જેવું રૂપ અને સાયુજ્ય (ભગવાનના વિગ્રહમાં સામે જવું) મોક્ષ પણ નથી લેતા.ભગવત્સેવાને માટે મુક્તિનો તિરસ્કાર કરનારો આ ભક્તિ યોગ જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવાય છે.તેના દ્વારા પુરુષ ત્રણેય ગૉનોને લોપીને મારા ભાવને-મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત થઇ જાય છે.
નિષ્કામભાવથી શ્રદ્ધાપૂર્વક પોતાના નિત્ય-નૈમેટિક કર્તવ્યોનું પાલન કરીને નિત્યપ્રતિ હિંસારહિત ક્રિયાયોગનું અનુષ્ઠાન કરીને મારી પ્રતિમાનું દર્શન,સ્પર્શ,પુંજા,સ્તુતિ અને વંદના કરવા,પ્રાણીઓમાં મારી ભાવના કરવા,ધૈર્ય અને વૈરાગ્યને અવલંબન,મહાપુરુષોનું માન, દીનો પાર દયા અને અને સરખી સ્થિતિવાળા તરફ મિત્રતાનો વ્યવહાર કરવા,યમ નિયમોનું પાલન,અધ્યાત્મશાસ્ત્રોને સાંભળવા,અને મારા નામોનું ઉંચા અવાજથી કીર્તન કરવાથી તથા મનની સરળતા,સત્પુરુષોનો સંગ અને અહંકારના ત્યાગથી,મારા ધર્મોનું(ભાગવત ધર્મોનું)અનુષ્ઠાન કરનારા ભક્ત પુરુષનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના ફક્ત સાંભળવાથી અનાયાસ જ મારામાં લાગી જાય છે.
જેવી રીતે વાયુના દ્વારા ઉડીને જનારી ગંધ પોતાના આશ્રય પુષ્પથી પ્રાનેદ્રિય સુધી પહોંચી જાય છે ,તેવી રીતે ભક્તિયોગમાં તત્પર અને રાગ-દ્વેષાદિ વિકારોથી શૂન્ય ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે.હું આત્મરૂપથી કાયમ બધા જીવોમાં સ્થિર છું,એટલા માટે જે લોકો મને સર્વભૂતસ્થિત પરમાત્માનું અનાદર કરીને ફક્ત પ્રતિમામાં જ મારુ પૂજન કરે છે,તેની તે પુંજા સ્વાંગ માત્ર છે. હું બધાનો આત્મા,પરમેશ્વર બધા ભૂતોમાં સ્થિર છું,,આવી દશામાં જે મોહવશ મારી ઉપેક્ષા કરીને ફક્ત પ્રતિમાના પૂજનમાં જ લાગેલો રહે છે તે તો માનો ભસ્મ માંજ હવન કરે છે.જે ભેદદર્શી અને અભિમાની પુરુષ જે બીજા જીવો સાથે વેર બાંધે છે,અને એવી રીતે તેનાજ શરીરમાં રહેનારા હું મારા આત્માથી જ દ્વેષ કરે છે,તેના મનને ક્યારેય શાંતિ નથી મળી શકતી.માતાજી ! બીજા જીવોનું અપમાન કરે છે,તે ઘણી બધી વધારે પડતી નક્કામી સામગ્રીઓથી અનેક પ્રકારના વિધિ વિધાન સાથેમારી મૂર્તિનું પૂજન પણ કરે તો પણ હું તેને પ્રસન્ન ન થાઉં.મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા કરતા ત્યાં સુધી મારી ઈશ્વરની પ્રતિમા વગેરેમાં પુંજા કરતો રહે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમ જ સંપૂર્ણ પ્રાણીઓમાં સ્થિર પરમાત્માનો અનુભવ ન થઇ જાય.જે વ્યક્તિ આત્મા અને પરમાત્માની વચ્ચે થોડું પણ અંતર રાખે છે,તે ભેદદર્શીને હું મૃત્યુ રૂપથી મહાન ભય ઉપસ્થિત કરું છું.એટલે બધાજ પ્રાણીઓની અંદર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિર હું પરમાત્મા ને યથાયોગ્ય દાન,માન ,મિત્રતા નો વ્યવહાર તથા સમદ્રષ્ટિ દ્વારા પૂજન કરવું જોઈએ.
માતાજી ! પાષાણાદિ અચેતાનોની અપેક્ષા વૃક્ષો વગેરે જીવો શ્રેષ્ઠ છે,તેનાથી શ્વાસ લેનારા પ્રાણીઓ શ્રેષ્ઠ છે,તેનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ,અને તેનાથી ઇંદ્રિયોની વૃત્તિયોથી યુક્ત પ્રાણી શ્રેષ્ઠ છે.સેન્દ્રીય પ્રાણીઓમાં પણ ફક્ત સ્પર્શનો અનુભવ કરનારાઓની અપેક્ષા રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્યાદિ ઉત્કૃષ્ટ છે,તથા રસવેત્તાઓની અપેક્ષા ગંધનો અનુભવ કરનારા(ભમરા વગેરે)અને ગંધને ગ્રહણ કરનારા (સાપ વગેરે)શ્રેષ્ઠ છે.તેનાથી પણ રૂપનો અનુભવ કરનારા(કાકાડી) ઉત્તમ છે અને તેમની અપેક્ષા જેમના ઉપર નીચે બંને બાજુ દાત હોય છે તે જીવ શ્રેષ્ઠ છે.તેમાં વગર પગવાળાથી ખુબ જ પગવાળા શ્રેષ્ઠ છે,તથા ખુબ જ પગવાળાથી ચાર પગવાળા અને ચાર પગોવાળાથી બે પગોવાળા મનુષ્ય શ્રેષ્ઠ છે.મનુષ્યોમાં પણ ચાર વર્ણો શ્રેષ્ઠ છે,તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે,બ્રાહ્મણોમાં વેદ જાણનારાઓ શ્રેષ્ઠ છે,અને વેદજ્ઞયોમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે.તાત્પર્ય જાણનારાથી સંશય નિવારણ કરનારા,તેનાથી પણ પોતાના વર્ણશ્રમોચિત ધર્મનું પાલન કરનારા તથા તેનાથી પણ આસક્તિનો ત્યાગ,અને પોતાના ધર્મનું નિષ્કામ ભાવથી આચરણ કરનારા શ્રેષ્ઠ છે.તેમની અપેક્ષા પણ જે લોકો પોતાના સંપૂર્ણ કર્મ તેનું ફળ,તથા પોતાનું શરીર પણ મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે,તે શ્રેષ્ઠ છે.આવી રીતે મને જ ચિત્ત અને કર્મ સમર્પણ કરનારા અકર્તા અને સમદર્શી પુરુષથી વધારે મને બીજું કોઈ પ્રાણી નથી દેખાતું.એટલે એ માનીને કે જીવ રૂપ પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ બધામાં સમાયેલા છે,આ બધાજ પ્રાણીઓ ને માન સાથે મનથી પ્રણામ કરવા.
