અધ્યાય ઓગણત્રીસમો
પુરશ્ચનો પાખ્યાનનું તાત્પર્ય
રાજા પ્રાચીનવારહિએ કહ્યું -ભગવન ! આપના વચનોનો અભિપ્રાય મારી સમજમાં પુરે પૂરો નથી આવી રહ્યો.વિવેકી પુરુષ જ તેનું તાત્પર્ય સમજી શકે છે,અમે ક્રમમોહિત જીવ નહિ.
શ્રી નારદજીએ કહ્યું - રાજન ! પુરશ્ચન (નગરનો નિર્માતા) જીવ છે.- જે પોતાને માટે એક,બે,ત્રણ,ચાર અથવા ઘણા પગોવાળું અથવા વગર પગવાળું શરીર રૂપ નગર તૈયાર કરી લે છે.તે જીવનો મિત્ર તો અવિજ્ઞાત નામથી કહેવાય છે ,તે ઈશ્વર છે કેમકે કોઈ પણ પ્રકારના નામ ,ગન અથવા કર્મોથી જીવોને તેની ખબર પડતી નથી જીવને જયારે સુખદુઃખરૂપી બધા પ્રાકૃત વિષયોને ભોગવવાની ઈચ્છા થઇ ત્યારે તેણે બીજા શરીરોની અપેક્ષા નવ દ્વાર,બે હાથ,અને બે પગો વાળો માનવ દેહ જ પસંદ કર્યો.બુદ્ધિ અથવા અવિદ્યાને જ તમે પુરશ્ચની નામની સ્ત્રી જાણો,તેના કારણે દેહ અને ઇન્દ્રિય વગેરેમાં હું અને હુંપણાનો ભાવ ઉત્તપન્ન થાય છે.અને પુરુષ તેનો આશ્રય લઈને શરીરમાં ઇન્દ્રિયો દ્વારા વિષયોને ભોગવે છે.દસ ઇન્દ્રિયો જ તેંનો મિત્ર છે જેનાથી કે બધા પ્રકારનું જ્ઞાન અને કર્મ થાય છે.ઇંદ્રિયોની વૃતિયો જ તેની બહેનપણીઓ અને પ્રાણ -અપાન-વ્યાન- ઉદાન-સમાનરૂપ પાંચ વૃત્તિઓવાળો પ્રાણવાયુ જ નગરની રક્ષા કરનારો પાંચ ફેણનો સાપ છે.બંને પ્રકારની ઇન્દ્રિયોનો નાયક મનને જ અગિયારમો મહાબલી યોદ્ધો સમજાવો જોઈએ.શબ્દાદિ પાંચ વિષય જ પાંચાલ દેશ છે,જે વચ્ચે તે નવ દ્વારનું નગર વસેલું છે.
તે નગરમાં જે એક એક સ્થાનપર બે બે દ્વાર બનાવેલા હતા.-તે બે નેત્રગોળક,બે નાકના છિદ્ર,અને બે કાનના છિદ્રો છે.તેની સાથે મોઢું,લિંગ અને ગુદા -આ બીજા ત્રણ મેળવીને કુલ નવ દ્વાર છે.તેમાં થઈને તે જીવ ઇંદ્રિયોની સાથે બહારના વિષયોમાં જાય છે.તેમાંથી બે નેત્રગોલક,બે નસકોરા અને એક મોઢું - આ પાંચ પૂર્વના દ્વાર છે,ડાબા કાનને દક્ષિણનો અને જમણા કાનને ઉત્તરનું દ્વાર સમજવું જોઈએ.ગુદા અને લિંગ -એ નીચેના બે છિદ્રો પશ્ચિમના દ્વાર છે.ખદ્યોત અને અવિરમુખી નામના જે બે દ્વાર એક સ્થાન પાર બતાવ્યા હતા,તે નેત્રગોલક છે તથા રૂપ વિભ્રાજિત નામનો દેશ છે,જેનો આ દ્વારોથી જીવ આંખોની ઇન્દ્રિયની સહાયતાથી અનુભવ કરે છે.( આંખો-ઇંદ્રિયોની જ પહેલા દ્યુમન નામનો મિત્ર કહ્યો છે.)બંને નસકોરા જ નલિની અને નાલીની નામના બે દ્વાર છે,અને નાકનો વિષય ગંધ જ સૌરભ દેશ છે,તથા
પ્રાણેદ્રિય અવધૂત નામનો મિત્ર છે,મોઢું મુખ્ય નામનું દ્વાર છે,તેમાં રહેનાર વાગીન્દ્રીય વિપણ છે અને રસેન્દ્રિય રાસવિદ્દ(રસજ્ઞ) નામનો મિત્ર છે.વાણીનો વેપાર આપણ છે,તથા જાત જાતના અનાજો
બહુદન છે, તથા ડાબો કાન પિતુહુ અને જમણો કાન દેવહુ કહેવાય છે. કર્મકાંડરૂપ પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર અને ઉપાસના કાંડરૂપ નિવૃત્તિ માર્ગનું શાસ્ત્ર જ ક્રમથી દક્ષિણ અને ઉત્તર પાંચાલ દેશ છે.તેને શ્રવેન્દ્રિય રૂપ શ્રુતધરની સહાયતાથી સાંભળીને જીવ ક્રમથી પિતૃયાન અને દેવયાન માર્ગોમાં જાય છે.
લિંગ જ આસુરી નામનું પશ્ચિમ દ્વાર છે,સ્ત્રીપ્રસંગ ગ્રામક નામનો દેશ છે,અને લિંગમાં રહેનારો ઉપસ્થઇન્દ્રિય દુર્મદ નામનો મિત્ર છે.ગુદા નિઋતિ નામનું પશ્ચિમી દ્વાર છે નરક વૈશસ નામનો દેશ છે અને ગુદામાં સ્થિર પાયુંઇન્દ્રિય લુબ્ધક નામનો મિત્ર છે.તેના સિવાય બે પુરુષો આંધળા બતાવ્યા હતા.તેનું રહસ્ય પણ સાંભળો,તે હાથ અને પગ છે તેની સહાયતાથી જીવ બધું કામ કરે અને જ્યાં ત્યાં જાય છે.હૃદય અંત:પૂર છે તેમાં રહેનારું મન જ વિષૂચિ (વિષૂચિન) નામનો પ્રધાન સેવક છે.જીવ તે મનના સતવાદી ગુણોને કારણે જ પ્રસન્નતા,હર્ષરૂપ વિકાર અથવા મોહને પ્રાપ્ત થાય છે.બુદ્ધિ (રાજમહિષી પુરશ્ચની) જે જે પ્રકારે સ્વપ્નાવસ્થામાં વિકારને પ્રાપ્ત થાય છે,અને જાગૃત અવસ્થામાં ઈંદ્રિયાદિને વિકૃત કરે છે તેના ગુણોથી લિપ્ત થઈને આત્મા(જીવ) પણ તે તે રૂપમાં તેની કૃતિઓનું અનુકરણ કરવા બંધાયેલો છે.-જોકે હકીકતમાં તે તેનો નિર્વિકાર સાક્ષી માત્ર જ છે.
શરીર જ રથ છે,તેમાં જ્ઞાનેન્દ્રિય રૂપ પાંચ ઘોડાઓ જોડેલા છે.જોવામાં સંવત્સરરૂપ કાળની માફક જ તેનો અપ્રતિહત વેગ છે હકીકતમાં તે ગતિ વગરનો છે.પુણ્ય અને પાપ-આ બે પ્રકારના કર્મો જ તેના પૈડાં છે.ત્રણ ગુણ ધ્વજા છે,પાંચ પ્રાણ દોરીઓ છે.મન વાગડોર છે,બુદ્ધિ સારથી છે,હૃદય બેસવાનું સ્થાન છે,સુખ-દુખાડી દ્વંદ્વ જુએ છે ઇન્દ્રિયોના પાંચ વિષય તેમાં રાખેલા આયુધો છે,અને ચામડી વગેરે સાત ધાતુઓ તેના આવરણ છે.પાંચ કર્મેન્દ્રિયો તેની પાંચ પ્રકારની ગતિ છે.આ રથ પર ચઢીને રથિરુપ આ જીવ મૃગતૃષ્ણાની માફક મિથ્યા વિષયો બાજુ દોડે છે.અગિયાર ઇન્દ્રિયો તેની સેના છે તથા પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયોના વિષયોને અન્યાયપૂર્વક ગ્રહણ કરવું જ તેનું શિકાર રમવાનું છે.
