ૐ નમો ભગવતે વાસુદેવાય
શ્રીમદ ભાગવત કથા
પંચમ સ્કંધ
અધ્યાય પહેલો
પ્રિયવ્રત ચરિત્ર
રાજા પરીક્ષિતે પૂછ્યું - મુને ! મહારાજ પ્રિયવ્રત તો મોટા ભગતભક્ત અને આત્મારામ હતા. તેમને ગૃહસ્થાશ્રમમાં કેમ રુચિ થઇ,જેમાં ફસાવવાથી મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઇ જાય છે,અને તે કર્મબંધનમાં બંધાઈ જાય છે ? પ્રિયવર ! જરૂરથી આવા નિઃસંગ મહૉપરુષો નું આવી રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવું સારું નથી.એમાં કોઈ જાતનો સંદેહ નથી કે જેનું ચિત્ત પુર્ણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઇ ગયા છે,તેવા મહાપુરુષોની કૂટુંબાદિમાં ક્યારેય આસક્તિ નથી થઇ શકતી બ્રહ્મન ! મને એ વાતની મોટી શંકા છે મહારાજ પ્રિયવ્રતે સ્ત્રી,ઘર અને પુત્રાદિમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી,અને તેમની કેવી રીતે શ્રી કૃષ્ણમાં અવિચલ ભક્તિ થઇ.
શ્રી શુકદેવજીએ કહ્યું - રાજન ! તમારું કહેવું બરાબર છે.જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણકમલ મકરંદના રસમાં ડૂબી ગયું છે તે કોઈ વિઘ્ન,વાંધાને કારણે રુકાવટ આવવાથી પણ ભગવદ્ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથા શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ફરી છોડતા નથી.રાજન ! રાજકુમાર પ્રિયવ્રત ખુબ જ ભગવદ્ભક્ત હતા, શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહેલાઈથી પરમાર્થ તત્વ નો બોધ મળી ગયો હતો.તેઓ બ્રહ્મસત્રની દીક્ષા -નિરંતર બ્રહ્માભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વાયંભુવ મનુએ તેમને પૃથ્વી પાલન માટે શાસ્ત્રમાં બતાવેલા બધાજ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણ સંપન્ન જોઈ રાજ્ય શાસન માટે આજ્ઞા આપી.પરંતુ પ્રિયવ્રત અખંડ સમાધિયો દ્વારા પોતાની બધીજ ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પણ કરી દીધા હતા.એટલે પિતાની આજ્ઞા નું કોઈ પ્રકારે ઉલ્લંઘન ન કરવાયોગ્ય હોવા છતાં,એવું વિચારી રાજ્યાધિકાર મેળવી મારુ આત્મસ્વરૂપ સ્ત્રી -પુત્રાદિ જુઠા પ્રપંચમાં આચ્છાદિત થઇ જશે.- રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થતત્વને ફરીથી ભૂલી જઈશ,તેમણે તેનો સ્વીકાર ન કર્યો.
આદિદેવ સ્વાયંભુવ ભગવાન બ્રહ્માજીને કાયમ આ ગુણમય પ્રપંચની બુદ્ધિનો જ વિચાર રહે છે.તેઓ આખાય જગતના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે.જયારે તેમણે પ્રિયવ્રતની એવી પ્રવૃત્તિ જોઈ ,ત્યારે તે મૂર્તિમાન ચારેય વેદ અને મરીચિ આદિ પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા.આકાશમાં જ્યાં ત્યાં વિમાનો પર ચઢીને ઈંદ્રાદિ મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમનું પૂજન કર્યું,.તથા માર્ગમાં ટોળીયો બનાવીને આવેલા સિદ્ધ,ગંધર્વ,સાધ્ય, ચારણ અને મુનિજનોએ સ્તવન કર્યું.એવી રીતે બધી જગ્યાએ આદર અને સન્માન મેળવતા મેળવતા તે સાક્ષાત નક્ષત્ર નાથ ચંદ્રમા ની માફક ગંધ માદનની ઘાંટીને પ્રકાશિત કરતા કરતા પ્રિયવ્રત પાસે પહોંચ્યા.પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે ત્યાં નારદજી પણ આવેલા હતા.બ્રહ્માજીના ત્યાં પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજી જાણી ગયા કે અમારા પિતા બ્રહ્માજી પધાર્યા છે,એટલે તેઓ સવયંભૂવ મનુ અને પ્રિયવ્રતની સાથે તરત ઉભા થઇ ગયા,અને બધાએ તેમને હાથ જોડીને પ્રણામ કર્યા.પરીક્ષિત ! નારદજીએ તેમની દરેક પ્રકારે પૂજા કરી,અને સુમુધુર વચનોથી તેમના ગુણ અને અવતારની ઉત્કૃષ્ટાનું વર્ણન કર્યું.ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રતની તરફ મંદ મુસ્કરાહતભરી દ્રષ્ટિથી જોતા આવી રીતે કહ્યું.
શ્રી બ્રહ્માજી બોલ્યા- બેટા ! હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ.તારે અપ્રમેય શ્રી હરિ તરફ કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ ન રાખવી જોઈએ.તું જ શું- હું,મહાદેવજી,તારા પિતા સ્વાયંભુવ મનુ અને તમારા ગુરુઆ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તેમની આજ્ઞાનું જ પાલન કરીયે છીએ.તેમના વિધાનને કોઈ દેહધારી ન તો તપ,વિદ્યા,યોગબલ અથવા બુધ્ધિબળથી,ન અર્થ અથવા ધર્મની શક્તિથી અને ન જાતે અને ન બીજાની સહાયતાથી ટાળી શકે છે.પ્રિયવર ! તેજ અવ્યક્ત ઈશ્વરના આપેલા શરીરને બધા જીવ જન્મ,મરણ,શોક,મોહ,ભય અને સુખ દુઃખનો ભોગ કરવા તથા કર્મ કરવા માટે કાયમ ધારણ કરે છે.વત્સ ! જેવી રીતે દોરીથી નાઠેલુ પશુ મનુષ્યોનો બોઝ ઢસેડે છે,તેવી રીતે પરમાત્માની વેદવાણીરૂપ મોટી દોરીથી સત્વાદિ ગુણ, સાત્વિક આદિ કર્મ,અને તેના બ્રાહ્મણાદિ વાક્યોની મજબૂત દોરીથી જકડાયેલા અમે બધા લોકો તેમની જ ઈચ્છા પ્રમાણે લાગ્યા રહીયે અને તેમની દ્વારા જ તેમની પૂજા કરતા રહે છે.અમારા ગુણ અને કર્મોના પ્રમાણે પ્રભુએ અમોને જે યોનિમાં નાખ્યા છે તેનો સ્વીકાર કરીને તેઓ જેવી વ્યવસ્થા કરે છે તે પ્રમાણે આપણે સુખ અને દુઃખ ભોગવતા રહીયે છીએ.અમોને તેમની ઈચ્છાનું એવી રીતે અનુશરણ કરવું પડે છે જેમ આંધળાને આંખવાળા પુરુષનું.
મુક્ત પુરુષ પણ નસીબનો ભોગ કરતો કરતો ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાના શરીરને ધારણ કરે જ છે,બસ તેમ જ જેમ મનુષ્યની ઊંઘ ઉડી જવાથી પણ સ્વપ્નમાં અનુભવ કરેલા પદાર્થોનું સ્મરણ થાય છે.આ અવસ્થામાં પણ તેને અભિમાન નથી થતું,અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે,તેને તે સ્વીકાર નથી કરતો.જે પુરુષ ઇન્દ્રિયોને વશીભૂત છે,તે વને વનમાં ફરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય થતો રહે છે કેમકે વગર જીવ્યે મન અને ઇન્દ્રિયરૂપી તેના છ શત્રુ ક્યારેય તેનો પીછો નથી છોડતા.જે બુદ્ધિમાન પુરુષ ઇન્દ્રિયોને જીતીને પોતાની આત્મામાં જ સ્મરણ કરે છે તેનું ગૃહસ્થાશ્રમ પણ શું બગાડી શકે છે ?જેને આ છ શત્રુઓને જીતવાની ઈચ્છા છે,તે પહેલા ઘરમાં રહીને જ તેનો ખુબ જ નિરોધ કરતા કરતા તેને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે.કિલ્લામાં સુરક્ષિત રહીને લડનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે.પછી જયારે તે શત્રુઓનું બળ એકદમ ઓછું થઇ જાય, ત્યારે વિદ્વાન પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે.તું કદાચ શ્રી કમલનાભઃ ભગવાનના ચરણકમલ ની ક્લૉરૂપ કિલ્લાનો આશ્રિત રહીને આ છ એ શત્રુને જીતી ચુક્યો છે,તો પણ પહેલા તું પુરાણપુરુષે આપેલા ભોગોને ભોગવ,તેના પછી નિઃસંગ થઈને પોતાના આત્મરૂપમાં સ્થિર થઇ જજે.
શ્રીશુકદેવજી કહે છે- જયારે ત્રિલોકીના ગુરુ શ્રી બ્રહ્માજીએ એવી રીતે કહ્યું ,તો પરમ ભાગવત પ્રિયવ્રતે નાના હોવાને કારણે નમ્રતાથી માથું નમાવી લીધું અને ‘ જે આજ્ઞા’ એમ કહી ખુબ જ આદરપૂર્વક તેમનો આદેશ શિરોધાર્ય કર્યો.ત્યારે સ્વયંભૂવ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની વિધિપૂર્વક પૂજા કરી.તેના પછી તે મન અને વાણીના અવિષય પોતાના આશ્રય સર્વવ્યવહારતીત પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા.એ વખતે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવથી તેમની સામે જોઈ રહ્યા હતા.
મનુજીએ આવી રીતે બ્રહ્માજીની કૃપાથી પોતાની ઈચ્છા પુરી થઇ જવાથી દેવર્ષિ નારદજીની આજ્ઞાથી પ્રિયવ્રતને આખાય ભૂમંડળનો ભાર સોંપી દીધો,અને જાતે વિષયરૂપી ઝેરીલા પાણીથી ભરેલા ગૃહસ્થમરૂપી દુસ્તર જળાશયની ભોગેચ્છાથી નિવૃત થઇ ગયા.હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્યશાસનના કાર્યમાં નિયુક્ત થયા.જે સંપૂર્ણ જગતને બંધનથી છોડાવવામાં ખુબ જ સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાન ના ચરણયુગલનું નિરંતર ધ્યાન કરતા રહેવાથી જોકે તેમના રાગાદિ બધા મલ નાશ થઇ ગયા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું તો પણ મોટાઓનું માન રાખવા માટે પૃથ્વીનું શાસન કરવા લાગ્યા.તે દરમ્યાન વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતિથી વિવાહ કર્યો. તેનાથી તેમને દસ પુત્રો થયા તે બધા તેમની માફક શીલવાન,ગુણી કર્મનિષ્ઠ,રૂપવાન અને પરાક્રમી હતા.તેમનાથી નાની ઊર્જસ્વતી નામની એક કન્યા પણ થઇ.પુત્રોના નામ આગ્નિધ,ઈધર્મજિહ્વ,યજ્ઞબાહુ,મહાવીર,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,સવન,મેઘાતિથી, વીટીહોત્ર,અને કવિ હતા.આ બધા નામ અગ્નિના પણ છે.તેમાં કવિ,મહાવીર અને સવન -એ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા.તેમને બાળપણથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા કરતા અંતમાં સન્યાસાશ્રમ જ સ્વીકાર્યો. તે નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સન્યાસાશ્રમમાં જ રહેતા રહેતા બધાજ જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી ડરેલા લોકોને આશ્રય આપનારા ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણારવિંદનું નિરંતર ચિંતન કર્યું.તેનાથી મળેલા અખંડ તેમજ શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું હૃદય સર્વથા શુદ્ધ થઇ ગયું અને તેમનામાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો.ત્યારે દેહાદિ ઉપાધિની નિવૃત્તિ થઇ જવાથી તેમના આત્માની બધાજ જીવોના આત્મભૂત પ્રત્યગાત્મામાં એકીભાવથી સ્થિત થઇ ગઈ.મહારાજ પ્રિયવ્રતની બીજી ભાર્યાથી ઉત્તમ,તામસ અને રેવત -આ ત્રણ પુત્રો ઉત્તપન્ન થયા.જે પોતાના નામવાળા મન્વંતરોનાં અધિપતિ થયા.
આવી રીતે કવિ આદિ ત્રણ પુત્રોના નિવૃતપરાયણ થઇ જવાથી,રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું.જે સમયે તે પોતાની અખંડ પુરુષાર્થમયી અને વીર્યશાલીની ભુજાઓથી ધનુષની દોરી ખેંચીને ટંકાર કરતા હતા,તે વખતે ડરના માર્યા બધા ધર્મદ્રોહી ન જાણે ક્યાંય છુપાઈ જતા હતા.પ્રાણપ્રિયા બરહિષ્મતીના દિવસે દિવસે વાઢનારો આમોદ-પ્રમોદ અને અભ્યુથાનાદિ ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનોચિત હાવ-ભાવ લજ્જાથી સંકુચિત મંદહાસ્યયુક્ત ચિત્તવનઅને મનને પસંદ વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત વિવેકહીન વ્યક્તિની માફક આત્મવિસ્મૃતઃ જેવા થઈને બધા ભોગોને ભોગવવા લાગ્યા.પરંતુ હકીકતમાં તે તેનામાં આસક્ત ન હતા.
એકવાર તેમને જયારે એ જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા કરતા લોકાલોકપર્યન્ત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશમય કરે છે.તેમાંથી અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધો અંધારામાં છવાયેલો રહે છે.તો તેમને તેને પસંદ ન કર્યું.ત્યારે તેમણે તે સંકલ્પ લઈને કે 'હું રાતને પણ દિવસ બનાવી દઈશ 'સૂર્યના જેવોજ વેગવાન એક જ્યોતિર્મય રથ પર ચઢીને બીજા સૂર્યની માફક તેની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી.ભગવાનની ઉપાસનાથી તેનો અલૌકિક પ્રભાવ ખુબ વધી ગયો હતો.તે વખતે તેના રથના પૈડાથી જે ઘરેડ બની તેજ સાત સમુદ્ર થયા,તેનાથી પૃથ્વીમાં સાત દ્વીપ થઇ ગયા.તેના નામ ક્રમથી જંબુ,પ્લક્ષ,શાલ્મલિ ,કુશ,ક્રૌંશં,શાક,અને પુષ્કર દ્વીપ છે.તેમાંથી પહેલા પહેલાની અપેક્ષાએ આગળ આગળના દ્વીપનું પરિમાણ બેગણું છે,અને તે સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારેબાજુ ફેલાયેલા છે.સાત સમુદ્રો ક્રમથી,ખરા પાણી,ઇખાનો રસ,મદિરા, ઘી,દૂધ,મથ્થા,અને મીઠા પાણીથી ભરેલા છે.તે સાતેય દ્વીપોની ખાઈઓની માફક છે,અને પરિમાણમાં પોતાની અંદરવાળા દ્વીપની બરાબર છે.તેમાંથી એક એક ક્રમથી જુદા જુદા સાતેય દ્વીપોને બહારથી ઘેરીને સ્થિત છે.(એનો ક્રમ આ પ્રકાર સમજવો જોઈએ -પહેલા જંબુદ્વિપ છે,તેની ચારેબાજુ ક્ષારસમુદ્ર છે.તે લક્ષદ્વીપમાં ઘેરાયેલો છે,તેની ચારેબાજુ ઈખના રસનો સમુદ્ર છે.તેને શાલ્મલિદ્વીપ ઘેરેલો છે તેની ચારેબાજુ દારૂનો સમુદ્ર છે.પછી કુશ દ્વીપ છે તે ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે,તેની બહાર ક્રૌંશદ્વિપ છે તેની ચારેબાજુ દૂધનો સમુદ્ર છે.પછી શાક દ્વીપ છે તેને મથ્થાના સમુદ્રે ઘેરાયેલો છે.તેની ચારેબાજુ પુષ્કર દ્વીપ છે તે મીઠા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે.)બાહિષ્મતિપતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુગત પુત્ર આગનીઘ્ર,ઈધર્મજિન્હ,યજ્ઞવાહુ,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,મેઘાતિથી અને વીટીહોત્રમાંથી ક્રમથી એક એકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંથી એક એકના રાજા બનાવ્યા.તેમણે તેમની કન્યા ઊર્જસ્વતિનો વિવાહ શુક્રાચાર્યજીથી કર્યો.તેનાથી શુક્રકન્યા દેવયાનીનો જન્મ થયો.રાજન! જેમણે ભગવચ્ચરણાવિંદ રજના પ્રભાવથી શરીરની ભૂખ તરસ,શોક મોહ,અને જરા મૃત્યુ - એ છ ગુણોને અથવા મનની સાથે છ ઇન્દ્રિયોને જીતી લીધા છે.તે ભગવતભક્તોનો એવો પુરુષાર્થ હોવો કોઈ નવાઈની વાત નથી કેમકે વર્ણબહિસ્કૃત ચાંડાલ વગેરે નીચ યોનિનો પુરુષ પણ ભગવાનના નામનું ફક્ત એક વાર ઉચ્ચારણ કરવાથી તરતજ સંસાર બંધનથી મુક્ત થઇ જાય છે.એવીરીતે અતુલનીય બલપરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર પોતાને દેવર્ષિ નારદજીના ચરણોની શરણમાં જઈને પણ ફરીથી નસીબજોગે પ્રાપ્ત થયેલા પ્રપજ્ઞ માં ફસાઈ જવાથી અશાંત જેવા દેખાતા મનમાં ને મનમાં વિરક્ત થઈને કહેવા લાગ્યા.’ઓહ ! ખુબ જ ખરાબ થયું ! મારી વિષયલોલુપ ઈંદ્રિયોએ મને આ અવિદ્યાજનિત વિષમ વિષયરૂપ અંધકુવામાં ફેંકી દીધો.બસ! બસ! બહુ થયું .હાય ! હું તો સ્ત્રીનો ક્રીડાંમૃગ જ બની ગયો! તેણે મને વાંદરાની માફક નચાવ્યો! મને ધિક્કાર છે ! ‘આવી રીતે તેણે પોતાને ઘણું બધું ખોટું ખરું કહ્યું.પરમારાધ્ય શ્રી હરિની કૃપાથી તેની વિવેકવૃત્તિ જાગી ગઈ.તેમણે આ આખી પૃથ્વી યથાયોગ્ય પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેણે જાત જાતના ભોગો ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીને સામ્રાજ્ય લક્ષ્મીની સાથે મૂર્તદેહની માફક છોડી દીધો તથા હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા તેમના પ્રભાવથી નારદજીના બતાવેલા માર્ગ નું ફરીથી અનુસરણ કરવા લાગ્યા મહારાજ પ્રિયવ્રતના વિષયમાં નિમરલીખિત લોકોક્તિ પ્રસિદ્ધ છે - ‘ રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા,તેને સર્વ શક્તિમાન ઈશ્વરના સિવાય કોણ કરી શકે છે ? તેમણે રાત્રીના અંધકારને મટાવવા પ્રયત્ન કરતા કરતા પોતાના રથના પૈડાથી બનેલી ઘરેડથીજ સાત સમુદ્ર બનાવી દીધા. પ્રાણીઓની સુવિધા માટે ( જેનાથી તેમનામાં અંદરોદર ઝઘડા ન થાય ) દ્વીપોના દ્વારા વિભાગ કર્યા અને દરેક દ્વીપમાં જુદા જુદા નદી,પર્વત અને વન વગેરેથી તેની સીમા નક્કી કરી દીધી.તે ભગવત ભક્ત નારદાદિનો પ્રેમી ભક્ત હતા.તેમણે પાતાળલોકના,દેવલોકના,મૃત્યુલોકના તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા એશ્વર્યને પણ નરકતુલ્ય સમજ્યું હતું ‘
અધ્યાય બીજો આગ્નીઘ્ર ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રતનું આવી રીતે તપસ્યામાં સંલગ્ન થઇ જવાથી રાજા આગ્નીઘ્ર તેમની આજ્ઞાને અનુસરતા કરતા કરતા જંબુદ્વિપની પ્રજાનું ધર્માનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા.એક વાર તે પિતૃલોકની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી ભેગી કરી સુર સુંદરીયોનું ક્રીડાસ્થલ મંદારાચલની એક ઘાટીમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર ચિત્તથી પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા.આદિદેવ બ્રહ્માજીએ તેની અભિલાષા જાણી લીધી.એટલે પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરાને તેમની પાસે મોકલી આપી.આગ્નીઘ્રના આશ્રમની પાસે એક ખુબ જ સુંદર ઉપવન હતું.તે અપ્સરા તેમાં ફરવા લાગી.તે ઉપવનમાં જાત જાતના ઘેરા ઝાડોની ડાળીઓ પાર વેલાઓ ફેલાયેલા હતા.બેસેલા મયુર વગેરે કેટલાય પ્રકારના સ્થળચારી પક્ષીઓ ની સુમુધુર બોલી બોલી રહ્યા હતા. તેમની ષડજાદિ સ્વરયુક્ત સાંભળીને સચેત થયેલા જલકુંફૂટ,કારદંવ,તેમજ ક આદિ જળપક્ષી જાત જાતથી કુંજવા લાગ્યા હતા.ત્યાંના કમળવનથી સુશોભિત નિર્મલ સરોવર ગુંજવા લાગતા હતા.