માતાજી ! આવી રીતે મેં આપને માટે ભક્તિયોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું.તેમાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદભુત પ્રભાવ સંપન્ન તથા જગતના પદાર્થો ના નાનાવિધ વૈચિત્ર્યના હેતુભૂત સ્વરૂપ વિશેષ જ 'કાળ' નામથી પ્રખ્યાત છે.પ્રકૃતિ અને પુરુષ તેના રૂપો છે,તથા તેનાથી તે જુદો પણ છે નાના પ્રકારના કર્મોનું મૂળ અદૃષ્ટ પણ તે જ છે તથા તેનાથી મહતત્ત્વાદિ ના અભિમાની ભેદદર્શી પ્રાણીઓ ને કાયમ ભય લાગ્યા કરે છે.જે બંધનો આશ્રય હોવાને કારણે બધાજ પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેનો સંહાર કરે છે તે જગતના શાસન કરનારા બ્રહ્માદીનાં પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ દેનારા વિષ્ણુ છે.તેમનો ન તો કોઈ મિત્ર છે,ન કોઈ શત્રુ અને ન તો કોઈ સાગા સબંધીઓ છે.તેઓ કાયમ સજાગ રહે છે,અને પોતાના સ્વરૃપરૃપ ભગવાનને બુલીને ભોગરૂપ પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરી તેમનો સંહાર કરે છે.તેમના ભયથી વાયુ વાય છે,તેમના ભયથી સૂર્ય તપે છે,તેમના ભયથી ઇન્દ્ર વર્ષા કરે છે,અને તેમના ભયથી તારાઓ ચમકે છે.તેમનાથી ભયભીત થઈને ઔષધિયો સાથે વેલાઓ અને બધીજ વનસ્પતિયોં સમય સમય પ્રમાણે ફળ-ફૂલ ધારણ કરે છે.તેમના ભયથી નાડીયો વહે છે,અને સમુદ્ર તેની મર્યાદાથી બહાર નથી જતો.તેમના ભયથી અગ્નિ પ્રજવલિત થાય છે,અને પર્વતોની સાથે પૃથ્વી પાણીમાં નથી ડૂબતી.તેમના શાસનથી આ આકાશ જીવિત પ્રાણીઓ ના શ્વાશોશ્વાશ માટે અવકાશ આપે છે,અને મહતત્વ અહંકાર રૂપ શરીરનું સાત અવરણોથી યુક્ત બ્રહ્માંડના રૂપમાં વિસ્તાર કરે છે.આ કાળના જ ભયથી સતવાદી ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવગણો જેમના આધીન આ બધું ચરાચર જગત છે,પોતાની જગત રચના વગેરે કાર્યોમાં યુંગક્રમથી તત્પર રહે છે.આ અવિનાશી કાળ જાતે અનાદિ પરંતુ બીજાઓના આદિકર્તા(ઉત્પાદક)છેતથા જાતે અનંત હોવા છતાં બીજાઓના અંત કરનારા છે.તેઓ પિતાથી પુત્રની ઉત્તપત્તિ કરાવતા આખા જગતની રચના કરે છે અને પોતાની સંહારક શકતી મૃત્યુ દ્વારા યમરાજને પણ મરાવીને તેનો અંત કરી નાખે છે.
અધ્યાય ત્રીસમો
દેહ-ગેહમાં આસક્ત પુરુષોની અધોગતિનું વર્ણન
કપિલદેવજી કહે છે -માતાજી ! જેવી રીતે વાયુ દ્વારા ઉડાવેલા મેઘસમૂહ તેના બાલને નથી જાણતો તેવી રીતે આ જીવ પણ બળવાન કાળની પ્રેરણાથી જુદી જુદી અવસ્થાઓ તથા યોનિયોમાં બ્રાહ્મણ કરતો રહે છે ,પરંતુ તેના પ્રબળ પરાક્રમને નથી જાણતો.જીવ સુખની અભિલાષાથી જે જે વસ્તુઓને ખુબ જ કષ્ટથી પ્રાપ્ત કરે છે,તે-તેઓને ભગવાન કાળ વિનષ્ટ કરી નાખે છે. -જેને માટે તેને ખુબ જ શોક થાય છે.તેનું કારણ એ જ છે કે આ મંદમતી જીવ પોતાના તે નાશવાન શરીર તથા તેના સબંધીયોના ઘર ,ખેતર અને ધન વગેરેને મોહથી કાયમના માની લે છે.આ સંસારમાં જીવ જે જે યોનિયોમાં જન્મ લે છે તે તેમાં આનંદ માણવા લાગે છે અને તેનથી વિરક્ત નથી થતો.તે ભગવાનની માયાથી એવો મોહિત થઇ રહ્યો છે કે કર્મવશ નર્કયોનિમાં જન્મ લેવાથી પણ ત્યાંની વિષ્ઠા વગેરે ભોગોમાં સુખ માનવાને કારણે તેને પણ ચોદવા નથી ચાહતો.તે મૂર્ખ પોતાના શરીર,સ્ત્રી,,પુત્ર,ઘર,પશુ ,ધન અને બંધુ બાન્ધવોમાં અત્યંત આસક્ત થઈને તેની બાબતમાં નાના પ્રકારે મનોરથ કરતો કરતો પોતાને મોટો ભાગ્યશાળી સમજે છે. તેના પાલવ પોષણ ની ચિંતાથી તેના બધાજ અંગ બળતા રહે છે,તે ઉપરાંત દુર્વાસનાઓથી દુષિત હૃદય થવાને કારણે આ મૂઢ કાયમ તેમને માટે જાત જાતના પાપ કરતો રહે છે.
કુલટા સ્ત્રીઓ દ્વારા એકાંતમાં સંભોગ વગેરેના સમયે પ્રદર્શિત કરેલા કપટપૂર્ણ પ્રેમમાં તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયો ફસાઈ જવાથી ગૃહસ્થ પુરુષ ઘરના દુઃખપ્રધાન કપટપૂર્ણ કર્મોમાં લિપ્ત થઇ જાય છે.તે વખતે ખુબ સાવધાની કરવાપર જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય છે તો તેને જ તે સુખ જેવું માની લે છે.જ્યાં ત્યાંથી ભયંકર હિંસાવૃત્તિ દ્વારા ધન સંશય કરીને એવા લોકોને પોષણ કરે છે જેના પોષણથી તે નર્કમાં જાય છે.જાતે તો તેના ખાવા પીવાથી વધેલા અન્નને જ ખાઈને રહે છે.વારંવાર પ્રયત્ન કરવાથી પણ જયારે તેની કોઈ જીવિકા નથી ચાલતી,તો તે લોભવશ અધીરો થઇ જવાથી બીજાના ધનની ઈચ્છા કરવા લાગે છે.જયારે મંદભાગ્યને કારણે તેનો કોઈ પ્રયત્ન નથી ચાલતો અને આ મંદ બુદ્ધિ ધન હીન થઈને કુટુંબના ભારણ પોષણમાં અસમર્થ થઇ જાય છે,ત્યારે અત્યંત ગરીબ અને ચિંતાતુર થઈને લાંબા લાંબા શ્વાશો છોડવા લાગે છે.
તેને પોતાના પાલનપોષણમાં અસમર્થ સમજીને તે સ્ત્રીપુત્રો તેનો પહેલાની માફક આદર નથી કરતા જેમ કૃપણ ખેડૂત ઘરડા બળદોની ઉપેક્ષા કરી નાખે છે.છતાં પણ તેને વૈરાગ્ય નથી થતો.જેમને તેણે જાતે પાળ્યા હતા,તેજ હવે તેનું પાલન કરે છે,ઘરડા થવાને કારણે તેનું રૂપ બગડી જાય છે,શરીર રોગી થઇ જાય છે,અગ્નિ મંદ પડી જાય છે,ભોજા અને મહેનત બંને ઓછા થઇ જાય છે.તે મરણતોલ થઈને ઘરમાં પડ્યો રહે છે,અને કૂતરાની માફક સ્ત્રી પુત્રાદીએ અપમાન પૂર્વક આપેલા ટુકડા ખાઈને જીવન નિર્વાહ કરે છે.મૃત્યુનો સમય આવવાથી વાયુના ઉત્ક્રમણથી તેની પુતળીયો ચઢી જાય છે શ્વાશોશ્વાશ ની નાળીયો કફથી રોકાઈ જાય છે,ખસવામાં તથા શ્વાશ લેવામાં પણ તેણે ખુબ કષ્ટ થાય છે.તથા કફ વધી જવાને કારણે ગળામાં ઘુરઘુરાહત થવા લાગે છે.તે પોતાના શોકાતુર બંધુબાંધવોથી ઘેરાઈને પડ્યો રહે છે અને મૃત્યુપાશના વશીભૂત થઇ જવાથી તેના બોલાવવાથી પણ નથી બોલી શકતો.