જેના દ્વારા કાલનું ભાન થાય છે તે સંવત્સર જ ચંડવેગ નામનો ગંધર્વરાજ છે.તેના આધીન જે ત્રણસો સાંઠ ગંધર્વ બતાવ્યા હતા,તે દિવસ છે અને ત્રણસો સાઈઠ ગન્ધર્વીઓ રાતો છે.તે વારંવાર ચક્કર મારતા મારતા મનુષ્યની ઉંમરને ઓછી કરતા રહે છે.વૃદ્ધાવસ્થા જ કાળકન્યા છે તેને કોઈ પુરુષ પસંદ નથી કરતો.ત્યારે મૃત્યુરુપી યવન રાજે લોકનો સંહાર કરવા માટે તેને બહેન માનીને સ્વીકાર કરી લીધી.આધિ(માનસિક કલેશ) અને વ્યાધિ (રોગાદિ શારીરિક કલેશ)જ તે યવનરાજના પૈદલ ચાલનારા સૈનિકો છે તથા પ્રાણીઓને દુઃખ પહોંચાડીને સીધા જ મૃત્યુના મોઢામાં લઇ જનાર ટંડો અને ગરમ બે પ્રકારનો તાવ જ પ્રજ્વાર નામનો તેનો ભાઈ છે.
આવી રીતે તે દેહાભિમાની જીવ અજ્ઞાનથી આચ્છાદિત થઈને અનેક પ્રકારના આધિભૌતિક,આધ્યાત્મિકઅને આધિદૈવિક કષ્ટ ભોગવતા ભોગવતા સો વર્ષો સુધી મનુષ્ય શરીરમાં પડ્યો રહે છે.હકીકતમાં તે નિર્ગુણ છે,પરંતુ પ્રાણ ,ઇન્દ્રિય અને મનના ધર્મોને પોતાનામાં આરોપિત કરી હું અને મારુ ના અભિમાનથી બંધાઈને ક્ષુદ્ર વિષયોનું ચિંતન કરતા કરતા જાત જાતના કર્મો કરતો રહે છે.તે કદાચ સ્વયં પ્રકાશ છે,તોપણ જ્યાં સુધી બધાના પરમગુરુ આત્મસ્વરૂપ શ્રી ભગવાનના સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી પ્રકૃતિના ગુણોમાં જ બંધાયેલો રહે છે.તે ગુણોનો અભિમાની હોવાથી તે વિવશ થઈને સાત્વિક,રાજસ અને તામસ કર્મ કરે છે.તથા તે કર્મોના પ્રમાણે જુદી જુદી યોનિયોમાં જન્મ લે છે.તે કયારેક તો સાત્વિક કર્મોના દ્વારા પ્રકાશબહુલ સ્વર્ગાદિ લોક પ્રાપ્ત કરે છે,ક્યારેક રાજષિ કર્મો કરતા દુઃખમયી રજોગુણી લોકોમાં જાય છે,- જ્યાં તેને જાત જાતના કલેશ ભોગવવા પડે છે - અને ક્યારેક તમોગુણી કર્મો કરતા શોકથી ભરેલ તમોમયી યોનિયોમાં જન્મ લે છે.આવી રીતે પોતાના કર્મ અને ગુણોના પ્રમાણે દેવયોની ,મનુષ્ય યોની,અથવા પશુ પક્ષી યોનિયોમાં જન્મ લઈને તે અજ્ઞાનથી અંધ જીવ ક્યારેક પુરુષ ક્યારેક સ્ત્રી અને ક્યારેક નપુસંક બને છે.જેવી રીતે બિચારો ભૂખથી વ્યાકુળ કૂતરો દર દર ભટકતો ભટકતો નસીબ પ્રમાણે ક્યાંક ડંડો ખાઈ છે અને ક્યાંક ભાત ખાય છે.તેવી રીતે આ જીવ મનમાં નાની નાની વાસનાઓને લઈને ઉંચા નીચા માર્ગથી ઉપર, નીચે અથવા માધ્યમ લોકોમાં ભટકતો ભટકતો પોતાના કર્મો પ્રમાણે સુખ દુઃખ ભોગવતો રહે છે.
આધિદૈવિક,આધિભૌતિક અને આધ્યાત્મિક -આ ત્રણ પ્રકારના દુઃખોમાંથી કોઈ પણ એક થી જીવનો કાયમનો છુટકારો નથી થઇ શકતો.જો કોઈ વખત એવું દેખાય તો તે ફક્ત તાત્કાલીન નિવૃત્તિ જ છે.તે તેવીજ છે જેમ કોઈ ભારે બોઝ માથા ઉપર ઉઠાવીને લઇ જનાર પુરુષ તેને ખભા ઉપર મૂકી દે.એવી રીતે બધી પ્રતિક્રિયા(દુઃખનિવૃત્તિ)જાણવી જોઈએ- જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખથી છુટકારો મેળવે છે તો તેના માથા પર બીજું દુઃખ આવીને સવાર થઇ જાય છે. શુદ્ધ હૃદય નરેન્દ્ર ! જેવી રીતે સ્વપ્નમાં થતું સ્વપ્રાન્તર તે સ્વપ્નથી કાયમનો છૂટવાનો ઉપાય નથી,તેવી રીતે કર્મફળભોગથી કાયમના છૂટવાનો ઉપાય ફક્ત કર્મ નથી હોઈ શકતું,કારણકે કર્મ અને કર્મફળભોગ બંને જ અવિદ્યાયુકત હોય છે.જેવી રીતે સ્વપ્રાવસ્થામાં પોતાના મનોમય લિંગ શરીરથી પસાર થનાર પ્રાણીને સ્વપ્નના પદાર્થો ન હોવા છતાં દેખાય છે,તેવી રીતે તે દ્રશ્ય પદાર્થ હકીકતમાં ન હોવા છતાં પણ જ્યાં સુધી અજ્ઞાન ઊંઘ નથી તુટતી,બન્યા જ કરે છે અને જીવને જન્મ મરણરૂપ સંસાર માં મુક્તિ નથી મળતી.(એટલે તેની આત્યંતિક નિવૃત્તિનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે ).
રાજન ! જે અવિદ્યાને કારણ પર્માર્થસ્વરૂપ આત્માને આ જન્મ મરણરૃપ અનર્થ પરંપરા પ્રાપ્ત થઇ છે.તેનું નિવારણ ગુરુસ્વરૂપ શ્રી હરિમાં સૃદ્ઢ ભક્તિ થવાથી થઇ શકે છે.ભગવાન વાસુદેવમાં એકાગ્રતાપૂર્વક સમ્યક પ્રકારથી કરેલો ભક્તિભાવ જ્ઞાન અને વૈરાગ્ય નો આવીર્ભાવ કરી દે છે.રાજર્ષિ ! આ ભક્તિભાવ ભગવાનની કથાઓને આશ્રિત રહે છે.એટલે જે તેને શ્રદ્ધાપૂર્વક રોજ સાંભળે અથવા વાંચે છે તેને ખુબ જ ઝડપથી તેની પ્રાપ્તિ થઇ જાય છે.રાજન ! જ્યાં ભગવતગુણોને કહેવા અને સાંભળવા માં વિશુદ્ધચિત્ત ભક્તજન તત્પર રહે છે તે સાધુ સમાજમાં ચારેબાજુ મહાપુરુષના મોઢેથી નીકળેલા શ્રી મધુસુદન ભગવાનના ચરિત્રરૂપ શુદ્ધ અમૃતની અનેકો નદીઓ વહેતી રહે છે. જે લોકો અતૃપ્ત ચિત્તથી સાંભળવામાં તત્પર પોતાના કર્ણફૂહારો દ્વારા તે અમૃતનું ભરીને પાન કરે છે તેને ભૂખ,તરસ,ભય,શોક,અને મોહ વગેરે કઈ પણ નુકશાન નથી પહોંચાડી શકતા.હાય ! સ્વભાવથી પ્રાપ્ત થનાર તે ભૂખ તરસ વગેરે વિધ્નોથી કાયમ ઘેરાયેલો જીવ સમુદાય શ્રી હરિની કથા મૃત સિંધુને પ્રેમ નથી કરતો.સાક્ષાત પ્રજાપતીયોના પતિ બ્રહ્માજી,ભગવાન શંકર,સ્વાયંભુવ મનુ,દાક્ષાદિ પ્રજાપતિગણ,સનકાદિ નૈષ્ઠિક બ્રહ્મચારી,મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ, ક્રતુ, ભૃગુ,વશિષ્ઠ અને હું- આ જેટલા બ્રહ્મવાદી મુનિગણ છે,બધાજ વાંગ્મયના અધિપતિ હોવા છતાં પણ તપ,ઉપાસના અને સમાધિ દ્વારા શોધી શોધીને હારી ગયા,છતાં પણ આ સર્વસાક્ષી પરમેશ્વરને આજસુધી નથી જોઈ શક્યા.વેદ પણ ઘણો ફેલાયેલો છે,તેનો પર પામવો હસીખુશીનો ખેલ નથી.અનેક મહાપુરુષો તેની આલોચના કરી મંત્રોમાં બતાવેલા વ્રજહસ્તત્વાંદિ ગુણોથી ભરેલા ઈંદ્રાદિ દેવતાઓના રૂપમાં જુદા જુદા કર્મો દ્વારા કદાચ તે જ પરમાત્માનું યજન કરે છે તો પણ તેના સ્વરૂપને તે પણ નથી જાણતા.હૃદયમાં વારંવાર ચિંતન કરવાથી ભગવાન જે સમયે જે જીવ પર કૃપા કરે છે તેજ સમયે તે લૌકિક વ્યવહાર તેમ જ વૈદીક કર્મમાર્ગની બદ્ધમુલ આસ્થાથી છુટ્ટી મેળવી લે છે.