પૂર્વિચિત્તીની વિલાસપુર્ણ સુલલિત ગતિવિધિ અને પાદ - વિન્યાસની શૈલીથી પગ પગ પર તેના ચરણપૂરોની ઝંકાર થઇ જતી હતી.તેની મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીઘ્રએ સમાધિ યોગ દ્વારા ભુંડાઈ ગયેલા પોતાના કમલ કળી જેવા સુંદર નેત્રોને થોડા થોડા ઉઘાડીને જોયું તો નજદીકમાં જ તેને તે અપ્સરા દેખાઈ.તે ભમરીની જેમ એક એક ફૂલની પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતા અને મનુષ્યોના મન અને નયનોને આહલાદીત કરનારી પોતાની વિલાસપુર્ણ ગતિ,ક્રીડાચાપલ્ય,લજ્જા તેમજ વિનયયુક્ત ચિત્તવન,સુમુધુર વાણી તથા મનોહર અંગ અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે દ્વાર જેવું બનાવી દેતી હતી.જયારે તે હસી હસીને બોલવા માંડતી ત્યારે એવું લાગતું જાણે તેના મોઢેથી અમૃતમય માદક મધ ઢળી રહ્યું છે. તેના ની: શ્વાસની ગંધથી મદહોશ થઈને ભમરા તેના મુખ કમળને ઘેરી લેતા ત્યારે તેનાથી બચવા તે જલ્દી જલ્દી પગ ઉઠાવીને ચાલતી તો તેના કુચકળશ,વેણી અને કરધની હાલવાથી ખુબ જ સુંદર લાગતા.આ બધું જોઈને ભગવાન કામદેવને આગ્નીઘ્રના હૃદયમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયો અને તે તેને આધીન થઈને તેને પ્રસન્ન કરવા ગાંડાની માફક આવી રીતે કહેવા લાગ્યા.
'મુનિવર્ય ! તમે કોણ છો ?આ પર્વત પર તમે શું કરવા ચાહો છો ? તમે પરમપુરુષ સારી નારાયણની કોઈ માયા તો નથી ને ?(ભ્રમરોની તરફ ઈશારો કરીને )સખા ! તમે આ દોરી વગરના બે ધનુષ કેમ ધારણ કર્યા છે ? શું તેનાથી તમારું કોઈ પોતાનું પ્રયોજન છે ?અથવા આ ' સંસારણ્યમાં મારા જેવા મતવાળા મૃગનો શિકાર કરવા ઈચ્છો છો ! (કટાક્ષોને નિશાન બનાવીને - )તમારા આ બે બાણ તો ખુબ જ સુંદર અને ધારદાર છે. અહો ! તેને કમલદલની પાંખો છે, દેખાવમાં ખુબ જ શાંત છે અને છે પણ પાંખ વગરના (બાણનો પાછળનો ભાગ)અહીં વનમાં ફરતા તમો એને કોના પર છોડવા ચાહો છો ?અહીં તમારો કોઈ સામનો કરવા વાળું નથી દેખાતું.તમારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિવાળા માટે કલ્યાણકારી થાય.(ભ્રમરોની સામે જોઈને ) ભગવન ! તમારી ચારેબાજુ જે આ શિષ્યગણ અભ્યાંસ કરે છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અને ઋષિગણ જેમ વેદની શાખાઓનું અનુશરણ કરે છે તેવી રીતે તે તમારી ચોટલીથી ખરી પડેલા ફૂલો નું સેવન કરી રહ્યા છે.(નૂપૂરોનાં શબ્દની તરફ ઈશારો કરીને ) બ્રહ્મન ! તમારા ચરણરૃપ પીંજરામાં જે તીતર બંધ છે તેનો શબ્દ તો સંભરાઈ રહ્યો છે,પરંતુ રૂપ જોવામાં નથી આવતું (કરધની સાથે પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને -) તમારા નિતંબો પર આ કદંબ કુસુમો જેવી આભા ક્યાંથી આવી ગઈ ? તેને ઉપર તો અંગારોનું મંડળ જેવું પણ દેખાઈ રહ્યું છે.પરંતુ તમારું વલ્કલવસ્ત્ર ક્યાં છે ?( કુશકુમંડિત કુંચોની તરફ નિશાન કરીને )દ્વિજ્વર ! તમારા આ બંને શિંગડાંમાં શું ભર્યું છે ?જરૂર તેમાં ખુબ જ મૂલ્ય રત્નો ભરેલા છે,તેનાથી તો તમારો મધ્યભાગ આટલો પાતળો હોવા છતાં પણ તમે તેનો બોઝો ઉઠાવી રહ્યા છો. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ અટકી ગઈ છે.અને સુભગ ! આ શિંગડા ઉપર તમે લાલ લાલ લેપ જેવું શું લગાવી રાખ્યું છે ?તેની સુગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે.મિત્રવર ! મને તો તમે આપનો દેશ બતલાવી દો, જ્યાંના નિવાસી પોતાના વક્ષ:સ્થળ પર આવા અદભુત અવયવ ધારણ કરે છે જેને અમારા જેવા પ્રાણીઓના ચિત્તને ભરમાવી દીધું છે તથા મોઢામાં વિચિત્ર હાવભાવ ,સરસ ભાષણ અને અધરામૃત જેવી અણુથી વસ્તુઓ રાખે છે.
'પ્રિયવર ! તમારું ભોજન શું છે ?જેના ખાવાથી તમારા મોઢામાંથી હવન સામગ્રી જેવી સુગંધ ફેલાઈ રહી છે.એવું લાગે છે તમે કોઈ વિષ્ણુ ભગવાનની કલા જ છો એટલે તમારા કાનોમાં ક્યારે પણ પલક ન મારનારા મકરના આકારના બે કુંડળ છે.તમારું મોઢું એક સુંદર સરોવરના જેવું છે.તેમાં તમારા બે ચંચળ નેત્રો ભયથી ધ્રૂજતી માછલીઓની માફક ,દાંતની પંકતિ હંસોના જેવી અને ઘુઘરાલી લટો ભમરાની માફક શોભાયમાન છે.તમે જયારે તમારા કરકમળોથી ચપકી મારીને આ દડો ઉછાળો છો,ત્યારે દિશા વિદિશાઓમાં જતા મારી આંખોને તો ચંચળ કરી નાખે છે.સાથે સાથે મારા મનમાં પણ ખલબલી ઉત્ત્પન્ન કરી દે છે.તમારું વાંકુ જટાજુટ ખુલી ગયું છે,તમે એને સંભાળતા નથી ? અરે ,આ ધૂર્ત પવન કેટલો દુષ્ટ છે,જે વારંવાર તમારા નીવી વસ્ત્રને ઉડાવી દે છે.તપોધન ! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારા આ અનુપ રૂપ તમે કયા તપના પ્રભાવે મેળવ્યું છે ? મિત્ર ! આવો કેટલાક દિવસો મારી સાથે તપસ્યા કરો.અથવા,ક્યાંક વિશ્વવિસ્તારની ઈચ્છાથી બ્રહ્માજીએ તો મારા પર કૃપા કરી નથી ને.સાચે જ તમે બ્રહ્માજીની જ પ્યારી દેન છો.હવે હું તમને ન છોડી શકું.તમારામાં તો મારા નયનો અને મન એવા ઉલઝી ગયા છે કે બીજે જવા જ નથી ઈચ્છતો.સુંદર શીંગડાંવાળી ! તમારું જ્યાં મન હોય ત્યાં મને પણ લઇ જાવ,હું તો તમારો અનુચર છું અને તમારી આ મંગલમયી સખીયો પણ અમારી જ સાથે રહે .'
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! આગ્નીઘ્ર દેવતાઓની જેમ બુદ્ધિશાળી અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ખુબ કુશળ હતા.તેમણે તે રીતે રતિચાતુર્યમયી મીઠી મીઠ્ઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી.વીર-સમાજમાં અગ્રગણ્ય આગ્નીઘ્રની બુદ્ધિ ,શીલ,રૂપ,અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષિત થઈને તે જંબૂદ્વીપાધિપતિ સાથે કેટલાય હજારો વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગો ભોગવતી રહી. તે દરમ્યાન નૃપવર આગ્નીઘ્રએ તેને ગર્ભથી નાભિ,કિંપુરુષ,હરિવર્ષ,ઇલાવૃત,રમ્યક,હીરણમય,કુરુ,ભદ્રાશ્વ અને કેતુમાળ નામના નવ પુત્રો ઉત્તપન્ન કર્યા.
આવી રીતે નવ વર્ષમાં દરેક વર્ષે એક ના ક્રમથી નવ પુત્રો ઉત્તપન્ન કરી પૂર્વિચિતિ તેમણે રાજભવનમાં જ છોડીને પછી બ્રહ્માજીની સેવામાં જતી રહી.આ આગ્નીઘ્રના પુત્રો માતાના અનુગ્રહથી સ્વભાવથીજ સુડોળ અને સબળ શરીરવાળા હતા.આગ્નીઘ્રએ જબુ દ્વીપના વિભાગ કરીને તેમના નામોવાળા નવ વર્ષ(ભૂખંડ) બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા.ત્યારે તે ઓ પોત પોતાના વર્ષનું રાજ્ય ભોગવવા લાગ્યા.મહારાજા આગ્નીઘ્ર રોજર રોજ ભોગો ભોગવતા રહેવાથી પણ તેઓ અતૃપ્ત જ રહ્યા.તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા.એટલા માટૅ તેમણે વૈદિક કર્મો દ્વારા તેજ લોકને મેળવ્યું,જ્યાં પિતૃગણ પોતાના સુકૃતોની રીતે જાત જાતના ભોગોમાં મસ્ટ રહે છે. પિતાના પરલોક સીધારવાથી નાભિ વગેરે નવ ભાઈઓ એ મેરુની મેરુદેવી,પ્રતિરૂપ,ઉગ્રદ્રષ્ટિ, લતા,રમ્યા,શ્યામ,નારી,ભદ્રા અને દેવવીતી નામની નવ કન્યાઓ થી વિવાહ કર્યો.
અધ્યાય ત્રીજો રાજનાભીનું ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે -રાજન ! આગ્નીઘ્રના પુત્ર નાભિને કોઈ સંતાન ન હતું,એટલે તેમણે તેમની ભાર્યા મેરુદેવીની સાથે પુત્રની કામનાથી એકાગ્રતાથી ભગવાન યજ્ઞપુરુષનો યજન કર્યો.જોકે સુંદર અંગોવાળા શ્રી ભગવાન દ્રવ્ય,દેશ,કાળ,મંત્ર,ઋત્વિજ,દક્ષિણાં અને વિધિ- આ યજ્ઞોના સાધનોથી સહેલાઈથી નથી મળતા.તોપણ તેઓ ભક્તો પર કૃપા તો કરે જ છે.એટલે જયારે મહારાજ નાભિએ વિશુદ્ધભાવથી તેમની આરાધના કરી ત્યારે તેમનું ચિત્ત પોતાના ભક્તનું અમિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઇ ગયું.જોકે તેમનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે તોપણ તેમણે પ્રવ ગર્ય પ્રવગર્ય કર્મનું અનુષ્ઠાન થતી વખતે તેને મન અને નયનોના આનંદ દેનારા અવયવોથી યુક્ત અતિ સુંદર હૃદયાકર્ષકે મૂર્તિમાં પ્રગટ કર્યા.તેના શ્રી અંગમાં રેશમી પીતામ્બર હતું,વક્ષ:સ્થળ પર સુમનોહર શ્રીવત્સ ચિન્હ સુશોભિત હતું.ભુજાઓમાં શંખ,ચક્ર,ગદા,પદ્મ,તથા ગળામાંવનમાળા અને કૌસ્તુભ મણીની શોભા હતી.આખું શરીર અંગ પ્રત્યંગ ની કાંતીને વધારનારૂ કિરણજાળ મંડિત મણિમય મુકુટ,કુંડળ,કંકણ,કરધની,હાર,બાજુબંધ અને નૂપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું.એવા પરમતેજસ્વી ચતુર્ભુજમૂર્તિ પુરુષવિશેષને પ્રગટ થયેલા જોઈ ઋત્વિજ,સદસ્ય અને યજમાન વગેરે બધા લોકો એવા આહલાદીત થયા જેમ નિર્ધન પુરુષ ધનરાશિ મેળવીને ફૂલ્યો ફુલાય નહિ.પછી બધાએ માથું નમાવીને ખુબ જ આદરપૂર્વક પ્રભુની અર્ઘ્ય દ્વારા પૂજા કરી અને ઋત્વિજોએ તેમની સ્તુતિ કરી.ઋત્વિજોએ કહ્યું - પૂજ્યતમ ! અમે આપના અનુગત ભક્ત છે,આપ અમારા ફરી ફરી પૂજનીય છો,પરંતુ અમે આપની પૂજા કરવી શું જાણીયે ? અમે તો આપને વારંવાર નમસ્કાર કરીયે છીએ - એટલુંજ અમોને મહાપુરુષોએ શીખવ્યું છે.આપ પ્રકૃતિ અને પુરુષથી પણ ઉપર છો.પછી પ્રાકૃત ગુણોના કાર્યભૂત આ પ્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી આપણા ગુણગાનમાં સર્વથા અસમર્થ એવો કોણ પુરુષ છે જે પાકૃત નામ,રૂપ તેમજ આકૃતિના દ્વારા આપના સ્વરૂપનું નિરૂપણ કરી શકે ?આપ સાક્ષાત પરમેશ્વર છો.આપના પરમ મંગલમય ગુણ આખીય જનતાના દુઃખોનું દમન કરનારા છે. જો કોઈ તેને વર્ણન કરવાનું સાહસ પણ કરે તો ફક્ત તેના એક દેશનું જ વર્ણન કરી શકે.પરંતુ પ્રભુ ! જો આપના ભકતગણો પ્રેમગદગદ વાણીથી સ્તુતિ કરતા કરતા સામાન્ય પાણી,વિશુદ્ધ પલ્લવ,તુલસી અને દરોઈના અંકુર,વગેરે સામગ્રીથી જ આપની પુંજા કરે છે તો પણ આપ બધી રીતે સંતુષ્ટ થઇ જાવ છો.અમોને તો અનુરાગ સિવાય આ દ્રવ્ય-કાળાદિ અનેકો અંગોવાળા યજ્ઞથી પણ આપનું કોઈ પ્રયોજન દેખાતું નથી.કેમકે આપથી સ્વતઃજ ક્ષણક્ષણમાં જે સંપૂર્ણ પુરુષાર્થોના ફળસ્વરૂપ પરમાનંદ સ્વભાવથી જ કાયમ પ્રાદુર્ભૂત થતા રહે છે આપ સાક્ષાત તેના સ્વરૂપ જ છો.આવી રીતે આપને આ યજ્ઞાદિથી કોઈ પ્રયોજન નથી તોપણ અનેક પ્રકારોની કામનાઓની સિદ્ધિ ચાહનારા અમારા લોકો માટે તો મનોહર સિદ્ધિનું પર્યાપ્ત સાધન આ જ હોવું જોઈએ.:આપ બ્રહ્માદિ પરમ પુરુષોની અપેક્ષા પણ પરમ શ્રેષ્ઠ છે.અમે તો તે પણ નથી જાણતા કે અમારું પરમ કલ્યાણ શેમાં છે,અને ન અમોથી આપની યથોચિત પૂજા થઇ છે,તોપણ જેવી રીતે તત્વજ્ઞ પુરુષ વગર બોલાવ્યે પણ ફક્ત કરુણાથી અજ્ઞાની પુરુષો પાસે ચાલ્યા જાય છે,એવી રીતે આપ પણ અમને મોક્ષ સંજ્ઞક તમારું પરમપદ અને અમારી અમિષ્ટ વસ્તુઓ આપવા માટે બીજા સાધારણ યજ્ઞદર્શકો ની માફક અહીં પ્રગટ થયા છો.પૂજ્યતમ ! અમને સહુથી મોટું વર તો આપે અહીં જ આપી દીધું કે બ્રહ્માદિ બધાજ વરદાયકોમાં શ્રેષ્ઠ થઈને પણ આપ રાજર્ષિ નાભિની આ યજ્ઞશાળામાં સાક્ષાત અમારા નેત્રોની સામે પ્રગટ થઇ ગયા.હવે અમે બીજું વર શું માંગીયે ?પ્રભુ ! આપના ગુણગણોનું ગાન ખુબ જ મંગલમય છે.જેમને વૈરાગ્યથી પ્રગટ થયેલી જ્ઞાનાગ્નિ દ્વારા પોતાના હૃદયના રાગ-દ્વેષાદિ બધાજ મળોને સળગાવી દીધા છે તેનાથી તેનો સ્વભાવ આપની જ માફક શાંત છે,તે આત્મારામ મુનિગણ પણ કાયમ આપના ગુણોનું ગાન કર્યા કરે છે.એટલે અમે આપથી તે જ વર માંગીયે છીએ કે પડવું,ઠોકર ખાવી,છીકવુ અથવા આળસ ખાવી અને સંકતાદિ સમયે તેમ જ તાવ અને મરણાદિ જેવી અવસ્થાઓમાં આપનું સ્મરણ ન થઇ શકવાથી પણ કોઈ રીતે આપના સકલકળીમળવિનાશક 'ભક્તવત્સલ''દીનબંધુ' વગેરે ગુણધોતક નામોનું અમે ઉચ્ચારણ કરી શકીયે.તેના સિવાય કરવાયોગ્ય ન હોવા છતાં પણ એક પ્રાર્થના બીજી છે.આપ સાક્ષાત પરમેશ્વર છો,સ્વર્ગ,અપવર્ગ વગેરે એવી કોઈ વસ્તુ નથી,જેને આપ ન આપી શકો.તોપણ જેમ કોઈ કંગાળ કોઈ ધન લૂંટાવનાર પરમ ઉદાર પુરુષની પાસે પહોંચીને પણ તેની પાસે ભુસુ જ માંગે,તેવી રીતે અમારા યજમાન આ રાજર્ષિ નાભિ સંતાન ને જ પરમ પુરુષાર્થ માનીને આપના જેવો જ પુત્ર મેળવવા માટે આરાધના કરી રહ્યા છે.એ કોઈ આશ્ચર્યની વાત નથી.આપની માયાનો પાર કોઈ મેળવી શકતું નથી અને ન તે કોઈના વશમાં જ આવી શકે છે.જે લોકોએ મહાપુરુષોનો આશ્રય નથી લીધો તેમાં એવો કોણ છે જે તેના વશમાં નથી હોતો તેની બુદ્ધિ પર તેનો પડદો નથી પડી જતો અને વિષયરૂપ ઝેરનો વેગ તેને દુષિત નથી કરી દેતો ? દેવદેવ ! આપ ભક્તોના મોટા કામો કરી આપો છો. અમેમંદમતીઓએ કામનાવશ આ તુચ્છ કામને માટે આપનું આવાહન કર્યું તે આપનો અનાદર જ છે.પરંતુ આપ સમદર્શી છો એટલે અમને અજ્ઞાનીઓની આ ધૃષ્ટતા માટે ક્ષમા કરજો. શ્રી શુકદેવજી કહે છે - રાજન ! વર્ષાધિપતિ નાભિના પૂજ્ય ઋત્વિજોએ પ્રભુની વંદના કરીને જયારે પૂર્વોક્ત સ્તોત્રથી સ્તુતિ કરી દેવ શ્રેષ્ઠ શ્રી હરિએ કરુણાવશ આ રીતે કહ્યું.શ્રી ભગવાને કહ્યું - ઋષિયો ! ખુબ જ અસમનજસની વાત છે. આપ બધા સત્યવાદી મહાત્મા છો,આપે મારાથી દુર્લભ વર માંગ્યું છે કે રાજર્ષિ નાભિને મારા જેવો પુત્ર થાય.મુનિયો ! મારા જેવો તો હું જ છું,કેમકે હું અદ્વૈતિય છું તો પણ બ્રાહ્મણોનું વચન મિથ્યા ન થવું જોઈએ,દ્વિજકુળ મારુ જ તો મોઢું છે.એટલે હું જાતે જ પોતાની અંશકળાથી આગ્નીઘ્ર નંદન નાભિને ત્યાં અવતાર લઈશ કેમકે મારા જેવું બીજું કોઈ મને દેખાતું નથી.શ્રી શુકદેવજી કહે છે - મહારાણી મેરુદેવીના સાંભળતા તેના પતિને આવી રીતે કહીને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.વિષ્ણુદત્ત પરીક્ષિત ! તે યજ્ઞમાં મહર્ષિયો દ્વારા આવી રીતે પ્રસન્ન કરવાથી શ્રી ભગવાન મહારાજ નાભિ નું પ્રિય કરવા માટે તેના રાણીવાસમાં મહારાણી મેરુદેવીના ગર્ભથી દિગંબર સન્યાસી અને ઉધ્વરેતાઃ મુનિયોના ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ સત્વમય વિગ્રહથી પ્રગટ થયા.