એવી રીતે જે મૂઢ પુરુષ ઇન્દ્રિયોને ન જીતીને નિરંતર કુટુંબ પોષણમાં લાગેલો રહે છે તે રડતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી બેભાન થઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે.આ અવસર પર તેને લેવા માટે અતિ ભયંકર અને રોષથી ભરેલા નેત્રોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને તે ભયને કારણે મળમૂત્ર કરી નાખે છે.તે યમદૂત તેને યાતના દેહમાં નાખી દે છે,અને પછી જે પ્રકારે સિપાહી કોઈ અપરાધીને લઇ જાય છે,તેવી રીતે તેના ગળામાં દોરી બાંધીને બળાત્કારથી યમલોકની લાંબી યાત્રા માં તેને લઇ જાય છે.તેની ધડ્કનોથી તેનું હૃદય ફાટીને શરીર ધ્રુજવા લાગે છે.માર્ગમાં તેને કુતરા નોચે છે તે વખતે પોતાના પાપોને યાદ કરીને તે ખુબ વ્યાકુળ થઇ જાય છે.ભૂખતરસ તેને બેચેન કરી નાખે છે.તથા ઘામ,દાવાનળ અને લૂથી તે તાપી જાય છે,આવી અવસ્થામાં પાણી અને વિશ્રામના સ્થાનોથી
રહિત તે તપ્તવાલુકામય માર્ગમાં જયારે તેને એક પગ આગળ વધવાની પણ શક્તિ નથી રહેતી,યમદૂત તેની પીઠ પર કોડા ફટકારે છે ત્યારે તેને ચાલવું જ પડે છે તે જ્યાં ત્યાં થાકીને પડી જાય છે,બેભાન થઇ જાય છે,ચેતના આવતા ફરી ઉઠે છે.આવી રીતે અતિ દુઃખમય અંધારા માર્ગમાં અત્યંત ક્રૂર યમદૂત તેને ઝડપથી યમપુરી લઇ જાય છે.યમલોકનો માર્ગ નવ્વાણુહજાર યોજન છે એટલા લાંબા માર્ગને બે કે ત્રણ મુહૂર્તમાં પસાર કરી તે નર્કમાં જાતજાતની યાતના ભોગવે છે.ત્યાં તેના શરીરને ભડકતી લાકડાની વચ્ચે નાખીને સળગાવાય છે,ક્યારેક પોતે અથવા બીજાના દ્વારા કાપી કાપીને તેને પોતાનુંજ માંસ ખવડાવાય છે,યમપુરીના કુતરા અથવા ગીધડાં દ્વારા જીવતા જીવતા જ તેના આંતરડા ખેંચવામાં આવે છે.સાપ,વીંછી અને ડાંસ વગેરે દંશનારા તથા ડંખ મારનારા જીવોથી શરીરને પીડા પહોંચાડવામાં આવે છે.શરીરને કાપીને ટુકડે ટુકડા કરવામાં આવે છે.તેને હાથીયોથી કચડવામાં આવે છે,પર્વત શિખરોથી ફેંકવામાં આવે છે,અથવા પાણી અથવા ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે,આ બધી યાતનાઓ તથા આવી રીતે તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,તેમજ રૌરવ વગેરે નરકોની બીજી પણ યાતનાઓ,સ્ત્રી હોય અથવા પુરુષ તે જીવને એકબીજાના સંસર્ગથી થનારા પાપોને કારણે ભોગવવી જ પડે છે.માતાજી ! કેટલાક લોકોનું કહેવું છે,કે સ્વર્ગ કે નર્ક તો આજ લોકમાં છે, જે નારકી યાતનાઓ છે,તે અહીં પણ જોવામાં આવે છે.
એવી રીતે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનાર અથવા ફક્ત પોતાનું જ પેટ ભરનાર પુરુષ તે કુટુંબ અને શરીર-બંનેને અહીં છોડીને મર્યા પછી પોતાના કરેલા પાપોનું એવું ફળ ભોગવે છે.પોતાના આ શરીરને અહીં છોડીને પ્રાણીઓથી દ્રોહ કરી એકત્રિત કરેલા પાપરૂપ પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે.મનુષ્ય પોતાના કુટુંબનું પેટ પાળવામાં જે અન્યાય કરે છે,તેનું દેવરહિત કુકલ તે નરકમાં જઈને ભોગવે છે.તે વખતે તે એવો વ્યાકુળ થાય છે,માનો તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય.જે પુરુષ નીરી પાપની કમાઈથી જ પોતાના પરિવારનું પેટ ભરવામાં વ્યસ્ત રહે છે તે અંધતામિસ્ત્ર નર્કમાં જાય છે-જે નર્કમાં ચરમ સીમાનું કષ્ટપ્રદ સ્થાન છે.મનુષ્ય જન્મ મળવાના પહેલા જેટલી પણ યાતનાઓ છે તથા શુકર-કુકર વગેરે યોનિયોના જેટલા કષ્ટો છે તે બધાને ક્રમથી ભોગવીને શુદ્ધ થઇ જવાથી તે ફરીથી મનુષ્ય યોનિમાં જન્મ લે છે.
એકત્રીસમો અધ્યાય
મનુષ્ય યોનિ પ્રાપ્ત થયેલા જીવની ગતિનું વર્ણન
શ્રી ભગવાન કહે છે-માતાજી ! જયારે જીવને મનુષ્ય યોનિમાં જન્મ લેવો હોય છે,તો તે ભગવાનની પ્રેરણાથી પોતાના પુર્વકર્માનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્યકણ દ્વારા સ્ત્રી ના ઉદરમાં પ્રવેશ કરે છે.ત્યાં તે એક રાતમાં સ્ત્રીની રજમાં મળીને એક રૂપ ક્લલ બની જાય છે,પાંચ રાત્રિમાં બુદબુદરુપ થઇ જાય છે,દસ દિવસમાં બોરની જેવો કૈક કઠણ બની જાય છે, અને તેના પછી માંસપેશી અથવા અંડજ પ્રાણીઓમાં ઈંડાના રૂપમાં ફેરવાઈ જાય છે,એક મહિનામાં તેનું માથું નીકળી આવે છે બે મહિનામાં હાથ પગ વગેરે અંગોનો વિભાગ થઇ જાય છે.અને ત્રણ મહિનામાં નાખ,રુંવાટા,હાડકા,ચામડી,સ્ત્રી પુરુષના ચિન્હ તથા અન્ય છિદ્ર ઉત્તપન્ન થઇ જાય છે.ચાર મહિનામાં તેમાં માણસ વગેરે સાતેય ધાતુ પેદા થઇ જાય છે,પાંચમા મહિનામાં ભૂખ તરસ લાગવા માંડે છે અને છઠ્ઠા મહિનામાં ઝિલ્લીથી લપેટાઈને તે જમણી કૂખમાં ફરવા લાગે છે.તે વખતે માતાના ખાધેલા અન્ન જળ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે,અને તે કૃમિ વગેરે જંતુઓનું ઉત્તપત્તિસ્થાન તે જધન્ય મળમૂત્રના ખાડામાં પડ્યો રહે છે,તે સુકુમાર તો હોય જ છે,એટલે જયારે ત્યાંના ભૂખ કીડા તેના અંગ પ્રત્યંગ ને નોચે છે,ત્યારે અત્યંત કલેશને કારણે તે ક્ષણ ક્ષણમાં અચેત થઇ જાય છે.માતાના ખાધેલા કાદવ,તીખા,ગરમ,ખારા,સૂકા અને ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા માંડે છે.તે જીવ માતાના ગર્ભાશયમાં ઝિલ્લીમાં લપેટાયેલો અને આંતરડામાં ઘેરાયેલો રહે છે. તેનું માથું પેટ બાજુ અને પીઠ અને ડોક કુંડલાકાર મુંડે રહે છે.
તે પિંજરામાં બંધ પક્ષીની માફક પરાધીન તેમ જ અંગોને હલાવવા-ફેરવવામાં પણ અસમર્થ રહે છે.તે વખતે અદ્રષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે.ત્યારે પોતાના સેંકડો જન્મોના કર્મ યાદ આવી જાય છે,અને તે બેચેન થઇ જાય છે તથા તેનો ડેમ ઘૂંટાવા લાગે છે.આવી અવસ્થામાં તેને શું શાંતિ મળી શકે છે ?સાતમો મહિનાની શરૂઆતમાં તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઇ જાય છે,પરંતુ પ્રસુતિ વાયુથી ચલાયમાન રહેવાને કારણે તે તેજ ઉદરમાં ઉત્તપન્ન થયેલા વિષ્ઠાના કિડની માફક એક સ્થાન પાર નથી રહી શકતો.ત્યારે સપ્તધાતુમય સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી અત્યંત ભયભીત થઈને ગરીબવાનીથી કૃપા યાચના કરતો કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરે છે જેમણે તેને માતાના ગર્ભમાં નાખ્યો છે.