બર્હીષ્મન ! તમે આ કર્મોમાં પર્માર્થબુદ્ધિ ના કરો.તે સાંભળવામાં જ સારું લાગે છે,પરમાર્થનો તો સ્પર્શ પણ નથી કરતુ.આ જે પરમાર્થવત દેખાય છે તેમાં ફક્ત અજ્ઞાન જ કારણ છે.જે દુર્બુધ્ધિ વાળા કર્મવાદી લોકો વેદને કર્મપરક બતાવે છે તે હકીકતમાં તેનો અર્થ નથી જાણતા.તેનું કારણ એજ છે કે તે પોતાના સ્વરૂપભુત લોક (આત્મતત્વ) ને નથી જાણતા,જ્યાં શ્રી સાક્ષાત જનાર્દન ભગવાન વિરાજમાન છે.પૂર્વની બાજુ આગળના ભાગવાળા કુશાઓથી સંપૂર્ણ ભૂમંડળને પાથરીને અનેકો પશુઓના વધ કરવાથી તમે મોટા કર્માભિમાની અને ઉદ્ધત થઇ ગયા છો,પણ હકીકતમાં તમને કર્મ અથવા ઉપાસના- કોઈના પણ રહસ્યનું ભાન નથી.હકીકતમાં કર્મ તો તેજ છે ,જેનાથી શ્રી હરિને પ્રસન્ન કરી શકાય,અને વિદ્યા પણ તે જ છે,જેનાથી ભગવાનમાં ચિત્ત લાગે.શ્રી હરિ બધા જ દેહધારીઓના આત્મા,નિયામક અને સ્વતંત્ર કારણ છે,એટલે તેમના ચરણતલ જ મનુષ્યોના એકમાત્ર આશ્રય છે,અને તેનાથી જ સંસારમાં બધાનું કલ્યાણ થઇ શકે છે.
'જેનાથી કોઈને અણુમાત્ર પણ ભય નથી હોતો, તે જ તેનો પ્રિયતમ આત્મા છે '
એવું જે પુરુષ જાણે છે,તેજ જ્ઞાની છે અને જે જ્ઞાની છે,તેજ ગુરુ તેમજ સાક્ષાત શ્રી હરિ છે.
શ્રી નારદજી કહે છે- પુરુષશ્રેષ્ઠ ! અહીં સુધી જે કઈ કહેવામાં આવ્યું છે,તેનાથી તમારા પ્રશ્નનો જવાબ થઇ ગયોઃ.હવે હું એક ભલીભાંતિ નિશ્ચિત્ત કરેલું ગુપ્ત સાધન બતાવું છું,ધ્યાન દઈને સાંભળો.'પુષ્પવાટિકામાં એક હરણ તેની હરણીને લઈને વિહાર કરતો મસ્તીથી ફરી રહ્યો હતો.તે ધરો વગેરે નાના નાના ઘાસના અંકુર ચરી રહ્યો છે.તેના કાન ભમરાના મધુર ગુંજનમાં લાગી રહ્યા હતા તેની સામે જ બીજા જીવોને મારીને પોતાનું પેટ ભરનાર ભેડિયા તાંક લગાવીને ઉભો હતો અને પાછળથી શિકારીવ્યધને વીંધવા માટે તેના પાર બાણ છોડી દીધું છે,પરંતુ હરણ એટલો બેશુદ્ધ છે કે તેને તેનું કોઈ ભાન નથી' એક વાર તે હરણની દશા પાર વિચાર કરો
રાજન ! આ રૂપકનો આશય સાંભળો.આ મૃતપાય હરણ તમે જ છો.તમે તમારી દશા ઉપર વિચાર કરો.પુષ્પોની માફક આ સ્ત્રિયો કેવળ જોવામાં સુંદર છે,આ સ્ત્રીઓનું રહેવાનું ઘર જ પુષ્પવાટિકા છે.તેમાં રહીને તમે પુષ્પના મધુ અને ગંધની માફક ક્ષુદ્ર સકામ કર્મોના ફલરૂપ જીભ અને જનેન્દ્રિયને પ્રિય લાગનારુ ભોજન તથા સ્ત્રીસંગ વગેરે તુચ્છ ભોગોને શોધી રહ્યા છો.સ્ત્રિયોથી ઘેરાયેલા રહો છો અને પોતાના મનને તમે તેનામાં ફસાવી રાખ્યું છે.સ્ત્રી પુત્રોનું મધુર ભાષણ જ ભમરાનો મધુર ગુંજાર છે.તમારા કાં તેનામાં ખુબ જ આસક્ત થઇ રહ્યાં છે.સામેજ ભેડિયાનું ટોળું કાળના અંશ દિવસ અને રાત તમારી ઉંમરને ઘટાડી રહ્યા છે,પરંતુ તમે તેની કઈ પરવા કર્યા વગર ઘરના સુખોમાં માસ્ટ રહો છોતમારી પાછળ ચુપચાપ લાગેલો શિકારી કાળ પોતાના છુપાવેલા બાણથી તમારા હૃદયને દૂરથી જ વીંધી નાખવાનું વિચારે છે.આવી રીતે પોતાને હરણની જેવી સ્થિતિમાં જોઈને તમે પોતાના મનને હૃદયની અંદર નિરુદ્ધ કરો અને નદીની માફક પ્રવાહિત થનારી શ્રવેન્દ્રિય ની બહારની વૃત્તિને મનમાં સ્થાપિત કરો (અંતર્મુખી કરો) જ્યાં કંઈ પુરુષોની ચર્ચા થતી રહેતી હોય તે ગૃહસ્થાશ્રમને છોડીને પરમ હંસોના આશ્રય શ્રી હરિને પ્રસન્ન કરો અને ક્રમથી બધા વિષયોથી મુક્ત થઇ જાઓ.
રાજા પ્રાચીનવરહિએ કહ્યું - ભગવન ! આપે કૃપા કરી જે મને ઉપદેશ આપ્યો,તેને મેં સાંભર્યો અને એના પર વિશેષરૂપથી વિચાર પણ કર્યો.મને કર્મોનો ઉપદેશ આપનારા તે આચાર્યોને જરૂર તેનું જ્ઞાન નથી,જો તે આ વિષયને જાણતા તો મને તેનો ઉપદેશ કેમ ન કરતા.પ્રિયવર ! મારા ઉપાધ્યાયોએ આત્મતત્વના વિષયમાં જે મારા હૃદયમાં જે મોટો સંશય ઉભો કરી દીધો હતો,તેને આપે પુરી રીતે કાપી નાખ્યો.આ વિષયમાં ઇંદ્રિયોની ગતિ ન હોવાને કારણે મંત્રદ્રષ્ટા ઋષિયોને પણ મોહ થઇ જાય છે.વેદવાદીઓનું કથન બધે બધ સંભરાઈ છે કે
'આ લોકમાં પુરુષ જેમના દ્વારા કર્મ કરે છે તે સ્થૂળ શરીરને અહીં છોડીને પરલોકમાં કર્મોથી જ બનેલા બીજા દેહથી તેનું ફળ ભોગવે છે,પરંતુ એ વાત કેવી રીતે બની શકે છે ?'