અધ્યાય ચોથો ઋષભદેવજીનું રાજ્યશાસન
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! નાભિનંદનના અંગ જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર અંકુશ વગેરે ચિન્હોથી યુક્ત હતા.સમતા, શાંતિ,વૈરાગ્ય અને એશ્વર્ય વગેરે મહાવિભૂતીયોને કારણે તેનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો.આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિવર્ગ,પ્રજા,બ્રાહ્મણ અને દેવતાઓની આ ઉત્કટ અભિલાષા થવા લાગી કે એ જ પૃથ્વીનું શાસન કરે.તેમના સુંદર અને સુડોળ શરીર,વિપુલ કીર્તિ,તેજ,બળ,એશ્વર્ય ,યશ,પરાક્રમ અને શૂરવીરતાવગેરે ગુણોને કારણે મહારાજા નાભિએ તેનું નામ 'ઋષભ'(શ્રેષ્ઠ) રાખ્યું
એકવાર ભગવાન ઇન્દ્રએ ઇર્ષ્યાવશ તેમના રાજ્યમાં વર્ષા ન કરી.ત્યારે યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના વર્ષ અજનાભખંડમાં ખુબ પાણી વરસાવ્યું.મહારાજ નાભિ પોતાની ઈચ્છા પ્રમાણે શ્રેષ્ઠ પુત્ર મેળવીને ખુબ જ આનંદમય થઇ ગયા અને અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય-શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન કરતા કરતા તેમનાજ લીલાવિલાસથી મુગ્ધ થઈને 'વત્સ ! તાત ! એવી ગદ ગદ વાણીમાં કહેતા કહેતા ખુબ સુખ માનવ લાગ્યા.જયારે તેમને જોયું કે મંત્રીમંડળ,નાગરિક અને રાષ્ટ્રની જનતા ઋષભદેવથી ખુબ જ પ્રેમ કરે છે,તો તેમણે તેઓને ધર્મમર્યાદાની રક્ષા માટે રાજ્યાભિષિક્ત કરી બ્રાહ્મણોની દેખભાળમાં મૂકી દીધો. અને પોતાની પત્ની મેરુદેવી સાથે બદરિકાશ્રમમાં ચાલ્યા ગયા.ત્યાં અહિંસાવૃત્તિથી ,જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલપૂર્ણ,તપસ્યા અને સમાધિ યોગના દ્વારા ભગવાન વાસુદેવના નાર-નારાયણ રૂપની આરાધના કરતા કરતા સમય આવવાથી તેમનાજ સ્વરૂપમાં લિન થઇ ગયા.
પાંડુનંદન ! રાજા નાભિની વિષયમાં આ લોકોક્તિ પ્રસિદ્ધ છે-રાજર્ષિ નાભિના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે છે -જેના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રી હરિ તેમના પુત્ર થઇ ગયા હતા.મહારાજ નાભિની માફક બ્રાહ્મણભક્ત પણ કોણ હોય શકે છે -જેની દક્ષિણાદિથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુભગવાનના દર્શન કરાવી દીધા.
ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાભખંડ ને કર્મભૂમિ માનીને લોકસંગ્રહ માટે કેટલોક સમય ગુરુકુળમાં વાસ કર્યો.ગુરુદેવને યથોચિત દક્ષિણા આપીને ગૃહસ્થમાં પ્રવેશ કરવા માટે તેમની આજ્ઞા લીધી. પછી લોકોને ગૃહસ્થ ધર્મની શિક્ષા આપવા માટે દેવરાજ ઈન્દ્રની આપેલી તેમની કન્યા જયંતીથી વિવાહ કર્યો તથા શ્રોત-સ્માર્ત્ત બંને પ્રકારના શાશ્ત્રોપદિષ્ટ કર્મોનો આચરણ કરતા કરતા તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણવાળા સો પુત્રો ઉત્તપન્ન કર્યા તેમાં મહાયોગી ભરતજી બધાથી મોટા અને બધાથી વધારે ગુણવાન હતા.તેમના નામથી લોક આ અજનાભખંડને 'ભારતવર્ષ' કહેવા લાગ્યા. તેમનાથી નાના કુશાવર્ત,ઇલાવર્ત,બ્રહ્માવર્ત,મલય,કેતુ,ભદ્રસેન,ઇન્દ્રસ્પૃક,વિદર્ભ અને કીકત-આ નવ રાજકુમાર વધેલા નેવું ભાઈઓથી મોટા તેમજ શ્રેષ્ઠ હતા.તેમનાથી નાના કવિ,હરિ,અંતરિક્ષ,,પ્રબુદ્ધ,પિપ્પલાયન,આવિહોત્ર,દ્રુમિલ,ચમસ અને કરભાજન- આ નવ રાજકુમાર ભાગવત ધર્મનો પ્રચાર કરનારા મોટા ભગવદ્ભક્ત હતા.ભગવાનની મહિમાથી મહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પવિત્ર ચરિત આપણે નારદ-વાસુદેવ સંવાદના પ્રસંગથી આગળ (અગિયારમા સ્કંધમાં )કહીશું.તેમનાથી નાના જયંતીના એક્યાસી પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા ,ખુબ જ વિનીત,મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞ કરનારા હતા.તેઓ પૂર્વ કર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઇ ગયા હતા.
ભગવાન ઋષભદેવ કદાચ પરમ સ્વતંત્ર હોવાને કારણે જાતે કાયમ જ બધા પ્રકારની અનર્થપરમ્પરાથી રહિત,ફક્ત આનંદાનુભવઃસ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા,તો પણ અજ્ઞાનીઓની માફક કર્મ કરતા કરતા તેમણે સમય પ્રમાણે પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેનું તત્વ ન જાણનારા લોકોને તેની શિક્ષા આપી.સાથે જ સમ,શાંત,સુહૃદ અને કારુણિક રહીને ધર્મ,યશ,અર્થ,સંતાન,ભોગ-સુખ અને મોક્ષનો સંગ્રહ કરતા કરતા ગૃહસ્થાશ્રમમાં લોકોને નિયમિત કર્યા.મહાપુરુષ જેવું જેવું આચરણ કરે છે બીજા લોકો તેમનુંજ અનુકરણ કરવા લાગે છે.જોકે તે બધાજ ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યોને જાણતા હતા,તો પણ બ્રાહ્મણોની બતાલાવેલી વિધિથી સામ-દાનાદિ નીતિના પ્રમાણે જ જનતાનું પાલન કરતા હતા.તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશો પ્રમાણે જુદા જુદા દેવતાઓના ઉદેશ્યથી દ્રવ્ય,દેશ,કાળ,ઉંમર,શ્રદ્ધા અને ઋત્વિજ વગેરેથી સુસંપન્ન બધા પ્રકારના સો સો યજ્ઞો કર્યા.ભગવાન ઋષભદેવના શાસનકાળમાં આ દેશનો કોઈ પણ પુરુષ પોતાને માટે કોઈથી પણ પોતાના પ્રભુ તરફ રોજ રોજ વધનારા અનુરાગ સિવાય અને કોઈ પણ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા.એ જ નહિ આકાશકુસુમાદિ અવિદયમાન વસ્તુની માફક કોઈ કોઈની વસ્તુની તરફ નજર પણ નાખતા ન હતા.એકવાર ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પહોંચ્યા.ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાનું સમાહિત ચિત્ત તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને શિક્ષા આપવા માટે આવી રીતે કહ્યું.
અધ્યાય પાંચમો ઋષભજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને જાતે અવધૂતવૃત્તિ ગ્રહણ કરવી
શ્રી ઋષભજીએ કહ્યું - પુત્રો ! આ મર્ત્યલોકમાં આ મનુષ્ય શરીર દુઃખમય વિષયભોગ મેળવવા માટે જ નથી.આ ભોગ તો વિષ્ટાભોગી સુવર કુકર વગેરેને પણ મળે છે.આ શરીરથી દિવ્ય તપ જ કરવું જોઈએ, જેનાથી હૃદય શુદ્ધ થાય,કેમકે તેનાથી અનંત બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે.શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનો અને સ્ત્રી સંગી કામિયોંના સંગને નરકનું દ્વાર બતાવ્યું છે.મહાપુરુષ તે જ છે જે સમાન ચિત્ત,પરમશાંત, ક્રોધહિન,બધાના હિત ચિંતક અને સદાચાર સંપન્ન છે.અથવા મારાજ પરમાત્માના પ્રેમને જ જે એકમાત્ર પુરુષાર્થ મને છે ફક્ત વિષયોને જ ચર્ચા કરાવનાર લોકોમાં તથા સ્ત્રી,પુત્ર અને ધન વગેરે સામગ્રીઓમાં સંપન્ન ઘરોમાં જેની અરુચિ હોય અને જે લૌકિક કાર્યોમાં ફક્ત શરીરનિર્વાહ માટે જ પ્રવૃત્ત થાય છે.મનુષ્ય સ્વભાવવશ જરુર કુકર્મ કરવા લાગે છે,તેની આ પ્રવૃત્તિ ઇન્દ્રિયોને સંતોષ કરવા માટે જ હોય છે.હું તેને સારું નથી માનતો,કેમકે તેના લીધે આત્માને આ અસત અને દુઃખદાયક શરીર મળે છે.જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા નથી થતી ત્યાં સુધી અજ્ઞાનવશ દેહાદિના દ્વારા તેનું સ્વરૂપ છુપાયેલું રહે છે. જ્યાં સુધી આ લૌકિક-વૈદિક કર્મોમાં ફસાયેલો રહે છે,ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ પણ થયા કરે છે અને તેનાથી દેહબંધનની પ્રાપ્તિ થાય છે.આવી રીતે અવિદ્યાના દ્વારા આત્મસ્વરૂપના ઢંકાઈ જવાથી કર્મવાસનાઓથી વશીભૂત થયેલું મન મનુષ્યને પાછું કર્મમાંજ પ્રવૃત કરે છે.એટલે જ્યાંસુધી તેને હું વાસુદેવમાં પ્રીતિ નથી થતી ત્યાં સુધી તે દેહબંધનથી છૂટી નથી શકતો.સ્વરતમાં ગાંડો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્રય લઇ ઇંદ્રિયોની ચેષ્ટાઓને મિથ્યા નથી જોતો ત્યાં સુધી આત્મસ્વરૂપ્ની સ્મૃતિ ખોવાઈ જવાને કારણે તે અજ્ઞાનવશ ગૃહ વગેરેમાં આસક્ત રહે છે અને જાત જાતના ક્લેશ ભોગવતો રહે છે.સ્ત્રી અને પુરુષ -એ બંનેના જે એકબીજા માટે દામ્પત્યભાવ છે,તેને પંડીતલોકો તેના હૃદયની બીજી સ્થૂળ તેમજ દુર્ભેદય ગ્રંથિ કહે છે દેહાભિમાનરૂપ એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો જુદી જુદી તેમાં પહેલેથી જ છે.તેના કારણે જીવને દેહન્દ્રિયાદિ થી વધારે ઘર,ખેતર,પુત્ર,સ્વજન અને ધન વગેરેમાં પણ 'હું ' અને 'હુંપણા'નો મોહ થઇ જાય છે.જે વખતે કર્મવાસનાઓને કારણે પડેલી તેની તે દ્રઢ હૃદય ગ્રંથિ ઢીલી પડી જાય છે તે વખતે તે દામ્પત્યભાવથી નિવૃત થઇ જાય છે.અને સંસારના હેતુભૂત અહંકારને ત્યાગીને બધાજ પ્રકારના બંધનથી મુક્ત થઇ પરમપદ પ્રાપ્ત કરી લે છે.પુત્રો ! સંસારસાગરથી પાર થવામાં કુશળ તથા ધૈર્ય,ઉદ્યમ તેમ જ સત્વગુણ વિશિષ્ઠ પુરુષને બધાના આત્મા અને ગુરુસ્વરૂપ મને ભગવાનમાં ભક્તિભાવ રાખવો,મારે પારાયણ રહેવું,તૃષ્ણાઓ ત્યાગવી,સુખ દુઃખ વગેરે દ્વન્દ્વોને સહન કરવાથી 'જીવને બધી યોનિયોમાં દુઃખ જ ઉઠાવવું પડે છે 'તે વિચારથી,તત્વ જિજ્ઞાસાથી,તાપથી,સકામ કર્મના ત્યાગથી,મારા માટે જ કર્મ કરવાથી,મારી કથાઓને નિયમિત સાંભળવાથી,મારા ભક્તોની સાથે અને મારા ગુણોના ભજનથી,વૈરત્યાગથી,સમતાથી,શાંતિથી,અને શરીર તથા ઘર વગેરેમાં હું અને હુંપણાના ભાવને ત્યાગવાની ઈચ્છાથી,અધ્યાત્મશાસ્ત્રના અનુશિલનથી,એકાંત સેવવાથી,પ્રાણ,ઇન્દ્રિય અને મનના સંયમથી, શાસ્ત્ર અને સત્પુરુષોના વચનમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી,પૂર્ણ બ્રહ્મચર્યથી,કર્તવ્ય કર્મોમાં નિરંતર સાવધાન રહેવાથી,વાણીના સંયમથી,બધે મારી જ સત્તા જોવાથી,અનુભવ જ્ઞાન સાથે તત્વ વિચારથી અને યોગસાધનાથી અહંકારરૂપ પોતાના લિંગશરીરને લિન કરી દેવું જોઈએ. મનુષ્યએ એ કરવું કે તે સાવધાન રહીને અવિદ્યાથી મળેલું આ હૃદયગ્રંથીરૂપ બંધનને શાસ્ત્રોક્ત રીતથી આ સાધનોના દ્વારા સારી રીતે કાપી નાખે,કેમકે તે જ કર્મસંસ્કારોનું રહેવાનું સ્થાન છે.તે ઉપરાંત સાધનનો પણ પરિત્યાગ કરી દે.
જેમને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતા હોય - તે રાજા હોય તો પોતાની અબોધ પ્રજાને,ગુરુ પોતાના શિષ્યને અને પિતા પોતાના પુત્રોને આવી જ શિક્ષા આપે.અજ્ઞાનના કારણે જો તે કદાચ શિક્ષાને અનુસરી ન ચાલે અને કર્મને જ પુરુષાર્થ માનતો રહે,તો પણ તેના પાર ક્રોધ કર્યા વગર સમજાવી બુઝાવીને કર્મમાં પ્રવૃત ન થવા દે. તેને વિષયાસક્તિયુક્ત કામયક્રમોમાં લગાવવો તો એવુજ છે,જેમ કોઈ આંધળા મનુષ્યને જાણીજોઈને ખાડામાં ધકેલી દેવો.તેનાથી ભલા કયા પુરુષાર્થની સિદ્ધિ થઇ શકે છે.પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે તે લોકો નથી જાણતા,એટલે તેઓ જાતજાતની ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખો માટે અંદરોદર વેર બાંધી લે છે અને કાયમ વિષયભોગો માટે પ્રયત્ન કરતા રહે છે.તે મૂર્ખ એ વાત પાર પણ વિચાર નથી કરતા કે આ વેર વિરોથનું કારણ નરક વગેરે અનંત દુઃખોની પ્રાપ્તિ થશે..ખાડામાં પડવા માટે ઊંધા રસ્તામાં જતા મનુષ્યને જેમ આંખવાળો પુરુષ તે તરફ જવા નથી દેતો,તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતા જોઈને કોણ એવો દયાળુ અને જ્ઞાની પુરુષ હશે જે જાણીજોઈને પણ તેને તે રસ્તા પર જવા દે, અથવા જવા માટે પ્રેરણા કરે.જે પોતાના પ્રિય સબંધીને ભગવત્ભક્તિનો ઉપદેશ આપીને મૃત્યુની ફાંસીથી નથી છોડાવતો,તે ગુરુ ગુરુ નથી,સ્વજન સ્વજન નથી,પિતા પિતા નથી,માતા માતા નથી,ઇષ્ટદેવ ઇષ્ટદેવ નથી અને પતિ પતિ નથી.
મારા આ અવતાર-શરીરનું રહસ્ય સાધારણ જનોને માટે બુદ્ધિગમ્ય નથી.શુદ્ધ સત્વ જ મારુ હૃદય છે,અને તેમા ધર્મની સ્થિતિ છે,મેં અધર્મને મારાથી ખુબ જ દૂર પાછળની બાજુ ધકેલી દીધો છે.એટલે સત્પુરુષ મને 'ઋષભ' કહે છે.તમે બધા મારા તે શુદ્ધ સત્વમાંય હૃદયથી ઉત્તપન્ન થયા છો.એટલે મત્સર છોડી મોટાભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી મારીજ સેવા કરી છે અને તેજ તમારું પ્રજાપાલન પણ છે.બીજા બધા ભૂતોની અપેક્ષા વૃક્ષ ખુબ જ શ્રેષ્ઠ છે,તેનાથી ચાલનારા જીવ શ્રેષ્ઠ છે અને તેનામાં પણ જીવડાંની અપેક્ષા જ્ઞાનયુક્ત પશુ વગેરે શ્રેષ્ઠ છે.પશુઓથી મનુષ્ય,મનુષ્યોથી પ્રમથગણ, પ્રમથોથી ગંધર્વ,ગંધર્વોથી સિદ્ધ અને સિદ્ધોથી દેવતાઓના અનુયાયી કિન્નરાદિ શ્રેષ્ઠ છે.તેનાથી અસુર,અસુરોથી દેવતા, અને દેવતાઓથી પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે.ઈન્દ્રથી પણ શ્રેષ્ઠ બ્રહ્માજીના પુત્ર દક્ષાદિ પ્રજાપતિ શ્રેષ્ઠ છે.બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર બધાથી શ્રેષ્ઠ છે.તે બ્રહ્માજીથી ઉત્તપન્ન થયા છે એટલે બ્રહ્માજી તેમનાથી શ્રેષ્ઠ છે.તે પણ મારાથી ઉત્તપન્ન થયા છે અને મારી ઉપાસના કરે છે એટલે હું તેમનાથી પણ શ્રેષ્ઠ છું.પરંતુ બ્રાહ્મણ મારાથી પણ શ્રેષ્ઠ છે કેમકે હું તેમને પૂજ્ય માનું છું.
(સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને લક્ષ્ય કરીને )વિપ્રગણ ! બીજા કોઈ પ્રાણીઓને હું બ્રાહ્મણોની બરાબર નથી સમજતો પછી તેમનાથી વધારે તો માનીજ કેમ શકું છું.લોક શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરે આહુતિ નાખે છે તેને હું જેવી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું તેમ અગ્નિહોત્રમાં હોમ માટે આપેલી સામગ્રીને સ્વીકાર નથી કરતો. જેને આ લોકમાં અધ્યયન વગેરે દ્વારા મારી વેદરૂપ અતિ સુંદર અને પુરાતન મૂર્તિને ધારણ કરી રાખી છે તથા જે પરમ પવિત્ર સત્વગુણ,શમ,દમ,સત્ય,દયા,તપ,તિતિક્ષા અને જ્ઞાનાદિ આઠ ગુણોથી સંપન્ન છે.-તે બ્રાહ્મણોથી વધારે બીજું કોણ હોય શકે છે.હું બ્રહ્માદીથી પણ શ્રેષ્ઠ અને અનંત છું તથા સ્વર્ગ મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય રાખું છું,પરંતુ મારા અકિંચન ભક્ત એવા નિસ્પૃહ થાય છે કે તે મારાથી પણ ક્યારે કઈ નથી માંગતા ,પછી રાજ્યાદિ બીજી વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેવી રીતે કરી શકે છે ?
પુત્રો! તમો સંપૂર્ણ ચરાચર ભૂતોને મારુ જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી પગલે પગલે તેની સેવા કરો.અહીં મારી સાચી પૂજા છે.મન,વચન,નજર તથા અન્ય ઇંદ્રિયોની ચેષ્ટાઓનું ફળ મારુ આવા પ્રકારનું પૂજન જ છે.તેના વગર મનુષ્ય પોતાને મહામોહમય કાલપાશથી છોડાવી નથી શકતો.
શ્રી શુકદેવજી કહે છે - રાજન !ઋષભદેવનો પુત્ર કદાચ જાતેજ બધી રીતે સુશિક્ષિત હતો,તો પણ લોકોને શિક્ષા આપવાના ઉદેશ્યથી મહાપ્રભાવશાળી પરમ સૃહદ ભગવાન ઋષભે તેને એવી રીતે ઉપદેશ આપ્યો.ઋષભદેવજીના સો પુત્રોમાં ભરત બધાથી મોટો હતો.તે ભગવાનના પરમ ભક્ત અને ભગવતભક્તોના પરાયણ હતો.ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેને રાજગાદી ઉપર બેસાડી દીધો અને જાતે ઉપરામશીલ નિવૃતપરાયણ મહામુનિયોની ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યરૂપ પરમહંસોચીત ધર્મોની શિક્ષા આપવા માટે એકદમ વિરક્ત થઇ ગયા.ફક્ત શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને બધુજ ઘરપર રહેતાજ છોડી દીધું.હવે તે વસ્ત્રોનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઇ ગયા તે વખતે તેમના વાળ વિખરાયેલા હતા.ઉન્મત્તના જેવો વેશ હતો.આ સ્થિતિમાં તે આહવાનિય(અગ્નિહોત્રની)અગનિયોને પોતાનામાં જ લિન કરીને સન્યાસી થઇ ગયા અને બ્રહ્માવર્ત દેશથી બહાર નીકળી ગયા.તે સર્વથા મૌન થઇ ગયા હતા.કોઈ વાત કરવા ઇચ્છતું તો બોલતા જ ન હતા.જડ,આંધળા,બહેરા,ગૂંગા,પિશાચ અને ગાંડાના જેવી ચેષ્ટા કરતા કરતા તે અવધૂત બની જ્યાં ત્યાં ફરવા લાગ્યા ક્યારેક નગરો અને ગામોમાં ચાલ્યા જતા તો ક્યારે ખાનોમાં,ખેડૂતોની વસ્તીઓ,બગીચો,પહાડી ગામો,સેનાની છાવણીયો,ગાયશાળાઓ,આહીરોની વસ્તીઓ અને યાત્રિયોના રહેવાના સ્થાનોમાં રહેતા.ક્યારે પહાડો,જંગલો અને આશ્રમ વગેરેમાં ફરતા.તે કોઈ પણ રસ્તાથી નીકળતા તો જે રીતે વનમાં ફરનારા હાથીયોને માંખીઓ હેરાન કરે છે તે રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન કરતા.કોઈ ધમકી આપતા,કોઈ મારતા,કોઈ પેશાબ કરી દેતા,કોઈ થુંકતા,કોઈ ધેલા મારતા,કોઈ વિષ્ટા અને ધૂળ ફેંકતા,કોઈ ગંદો વાયુ છોડતા અને કોઈ ખોટી ખરી સંભળાવી તેનો તિરસ્કાર કરતા.પરંતુ તે એવી વાતો પર બિલકુલ ધ્યાન નહિ આપતા.તેનું કારણ એ હતું કે ભ્રમથી સત્ય કહેવાતું આ મિથ્યા શરીરમાં તેમની અહંતા-મમતા થોડી પણ ન હતી.તે કાર્ય કારણરૂપ સંપૂર્ણ પ્રપજ્ઞ ના સાક્ષી થઈને પોતાના પરમાત્મ સ્વરૂપમાં જ સ્થિત હતા.એટલે અખંડ ચિત્તવૃત્તિથી એકલા જ પૃથ્વી પર ફરતા રહેતા હતા.જોકે તેમના હાથ,પગ,છાતી લાંબી લાંબી બાહો,ખભા,ગળું અને મોઢું વગેરે અંગોની બનાવટ ખુબ જ સુકુમાર હતી.તેમનું સ્વભાવથી જ સુંદર મોઢું સ્વાભાવિક મધુર મુસ્કુરાહટથી વધારે મનોહર દેખાતું હતું.આંખો નવા કમલદલના જેવી ખુબ જ સુંદર મહોટી તેમજ કૈક લાલસાથી ભરેલી હતી,તેમની પુતળીયો ઠંડી અને સત્તાપહારીની હતી.તે આંખોને કારણે તેઓ ખુબ જ મનોહર દેખાતા હતા.કપાળ,કાં અને નાસિકા નાના મોટા ન થઈને સરખા તેમ જ સુંદર હતા.અને તેમનું અસ્ફૂટ હાસ્યયુક્ત મનોહર મુખારવિંદ ની શોભાને જોઈને પુરનારીયોના મનમાં કામદેવનો સંચાર થઇ જતો હતો.તોપણ તેમના મોઢાની આગળ જે ભૂરા રંગની લાંબી લાંબી ઘુઘરાલી લટો લટકતી રહેતી હતી,તેમના મહાન ભાર અને અવધૂતોની જેમ ધૂળધૂસરિત દેહના કારણે તેઓ ગ્રહગ્રસ્ત મનુષ્ય જેવા દેખાતા હતા.
જયારે ભગવાન ઋષભદેવે જોયું કે આ જાણતા યોગસાધનામાં વિઘ્નરૂપ છે અને તેનાથી બચવાનો ઉપાય બિભત્સવૃત્તિથી રહેવાનો જ છે ત્યારે તેમણે અજગરવૃત્તિ ધારણ કરી લીધી.તેઓ સુતા સુતા જ ખાવું પીવું,ચાવવું અને મળમૂત્ર ત્યાગ કરવા લાગ્યા.તેઓ પોતાના ત્યાગેલા મળમાં સુઈ સૂઈને શરીરને તેનાથી લેપી લેતા.(પરંતુ) તેમના મળમાં દુર્ગંધ ન હતી,ખુબ જ સુગંધ હતી.અને વાયુ તે સુગંધને લઈને તેમની ચારે બાજુ દસ યોજન સુધી આખા દેશને સુગંધિત કરી દેતી હતી.આવી રીતે ગાય,મૃગ અને કર્મકાંદિની વૃત્તિયોને સ્વીકાર કરીને તે તેમની માફક જ ક્યારેક ચાલતા ચાલતા ,ક્યારેક ઉભા ઉભા ,ક્યારેક બેઠેલા,અને ક્યારેક સુતા સુતા જ ખાવા પીવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગતા હતા.પરીક્ષિત ! પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા આપવા માટે આવી રીતે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે કેટલીય જાતની યોગચર્યાઓનું આચરણ કર્યું.તેઓ સતત સર્વશ્રેષ્ઠ મહાન આનંદનો અનુભવ કરતા રહેતા હતા.તેમની નજરમાં નિરુપાધિકરૂપથી બધાજ પ્રાણીઓના આત્મા પોતાના આત્મસ્વરૂપ ભગવાન વાસુદેવથી કોઈ પ્રકારનો ભેદ ન હતો.એટલે તેમના બધાજ પુરુષાર્થ પૂર્ણ થઇ ગયા હતા.તેમની પાસે આકાશગમન,મનોજવીત્ય ( મનની ગતિની માફક જ શરીરનું પણ ઈચ્છા કરતા જ બધે પહોંચી જવું ),અંતર્ધ્યાન,પરકાયપ્રવેશ(બીજાના શરીરમાં પ્રવેશ કરવો ),બીજાઓની વાતો સાંભળી લેવી અને દૂરના દ્રશ્યો જોઈ લેવા વગેરે બધાજ પ્રકારની સિધ્ધિયો પોતાની જાતે જ સેવા કરવા આવી પણ તેમણે તેનો મનથી આદર અથવા ગ્રહણ ન કરી.
અધ્યાય છઠ્ઠો ઋષભદેવજીનો દેહત્યાગ
રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન ! યુગપુરુષ વાયુથી પ્રજ્વલિત થયેલી જ્ઞાનાગ્નિથી જેના રાગાદિ કર્મબીજ દગ્ધ થઇ ગયા છે - તે આત્મારામ મુનિયોને નસીબજોગે જો જાતેજ અણિમાદિ સિધ્ધિયો મળી જાય તો તેઓ તેમના રાગ-દ્વેષાદિ કલેશોનું કારણ તો કોઈ પ્રકારે હોઈ નહિ શકતી, પછી ભગવન ઋષભે તેમનો સ્વીકાર કેમ ન કર્યો ?
શ્રી શુકદેવજીએ કહ્યું - તમારું કહેવું બરાબર છે,પરંતુ સંસારમાં જેમ ચાલાક વાઘ પોતાનું પકડેલું મૃગનો વિશ્વાસ નથી કરતો,તે રીતે બુદ્ધિમાન લોક આ ચંચળ મનનો ભરોષો નથી કરતા.એવું કહ્યું પણ છે -'આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મિત્રતા નહિ કરવી જોઈએ.તેમાં વિશ્વાસ કરવાથી જ મોહિનીરૂપથી ફસાઈને મહાદેવજીનું લાંબાસમયનું મેળવેલું તપ ક્ષીણ થઇ ગયું હતું.જેમ વ્યભિચારિણી સ્ત્રી જાર પુરુષોને અવકાશ આપીને તેમના દ્વારા પોતાનામાં વિશ્વાસ રાખનારા પતિનો વધ કરાવી નાખે છે -તેવી રીતે જો યોગી મન ઉપર વિશ્વાસ કરે છે, તેમનું મન કામ અને તેનો સાથી ક્રોધાદિ શત્રુઓને આક્રમણ કરવાનો અવસર આપીને તેમને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે. કામ,ક્રોધ,મદ,લોભ,મોહ અને ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો આ મન જ છે.તેના પર કોઈ પણ બુદ્ધિમાન કેવી રીતે વિશ્વાસ કરી શકે છે ?
તેનાથી ભગવાન ઋષભદેવ કદાચ ઈંદ્રાદિ બધા લોકપાલોના પણ ભૂષણસ્વરૂપ હતા તો પણ તે જડ પુરુષોની માફક અવધૂતોં જેવા વિવિધ વેષ,ભાષા,અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવતા રહેતા હતા.અંતમાં યોગીઓને દેહત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાનું શરીર છોડવા વિચાર્યું.તે પોતાના હૃદયમાં અભેદરૂપથી સ્થિર પરમાત્માને અભિન્નરૂપથી જોતા જોતા વાસનાઓની અનુવૃત્તિથી છૂટીને લિંગદેહના અભિમાનથી પણ મુક્ત થઇ ઉપરામ થઇ ગયા.આવી રીતે લિંગદેહથી મુક્ત ભાગવાન ઋષભદેવજીણું શરીર યોગમાયાની વાસનાથી ફક્ત અભિમાનભાસને આશ્રય જ આ પૃથ્વીતલ પર ફરતું રહ્યું.આ દૈવવશ કોંક,વેંગ,અને દક્ષિણ વગેરે કુતર્ક કર્ણાટકના દેશોમાં ગયા, અને મોઢામાં પથ્થરના ટુકડા નાખી તથા વાળ વિખેરી ઉન્મત્તની માફક દિગંબરરૂપથી કુટકાચલના વનમાં ફરવા લાગ્યા.તે વખતે વાવાઝોડાથી ઝૂલતા વાસોના ઘર્ષણથી પ્રચંડ દાવાગ્નિ ભભૂકી ઉઠી અને તેણે આખા વનને પોતાની લાલ લાલ લપેટોમાં લઇ ઋષભદેવજી સાથે ભસ્મ કરી નાખ્યું.
રાજન ! જે વખતે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થશે તે વખતે કોંગ,વેંગ અને કુટક દેશના મંદમતી રાજા અર્હત ત્યાંના લોકોમાં ઋષભદેવજીના આશ્રમાતીત આચરણનું વૃતાન્ત સાંભળીને તથા જાતે તેને ગ્રહણ કરીને લોકોના પૂર્વસંચિત પાપફળસ્વરૂપ હોનહારને વશીભૂત થઇ ભયરહિત સ્વધર્મ પથનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિથી અનુચિત અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે.તેનાથી કળિયુગમાં દેવમાયાથી મોહિત અનેકો અધમ મનુષ્ય પોતાની શાસ્ત્રવિહિત વિચાર અને આચારને છોડી દેશે. અધર્મબહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઇ જવાને કારણે તે સ્નાન ન કરવું,આચમન ન કરવું ,અશુદ્ધ રહેવું,કેશ કોચાવવાં વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડ ધર્મોને મનમાન્યા ઢંગથી સ્વીકાર કરશે,અને ફરીથી વેદ,બ્રાહ્મણ તેમજ ભગવાન યજ્ઞપુરુષની નિંદા કરવા લાગશે.તે પોતાની આ નવીન અવૈદિક સ્વેચ્છાકૃત પ્રવૃત્તિમાં અંધપરંપરાથી વિશ્વાસ કરીને મતવાલા રહેવાને કારણે જાતેજ ઘોર નર્કમાં પડીશું.
ભગવાનનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષમાર્ગની શિક્ષા આપવા માટે જ થયો હતો.તેમના ગુણોના વર્ણન કરતા લોકો આ વાક્યને કહયા કરે છે -‘અહો ! સાત સમુદ્રોવાળી પૃથ્વીના બધાજ દ્વીપ અને વર્ષોમે આ ભારતવર્ષ ખુબ જ પુણ્યભૂમિ છે.કેમકે અહીંના લોક શ્રી હરિના મંગલમય અવતાર ચરિત્રોનું ગાન કરે છે.અહો ! મહારાજ પ્રિયવ્રતનો વંશ ખૂબ જ ઉજ્જવળ તેમ જ સૂયશપૂર્ણ છે,જેમાં પુરાણપુરુષ શ્રી આદિનારાયણને ઋષભવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર પરમહંસય ધર્મનું આચરણ કર્યું.અહો ! આ જન્મરહિત ભગવાન ઋષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે છે.કેમકે યોગિલોક જે યોગસિદ્ધિયોને માટે લાલાયિત થઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તેને તેમણે એમનેએમ મળી જવાથી પણ અસત સમજીને ત્યાગી દીધું હતું .’
રાજન ! આવી રીતે સંપૂર્ણ વેદ,લોક,દેવતા,બ્રાહ્મણ અને ગાયોના પરમગુરુ ભગવાન ઋષભદેવનું ચરિત્ર મેં તમને સંભળાવ્યું.તે મનુષ્યોના બધા પાપોને હરનાળુ છે.જે મનુષ્ય આ પરમ મંગલમય પવિત્ર ચરિત્રને એકાગ્રચિત્તથી શ્રદ્ધાપૂર્વક નિરંતર સાંભળે અથવા સંભળાવે તે બંનેની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઇ જાય છે.જાત જાતના પાપોથી પૂર્ણ સાંસારિક તાપોથી ખુબ જ તપેલા પોતાના હૃદયને પંડિતજનો આ ભક્તિની નદીમાં જ નિત્ય નિરંતર નવડાવ્યા કરે છે.તેનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમયી હોય છે કે પછી તે લોકો તેની સામે એમનેએમ મળેલું મોક્ષરૂપ પરમ પુરુષાર્થનો પણ આદર નથી કરતા.ભગવાનના નિજજન થઇ જવાથી જ તેમના બધા પુરુષાર્થ સિદ્ધ થઇ જાય છે.
રાજન ! ભગવાન શ્રી કૃષ્ણ જાતે પાંડવોના અને યદુવંશીયોના રક્ષક,ગુરુ,ઇષ્ટદેવ,સૃહદ અને કુલપતિ હતા.એટલેસુધી કે તેઓ ક્યારેક ક્યારેક આજ્ઞાકારી સેવક પણ બની જતા હતા.એવી રીતે ભગવાન બીજા ભક્તોના પણ અનેકો કાર્ય કરી શકે છે અને તેને મુક્તિ પણ આપી દે છે,પરંતુ મુક્તિથી વધારે જે ભક્તિયોગ છે તેને સહેલાઈથી નથી આપતા.નિરંતર વિષયભોગોની અભિલાષા કરવાના કારણે પોતાના વાસ્તવિક શ્રેયથી લાંબા સમય સુધી બેશુદ્ધ થયેલા લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આતમલોકનો ઉપદેશ આપ્યો અને જે જાતે નિરંતર થનારા આત્મસ્વરૂપ્ની પ્રાપ્તિથી બધીજ પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે.
રાજા પરીક્ષિતે પૂછ્યું - મુને ! મહારાજ પ્રિયવ્રત તો મોટા ભગતભક્ત અને આત્મારામ હતા. તેમને ગૃહસ્થાશ્રમમાં કેમ રુચિ થઇ,જેમાં ફસાવવાથી મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઇ જાય છે,અને તે કર્મબંધનમાં બંધાઈ જાય છે ? પ્રિયવર ! જરૂરથી આવા નિઃસંગ મહૉપરુષો નું આવી રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવું સારું નથી.એમાં કોઈ જાતનો સંદેહ નથી કે જેનું ચિત્ત પુર્ણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઇ ગયા છે,તેવા મહાપુરુષોની કૂટુંબાદિમાં ક્યારેય આસક્તિ નથી થઇ શકતી બ્રહ્મન ! મને એ વાતની મોટી શંકા છે મહારાજ પ્રિયવ્રતે સ્ત્રી,ઘર અને પુત્રાદિમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી,અને તેમની કેવી રીતે શ્રી કૃષ્ણમાં અવિચલ ભક્તિ થઇ.
