ૐ શ્રી ગણેશાય નમ:
શ્રીમદ્ભાગવત મહાપુરાણ
તૃતીય સ્કંધ
પહેલો અધ્યાય
ઉદ્ધવ અને વિદુરનું મળવું
શ્રી શુકદેવજીએ કહ્યું -પરીક્ષિત ! જે વાત તમે પૂછી છે,તે પૂર્વકાળમાં પોતાના સુખસમૃદ્ધિથી ભરેલા ઘરને છોડીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી.જયારે સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા,ત્યારે તેઓ દુર્યોધનનો મહેલ છોડીને તેજ વિદુરજીના ઘરમાં તેમને પોતાના જ માનીને વગર બોલાવ્યે જતા રહ્યા હતા.
રાજા પરીક્ષિતે પૂછ્યું- પ્રભુ ! એ તો બતાવો કે ભગવાન મૈત્રેયની સાથે વિદુરજીનો સમાગમ ક્યાં અને કયા સમયે થયો હતો ? પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીથી કોઈ સાધારણ પ્રશ્ન નહિ કર્યો હોય,કેમકે તેમને તો મૈત્રેયજી જેવા સાધુશિરોમણીએ અભિનંદનપૂર્વક જવાબ આપીને મહિમાન્વિત કર્યા હતા.
સુતજી કહે છે- સર્વજ્ઞ શુકદેવજીએ રાજા પરીક્ષિતે આવી રીતે પૂછવાથી અતિ પ્રસન્ન થઈને કહ્યું -સાંભળો.
શ્રી શુકદેવજી કહેવા લાગ્યા - પરીક્ષિત ! આ તે દિવસોની વાત છે,જયારે આંધળા રાજા ધુતરાષ્ટ્રે અન્યાયથી પોતાના પુત્રોના પાલન પોષણ કરતા કરતા પોતાના નાના ભાઈ પાંડુના અનાથ બાળકોને લાક્ષાગૃહમાં મોકલીને આગ લગાવડાવી.જયારે તેમની પુત્રવધુ અને રાજા યુધિષ્ઠિરની પટરાણીના વાળ દુ:શાસને ભરી સભામાં ખેંચ્યા,તે વખતે દ્રૌપદીની આંખોમાંથી આસુંઓની ધારા વહેવા લાગી અને અને તે પ્રવાહથી તેના વક્ષ:સ્થળ ઉપર લગાવેલું કેસર પણ વહેવા લાગ્યું,પરંતુ ધૃતરાષ્ટ્રે તેના પુત્રને કુકર્મ કરતા ન રોક્યો.દુર્યોધને સત્યપરાયણ ભોળા ભલા યુધિષ્ઠિરનું રાજ્ય જુગારમાં અન્યાયથી જીતી લીધું અને તેમને વનમાં કાઢી મૂક્યા.પરંતુ વનમાંથી પાછા આવ્યા પછી પ્રતિજ્ઞા પ્રમાણે પોતાનો ન્યાય ઉચિત પિતૃક ભાગ માંગ્યો,ત્યારે પણ મોહના લીધે તે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો હિસ્સો ન આપ્યો.મહારાજા યુધિષ્ઠિરના મોકલવા પર જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણે કૌરવોની સભામાં હિતભર્યા કેટલાક સુમધુર વચનો કહ્યા,જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃત જેવા લાગ્યા પણ કુરુરાજે તેમના વચનોને કઈ પણ આદર ન આપ્યો,આપે કેવી રીતે? તેમના તો બધાજ પુણ્યો નાશ પામ્યા હતા.પછી જયારે સલાહ માટે વિદુરજીને બોલાવ્યા,ત્યારે મંત્રીઓમાં શ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને મોટાભાઈ ધૃતરાષ્ટ્ર પર પૂછવા પર તેમને તે સંમતિ આપી જેને નીતિશાસ્ત્રના જાણનારા પુરુષ ‘વિદુરનીતિ’ કહે છે.
તેમણે કહ્યું- ‘ મહારાજ ! આપ અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો હિસ્સો આપી દો.તે તમારા ન સહી શકાય તેવા અપરાધને સહી રહ્યા છે.ભીમરુપ કાલા નાગથી તો તમે પણ ડરો છો,જુઓ તે પોતાના નાના ભાઈયો સાથે બદલો લેવા માટે ઘણા ક્રોધથી ફૂંફાડા મારી રહ્યા છે.તમને ખબર નથી ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોને અપનાવી લીધા છે.તે યદુ વીરોનાં આરાધ્ય દેવ આ વખતે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે.તેમણે પૃથ્વીના બધા મોટા મોટા રાજાઓને પોતાના આધીન કરી લીધા છે તથા બ્રાહ્મણ અને દેવતા પણ તેમના પક્ષમાં છે.જેને તમો પુત્ર માનીને પાળી રહ્યા છો તથા જેની હામાં હા મેળવતા જાઓ છો,તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમાન દોષ જ તમારા ઘરમાં ઘૂસીને બેઠો છે.તે તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણથી દ્વેષ કરવાનો છે.તેના કારણથી તમો ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ થઈને શ્રી હીન થઇ રહ્યા છો. એટલે જો તમો આપણા કુળને કુશળ ઈચ્છો છો તો દુષ્ટનો તરત ત્યાગ કરો.
વિદુરજીનો એટલો સુંદર સ્વભાવ હતો કે સાધુજનો પણ તેમને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરતા હતા.પરંતુ તેમની વાત સાંભળતા જ કર્ણ,દુ:શાસન અને શકુની સાથે દુર્યોધનના હોઠ અત્યંત ક્રોધથી ફરકવા લાગ્યા અને તેણે તેમનો તિરસ્કાર કરતા કહ્યું- ‘અરે ! આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે ? એ જેના ટુકડા ખાઈ ખાઈને જીવે છે તેના જ વિરુદ્ધમાં જઈને શત્રુનું કામ કરવા માંગે છે.તેનો પ્રાણ ન લો પણ તેણે આપણા શહેરથી તરત બહાર કાઢો ‘
ભાઈની સામેજ કાનમાં બાણોની માફક લાગનારા તે અતયંત કઠોર શબ્દોથી અપમાનિત થઈને પણ વિદુરજીને કઈ ખોટું ન લાગ્યું અને ભગવાનની માયાને પ્રબળ માનીને પોતાનું ધનુષ્ય રાજદ્વાર પર મૂકીને તે હસ્તિનાપુરથી જતા રહ્યા.કૌરવોને વિદુર જેવા મહાત્મા ઘણા પુણ્યથી મળ્યા હતા.તે હસ્તિનાપુરથી નીકળીને પુણ્ય કરવાની ઈચ્છાથી ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનના ક્ષેત્રોમાં ફરવા લાગ્યા,જ્યાં શ્રી હરિ,બ્રહ્મા,રુદ્ર ,અનંત વગેરે અનેકો મૂર્તિયોના રૂપમાં વિરાજમાન છે.જ્યાં જ્યાં ભગવાનની પ્રતિમાઓથી સુશોભિત તીર્થસ્થાનો,નગર,પવિત્ર વન,પર્વત,નિકુંજ અને નિર્મલ પાણીથી ભરેલા નદી સરોવર વગેરે હતા,તે બધા સ્થાનોમાં તેઓ એકલાજ ફરતા હતા.તેઓ અવધૂત વેશમાં સ્વચ્છંદતાપૂર્વક પૃથ્વી પર ફરતા હતા,તેથી આત્મીયજન તેમનેઓરખી ન શક્યા.તેઓ શરીરને સજાવતા ન હતા,પવિત્ર અને સાધારણ ભોજન કરતા,શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા,જમીન પર સુતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતોનું પાલન કરતા રહેતા હતા.
એવી રીતે ભારત વર્ષમાં જ ફરતા ફરતા જ્યાંસુધી તે પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા,ત્યાંસુધી ભગવાન શ્રી કૃષ્ણની સહાયતાથી મહારાજ યુધિષ્ઠિર પૃથ્વીના એકચ્છત્ર અખંડ રાજ્ય કરવા લાગ્યા હતા.ત્યાં તેમણે પોતાના કૌરવ ભાઈઓને વિનાશના સમાચાર સાંભળ્યા,જે અંદરોદરના ઝગડાને કારણે પરસ્પર લડી-ભીડીને એવી રીતે નષ્ટ થઇ ગયા હતા,જેમ પોતાના જ ઘસાવાથી ઉત્તપન્ન થયેલી આગથી વાસોનું આખું જંગલ બળીને ખાક થઇ જાય છે.તે સાંભળીને તેઓ શોક કરતા કરતા ચુપચાપ સરસ્વતીના કિનારે આવ્યા.
ત્યાં તેમણે ત્રિત,ઉશના,મનુ,પૃથુ,અગ્નિ,અસિત,વાયુ,સુદાસ,ગૌ,ગુહ અને શ્રાદ્ધદેવના નામે અગિયાર પ્રસિદ્ધ તીર્થોનું સેવન કર્યું.તેના સિવાય પૃથ્વીમાં બ્રાહ્મણ અને દેવતાઓના સ્થાપિત કરેલા જે ભગવાન વિષ્ણુના બીજા પણ કેટલાય મંદિરો હતા.જેમના શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ ચક્રના ચિન્હો હતા,અને જેના દર્શન માત્રથી શ્રી કૃષ્ણનું સ્મરણ થઇ જતું હતું,તેનું પણ સેવન કર્યું.ત્યાંથી ચાલીને તેઓ ધન ધાન્યથી ભરેલા સૌરાષ્ટ્ર,સૌવીરઃ,મત્સ્ય અને
કુરુજાંગલ વગેરે દેશોમાં થતા જયારે કેટલાક દિવસોમાં યમુના કિનારે પહોંચ્યા,ત્યારે ત્યાં તેમણે પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન કર્યું.તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રખ્યાત સેવક અને અત્યંત શાંતસ્વભાવના હતા.તે પહેલા બૃહસ્પતિના શિષ્ય રહી ચૂકયા હતા.વિદુરજીએ તેમને જોઈને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું.અને તેમને પોતાના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના આશ્રિત તેમના સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા.
વિદુરજી કહેવા લાગ્યા -ઉદ્ધવજી ! પુરાણપુરુષ શ્રી બલરામજી અને શ્રી કૃષ્ણે પોતાના નાભિ કમળથી ઉત્તપન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે.તે પૃથ્વીનો ભાર ઉતારીને બધાને આનંદ આપતા હવે શ્રી વાસુદેવજીના ઘેર કુશળતાથી રહે છે ને ? પ્રિયવર ! અમે કુરુવંશીયોના પરમ સુહૃદ અને પૂજ્ય વસુદેવજી,જે પિતાના જેમ ઉદારતા પૂર્વક પોતાની કુંતી વગેરે બહેનોને તેમના સ્વામીઓનો સંતોષ કરાવતા તેમની બધી મનચાહી વસ્તુઓ આપતા આવ્યા છે,આનંદપૂર્વક છે ને ?
જાળમાં સંતાઈને કિરાતવેષધારી,એટલે કોઈની સમજમાં ન આવનારા ભગવાન શંકર પ્રસન્ન થઇ ગયા હતા,તે રથી
અને યુધ્ધપતિઓના સુયશ વધારનાર ગાંડીવધારી અર્જુન તો પ્રસન્ન છે ને ? હવે તો તેના બધા શત્રુઓ શાંત થઇ ગયા હશે ? પલક જેમ આંખની રક્ષા કરે છે,તેવી રીતે કુંતીના પુત્રો યુધિષ્ઠિર વગેરે જેમની કાયમ સંભાળ રાખતા હતા અને કુંતાએજ જેમનું લાલનપાલન કર્યું છે,તે માદ્રીના યમાંજ પુત્ર નકુલ-સહદેવ કુશળ તો છે ને ? તેમણે યુદ્ધમાં શત્રુથી પોતાનું રાજ્ય એવી રીતે ઝૂંટવી લીધું જેમ બે ગરુડ ઇન્દ્રના મોઢામાંથી અમૃત કાઢી લાવ્યા. અહો ! બિચારી કુંતા તો રાજર્ષિશ્રેષ્ઠ પાંડુના વિયોગમાં મૃતપાય જેવી થઈને પણ તે બાળકો માટે જ પ્રાણ ધારણ કરી રહેતી હતી.
રથિઓમાં શ્રેષ્ઠ મહારાજા પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે ફક્ત એક ધનુષ્ય લઈને એકલાએજ ચારો દિશાઓ જીતી લીધી હતી. સૌમ્યસ્વભાવ ઉદ્ધવજી ! મને તો અધઃપતન તરફ જતા ધૃતરાષ્ટ્ર માટે વારંવાર શોક થાય છે,જેમણે પાંડવોના રૂપમાં પોતાના પરલોકવાસી ભાઈ પાંડુથી જ દ્રોહ કર્યો,તથા પોતાના પુત્રોની હા માં હા મેળવીને પોતાના હિતચિંતક મને પણ નગરમાંથી કાઢી મુકાવ્યો.પરંતુ ભાઈ ! મને તેનો કોઈ ખેદ અથવા આશ્ચર્ય નથી.જગદવિધાતા ભગવાન શ્રી કૃષ્ણજ મનુષ્યો જેવી લીલાઓ કરીને લોકોની મનોવૃત્તિયોને ભ્રમિત કરી નાખે છે.હું તો તેમની કૃપાથી તેમનો મહિમા જોતો બીજાઓની નજરથી દૂર રહીને સાનંદ ફરી રહ્યો છું.જોકે કૌરવોએ તેમના ઘણા અપરાધ કર્યા,છતાંપણ ભગવાને તેમની તેટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તે તેમની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા ઇચ્છતા હતા,જે ધન,વિદ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી થઇ રહ્યા હતા અને વારંવાર પોતાની સેનાઓથી પૃથ્વીને કંપાવી રહ્યાં હતા.ઉદ્ધવજી ! ભગવાન શ્રી કૃષ્ણ જન્મ અને કર્મથી રહિત છે,છતાંપણ દુષ્ટોનો નાશ કરવા અને લોકોને પોતાના તરફ આકર્ષવા તેમના દિવ્ય જન્મ અને કર્મ થયા કરે છે.નહિ તો ભગવાનની તો વાત જ શું-બીજા જે લોકો ગુણોથી પાર થઇ ગયા છે,તેમાં પણ એવું કોણ છે,જે આ કર્માધિન દેહના બંધનમાં પડવાનું વિચારશે.એટલે મિત્ર ! જેમણે અજન્મા થઈને પણ પોતાની શરણમાં આવેલા બધાજ લોકપાલ અને આજ્ઞાકારી ભક્તોનું પ્રિય કરવા માટે યદુકુળમાં જન્મ લીધો છે,તે પવિત્રકીર્તિ શ્રીહરિની વાતો સંભળાવો.