(કેમકે તે કર્મોનો કર્તા સ્થૂળશરીર તો અહીં જ નષ્ટ થઇ જાય છે,)તેના સિવાય જે જે કર્મ અહીં કરવામાં આવે છે,તે તો બીજી જ ક્ષણમાં અદ્રશ્ય થઇ જાય છે,તે પરલોકમાં ફળ આપવા ફરીથી કેવી રીતે પ્રગટ થઇ શકે છે ?
શ્રી નારદજીએ કહ્યું - રાજન ! (સ્થૂળ શરીર તો લિંગ શરીરને આધીન છે,એટલે કર્મોનું ઉત્તરદાયિત્વ તેના
પર છે )જે મન પ્રધાન લિંગશરીરની સહાયતાથી મનુષ્ય કર્મ કરે છે,તે તો મર્યા પછી પણ તેની સાથે રહે જ છે, એટલે તે પરલોકમાં અપરોક્ષ રૂપથી જાતે તેનાજ દ્વારા તેનું ફળ ભોગવે છે.સ્વપ્નાવસ્થામાં મનુષ્ય આ શરીરનું અભિમાન તો છોડી દે જ છે,પરંતુ તેના જેવા અથવા તેનાથી જુદા પ્રકારના પશુ પક્ષી વગેરે શરીરથી તે મનમાં સંસ્કાર રૂપથી સ્થિત કર્મોનું ફળ ભોગવતો રહે છે.તે મન્ના દ્વારા જીવ જે સ્ત્રી પુત્રાદિને 'આ મારા છે'અને દેહાદિને 'આ હું છું'એવું કહીને મને છે,તેના કરેલા પાપ પુણ્યાદિ રૂપ કર્મોને પણ તે પોતાના માથે લઇ લે છે,અને તેના કારણે તેને નકામો જ ફરીથી જન્મ લેવો પડે છે.જેવી રીતે જ્ઞાનેંદ્રિય અને કર્મેન્દ્રિય બંનેની ચેષ્ટાઓથી તેનું પ્રેરક ચિત્ત નું અનુમાન કરી શકાય છે,.તેવી રીતે ચિત્તની જુદા જુદા પ્રકારની વૃત્તિયોથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થઇ શકે છે (એટલે કર્મ અદૃષ્ટ રૂપથી ફળ આપવા માટે કાલાંતરમાં મોજુદ રહે છે.)ક્યારેક ક્યારેક દેખાય છે કે જે વસ્તુનું આ શરીરથી ક્યારેય અનુભવ નથી કર્યો-જેને ક્યારેય જોયું ન હોય,સાંભળ્યું ન હોય-તેનું સ્વપ્નમાં તે જેવી હોય છે તેવો જ અનુભવ થઇ જાય છે./રાજન ! તમે જરૂરથી જાણો કે લિંગદેહના અભિમાની જીવ ને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઇ ચુક્યો છે,કેમકે જે વસ્તુ પહેલા અનુભવ કરી નથી હોતી,તેની મનમાં વાસના પણ નથી થઇ શકતી.
રાજન ! તમારું કલ્યાણ થાય.મન જ મનુષ્યના પૂર્વરૂપોને તથા ભાવિ શરીર આદિ પણ બતાવી દે છે અને જેનો ભાવિ જન્મ નથી થનારો તે તત્વવેત્તાઓની વિદેહમુક્તિનો પત્તો પણ તેના મનથી જ લાગી જાય છે.ક્યારે ક્યારે સ્વપ્નમાં દેશ ,કાળ અથવા ક્રિયા સબંધી એવી વાતો પણ જોવાય છે જે પહેલા ક્યારેય જોઈ કે સાંભળી નથી હોતી (જેમ પર્વતની ટોચ પર સમુદ્ર,દિવસમાં તારા અથવા પોતાનું માથું કપાયેલું દેખાવું વગેરે ) તેના દેખાવામા નિદ્રાદોષને જ કારણ માનવું જોઈએ.મનની સામે ઇન્દ્રિયોથી અનુભવ થવા યોગ્ય પદાર્થ જ ભોગરૂપમાં વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થવાથી ચાલ્યા જાય છે,એવો કોઈ પદાર્થ નથી આવતો જેનો ઇન્દ્રિયોથી અનુભવ જ ન થઇ શકે.તેનું કારણ તે જ છે કે બધા જીવ મન સાથે છે.સામાન્યરીતે તો બધા પદાર્થોનું ક્રમથી જ ભાન થાય છે,પરંતુ જો કોઈ સમય ભગવત ચિંતનમાં લાગેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઇ જાય તો તેમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે આખા વિશ્વનું પણ ભાન થઇ શકે છે.- જેમ રાહુ દ્રષ્ટિનો વિષય ન હોવા છતાં પ્રકાશાત્મક ચંદ્રમાના સંસર્ગથી દેખાવા લાગે છે.રાજન ! જ્યાંસુધી ગુણોનું પરિણામ તેમ જ બુદ્ધિ,મન,ઇન્દ્રિય અને શબ્દાદિ વિષયોની સંગત આ અનાદિ લિંગ દેહ બનેલો છે.ત્યાં સુધી જીવની અંદર સ્થૂળદેહની તરફ ‘હું - મારુ ‘ એ ભાવનો અભાવ નથી થઈ શકતો.સુષુપ્તિ,મૂર્છા,અત્યંત દુઃખ તથા મૃત્યુ અને તીવ્ર તાવના સમયે પણ ઇંદ્રિયોની વ્યાકુળતાને કારણે ‘હું’ અને ‘હુંપણું ‘ની સ્પષ્ટ પ્રતીતિ નથી થતી,પરંતુ તે સમયે પણ તેનું અભિમાન તો થતું જ રહે છે.જેવી રીતે અમાવસ્યાની રાતમાં ચંદ્રમા હોવા છતાં પણ નથી દેખાતો તેવી રીતે યુવાવસ્થામાં સ્પષ્ટ દેખાનારુ આ એકાદશ ઇન્દ્રિયવિશિષ્ટ લિંગ શરીર ગર્ભાવસ્થા અને બાળપણમાં રહેતા રહેતા પણ પૂર્ણ વિકાસ ન થવાને કારણે દેખાતું નથી.જેવી રીતે સ્વપ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોવા છતાં જાગ્યા વગર સ્વપ્રજણીત અનર્થની નિવૃત્તિ નથી થતી-તેવી રીતે સાંસારિક વસ્તુઓ કદાચ અસત છે તો પણ અવિદ્યાવશ જીવ તેનું ચિંતન કરતો રહે છે.એટલે તેના જન્મ મરણ રૂપ સંસારથી છુટકારો નથી થઇ શકતો.
આવી રીતે પંચતન્માત્રાઓ થી બનેલું તથા સોળ તત્વોના રૂપમાં વિકસેલું આ ત્રિગુણમય સંગતત જ લિંગ શરીર છે.આ જ ચેતના શક્તિથી યુક્ત થઈને જીવ કહેવાય છે.તેના દ્વારા પુરુષ જુદા જુદા દેહોને ગ્રહણ કરે અને ત્યાગે છે તથા તેનાથી તેને હર્ષ,શોક,ભય,દુઃખ અને સુખ વગેરેનો અનુભવ થાય છે.જેવી રીતે ઈયળ જ્યાં સુધી બીજા ઘાસને નથી પકડતી ત્યાં સુધી પહેલાંને નથી છોડતી.-તેવી રીતે જીવ મરણકાળ ઉપસ્થિત થવાથી પણ જ્યાં સુધી દેહારંભવ કર્મોની સમાપ્તિ થવાથી બીજું શરીર પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી પહેલા શરીરના અભિમાનને નથી છોડતો.રાજન ! આ મનપ્રધાન લિંગશરીર જ જીવન જન્માદિનું કારણ છે.જીવ જયારે ઇન્દ્રિયજનિત ભોગોનું ચિંતન કરતા કરતા વારંવાર તેના માટે જ કર્મ કરે છે ત્યારે તે કર્મોના થતા રહેવાથી અવિદ્યાને કારણે તે દેહાદિના કર્મોમાં બંધાઈ જાય છે.એટલે તે કર્મબંધનથી છુટકારો મેળવવા આખાય વિશ્વને ભગવદ્રૂપ જોતા બધી રીતે શ્રી હરિનું ભજન કરો.તેનાથી આ વિશ્વની ઉત્તપત્તિ અને સ્થિતિ થાય છે,તથા તેનાથી જ પ્રલય થાય છે.