શ્રી શુકદેવજીએ કહ્યું - રાજન ! તમારું કહેવું બરાબર છે.જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણકમલ મકરંદના રસમાં ડૂબી ગયું છે તે કોઈ વિઘ્ન,વાંધાને કારણે રુકાવટ આવવાથી પણ ભગવદ્ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથા શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ફરી છોડતા નથી.રાજન ! રાજકુમાર પ્રિયવ્રત ખુબ જ ભગવદ્ભક્ત હતા, શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહેલાઈથી પરમાર્થ તત્વ નો બોધ મળી ગયો હતો.તેઓ બ્રહ્મસત્રની દીક્ષા -નિરંતર બ્રહ્માભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેવાના જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વાયંભુવ મનુએ તેમને પૃથ્વી પાલન માટે શાસ્ત્રમાં બતાવેલા બધાજ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણ સંપન્ન જોઈ રાજ્ય શાસન માટે આજ્ઞા આપી.પરંતુ પ્રિયવ્રત અખંડ સમાધિયો દ્વારા પોતાની બધીજ ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પણ કરી દીધા હતા.એટલે પિતાની આજ્ઞા નું કોઈ પ્રકારે ઉલ્લંઘન ન કરવાયોગ્ય હોવા છતાં,એવું વિચારી રાજ્યાધિકાર મેળવી મારુ આત્મસ્વરૂપ સ્ત્રી -પુત્રાદિ જુઠા પ્રપંચમાં આચ્છાદિત થઇ જશે.- રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થતત્વને ફરીથી ભૂલી જઈશ,તેમણે તેનો સ્વીકાર ન કર્યો.
આદિદેવ સ્વાયંભુવ ભગવાન બ્રહ્માજીને કાયમ આ ગુણમય પ્રપંચની બુદ્ધિનો જ વિચાર રહે છે.તેઓ આખાય જગતના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે.જયારે તેમણે પ્રિયવ્રતની એવી પ્રવૃત્તિ જોઈ ,ત્યારે તે મૂર્તિમાન ચારેય વેદ અને મરીચિ આદિ પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા.આકાશમાં જ્યાં ત્યાં વિમાનો પર ચઢીને ઈંદ્રાદિ મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમનું પૂજન કર્યું,.તથા માર્ગમાં ટોળીયો બનાવીને આવેલા સિદ્ધ,ગંધર્વ,સાધ્ય, ચારણ અને મુનિજનોએ સ્તવન કર્યું.એવી રીતે બધી જગ્યાએ આદર અને સન્માન મેળવતા મેળવતા તે સાક્ષાત નક્ષત્ર નાથ ચંદ્રમા ની માફક ગંધ માદનની ઘાંટીને પ્રકાશિત કરતા કરતા પ્રિયવ્રત પાસે પહોંચ્યા.પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે ત્યાં નારદજી પણ આવેલા હતા.બ્રહ્માજીના ત્યાં પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજી જાણી ગયા કે અમારા પિતા બ્રહ્માજી પધાર્યા છે,એટલે તેઓ સવયંભૂવ મનુ અને પ્રિયવ્રતની સાથે તરત ઉભા થઇ ગયા,અને બધાએ તેમને હાથ જોડીને પ્રણામ કર્યા.પરીક્ષિત ! નારદજીએ તેમની દરેક પ્રકારે પૂજા કરી,અને સુમુધુર વચનોથી તેમના ગુણ અને અવતારની ઉત્કૃષ્ટાનું વર્ણન કર્યું.ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રતની તરફ મંદ મુસ્કરાહતભરી દ્રષ્ટિથી જોતા આવી રીતે કહ્યું.
શ્રી બ્રહ્માજી બોલ્યા- બેટા ! હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું તે ધ્યાન દઈને સાંભળ.તારે અપ્રમેય શ્રી હરિ તરફ કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ ન રાખવી જોઈએ.તું જ શું- હું,મહાદેવજી,તારા પિતા સ્વાયંભુવ મનુ અને તમારા ગુરુ
આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તેમની આજ્ઞાનું જ પાલન કરીયે છીએ.તેમના વિધાનને કોઈ દેહધારી ન તો તપ,વિદ્યા,યોગબલ અથવા બુધ્ધિબળથી,ન અર્થ અથવા ધર્મની શક્તિથી અને ન જાતે અને ન બીજાની સહાયતાથી ટાળી શકે છે.પ્રિયવર ! તેજ અવ્યક્ત ઈશ્વરના આપેલા શરીરને બધા જીવ જન્મ,મરણ,શોક,મોહ,ભય અને સુખ દુઃખનો ભોગ કરવા તથા કર્મ કરવા માટે કાયમ ધારણ કરે છે.વત્સ ! જેવી રીતે દોરીથી નાઠેલુ પશુ મનુષ્યોનો બોઝ ઢસેડે છે,તેવી રીતે પરમાત્માની વેદવાણીરૂપ મોટી દોરીથી સત્વાદિ ગુણ, સાત્વિક આદિ કર્મ,અને તેના બ્રાહ્મણાદિ વાક્યોની મજબૂત દોરીથી જકડાયેલા અમે બધા લોકો તેમની જ ઈચ્છા પ્રમાણે લાગ્યા રહીયે અને તેમની દ્વારા જ તેમની પૂજા કરતા રહે છે.અમારા ગુણ અને કર્મોના પ્રમાણે પ્રભુએ અમોને જે યોનિમાં નાખ્યા છે તેનો સ્વીકાર કરીને તેઓ જેવી વ્યવસ્થા કરે છે તે પ્રમાણે આપણે સુખ અને દુઃખ ભોગવતા રહીયે છીએ.અમોને તેમની ઈચ્છાનું એવી રીતે અનુશરણ કરવું પડે છે જેમ આંધળાને આંખવાળા પુરુષનું.
મુક્ત પુરુષ પણ નસીબનો ભોગ કરતો કરતો ભગવાનની ઈચ્છા પ્રમાણે પોતાના શરીરને ધારણ કરે જ છે,બસ તેમ જ જેમ મનુષ્યની ઊંઘ ઉડી જવાથી પણ સ્વપ્નમાં અનુભવ કરેલા પદાર્થોનું સ્મરણ થાય છે.આ અવસ્થામાં પણ તેને અભિમાન નથી થતું,અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે,તેને તે સ્વીકાર નથી કરતો.જે પુરુષ ઇન્દ્રિયોને વશીભૂત છે,તે વને વનમાં ફરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય થતો રહે છે કેમકે વગર જીવ્યે મન અને ઇન્દ્રિયરૂપી તેના છ શત્રુ ક્યારેય તેનો પીછો નથી છોડતા.જે બુદ્ધિમાન પુરુષ ઇન્દ્રિયોને જીતીને પોતાની આત્મામાં જ સ્મરણ કરે છે તેનું ગૃહસ્થાશ્રમ પણ શું બગાડી શકે છે ?જેને આ છ શત્રુઓને જીતવાની ઈચ્છા છે,તે પહેલા ઘરમાં રહીને જ તેનો ખુબ જ નિરોધ કરતા કરતા તેને પોતાના વશમાં કરવાનો પ્રયત્ન કરે.કિલ્લામાં સુરક્ષિત રહીને લડનારો રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે.પછી જયારે તે શત્રુઓનું બળ એકદમ ઓછું થઇ જાય, ત્યારે વિદ્વાન પુરુષ પોતાની ઈચ્છા પ્રમાણે ફરી શકે છે.તું કદાચ શ્રી કમલનાભઃ ભગવાનના ચરણકમલ ની ક્લૉરૂપ કિલ્લાનો આશ્રિત રહીને આ છ એ શત્રુને જીતી ચુક્યો છે,તો પણ પહેલા તું પુરાણપુરુષે આપેલા ભોગોને ભોગવ,તેના પછી નિઃસંગ થઈને પોતાના આત્મરૂપમાં સ્થિર થઇ જજે.
શ્રીશુકદેવજી કહે છે- જયારે ત્રિલોકીના ગુરુ શ્રી બ્રહ્માજીએ એવી રીતે કહ્યું ,તો પરમ ભાગવત પ્રિયવ્રતે નાના હોવાને કારણે નમ્રતાથી માથું નમાવી લીધું અને ‘ જે આજ્ઞા’ એમ કહી ખુબ જ આદરપૂર્વક તેમનો આદેશ શિરોધાર્ય કર્યો.ત્યારે સ્વયંભૂવ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની વિધિપૂર્વક પૂજા કરી.તેના પછી તે મન અને વાણીના અવિષય પોતાના આશ્રય સર્વવ્યવહારતીત પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા.એ વખતે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવથી તેમની સામે જોઈ રહ્યા હતા.
મનુજીએ આવી રીતે બ્રહ્માજીની કૃપાથી પોતાની ઈચ્છા પુરી થઇ જવાથી દેવર્ષિ નારદજીની આજ્ઞાથી પ્રિયવ્રતને આખાય ભૂમંડળનો ભાર સોંપી દીધો,અને જાતે વિષયરૂપી ઝેરીલા પાણીથી ભરેલા ગૃહસ્થમરૂપી દુસ્તર જળાશયની ભોગેચ્છાથી નિવૃત થઇ ગયા.હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્યશાસનના કાર્યમાં નિયુક્ત થયા.જે સંપૂર્ણ જગતને બંધનથી છોડાવવામાં ખુબ જ સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાન ના ચરણયુગલનું નિરંતર ધ્યાન કરતા રહેવાથી જોકે તેમના રાગાદિ બધા મલ નાશ થઇ ગયા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું તો પણ મોટાઓનું માન રાખવા માટે પૃથ્વીનું શાસન કરવા લાગ્યા.તે દરમ્યાન વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતિથી વિવાહ કર્યો. તેનાથી તેમને દસ પુત્રો થયા તે બધા તેમની માફક શીલવાન,ગુણી કર્મનિષ્ઠ,રૂપવાન અને પરાક્રમી હતા.તેમનાથી નાની ઊર્જસ્વતી નામની એક કન્યા પણ થઇ.પુત્રોના નામ આગ્નિધ,ઈધર્મજિહ્વ,યજ્ઞબાહુ,મહાવીર,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,સવન,મેઘાતિથી, વીટીહોત્ર,અને કવિ હતા.આ બધા નામ અગ્નિના પણ છે.તેમાં કવિ,મહાવીર અને સવન -એ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા.તેમને બાળપણથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા કરતા અંતમાં સન્યાસાશ્રમ જ સ્વીકાર્યો. તે નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સન્યાસાશ્રમમાં જ રહેતા રહેતા બધાજ જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી ડરેલા લોકોને આશ્રય આપનારા ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણારવિંદનું નિરંતર ચિંતન કર્યું.તેનાથી મળેલા અખંડ તેમજ શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું હૃદય સર્વથા શુદ્ધ થઇ ગયું અને તેમનામાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો.ત્યારે દેહાદિ ઉપાધિની નિવૃત્તિ થઇ જવાથી તેમના આત્માની બધાજ જીવોના આત્મભૂત પ્રત્યગાત્મામાં એકીભાવથી સ્થિત થઇ ગઈ.મહારાજ પ્રિયવ્રતની બીજી ભાર્યાથી ઉત્તમ,તામસ અને રેવત -આ ત્રણ પુત્રો ઉત્તપન્ન થયા.જે પોતાના નામવાળા મન્વંતરોનાં અધિપતિ થયા.
આવી રીતે કવિ આદિ ત્રણ પુત્રોના નિવૃતપરાયણ થઇ જવાથી,રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું.જે સમયે તે પોતાની અખંડ પુરુષાર્થમયી અને વીર્યશાલીની ભુજાઓથી ધનુષની દોરી ખેંચીને ટંકાર કરતા હતા,તે વખતે ડરના માર્યા બધા ધર્મદ્રોહી ન જાણે ક્યાંય છુપાઈ જતા હતા.પ્રાણપ્રિયા બરહિષ્મતીના દિવસે દિવસે વાઢનારો આમોદ-પ્રમોદ અને અભ્યુથાનાદિ ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનોચિત હાવ-ભાવ લજ્જાથી સંકુચિત મંદહાસ્યયુક્ત ચિત્તવનઅને મનને પસંદ વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત વિવેકહીન વ્યક્તિની માફક આત્મવિસ્મૃતઃ જેવા થઈને બધા ભોગોને ભોગવવા લાગ્યા.પરંતુ હકીકતમાં તે તેનામાં આસક્ત ન હતા.
એકવાર તેમને જયારે એ જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા કરતા લોકાલોકપર્યન્ત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશમય કરે છે.તેમાંથી અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધો અંધારામાં છવાયેલો રહે છે.તો તેમને તેને પસંદ ન કર્યું.ત્યારે તેમણે તે સંકલ્પ લઈને કે 'હું રાતને પણ દિવસ બનાવી દઈશ 'સૂર્યના જેવોજ વેગવાન એક જ્યોતિર્મય રથ પર ચઢીને બીજા સૂર્યની માફક તેની પાછળ પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી.ભગવાનની ઉપાસનાથી તેનો અલૌકિક પ્રભાવ ખુબ વધી ગયો હતો.તે વખતે તેના રથના પૈડાથી જે ઘરેડ બની તેજ સાત સમુદ્ર થયા,તેનાથી પૃથ્વીમાં સાત દ્વીપ થઇ ગયા.તેના નામ ક્રમથી જંબુ,પ્લક્ષ,શાલ્મલિ ,કુશ,ક્રૌંશં,શાક,અને પુષ્કર દ્વીપ છે.તેમાંથી પહેલા પહેલાની અપેક્ષાએ આગળ આગળના દ્વીપનું પરિમાણ બેગણું છે,અને તે સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારેબાજુ ફેલાયેલા છે.સાત સમુદ્રો ક્રમથી,ખરા પાણી,ઇખાનો રસ,મદિરા, ઘી,દૂધ,મથ્થા,અને મીઠા પાણીથી ભરેલા છે.તે સાતેય દ્વીપોની ખાઈઓની માફક છે,અને પરિમાણમાં પોતાની અંદરવાળા દ્વીપની બરાબર છે.તેમાંથી એક એક ક્રમથી જુદા જુદા સાતેય દ્વીપોને બહારથી ઘેરીને સ્થિત છે.
(એનો ક્રમ આ પ્રકાર સમજવો જોઈએ -પહેલા જંબુદ્વિપ છે,તેની ચારેબાજુ ક્ષારસમુદ્ર છે.તે લક્ષદ્વીપમાં ઘેરાયેલો છે,તેની ચારેબાજુ ઈખના રસનો સમુદ્ર છે.તેને શાલ્મલિદ્વીપ ઘેરેલો છે તેની ચારેબાજુ દારૂનો સમુદ્ર છે.પછી કુશ દ્વીપ છે તે ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે,તેની બહાર ક્રૌંશદ્વિપ છે તેની ચારેબાજુ દૂધનો સમુદ્ર છે.પછી શાક દ્વીપ છે તેને મથ્થાના સમુદ્રે ઘેરાયેલો છે.તેની ચારેબાજુ પુષ્કર દ્વીપ છે તે મીઠા પાણીના સમુદ્રથી ઘેરાયેલો છે.)બાહિષ્મતિપતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુગત પુત્ર આગનીઘ્ર,ઈધર્મજિન્હ,યજ્ઞવાહુ,હિરણ્યરેતા,ધૃતપૃષ્ઠ,મેઘાતિથી અને વીટીહોત્રમાંથી ક્રમથી એક એકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંથી એક એકના રાજા બનાવ્યા.તેમણે તેમની કન્યા ઊર્જસ્વતિનો વિવાહ શુક્રાચાર્યજીથી કર્યો.તેનાથી શુક્રકન્યા દેવયાનીનો જન્મ થયો.રાજન! જેમણે ભગવચ્ચરણાવિંદ રજના પ્રભાવથી શરીરની ભૂખ તરસ,શોક મોહ,અને જરા મૃત્યુ - એ છ ગુણોને અથવા મનની સાથે છ ઇન્દ્રિયોને જીતી લીધા છે.તે ભગવતભક્તોનો એવો પુરુષાર્થ હોવો કોઈ નવાઈની વાત નથી કેમકે વર્ણબહિસ્કૃત ચાંડાલ વગેરે નીચ યોનિનો પુરુષ પણ ભગવાનના નામનું ફક્ત એક વાર ઉચ્ચારણ કરવાથી તરતજ સંસાર બંધનથી મુક્ત થઇ જાય છે.
એવીરીતે અતુલનીય બલપરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર પોતાને દેવર્ષિ નારદજીના ચરણોની શરણમાં જઈને પણ ફરીથી નસીબજોગે પ્રાપ્ત થયેલા પ્રપજ્ઞ માં ફસાઈ જવાથી અશાંત જેવા દેખાતા મનમાં ને મનમાં વિરક્ત થઈને કહેવા લાગ્યા.’ઓહ ! ખુબ જ ખરાબ થયું ! મારી વિષયલોલુપ ઈંદ્રિયોએ મને આ અવિદ્યાજનિત વિષમ વિષયરૂપ અંધકુવામાં ફેંકી દીધો.બસ! બસ! બહુ થયું .હાય ! હું તો સ્ત્રીનો ક્રીડાંમૃગ જ બની ગયો! તેણે મને વાંદરાની માફક નચાવ્યો! મને ધિક્કાર છે ! ‘આવી રીતે તેણે પોતાને ઘણું બધું ખોટું ખરું કહ્યું.પરમારાધ્ય શ્રી હરિની કૃપાથી તેની વિવેકવૃત્તિ જાગી ગઈ.તેમણે આ આખી પૃથ્વી યથાયોગ્ય પોતાના પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેણે જાત જાતના ભોગો ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીને સામ્રાજ્ય લક્ષ્મીની સાથે મૂર્તદેહની માફક છોડી દીધો તથા હૃદયમાં વૈરાગ્ય ધારણ કરી ભગવાનની લીલાઓનું ચિંતન કરતા કરતા તેમના પ્રભાવથી નારદજીના બતાવેલા માર્ગ નું ફરીથી અનુસરણ કરવા લાગ્યા
મહારાજ પ્રિયવ્રતના વિષયમાં નિમરલીખિત લોકોક્તિ પ્રસિદ્ધ છે -
‘ રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા,તેને સર્વ શક્તિમાન ઈશ્વરના સિવાય કોણ કરી શકે છે ? તેમણે રાત્રીના અંધકારને મટાવવા પ્રયત્ન કરતા કરતા પોતાના રથના પૈડાથી બનેલી ઘરેડથીજ સાત સમુદ્ર બનાવી દીધા. પ્રાણીઓની સુવિધા માટે ( જેનાથી તેમનામાં અંદરોદર ઝઘડા ન થાય ) દ્વીપોના દ્વારા વિભાગ કર્યા અને દરેક દ્વીપમાં જુદા જુદા નદી,પર્વત અને વન વગેરેથી તેની સીમા નક્કી કરી દીધી.તે ભગવત ભક્ત નારદાદિનો પ્રેમી ભક્ત હતા.તેમણે પાતાળલોકના,દેવલોકના,મૃત્યુલોકના તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા એશ્વર્યને પણ નરકતુલ્ય સમજ્યું હતું ‘
અધ્યાય બીજો
આગ્નીઘ્ર ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રતનું આવી રીતે તપસ્યામાં સંલગ્ન થઇ જવાથી રાજા આગ્નીઘ્ર તેમની આજ્ઞાને અનુસરતા કરતા કરતા જંબુદ્વિપની પ્રજાનું ધર્માનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા.એક વાર તે પિતૃલોકની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી ભેગી કરી સુર સુંદરીયોનું ક્રીડાસ્થલ મંદારાચલની એક ઘાટીમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર ચિત્તથી પ્રજાપતીયોના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા.આદિદેવ બ્રહ્માજીએ તેની અભિલાષા જાણી લીધી.એટલે પોતાની સભાની ગાયિકા પૂર્વચિતિ નામની અપ્સરાને તેમની પાસે મોકલી આપી.આગ્નીઘ્રના આશ્રમની પાસે એક ખુબ જ સુંદર ઉપવન હતું.તે અપ્સરા તેમાં ફરવા લાગી.તે ઉપવનમાં જાત જાતના ઘેરા ઝાડોની ડાળીઓ પાર વેલાઓ ફેલાયેલા હતા.બેસેલા મયુર વગેરે કેટલાય પ્રકારના સ્થળચારી પક્ષીઓ ની સુમુધુર બોલી બોલી રહ્યા હતા. તેમની ષડજાદિ સ્વરયુક્ત સાંભળીને સચેત થયેલા જલકુંફૂટ,કારદંવ,તેમજ ક આદિ જળપક્ષી જાત જાતથી કુંજવા લાગ્યા હતા.ત્યાંના કમળવનથી સુશોભિત નિર્મલ સરોવર ગુંજવા લાગતા હતા.