બીજો અધ્યાય
ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળલીલાઓનું વર્ણન.
શ્રી શુકદેવજી કહે છે -જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આવી રીતે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણથી સબંધ રાખનારી વાતો પૂછી,ત્યારે તેમને પોતાના સ્વામીનું સ્મરણ થઇ આવ્યું અને તે હૃદય ભરાઈ આવવાના કારણે કોઈ પણ જવાબ આપી ન શક્યા. જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની માફક રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તન્મય થઇ જતા હતા કે કલેવે માટે માના બોલાવવા પર પણ તેને છોડીને જવા ચાહતા નહોતા.હવે તે લાંબા સમયથી તેમની સેવામાં રહેતા રહેતા તે વૃદ્ધ થઇ રહ્યા હતા,એટલે વિદુરજીના પૂછવાથી તેમને તેમના પ્યારા પ્રભુના ચારણકમળોનું સ્મરણ થઇ આવ્યું- તેમનું મન વિરહથી વ્યાકુળ થઇ ગયું.પછી તે જવાબ શી રીતે આપી શકે.ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણાર્વિન્દ મકરંદ સુધાથી સરચોર થઈને બે ઘડી સુધી કઈ પણ બોલી ન શક્યા.તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તે આનંદમગ્ન થઇ ગયા.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો તથા ભરેલા નેત્રોમાંથી પ્રેમના આસુંઓની ધારા વહેવા માંડી.ઉદ્ધવજીને આવી રીતે પ્રેમપ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેને કૃતકૃત્ય માન્યું.કેટલાક સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામથી ઉતરીને ફરીથી ધીરે ધીરે સંસારમાં આવ્યા,ત્યારે પોતાની આંખો લૂછીને ભગવત્લ્લીલાઓનું સ્મરણ થઇ આવવાથી વિસ્મિત થઈને વિદુરજીથી એવી રીતે કહેવા લાગ્યા.
ઉદ્ધવજી દ્વારા ભગવાનની બાળલીલાઓનું વર્ણન.
શ્રી શુકદેવજી કહે છે -જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવજીને આવી રીતે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણથી સબંધ રાખનારી વાતો પૂછી,ત્યારે તેમને પોતાના સ્વામીનું સ્મરણ થઇ આવ્યું અને તે હૃદય ભરાઈ આવવાના કારણે કોઈ પણ જવાબ આપી ન શક્યા. જયારે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની માફક રમતમાં જ શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તન્મય થઇ જતા હતા કે કલેવે માટે માના બોલાવવા પર પણ તેને છોડીને જવા ચાહતા નહોતા.હવે તે લાંબા સમયથી તેમની સેવામાં રહેતા રહેતા તે વૃદ્ધ થઇ રહ્યા હતા,એટલે વિદુરજીના પૂછવાથી તેમને તેમના પ્યારા પ્રભુના ચારણકમળોનું સ્મરણ થઇ આવ્યું- તેમનું મન વિરહથી વ્યાકુળ થઇ ગયું.પછી તે જવાબ શી રીતે આપી શકે.ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણાર્વિન્દ મકરંદ સુધાથી સરચોર થઈને બે ઘડી સુધી કઈ પણ બોલી ન શક્યા.તીવ્ર ભક્તિ યોગથી તેમાં ડૂબીને તે આનંદમગ્ન થઇ ગયા.તેમના આખા શરીરમાં રોમાન્સ થઇ ગયો તથા ભરેલા નેત્રોમાંથી પ્રેમના આસુંઓની ધારા વહેવા માંડી.ઉદ્ધવજીને આવી રીતે પ્રેમપ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેને કૃતકૃત્ય માન્યું.કેટલાક સમય પછી જયારે ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામથી ઉતરીને ફરીથી ધીરે ધીરે સંસારમાં આવ્યા,ત્યારે પોતાની આંખો લૂછીને ભગવત્લ્લીલાઓનું સ્મરણ થઇ આવવાથી વિસ્મિત થઈને વિદુરજીથી એવી રીતે કહેવા લાગ્યા.
ઉદ્ધવજીએ કહ્યું -વિદુરજી ! શ્રી કૃષ્ણરૂપ સૂર્યના છુપાઈ જવાથી અમારા ઘરોને કાળરૂપ અજગર ગળી ગયો છે,તે શ્રીહીન થઇ ગયા છે.હવે હું તેઓની શું કુશળતા સંભળાવું.ઓહ ! આ મનુષ્ય લોક ઘણું કમનસીબ છે,તેમાં યાદવ તો ખૂબ જ ભાગ્યહીન છે,જેમણે નિરંતર શ્રી કૃષ્ણની સાથે રહેવા છતાં પણ તેમને ન ઓરખ્યાં- જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવાના સમયે માછલીઓ તેને નહોતી ઓરખી શકી.યાદવ લોકો મનના ભાવને તોળનારા ઘણા સમજદાર અને ભગવાનની સાથે એકજ સ્થાનમાં રહીને ક્રીડા કરનારા હતા,તો પણ તે બધાએ આખા વિશ્વના આશ્રય સર્વાન્તર્યામી શ્રી કૃષ્ણને એક શ્રેષ્ઠ યાદવ જ સમજ્યા.પરંતુ ભગવાનની માયાથી મોહિત તે યાદવો અને તેમનાથી નકામું વેર કરનારા શિશુપાલ વગેરે અવહેલના તથા નિંદાસૂચક વાક્યોથી ભગવત્પ્રાણ મહાનુભાવોની બુદ્ધિ ભ્રમમાં પડતી નહોતી.જેમણે ક્યારેય તપ નથી કર્યું,તે લોકોને પણ એટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને સંતોષ્યા વિના જ તે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ત્રિભુવન મોહન શ્રીવિગ્રહને છુપાવીને અંતર્ધ્યાન થઇ ગયા છે અને એવી રીતે માનો તેમના નેત્રોને જ ઝૂંટવી લીધા છે.ભગવાને તેમની યોગમાયાનો પ્રભાવ બતલાવવા માટે માનવલીલાઓના યોગ્ય જે દિવ્ય શ્રી વિગ્રહ પ્રગટ કર્યો હતો,તે એટલો સુંદર હતો કે તેને જોઈને આખી દુનિયા તો મોહિત થઇ જતી હતી જ,તે જાતે પણ વિસ્મિત થઇ જતા હતા.સૌભાગ્ય અને સુંદરતાની તે રૂપમાં પરાકાષ્ઠા હતી.તેનાથી આભૂષણ (અંગોના ઘરેણાં ) પણ વિભૂષિત થઇ જતા હતા.
બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગારમાં વાસુદેવ-દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો.તે વખતે કંસના ડરથી વસુદેવજીએ તેમને નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા.ત્યાં તેઓ બલરામજીની સાથે અગિયાર વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેનો પ્રભાવ વ્રજની બહાર કોઈની ઉપર ન પડ્યો.યમુનાના ઉપવનમાં,જેના હર્યા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ઝુંડોના ઝુંડો રહે છે.ભગવાન શ્રી કૃષ્ણે વાછરડા ચરાવતા ચરાવતા ગોવાળ મંડળીની સાથે વિહાર કર્યો હતો.તે વ્રજ વાસિયોની દ્રષ્ટિ અકૃષ્ટ કરવા માટે અનેક બાળલીલાઓ તેમને બતાવતા હતા.ક્યારેક રડવા લગતા,ક્યારેક હસતા ક્યારેક સિંહ-સાવકની જેમ મુગ્ધ નજરથી જોતા.પછી થોડા મોટા થયા પછી તે સફેદ બળદ અને રંગ-બેરંગી શોભાની મૂર્તિ ગાયોને ચરાવતી વખતે પોતાના સાથી ગોપોને વાંસળી વગાડી વગાડીને રીઝવવા લાગ્યા.તે વખતે જયારે કંસે તેમને મારવા માટે ખુબ જ માયાવી અને મનમાંના રૂપ ધારણ કરનારા રાક્ષસો મોકલ્યા,ત્યારે તેમને રમત રમતમાં ભગવાને મારી નાખ્યા -જેમ બાળક રમકડાંને તોડીફોડી નાખે છે.કાલીનાગને નાથીને ઝેર થી ભળેલા પાણી પીવાથી મરેલા ગોપબાળકોને જીવતા કરી તેમને કાલિયદહનું નિર્દોષ પાણી પીવાની સુવિધા કરી આપી.ભગવાન શ્રી કૃષ્ણે વળી ગયેલા ધનનો સદ્વ્યય કરવાની ઈચ્છાથી શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા નંદબાબાથી ગોવર્ધન પૂજા રૂપ ગોયજ્ઞ કરાવ્યો.ભદ્ર ! એનાથી પોતાનું માનભંગ થવાથી જયારે ઇન્દ્રે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી,ત્યારે ભગવાને કરુણાવશ રમત રમતમાં છત્રીની માફક ગોવર્ધન પર્વત ઉપાડી લીધો અને ખુબ જ ઘભરાયેલા વ્રજવાસીઓની તથા તેમના પશુઓની રક્ષા કરી.સંધ્યાના સમયે જયારે આખા વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની રેલાય જતી ત્યારે શ્રી કૃષ્ણ તેનું સમ્માન કરતા મધુર ગાન કરતા અને ગોપીઓના મંડળની શોભા વધારતા તેમની સાથે રાસવિહાર કરતા.
અધ્યાય ત્રીજો
ભગવાનની અન્ય લીલાચરિત્રોનું વર્ણન.
ઉધ્ધ્વજી કહે છે - તેના પછી શ્રી કૃષ્ણ પોતાના માતા-પીતા દેવકી વસુદેવને સુખી કરવાની ઈચ્છાથી બલદેવજી સાથે મથુરા આવ્યા અને તેમણે શત્રુ સમુદાયના સ્વામી કંસને ઉંચા સિંહાસન ઉપરથી નીચે પછાડીને તથા તેનો પ્રાણ લઈને તેની લાશને ઘણા જોરથી પૃથ્વી ઉપર ઘસેડી.સાંદિપની મુનિ દ્વારા એક વાર ઉચ્ચાર કરેલા સાંગોપાંગ વેદનું અધ્યયન કરીને દક્ષિણાસ્વરૂપ તેમના મરેલા પુત્રને પ્રસજન નામના રાક્ષસના પેટમાંથી(યમપુરીથી) લાવીને આપ્યો.
ભીષ્મકનંદિની રુક્મણીના સૌંદર્યથી અથવા રુક્મિના બોલાવવાથી જે શિશુપાલ અને તેના સહાયક ત્યાં આવ્યા હતા,તેમના માથા ઉપર પગ રાખીને ગંધર્વ વિધિ દ્વારા વિવાહ કરવા માટે પોતાની નિત્યસંગીની રુક્મણીને તે એમ જ હરણ કરી લાવ્યા,જેમ ગરુડ અમૃત કળશને લઇ આવ્યા હતા.સ્વયંવરમાં સાત નાથ્યા વગરના બળદોને નાથીને
નાગ્નજિતી(સત્યા) સાથે વિવાહ કર્યો.આવી રીતે માનભંગ થવાથી મૂર્ખ રાજાઓએ શસ્ત્ર ઉઠાવીને રાજકુમારીને ઝૂટાવવા વિચાર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતે ઘાયલ થયા વિના પોતાના શસ્ત્રોથી તેમને મારી નાખ્યા.ભગવાન વિષયી પુરુષોની જેવી લીલા કરતા કરતા પોતાની પ્રાણ પ્રિયા સત્યભામાને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેમના માટે સ્વર્ગથી કલ્પવૃક્ષ ઉખાડી લાવ્યા.તે વખતે ઇન્દ્રએ ક્રોધથી આંધળા થઈને પોતાના સૈનિકો સાથે તેમના ઉપર હુમલો કર્યો,કેમકે તે નિર્ણય જ પોતાની સ્ત્રીઓના ક્રીડામૃગ બનેલો છે.પોતાના વિશાલ ડીલદૌલથી આકાશને પણ ઢાંકી દેનારા પોતાના પુત્ર ભીમશૂરને ભગવાનના હાથે મરાયેલો જોઈને પૃથ્વીએ જયારે તેમને પ્રાર્થના કરી,ત્યારે તેમણે ભીમશૂરના પુત્ર ભગદત્તને તેનું બચેલું રાજ્ય આપીને તેના અંત:પુરમાં પ્રવેશ કર્યો.ત્યાં ભીમશૂર દ્વારા હરિને લાવેલી ઘણી બધી રાજકન્યાઓ હતી.તેઓ દીનબંધુ શ્રીકૃષ્ણને જોતા જ ઉભી થઇ ગઈ અને બધાએ ખુબ જ હર્ષ ,લાજ તેમજ પ્રેમપૂર્ણ ચિત્તવનથી તરત જ ભગવાનને પ્રતિરૂપમાં વરી લીધા.