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! ભક્ત શ્રેષ્ઠ શ્રી નારદજીએ રાજા પ્રાચીનવરહિને જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દીર્ગ દર્શન કરાવ્યું . પછી તેઓ તેનાથી વિદાય લઈને સિદ્ધલોકમાં ચાલ્યા ગયા.ત્યારે રાજા પ્રાચીનવરહી પણ પ્રજાપાલનનો ભાર પોતાના પુત્રોને સોંપીને તપસ્યા કરવા કપિલાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તે વિરવરે બધાજ વિષયોની આસક્તિ છોડી એકાગ્ર માંથી ભક્તિપૂર્વક શ્રી હરિના ચરણકમાલોનું ચિંતન કરતા કરતા સારુપ્યપદ પ્રાપ્ત કર્યું.
નિષ્પાપ વિદુરજી ! દેવર્ષિ નારદના પરોક્ષરૂપથી ખેલ આ આત્મજ્ઞાનને જે પુરુષ સાંભળશે,અથવા સંભળાવશે,તે તરત જ લિંગદેહના બંધનથી છૂટી જશે.દેવર્ષિ નારદના મોઢેથી નીકળેલું આ આત્મજ્ઞાન ભગવાન મુકુન્દના યશથી સબંધિત હોવાથી ત્રિલોકીને પવિત્ર કરનારું,હૃદયનું શોધક તથા પરમાત્મપદને પ્રકાશિત કરનારું છે.જે પુરુષ તેની કથા સાંભળશે તે બધા બંધનોથી મુક્ત થઇ જશે,અને પછી તેને આ સંસારચક્રમાં નહિ ભટકવું પડે.વિદુરજી ! ગૃહસ્થશ્રમી પુરશ્ચનના રૂપકથી પરોક્ષરૂપમાં કહેલું આ અદભુત આત્મજ્ઞાન મેં ગુરુજીની કૃપાથી મેળવ્યું હતું.તેનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવનું દેહાભિમાન નિવૃત થઇ જાય છે,તથા તેનું 'પરલોકમાં જીવ કયા પ્રકારનું ફળ ભોગવે છે 'તે સંશય પણ દૂર થઇ જાય છે.
અધ્યાય ત્રીસમો
પ્રચેતાઓને વિષ્ણુભગવાનનું વરદાન
વિદુરજીએ પૂછ્યું- બ્રહ્મન ! આપને રાજા પ્રાચીનવરહીનાં જે પુત્રોનું વર્ણન કર્યું હતું,તેમણે રુદ્ર ગીત દ્વારા શ્રી હરિની સ્તુતિ કરીને શું સિદ્ધિ પ્રાપ્ત કરી ? વાર્હસ્પ્ત્ય ! મોક્ષાધિપતિ શ્રીનારાયણના અત્યંત પ્રિય ભગવાન શંકરનું અકસ્માત સાત્રિધ્ય પ્રાપ્ત કરીને મુક્તિ તો પ્રાપ્ત કરી હશે જ,આનાથી પહેલા આ લોકમાં અથવા પરલોકમાં પણ તેમણે શું મેળવ્યું-તે બતાવવાની કૃપા કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્રની અંદર ઉભા રહીને રુદગીતનો જપરૂપી યજ્ઞ અને તપસ્યાઓ દ્વારા બધા શરીરોના ઉત્પાદક શ્રી હરિને પ્રસન્ન કરી લીધા.તપસ્યા કરતા કરતા દસ હજાર વર્ષો વીતી જવાથી પુરાણપુરુષ શ્રી નારાયણ પોતાની મનોહર તેજ દ્વારા તેના તપ્સ્યાજનિત કલેશને શાંત કરતા કરતા સૌમ્ય વિગ્રહથી તેની સામે પ્રગટ થયા.ગરુડજીનાં ખભા પર બેઠેલા ભગવાન એવા દેખાતા હતા,જાણે સુમેરુના શિખર ઉપર કોઈ કાલી ઘટા છાયી હોય.તેમના શ્રીઅંગમાં મનોહર પીતામ્બર અને કંઠમાં કૌસ્તુભ મણિ સુશોભિત હતી.પોતાની દિવ્ય પ્રભાથી તેઓ બધી દિશાઓનો અંધકાર દૂર કરી રહ્યા હતા.ચમકતા સોનાના આભૂષણો થી ભરેલું તેમનું કમનીય કપાળ અને મનોહર મુખમંડળની અપૂર્વ શોભા થઇ રહી હતી.તેમના માથા પર ઝળકતો મુગુટ શોભાયમાન હતો.પ્રભુની આઠ ભુજાઓમાં આઠ આયુધો હતા,દેવતા,મુનિ અને પાર્ષદ ગણ તેમની સેવામાં ઉપસ્થિત હતા,તથા ગરુડજી કિન્નરોની માફક સામમય પાંખોની ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા.તેમની આઠ લાંબી લાંબી ભુજાઓની વચ્ચે લક્ષ્મીજીથી સ્પર્ધા કરનારી વનમાળા વિરાજમાન હતી.આદિપુરુષ શ્રી નારાયણે આવી રીતે ત્યાં આવીને પોતાના શરણાગત પ્રચેતાઓની બાજુ દયાદ્રષ્ટિથી જોતા જોતા મેઘના જેવી ગંભીર વાણીમાં કહ્યું.
શ્રી ભગવાને કહ્યું - રાજપુત્રો ! તમારું કલ્યાણ થાય.તમારા બધામાં એકબીજામાં ખુબ પ્રેમ છે,અને સ્નેહવશ તમે એકજ ધર્મનું પાલન કરી રહ્યા છો.તમારા આ આદર્શ સૌહાર્દથી હું ખુબ જ પ્રસન્ન છું.મારાથી વાર માંગો.જે પુરુષ સાયંકાળના સમયે તમારું સ્મરણ કરશે તેનો તેના ભાઈઓમાં તમારી માફક જ પ્રેમ થશે તથા બધા જીવો તરફ મિત્રતાનો ભાવ થઇ જશે.જે લોકો સાયંકાળ અને પ્રાતઃકાળ રુદ્રજીત દ્વારા એકાગ્ર ચિત્તથી મારી સ્તુતિ કરશે, તેમને હું અમિષ્ટ વર અને શુદ્ધ બુદ્ધિ આપીશ.તમેલોકોએ ખુબ જ પ્રસન્નતાથી તમારા પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી છે,તેનાથી તમારી કમનીય કીર્તિ બધા લોકોમાં ફેલાઈ જશે.તમારે એક ખુબ જ વિખ્યાત પુત્ર થશે તે ગુણોમાં કોઈ પણ પ્રકારે બ્રહ્માજીથી ઓછો નહિ હોય,અને પોતાની સંતાનથી ત્રણેય લોકોને પૂર્ણ કરી દેશે.