પૂર્વિચિત્તીની વિલાસપુર્ણ સુલલિત ગતિવિધિ અને પાદ - વિન્યાસની શૈલીથી પગ પગ પર તેના ચરણપૂરોની ઝંકાર થઇ જતી હતી.તેની મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીઘ્રએ સમાધિ યોગ દ્વારા ભુંડાઈ ગયેલા પોતાના કમલ કળી જેવા સુંદર નેત્રોને થોડા થોડા ઉઘાડીને જોયું તો નજદીકમાં જ તેને તે અપ્સરા દેખાઈ.તે ભમરીની જેમ એક એક ફૂલની પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતા અને મનુષ્યોના મન અને નયનોને આહલાદીત કરનારી પોતાની વિલાસપુર્ણ ગતિ,ક્રીડાચાપલ્ય,લજ્જા તેમજ વિનયયુક્ત ચિત્તવન,સુમુધુર વાણી તથા મનોહર અંગ અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે દ્વાર જેવું બનાવી દેતી હતી.જયારે તે હસી હસીને બોલવા માંડતી ત્યારે એવું લાગતું જાણે તેના મોઢેથી અમૃતમય માદક મધ ઢળી રહ્યું છે. તેના ની: શ્વાસની ગંધથી મદહોશ થઈને ભમરા તેના મુખ કમળને ઘેરી લેતા ત્યારે તેનાથી બચવા તે જલ્દી જલ્દી પગ ઉઠાવીને ચાલતી તો તેના કુચકળશ,વેણી અને કરધની હાલવાથી ખુબ જ સુંદર લાગતા.આ બધું જોઈને ભગવાન કામદેવને આગ્નીઘ્રના હૃદયમાં પ્રવેશ કરવાનો અવસર મળી ગયો અને તે તેને આધીન થઈને તેને પ્રસન્ન કરવા ગાંડાની માફક આવી રીતે કહેવા લાગ્યા.
'મુનિવર્ય ! તમે કોણ છો ?આ પર્વત પર તમે શું કરવા ચાહો છો ? તમે પરમપુરુષ સારી નારાયણની કોઈ માયા તો નથી ને ?(ભ્રમરોની તરફ ઈશારો કરીને )સખા ! તમે આ દોરી વગરના બે ધનુષ કેમ ધારણ કર્યા છે ? શું તેનાથી તમારું કોઈ પોતાનું પ્રયોજન છે ?અથવા આ ' સંસારણ્યમાં મારા જેવા મતવાળા મૃગનો શિકાર કરવા ઈચ્છો છો ! (કટાક્ષોને નિશાન બનાવીને - )તમારા આ બે બાણ તો ખુબ જ સુંદર અને ધારદાર છે. અહો ! તેને કમલદલની પાંખો છે, દેખાવમાં ખુબ જ શાંત છે અને છે પણ પાંખ વગરના (બાણનો પાછળનો ભાગ)અહીં વનમાં ફરતા તમો એને કોના પર છોડવા ચાહો છો ?અહીં તમારો કોઈ સામનો કરવા વાળું નથી દેખાતું.તમારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિવાળા માટે કલ્યાણકારી થાય.(ભ્રમરોની સામે જોઈને ) ભગવન ! તમારી ચારેબાજુ જે આ શિષ્યગણ અભ્યાંસ કરે છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અને ઋષિગણ જેમ વેદની શાખાઓનું અનુશરણ કરે છે તેવી રીતે તે તમારી ચોટલીથી ખરી પડેલા ફૂલો નું સેવન કરી રહ્યા છે.(નૂપૂરોનાં શબ્દની તરફ ઈશારો કરીને ) બ્રહ્મન ! તમારા ચરણરૃપ પીંજરામાં જે તીતર બંધ છે તેનો શબ્દ તો સંભરાઈ રહ્યો છે,પરંતુ રૂપ જોવામાં નથી આવતું (કરધની સાથે પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને -) તમારા નિતંબો પર આ કદંબ કુસુમો જેવી આભા ક્યાંથી આવી ગઈ ? તેને ઉપર તો અંગારોનું મંડળ જેવું પણ દેખાઈ રહ્યું છે.પરંતુ તમારું વલ્કલવસ્ત્ર ક્યાં છે ?( કુશકુમંડિત કુંચોની તરફ નિશાન કરીને )દ્વિજ્વર ! તમારા આ બંને શિંગડાંમાં શું ભર્યું છે ?જરૂર તેમાં ખુબ જ મૂલ્ય રત્નો ભરેલા છે,તેનાથી તો તમારો મધ્યભાગ આટલો પાતળો હોવા છતાં પણ તમે તેનો બોઝો ઉઠાવી રહ્યા છો. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ અટકી ગઈ છે.અને સુભગ ! આ શિંગડા ઉપર તમે લાલ લાલ લેપ જેવું શું લગાવી રાખ્યું છે ?તેની સુગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે.મિત્રવર ! મને તો તમે આપનો દેશ બતલાવી દો, જ્યાંના નિવાસી પોતાના વક્ષ:સ્થળ પર આવા અદભુત અવયવ ધારણ કરે છે જેને અમારા જેવા પ્રાણીઓના ચિત્તને ભરમાવી દીધું છે તથા મોઢામાં વિચિત્ર હાવભાવ ,સરસ ભાષણ અને અધરામૃત જેવી અણુથી વસ્તુઓ રાખે છે.
'પ્રિયવર ! તમારું ભોજન શું છે ?જેના ખાવાથી તમારા મોઢામાંથી હવન સામગ્રી જેવી સુગંધ ફેલાઈ રહી છે.એવું લાગે છે તમે કોઈ વિષ્ણુ ભગવાનની કલા જ છો એટલે તમારા કાનોમાં ક્યારે પણ પલક ન મારનારા મકરના આકારના બે કુંડળ છે.તમારું મોઢું એક સુંદર સરોવરના જેવું છે.તેમાં તમારા બે ચંચળ નેત્રો ભયથી ધ્રૂજતી માછલીઓની માફક ,દાંતની પંકતિ હંસોના જેવી અને ઘુઘરાલી લટો ભમરાની માફક શોભાયમાન છે.તમે જયારે તમારા કરકમળોથી ચપકી મારીને આ દડો ઉછાળો છો,ત્યારે દિશા વિદિશાઓમાં જતા મારી આંખોને તો ચંચળ કરી નાખે છે.સાથે સાથે મારા મનમાં પણ ખલબલી ઉત્ત્પન્ન કરી દે છે.તમારું વાંકુ જટાજુટ ખુલી ગયું છે,તમે એને સંભાળતા નથી ? અરે ,આ ધૂર્ત પવન કેટલો દુષ્ટ છે,જે વારંવાર તમારા નીવી વસ્ત્રને ઉડાવી દે છે.તપોધન ! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારા આ અનુપ રૂપ તમે કયા તપના પ્રભાવે મેળવ્યું છે ? મિત્ર ! આવો કેટલાક દિવસો મારી સાથે તપસ્યા કરો.અથવા,ક્યાંક વિશ્વવિસ્તારની ઈચ્છાથી બ્રહ્માજીએ તો મારા પર કૃપા કરી નથી ને.સાચે જ તમે બ્રહ્માજીની જ પ્યારી દેન છો.હવે હું તમને ન છોડી શકું.તમારામાં તો મારા નયનો અને મન એવા ઉલઝી ગયા છે કે બીજે જવા જ નથી ઈચ્છતો.સુંદર શીંગડાંવાળી ! તમારું જ્યાં મન હોય ત્યાં મને પણ લઇ જાવ,હું તો તમારો અનુચર છું અને તમારી આ મંગલમયી સખીયો પણ અમારી જ સાથે રહે .'
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! આગ્નીઘ્ર દેવતાઓની જેમ બુદ્ધિશાળી અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ખુબ કુશળ હતા.તેમણે તે રીતે રતિચાતુર્યમયી મીઠી મીઠ્ઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી.વીર-સમાજમાં અગ્રગણ્ય આગ્નીઘ્રની બુદ્ધિ ,શીલ,રૂપ,અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષિત થઈને તે જંબૂદ્વીપાધિપતિ સાથે કેટલાય હજારો વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગો ભોગવતી રહી. તે દરમ્યાન નૃપવર આગ્નીઘ્રએ તેને ગર્ભથી નાભિ,કિંપુરુષ,હરિવર્ષ,ઇલાવૃત,રમ્યક,હીરણમય,કુરુ,ભદ્રાશ્વ અને કેતુમાળ નામના નવ પુત્રો ઉત્તપન્ન કર્યા.
આવી રીતે નવ વર્ષમાં દરેક વર્ષે એક ના ક્રમથી નવ પુત્રો ઉત્તપન્ન કરી પૂર્વિચિતિ તેમણે રાજભવનમાં જ છોડીને પછી બ્રહ્માજીની સેવામાં જતી રહી.આ આગ્નીઘ્રના પુત્રો માતાના અનુગ્રહથી સ્વભાવથીજ સુડોળ અને સબળ શરીરવાળા હતા.આગ્નીઘ્રએ જબુ દ્વીપના વિભાગ કરીને તેમના નામોવાળા નવ વર્ષ(ભૂખંડ) બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા.ત્યારે તે ઓ પોત પોતાના વર્ષનું રાજ્ય ભોગવવા લાગ્યા.મહારાજા આગ્નીઘ્ર રોજર રોજ ભોગો ભોગવતા રહેવાથી પણ તેઓ અતૃપ્ત જ રહ્યા.તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા.એટલા માટૅ તેમણે વૈદિક કર્મો દ્વારા તેજ લોકને મેળવ્યું,જ્યાં પિતૃગણ પોતાના સુકૃતોની રીતે જાત જાતના ભોગોમાં મસ્ટ રહે છે. પિતાના પરલોક સીધારવાથી નાભિ વગેરે નવ ભાઈઓ એ મેરુની મેરુદેવી,પ્રતિરૂપ,ઉગ્રદ્રષ્ટિ, લતા,રમ્યા,શ્યામ,નારી,ભદ્રા અને દેવવીતી નામની નવ કન્યાઓ થી વિવાહ કર્યો.
અધ્યાય ત્રીજો
રાજનાભીનું ચરિત્ર
શ્રી શુકદેવજી કહે છે -રાજન ! આગ્નીઘ્રના પુત્ર નાભિને કોઈ સંતાન ન હતું,એટલે તેમણે તેમની ભાર્યા મેરુદેવીની સાથે પુત્રની કામનાથી એકાગ્રતાથી ભગવાન યજ્ઞપુરુષનો યજન કર્યો.જોકે સુંદર અંગોવાળા શ્રી ભગવાન દ્રવ્ય,દેશ,કાળ,મંત્ર,ઋત્વિજ,દક્ષિણાં અને વિધિ- આ યજ્ઞોના સાધનોથી સહેલાઈથી નથી મળતા.તોપણ તેઓ ભક્તો પર કૃપા તો કરે જ છે.એટલે જયારે મહારાજ નાભિએ વિશુદ્ધભાવથી તેમની આરાધના કરી ત્યારે તેમનું ચિત્ત પોતાના ભક્તનું અમિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઇ ગયું.જોકે તેમનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે તોપણ તેમણે પ્રવ ગર્ય પ્રવગર્ય કર્મનું અનુષ્ઠાન થતી વખતે તેને મન અને નયનોના આનંદ દેનારા અવયવોથી યુક્ત અતિ સુંદર હૃદયાકર્ષકે મૂર્તિમાં પ્રગટ કર્યા.તેના શ્રી અંગમાં રેશમી પીતામ્બર હતું,વક્ષ:સ્થળ પર સુમનોહર શ્રીવત્સ ચિન્હ સુશોભિત હતું.ભુજાઓમાં શંખ,ચક્ર,ગદા,પદ્મ,તથા ગળામાં
વનમાળા અને કૌસ્તુભ મણીની શોભા હતી.આખું શરીર અંગ પ્રત્યંગ ની કાંતીને વધારનારૂ કિરણજાળ મંડિત મણિમય મુકુટ,કુંડળ,કંકણ,કરધની,હાર,બાજુબંધ અને નૂપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું.એવા પરમતેજસ્વી ચતુર્ભુજમૂર્તિ પુરુષવિશેષને પ્રગટ થયેલા જોઈ ઋત્વિજ,સદસ્ય અને યજમાન વગેરે બધા લોકો એવા આહલાદીત થયા જેમ નિર્ધન પુરુષ ધનરાશિ મેળવીને ફૂલ્યો ફુલાય નહિ.પછી બધાએ માથું નમાવીને ખુબ જ આદરપૂર્વક પ્રભુની અર્ઘ્ય દ્વારા પૂજા કરી અને ઋત્વિજોએ તેમની સ્તુતિ કરી.
ઋત્વિજોએ કહ્યું - પૂજ્યતમ ! અમે આપના અનુગત ભક્ત છે,આપ અમારા ફરી ફરી પૂજનીય છો,પરંતુ અમે આપની પૂજા કરવી શું જાણીયે ? અમે તો આપને વારંવાર નમસ્કાર કરીયે છીએ - એટલુંજ અમોને મહાપુરુષોએ શીખવ્યું છે.આપ પ્રકૃતિ અને પુરુષથી પણ ઉપર છો.પછી પ્રાકૃત ગુણોના કાર્યભૂત આ પ્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી આપણા ગુણગાનમાં સર્વથા અસમર્થ એવો કોણ પુરુષ છે જે પાકૃત નામ,રૂપ તેમજ આકૃતિના દ્વારા આપના સ્વરૂપનું નિરૂપણ કરી શકે ?આપ સાક્ષાત પરમેશ્વર છો.આપના પરમ મંગલમય ગુણ આખીય જનતાના દુઃખોનું દમન કરનારા છે.
જો કોઈ તેને વર્ણન કરવાનું સાહસ પણ કરે તો ફક્ત તેના એક દેશનું જ વર્ણન કરી શકે.પરંતુ પ્રભુ ! જો આપના ભકતગણો પ્રેમગદગદ વાણીથી સ્તુતિ કરતા કરતા સામાન્ય પાણી,વિશુદ્ધ પલ્લવ,તુલસી અને દરોઈના અંકુર,વગેરે સામગ્રીથી જ આપની પુંજા કરે છે તો પણ આપ બધી રીતે સંતુષ્ટ થઇ જાવ છો.
અમોને તો અનુરાગ સિવાય આ દ્રવ્ય-કાળાદિ અનેકો અંગોવાળા યજ્ઞથી પણ આપનું કોઈ પ્રયોજન દેખાતું નથી.કેમકે આપથી સ્વતઃજ ક્ષણક્ષણમાં જે સંપૂર્ણ પુરુષાર્થોના ફળસ્વરૂપ પરમાનંદ સ્વભાવથી જ કાયમ પ્રાદુર્ભૂત થતા રહે છે આપ સાક્ષાત તેના સ્વરૂપ જ છો.આવી રીતે આપને આ યજ્ઞાદિથી કોઈ પ્રયોજન નથી તોપણ અનેક પ્રકારોની કામનાઓની સિદ્ધિ ચાહનારા અમારા લોકો માટે તો મનોહર સિદ્ધિનું પર્યાપ્ત સાધન આ જ હોવું જોઈએ.:આપ બ્રહ્માદિ પરમ પુરુષોની અપેક્ષા પણ પરમ શ્રેષ્ઠ છે.અમે તો તે પણ નથી જાણતા કે અમારું પરમ કલ્યાણ શેમાં છે,અને ન અમોથી આપની યથોચિત પૂજા થઇ છે,તોપણ જેવી રીતે તત્વજ્ઞ પુરુષ વગર બોલાવ્યે પણ ફક્ત કરુણાથી અજ્ઞાની પુરુષો પાસે ચાલ્યા જાય છે,એવી રીતે આપ પણ અમને મોક્ષ સંજ્ઞક તમારું પરમપદ અને અમારી અમિષ્ટ વસ્તુઓ આપવા માટે બીજા સાધારણ યજ્ઞદર્શકો ની માફક અહીં પ્રગટ થયા છો.પૂજ્યતમ ! અમને સહુથી મોટું વર તો આપે અહીં જ આપી દીધું કે બ્રહ્માદિ બધાજ વરદાયકોમાં શ્રેષ્ઠ થઈને પણ આપ રાજર્ષિ નાભિની આ યજ્ઞશાળામાં સાક્ષાત અમારા નેત્રોની સામે પ્રગટ થઇ ગયા.હવે અમે બીજું વર શું માંગીયે ?
પ્રભુ ! આપના ગુણગણોનું ગાન ખુબ જ મંગલમય છે.જેમને વૈરાગ્યથી પ્રગટ થયેલી જ્ઞાનાગ્નિ દ્વારા પોતાના હૃદયના રાગ-દ્વેષાદિ બધાજ મળોને સળગાવી દીધા છે તેનાથી તેનો સ્વભાવ આપની જ માફક શાંત છે,તે આત્મારામ મુનિગણ પણ કાયમ આપના ગુણોનું ગાન કર્યા કરે છે.એટલે અમે આપથી તે જ વર માંગીયે છીએ કે પડવું,ઠોકર ખાવી,છીકવુ અથવા આળસ ખાવી અને સંકતાદિ સમયે તેમ જ તાવ અને મરણાદિ જેવી અવસ્થાઓમાં આપનું સ્મરણ ન થઇ શકવાથી પણ કોઈ રીતે આપના સકલકળીમળવિનાશક 'ભક્તવત્સલ''દીનબંધુ' વગેરે ગુણધોતક નામોનું અમે ઉચ્ચારણ કરી શકીયે.
તેના સિવાય કરવાયોગ્ય ન હોવા છતાં પણ એક પ્રાર્થના બીજી છે.આપ સાક્ષાત પરમેશ્વર છો,સ્વર્ગ,અપવર્ગ વગેરે એવી કોઈ વસ્તુ નથી,જેને આપ ન આપી શકો.તોપણ જેમ કોઈ કંગાળ કોઈ ધન લૂંટાવનાર પરમ ઉદાર પુરુષની પાસે પહોંચીને પણ તેની પાસે ભુસુ જ માંગે,તેવી રીતે અમારા યજમાન આ રાજર્ષિ નાભિ સંતાન ને જ પરમ પુરુષાર્થ માનીને આપના જેવો જ પુત્ર મેળવવા માટે આરાધના કરી રહ્યા છે.એ કોઈ આશ્ચર્યની વાત નથી.આપની માયાનો પાર કોઈ મેળવી શકતું નથી અને ન તે કોઈના વશમાં જ આવી શકે છે.જે લોકોએ મહાપુરુષોનો આશ્રય નથી લીધો તેમાં એવો કોણ છે જે તેના વશમાં નથી હોતો તેની બુદ્ધિ પર તેનો પડદો નથી પડી જતો અને વિષયરૂપ ઝેરનો વેગ તેને દુષિત નથી કરી દેતો ? દેવદેવ ! આપ ભક્તોના મોટા કામો કરી આપો છો. અમે
મંદમતીઓએ કામનાવશ આ તુચ્છ કામને માટે આપનું આવાહન કર્યું તે આપનો અનાદર જ છે.પરંતુ આપ સમદર્શી છો એટલે અમને અજ્ઞાનીઓની આ ધૃષ્ટતા માટે ક્ષમા કરજો.
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! વર્ષાધિપતિ નાભિના પૂજ્ય ઋત્વિજોએ પ્રભુની વંદના કરીને જયારે પૂર્વોક્ત સ્તોત્રથી સ્તુતિ કરી દેવ શ્રેષ્ઠ શ્રી હરિએ કરુણાવશ આ રીતે કહ્યું.
શ્રી ભગવાને કહ્યું - ઋષિયો ! ખુબ જ અસમનજસની વાત છે. આપ બધા સત્યવાદી મહાત્મા છો,આપે મારાથી દુર્લભ વર માંગ્યું છે કે રાજર્ષિ નાભિને મારા જેવો પુત્ર થાય.મુનિયો ! મારા જેવો તો હું જ છું,કેમકે હું અદ્વૈતિય છું તો પણ બ્રાહ્મણોનું વચન મિથ્યા ન થવું જોઈએ,દ્વિજકુળ મારુ જ તો મોઢું છે.એટલે હું જાતે જ પોતાની અંશકળાથી આગ્નીઘ્ર નંદન નાભિને ત્યાં અવતાર લઈશ કેમકે મારા જેવું બીજું કોઈ મને દેખાતું નથી.