જીવ કહે છે -હું ખુબ જ અધમ છું ભગવાને મને જે આ પ્રકારની ગતિ બતાવી છે, તે મારે યોગ્ય જ છે.તે પોતાના શરણમાં આવેલા આ નશ્વર જગતની રક્ષા માટે જ અનેક પ્રકારના રૂપો ધારણ કરે છે.એટલે હું પણ ભુતળ પર ફરનારા તેમના જ ચરણારવિંદોની શરણ લઉં છું. જે હું (જીવ) આ માતાના ઉદરમાં દેહ,ઇન્દ્રિય અને અંત:કરણરૂપ માયાનો આશ્રય કરીને પુણ્ય પાપ રૂપ કર્મોથી આચ્છાદિત રહેવાને કારણે વૃદ્ધની જેવો છું,ત્યાં હું અહીં પોતાના સંતપ્ત હૃદયમાં પ્રતીત થનારા તે વિશુદ્ધ(ઉપાધિ વગરના) અવિકારી અને અખંડ બોધસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરું છું.હું હકીકતમાં શરીરાદિથી રહિત (અસંગ) હોવાથી પણ જોવામાં પંચભૂત શરીરથી સબંધિત છું અને એટલે ઇન્દ્રિય ,ગન, શબ્દાદિ વિષય અને ચિદાભાસ (અહંકાર) રૂપ દેખાઉં છું.એટલે આ શરીરાદિના આવરણથી જેમની મહિમા કુંઠિત નથી થઇ તે પ્રકૃતિ અને પુરુષ ના નિયંતા સર્વજ્ઞ(વિદ્યાશક્તિ સંપન્ન) પરમપુરુષની હું વંદના કરું છું.તેમની માયાથી પોતાના સ્વરૂપની સ્મૃતિ નષ્ટ થઇ જવાથી આ જીવ અનેક પ્રકારના સત્વાંદિ ગુણ અને કર્મના બંધનથી યુક્ત આ સંસારમાર્ગમાં જાત જાતના કષ્ટો ભોગવતો ભટકતો રહે છે,એટલે તે પરમપુરુષ પરમાત્માની કૃપા વગર અને કોઈ યુક્તિથી તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઇ શકે છે.મને જે આ ત્રયકાલીન જ્ઞાન થયું છે,તે પણ તેમના સિવાય કોણે આપ્યું છે,કેમકે સ્થાવર જંગમ બધાજ પ્રાણીઓમાં એકમાત્ર તેઓજ તો અંતર્યામી અંશથી વસ્યા છે.એટલે જીવરૂપ કર્મજનીત પદવીનું અનુવર્તન કરનારા અમે આપણા ત્રિવિધ તાપની શાંતિ માટે તેમનું જ ભજન કરીયે છીએ.
ભગવન ! આ દેહધારી જીવ બીજા (માતાના) દેહના ઉંદરની અંદર માલ,મૂત્ર અને લોહીના કુવામાં પડ્યો છે,તેની જઠરાગ્નિથી તેનું શરીર અત્યંત સંતપ્ત થઇ રહ્યું છે.તેનાથી નીકળવાની ઈચ્છા કરતા કરતા તે પોતાના મહિના ગણી રહ્યો છે.ભગવન !હવે તે ગરીબને ત્યાંથી ક્યારે કાઢવામાં આવશે ? સ્વમિં !તમો ખુબ જ દયાળુ છો,આપ જેવાબુદાર પ્રભુe જ આ દાસ મહિનાના જીવને એવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે.દીનબંધુ ! આ તમારા કરેલા ઉપકારથી જ તમો પ્રસન્ન થાઓ,કેમકે આપણે હાથ જોડવા સિવાય આપના ઉપકારનો બદલો તો કોઈ આપી જ શું શકે છે.
પ્રભુ ! સંસારના આ પશુ પક્ષી વગેરે બીજા જીવો તો તેમની મૂઢ બુધ્ધી પ્રમાણે પોતાના શરીરમાં થનારા સુખ દુઃખ વગેરેનો અનુભવ જ કરે છે.પરંતુ હું તો તમારી કૃપાથી શામ દામ વગેરે સાધન સંપન્ન શરીરથી યુક્ત થયો છું,એટલે આપની આપેલી વિવેકવાટી બુદ્ધિ થી આપ પુરાણપુરુષને પોતાના શરીરની બહાર અને અંદર અહંકારના આશ્રયભૂત આત્માની માફક પ્રત્યક્ષ અનુભવ કરું છું.ભગવન !આ અત્યંત દુઃખથી ભરેલા ગર્ભાશયમાં કદાચ હું ઘણા કષ્ટથી રહી રહ્યો છું.તો પણ ત્યાંથી બહાર નીકળીને સંસારમાંય અંધકુપમા પાડવાની મને બિલકુલ ઈચ્છા નથી,કેમકે તેમાં જનાર જીવને આપની માયા ઘેરી લે છેજેના કારણે તેના શરીરમાં .અહંબુદ્ધિ થઇ જાય છે,અને તેના પરિણામમાં તેને ફરી આ સંસારચક્રમાંજ પડવાનુંહોય છે. એટલે હું વ્યાકુળતાને છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને મારી બુદ્ધિની સહાયતાથી જ મને બહુ જ સીધો આ સંસારરૂપી સમુદ્રથી પાર કરી દઈશ,જેનાથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસારદુખ ફરી ન મળે.
કપિલદેવજી કહે છે- માતા ! જયારે આ દસ મહિનાનો જીવ ગર્ભમાં જ જયારે વિવેકસંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે,ત્યારે તે અધોમુખ બાળકને પ્રસવકાળની વાયુ તરત જ બહાર આવવા ધકેલે છે.તેના એકદમ ધકેલવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઇ નીચે માથું કરીને ખુબ જ કષ્ટથી બહાર નીકળે છે.તે વખતે તેની શ્વાસની ગતિ રોકાઈ જાય છે અને પહેલાની યાદો નાશ પામે છે.પૃથ્વી પાર માતાના લોહી અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાંની માફક છટપટાય છે.તેનું ગર્ભવાસનું બધું જ્ઞાન નષ્ટ થઇ જાય છે.અને તે વિપરીત ગતિ(દેહાભિમાન રૂપ અજ્ઞાન દશા) પ્રાપ્ત કરીને વારંવાર જોર જોરથી રડે છે.
પછી જે લોકો તેનો અભિપ્રાય નથી સમજી શકતા તેમના દ્વારા તેનું પાલન પોષણ થાય છે.એવી અવસ્થામાં તેને જે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે તેનો નિષેધ કરવાની શક્તિ પણ તેનામાં નથી હોતી.જયારે તે જીવને શિશુ અવસ્થામાં મેલી કરચલીવાલા ખાટલા પાર સુવાડી દેવામાં આવે છે,જેમાં માંકડ જેવા સ્વેદજ જીવો ચોંટેલા હોય છે,ત્યારે તેના શરીરને ખંજવાળવા,ઉઠાવવા કે પાસું ફેરવવાને સામર્થ્ય ન હોવાને કારણે તેને ખુબ જ કષ્ટ મળે છે.તેની ચામડી ખુબ જ કોમળ હોય છે,તેને ડાંસ,મચ્છર અને માંકડ વગેરે એવી રીતે કરડતા રહે છે જેમ મોટો કીડો નાના કીડાને.તે વખતે તેનું ગર્ભાવસ્થાનું બધું જ્ઞાન જતું રહે છે,રડ્યા સિવાય તે બીજું કશું કરી નથી શકતો.