રાજકુમારો ! કંડુ ઋષિના તપોનાંશને માટે ઇન્દ્રે મોકલેલી પ્રમલોચા અપ્સરાથી એક કમલનયની કન્યા ઉત્તપન્ન થઇ હતી.તેને છોડીને તે સ્વર્ગલોકમાં જતી રહી.ત્યારે વૃક્ષોએ તે કન્યાને લઈને પાળી અને પોષી.જયારે તે ભૂખથી વ્યાકુળ થઈને રડવા લાગી,ત્યારે ઔષધિયોંના રાજા ચંદ્રમાએ દયાથી પોતાની અમૃતવર્ષિણી તર્જની તેના મોઢામાં મૂકી દીધી.તારા પિતા આજકાલ મારી સેવામાં (ભક્તિમાં) લાગ્યા છે,તેમણે તને સંતાન ઉત્તપન્ન કરવાની આજ્ઞા આપી છે. એટલે તમો તરત જ તે દેવોમય સુંદરી કન્યાથી વિવાહ કરી લો.તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારા બધાનો સ્વભાવ પણ એક જેવો જ છે.એટલા માટે તમારા જેવાજ ધર્મ અને સ્વભાવવાળી તે કન્યા તમો સહુની પત્ની થશે તથા તમે બધામાં તેનો સરખો અનુરાગ થશે.તમે લોકો મારી કૃપાથી દસ લાખ દિવ્ય વર્ષો સુધી પૂર્ણ બળવાન રહીને અનેકો પ્રકારના પાર્થિવ અને દિવ્ય ભોગો ભોગવશો.અંતમાં મારી અવિચલ ભક્તિથી હૃદયનો બધી વાસનારૂપ માલ દગ્ધ થઇ જવાથી તમો આ લોક અને પરલોક ના નરકતુલ્ય ભોગોથી ઉપરવટ થઈને મારા પરમધામમાં જશો.જે લોકોના કર્મ ભગવદદર્પણ બુદ્ધિથી થાય છે,અને જેનો બધો સમય મારી કથા વાર્તાઓમાં પસાર થાય છે, તે ગૃહસ્થશ્રમમાં રહે તો પણ ઘર તેના બંધનનું કારણ નહિ થાય.તે કાયમ મારી લીલાઓ સાંભળતા રહે છે,એટલે બ્રહ્મવાદી વક્તાઓ ના દ્વારા હું જ્ઞાનસ્વરૂપ પરબ્રહ્મ તેના હૃદયમાં નિત્ય નવો નવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને ન મોહ થઇ શકે,ન શોક,ન હર્ષ પણ.
શ્રી મૈત્રેયજી કહે છે -ભગવાનના દર્શનોથી પ્રચેતાઓના રજોગુણ-તમોગુણ મળ નાશ થઇ ચુક્યો હતો.જયારે તેમને બધાજ પુરુષાર્થોના આશ્રય અને બધાના પરમ સૃહદ શ્રી હરિએ આવી રીતે કહ્યું,ત્યારે તેઓ હાથ જોડીને ગદ ગદ વાણીમાં કહેવા લાગ્યા.
પ્રચેતાઓએ કહ્યું-પ્રભુ ! આપ ભક્તોનો કલેશ દૂર કરનાર છો .અમે આપને નમસ્કાર કરીએ છીએ.વેદ આપના ઉદાર ગુણ અને નામોનું નિરૂપણ કરે છે. આપનો વેગ મન અને વાણીથી પણ વધારે છે તથા આપનું સ્વરૂપ બધી ઇન્દ્રિયોની ગતિથી ઉપર છે.અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ.આપ આપના સ્વરૂપમાં સ્થિર રહેવાને કારણ નિત્ય શુદ્ધ અને શાંત છો,મનરૂપ નિમિત્તને કારણે અમને આપ્મા આ મિથ્યા દ્વૈત દેખાઈ રહ્યું છે.હકીકતમાં જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને લયને માટે આપ માયાના ગુણોને સ્વીકાર કરીને જ બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપ ધારણ કરો છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ.આપ વિશુદ્ધ સત્વસ્વરૂપ છો,આપનું જ્ઞાન સંસારબંધનને દૂર કરી દે છે.આપ જ બધા ભાગવતોના પ્રભુ વાસુદેવનંદન ભગવાન શ્રી કૃષ્ણ છો,આપને નમસ્કાર છે.આપણી જ નાભિથી બ્રહ્માંડરૂપ કમળ પ્રગટ્યું હતું, આપના કંઠમાં કમળકુસુમોની માળા સુશોભિત છે,તથા આપના ચરણો કમળના જેવા કોમળ છે.કમળનયન ! આપને નમસ્કાર છે.આપે કમળકુસુમની કેસરની માફક સ્વચ્છ પીતામ્બર પહેર્યું છે,આપ સમસ્ત ભૂતોના આશ્રયસ્થાન છો,તથા બધાના સાક્ષી છો અમે આપને નમસ્કાર કરીએ છીએ.
ભગવન ! આપનું આ સ્વરૂપ બધાજ કલેશોને નાશ કરનારું છે,અમે અવિદ્યા,અસ્મિતા,રાગ-દ્વેષાદિ કલેશોથી પીડિતોની સામે આપે એને પ્રગટ કર્યું છે.તેનાથી વધારે અમારા ઉપર શું કૃપા થાય.અમંગલહારી પ્રભુ ! ગરીબો પાર દયા કરનારા સમર્થ પુરુષોને એટલી જ કૃપા કરવી જોઈએ કે સમયે સમયે તે ગરીબોને 'એ અમારા છે'એવી રીતે યાદ કર્યા કરે.તેનાથી તેના આશ્રિતોનું ચિત્ત શાંત થઇ જાય છે.આપ તો ક્ષુદ્રથી ક્ષુદ્ર પ્રાણીઓના પણ હૃદયોમાં અંતર્યામી રૂપથી વિરાજમાન રહો છો.પછી આપના ઉપાસકો અમે લોકો જે જે ઈચ્છાઓ કરીએ છીએ,અમારી તે ઈચ્છઓને કેમ ન જાણી શકો.જગદીશ્વર ! આપ મોક્ષનો માર્ગ દેખાડનાર તેમજ જાતે પુરુષાર્થસ્વરૂપ છો.આપ અમારા પર પ્રસન્ન છો,તેનાથી વધારે અમારે બીજું શું જોઈએ.બસ,અમારું અમિષ્ટ વર તો આપની પ્રસન્નતા જ છે.તોપણ નાથ ! અમે એક વર આપથી જરૂર માંગીયે છીએ.પ્રભુ ! તમો પ્રકૃતિ વગેરેથી ઉપર છો,અને આપની વિભુતિયોનો પણ કોઈ અંત નથી,એટલે આપ 'અનંત' કહેવાવ છો.જો ભમરાને અનાયાસ કલ્પવૃક્ષ મળી જાય,તો શું તે બીજા વૃક્ષનું સેવન કરશે ? ત્યારે આપના ચરણશરણમાં આવીને હવે અમે શું શું માંગીએ .અમે આપથી ફક્ત એજ માંગીએ છીએ,કે જ્યાં સુધી આપની માયાથી મોહિત થઈને અમે અમારા કર્માનુસાર સંસારમાં ભમતા રહીએ,ત્યાં સુધી જન્મ જન્મોમાં અમને આપના પ્રેમી ભક્તોનો સંગ મળતો રહે,.અમે તો ભગવદ્ભક્તોના ક્ષણિક સંગની સામે સ્વર્ગ અને મોક્ષને પણ કશું નથી સમજતા,પછી માનવના ભોગોની તો વાત જ શું.ભગવદ્ભક્તોના સમાજમાં સદા સર્વદા ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે,જેના ખાલી સાંભળવાથી ભોગતૃષ્ણા શાંત થઇ જાય છે.ત્યાં પ્રાણીઓમાં કોઈ પ્રકારનું વેર,વિરોધ અથવા ઉદ્વેગ નથી રહેતો.સારા સારા કથા પ્રસંગો દ્વારા નિષ્કામભાવથી સન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રીનારાયણદેવનું વારંવાર ગુણગાન થતું રહે છે.આપના તે ભક્તજન તીર્થોને પવિત્ર કરવા પૃથ્વી પર પગપાળા ફરતા રહે છે.ભલા,તેમનો સમાગમ સંસારમાં ભયભીત થયેલા પુરુષોને શા માટે રુચિકર નહિ હોય.
ભગવન ! આપના પ્રિય સખા ભગવન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમને આપના સાક્ષાત દર્શન પ્રાપ્ત થયા છે. તમો જન્મ મરણરૃપ દુ:સાધ્ય રોગના સર્વોત્તમ વૈદ્યં છો,એટલે અમે હવે આપનો જ આશ્રય લીધો છે.પ્રભુ ! અમે સમાહિત ચિત્તથી જે કઈ અધ્યયન કર્યું છે,નિરંતર સેવા સુશ્રુષા કરીને ગુરુ,બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષબુદ્ધિ ત્યાગીને શ્રેષ્ઠ પુરુષ,સહૃદગણ,બન્ધુવર્ગ તથા બધાજ પ્રાણીઓને વંદના કરી છે,અને અન્નાદિને ત્યાગીને લાંબા સમય સુધી પાણીમાં ઉભા રહીને તપસ્યા કરી છે.તે બધું આપ સર્વવ્યાપક પુરુસોત્તમના સંતોષનું કારણ હોય-એજ વર માંગીએ છીએ.સ્વામી ! આપની મહિમાનો પાર ન પામીને સ્વાયંભુવ મનુ ,બ્રહ્માજી જાતે,ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનથી શુદ્ધ ચિત્ત થયેલા બીજા પુરુષો સતત આપની સ્તુતિ કરતા રહે છે.એટલે અમે પણ અમારી બુદ્ધિ પ્રમાણે આપનું યશોગાન કરીએ છીએ.આપ સર્વત્ર સમાન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો.આપ સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ.