ત્યારે ભગવાને પોતાની નિજશક્તિ યોગમાયાથી તે લલનાઓને અનુરૂપ તેટલા જ રૂપ ધારણ કરીને તે બધાનું જુદા જુદા મહેલોમાં એક જ મુહૂર્તમાં વિધિ પ્રમાણે હસ્તવિવાહ કર્યા.પોતાની લીલાનો વિસ્તાર કરવા માટે તેમણે તેઓમાંથી દરકેના ગર્ભથી બધા ગુણોમાં પોતાની જેવા જ દસ દસ પુત્રો ઉત્તપન્ન કર્યા.જયારે કાલયવન,જરાસંધ અને શાલવાદીને પોતાની સેનાઓ સાથે મથુરા અને દ્વારકાપુરીને ઘેર્યું હતું,ત્યારે ભગવાને નિજ્જનોને પોતાની અલૌકિક શક્તિ આપીને તેમણે જાતે મરાવ્યા હતા.શમ્બર,દ્વિવિદ,બાણાસુર ,મુર,બલવલ તથા દંતવક વગેરે બીજા યોદ્ધાઓમાં પણ કોઈકને તેમણે પોતે માર્યો હતો અને કોઈને બીજાથી મરાવ્યા હતા.તેના પછી તમારા ભાઈ ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રોનો પક્ષ લઈને આવેલા રાજાઓનો પણ સંહાર કર્યો,જેમના સેનાસહિત કુરુક્ષેત્રમાં પહોંચવાથી પૃથ્વી ડોલવા લાગી હતી.કર્ણ,દુઃશાસન અને શકુનિની ખોટી સલાહથી જેની ઉમર અને શ્રી બંને નાશ થઇ ચુકી હતી,તથા ભીમસેનની ગદાથી જેની જાંઘ ભાંગી ગઈ હતી,તે દુર્યોધનને પોતાના સાથિયો સાથે પડેલો જોઈને પણ તેમને પ્રસન્નતા ન થઇ.તેઓ વિચારવા લાગ્યા-જો દ્રોણ,ભીષ્મ,અર્જુન અને ભીમસેન દ્વારા અઢાર અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર થઇ પણ જાય,તો તેનાથી પૃથ્વીનો કેટલો ભાર હલકો થયો.હજુ તો મારા અંશ રૂપ પ્રદુમન વગેરેના બળથી વધેલ યાદવનું દુઃસહ દળ બનેલું છે જ .જયારે તે મધુ પાનથી મતવાલા થઈને લાલ લાલ આંખો કરીને અંદર અંદર લડવા માંડશે ત્યારે તેનાથી જ તેમનો નાશ થશે.તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી.હકીકતમાં મારા સંકલ્પ કરવાથી તે જાતે અંતર્ધ્યાન થઇ જશે.
તે વિચારીને ભગવાને યુધિષ્ઠિરને પોતાની પિતૃક રાજગાદી ઉપર બેસાડ્યા અને પોતાના બધાજ સગા સબંધીઓને સત્પુરુષોનો માર્ગ બતાવીને આનંદિત કર્યા.ઉત્તરાના ઉદરમાં જે અભિમન્યુ પુરુવંશનું જે બીજ સ્થાપિત કર્યું હતું,તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી નષ્ટ જેવું થઇ ગયું હતું,પરંતુ ભગવાને તેને બચાવી લીધું. તેમણે ધર્મરાજ યુધિષ્ઠિરથી ત્રણ અશ્વમેધ યજ્ઞ કરાવ્યા અને તે પણ શ્રી કૃષ્ણના અનુગામી થઈને પોતાના નાના ભાઈઓની સહાયતાથી પૃથ્વીની રક્ષા કરતા કરતા ઘણા આનંદથી રહેવા લાગ્યા.વિશ્વાત્મા શ્રી ભગવાને પણ
દ્વારકાપુરીમાં રહીને લોક અને વેદોની મર્યાદાનું પાલન કરતા બધા પ્રકારના ભોગો ભોગવ્યા,પરંતુ શાંખ્યયોગની
સ્થાપના કરવા માટે તેમાં ક્યારેય આસક્ત ન થયા.મધુર મુસ્કરાત,સ્નેહમયી ચિંત્વન,સુધામયી વાણી,નિર્મલ ચરિત્ર,તથા સમસ્ત શોભા અને સુંદરતાના નિવાસ,પોતાના શ્રી વિગ્રહથી લોકપરલોક અને ખાસ કરીને યાદવોને આનંદિત કર્યા તથા રાતમાં પોતાની પ્રિયાઓ સાથે ક્ષણિક અનુરાગ યુક્ત થઈને સમયોચીત વિહાર કર્યો અને એવી
રીતે ઘણા વર્ષો ફરતા ફરતા તેમને ગૃહસ્થ આશ્રમ સબંધી ભોગ સામગ્રીઓથી વૈરાગ્ય થઇ ગયો.તે ભોગસામગ્રીઓ ઈશ્વરને આધીન છે અને જીવ પણ તેમને આધીન છે.તે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનેજ તેનાથી વૈરાગ્ય થઇ ગયો ત્યારે ભક્તિ યોગ દ્વારા તેમનું અનુગમન કરનારા ભક્ત તો તેમના પર વિશ્વાસ જ કેવી રીતે
કરશે ?
એકવાર દ્વારકાપુરીમાં રમતા રમતા યદુવંશી અને ભોજવંશી બાળકોએ રમત રમતમાં કેટલાક મુનીશ્વરોને ચિઢાવ્યાં.ત્યારે યાદવકુળનો નાશ જ ભગવાનને અમિષ્ટ છે - એ સમજીને તે ઋષિયોએ બાળકોને શ્રાપ આપી દીધો.
તેના કેટલાક મહિના પછી ભાવિ વશ વૃષ્ણી ભોજ અને અંધકવંશી યાદવ ઘણા હર્ષથી રથો પર ચઢીને પ્રભાસ ક્ષેત્ર બાજુ ગયા.ત્યાં સ્નાન કરીને તેમણે તે તીર્થના પાણીથી પિતર,દેવતા અને ઋષિયોનું તર્પણ કર્યું,તથા બ્રાહ્મણોને શ્રેષ્ઠ ગાયો આપી.તેમણે સોનુ ,ચાંદી,શય્યા,વસ્ત્ર,મૃગચર્મ,કંબલ,પાલખી,રથ,હાથી,કન્યાઓ અને એવી ભૂમિ જેનાથી જીવન ચાલી શકે તથા નાના પ્રકારના સરસ અન્ન પણ ભગવદર્પણ કરીને બ્રાહ્મણોને આપ્યા,તેના પછી ગાયો અને બ્રાહ્મણો માટે જ પ્રાણ ધારણ કરનારા તે વીરોને પૃથ્વી પર માથું ટેકવીને તેમને પ્રણામ કર્યા.
છઠ્ઠો અધ્યાય
વિરાટ શરીરની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેય ઋષિએ કહ્યું- સર્વશક્તિમાન ભગવાને જયારે જોયું કે અંદરોદર સંગઠિત ન થવાને કારણે આ મારી મહતત્વ વગેરે શક્તિઓ વિશ્વ રચનાના કાર્યમાં નકામી થઇ રહી છે,ત્યારે તે કાળ શક્તિનો સ્વીકાર કરીને એક સાથે જ મહતત્વ,અહંકાર,પંચભૂત,પંચતન્માત્રા અને મન સાથે અગિયાર ઇન્દ્રિયો-આ તેવીસ તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઇ ગયા.તેમાં પ્રવિષ્ટ થઈને તેમણે જીવોના સુતેલા અદ્રષ્ટને જાગૃત કર્યા અને એકબીજાથી જુદા થયા તે તત્વ સમૂહને પોતાની ક્રિયા શક્તિ દ્વારા અંદરોદર મેળવી દીધા.એવી રીતે ભગવાને અદ્રષ્ટને કાર્યોન્મુખ કર્યા,ત્યારે તે તેવીસ તત્વોના સમૂહને ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધીપુરુષ-વિરાટને ઉત્તપન્ન કર્યા.એટલે ભગવાને જયારે અંશરૂપથી પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો,ત્યારે તે વિશ્વરચના કરનારા મહત્તત્વાદિ નો સમુદાય એક બીજાને મળીને પરિણામને પ્રાપ્ત થયા.આ તત્વોનું પરિણામ જ વિરાટ પુરુષ છે.જેમાં ચરાચર જગત વિદયમાન છે.
પાણીની અંદર જે ઈંડાના રૂપમાં આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ બધાજ જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા.તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ(કાર્ય) હતો તથા જ્ઞાન,ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો.તે શક્તિઓથી તેણે પોતાના ક્રમથી એક(હૃદયરૂપ),દસ(પ્રાણરૂપ) અને ત્રણ(આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) વિભાગ કર્યા.તે વિરાટ પુરુષ જ પ્રથમ પ્રથમ જીવ હોવાને કારણે બધાજ જીવોના આત્મા,જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પહેલો અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે.આ સંપૂર્ણ ભૂત સમુદાય એમાં પ્રકાશિત થાય છે.આ અધ્યાત્મ,અધિભૂત અને અધિદૈવ રૂપથી ત્રણ પ્રકારના,પ્રાણ રૂપથી દસ પ્રકારના(દસ ઇન્દ્રિયો સાથે મન અધ્યતમ છે,ઈંદ્રિયાદિ ના વિષય અધિભૂત છે,ઈંદ્રિયાધીશતાથા દેવ અધિદૈવ છે,તથા પ્રાણ,અપાન,ઉદાન,સમાન,વ્યાન,નાગ,કૂર્મ,કૃપર્ણ,દેવદત્ત અને ધનંજય - તે દસ પ્રાણ છે.)અને હૃદયરૂપથી એક પ્રકારના છે.
પછી વિશ્વની રચના કરનારા મહતત્વ આદિના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થનાને સ્મરંણ કરીને તેમની વૃત્તિયોને જગાડવા માટે પોતાના ચેતનરૂપ તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યા,તેમને જગાડ્યા.તેમના જાગૃત થતા જ
દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા - તે હું બતલાવું છું,સાંભળો .
વિરાટ પુરુષનું પહેલા મુખ પ્રગટ થયું તેમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગીન્દ્રિયની સાથે પ્રવિષ્ટ થઇ ગયા જેનાથી આ જીવ બોલે છે.પછી વિરાટ પુરુષનું ટાળવું ઉત્પન્ન થયું તેમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સાથે સ્થિર થયા,જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે.એના પછી તે વિરાટ પુરુષની નસકોરા ઉત્તપન્ન થયા તેમાં બંને અશ્વનીકુમાર પોતાના અંશ ઘ્રારેન્દ્રીય સાથે પ્રવિષ્ટ થયા જેનાથી જીવ ગંધ ગ્રહણ કરે છે.તેવી રીતે જયારે વિરાટ પુરુષની આંખો પ્રગટ થઇ ત્યારે તેમાં પોતાના અંશ નેતેંદ્રિય સાથે- લોકપતિ સૂર્યે પ્રવેશ કર્યો,જે નેતેંદ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે.પછી તે વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્ત્પન્ન થઇ તેમાં પોતાના અંશ ટ્વગીન્દ્રીયની સાથે વાયુ સ્થિર થયો,જે ટ્વગઈંદ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે.જયારે તેના કર્ણછીદ્ર પ્રગટ થયા,ત્યારે તેમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સાથે દિશાઓએ પ્રવેશ કર્યો જે શ્રવણેન્દ્રિય દ્વારા જીવને શબ્દનું જ્ઞાન થાય છે.પછી વિરાટ શરીરમાં ચામડી ઉત્ત્પન્ન થઇ,તેમાં પોતાના અંશ રોમો સાથે ઔષધિયો સ્થિર થઇ,જે રોમોથી જીવ ખંજવાળ વગેરેનો અનુભવ કરે છે.હવે તેને લિંગ ઉત્તપન્ન થયું પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સાથે પ્રવેશ કર્યો,જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે.પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થયું,તેમાં લોકપાલ મિત્રે પોતાના અંશ પાયું-ઇન્દ્રિય સાથે પ્રવેશ કર્યો,તેનાથી જીવ મળત્યાગ કરે છે.તેના પછી તેના હાથ પ્રગટ થયા, તેમાં પિતાની ગ્રહણ-ત્યાગ રૂપા શક્તિની સાથે દેવરાજ ઇન્દ્રે પ્રવેશ કર્યો,આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે.જયારે તેના પગ ઉત્તપન્ન થયા,ત્યારે તેમાં પોતાની શક્તિ ગતિની સાથે લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો - આ ગતિ શક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે.
પછી તેને બુદ્ધિ ઉત્તપન્ન થઇ,પોતાના તે સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિની સાથે વાક્પતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો,આ બુધીધીશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.પછી તેમાં હૃદય પ્રગટ થયું,તેમાં પોતાના અંશ મન સાથે ચંદ્રમા સ્થિર થયા.આ મનશક્તિ દ્વારા જીવ સંકલ્પ- વિકલ્પયાદીરૂપ વિકારોને પ્રાપ્ત કરે છે.ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્તપન્ન થયો,આ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સાથે અભિમાને (રુદ્ર ) પ્રવેશ કર્યો.તેનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે.હવે તેમાં ચિત્ત પ્રગટ થયું. તેમાં ચિત્તશક્તિ સાથે મહતત્વ(બ્રહ્મા) સ્થિર થયા આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના )ને ઉત્તપન્ન કરે છે.તે વિરાટ પુરુષના માથાથી સ્વર્ગલોક,પગથી પૃથ્વી અને નાભિથી અંતરિક્ષ(આકાશ )ઉત્તપન્ન થયું.તેમાં ક્રમથી સત્વ,રજ અને તમ - આ ત્રણ ગુણોના પરિણામ રૂપે દેવતા,મનુષ્ય અને પ્રેત વગેરે જોવાય છે.તેમાં દેવતાલોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં,મનુષ્ય અને તેના upayogi ગાય વગેરે જીવો રજોગુણ વધુ હોવાથી પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદગણો(ભૂત,પ્રેત વગેરે) બંનેની વચમાં સ્થિર ભગવાનના નાભીસ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે.
વિદુરજી ! વેદ અને બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી પ્રગટ થયા.મોઢાથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ બધી જાતિમાં શ્રેષ્ઠ અને બધાના ગુરુ છે.તેમની ભુજાઓથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારા ક્ષત્રિયવર્ણ ઉત્તપન્ન થયો,જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને બધી જાતિઓનું ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે.
ભગવાનની બંને જાંઘોથી બધા લોકોની નિર્વાહ કરનારી વૈષ્યવૃત્તિ ઉત્તપન્ન થઇ અને તેનાથી વૈશ્ય વર્ણનો પાદુર્ભાવ થયો.આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે.પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોથી સેવાવૃત્તિ પ્રગટ થઇ અને તેનાથી પહેલા પહેલ તે વૃત્તિનો અધિકારી શૂદ્રવર્ણ પણ પ્રગટ થયો,જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઇ જાય છે.( બધા ધર્મોની સિદ્ધિનું ફળ સેવા છે,સેવા કર્યા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ નથી થતો એટલે બધા ધર્મોની મૂળભૂત સેવા જ જેનો ધર્મ છે,તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે.બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે,ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે,વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શૂદ્રનો ધર્મ ધર્મ માટે છે. એવી રીતે પહેલા ત્રણ વર્ણોના ધર્મ બીજા પુરુષાર્થો માટે છે પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે છે,એટલે તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.)