આવી રીતે બાલ્ય(કુમાર)અને પૌગણ્ડ -અવસ્થાઓના દુઃખ ભોગવીને તે બાળક યુવાવસ્થામાં પહોંચે છે.તે વખતે તેને કોઈ ઇચ્છિત ભોગ પ્રાપ્ત નથી થતો,તો અજ્ઞાનતાથી તેનો ક્રોધ ઉદીપ્ત થઇ જાય છે.અને તે શોકાતુર થઇ જાય છે.દેહની સાથે સાથે અભિમાન અને ક્રોધ વધી જવાને કારણે તે કામપરવશ જીવ પોતાનો જ નાશ કરવા બીજા કંઈ પુરુષ સાથે વેર બાંધે છે.ખોટી બુદ્ધિવાળો તે અજ્ઞાની જીવ પંચભૂતોથી રચેલા આ શરીરમાં મિથ્યાભિનિવેશના કારણે કાયમ હું અને હુંપણાનું અભિમાન કરવા લાગે છે.જે શરીર તેને વૃદ્ધાવસ્થા વગેરે અનેક પ્રકારનું કષ્ટ જ આપે છે,તથા અવિદ્યા અને કર્મના સુત્રથી બંધાયેલો રહેવાને કારણે કાયમ તેની પાછળ લાગેલો રહે છે,તેના માટે તે જાત જાતના કર્મ કરતો રહે છે- જેમાં બંધાઈ જવાને કારણે તેને વારંવાર સંસારચક્રમાં પડવું પડે છે.સન્માર્ગમાં ચાલતા જો તેનું કોઈ જિહવા અને ઉપેન્દ્રિયના ભોગોમાં લાગેલા વિષયી પુરુષથી સમાગમ થઇ જાય છે અને તે તેમાં આસ્થા કરીને તેને અનુસરવા લાગે છે,તો પહેલાની માફક જ ફરી નારકી યોનિયોમાં પડે છે.જેના સંગથી તેનું સત્ય,શૌચ(બહાર અંદરની પવિત્રતા),દયા,વાણીનો સંયમ,બુદ્ધિ,ધન-સંપત્તિ,લજ્જા,યશ,ક્ષમા મન અને ઇન્દ્રિયોનો સંયમ તથા એશ્વર્ય વગેરે બધા સદ્ગુણો નાશ પામે છે.તે અત્યંત વિચારજનક ,સ્ત્રિયોના ક્રીડાંમૃગ (રમકડાં)અશાંત, મૂઢ અને દેહાત્મદર્શી અસત્પુરુષોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ.કેમકે આ જીવને કોઈ બીજાનો સંગ કરવાથી એવો મોહ અને બંધન નથી થતા,જેમ સ્ત્રિયો અને સ્ત્રીઓના સંગીઓનો સંગ કરવાથી થાય છે.એકવાર પોતાની પુત્રી સરસ્વતીને જોઈને બ્રહ્માજી પણ તેના રૂપલાવણ્યથી મોહિત થઇ ગયા હતા,અને તેના મૃગીરૂપ થઈને ભાગવાથી તેની પાછળ નિર્લજ્જપૂર્વક મૃગરૂપ થઈને દોડવા લાગ્યા હતા.તેજ બ્રહ્માજીએ મરીચિ વગેરે પ્રજાપતિયોંની તથા મરીચિ વગેરેએ કશ્યપ વગેરેની,અને કશ્યપ વગેરેએ દેવ -મનુષ્યોની શ્રુષ્ટિ કરી.એટલે તેમાં એક ઋષિપ્રવર નારાયણને છોડીને એવો કોણ પુરુષ હોય શકે ,જેની બુદ્ધિ સ્ત્રી રૂપિણી માયાથી મોહિત ના હોય.અહો ! મારી આ સ્ત્રીરુપિણી માયાનો પ્રભાવ તો જુઓ,જે પોતાના ભૃંકૃતિ વિલાસમાત્રથી મોટા મોટા દિગ્વિજયી વીરોને પગોથી કચડી નાખે છે.
જે પુરુષ યોગના પરમ પદ પર અરૂઢ થવા ઈચ્છતો હોય અથવા જેને મારી સેવાના પ્રભાવથી આત્મા અનાત્માનો વિવેક થઇ ગયો હોય,તે સ્ત્રીઓનો સંગ ક્યારેય ન કરવો,કેમકે તેને એવા પુરુષ માટે નરકનું ઉઘાડું દ્વાર બતાવવામાં આવ્યું છે. ભગવાનની રચેલી આ જે સ્ત્રીરુપિણી માયા ધીરે ધીરે સેવા વગેરે કરીને પાસે આવે છે તેને ઘાસથી ઢંકાયેલા કૂવાની જેમ પોતાની મૃત્યુ જ સમજવી.
સ્ત્રીના આસક્ત રહેવાને કારણે તથા અંત સમયમાં સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રી યોની પ્રાપ્ત થાય છે.એવી રીતે સ્ત્રી યોનિને પ્રાપ્ત થયેલો જીવ પુરુષ રૂપમાં પ્રતીત થનારી મારી માયા ને જ ધન,પુત્ર અને ઘર વગેરે આપનારા પોતાનો પતિ માનતો રહે છે.એટલે જે પ્રકારે વ્યાધેનું ગીત કણોને પ્રિય લાગવાથી પણ બિચારા ભોળા ભલા પશુ પક્ષીઓ ને ફસાવીને તેના નાશનું જ કારણ હોય છે.તેવી રીતે તે પુત્ર,પતિ અને ઘર વગેરેને વિધાતાની નક્કી કરેલી પોતાની મૃત્યુ જ જાણવી.દેવી ! જીવન ઉપાધિભૂત લિંગદેહના દ્વારા પુરુષ એક લોકમાંથી બીજા લોકમાં જાય છે અને પોતાના પ્રબંધ કર્મને ભોગવતો કાયમ બીજા દેહની પ્રાપ્તિ માટે બીજા કર્મો કરતો રહે છે.જીવનું ઉપાધિભૂત લિંગશરીર તો મોક્ષદરમ્યાન તેની સાથે રહે છે.તથા ભૂત,ઇન્દ્રિય અને મનના કાર્યરૂપ સ્થૂળસ્વરૂપ તેનું ભોગાધિષ્ઠાન છે.તે બંનેના પરસ્પર સંગઠિત થઈને કાર્ય ન કરવું જ પ્રાણીની 'મૃત્યુ' છે અને બંનેની સાથોસાથ પ્રગટ થવું જન્મ કહેવાય છે.પદાર્થોની ઉપલબ્ધીના સ્થાનરૂપ આ સ્થૂળ શરીરમાં જયારે તેની ગ્રહણ કરવાની યોગ્યતા નથી રહેતી તે તેનું મારાં છે,અને તે સ્થૂળશરીર જ હું છું.-તે અભિમાન સાથે તેને જોવું તેનો જન્મ છે.નેત્રોમાં જયારે કોઈ દોષને કારણે રૂપ વગેરેને જોવાની યોગ્યતા નથી રહેતી ત્યારે તેનામાં રહેનારી ચક્ષુ ઇન્દ્રિય બંને જ રૂપ જોવામાં અસમર્થ થઇ જાય છે.ત્યારે તે બંનેના સાક્ષી જીવમાં પણ યોગ્યતા નથી રહેતી, એટલે મુમુક્ષુ પુરુષને મારાં વગેરેથી ભય,દીનતા અથવા મોહ ન હોવો જોઈએ.તેને જીવન સ્વરૂપને જાણીને ધૈર્યપૂર્વક નિઃસંગ ભાવથી ફરવું જોઈએ તથા આ માયામય સંસારમાં યોગ-વૈરાગ્યયુક્ત સમ્યક જ્ઞાનમયી બુદ્ધિથી શરીરને નિક્ષેપ(ધરોહર)ની માફક રાખીને તેના તરફ અનાસક્ત રહીને ફરવું જોઈએ.
બત્રીસમો અધ્યાય
ધૂમમાર્ગ અને અર્ચિરાદિ માર્ગથી જનારાઓની ગતિ નું અને ભક્તિયોગની ઉત્કૃષ્ટાનું વર્ણન
કપિલદેવજી કહે છે- માતાજી ! જે પરુષ ઘરમાં રહીને સકામભાવથી ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે,અને તેના ફળસ્વરૂપ અર્થ અને કામનો ઉપભોગ કરીને પછી તેનું જ અનુસ્થાન કરતો રહે છે.તે જાતજાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવતધર્મોથી વિમુખ થઇ જાય છે,અને યજ્ઞો દ્વારા શ્રદ્ધાપૂર્વક દેવતા તથા પિતરોની જ આરાધના કરતો રહે છે. તેની બુદ્ધિ તેવા પ્રકારની શ્રદ્ધાથી યુક્ત રહે છે,દેવતા અને પિત્રો જ તેના ઉપાસ્ય રહે છે.એટલે તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે, અને પછી પુણ્ય ઓછું થઇ જવાથી આજ લોકમાં પાછો આવી જાય છે.જે વખતે પ્રલયકાળમાં શેષશાયી ભગવાન શેષશય્યા પર શયન કરે છે,તે વખતે સકામ ગૃહસ્થશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોક પણ લિન થઇ જાય છે.