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! પ્રચેતાઓએ એવી રીતે સ્તુતિ કરવાથી શરણાગતવત્સલ શ્રીભગવાને પ્રસન્ન થઈને કહ્યું - 'તથાસ્તુઃ' .અપ્રતિહતપ્રભાવ શ્રી હરિની મધુર મૂર્તિના દર્શનોથી હજુ પ્રચેતાઓના નેત્ર તૃપ્ત થયા ન હતા,એટલે તેઓ તેમને જવા દેવા ચાહતા ન હતા.,તો પણ તેઓ પોતાના પરમધામમાં ચાલ્યા ગયા.તેના પછી પ્રચેતાઓએ સમુદ્રના પાણીની બહાર નીકળીને જોયું કે આખી પૃથ્વીને ઉંચા ઉંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે,જે સમજો સ્વર્ગનો માર્ગ રોકવા માટે જ એટલા વધી ગયા હતા. તે જોઈને તેઓ વૃક્ષો પર ખુબ ક્રોધે ભરાયા.ત્યારે તેઓએ પૃથ્વીને વૃક્ષ વેળા વગેરેથી રહિત કરવા માટે તેમના મુખથી પ્રચંડ વાયુ અને અગ્નિને છોડ્યા,જેમ કાલાગ્નિરુદ્ર પ્રલયકાળમાં છોડે છે.જયારે બ્રહ્માજીએ જોયું કે તેઓ બધા વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે,ત્યારે તેઓ ત્યાં આવ્યા અને પ્રાચીનવારહીનાં પુત્રોને તેમણે યુક્તિ પૂર્વક સમજાવીને શાંત કર્યા.પછી જે કોઈ વૃક્ષ ત્યાં બચ્યા હતા તેમણે ડરીને બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રચેતાઓને આપી.પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારિયા નામની કન્યાથી વિવાહ કરી લીધો.તેના ગર્ભથી બ્રહ્માજીના પુત્ર દક્ષે ,શ્રી મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ સ્વરૂપ ત્યજીને જન્મ લીધો.તેજ દક્ષે ચાક્ષુષ મન્વંતર આવવાથી,જયારે કાલક્રમથી પૂર્વસર્ગ નાશ પામ્યો,ભગવાનની પ્રેરણાથી ઇચ્છાનુસાર નવી પ્રજા ઉત્તપન્ન કરી.તેમણે જન્મ લેતા જ પોતાના તેજથી બધાજ તેજસ્વીઓનું તેજ હરી લીધું તે કર્મ કરવામાં ખુબ જ દક્ષ( કુશળ) હતા,તેનાથી તેમનું નામ 'દક્ષ' પડ્યું. તેમણે બ્રહ્માજીએ પ્રજાપતિઓના નાયકના પદ પર અભિષિક્ત કરી સૃષ્ટિની રક્ષા માટે નિમણુંક કર્યા.અને તેમણે મરીચિ વગેરે બીજા પ્રજાપતીયોને પોત પોતાના કાર્યમાં નિમણુંક કર્યા.
અધ્યાય એકત્રીસમો
પ્રચેતાઓને શ્રી નારદજીનો ઉપદેશ અને તેનો પરમપદ-લાભ
શ્રી મૈત્રેયજી કહે છે -વિદુરજી ! દસ લાખ વર્ષ વીતી જવાથી જયારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેને ભગવાનના વાક્યોની યાદ આવી અને તે પોતાની ભાર્યા મારિષાને પુત્રની પાસે મૂકીને તરત ઘરથી નીકળી પડ્યા.તે પશ્ચિમ દિશામાં સમુદ્રના કિનારે -જ્યા જાજલી મુનિએ સિદ્ધિ પ્રાપ્તિ કરી હતી.-જઈ પહોંચ્યા અને જેનાથી ‘ બધા ભૂતોમાં એક જ આત્મતત્વ વિરાજમાન છે.‘એવું જ્ઞાન હોય છે તે આત્મવિચારરૂપ બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા.તેમણે પ્રાણ,મન,વાણી,અને દ્રષ્ટિને વશમાં કરી તથા શરીરને નિક્ષેષત,સ્થિર,અને સીધું રાખતા રાખતા આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લિન કરી દીધું.આવી સ્થિતિમાં તેમણે દેવતા અને અસુર બંનેના વંદનીય નારદજીએ જોયા.નારદજીને આવેલા જોઈ પ્રચેતાગણ ઉભા થઇ ગયા.અને પ્રણામ કરીને આદરસત્કારપૂર્વક દેશ કાલાનુસાર તેમની વિધિવત પૂજા કરી.જયારે નારદજી સુખપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગયા.
પ્રચેતાઓએ કહ્યું - દેવર્ષિ ! આપનું સ્વાગત છે,આજે ખુબ ભાગ્યથી તમારા દર્શન થયા.બ્રહ્મન ! સૂર્યની માફક આપનું હરવુંફરવું પણ જ્ઞાનલોકથી બધાજ જીવોને અભય દાન આપવા માટે જ હોય છે.પ્રભુ ! ભગવાન શંકર અને શ્રી વિષ્ણુભગવાને જે ઉપદેશ આપ્યો હતો,તેને ગૃહસ્થીમાં આસક્ત રહેવાને કારણે અમે લોકો ફરીથી ભૂલી ગયા છે.એટલે આપ અમારા હ્ર્દયમાં તે પર્માર્થતત્વનો સાક્ષાત્કાર કરાવનાર અધ્યાત્મજ્ઞાનને ફરી પ્રકાશિત કરી દો,જેનાથી અમે સુગમતાથી જ આ દુસ્તર. સંસાર-સાગરથી પાર થઇ જઇયે.
શ્રી મૈત્રેયજી કહે છે - ભગવન્મય શ્રી નારદજીનું મન કાયમ ભગવાન શ્રી કૃષ્ણમાં લાગેલું રહે છે.તે પ્રચેતાઓના આવી રીતે પૂછવાથી તેમને કહેવા લાગ્યા.