વિરાટ શરીરની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેય ઋષિએ કહ્યું- સર્વશક્તિમાન ભગવાને જયારે જોયું કે અંદરોદર સંગઠિત ન થવાને કારણે આ મારી મહતત્વ વગેરે શક્તિઓ વિશ્વ રચનાના કાર્યમાં નકામી થઇ રહી છે,ત્યારે તે કાળ શક્તિનો સ્વીકાર કરીને એક સાથે જ મહતત્વ,અહંકાર,પંચભૂત,પંચતન્માત્રા અને મન સાથે અગિયાર ઇન્દ્રિયો-આ તેવીસ તત્વોના સમુદાયમાં પ્રવિષ્ટ થઇ ગયા.તેમાં પ્રવિષ્ટ થઈને તેમણે જીવોના સુતેલા અદ્રષ્ટને જાગૃત કર્યા અને એકબીજાથી જુદા થયા તે તત્વ સમૂહને પોતાની ક્રિયા શક્તિ દ્વારા અંદરોદર મેળવી દીધા.એવી રીતે ભગવાને અદ્રષ્ટને કાર્યોન્મુખ કર્યા,ત્યારે તે તેવીસ તત્વોના સમૂહને ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો દ્વારા અધીપુરુષ-વિરાટને ઉત્તપન્ન કર્યા.એટલે ભગવાને જયારે અંશરૂપથી પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો,ત્યારે તે વિશ્વરચના કરનારા મહત્તત્વાદિ નો સમુદાય એક બીજાને મળીને પરિણામને પ્રાપ્ત થયા.આ તત્વોનું પરિણામ જ વિરાટ પુરુષ છે.જેમાં ચરાચર જગત વિદયમાન છે.
પાણીની અંદર જે ઈંડાના રૂપમાં આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ બધાજ જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષ સુધી રહ્યા.તે વિશ્વરચના કરનારા તત્વોનો ગર્ભ(કાર્ય) હતો તથા જ્ઞાન,ક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન હતો.તે શક્તિઓથી તેણે પોતાના ક્રમથી એક(હૃદયરૂપ),દસ(પ્રાણરૂપ) અને ત્રણ(આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક) વિભાગ કર્યા.તે વિરાટ પુરુષ જ પ્રથમ પ્રથમ જીવ હોવાને કારણે બધાજ જીવોના આત્મા,જીવ રૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પહેલો અભિવ્યક્ત થવાને કારણે ભગવાનનો આદિ અવતાર છે.આ સંપૂર્ણ ભૂત સમુદાય એમાં પ્રકાશિત થાય છે.આ અધ્યાત્મ,અધિભૂત અને અધિદૈવ રૂપથી ત્રણ પ્રકારના,પ્રાણ રૂપથી દસ પ્રકારના(દસ ઇન્દ્રિયો સાથે મન અધ્યતમ છે,ઈંદ્રિયાદિ ના વિષય અધિભૂત છે,ઈંદ્રિયાધીશતાથા દેવ અધિદૈવ છે,તથા પ્રાણ,અપાન,ઉદાન,સમાન,વ્યાન,નાગ,કૂર્મ,કૃપર્ણ,દેવદત્ત અને ધનંજય - તે દસ પ્રાણ છે.)અને હૃદયરૂપથી એક પ્રકારના છે.
પછી વિશ્વની રચના કરનારા મહતત્વ આદિના અધિપતિ શ્રી ભગવાને તેમની પ્રાર્થનાને સ્મરંણ કરીને તેમની વૃત્તિયોને જગાડવા માટે પોતાના ચેતનરૂપ તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યા,તેમને જગાડ્યા.તેમના જાગૃત થતા જ
દેવતાઓ માટે કેટલા સ્થાન પ્રગટ થયા - તે હું બતલાવું છું,સાંભળો .
વિરાટ પુરુષનું પહેલા મુખ પ્રગટ થયું તેમાં લોકપાલ અગ્નિ પોતાના અંશ વાગીન્દ્રિયની સાથે પ્રવિષ્ટ થઇ ગયા જેનાથી આ જીવ બોલે છે.પછી વિરાટ પુરુષનું ટાળવું ઉત્પન્ન થયું તેમાં લોકપાલ વરુણ પોતાના અંશ રસનેન્દ્રિય સાથે સ્થિર થયા,જેનાથી જીવ રસ ગ્રહણ કરે છે.એના પછી તે વિરાટ પુરુષની નસકોરા ઉત્તપન્ન થયા તેમાં બંને અશ્વનીકુમાર પોતાના અંશ ઘ્રારેન્દ્રીય સાથે પ્રવિષ્ટ થયા જેનાથી જીવ ગંધ ગ્રહણ કરે છે.તેવી રીતે જયારે વિરાટ પુરુષની આંખો પ્રગટ થઇ ત્યારે તેમાં પોતાના અંશ નેતેંદ્રિય સાથે- લોકપતિ સૂર્યે પ્રવેશ કર્યો,જે નેતેંદ્રિયથી પુરુષને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે.પછી તે વિરાટ વિગ્રહમાં ત્વચા ઉત્ત્પન્ન થઇ તેમાં પોતાના અંશ ટ્વગીન્દ્રીયની સાથે વાયુ સ્થિર થયો,જે ટ્વગઈંદ્રિયથી જીવ સ્પર્શનો અનુભવ કરે છે.જયારે તેના કર્ણછીદ્ર પ્રગટ થયા,ત્યારે તેમાં પોતાના અંશ શ્રવણેન્દ્રિય સાથે દિશાઓએ પ્રવેશ કર્યો જે શ્રવણેન્દ્રિય દ્વારા જીવને શબ્દનું જ્ઞાન થાય છે.પછી વિરાટ શરીરમાં ચામડી ઉત્ત્પન્ન થઇ,તેમાં પોતાના અંશ રોમો સાથે ઔષધિયો સ્થિર થઇ,જે રોમોથી જીવ ખંજવાળ વગેરેનો અનુભવ કરે છે.હવે તેને લિંગ ઉત્તપન્ન થયું પોતાના આ આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશ વીર્ય સાથે પ્રવેશ કર્યો,જેનાથી જીવ આનંદનો અનુભવ કરે છે.પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થયું,તેમાં લોકપાલ મિત્રે પોતાના અંશ પાયું-ઇન્દ્રિય સાથે પ્રવેશ કર્યો,તેનાથી જીવ મળત્યાગ કરે છે.તેના પછી તેના હાથ પ્રગટ થયા, તેમાં પિતાની ગ્રહણ-ત્યાગ રૂપા શક્તિની સાથે દેવરાજ ઇન્દ્રે પ્રવેશ કર્યો,આ શક્તિથી જીવ પોતાની જીવિકા પ્રાપ્ત કરે છે.જયારે તેના પગ ઉત્તપન્ન થયા,ત્યારે તેમાં પોતાની શક્તિ ગતિની સાથે લોકેશ્વર વિષ્ણુએ પ્રવેશ કર્યો - આ ગતિ શક્તિ દ્વારા જીવ પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચે છે.
પછી તેને બુદ્ધિ ઉત્તપન્ન થઇ,પોતાના તે સ્થાનમાં પોતાના અંશ બુદ્ધિશક્તિની સાથે વાક્પતિ બ્રહ્માએ પ્રવેશ કર્યો,આ બુધીધીશક્તિથી જીવ જ્ઞાતવ્ય વિષયોને જાણી શકે છે.પછી તેમાં હૃદય પ્રગટ થયું,તેમાં પોતાના અંશ મન સાથે ચંદ્રમા સ્થિર થયા.આ મનશક્તિ દ્વારા જીવ સંકલ્પ- વિકલ્પયાદીરૂપ વિકારોને પ્રાપ્ત કરે છે.ત્યાર પછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્તપન્ન થયો,આ પોતાના આશ્રયમાં ક્રિયાશક્તિ સાથે અભિમાને (રુદ્ર ) પ્રવેશ કર્યો.તેનાથી જીવ પોતાના કર્તવ્યનો સ્વીકાર કરે છે.હવે તેમાં ચિત્ત પ્રગટ થયું. તેમાં ચિત્તશક્તિ સાથે મહતત્વ(બ્રહ્મા) સ્થિર થયા આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના )ને ઉત્તપન્ન કરે છે.તે વિરાટ પુરુષના માથાથી સ્વર્ગલોક,પગથી પૃથ્વી અને નાભિથી અંતરિક્ષ(આકાશ )ઉત્તપન્ન થયું.તેમાં ક્રમથી સત્વ,રજ અને તમ - આ ત્રણ ગુણોના પરિણામ રૂપે દેવતા,મનુષ્ય અને પ્રેત વગેરે જોવાય છે.તેમાં દેવતાલોકો સત્વગુણની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં,મનુષ્ય અને તેના upayogi ગાય વગેરે જીવો રજોગુણ વધુ હોવાથી પૃથ્વીમાં તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રુદ્રના પાર્ષદગણો(ભૂત,પ્રેત વગેરે) બંનેની વચમાં સ્થિર ભગવાનના નાભીસ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે.
વિદુરજી ! વેદ અને બ્રાહ્મણ ભગવાનના મોઢામાંથી પ્રગટ થયા.મોઢાથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ બધી જાતિમાં શ્રેષ્ઠ અને બધાના ગુરુ છે.તેમની ભુજાઓથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારા ક્ષત્રિયવર્ણ ઉત્તપન્ન થયો,જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને બધી જાતિઓનું ચોર વગેરેના ઉપદ્રવોથી રક્ષા કરે છે.
ભગવાનની બંને જાંઘોથી બધા લોકોની નિર્વાહ કરનારી વૈષ્યવૃત્તિ ઉત્તપન્ન થઇ અને તેનાથી વૈશ્ય વર્ણનો પાદુર્ભાવ થયો.આ વર્ણ પોતાની વૃત્તિથી બધા જીવોની જીવિકા ચલાવે છે.પછી બધા ધર્મોની સિદ્ધિ માટે ભગવાનના ચરણોથી સેવાવૃત્તિ પ્રગટ થઇ અને તેનાથી પહેલા પહેલ તે વૃત્તિનો અધિકારી શૂદ્રવર્ણ પણ પ્રગટ થયો,જેની વૃત્તિથી જ શ્રી હરિ પ્રસન્ન થઇ જાય છે.( બધા ધર્મોની સિદ્ધિનું ફળ સેવા છે,સેવા કર્યા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ નથી થતો એટલે બધા ધર્મોની મૂળભૂત સેવા જ જેનો ધર્મ છે,તે શુદ્ર બધા વર્ણોમાં મહાન છે.બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે,ક્ષત્રિયનો ધર્મ ભોગ માટે છે,વૈશ્યનો ધર્મ અર્થ માટે છે અને શૂદ્રનો ધર્મ ધર્મ માટે છે. એવી રીતે પહેલા ત્રણ વર્ણોના ધર્મ બીજા પુરુષાર્થો માટે છે પરંતુ શૂદ્રનો ધર્મ સ્વપુરુષાર્થ માટે છે,એટલે તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થઇ જાય છે.)
એ ચારે વર્ણો પોત પોતાની વૃતિયો સાથે જેનાથી ઉત્તપન્ન થયા છે,તે આપણા ગુરુ શ્રી હરિના પોત પોતાના ધર્મોથી ચિત્તશુદ્ધિને માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે.વિદુરજી ! આ વિરાટ પુરુષ કાળ,કર્મ અને સ્વભાવશક્તિથી યુક્ત ભગવાનની યોગમાયા ના પ્રભાવને પ્રગટ કરનારા છે.તેના સ્વરૂપનું પુરે પૂરું વર્ણન કરવાનું કોણ સાહસ કરી શકે છે.તે ઉપરાંત પ્યારા વિદુરજી ! બીજી વ્યવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખથી સાંભળીયુ છે તેવું શ્રી હરિનું સુયશ વર્ણન કરું છું.મહાપુરુષોનો મત છે કે પુણ્યશ્લોકશિરોમણી શ્રી હરિના ગુણોનું ગાન કરવું જ મનુષ્યોની વાણીનું તથા વિદ્વાનોના મોઢેથી ભગવત કથામૃતનું પાન કરવું જ તેમના કણોનો ઘણો મોટો લાભ છે.વત્સ ! અમે જ નહિ,આદિ કવિ શ્રી બ્રહ્માજીએ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો,છતાં પણ શું તે ભગવાનની અમિત મહિમાનો પાર પામી શક્યા ? એટલે ભગવાનની માયા મોટા મોટા માયાવીયોને પણ મોહિત કરી દેનારી છે.તેના ચક્કરમાં નાખનારી ચાલ અનંત છે,તે ઉપરાંત ભગવાન જાતે પણ તેની ચાહ લગાવી ન શકે,પછી બીજાની તો વાત જ શું હોય.જ્યાં ન પહોંચીને મનની સાથે વાણી પણ પાછી આવી જાય છે તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર તથા બીજા ઇન્દ્રિયધષ્ઠા દેવતા પણ સમર્થ નથી તે શ્રી ભગવાનને અમો નમસ્કાર કરીએ છીએ.
સાતમો અધ્યાય
વિદુરજીના પ્રશ્ન.
શ્રી શુકદેવજી કહે છે -મૈત્રયજીનું આ ભાષણ સાંભળીને બુદ્ધિમાન વ્યાસનન્દન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું.
વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ,નિર્વિકાર અને નિર્ગુણ છે,તેમની સાથે લીલાથી પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે ? બાળકમાં તો કામના અને બીજાની સાથે રમવાની ઈચ્છા રહે છે,તેનાથી તે રમવાનો પ્રયત્ન કરે છે.પરંતુ ભગવાન તો સ્વતઃ નિત્યતૃપ્ત- પૂર્ણકામ અને કાયમ અસંગ છે,તે ક્રીડાઓ માટે પણ શા માટે સંકલ્પ કરશે.ભગવાને પોતાની ગુણમયી માયાથી જગતની રચના કરી છે,તેનાથી તે તેનું પાલન કરે છે અને પછી તેનાથી સંહાર પણ કરશે.તેમનો જ્ઞાનનો દેશ,કાળ અથવા અવસ્થાથી,પોતાની જાતે અથવા બીજા કોઈ નિમ્મિતથી પણ ક્યારે લોપ નથી થતો,તેનો માયાની સાથે કેવી રીતે સંયોગ હોઈ શકે છે.એકમાત્ર ભગવાન જ બધા ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપથી સ્થિર છે,પછી તેને દુર્ભાગ્ય અથવા કોઈ પ્રકારના કર્મજનીત કલેશની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે છે.ભગવન ! આ અજ્ઞાનસંકટમાં પડીને મારુ મન ખુબ ખિન્ન થઇ રહ્યું છે,તમો મારા મનના આ મહાન મોહને કૃપા કરીને દૂર કરો.
શ્રી શુકદેવજી કહે છે -તત્વજિજ્ઞાસુ વિદુરજીની તે પ્રેરણા મેળવીને અહંકારરહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા મુસ્કરાતા કહ્યું.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- જે આત્મા બધાનો સ્વામી અને કાયમ મુકિતસ્વરૂપ છે,તેજ દીનતા અને બંધનને પ્રાપ્ત હોય-આ વાત યુક્તિવિરુદ્ધ અવશ્ય છે,પરંતુ હકીકતમાં તેજ તો ભગવાનની માયા છે.
આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસુદનના ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે,જે આવાગમનની યંત્રણાનો નાશ કરી નાખે છે.માહાત્માંલોકો ભગવત્પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ હોય છે,તેમને ત્યાં કાયમ દેવાધિદેવ શ્રી હરિના ગુણોનું ગાન થયા કરે છે અલ્પપૂણ્ય પુરુષને તેમની સેવાનો અવસર મળવો ખુબ જ કઠિન છે.
ભગવન ! તમોએ કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમથી મહદાદિ તત્વ અને તેના વિકારોને રચીને પછી તે અંશોથી વિરાટને ઉત્તપન્ન કર્યા અને તેના પછી તેઓ જાતે તેમાં પ્રવેશી ગયા.તે વિરાટના હજારો પગ,જાંઘો અને હાથો છે,તેને જ વેદ આદિ પુરુષ કહે છે.તેમનામાં આ બધા લોકો વિસ્તૃત રૂપથી સ્થિર છે.તેમનામાં જ ઇન્દ્રિય,વિષય અને ઇન્દ્રિયઅભિમાની દેવતાઓની સાથે દસ પ્રકારના પ્રાણોના - જે ઇન્દ્રિયબલ,મનોબળ અને શારીરિક બળરૂપથી ત્રણ પ્રકારના છે -તમોએ વર્ણન કર્યું છે અને તેનાથી બ્રાહ્મણાદિ વર્ણ પણ ઉત્તપન્ન થયા છે.હવે તમો મને તેમની બ્રહ્માદિ વિભૂતીયોનુ વર્ણન સંભળાવો -જેનાથી પુત્ર,પૌત્ર,નાતી અને કુટૂમ્બીઓ સાથે જાત જાતની પ્રજા ઉત્તપન્ન થઇ અને તેનાથી આ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું.તે વિરાટ બ્રહ્માદિ પ્રજાપતીયોના પણ પ્રભુ છે.તેમણે કયા કયા પ્રજાપતીયોને ઉત્તપન્ન કર્યા તથા સર્ગ,અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમથી રચના કરી ? મૈત્રેયજી ! તે મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોના,પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભુલોકનો વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા તે પણ બતાવો કે તિર્યક ,મનુષ્ય,દેવતા,સરીસૃપ (સાપ વગેરે રેંગનારા જંતુ ) અને પક્ષી તથા જરાયુઝ,સ્વેદજ,અંડજ અને યુદ્ધવિજ - આ ચાર પ્રકારના પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થયા.શ્રી હરિએ સૃષ્ટિ બનાવતી વખતે જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને સંહારને માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી,તેનું પણ વર્ણન કરો.વેષ,આચરણ અને સ્વભાવના પ્રમાણે વર્ણાશ્રમનો વિભાગ,ઋષિયોના જન્મ કર્મ વગેરે ,વેદોનો વિભાગ,યજ્ઞોનો વિસ્તાર,યોગનો માર્ગ,જ્ઞાન માર્ગ અને તેમનું સાધન સંખ્યમાર્ગ તથા ભગવાનના કહેલા નારદપાશવરાત્ર વગેરે તંત્રશાસ્ત્ર જુદા જુદા પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા,નીચ વર્ણનાં પુરુષથી ઉચ્ચવર્ણની સ્ત્રીઓમાં થનારી સંતાનોના પ્રકાર તથા જુદા જુદા ગુણો અને કર્મના કારણ જીવની જેવી અને જેટલી ગતિયો હોય છે,તે બધું અમને સંભળાવો.
સાતમો અધ્યાય
વિદુરજીના પ્રશ્ન.
શ્રી શુકદેવજી કહે છે -મૈત્રયજીનું આ ભાષણ સાંભળીને બુદ્ધિમાન વ્યાસનન્દન વિદુરજીએ તેમને પોતાની વાણીથી પ્રસન્ન કરતા કહ્યું.
વિદુરજીએ પૂછ્યું - બ્રહ્મન ! ભગવાન તો શુદ્ધ બોધસ્વરૂપ,નિર્વિકાર અને નિર્ગુણ છે,તેમની સાથે લીલાથી પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે હોઈ શકે ? બાળકમાં તો કામના અને બીજાની સાથે રમવાની ઈચ્છા રહે છે,તેનાથી તે રમવાનો પ્રયત્ન કરે છે.પરંતુ ભગવાન તો સ્વતઃ નિત્યતૃપ્ત- પૂર્ણકામ અને કાયમ અસંગ છે,તે ક્રીડાઓ માટે પણ શા માટે સંકલ્પ કરશે.ભગવાને પોતાની ગુણમયી માયાથી જગતની રચના કરી છે,તેનાથી તે તેનું પાલન કરે છે અને પછી તેનાથી સંહાર પણ કરશે.તેમનો જ્ઞાનનો દેશ,કાળ અથવા અવસ્થાથી,પોતાની જાતે અથવા બીજા કોઈ નિમ્મિતથી પણ ક્યારે લોપ નથી થતો,તેનો માયાની સાથે કેવી રીતે સંયોગ હોઈ શકે છે.એકમાત્ર ભગવાન જ બધા ક્ષેત્રોમાં તેમના સાક્ષીરૂપથી સ્થિર છે,પછી તેને દુર્ભાગ્ય અથવા કોઈ પ્રકારના કર્મજનીત કલેશની પ્રાપ્તિ કેવી રીતે હોઈ શકે છે.ભગવન ! આ અજ્ઞાનસંકટમાં પડીને મારુ મન ખુબ ખિન્ન થઇ રહ્યું છે,તમો મારા મનના આ મહાન મોહને કૃપા કરીને દૂર કરો.
શ્રી શુકદેવજી કહે છે -તત્વજિજ્ઞાસુ વિદુરજીની તે પ્રેરણા મેળવીને અહંકારરહિત શ્રી મૈત્રેયજીએ ભગવાનનું સ્મરણ કરતા મુસ્કરાતા કહ્યું.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- જે આત્મા બધાનો સ્વામી અને કાયમ મુકિતસ્વરૂપ છે,તેજ દીનતા અને બંધનને પ્રાપ્ત હોય-આ વાત યુક્તિવિરુદ્ધ અવશ્ય છે,પરંતુ હકીકતમાં તેજ તો ભગવાનની માયા છે.
જેવી રીતે સ્વપ્ન જોનાર પુરુષને પોતાનું માથું કપાવું વગેરે વેપાર ન થવાથી જ અજ્ઞાનને કારણે સાચા જેવું લાગે છે,તેવી રીતે આ જીવને બંધન વગેરે ન હોવા છતાં અજ્ઞાનતાથી ભાસ્યા કરે છે.જો તે કહેવામાં આવે કે પછી ઈશ્વરમાં તેને પ્રતીતિ કેમ નથી થતી,તો તેનો જવાબ એ છે કે જેવી રીતે પાણીમાં થતી કંપ વગેરે ક્રિયા પાણીમાં દેખાતા ચંદ્રમાના પ્રતિબિંબમાં ન હોવા છતાં દેખાય છે.આકાશના ચંદ્રમામાં નહિ,એવી રીતે દેહાભિમાની જીવમાં જ દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ થાય છે,પરમાત્મામાં નહિ.નિષ્કામ ભાવથી ધર્મોનું આચરણ કરવાથી ભગવત્કૃપાથી પ્રાપ્ત થયેલી ભક્તિ યોગના દ્વારા આ પ્રતીતિ ધીરે ધીરે નિવૃત થઇ જાય છે.જે વખતે બધી ઇન્દ્રિયો વિષયોથી દૂર થઈને સાક્ષી પરમાત્મા શ્રી હરિમાં નિશ્ચલભાવથી સ્થિર થઇ જાય છે.,તે વખતે ગાઢ નિદ્રામાં સુતેલા મનુષ્યના જેવા જીવમાં રાગ દ્વેષ વગેરે બધા દોષો કાયમ માટે નાશ પામે છે.શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન જ શ્રવણ અશેષ દુઃખરાશીને શાંત કરી દે છે.પછી જો અમારા હૃદયમાં તેમની ચરણકમળોની રજનું સેવન જાગી જાય,તો તો કહેવું જ શું ?
વિદુરજીએ કહ્યું-ભગવન ! તમારા યુક્તિયુક્ત વચનોની તલવારથી મારી શંકાઓ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.હવે મારુ મન ભગવાનની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા- બંને વિષયોમાં ખુબ પ્રવેશ કરી રહ્યું છે.વિદ્વાન ! તમે એ વાત્ત ખુબ સાચી કહી કે જીવને જો કલેશ વગેરેની પ્રતીતિ થઇ રહી છે,તેનો આધાર ફક્ત ભગવાનની માયા જ છે.આ કલેશ ફક્ત મિથ્યા એટલે નિર્મૂળ જ છે,કેમકે આ વિશ્વનું મૂળ કારણ જ માયાથી વધારે બીજું કઈ નથી.આ દુનિયામાં બે જ પ્રકારના લોકો સુખી છે-અથવા તો જે અત્યંત મૂઢ(અજ્ઞાનગ્રસ્ત)છે,અથવા જે બુદ્ધિ વગેરેથી અતીત શ્રી ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે.વચ્ચેની શ્રેણીના સંશયાપન્ન લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે.ભગવન ! તમારી કૃપાથી મને એ ખાતરી થઇ ગઈ છે કે આ અનાત્મ પદાર્થ ખરેખર છે જ નહિ,ફક્ત દેખાય છે.હવે હું તમારા ચરણૉની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ.
વિદુરજીએ કહ્યું-ભગવન ! તમારા યુક્તિયુક્ત વચનોની તલવારથી મારી શંકાઓ છિન્ન ભિન્ન થઇ ગઈ છે.હવે મારુ મન ભગવાનની સ્વતંત્રતા અને જીવની પરતંત્રતા- બંને વિષયોમાં ખુબ પ્રવેશ કરી રહ્યું છે.વિદ્વાન ! તમે એ વાત્ત ખુબ સાચી કહી કે જીવને જો કલેશ વગેરેની પ્રતીતિ થઇ રહી છે,તેનો આધાર ફક્ત ભગવાનની માયા જ છે.આ કલેશ ફક્ત મિથ્યા એટલે નિર્મૂળ જ છે,કેમકે આ વિશ્વનું મૂળ કારણ જ માયાથી વધારે બીજું કઈ નથી.આ દુનિયામાં બે જ પ્રકારના લોકો સુખી છે-અથવા તો જે અત્યંત મૂઢ(અજ્ઞાનગ્રસ્ત)છે,અથવા જે બુદ્ધિ વગેરેથી અતીત શ્રી ભગવાનને પ્રાપ્ત કરી ચુક્યા છે.વચ્ચેની શ્રેણીના સંશયાપન્ન લોકો તો દુઃખ જ ભોગવતા રહે છે.ભગવન ! તમારી કૃપાથી મને એ ખાતરી થઇ ગઈ છે કે આ અનાત્મ પદાર્થ ખરેખર છે જ નહિ,ફક્ત દેખાય છે.હવે હું તમારા ચરણૉની સેવાના પ્રભાવથી તે પ્રતીતિને પણ દૂર કરી દઈશ.
આ શ્રી ચરણોની સેવાથી નિત્ય સિદ્ધ ભગવાન શ્રી મધુસુદનના ચરણકમળોમાં ઉત્કટ પ્રેમ અને આનંદની વૃદ્ધિ થાય છે,જે આવાગમનની યંત્રણાનો નાશ કરી નાખે છે.માહાત્માંલોકો ભગવત્પ્રાપ્તિનો સાક્ષાત માર્ગ જ હોય છે,તેમને ત્યાં કાયમ દેવાધિદેવ શ્રી હરિના ગુણોનું ગાન થયા કરે છે અલ્પપૂણ્ય પુરુષને તેમની સેવાનો અવસર મળવો ખુબ જ કઠિન છે.