જે વિવેકી પુરુષ પોતાના ધર્મોનો અર્થ અને ભોગવિલાસ માટે ઉપીયોગ નથી કરતા પરંતુ ભગવાનની પ્રસન્નતા માટેજ તેનું પાલન કરે છે-તે અનાસક્ત,પ્રશાંત,શુદ્ધ ચિત્ત,નિવૃતધર્મપારાયણ,મમતારહિત અને અહંકારશૂન્ય પુરુષ સ્વધર્મપાલનરૂપ સત્વગુણના દ્વારા કાયમ માટે શુદ્ધ ચિત્ત થઇ જાય છે.તે અંતમાં સૂર્યમાર્ગ(અર્ચિમાર્ગ અથવા દેવયાન)ના દ્વારા સર્વવ્યાપી પૂર્ણ પુરુષ શ્રી હરિને જ પ્રાપ્ત થાય છે--જે કાર્ય કારણરૂપ જગતના નિયંતા સંસારના ઉપાદન-કારણ અને તેની ઉત્તપત્તિ,પાલન તેમ જ સંહાર કરનારા છે.જે લોકો પરમાત્મદ્રષ્ટિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે,તે બે પરાર્ધમાં થનાર બ્રહ્માજીના પ્રલય દરમ્યાન તેમના સત્ય લોકમાં જ રહે છે.જે સમયે દેવતાદિથી બ્રહ્માજી પોતાના દ્વિપરાર્ધ કાળના અધિકારને ભોગવીને
પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ,મન,ઇન્દ્રિય અને તે વિષય(શબ્દાદિ)અને અહંકાર વગેરે સાથે સંપૂર્ણ વિશ્વના સંહાર કરવાની ઈચ્છાથી,ત્રિગુણાત્મિક પ્રકૃતિની સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં લિન થઇ જાય છે.તે વખતે પ્રાણ અને મનને જીતનાર યોગી રાજ પણ દેહત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજીમાં જ પ્રવેશ કરે છે.અને પછી તેની જ સાથે પરમાનંદસ્વરૂપ પુરાણપુરુષ,પરબ્રહ્મમાં લિન થઇ જાય છે.આનાથી પહેલા તેઓ ભગવાનમાં લિન થયા નહોતા કેમકે તેઓમાં અત્યાર સુધી અહંકાર બચ્યો હતો.એટલા માટે માતાજી ! તમે પણ અત્યંત ભક્તિભાવથી તે શ્રી હરિના જ ચરણ શરણ માં જાઓ,બધા પ્રાણીઓના હૃદયકમલ જ તેમનું મંદિર છે અને તમે પણ મારાથી તેમનો પ્રભાવ સાંભળી લીધો છે.વેડગર્ભ બ્રહ્માજી પણ -જે સમસ્ત સ્થાવર જંગમ પ્રાણીઓના આદિ કારણ છે.-મરીચિ વગેરે ઋષિયો,યોગેશ્વરો,સનકાદિકો તથા યુગપ્રવર્તક સિદ્ધો ની સાથે નિષ્કામ કર્મના દ્વારા આદિપુરુષ પુરુષશ્રેષ્ઠ સગુણ બ્રહ્મને પ્રાપ્ત થઈને પણ ભેદદ્રષ્ટિ અને કર્તુત્વભિમાનના કારણે ભગવદિચ્છાથી જયારે સર્વ કાળ ઉપસ્થિત થાય છે,ત્યારે,કાળરૂપ ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ હોવાથી પાછા પૂર્વવત પ્રગટ થઇ જાય છે.તેવી રીતે પુર્વોત્તક ઋષિગણ પણ પોતપોતાના કર્માનુસાર બ્રહ્મલોકના એશ્વર્યને ભોગવીને ભગવદિચ્છાથી ગુણોમાં ક્ષોભ હોવાથી ફરીથી આ લોકમાં આવી જાય છે.
જેમનું મન આલોકમાં આસક્ત છે,અને જેઓ કર્મોમાં શ્રદ્ધા રાખે છે,તે વેદોમાં કહેલા કામ્યઅને નિત્ય કર્મોનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં લાગ્યા રહે છે.તેઓની બુદ્ધિ રજોગુણની અધિકતાને લીધે કુંઠિત રહે છે,હૃદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેના વશમાં નથી હોતી,બસ,પોતાના ઘરોમાં જ આસક્ત થઈને તેઓ નિત્યપ્રતિ પિતરોની પંજામાં લાગ્યા રહે છે. તે લોકો અર્થ,ધર્મ અને કામના જ પરાયણ હોય છે,એટલે જેમના મહાન પરાક્રમ અત્યંત કીર્તનીય છે, તે ભવભયહારી શ્રી મધુસુદનજીની કથા -વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે.હાય ! વિષ્ઠા ભોજી કુકર-સુકાર વગેરે જીવોની વિષ્ઠા ચાહવાની જેમ જે મનુષ્ય ભગવત્કથામૃતને છોડીને નિંદિત વિષયવાર્તાઓને સાંભળે છે -તેઓ તો જરૂર વિધાતાના મારેલા છે,તેમનું ખુબ જ મંદ ભાગ્ય છે.ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધી બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા તે સકામ કર્મી સૂર્યથી દક્ષિણ બાજુ પિતૃયાન અથવા ઘુમમાર્ગથીપીત્રીશ્વર અર્યમાંના લોકમાં જાય છે અને પછી પોતાના જ સંતીના વંશમાં ઉત્તપન્ન થાય છે.
માતાજી ! પિતૃલોકના ભોગ ભોગવી લઈને જયારે તેમના પુણ્ય ઓછા થઇ જાય છે ત્યારે દેવતાલોકો તેને ત્યાંના ઐશ્વર્યથી કાઢી કાઢે છે ત્યારે તેને વિવશ થઈને તરત જ આ લોકમાં પડવું પડે છે.એટલામાટે માતાજી ! જેમના ચરણ કમલ સદા ભજવા યોગ્ય છે તે ભગવાનનું તમે તેમનાજ ગુણોની આશ્રય લેનારી ભક્તિના દ્વારા બધા જ પ્રકારે(મન,વાણી અને શરીરથી)ભજન કરો.ભગવાન વાસુદેવના માટે કરેલો ભક્તિયોગ તરત જ સંસારમાં વૈરાગ્ય અને બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે.હકીકતમાં બધા વિષયો ભગવદ્રૂપ હોવાથી સરખા છે.એટલે જયારે ઇન્દ્રિયો ની વૃતિયો દ્વારા પણ ભગવદ્ભક્તનું મન તેમનામાં પ્રિય-અપ્રિયરૂપ વિષમતાનો અનુભવ નથી કરતું - બધે ભગવાનના જ દર્શન કરે છે-તે વખતે તેઓ સંગ રહિત ,બધામાં સમાન રૂપથી સ્થિર,ત્યાગ અને ગ્રહણ કરવા યોગ્ય,દોષ અને ગુણોથી રહિત,પોતાની મહિમામાં આરૂઢ, પોતાના આત્માનો બ્રહ્મરૂપથી સાક્ષાત્કાર કરે છે.તેજ જ્ઞાનસ્વરૂપ છે,તેજ પરબ્રહ્મ છે,તેજ પરમાત્મા છે,તેજ ઈશ્વર છે,તેજ પુરુષ છે તેઓજ એક ભગવાન જાતે જીવ,શરીર ,વિષય,ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે.આખા સંસારમાં આસક્તિનો અભાવ થઇ જવો--બસ,તેજ યોગીઓના બધા પ્રકારની યોગસાધનાનું એકમાત્ર અમિષ્ટ ફળ છે. બ્રહ્મ એક છે,જ્ઞાનસ્વરૂપ અને નિર્ગુણ છે,તો પણ તે બાહ્યવૃત્તિઓવાળી ઇન્દ્રિયો દ્વારા ભ્રાંતિવશ શબ્દાદિ ધર્મોવાળા જુદા જુદા પદાર્થોમાં દેખાય છે.જેવી રીતે એક જ પરબ્રહ્મ મહત્તત્વ, વૈકારીક,રાજસ,અને તામસ-ત્રણ પ્રકારનો અહંકાર,પંચમહાભુત તેમ જ અગિયાર ઇન્દ્રિય રૂપ વન,ગયા અને પછી તેજ સ્વયંપ્રકાશ,તેના સંયોગથી જીવ કહેવાયો.તેવી રીતે તે જીવનું શરીરરૂપ આ બ્રહ્માંડ પણ હકીકતમાં બ્રહ્મ જ છે,.કેમકે બ્રહ્મથી જ તેની ઉત્તપત્તિ થઇ છે.પરંતુ તેને બ્રહ્મરૂપ તે જ જોઈ શકે છે,જે શ્રદ્ધા,ભક્તિ અને વૈરાગ્ય તથા નિરંતરના યોગાભ્યાસ દ્વારા એકાગ્ર ચિત્ત અને અસંગ બુદ્ધિ થઇ ગયો છે.