શ્રી નારદજીએ કહ્યું - રાજાઓ ! આ લોકમાં મનુષ્યનો તે જ જન્મ,તે જ કર્મ,તે જ ઉંમર, તે જ મન અને તે જ વાણી સફળ છે,જેના દ્વારા સર્વાત્મા સર્વેશ્વર શ્રી હરિનું સેવન કરવામાં આવે છે.જેના દ્વારા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર શ્રી હારીને પ્રાપ્ત ન કરી શકાય,તે માતા પિતાની પવિત્રતાથી ,યજ્ઞોપવિત સંસ્કારથી તેમ જ યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનારા તે ત્રણ પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી ,વેદોક્ત કર્મોથી,દેવતાઓની જેમ લાંબા આયુષ્યથી,શાસ્ત્ર જ્ઞાનથી,તપથી, વાણીની ચતુરાઈથી,અનેક પ્રકારની વાતો યાદ રાખવાની શક્તિથી,તીવ્ર બુદ્ધિથી,બળથી,ઇંદ્રિયોની પટુતાથી,યોગથી,સાંખ્ય( આત્માનાત્મવિવેક)થી,સન્યાસ અને વેદાધ્યયનથી,તથા વ્રત-વૈરાગ્યાદિ બીજા કલ્યાણ સાધનોથી પણ પુરુષનો શું લાભ છે ?હકીકતમાં બધાજ કાલયનોની અવધિ આત્મા જ છે,અને આત્મજ્ઞાન પ્રદાન કરનારા શ્રી હરિ જ સંપૂર્ણ પ્રાણીઓની પ્રિય આત્મા છે.જેવી રીતે વૃક્ષોની મૂળમાં પાણી રેડવાથી તેનું થાળ,ડાળી,ઉપરની પાતળી ડાળી વગેરે બધાનું પોષણ થઇ જાય છે,અને જેમ ભોજન દ્વારા પ્રાણીને તૃપ્ત કરવાથી બધી ઇન્દ્રિયો પુષ્ટ થઇ જાય છે,તેવી રીતે શ્રી ભગવાનની પૂજા જ બધાની પૂજા છે.જેવી રીતે વર્ષઋતુમાં પાણી સૂર્યના તાપથી ઉત્તપન્ન થાય છે,અને ઉનાળામાં તેની જ કિરણોમાં ફરી સોસાઈ જાય છે, તથા જેમ ચરાચર ભૂત પૃથ્વીથી ઉત્તપન્ન થાય છે,અને પછી ફરીથી તેમાં ભળી જાય છે.તેવી રીતે ચેતનાચેતનાત્મક આ આખુંય પ્રપજ્ઞ શ્રી હરિથીજ ઉત્તપન્ન થાય છે અને તેમનામાંજ મળી જાય છે.હકીકતમાં આ વિશ્વાત્મા શ્રી ભગવાનનું તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વોપાધિરહિત સ્વરૂપ જ છે. જેમ સૂર્યની પ્રભા તેનાથી જુદી નથી હોતી,તેવી રીતે કયારેક ક્યારેક ગંધર્વ નગરના સરખા સ્ફુરિત થનારું આ જગત ભગવાનથી જુદું નથી,તથા જેમ જાગેલી -અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે,પરંતુ સુઈ જવાથી તેની શક્તિઓ લિન થઇ જાય છે.તેવી રીતે આ જગત સર્ગકાળમાં ભગવાનથી પ્રગટ થઇ જાય છે,અને કલ્પાન્તમાં તેમનામાં જ લિન થઇ જાય છે.સ્વરૂપની રીતે ભગવાનમાં દ્રવ્ય,ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રણ પ્રકારના અહંકારના કાર્યોથી તથા તેમના નિમિત્તથી થનારા ભેદ ભ્રમની સત્તા છે જ નહિ.નૃપતિ ગણ ! જેમ વાદળ,અંધકાર અને પ્રકાશ -તે ક્રમથી આકાશમાં પ્રગટ થાય છે,અને તેનામાં જ લિન થઇ જાય છે,પરંતુ આકાશ તેનાથી લિપ્ત નથી થતું.તેવી રીતે આ સત્વ,રજ અને તમોમયી શક્તિઓ ક્યારેક પરબ્રહ્મમાં ઉત્તપન્ન થાય છે,અને ક્યારેક તેમાં જ લિન થઇ જાય છે.એવી રીતે તેનો પ્રવાહ ચાલતો રહે છે.પરંતુ તેનાથી આકાશની માફક અસંગ પરમાત્મામાં કોઈ વિકાર નથી થતો.એટલે તમે બ્રહ્માદિ બધાજ લોકપાલોના પણ અધિશ્વર શ્રી હારીને પોતાનાથી અભિન્ન જાણીને ભજો,કેમકે તે જ બધા દેહધારીયોના એકમાત્ર આત્મા છે.તેઓ જ જગતના નિમિત્તકારણ કાળ, ઉપાદાનકારણ પ્રધાન અને નિયંતા પુરુષોત્તમ છે તથા પોતાની કળશક્તિથી તેઓ જ આ ગુણોના પ્રવાહરૂપ પ્રપજ્ઞ નો સંહાર કરી નાખે છે.
તે ભક્તવત્સલ ભગવાન બધાજ જીવો પર દયા કરવાથી જે કઈ મળી જાય તેમાં જ સંતુષ્ટ રહેવાથી તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત કરીંને શાંત કરવાથી તરત જ પ્રસન્ન થઇ જાય છે.પુત્રેષ્ણા વગેરે બધા પ્રકારની વાસના નીકળી જવાથી જેનું હૃદય શુદ્ધ થઇ ગયું છે,તે સંતોના હૃદયમાં તેના નિરંતર વધતા જતા ચિંતનથી ખેંચીને અવિનાશી શ્રી હરિ આવી જાય છે,અને પોતાની ભક્તાધીનતાને ચરિતાર્થ કરતા કરતા હૃદયાકાશની માફક ત્યાંથી હટતા નથી.ભગવાન તો પોતાને (ભગવાનને) જ સર્વસ્વ માનનારા નિર્ધન પુરુષો પર જ પ્રેમ કરે છે,કેમકે તેઓ પરમ રસજ્ઞ છે-તે અકિંચનોને અનન્યાશ્રય અહૈતુની ભક્તિમાં કેટલું માધુર્ય હોય છે,તેને પ્રભુ સારી રીતે જાણે છે.જે લોકો પોતાનું શાસ્ત્ર જ્ઞાન,ધન,કુલ અને કર્મોના મદથી ઉન્નમત થઈને આવા નિસકીંચન સાધુઓનો તિરસ્કાર કરે છે,તે દુર્બુધ્ધિયોની પૂજા તો પ્રભુ સ્વીકાર જ નથી કરતા.ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે,તેમને નિરંતર પોતાની સેવામાં રહેનારી લક્ષ્મીજી તથા તેમની ઈચ્છા કરનારા નરપતિ અને દેવતાઓની પણ પરવા નથી.એટલામાં પણ તેઓ પોતાના ભક્તોને તો આધીન રહે જ છે.અહો ! આવા કરુણાસાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ પુરુષ થોડી વાર માટે પણ કેવી રીતે છોડી શકે ?
શ્રી મૈત્રેયજી કહે છે - વિદુરજી ! ભગવાન નારદને પ્રચેતાઓને આ ઉપદેશની સાથે સાથે બીજી પણ ઘણી ભગવતસંબંધી વાતો સંભળાવી.તેના પછી તેઓ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા.પ્રચેતાઃ ગણ પણ તેમના મોઢેથી આખાય જગતના પાપરૂપી મળને દૂર કરનારા ભગતચરિત્ર સાંભળીને ભગવાનના ચારણકમળોનું જ ચિંતન કરવા લાગ્યા અને અંતમાં ભગવાન ધામને પ્રાપ્ત થયા.આવી રીતે આપે જે મને નારદજી અને પ્રચેતાઓ ના ભગવનસંબંધી સંવાદના વિષયમાં પૂછ્યું હતું,તે મેં આપને સંભળાવી દીધું.
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! અહીં સુધી સ્વાયંભુવ મનુના પુત્ર ઉત્તાનપાદનાં વંશનું વર્ણન થયું,હવે પ્રિયવ્રતના વંશનું વિવરણ પણ સાંભળો.રાજા પ્રિયવ્રતે નારદજીને આત્મજ્ઞાનનું ઉપદેશ મેળવીને પણ રાજ્યભોગ કર્યો હતો,તથા અંતમાં આ આખી પૃથ્વીને પોતાના પુત્રોમાં વહેંચી તે ભગવાનના પરમધામને પ્રાપ્ત થયા હતા.
રાજન ! આબાજુ શ્રી મૈત્રેયજીના મોઢેથી આ ભગવદગુણાનુવાદયુક્ત પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઇ ગયા.ભક્તિભાવનો ઉદ્રેક થવાથી તેમના નેત્રોમાંથી પવિત્ર આસુંઓની ધારા વહેવા લાગી,તથા તેમને હૃદયમાં ભગવત ચરણોનું સ્મરણ કરતા કરતા પોતાનું માથું મુનિવર મૈત્રેયજીના ચરણોમાં મૂકી દીધું.
વિદુરજી કહેવા લાગ્યા -મહાયોગીન ! આપ ખુબ જ કરુણામય છો.આજે આપે મને અજ્ઞાનાન્ધકારથી પેલી પાર પહોંચાડી દીધો છે,જ્યાં અકિંચનોના સર્વસ્વ શ્રી હરિ વિરાજે છે.
શ્રી શુકદેવજી કહે છે - મૈત્રેયજીને ઉપરનો કૃતાજ્ઞતાસૂચક વચન કહીને તથા પ્રણામ કરીને વિદુરજીએ તેમની આજ્ઞા લીધી અને પછી શાંતચિત્ત થઈને પોતાના બંધુજનોને મળવા માટે તે હસ્તિનાપુર ચાલ્યા ગયા.રાજન ! જે પુરુષ ભગવાનના શરણાગત પરમભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સંભાળશે તેને લાબું આયુષ્ય,ધન,સુયશ,ક્ષેમ,સદગતિ અને એશ્વર્યની પ્રાપ્તિ થશે.