ભગવન ! તમોએ કહ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં ભગવાને ક્રમથી મહદાદિ તત્વ અને તેના વિકારોને રચીને પછી તે અંશોથી વિરાટને ઉત્તપન્ન કર્યા અને તેના પછી તેઓ જાતે તેમાં પ્રવેશી ગયા.તે વિરાટના હજારો પગ,જાંઘો અને હાથો છે,તેને જ વેદ આદિ પુરુષ કહે છે.તેમનામાં આ બધા લોકો વિસ્તૃત રૂપથી સ્થિર છે.તેમનામાં જ ઇન્દ્રિય,વિષય અને ઇન્દ્રિયઅભિમાની દેવતાઓની સાથે દસ પ્રકારના પ્રાણોના - જે ઇન્દ્રિયબલ,મનોબળ અને શારીરિક બળરૂપથી ત્રણ પ્રકારના છે -તમોએ વર્ણન કર્યું છે અને તેનાથી બ્રાહ્મણાદિ વર્ણ પણ ઉત્તપન્ન થયા છે.હવે તમો મને તેમની બ્રહ્માદિ વિભૂતીયોનુ વર્ણન સંભળાવો -જેનાથી પુત્ર,પૌત્ર,નાતી અને કુટૂમ્બીઓ સાથે જાત જાતની પ્રજા ઉત્તપન્ન થઇ અને તેનાથી આ આખું બ્રહ્માંડ ભરાઈ ગયું.તે વિરાટ બ્રહ્માદિ પ્રજાપતીયોના પણ પ્રભુ છે.તેમણે કયા કયા પ્રજાપતીયોને ઉત્તપન્ન કર્યા તથા સર્ગ,અનુસર્ગ અને મન્વંતરોના અધિપતિ મનુઓની પણ કયા ક્રમથી રચના કરી ? મૈત્રેયજી ! તે મનુઓના વંશ અને વંશધર રાજાઓના ચરિત્રોના,પૃથ્વીની ઉપર અને નીચેના લોકો તથા ભુલોકનો વિસ્તાર અને સ્થિતિનું પણ વર્ણન કરો તથા તે પણ બતાવો કે તિર્યક ,મનુષ્ય,દેવતા,સરીસૃપ (સાપ વગેરે રેંગનારા જંતુ ) અને પક્ષી તથા જરાયુઝ,સ્વેદજ,અંડજ અને યુદ્ધવિજ - આ ચાર પ્રકારના પ્રાણી કઈ રીતે ઉત્પન્ન થયા.શ્રી હરિએ સૃષ્ટિ બનાવતી વખતે જગતની ઉત્તપત્તિ સ્થિતિ અને સંહારને માટે પોતાના ગુણાવતાર બ્રહ્મા,વિષ્ણુ અને મહાદેવ રૂપથી જે કલ્યાણકારી લીલાઓ કરી,તેનું પણ વર્ણન કરો.વેષ,આચરણ અને સ્વભાવના પ્રમાણે વર્ણાશ્રમનો વિભાગ,ઋષિયોના જન્મ કર્મ વગેરે ,વેદોનો વિભાગ,યજ્ઞોનો વિસ્તાર,યોગનો માર્ગ,જ્ઞાન માર્ગ અને તેમનું સાધન સંખ્યમાર્ગ તથા ભગવાનના કહેલા નારદપાશવરાત્ર વગેરે તંત્રશાસ્ત્ર જુદા જુદા પાખંડ માર્ગોના પ્રચારથી થનારી વિષમતા,નીચ વર્ણનાં પુરુષથી ઉચ્ચવર્ણની સ્ત્રીઓમાં થનારી સંતાનોના પ્રકાર તથા જુદા જુદા ગુણો અને કર્મના કારણ જીવની જેવી અને જેટલી ગતિયો હોય છે,તે બધું અમને સંભળાવો.
બ્રહ્મન ! ધર્મ,અર્થ,કામ અને મોક્ષની પ્રાપ્તિ ના પરસ્પર અવિરોધી સાધનોના,વાણિજ્ય ,દંડનીતિ અને શાસ્ત્ર શ્રવણની વિધિયોના,શ્રાદ્ધની વિધિના,પિતૃગણોની સૃષ્ટિનું તથા કાલચક્રમાં ગ્રહ,નક્ષત્ર અને તારાગણની સ્થિતિનું પણ જુદું જુદું વર્ણન કરો.દાન,તપ તથા ઇષ્ટ અને પૂર્ત કર્મોનું શું ફળ છે ? પ્રવાસ અને આપત્તિના સમયે મનુષ્યોનો શું
ધર્મ હોય છે ? નિષ્પાપ મૈત્રેયજી ! ધર્મનું મૂળ કારણ શ્રી જનાર્દન ભાગવાન કયા આચરણથી સંતોષ પામે છે અને કોના પર અનુગ્રહ કરે છે.તે વર્ણન કરો.દ્વિજવર ! દિનવત્સલ ગુરુજન પોતાના અનુગત શિષ્યો અને પુત્રોને વગર પૂછ્યે પણ પોતાના હિતની વાત બતલાવી દે છે.ભગવન ! તે મહદાદિ તત્વોના પ્રલય કેટલા પ્રકારના છે ? તથા જયારે ભગવાન યોગનિંદ્રામાં શયન કરે છે ત્યારે તેમનામાંથી કયા કયા તત્વો તેમની સેવા કરે છે અને કોણ તેમાં
લિન થઇ જાય છે ? જીવનું તત્વ,પરમેશ્વરનું સ્વરૂપ,ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરુ અને શિષ્યના પારસ્પિક પ્રયોજન શું છે ? પવિત્રાત્માન ! વિદ્વાનોના તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાય બતલાવ્યા છે ? કેમકે મનુષ્યોનું જ્ઞાન ,ભક્તિ અથવા વૈરાગ્યની પ્રાપ્તિ એમનેમ તો થઇ ન શકે.બ્રહ્મન ! માયા મોહને કારણે મારી વિચાર દ્રષ્ટિ નાશ પામી છે.હું અજ્ઞાન છું,તમો મારા પરમ સહૃદ છે,એટલે શ્રી હરિલીલાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મેં જે પ્રશ્ન કર્યા છે તેના જવાબ મને આપો.પુણ્યમય મૈત્રેયજી ! ભગવતત્વ ના ઉપદેશ દ્વારા જીવને જન્મ મૃત્યુથી છોડાવીને તેને અભય કરવામાં જે પુણ્ય થાય છે,બધા વેદોનું અધ્યયન,યજ્ઞ,તપસ્યા અને દાન વગેરેથી થનારું પુણ્ય તે પુણ્યના સોળમા અંશની બરાબર પણ ન હોય શકે.
શ્રી શુકદેવજી કહે છે - રાજન ! જયારે કુરુશ્રેષ્ઠ વિદુરજીએ મુનિવર મૈત્રેયજી ને આવી રીતે પુરાણવિષયક પ્રશ્ન કર્યા,ત્યારે ભગવતચર્ચા ને માટે પ્રેરિત કરવાને કારણે તે ખુબ જ પ્રસન્ન થયા અને મુસ્કરાઇને તેમને કહેવા લાગ્યા.
આઠમો અધ્યાય
બ્રહ્માજીની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -
વિદુરજી ! તમો ભાગવત ભકતોમાં મુખ્ય લોકપાલ યમરાજા જ છો. તમે પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો માટે પણ સેવા યોગ્ય થઇ ગયો છે.ધન્ય છે ! તમો વારંવાર પગલે પગલે શ્રી હરિની
કિર્તીમયી માળાને નિત્ય નવીન બનાવી રહ્યા છો.હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને મોડી લેનારા પુરુષોની દુઃખનિવૃતીયો માટે, શ્રીમદ્ભાગવતપુરાણ પ્રારંભ કરું છું-જેને શ્રી સંકર્ષણ ભગવાને જાતે સનકાદિ ઋષિયોને સંભળાવ્યું હતું.
અખંડ જ્ઞાનસંપન્ન આદિદેવ ભગવાન સંકર્ષણ ભગવાન પાતાળલોકમાં વિરાજમાન છે.સનતકુમાર આદિ ઋષિયોને તેનાથી પરમ પુરુસોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો.તે વખતે શેષજી પોતાના અશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા,જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે.તેમના કમલકોશ જેવા નેત્રો બંધ હતા.પ્રશ્ન કરવાથી સનતકુમાર વગેરે જ્ઞાનીજનોના આનંદ માટે તેમણે પોતાના અધખૂલા નેત્રોથી જોયું.
સનતકુમાર વગેરે ઋષિયોએ મંદાકિની નદીના પાણીથી ભીંજાયેલા પોતાના વાળની જટાનેતેમના ચારણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો,જેમની નાગરાજકુમારીયોં પસંદગીનું વર મેળવવા માટે ભેટ-સામગ્રીઓથી પૂજા કરે છે.
સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે.તેમણે વારંવાર પ્રેમથી ભરેલી વાણીથી તેમની લીલાનું ગાન કર્યું.તે વખતે શેષ ભગવાનના ઉઠેલા હજારો ફેણ કિરિટોના હજારો હજારો શ્રેષ્ઠ મણિઓની ફંગોળાતી રોશનીથી ઝળહળિત થઇ રહ્યા હતા.ભગવાન સંકર્ષણે નિવૃતપરાયણ સન્તકુમારજીને તે ભાગવત સંભળાવ્યું હતું.-તેવું પ્રચલિત છે.સન્તકુમારજીએ પછી તેને પરમ વ્રતશીલ સાંખ્યાયન મુનિને,તેમના પ્રશ્ન કરવાથી સંભળાવ્યું.પરમહંસોમાં મુખ્ય શ્રી સંખ્યાયનજીને ભગવાનની વિભૂતીયોનનું વર્ણન કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે પોતાના અનુગત શિષ્ય,આપણા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું.તેના પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિપુરાણ મને કહ્યું.વત્સ ! શ્રદ્ધાળુ અને કાયમ અનુગત જોઈને હવે તે પુરાણ હું તને સંભળાવું છું.
બ્રહ્માજીની ઉત્તપત્તિ
શ્રી મૈત્રેયજીએ કહ્યું -
વિદુરજી ! તમો ભાગવત ભકતોમાં મુખ્ય લોકપાલ યમરાજા જ છો. તમે પુરુવંશમાં જન્મ લેવાને કારણે તે વંશ સાધુપુરુષો માટે પણ સેવા યોગ્ય થઇ ગયો છે.ધન્ય છે ! તમો વારંવાર પગલે પગલે શ્રી હરિની
કિર્તીમયી માળાને નિત્ય નવીન બનાવી રહ્યા છો.હવે હું ક્ષુદ્ર વિષય સુખની કામનાથી મહાન દુઃખને મોડી લેનારા પુરુષોની દુઃખનિવૃતીયો માટે, શ્રીમદ્ભાગવતપુરાણ પ્રારંભ કરું છું-જેને શ્રી સંકર્ષણ ભગવાને જાતે સનકાદિ ઋષિયોને સંભળાવ્યું હતું.
અખંડ જ્ઞાનસંપન્ન આદિદેવ ભગવાન સંકર્ષણ ભગવાન પાતાળલોકમાં વિરાજમાન છે.સનતકુમાર આદિ ઋષિયોને તેનાથી પરમ પુરુસોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો.તે વખતે શેષજી પોતાના અશ્રયસ્વરૂપ તે પરમાત્માની માનસિક પૂજા કરી રહ્યા હતા,જેમનું વેદ વાસુદેવના નામથી નિરૂપણ કરે છે.તેમના કમલકોશ જેવા નેત્રો બંધ હતા.પ્રશ્ન કરવાથી સનતકુમાર વગેરે જ્ઞાનીજનોના આનંદ માટે તેમણે પોતાના અધખૂલા નેત્રોથી જોયું.
સનતકુમાર વગેરે ઋષિયોએ મંદાકિની નદીના પાણીથી ભીંજાયેલા પોતાના વાળની જટાનેતેમના ચારણોની ચોકીના રૂપમાં સ્થિત કમળનો સ્પર્શ કર્યો,જેમની નાગરાજકુમારીયોં પસંદગીનું વર મેળવવા માટે ભેટ-સામગ્રીઓથી પૂજા કરે છે.
સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે.તેમણે વારંવાર પ્રેમથી ભરેલી વાણીથી તેમની લીલાનું ગાન કર્યું.તે વખતે શેષ ભગવાનના ઉઠેલા હજારો ફેણ કિરિટોના હજારો હજારો શ્રેષ્ઠ મણિઓની ફંગોળાતી રોશનીથી ઝળહળિત થઇ રહ્યા હતા.ભગવાન સંકર્ષણે નિવૃતપરાયણ સન્તકુમારજીને તે ભાગવત સંભળાવ્યું હતું.-તેવું પ્રચલિત છે.સન્તકુમારજીએ પછી તેને પરમ વ્રતશીલ સાંખ્યાયન મુનિને,તેમના પ્રશ્ન કરવાથી સંભળાવ્યું.પરમહંસોમાં મુખ્ય શ્રી સંખ્યાયનજીને ભગવાનની વિભૂતીયોનનું વર્ણન કરવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે પોતાના અનુગત શિષ્ય,આપણા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને સંભળાવ્યું.તેના પછી પરમ દયાળુ પરાશરજીએ પુલસ્ત્ય મુનિના કહેવાથી તે આદિપુરાણ મને કહ્યું.વત્સ ! શ્રદ્ધાળુ અને કાયમ અનુગત જોઈને હવે તે પુરાણ હું તને સંભળાવું છું.
સૃષ્ટિની પહેલા આખું જગત પાણીમાં ડૂબેલું હતું. તે વખતે એકમાત્ર શ્રી નારાયણદેવ શેષશૈયા પર સુતેલા હતા.તે પોતાની જ્ઞાનશક્તિને અક્ષુણ્ણ રાખીને જ યોગનિંદ્રાનો આશ્રય લેતા પોતાના નેત્રો બંધ કરેલા હતા.સૃષ્ટિના કર્મથી અવકાશ લઈને આત્માનંદમાં મગ્ન હતા.તેઓમાં બીજી કોઈ પણ ક્રિયાનો ઉન્મેષ ન હતો.જેવી રીતે અગ્નિ પોતાની દઝાડનારી વગેરે શક્તિઓને છુપાવતા લાકડામાં વ્યાપ્ત રહે છે,તેજ રીતે શ્રી ભગવાને સંપૂર્ણ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરોને પોતામાં શરીરમાં મેળવી દઈને પોતાના આધારભૂત તે પાણીમાં સુતા, તેમણે સૃષ્ટિકાળ આવવાથી ફરીથી
જાગવા માટે ફક્ત કાળશક્તિને જાગૃત રાખી.તેવી રીતે પોતાની સ્વરૂપભુતા ચીચ્છશક્તિ ની સાથે એક હજાર ચતુર્યુગ દરમ્યાન પાણીમાં શયન પછી જયારે તેમના દ્વારા નિયુક્ત તેમની કાળશક્તિ તેમણે જીવોને કર્મોની પ્રવુત્તિઓ માટે પ્રેરિત કર્યા,ત્યારે તેમણે પોતાના શરીરમાં લિન થયેલા અનંત લોક જોયા.જે વખતે ભગવાનની દૃષ્ટિ પોતાનામાં રહેલા લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી ,ત્યારે તે કાળ આશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમની નાભિદેશથી બહાર નીકળ્યો.કર્મશક્તિને જગાડનારા કાળ દ્વારા વિષ્ણુભગવાનની નાભિથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમાલકોશના રૂપમાં એકદમ ઉપર આવ્યું અને તેણે સૂર્યના જેવા પોતાના તેજથી તે અપાર જળશક્તિને દેદીપ્યમાન કરી દીધી.