શ્રી શુકદેવજી કહે છે - મહારાણી મેરુદેવીના સાંભળતા તેના પતિને આવી રીતે કહીને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.વિષ્ણુદત્ત પરીક્ષિત ! તે યજ્ઞમાં મહર્ષિયો દ્વારા આવી રીતે પ્રસન્ન કરવાથી શ્રી ભગવાન મહારાજ નાભિ નું પ્રિય કરવા માટે તેના રાણીવાસમાં મહારાણી મેરુદેવીના ગર્ભથી દિગંબર સન્યાસી અને ઉધ્વરેતાઃ મુનિયોના ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ સત્વમય વિગ્રહથી પ્રગટ થયા.
અધ્યાય ચોથો
ઋષભદેવજીનું રાજ્યશાસન
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! નાભિનંદનના અંગ જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર અંકુશ વગેરે ચિન્હોથી યુક્ત હતા.સમતા, શાંતિ,વૈરાગ્ય અને એશ્વર્ય વગેરે મહાવિભૂતીયોને કારણે તેનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો.આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિવર્ગ,પ્રજા,બ્રાહ્મણ અને દેવતાઓની આ ઉત્કટ અભિલાષા થવા લાગી કે એ જ પૃથ્વીનું શાસન કરે.તેમના સુંદર અને સુડોળ શરીર,વિપુલ કીર્તિ,તેજ,બળ,એશ્વર્ય ,યશ,પરાક્રમ અને શૂરવીરતાવગેરે ગુણોને કારણે મહારાજા નાભિએ તેનું નામ 'ઋષભ'(શ્રેષ્ઠ) રાખ્યું
એકવાર ભગવાન ઇન્દ્રએ ઇર્ષ્યાવશ તેમના રાજ્યમાં વર્ષા ન કરી.ત્યારે યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના વર્ષ અજનાભખંડમાં ખુબ પાણી વરસાવ્યું.મહારાજ નાભિ પોતાની ઈચ્છા પ્રમાણે શ્રેષ્ઠ પુત્ર મેળવીને ખુબ જ આનંદમય થઇ ગયા અને અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય-શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન કરતા કરતા તેમનાજ લીલાવિલાસથી મુગ્ધ થઈને 'વત્સ ! તાત ! એવી ગદ ગદ વાણીમાં કહેતા કહેતા ખુબ સુખ માનવ લાગ્યા.
જયારે તેમને જોયું કે મંત્રીમંડળ,નાગરિક અને રાષ્ટ્રની જનતા ઋષભદેવથી ખુબ જ પ્રેમ કરે છે,તો તેમણે તેઓને ધર્મમર્યાદાની રક્ષા માટે રાજ્યાભિષિક્ત કરી બ્રાહ્મણોની દેખભાળમાં મૂકી દીધો. અને પોતાની પત્ની મેરુદેવી સાથે બદરિકાશ્રમમાં ચાલ્યા ગયા.ત્યાં અહિંસાવૃત્તિથી ,જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલપૂર્ણ,તપસ્યા અને સમાધિ યોગના દ્વારા ભગવાન વાસુદેવના નાર-નારાયણ રૂપની આરાધના કરતા કરતા સમય આવવાથી તેમનાજ સ્વરૂપમાં લિન થઇ ગયા.
પાંડુનંદન ! રાજા નાભિની વિષયમાં આ લોકોક્તિ પ્રસિદ્ધ છે-
રાજર્ષિ નાભિના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે છે -જેના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રી હરિ તેમના પુત્ર થઇ ગયા હતા.મહારાજ નાભિની માફક બ્રાહ્મણભક્ત પણ કોણ હોય શકે છે -જેની દક્ષિણાદિથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુભગવાનના દર્શન કરાવી દીધા.
ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાભખંડ ને કર્મભૂમિ માનીને લોકસંગ્રહ માટે કેટલોક સમય ગુરુકુળમાં વાસ કર્યો.ગુરુદેવને યથોચિત દક્ષિણા આપીને ગૃહસ્થમાં પ્રવેશ કરવા માટે તેમની આજ્ઞા લીધી. પછી લોકોને ગૃહસ્થ ધર્મની શિક્ષા આપવા માટે દેવરાજ ઈન્દ્રની આપેલી તેમની કન્યા જયંતીથી વિવાહ કર્યો તથા શ્રોત-સ્માર્ત્ત બંને પ્રકારના શાશ્ત્રોપદિષ્ટ કર્મોનો આચરણ કરતા કરતા તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણવાળા સો પુત્રો ઉત્તપન્ન કર્યા તેમાં મહાયોગી ભરતજી બધાથી મોટા અને બધાથી વધારે ગુણવાન હતા.તેમના નામથી લોક આ અજનાભખંડને 'ભારતવર્ષ' કહેવા લાગ્યા. તેમનાથી નાના કુશાવર્ત,ઇલાવર્ત,બ્રહ્માવર્ત,મલય,કેતુ,ભદ્રસેન,ઇન્દ્રસ્પૃક,વિદર્ભ અને કીકત-આ નવ રાજકુમાર વધેલા નેવું ભાઈઓથી મોટા તેમજ શ્રેષ્ઠ હતા.તેમનાથી નાના કવિ,હરિ,અંતરિક્ષ,,પ્રબુદ્ધ,પિપ્પલાયન,આવિહોત્ર,દ્રુમિલ,ચમસ અને કરભાજન- આ નવ રાજકુમાર ભાગવત ધર્મનો પ્રચાર કરનારા મોટા ભગવદ્ભક્ત હતા.ભગવાનની મહિમાથી મહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પવિત્ર ચરિત આપણે નારદ-વાસુદેવ સંવાદના પ્રસંગથી આગળ (અગિયારમા
સ્કંધમાં )કહીશું.તેમનાથી નાના જયંતીના એક્યાસી પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા ,ખુબ જ વિનીત,મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞ કરનારા હતા.તેઓ પૂર્વ કર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઇ ગયા હતા.
ભગવાન ઋષભદેવ કદાચ પરમ સ્વતંત્ર હોવાને કારણે જાતે કાયમ જ બધા પ્રકારની અનર્થપરમ્પરાથી રહિત,ફક્ત આનંદાનુભવઃસ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા,તો પણ અજ્ઞાનીઓની માફક કર્મ કરતા કરતા તેમણે સમય પ્રમાણે પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેનું તત્વ ન જાણનારા લોકોને તેની શિક્ષા આપી.સાથે જ સમ,શાંત,સુહૃદ અને કારુણિક રહીને ધર્મ,યશ,અર્થ,સંતાન,ભોગ-સુખ અને મોક્ષનો સંગ્રહ કરતા કરતા ગૃહસ્થાશ્રમમાં લોકોને નિયમિત કર્યા.મહાપુરુષ જેવું જેવું આચરણ કરે છે બીજા લોકો તેમનુંજ અનુકરણ કરવા લાગે છે.જોકે તે બધાજ ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યોને જાણતા હતા,તો પણ બ્રાહ્મણોની બતાલાવેલી વિધિથી સામ-દાનાદિ નીતિના પ્રમાણે જ જનતાનું પાલન કરતા હતા.તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશો પ્રમાણે જુદા જુદા દેવતાઓના ઉદેશ્યથી દ્રવ્ય,દેશ,કાળ,ઉંમર,શ્રદ્ધા અને ઋત્વિજ વગેરેથી સુસંપન્ન બધા પ્રકારના સો સો યજ્ઞો કર્યા.ભગવાન ઋષભદેવના શાસનકાળમાં આ દેશનો કોઈ પણ પુરુષ પોતાને માટે કોઈથી પણ પોતાના પ્રભુ તરફ રોજ રોજ વધનારા અનુરાગ સિવાય અને કોઈ પણ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા.એ જ નહિ આકાશકુસુમાદિ અવિદયમાન વસ્તુની માફક કોઈ કોઈની વસ્તુની તરફ નજર પણ નાખતા ન હતા.એકવાર ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પહોંચ્યા.ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાનું સમાહિત ચિત્ત તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને શિક્ષા આપવા માટે આવી રીતે કહ્યું.
અધ્યાય પાંચમો
ઋષભજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને જાતે અવધૂતવૃત્તિ ગ્રહણ કરવી
શ્રી ઋષભજીએ કહ્યું - પુત્રો ! આ મર્ત્યલોકમાં આ મનુષ્ય શરીર દુઃખમય વિષયભોગ મેળવવા માટે જ નથી.આ ભોગ તો વિષ્ટાભોગી સુવર કુકર વગેરેને પણ મળે છે.આ શરીરથી દિવ્ય તપ જ કરવું જોઈએ, જેનાથી હૃદય શુદ્ધ થાય,કેમકે તેનાથી અનંત બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે.શાસ્ત્રોએ મહાપુરુષોની સેવાને મુક્તિનો અને સ્ત્રી સંગી કામિયોંના સંગને નરકનું દ્વાર બતાવ્યું છે.મહાપુરુષ તે જ છે જે સમાન ચિત્ત,પરમશાંત, ક્રોધહિન,બધાના હિત ચિંતક અને સદાચાર સંપન્ન છે.અથવા મારાજ પરમાત્માના પ્રેમને જ જે એકમાત્ર પુરુષાર્થ મને છે ફક્ત વિષયોને જ ચર્ચા કરાવનાર લોકોમાં તથા સ્ત્રી,પુત્ર અને ધન વગેરે સામગ્રીઓમાં સંપન્ન ઘરોમાં જેની અરુચિ હોય અને જે લૌકિક કાર્યોમાં ફક્ત શરીરનિર્વાહ માટે જ પ્રવૃત્ત થાય છે.મનુષ્ય સ્વભાવવશ જરુર કુકર્મ કરવા લાગે છે,તેની આ પ્રવૃત્તિ ઇન્દ્રિયોને સંતોષ કરવા માટે જ હોય છે.હું તેને સારું નથી માનતો,કેમકે તેના લીધે આત્માને આ અસત અને દુઃખદાયક શરીર મળે છે.જ્યાં સુધી જીવને આત્મતત્વની જિજ્ઞાસા નથી થતી ત્યાં સુધી અજ્ઞાનવશ દેહાદિના દ્વારા તેનું સ્વરૂપ છુપાયેલું રહે છે. જ્યાં સુધી આ લૌકિક-વૈદિક કર્મોમાં ફસાયેલો રહે છે,ત્યાં સુધી મનમાં કર્મની વાસનાઓ પણ થયા કરે છે અને તેનાથી દેહબંધનની પ્રાપ્તિ થાય છે.આવી રીતે અવિદ્યાના દ્વારા આત્મસ્વરૂપના ઢંકાઈ જવાથી કર્મવાસનાઓથી વશીભૂત થયેલું મન મનુષ્યને પાછું કર્મમાંજ પ્રવૃત કરે છે.એટલે જ્યાંસુધી તેને હું વાસુદેવમાં પ્રીતિ નથી થતી ત્યાં સુધી તે દેહબંધનથી છૂટી નથી શકતો.સ્વરતમાં ગાંડો જીવ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિનો આશ્રય લઇ ઇંદ્રિયોની ચેષ્ટાઓને મિથ્યા નથી જોતો ત્યાં સુધી આત્મસ્વરૂપ્ની સ્મૃતિ ખોવાઈ જવાને કારણે તે અજ્ઞાનવશ ગૃહ વગેરેમાં આસક્ત રહે છે અને જાત જાતના ક્લેશ ભોગવતો રહે છે.
સ્ત્રી અને પુરુષ -એ બંનેના જે એકબીજા માટે દામ્પત્યભાવ છે,તેને પંડીતલોકો તેના હૃદયની બીજી સ્થૂળ તેમજ દુર્ભેદય ગ્રંથિ કહે છે દેહાભિમાનરૂપ એક એક સૂક્ષ્મ ગ્રંથિ તો જુદી જુદી તેમાં પહેલેથી જ છે.તેના કારણે જીવને દેહન્દ્રિયાદિ થી વધારે ઘર,ખેતર,પુત્ર,સ્વજન અને ધન વગેરેમાં પણ 'હું ' અને 'હુંપણા'નો મોહ થઇ જાય છે.જે વખતે કર્મવાસનાઓને કારણે પડેલી તેની તે દ્રઢ હૃદય ગ્રંથિ ઢીલી પડી જાય છે તે વખતે તે દામ્પત્યભાવથી નિવૃત થઇ જાય છે.અને સંસારના હેતુભૂત અહંકારને ત્યાગીને બધાજ પ્રકારના બંધનથી મુક્ત થઇ પરમપદ પ્રાપ્ત કરી લે છે.પુત્રો ! સંસારસાગરથી પાર થવામાં કુશળ તથા ધૈર્ય,ઉદ્યમ તેમ જ સત્વગુણ વિશિષ્ઠ પુરુષને બધાના આત્મા અને ગુરુસ્વરૂપ મને ભગવાનમાં ભક્તિભાવ રાખવો,મારે પારાયણ રહેવું,તૃષ્ણાઓ ત્યાગવી,સુખ દુઃખ વગેરે દ્વન્દ્વોને સહન કરવાથી 'જીવને બધી યોનિયોમાં દુઃખ જ ઉઠાવવું પડે છે 'તે વિચારથી,તત્વ જિજ્ઞાસાથી,તાપથી,સકામ કર્મના ત્યાગથી,મારા માટે જ કર્મ કરવાથી,મારી કથાઓને નિયમિત સાંભળવાથી,મારા ભક્તોની સાથે અને મારા ગુણોના ભજનથી,વૈરત્યાગથી,સમતાથી,શાંતિથી,અને શરીર તથા ઘર વગેરેમાં હું અને હુંપણાના ભાવને ત્યાગવાની ઈચ્છાથી,અધ્યાત્મશાસ્ત્રના અનુશિલનથી,એકાંત સેવવાથી,પ્રાણ,ઇન્દ્રિય અને મનના સંયમથી, શાસ્ત્ર અને સત્પુરુષોના વચનમાં યથાર્થ બુદ્ધિ રાખવાથી,પૂર્ણ બ્રહ્મચર્યથી,કર્તવ્ય કર્મોમાં નિરંતર સાવધાન રહેવાથી,વાણીના સંયમથી,બધે મારી જ સત્તા જોવાથી,અનુભવ જ્ઞાન સાથે તત્વ વિચારથી અને યોગસાધનાથી અહંકારરૂપ પોતાના લિંગશરીરને લિન કરી દેવું જોઈએ. મનુષ્યએ એ કરવું કે તે સાવધાન રહીને અવિદ્યાથી મળેલું આ હૃદયગ્રંથીરૂપ બંધનને શાસ્ત્રોક્ત રીતથી આ સાધનોના દ્વારા સારી રીતે કાપી નાખે,કેમકે તે જ કર્મસંસ્કારોનું રહેવાનું સ્થાન છે.તે ઉપરાંત સાધનનો પણ પરિત્યાગ કરી દે.
જેમને મારા લોકની ઈચ્છા હોય અથવા જે મારા અનુગ્રહની પ્રાપ્તિને જ પરમ પુરુષાર્થ માનતા હોય - તે રાજા હોય તો પોતાની અબોધ પ્રજાને,ગુરુ પોતાના શિષ્યને અને પિતા પોતાના પુત્રોને આવી જ શિક્ષા આપે.અજ્ઞાનના કારણે જો તે કદાચ શિક્ષાને અનુસરી ન ચાલે અને કર્મને જ પુરુષાર્થ માનતો રહે,તો પણ તેના પાર ક્રોધ કર્યા વગર સમજાવી બુઝાવીને કર્મમાં પ્રવૃત ન થવા દે. તેને વિષયાસક્તિયુક્ત કામયક્રમોમાં લગાવવો તો એવુજ છે,જેમ કોઈ આંધળા મનુષ્યને જાણીજોઈને ખાડામાં ધકેલી દેવો.તેનાથી ભલા કયા પુરુષાર્થની સિદ્ધિ થઇ શકે છે.પોતાનું સાચું કલ્યાણ કઈ વાતમાં છે તે લોકો નથી જાણતા,એટલે તેઓ જાતજાતની ભોગ કામનાઓમાં ફસાઈને તુચ્છ ક્ષણિક સુખો માટે અંદરોદર વેર બાંધી લે છે અને કાયમ વિષયભોગો માટે પ્રયત્ન કરતા રહે છે.તે મૂર્ખ એ વાત પાર પણ વિચાર નથી કરતા કે આ વેર વિરોથનું કારણ નરક વગેરે અનંત દુઃખોની પ્રાપ્તિ થશે..ખાડામાં પડવા માટે ઊંધા રસ્તામાં જતા મનુષ્યને જેમ આંખવાળો પુરુષ તે તરફ જવા નથી દેતો,તેવી જ રીતે અજ્ઞાની મનુષ્યને અવિદ્યામાં ફસાઈને દુઃખો તરફ જતા જોઈને કોણ એવો દયાળુ અને જ્ઞાની પુરુષ હશે જે જાણીજોઈને પણ તેને તે રસ્તા પર જવા દે, અથવા જવા માટે પ્રેરણા કરે.જે પોતાના પ્રિય સબંધીને ભગવત્ભક્તિનો ઉપદેશ આપીને મૃત્યુની ફાંસીથી નથી છોડાવતો,તે ગુરુ ગુરુ નથી,સ્વજન સ્વજન નથી,પિતા પિતા નથી,માતા માતા નથી,ઇષ્ટદેવ ઇષ્ટદેવ નથી અને પતિ પતિ નથી.
મારા આ અવતાર-શરીરનું રહસ્ય સાધારણ જનોને માટે બુદ્ધિગમ્ય નથી.શુદ્ધ સત્વ જ મારુ હૃદય છે,અને તેમા ધર્મની સ્થિતિ છે,મેં અધર્મને મારાથી ખુબ જ દૂર પાછળની બાજુ ધકેલી દીધો છે.એટલે સત્પુરુષ મને 'ઋષભ' કહે છે.તમે બધા મારા તે શુદ્ધ સત્વમાંય હૃદયથી ઉત્તપન્ન થયા છો.એટલે મત્સર છોડી મોટાભાઈ ભરતની સેવા કરો. તેની સેવા કરવી મારીજ સેવા કરી છે અને તેજ તમારું પ્રજાપાલન પણ છે.બીજા બધા ભૂતોની અપેક્ષા વૃક્ષ ખુબ જ શ્રેષ્ઠ છે,તેનાથી ચાલનારા જીવ શ્રેષ્ઠ છે અને તેનામાં પણ જીવડાંની અપેક્ષા જ્ઞાનયુક્ત પશુ વગેરે શ્રેષ્ઠ છે.પશુઓથી મનુષ્ય,મનુષ્યોથી પ્રમથગણ, પ્રમથોથી ગંધર્વ,ગંધર્વોથી સિદ્ધ અને સિદ્ધોથી દેવતાઓના અનુયાયી કિન્નરાદિ શ્રેષ્ઠ છે.તેનાથી અસુર,અસુરોથી દેવતા, અને દેવતાઓથી પણ ઇન્દ્ર શ્રેષ્ઠ છે.ઈન્દ્રથી પણ શ્રેષ્ઠ બ્રહ્માજીના પુત્ર દક્ષાદિ પ્રજાપતિ શ્રેષ્ઠ છે.બ્રહ્માજીના પુત્રોમાં રુદ્ર બધાથી શ્રેષ્ઠ છે.તે બ્રહ્માજીથી ઉત્તપન્ન થયા છે એટલે બ્રહ્માજી તેમનાથી શ્રેષ્ઠ છે.તે પણ મારાથી ઉત્તપન્ન થયા છે અને મારી ઉપાસના કરે છે એટલે હું તેમનાથી પણ શ્રેષ્ઠ છું.પરંતુ બ્રાહ્મણ મારાથી પણ શ્રેષ્ઠ છે કેમકે હું તેમને પૂજ્ય માનું છું.