પૂજનીય માતાજી ! મેં તમને આ બ્રહ્મસાક્ષાત્કારના સાધનરૂપ જ્ઞાન સંભળાવ્યું.તેના દ્વારા પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઇ જાય છે.દેવી ! નિર્ગુણ બ્રહ્મ-વિષયનો જ્ઞાન યોગ અને મારા માટે કરેલો ભક્તિયોગ-એ બંનેના ફળ એક જ છે.તેને જ ભગવાન કહે છે.જેવી રીતે રૂપ,રસ તેમ જ ગંધ વગેરે અનેક ગુણોના આશ્રયભૂત એક જ પદાર્થ જુડી જુદી ઇન્દ્રિયો દ્વારા વિભિન્ન રૂપથી અનુભવાય છે.તેવી જરીતે શાસ્ત્ર ના વિભિન્ન માર્ગો દ્વારા એક જ ભગવાનની અનેક રૂપોથી અનુભૂતિ થાય છે.નાના પ્રકારના કરમકલાપ,યજ્ઞ,દાન,તપ,વેદાધ્યયન ,વેદવિચાર (મીમાંસા)મન અને ઇન્દ્રિયોનો સંયમ,કર્મોનો ત્યાગ,વિવિધ અંગોવાળા યોગ,ભક્તિયોગ,નિવૃત્તિ,અને પ્રવૃત્તિરૂપ સકામ અને નિષ્કામ,બંને પ્રકારના ધર્મ,આત્મતત્વનું જ્ઞાન,અને દ્રઢ વૈરાગ્ય- આ બધા સાધનોથી સગુણ-નિર્ગુણ રૂપ સ્વયંપ્રકાશ ભગવાનને જ મેળવી શકાય છે.
માતાજી ! સાત્વિક,રાજસ,તામસ અને નિર્ગુણ ભેદથી ચાર પ્રકારના ભક્તિયોગનું અને જે પ્રાણીઓના જન્માદિ વિકારોનો હેતું છે તથા જેની ગતિ જાણવી કઠિન છે,તે કાળનું સ્વરૂપ હું તમને કહી ચુક્યો છું.દેવી ! અવિદ્યાજનિત કર્મના કારણે જીવની અનેકો ગતિયો હોય છે.તેના પર જવાથી તે પોતાનું સ્વરૂપ નથી ઓળખી શકતો.મેં તમને જે જ્ઞાનોપદેશ આપ્યો છે,-તેને દુષ્ટ,દુર્વિનિત,ઘમંડી,દુરાચારી અને ધર્મધ્વજી(દંભી)પુરુષોને ન સંભળાવવું જોઈએ.જે વિષયલોલુપ્ત હોય,ગૃહાસક્ત હોય,મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોને દોષ કરતો હોય,તેમને પણ તેનો ઉપદેશ ક્યારેય ન કરવો.જે અત્યંત શ્રદ્ધાળુ,ભક્ત,વિનયી,બીજાઓની તરફ દોષ દ્રષ્ટિ ન રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનાર,ગુરુસેવામાં તત્પર,બહારના વિષયોમાં અનાસક્ત,શાંતચિત્ત,મત્સર શૂન્ય અને પવિત્રચિત્ત હોય,તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય,તેને તેનો ઉપદેશ જરૂર કરવો.માં ! જે પુરુષ મારામાં ચિત્ત લગાવીને તેનું શ્રદ્ધાપૂર્વક એકવાર પણ સાંભળશે અથવા કહેશે,તે મારા પરમપદને પ્રાપ્ત થશે.
તેત્રીસમો અધ્યાય
દેવહૂતિને તત્વજ્ઞાન તેમજ મોક્ષપદની પ્રાપ્તિ
મૈત્રેયજી કહે છે-વિદુરજી ! શ્રી કપિલ ભગવાનના આ વાસીનાનો સાંભળીને કર્દમજીની પ્રિય પત્ની દેવહુતિનો મોહનો પડદો ફાટી ગયો.અને તે તત્ત્વપ્રતિપાદક સાંખ્યશાસ્ત્રના જ્ઞાનની આધારભૂમિ ભગવાન શ્રી કપિલજીને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગી.
દેવહૂતિએ કહ્યું-કપિલજી ! બ્રહ્માજી આપણા જ નાભીકમળથી પ્રગટ થયા હતા.તેમણે પ્રલયકાલીન જળમાં શયન કરનારા આપના પંચભૂત,ઇન્દ્રિય,શબ્દાદિ વિષય અને મનોમય વિગ્રહનો,જે સતવાદી ગુણોના પ્રવાહથી યુક્ત,સત્સ્વરૂપ,અને કાર્ય તેમજ કારણ બંનેના બીજ છે,ધ્યાન જ કર્યું હતું.આપ નિષ્ક્રિય,સત્યસંકલ્પ,સંપૂર્ણ જીવોના પ્રભુ તથા હજારો અચિંત્ય શક્તિઓ થી સંપન્ન છો.આપણી શક્તિને ગુણપ્રવાહરૂપથી બ્રહ્માદિ અનંત મૂર્તિઓમાં વિભક્ત કરીને તેના દ્વારા આપ જ વિશ્વની રચના વગેરે કરો છો.નાથ ! આ કેવી વિચિત્ર વાત છે કે જેના ઉદરમાં પ્રલયકાળ આવવાથી આ આખું પ્રપજ્ઞ લિન થઇ જાય છે. અને જે કલ્પાન્તમાં માયામય બાળકનું રૂપ ધારણ કરી પોતાના ચરણનો અંગુઠો ચૂસતા એકલા જ વટવૃક્ષના પાંદડા ઉપર શયન કરો છો તેજ આપને મેં ગર્ભમાં ધારણ કર્યા.
વિભુ ! આપ પાપિયોનું દમન અને આપના આજ્ઞાકારી ભક્તોનું અભ્યુદય તેમ જ કલ્યાણ કરવા સ્વેચ્છાથી દેહ ધારણ કર્યા કરો છો.એટલે જે પ્રકારે આપના વરાહ વગેરે અવતાર થયા છે,તેજ પ્રમાણે આ કપિલાવતાર પણ મુમુક્ષઓને જ્ઞાનમાર્ગ દેખાડવા થયો છે.ભગવન ! આપના નામોનું શ્રવણ અથવા કીર્તન કરવાથી તથા ભૂલા ભટકેલા ક્યારેક ક્યારેક આપનું વંદન અથવા સ્મરણ કરવાથી જ કૂતરાનું માંસ ખાનાર ચંડાળ પણ સોમયાજી બ્રાહ્મણની માફક પૂજનીય થઇ શકે છે પછી આપનું દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઇ જાય- એમાં તો કહેવું જ શું .અહો ! તે ચંડાળ પણ તેનાથી સર્વશ્રેષ્ઠ છે,કે જેની જીભના આગળના ભાગમાં આપનું નામ વિરાજમાન છે.જે શ્રેષ્ઠ પુરુષો આપના નામનું ઉચ્ચારણ કરે છે તેમણે તપ,હવન,તીર્થસ્નાન,સદાચારનું પાલન અને વેદાધ્યયન-બધું જ કરી લીધું.કપિલદેવજી ! આપ સાક્ષાત પરબ્રહ્મ છો.આપ જ પરમપુરુષ છો,વૃત્તિયોના પ્રવાહને અંતર્મુખ કરીને હૃદયમાં આપનું જ ચિંતન કરી શકાય છે.આપ આપના તેજથી માયાના કાર્ય ગુણ પ્રવાહને શાંત કરી દો છો,તથા આપના જ ઉદરમાં સંપૂર્ણ વેદ તત્વ વિહિત છે.,એવા સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ આપને હું પ્રણામ કરું છું.
મૈત્રેયજી કહે છે- મતને આવી રીતે પ્રાર્થના કરવાથી માતૃવાત્સલ પરમ પુરુષ ભગવન કપિલદેવજીએ તેમણે ગંભીર વાણીમાં કહ્યું
કપિલદેવજીએ કહ્યું- માતાજી ! મેં તમને જે આ સુગમ માર્ગ બતલાવ્યો છે તેનું અવલંબન કરવાથી તમો તરતજ પરમપદ મેળવી લેશો.તમે મારા આ મતમાં વિશ્વાસ કરો,બ્રહ્મવાદી લોકોએ તેનું સેવન કર્યું છે,તેના દ્વારા તમે મારા જન્મમરણ રહિત સ્વરૂપને મેળવી લેશો.જે લોકો મારા આ મતને નથી જાણતાતેઓ જન્મ-મરણના ચક્રમાં પડે છે.