જાગવા માટે ફક્ત કાળશક્તિને જાગૃત રાખી.તેવી રીતે પોતાની સ્વરૂપભુતા ચીચ્છશક્તિ ની સાથે એક હજાર ચતુર્યુગ દરમ્યાન પાણીમાં શયન પછી જયારે તેમના દ્વારા નિયુક્ત તેમની કાળશક્તિ તેમણે જીવોને કર્મોની પ્રવુત્તિઓ માટે પ્રેરિત કર્યા,ત્યારે તેમણે પોતાના શરીરમાં લિન થયેલા અનંત લોક જોયા.જે વખતે ભગવાનની દૃષ્ટિ પોતાનામાં રહેલા લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર પડી ,ત્યારે તે કાળ આશ્રિત રજોગુણથી ક્ષુભિત થઈને સૃષ્ટિ રચના નિમિત્તે તેમની નાભિદેશથી બહાર નીકળ્યો.કર્મશક્તિને જગાડનારા કાળ દ્વારા વિષ્ણુભગવાનની નાભિથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમાલકોશના રૂપમાં એકદમ ઉપર આવ્યું અને તેણે સૂર્યના જેવા પોતાના તેજથી તે અપાર જળશક્તિને દેદીપ્યમાન કરી દીધી.
સંપૂર્ણ ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વ લોકમય કમળમાં તે વિષ્ણુભગવાન જ અન્તર્યામીરૂપથી પ્રવેશી ગયા ત્યારે તેમાંથી વગર ભણાવ્યે જ જાતે સંપૂર્ણ વેદોના જાણનારા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા,જેમને લોકો સ્વયંભૂ કહે છે.તે કમળની કર્ણિકા( ગાદી) માં બેઠેલા બ્રહ્માજી જયારે કોઈ લોકો દેખાયા નહિ,ત્યારે તેઓ આંખો ફાડીને આકાશમાં ચારે બાજુ ગરદન ઘુમાવીને જોવા લાગ્યા,તેનાથી તેમના ચારે દિશાઓમાં ચાર મોઢા થઇ ગયા.તે વખતે પ્રલાયકાલીન પવનની થપાટોથી ઉછળતી પાણીની તરંગમાળાઓના કારણે તે જલરાશિની ઉપર ઉઠેલા કમળ પર બેઠેલા આદિદેવ બ્રહ્માજીને પોતાના તથા તે લોકતત્વરૂપ કમળનું કોઈ પણ રહસ્ય ન જણાયું.
તે વિચારવા લાગ્યા ' આ કમળની ડાળી ઉપર બેઠેલો હું કોણ છે ? આ કમળ પણ બીજા કોઈ આધાર વગર આ પાણીમાં ક્યાંથી ઉત્તપન્ન થઇ ગયું ? તેની નીચે જરૂર કોઈ એવી વસ્તુ હોવી જોઈએ,જેના આધાર ઉપર તે સ્થિર છે.
એવું વિચારીને તેઓ તે કમળની ડાળીના સુક્ષ્મ છીદ્રોમાં થઈને તે પાણીમાં ઘુસ્યા.પરંતુ તે ડાળીના આધારને શોધતા શોધતા તે નાભિપ્રદેશ નજીક પહોંચી જવા છતાં તેમને તે ન મળ્યું.વિદુરજી ! તેઓ ઘોર અંધકારમાં પોતાના ઉત્તપત્તિ સ્થાનને શોધતા શોધતા તેમને ઘણો સમય લાગ્યો,આ કાળ જ ભગવાનનું ચક્ર છે,જે પ્રાણીઓને ભયભીત( કરતા તેની ઉંમરને ઓછી )કરતુ રહે છે.અંતમાં પ્રયત્ન સફળ ન થતા તેઓ ત્યાંથી પાછા આવ્યા અને ફરીથી પોતાના આધારભૂત કમળ પાર બેસીને ધીરે ધીરે પ્રાણવાયુને જીતીને ચિત્તને ની:સઁકલ્પ કર્યું અને સમાધિમાં સ્થિર થઇ ગયા.તે પ્રમાણે પુરુષની પૂર્ણ ઉમર બરાબરના કાળસુધી(એટલે દિવ્ય સો વર્ષો સુધી)સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થયું,ત્યારે તેમણે પોતાના તે અધિસ્થાનને ,જેને પહેલા શોધવાથી પણ ન જોઈ શક્યા હતા, પોતાના જ હૃદયમાં પ્રકાશિત થતું જોયું.તેમણે જોયું કે તે પ્રલાયકાલીન પાણીમાં શેષજીના કમનલસદર્શ ગૌર અને વિશાળ વિગ્રહ ની શય્યા પર પુરુસોત્તમ ભગવાન એકલા જ સુતા હતા.શેષજીના દસ હજાર ફેણ છત્રની માફક ફેલાયેલા હતા.તેમના માથા ઉપર કિરીટ શોભાયમન છે,તેમાં જે મણિયો જડેલા છે તેના તેજથી ચારે બાજુનો અંધકાર દૂર થઇ ગયો છે.તેઓ પોતાના શ્યામ શરીરની આભાથી મસ્તકમણીના પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા છે,.તેમની કમરનો પિતપટ પર્વતના પ્રાંત દેશમાં છવાયેલા સાયંકાળના પીળા પીળા ચમકતા મેઘોની આભાને મલિન કરી રહ્યો છે,માથા ઉપર સુશોભિત સોનાનો મુકુટ સુવર્ણમય શિખરોનું માન મર્દન કરી રહ્યો છે.તેની વનમાળા પર્વતના રત્ન,જળપ્રપાત,ઔષધિ અને પુષ્પોની શોભાને પરાસ્ત કરી રહી છે,તથા તેમના ભૂજદંડ વેણુદંડનો અને ચરણો વૃક્ષોનો તિરસ્કાર કરે છે.તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ-પહોળાઈમાં ત્રિલોકીનો સંગ્રહ કરેલો છે.તે પોતાની શોભાથી વિચિત્ર તેમજ દિવ્ય વસ્ત્રાભૂષણોની શોભાને સુશોભિત કરનારા હોવા છતાં પણ પીતામ્બર વગેરે પોતાની વેષભુષાથી સુસજ્જિત છે.પોત પોતાની અભિલાષાની પૂર્તિ માટે જુદા જુદા ભાગોથી પૂજા કરનારા ભક્તજનોને કૃપા પૂર્વક પોતાના ભક્તવાંછાકલ્પતરુ ચરણોનું દર્શન આપી રહ્યા છે.જેમના સુંદર અંગુલીદળ નખચંદ્રની ચંદ્રીકાથી જુદા જુદા સ્પષ્ટ ચમકતા રહે છે.સુંદર નાસિકા અનુગ્રહ વર્ષી ભ્રમરો,કાનોમાં ઝીલમીલાતા કુંડળોની શોભા ,ચીમબા ફળની જેવી લાલ લાલ હોઠોની કાંતિ તેમજ લોકરતીહારી મુસ્કરાતથી યુક્ત મુખારવિંદના દ્વારા તે પોતાના ઉપાસકોને સંમાન - અભિનંદન કરી રહ્યા છે.વત્સ !તેમના નિતંબદેશમાં કદંબકુસુમની કેસરના જેવી પીતવસ્ત્ર અને સુવર્ણમયી મેખલા સુશોભિત છે.તથા વૃક્ષ:સ્થળમાં અમૂલ્ય હાર,અને સુનહરી રેખાવાળા શ્રીવત્સચિહ્નની અપૂર્વ શોભા થઇ રહી છે.
તે અવ્યક્તમૂલ ચંદનવૃક્ષ જેવા છે.ખુબ જ કિંમતી કેયુર અને ઉત્તમ ઉત્તમ મણિયોથી સુશોભિત તેમના વિશાલ ભુજ દંડ જ માનો તેમની હજારો શાખાઓ છે,અને ચંદનના વૃક્ષોમાં મોટા મોટા સાપો વીતરાયેલા રહે છે તેવી રીતે તેમના ખભાઓને શેષજીની ફેણોએ લપેટી રાખ્યા છે.તે નાગરાજ અનંતના ભાઈ શ્રી નારાયણ એવા દેખાય છે માનો કોઈ પાણીથી ઘેરાયેલા પર્વતરાજ જ હોય.પર્વત જાણે અનેકો જીવો રહે છે,એવી રીતે તેઓ સંપૂર્ણ ચરાચરના આશ્રય છે,શેષજીના ફેણો પર જે હજારો મુગુટ છે,તે જ માનો તે પર્વતના સુવર્ણમંડિત શિખરો છે,તથા વક્ષ:સ્થળમાં વિરાજેલા કૌસ્તુભમણિ તેના ગર્ભથી પ્રગટ થયેલું રત્ન છે.પ્રભુના ગળામાં વેદરૂપી ભમરાથી ગુંજતી તેમની કીર્તિમયી વનમાળા વિરાજ રહી છે,સૂર્ય,ચંદ્ર,વાયુ અને અગ્નિ વગેરે દેવતાઓની પણ તમારા સુધી પહુંચ નથી,તથા ત્રિભુવનમાં રોક ટોક વગર વિચરણ કરનારા સુદર્શનચક્રાદિ શસ્ત્રો પણ પ્રભુની અસપાસજ ફરતા રહે છે,તેમના માટે પણ તમો અત્યંત દુર્લભ છો.
ત્યારે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોકવિધાતા બ્રહ્માજીએ ભગવાનના નાભિ સરોવરમાં પ્રગટેલું તે કમળ,જળ,આકાશ,વાયુ અને પોતાનું શરીર- ફક્ત તે પાંચ જ પદાર્થ જોયા,તે સિવાય બીજું કઈ તેમને ન દેખાયું.રજોગુણથી વ્યાપ્ત બ્રહ્માજી પ્રજાની રચના કરવા ઇચ્છતા હતા.જયારે તેમણે સૃષ્ટિના કારણભૂત ફક્ત એ પાંચ પદાર્થ જ જોયા ત્યારે લોકરચનાના ઉત્સાહમાં તે અચીંત્યગતિ શ્રી હરિમાં ચિત્ત લગાવીને તે પરમપુજનિય પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
નવમો અધ્યાય
બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ
બ્રહ્માજીએ કહ્યું -પ્રભુ હું આજે ઘણા સમય પછી આપને સમજી શક્યો છું.અહો ! કેટલા દુર્ભાગ્યની વાત છે કે દેહધારી જીવો આપને નથી જાણી શકતા. ભગવાન ! આપના સિવાય કોઈ વસ્તુ નથી. જે વસ્તુ દેખાય છે તે તે પણ સ્વરૂપમાં સત્ય નથી કેમકે માયાના ગુણોને ક્ષુભિત થવાને કારણે ફક્ત આપ જ અનેક રૂપોમાં દેખાવ છો.દેવ ! આપની ચિત્ત શક્તિના પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપથી સદા દૂર રહે છે.આપનું આ રૂપ, જેના નાભિ કમળથી હું પ્રગટ થયો છું સેંકડો અવતારોનું મૂળ કારણ છે.તેને આપે સત્પુરુષો ઉપર કૃપા કરવા પહેલા પહેલ પ્રગટ કર્યું છે. પરમાત્માં ! આપનું જે આનંદમાત્ર, ભેદ વગરનું અખંડ તેજોમય સ્વરૂપ છે તેને હું તેનાથી જુદું નથી સમજતો.એટલા માટે મેં વિશ્વની રચના કરનારો હોવા છતાં પણ વિશ્વાતીત તમારા આ અદ્વિતીય રૂપનું જ શરણું લીધું છે.તે સંપૂર્ણ ભૂત અને ઈન્દ્રિયોનું પણ અધિષ્ઠાન છે. વિશ્વકલ્યાણમય ! હું આપનો ઉપાસક છું, આપે મારા હિત માટે જ મને ધ્યાનમાં આપનું આ રૂપ બતલાવ્યું છે.જે પાપાત્મા વિષયાસક્ત જીવ છે,તે જ તેનો અનાદર કરે છે.હું તો આપને આ રૂપમાં વારંવાર નમસ્કાર કરું છું.મારા સ્વામી ! જે લોકો વેદરૂપ વાયુથી લાવેલી આપના ચરણરૂપ કમળકોશની ગંધને પોતાના કર્ણપટથી ગ્રહણ કરે છે, તે આપના ભકજનોના હૃદયકમળથી આપ ક્યારે પણ દૂર નથી થતા કેમકે તે પરા ભક્તિરૂપી દોરીથી આપના પાદપદ્મોને બાંધી લે છે. જ્યાં સુધી પુરુષ આપના અભયપદ ચરણાર્વિન્દનો આશ્રય નથી લેતા, ત્યાં સુધી તેમને ધન , ઘર,અને બંધુજનોના કારણે પ્રાપ્ત થનારા ભય, શોક, લાલસા, દીનતા અને ખુબ જ લોભ વગેરે હેરાન કરે છે અને ત્યાં સુધી teen હું- હું પણાનો દુરાગ્રહ રહે છે,ke દુઃખનું એકમાત્ર કારણ છે.જે લોકો બધાજ પ્રકારના અમંગળોને નષ્ટ કરનારા શ્રવન કીર્તિ નાદિ પ્રસંગોથી ઇન્દ્રિયોને દૂર કરીને નાના પ્રકારના વિષયસુખ માટે ગરીબ અને મનમાં ને મનમાં લાલચુ થઈને કાયમ દુષ્કર્મોમાં રચ્યા રહે છે, તે બિચારાઓની બુદ્ધિ નસીબે હરિ લીધી છે.અચ્યુત ! ઉરૂક્રમ ! આ પ્રજાને ભૂખ, તરસ,વાત, પિત્ત ,કફ,ઠંડી , ગરમી,હવા અને વરસાદથી અંદરોદર એકબીજાથી તથા કામાંગ્ની અને દુ:સહ ક્રોધથી વારંવાર કષ્ટ ઉઠાવતા જોઈને મારુ મન ખુબ જ નારાજ રહે છે.સ્વામી ! જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિય અને વિષયરૂપી માયાના પ્રભાવથી તમારાથી તેમને જુદા જુએ છે, ત્યાં સુધી આ સંસારના ફેરા મટતા નથી. જો કે તે મિથ્યા છે, તે ઉપરાંત કર્મફળ ભોગનું ક્ષેત્ર હોવાને કારણે તેમને નાના નાના દુઃખો ભોગવ્યા કરવા પડે છે.