(સભામાં ઉપસ્થિત બ્રાહ્મણોને લક્ષ્ય કરીને )વિપ્રગણ ! બીજા કોઈ પ્રાણીઓને હું બ્રાહ્મણોની બરાબર નથી સમજતો પછી તેમનાથી વધારે તો માનીજ કેમ શકું છું.લોક શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોના મુખમાં અન્ન વગેરે આહુતિ નાખે છે તેને હું જેવી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું તેમ અગ્નિહોત્રમાં હોમ માટે આપેલી સામગ્રીને સ્વીકાર નથી કરતો. જેને આ લોકમાં અધ્યયન વગેરે દ્વારા મારી વેદરૂપ અતિ સુંદર અને પુરાતન મૂર્તિને ધારણ કરી રાખી છે તથા જે પરમ પવિત્ર સત્વગુણ,શમ,દમ,સત્ય,દયા,તપ,તિતિક્ષા અને જ્ઞાનાદિ આઠ ગુણોથી સંપન્ન છે.-તે બ્રાહ્મણોથી વધારે બીજું કોણ હોય શકે છે.હું બ્રહ્માદીથી પણ શ્રેષ્ઠ અને અનંત છું તથા સ્વર્ગ મોક્ષ વગેરે આપવાનું પણ સામર્થ્ય રાખું છું,પરંતુ મારા અકિંચન ભક્ત એવા નિસ્પૃહ થાય છે કે તે મારાથી પણ ક્યારે કઈ નથી માંગતા ,પછી રાજ્યાદિ બીજી વસ્તુઓની તો તેઓ ઈચ્છા જ કેવી રીતે કરી શકે છે ?
પુત્રો! તમો સંપૂર્ણ ચરાચર ભૂતોને મારુ જ શરીર સમજીને શુદ્ધ બુદ્ધિથી પગલે પગલે તેની સેવા કરો.અહીં મારી સાચી પૂજા છે.મન,વચન,નજર તથા અન્ય ઇંદ્રિયોની ચેષ્ટાઓનું ફળ મારુ આવા પ્રકારનું પૂજન જ છે.તેના વગર મનુષ્ય પોતાને મહામોહમય કાલપાશથી છોડાવી નથી શકતો.
શ્રી શુકદેવજી કહે છે - રાજન !ઋષભદેવનો પુત્ર કદાચ જાતેજ બધી રીતે સુશિક્ષિત હતો,તો પણ લોકોને શિક્ષા આપવાના ઉદેશ્યથી મહાપ્રભાવશાળી પરમ સૃહદ ભગવાન ઋષભે તેને એવી રીતે ઉપદેશ આપ્યો.ઋષભદેવજીના સો પુત્રોમાં ભરત બધાથી મોટો હતો.તે ભગવાનના પરમ ભક્ત અને ભગવતભક્તોના પરાયણ હતો.ઋષભદેવજીએ પૃથ્વીનું પાલન કરવા માટે તેને રાજગાદી ઉપર બેસાડી દીધો અને જાતે ઉપરામશીલ નિવૃતપરાયણ મહામુનિયોની ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યરૂપ પરમહંસોચીત ધર્મોની શિક્ષા આપવા માટે એકદમ વિરક્ત થઇ ગયા.ફક્ત શરીર માત્રનો પરિગ્રહ રાખ્યો અને બધુજ ઘરપર રહેતાજ છોડી દીધું.હવે તે વસ્ત્રોનો પણ ત્યાગ કરીને સર્વથા દિગંબર થઇ ગયા તે વખતે તેમના વાળ વિખરાયેલા હતા.ઉન્મત્તના જેવો વેશ હતો.આ સ્થિતિમાં તે આહવાનિય(અગ્નિહોત્રની)અગનિયોને પોતાનામાં જ લિન કરીને સન્યાસી થઇ ગયા અને બ્રહ્માવર્ત દેશથી બહાર નીકળી ગયા.તે સર્વથા મૌન થઇ ગયા હતા.કોઈ વાત કરવા ઇચ્છતું તો બોલતા જ ન હતા.જડ,આંધળા,બહેરા,ગૂંગા,પિશાચ અને ગાંડાના જેવી ચેષ્ટા કરતા કરતા તે અવધૂત બની જ્યાં ત્યાં ફરવા લાગ્યા ક્યારેક નગરો અને ગામોમાં ચાલ્યા જતા તો ક્યારે ખાનોમાં,ખેડૂતોની વસ્તીઓ,બગીચો,પહાડી ગામો,સેનાની છાવણીયો,ગાયશાળાઓ,આહીરોની વસ્તીઓ અને યાત્રિયોના રહેવાના સ્થાનોમાં રહેતા.ક્યારે પહાડો,જંગલો અને આશ્રમ વગેરેમાં ફરતા.તે કોઈ પણ રસ્તાથી નીકળતા તો જે રીતે વનમાં ફરનારા હાથીયોને માંખીઓ હેરાન કરે છે તે રીતે મૂર્ખ અને દુષ્ટ લોકો તેમની પાછળ પડતા અને તેમને હેરાન કરતા.કોઈ ધમકી આપતા,કોઈ મારતા,કોઈ પેશાબ કરી દેતા,કોઈ થુંકતા,કોઈ ધેલા મારતા,કોઈ વિષ્ટા અને ધૂળ ફેંકતા,કોઈ ગંદો વાયુ છોડતા અને કોઈ ખોટી ખરી સંભળાવી તેનો તિરસ્કાર કરતા.પરંતુ તે એવી વાતો પર બિલકુલ ધ્યાન નહિ આપતા.તેનું કારણ એ હતું કે ભ્રમથી સત્ય કહેવાતું આ મિથ્યા શરીરમાં તેમની અહંતા-મમતા થોડી પણ ન હતી.તે કાર્ય કારણરૂપ સંપૂર્ણ પ્રપજ્ઞ ના સાક્ષી થઈને પોતાના પરમાત્મ સ્વરૂપમાં જ સ્થિત હતા.એટલે અખંડ ચિત્તવૃત્તિથી એકલા જ પૃથ્વી પર ફરતા રહેતા હતા.જોકે તેમના હાથ,પગ,છાતી લાંબી લાંબી બાહો,ખભા,ગળું અને મોઢું વગેરે અંગોની બનાવટ ખુબ જ સુકુમાર હતી.તેમનું સ્વભાવથી જ સુંદર મોઢું સ્વાભાવિક મધુર મુસ્કુરાહટથી વધારે મનોહર દેખાતું હતું.આંખો નવા કમલદલના જેવી ખુબ જ સુંદર મહોટી તેમજ કૈક લાલસાથી ભરેલી હતી,તેમની પુતળીયો ઠંડી અને સત્તાપહારીની હતી.તે આંખોને કારણે તેઓ ખુબ જ મનોહર દેખાતા હતા.કપાળ,કાં અને નાસિકા નાના મોટા ન થઈને સરખા તેમ જ સુંદર હતા.અને તેમનું અસ્ફૂટ હાસ્યયુક્ત મનોહર મુખારવિંદ ની શોભાને જોઈને પુરનારીયોના મનમાં કામદેવનો સંચાર થઇ જતો હતો.તોપણ તેમના મોઢાની આગળ જે ભૂરા રંગની લાંબી લાંબી ઘુઘરાલી લટો લટકતી રહેતી હતી,તેમના મહાન ભાર અને અવધૂતોની જેમ ધૂળધૂસરિત દેહના કારણે તેઓ ગ્રહગ્રસ્ત મનુષ્ય જેવા દેખાતા હતા.
જયારે ભગવાન ઋષભદેવે જોયું કે આ જાણતા યોગસાધનામાં વિઘ્નરૂપ છે અને તેનાથી બચવાનો ઉપાય બિભત્સવૃત્તિથી રહેવાનો જ છે ત્યારે તેમણે અજગરવૃત્તિ ધારણ કરી લીધી.તેઓ સુતા સુતા જ ખાવું પીવું,ચાવવું અને મળમૂત્ર ત્યાગ કરવા લાગ્યા.તેઓ પોતાના ત્યાગેલા મળમાં સુઈ સૂઈને શરીરને તેનાથી લેપી લેતા.(પરંતુ) તેમના મળમાં દુર્ગંધ ન હતી,ખુબ જ સુગંધ હતી.અને વાયુ તે સુગંધને લઈને તેમની ચારે બાજુ દસ યોજન સુધી આખા દેશને સુગંધિત કરી દેતી હતી.આવી રીતે ગાય,મૃગ અને કર્મકાંદિની વૃત્તિયોને સ્વીકાર કરીને તે તેમની માફક જ ક્યારેક ચાલતા ચાલતા ,ક્યારેક ઉભા ઉભા ,ક્યારેક બેઠેલા,અને ક્યારેક સુતા સુતા જ ખાવા પીવા અને મળમૂત્રનો ત્યાગ કરવા લાગતા હતા.પરીક્ષિત ! પરમહંસોને ત્યાગના આદર્શની શિક્ષા આપવા માટે આવી રીતે મોક્ષપતિ ભગવાન ઋષભદેવે કેટલીય જાતની યોગચર્યાઓનું આચરણ કર્યું.તેઓ સતત સર્વશ્રેષ્ઠ મહાન આનંદનો અનુભવ કરતા રહેતા હતા.તેમની નજરમાં નિરુપાધિકરૂપથી બધાજ પ્રાણીઓના આત્મા પોતાના આત્મસ્વરૂપ ભગવાન વાસુદેવથી કોઈ પ્રકારનો ભેદ ન હતો.એટલે તેમના બધાજ પુરુષાર્થ પૂર્ણ થઇ ગયા હતા.તેમની પાસે આકાશગમન,મનોજવીત્ય ( મનની ગતિની માફક જ શરીરનું પણ ઈચ્છા કરતા જ બધે પહોંચી જવું ),અંતર્ધ્યાન,પરકાયપ્રવેશ(બીજાના શરીરમાં પ્રવેશ કરવો ),બીજાઓની વાતો સાંભળી લેવી અને દૂરના દ્રશ્યો જોઈ લેવા વગેરે બધાજ પ્રકારની સિધ્ધિયો પોતાની જાતે જ સેવા કરવા આવી પણ તેમણે તેનો મનથી આદર અથવા ગ્રહણ ન કરી.
અધ્યાય છઠ્ઠો
ઋષભદેવજીનો દેહત્યાગ
રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન ! યુગપુરુષ વાયુથી પ્રજ્વલિત થયેલી જ્ઞાનાગ્નિથી જેના રાગાદિ કર્મબીજ દગ્ધ થઇ ગયા છે - તે આત્મારામ મુનિયોને નસીબજોગે જો જાતેજ અણિમાદિ સિધ્ધિયો મળી જાય તો તેઓ તેમના રાગ-દ્વેષાદિ કલેશોનું કારણ તો કોઈ પ્રકારે હોઈ નહિ શકતી, પછી ભગવન ઋષભે તેમનો સ્વીકાર કેમ ન કર્યો ?
શ્રી શુકદેવજીએ કહ્યું - તમારું કહેવું બરાબર છે,પરંતુ સંસારમાં જેમ ચાલાક વાઘ પોતાનું પકડેલું મૃગનો વિશ્વાસ નથી કરતો,તે રીતે બુદ્ધિમાન લોક આ ચંચળ મનનો ભરોષો નથી કરતા.એવું કહ્યું પણ છે -'આ ચંચળ ચિત્ત સાથે ક્યારેય મિત્રતા નહિ કરવી જોઈએ.તેમાં વિશ્વાસ કરવાથી જ મોહિનીરૂપથી ફસાઈને મહાદેવજીનું લાંબાસમયનું મેળવેલું તપ ક્ષીણ થઇ ગયું હતું.જેમ વ્યભિચારિણી સ્ત્રી જાર પુરુષોને અવકાશ આપીને તેમના દ્વારા પોતાનામાં વિશ્વાસ રાખનારા પતિનો વધ કરાવી નાખે છે -તેવી રીતે જો યોગી મન ઉપર વિશ્વાસ કરે છે, તેમનું મન કામ અને તેનો સાથી ક્રોધાદિ શત્રુઓને આક્રમણ કરવાનો અવસર આપીને તેમને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે. કામ,ક્રોધ,મદ,લોભ,મોહ અને ભય વગેરે શત્રુઓનું તથા કર્મબંધનનું મૂળ તો આ મન જ છે.તેના પર કોઈ પણ બુદ્ધિમાન કેવી રીતે વિશ્વાસ કરી શકે છે ?
તેનાથી ભગવાન ઋષભદેવ કદાચ ઈંદ્રાદિ બધા લોકપાલોના પણ ભૂષણસ્વરૂપ હતા તો પણ તે જડ પુરુષોની માફક અવધૂતોં જેવા વિવિધ વેષ,ભાષા,અને આચરણથી પોતાના ઈશ્વરીય પ્રભાવને છુપાવતા રહેતા હતા.અંતમાં યોગીઓને દેહત્યાગની વિધિ શીખવાડવા માટે પોતાનું શરીર છોડવા વિચાર્યું.તે પોતાના હૃદયમાં અભેદરૂપથી સ્થિર પરમાત્માને અભિન્નરૂપથી જોતા જોતા વાસનાઓની અનુવૃત્તિથી છૂટીને લિંગદેહના અભિમાનથી પણ મુક્ત થઇ ઉપરામ થઇ ગયા.આવી રીતે લિંગદેહથી મુક્ત ભાગવાન ઋષભદેવજીણું શરીર યોગમાયાની વાસનાથી ફક્ત અભિમાનભાસને આશ્રય જ આ પૃથ્વીતલ પર ફરતું રહ્યું.આ દૈવવશ કોંક,વેંગ,અને દક્ષિણ વગેરે કુતર્ક કર્ણાટકના દેશોમાં ગયા, અને મોઢામાં પથ્થરના ટુકડા નાખી તથા વાળ વિખેરી ઉન્મત્તની માફક દિગંબરરૂપથી કુટકાચલના વનમાં ફરવા લાગ્યા.તે વખતે વાવાઝોડાથી ઝૂલતા વાસોના ઘર્ષણથી પ્રચંડ દાવાગ્નિ ભભૂકી ઉઠી અને તેણે આખા વનને પોતાની લાલ લાલ લપેટોમાં લઇ ઋષભદેવજી સાથે ભસ્મ કરી નાખ્યું.
રાજન ! જે વખતે કળિયુગમાં અધર્મની વૃદ્ધિ થશે તે વખતે કોંગ,વેંગ અને કુટક દેશના મંદમતી રાજા અર્હત ત્યાંના લોકોમાં ઋષભદેવજીના આશ્રમાતીત આચરણનું વૃતાન્ત સાંભળીને તથા જાતે તેને ગ્રહણ કરીને લોકોના પૂર્વસંચિત પાપફળસ્વરૂપ હોનહારને વશીભૂત થઇ ભયરહિત સ્વધર્મ પથનો પરિત્યાગ કરીને પોતાની બુદ્ધિથી અનુચિત અને પાખંડપૂર્ણ કુમાર્ગનો પ્રચાર કરશે.તેનાથી કળિયુગમાં દેવમાયાથી મોહિત અનેકો અધમ મનુષ્ય પોતાની શાસ્ત્રવિહિત વિચાર અને આચારને છોડી દેશે. અધર્મબહુલ કળિયુગના પ્રભાવથી બુદ્ધિહીન થઇ જવાને કારણે તે સ્નાન ન કરવું,આચમન ન કરવું ,અશુદ્ધ રહેવું,કેશ કોચાવવાં વગેરે ઈશ્વરનો તિરસ્કાર કરનારા પાખંડ ધર્મોને મનમાન્યા ઢંગથી સ્વીકાર કરશે,અને ફરીથી વેદ,બ્રાહ્મણ તેમજ ભગવાન યજ્ઞપુરુષની નિંદા કરવા લાગશે.તે પોતાની આ નવીન અવૈદિક સ્વેચ્છાકૃત પ્રવૃત્તિમાં અંધપરંપરાથી વિશ્વાસ કરીને મતવાલા રહેવાને કારણે જાતેજ ઘોર નર્કમાં પડીશું.
ભગવાનનો આ અવતાર રજોગુણથી ભરેલા લોકોને મોક્ષમાર્ગની શિક્ષા આપવા માટે જ થયો હતો.તેમના ગુણોના વર્ણન કરતા લોકો આ વાક્યને કહયા કરે છે -‘અહો ! સાત સમુદ્રોવાળી પૃથ્વીના બધાજ દ્વીપ અને વર્ષોમે આ ભારતવર્ષ ખુબ જ પુણ્યભૂમિ છે.કેમકે અહીંના લોક શ્રી હરિના મંગલમય અવતાર ચરિત્રોનું ગાન કરે છે.અહો ! મહારાજ પ્રિયવ્રતનો વંશ ખૂબ જ ઉજ્જવળ તેમ જ સૂયશપૂર્ણ છે,જેમાં પુરાણપુરુષ શ્રી આદિનારાયણને ઋષભવતાર લઈને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર પરમહંસય ધર્મનું આચરણ કર્યું.અહો ! આ જન્મરહિત ભગવાન ઋષભદેવના માર્ગ પર કોઈ બીજો યોગી મનથી પણ કેવી રીતે ચાલી શકે છે.કેમકે યોગિલોક જે યોગસિદ્ધિયોને માટે લાલાયિત થઈને નિરંતર પ્રયત્ન કરતા રહે છે તેને તેમણે એમનેએમ મળી જવાથી પણ અસત સમજીને ત્યાગી દીધું હતું .’
રાજન ! આવી રીતે સંપૂર્ણ વેદ,લોક,દેવતા,બ્રાહ્મણ અને ગાયોના પરમગુરુ ભગવાન ઋષભદેવનું ચરિત્ર મેં તમને સંભળાવ્યું.તે મનુષ્યોના બધા પાપોને હરનાળુ છે.જે મનુષ્ય આ પરમ મંગલમય પવિત્ર ચરિત્રને એકાગ્રચિત્તથી શ્રદ્ધાપૂર્વક નિરંતર સાંભળે અથવા સંભળાવે તે બંનેની ભગવાન વાસુદેવમાં અનન્ય ભક્તિ થઇ જાય છે.જાત જાતના પાપોથી પૂર્ણ સાંસારિક તાપોથી ખુબ જ તપેલા પોતાના હૃદયને પંડિતજનો આ ભક્તિની નદીમાં જ નિત્ય નિરંતર નવડાવ્યા કરે છે.તેનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી આનંદમયી હોય છે કે પછી તે લોકો તેની સામે એમનેએમ મળેલું મોક્ષરૂપ પરમ પુરુષાર્થનો પણ આદર નથી કરતા.ભગવાનના નિજજન થઇ જવાથી જ તેમના બધા પુરુષાર્થ સિદ્ધ થઇ જાય છે.
રાજન ! ભગવાન શ્રી કૃષ્ણ જાતે પાંડવોના અને યદુવંશીયોના રક્ષક,ગુરુ,ઇષ્ટદેવ,સૃહદ અને કુલપતિ હતા.એટલેસુધી કે તેઓ ક્યારેક ક્યારેક આજ્ઞાકારી સેવક પણ બની જતા હતા.એવી રીતે ભગવાન બીજા ભક્તોના પણ અનેકો કાર્ય કરી શકે છે અને તેને મુક્તિ પણ આપી દે છે,પરંતુ મુક્તિથી વધારે જે ભક્તિયોગ છે તેને સહેલાઈથી નથી આપતા.
નિરંતર વિષયભોગોની અભિલાષા કરવાના કારણે પોતાના વાસ્તવિક શ્રેયથી લાંબા સમય સુધી બેશુદ્ધ થયેલા લોકોને જેમણે કરુણાવશ નિર્ભય આતમલોકનો ઉપદેશ આપ્યો અને જે જાતે નિરંતર થનારા આત્મસ્વરૂપ્ની પ્રાપ્તિથી બધીજ પ્રકારની તૃષ્ણાઓથી મુક્ત હતા તે ભગવાન ઋષભદેવને નમસ્કાર છે.
વધુ જુલાઈ મહિનાની ૧૫ મી તારીખે
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં જૂન માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.આભાર,મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.
વધુ જુલાઈ મહિનાની ૧૫ મી તારીખે
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં
જૂન
માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.