મૈત્રેયજી કહે છે- આવી રીતે પોતાના શ્રેષ્ઠ આત્મજ્ઞાનનો ઉપદેશ કરી શ્રી કપિલદેવજી પોતાની બ્રહ્મવાદિન માતાની અનુમતિ લઈને ત્યાંથી જતા રહ્યા.ત્યારે દેવહુતિજી પણ સરસ્વતીના મુકુટ સદ્શ પોતાના આશ્રમમાં પોતાના પુત્રના ઉપદેશ કરેલા યોગસાધન દ્વારા યોગાભ્યાસ કરતી કરતી સમાધિમાં સ્થિર થઇ ગઈ,ત્રિકાળ સ્નાન કરવાથી તેમની ઘુઘરાલી અલકા ભૂરી ભૂરી જટાઓમાં ફેરવાઈ ગઈ તથા ચિરવસ્ત્રોથી ઢાંકેલું શરીર ઉગ્ર તપસ્યાને કારણે દુર્બળ થઇ ગયું.તેમણે પ્રજાપતિ કર્દમના તપ અને યોગબળથી પ્રાપ્ત અનુપમ ગ્રાહસ્થ્યસુખને,જેના માટે દેવતા પણ તરસે હતા ,ત્યાગી દીધું.જેમાં દુગ્ધફેનના જેવી સ્વચ્છ અને સુકોમળ શય્યાથી યુક્ત હાથી-દાંતના પલંગ,સુવર્ણના પાત્ર,સોનાના સિંહાશન અને અને તેના પર કોમળ કોમળ ગાદલા બિછાવેલા હતા,તથા જેની સ્વચ્છ સ્ફટિક મણિ અને મહામરકત મણિની ભીંતોથી રત્નોની બનાવેલી સુંદર મૂર્તિઓ સાથે મણિમય દિવા ઝગમગતા હતા,જે ફૂલોથી લદાયેલા અનેક દિવ્ય વૃક્ષોથી સુશોભિત હતા,જેમાં અનેક પ્રકારના પક્ષીઓ કલરવ અને મતવાલા ભમરાઓનો ગુંજાર થતો રહેતો હતો.જ્યાંની કમળગંધની સુવાસિત વાવળીયોમાં કર્દમજીની સાથે તેમનો લાડ પ્યાર મેળવીને ક્રીડા માટે પ્રવેશ કરવાથી તેમનો(દેવહુતિનો)ગાંધર્વગણો ગુણગાન કર્યા કરતા હતા,અને જેને મેળવવા ઇંદ્રાણીયો લાલાંચીત રહેતી હતી-તે ગૃહોદ્યાનની મમતા પણ તેમણે ત્યાગી દીધી.પરંતુ પુત્રવિયોગથી વ્યાકુળ થવાથી જરૂર તેમનું મોઢું ઉદાસ થઇ ગયું.
પતિના વનગમન દરમ્યાન પુત્રનો પણ વિયોગ થઇ જવાથી તેઓ આત્મજ્ઞાન સંપન્ન થઈને પણ એટલા વ્યાકુળ થઇ ગયા,જેમ વાછરડાના જતા રહેવાથી તેને પ્યાર કરનારી ગાય.વત્સ વિદુર ! પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવન હરિનું જ ચિંતન કરતા કરતા તે થોડા જ દિવસોમાં એવા એશ્વર્ય સંપન્ન ઘરથી પણ જતી રહી.પછી તે ,કપિલદેવજીએ ભગવાનના જે ધ્યાન કરવા યોગ્ય પ્રસન્નવંદનારવિંદયુક્ત સ્વરૂપનું વર્ણન કર્યું હતું તેના એક એક અવયવના તથા તે સમગ્ર રૂપનું ચિંતન કરતી કરતી ધ્યાનમાં તત્પર થઇ ગઈ.ભગવદ્ભક્તિનો પ્રવાહ,પ્રબળ વૈરાગ્ય અને યથાચિત કર્માનુષ્ઠાનથી ઉત્તપન્ન થયેલા બ્રહ્મસાક્ષાત્કાર કરાવનાર જ્ઞાનદ્વારા ચિત્ત શુદ્ધ થઇ જવાથી તે સર્વવ્યાપક આત્માના ધ્યાનમાં મગ્ન થઇ ગઈ.જે પોતાના સ્વરૂપના પ્રકાશથી માયાજનીત આવરણને દૂર કરી નાખે છે.આવી રીતે જીવન અધિષ્ઠાનભૂત પરબ્રહ્મ શ્રી ભગવાનમાં જ બુદ્ધિની સ્થિતિ થઇ જવાથી તેનો જીવ ભાવ નિવૃત થઇ ગયો.અને તે બધા કલેશોથી મુક્ત થઈને પરમાનંદમાં નિમગ્ન થઇ ગઈ.હવે નિરંતર સમાધિષ્ઠ રહેવાથી તેની વિષયના સત્યત્વની ભ્રાંતિ મટી ગઈ અને તેને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું-જેમ જાગેલા પુરુષને પોતાના સ્વપ્નમાં જોયેલા શરીરની નથી રહેતી.તેના શરીરનું પોષણ પણ બીજાઓ દ્વારા જ થતું હતું.પરંતુ કોઈ પ્રકારનો માનસિક કલેશ ન હોવાને કારણે
તે દુર્બળ ન થયું.તેનું તેજ ખુબ જ વધી ગયું અને તે મેલના કારણે ધુમયુક્ત અગ્નિની માફક સુશોભિત થવા લાગ્યું.તેના વાળ વિખરી ગયા હતા અને વસ્ત્રો પણ પડી ગયા હતા.તોપણ નિરંતર શ્રી ભગવાનમાં જ ચિત્ત લાગ્યું રહેવાથી તેને પોતાના તપોયોગમય શરીરનું કઈ પણ ધ્યાન ના રહ્યું.ફક્ત પ્રારબ્ધ જ તેની રક્ષા કરતુ હતું.
વિદુરજી ! આવી રીતે દેવહૂતીજીએ કપિલદેવજીના બતાવેલા માર્ગ દ્વારા થોડા જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મસ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા.વિરવર ! જે સ્થાન પર તેને સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી,તે પરમ પવિત્ર ક્ષેત્ર ત્રિલોકીમાં 'સિદ્ધપદ' નામથી વિખ્યાત થયું.સાધુસવાભાવ વિદુરજી ! યોગસાધના દ્વારા તેના બધા શરીરના દૈહિક મેલ દૂર થઇ ગયા હતા.તે એક નદીના રૂપમાં ફેરવાય ગયા,જે સિધ્ધગણથી સેવિત અને બધા પ્રકારની સિદ્ધિ દેનારી છે.
મહાયોગી ભગવન કપિલજી પણ માતાની આજ્ઞા લઇ પિતાના આશ્રમથી ઈશાનખૂણામાં જતા રહ્યા.ત્યાં સમુદ્રે જાતે તેમનું પૂજન કરીને તેમણે સ્થાન આપ્યું.તે ત્રણેય લોકને શાંતિપ્રદાન કરવા માટે યોગમાર્ગનું અવલંબન કરીને સમાધિમાં સ્થિર થઇ ગયા છે.સિદ્ધ,ચારણ,ગંધર્વ,મુનિ અને અપ્સરાગણ તેમની પ્રાર્થના કરે છે.તથા સાંખ્યચાર્યાંગણ પણ તેમનું બધાજ પ્રકારે સ્તવન કરતા રહે છે,.
નિષ્પાપ વિદુરજી ! તમારા પૂછવાથી મેં તમને ભાગવાન કપિલ અને દેવહુતિનો પવિત્ર સંવાદ સંભળાવ્યો.આ કપિલદેવજીનો મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે.જે પુરુષ તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે,તે ભાગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને તરતજ શ્રી હરિના ચરણારવિંદને પ્રાપ્ત કરે છે.
ત્રીજો સ્કંધ સમાપ્ત
હરિ ૐ તત્સત
વધુ ચતુર્થ સ્કંધ મહિનાની ૧૫ તારીખે
ઓક્ટોબર
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં ફેબ્રુઆરી માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.
No comments:
Post a Comment