દેવ ! બીજાઓની તો વાત જ શું -જે સાક્ષાત મુનિ છે તે પણ આપના કથા પ્રસંગથી અલગ રહે છે તો તેને સંસારમાં ફસાવું પડે છે.તે દિવસમાં અનેક પ્રકારના કામોને કારણે વિક્ષેપ મનવાળા થઇ જાય છે અને રાત્રે ઊંઘમાં અચેત પડ્યા રહે છે.તે સમયે પણ જાત જાતના વિચારોને કારણે તેમની ઊંઘમાં ભંગ થતો રહે છે.અને નસીબને કારણે તેમના કમાવાના બધા ધંધા નિષ્ફળ થતા રહે છે.નાથ ! તમારો માર્ગ ફક્ત ગુણોના સાંભળવાથી જ સમજી શકાય છે.આપ જરૂર થી મનુષ્યના ભક્તિયોગ દ્વારા પરિશુદ્ધ થયેલા હૃદયકમળમાં નિવાસ કરો છો.પુણ્યશ્લોક પ્રભુ ! આપના ભક્તજનો જે જે ભાવનાથી આપણું ચિંતન કરે છે,તે સાધુપુરુષો પાર અનુગ્રહ કરવા માટે તે તે રૂપ ધારણ કરી લો છો. ભગવન ! તમો એક છો તથા સંપૂર્ણ પ્રાણીઓના હૃદયમાં તેમના પરમ હિતકારી અંતરાત્મા છો.એટલા માટે દેવતાલોકો પણ હૃદયમાં જાતજાતની ઈચ્છાઓ સાથે જાત જાતની ભરચક સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી તમો તેટલા પ્રસન્ન નથી થતા જેટલા બધા પ્રાણીઓ પર દયા કરવાથી થાવ છો.પરંતુ તે સર્વભૂત દયા અસત પુરુષો માટે ખુબ જ દુર્લભ છે.જે કર્મ આપને અર્પિત કરી દેવામાં આવે છે,તેનો ક્યારેય નાશ નથી થતો-તે અક્ષય થઇ જાય છે. એટલે નાના પ્રકારના કર્મ-યજ્ઞ,દાન,કઠિન તપસ્યા વ્રત વગેરે દ્વારા આપની પ્રસન્નતા મેળવવી જ મનુષ્યનું સહુથી મોટું કર્મ ફળ છે.કેમકે આપની પ્રસન્નતા થવાથી કયું એવું ફળ છે જે સુલભ નથી થઇ જતું.તમો કાયમ આપના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદ બ્રહ્મ સ્વરૂપના અંધકારનો નાશ કરતા રહો છો.તથા જ્ઞાનના અધિષ્ઠાન સાક્ષાત પરમપુરુષ છો હું આપને નમસ્કાર કરું છું.સંસારની ઉત્તપત્તિ ,સ્થિતિ અને સંહારના નિમિત્તથી જે લીલાઓ થાય છે,તે આપની જ રમત છે,એટલે હું આપ પરમેશ્વરને વારંવાર નમસ્કાર કરું છું.જે લોકો પ્રાણત્યાગ કરતી વખતે આપના અવતાર,ગન અને કર્મોને બતાવનાર દેવકીનંદન,જનાર્દન,કંસનિકંદન વગેરે નામોનું વિવિશ થઈને પણ ઉચચ્ચારણ કરે છે,તે અનેકો જન્મોના પાપોથી તરતજ મુક્ત થઈને માયા વગેરે આવરણો વગરનું બ્રહ્મપદ મેળવે છે.
નિત્ય અજન્મા છો,હું આપનું શરણું લઉં છું.ભગવન ! આ વિશ્વવૃક્ષના રૂપ માં તમો જ બેઠેલા છો.તમો જ પોતાની મૂળ પ્રકૃતિને સ્વીકારીને જગતની ઉત્તપત્તિ,સ્થિતિ અને પ્રલય માટે મારા ,આપણા તથા મહાદેવજીના રૂપમાં ત્રણ મુખ્ય શાખાઓમાં વહેંચાયેલા છે અને પછી પ્રજાપતિ એટલે મનુ વગેરે શાખા પ્રશાખાઓના રૂપમાં ફેલાઈને ખુબ જ વિસ્તૃત થઇ ગયા છે.હું આપને નમસ્કાર કરું છું.ભગવન ! તમોએ તમારી આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવ્યો છે પરંતુ તે આ બાજુથી ઉદાસીન રહીને કાયમ વિપરીત
( નિષિદ્ધ ) કર્મોમાં લાગ્યા રહે છે.આવી પ્રમાદની અવશ્થામાં પડેલા આ જીવોની જીવન આશાને જે કાયમ સાવધાન રાખીને ખુબ જ શીઘ્રતાથીકાપતો રહે છે.તે બળવાન કાળ પણ આપનું જ રૂપ છે,
હું તેને નમસ્કાર કરું છું.કદાચ હું સત્યલોકનો અધિષ્ઠાતા છું,
જે બે પરાર્ધ માટે રહેનારા અને બધાજ લોકોના વંદનીય છે.તો પણ આપના તે કાલરૂપથી ડરતો રહું છું.તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા જ મેં ઘણા સમય માટે તપસ્યા કરી છે.આપ જ અધિયજ્ઞ રૂપથી મારી આ તપસ્યાના સાક્ષી છો,હું આપણે નમસ્કાર કરું છું.આપ પૂર્ણ કામ છો આપને કોઈ વિષય સુખની ઈચ્છા નથી,છતાં પણ આપ આપની બનાવેલી ધર્મમર્યાદાની રક્ષા માટે પશુ-પક્ષી,મનુષ્ય અને દેવતા વગેરે જીવયોનિયોમાં આપની જ ઈચ્છાથી શરીર ધારણ કરીને અનેકો લીલાઓ કરી છે.એવા આપ પુરુસોત્તમ ભગવાનને મારા નમસ્કાર છે.પ્રભુ ! આપ અવિદ્યા,અસ્મિતા,રાગ,દ્વેષ અને અભિનિવેશ-પાંચોમાંથી એકને પણ આધીન નથી,તે ઉપરાંત આ સમયે જે આખા સંસારને આપના ઉદરમાં લિન કરીને ભયંકર તરંગમાળાઓથી વિક્ષુબ્ધ પ્રલાયકાળના પાણીમાં અનંત વિગ્રહની કોમળ શય્યા પર શયન કરી રહ્યા છો, આ પૂર્વ કલ્પની કર્મ પરંપરાથી શ્રમિત થયેલા જીવો ને આરામ આપવા માટે જ છે.આપના નાભીકમલ રૂપ ભવનથી મારો જન્મ થયો છે.આપની કૃપાથી જ હું ત્રિલોકીની રચના રૂપ ઉપકારમા પ્રવુત્ત થયો છું. અત્યારે યોગનિદ્રાનો અંત થઇ જવાને કારણે આપના નેત્રકમળ વિકસિત થઇ રહ્યા છે,આપને મારા નમસ્કાર છે.આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો,તથા શરણાગતો પર કૃપા કરનારા છો.એટલે આપના જે જ્ઞાન અને એશ્વર્યાથી આપ જગતને આનંદિત કરો છો,તેનાથી મારી બુદ્ધિને પણ યુક્ત કરો-જેનાથી હું પુર્નકલ્પની જેમ અત્યારે પણ જગતની રચના કરી શકું.આપ ભક્તવચ્છ કલ્પ સુધી છો.આપની શક્તિ લક્ષ્મીજીની સાથે અનેકો ગુણાવતાર લઈને આપ જે જે અદભુત કર્મ કરશો મારો આ જગતને રચવાનો ઉદ્યમ પણ તેમનો એક છે.એટલે એને રચવાના સમયે આપ મારા ચિત્તને પ્રેરિત કરો-શક્તિ આપો,જેનાથી હું સૃષ્ટિરચના વિષયક અભિમાનરૂપી મળથી દૂર રહી શકું. પ્રભુ ! આ પ્રલાયકાલીન જળમાં શયન કરતા આપ અનંતશક્તિ પરમ પુરુષના નાભિ કમળથી મારો પાદુર્ભાવ થયો છે અને હું આપની જ વિજ્ઞાન શક્તિ છું,એટલે આ જગતના વિચિત્ર રૂપનો વિસ્તાર કરતા સમયે આપની કૃપાથી મારી વેદરૂપી વાણીનું ઉચ્ચારણ લુપ્ત ન થાય.આપ અપાર કરુણામયી પુરાણપુરુષ છો.આપ પરમ પ્રેમમયી મુસ્કરાહત સાથે આપના નેત્ર કમળ ખોલો અને અને શેષ શય્યા ઉપરથી ઉઠીને દુનિયાના ઉદ્ભવ માટે આપની સુમુધર વાણીથી મારો વિષાદ દૂર કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! આવી રીતે તપ, વિદ્યા અને સમાધિના દ્વારા પોતાના ઉત્તપત્તિસ્થાન ભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ પ્રમાણે તેમની પ્રાર્થના કરીને થાકેલા બ્રહ્માજી મૌન થઇ ગયા. શ્રી મધુસુદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિમાં ખુબ જ ગભરાયેલા છે,તથા લોકરચના ના વિષયમાં કોઈ ચોક્કસ વિચાર ન હોવાને કારણે તેમનું મન ખુબ જ દુઃખી છે.ત્યારે તેમના અભિયાનને જાણીને તેઓ પોતાની ગંભીર વાણીથી તેમનો ખેદ શાંત કરતા કહેવા લાગ્યા.
શ્રી ભગવાને કહ્યું-વેદગર્ભ ! તમે વિષાદને વશીભૂત થઈને આળસ ન કરો,સૃષ્ટિરચનાના ઉદયમમાં તત્પર થઇ જાઓ.તમે જે મારાથી ઈચ્છો છો તે તો હું પહેલેથી જ કરી ચુક્યો છું. તમે એકવાર ફરીથી તપ કરો,અને ભાગવતજ્ઞાનનું અનુસ્થાન કરો.તેનાથી તમો બધા લોકોમાં સ્પષ્ટ રીતે તમારા હૃદયમાં જોશો.પછી ભક્તિ યુક્ત અને સમાહિત ચિત્ત થઈને તમે સંપૂર્ણ લોક અને તમારામાં મને વ્યાપ્ત જોશો તથા મારામાં સંપૂર્ણ લોક અને તમને પોતાને જોશો.જે વખતે જીવ લાકડામાં રહેલો અગ્નિ ની જેમ બધાજ ભૂતોમાં મને સ્થિર જુએ છે,તે જ વખતે પોતાના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઇ જાય છે.
જયારે તે પોતાને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત તથા સ્વરૂપથી મારાથી અભિન્ન જુએ છે ત્યારે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે.બ્રહ્માજી ! નાના પ્રકારના કર્મ સંસ્કારો પ્રમાણે અનેક પ્રકારની જીવ સૃષ્ટિ રચવાની ઈચ્છા હોવા છતાં તમારું મન મોહિત નથી થતું,તે જ મારી ખુબ જ કૃપાનું ફળ છે.તમે સહુથી પહેલા મંત્રદ્રષ્ટા છો.પ્રજા ઉત્તપન્ન કરતી વખતે પણ તમારું મન મારામાં લાગેલું રહે છે,તેનાથી પાપમય રજોગુણ તમને બાંધી નથી શકતો.તમે મને ભૂત,ઇન્દ્રિય,ગુણ અને હૃદયથી રહિત સમજો છો,તેનાથી ખબર પડે છે કે કદાચ દેહધારી જીવો ને મારુ જ્ઞાન થવાનું ખુબ જ કઠિન છે,તે ઉપ્રરાંત તમે મને જાણી લીધો છે.'મારો આશ્રય કોઈ છે કે નહિ 'એ સંદેહમાં તમે કમળનાળ દ્વારા જળમાં તમો તેનું મૂળ શોધી રહ્યા હતા,એટલે મેં તમને પોતાનું આ સ્વરૂપ તમારા હૃદયમાં જ બતાવ્યું છે.
પ્યારા બ્રહ્માજી ! તમે જે મારી કથાના વૈભવવાળી મારી પ્રાર્થના કરી છે અને તપસ્યામાં તમારી જે નિષ્ઠા છે.તે પણ મારી કૃપાનું જ ફળ છે.લોકરચનાની ઈચ્છાથી તમે સગુણ પ્રતીત હોવા છતાં પણ જે નિર્ગુણ રૂપથી મારુ વર્ણન કરતા પ્રાર્થના કરી છે,તેનાથી હું ખુબ જ પ્રસન્ન છું,તમારું કલ્યાણ થાઓ.
હું બધીજ ઈચ્છાઓ અને મનોરથોને પુરા કરવામાં સમર્થ છું.જે પુરુષ કાયમ માટે આ સ્ત્રોત્ર દ્વારા પ્રાર્થના કરીને મારુ ભજન કરશે,તેના પર હું તરત જ પ્રસન્ન થઇ જઈશ.તતવેત્તાઓનો મત છે કે પૂર્ત,તપ,યજ્ઞ,દાન,યોગ અને સમાધિ વગેરે સાધનોથી પ્રાપ્ત થતું જે કલ્યાણમયી ફળ છે,તે મારી પ્રસન્નતા જ છે.વિધાતા ! હું આત્માઓનો પણ આત્મા અને સ્ત્રી-પત્રાદિ પ્રિયોનો પણ પ્રિય છું.એટલે મારાથી જ પ્રેમ કરવો જોઈએ.બ્રહ્માજી ! ત્રિલોકીને તથા જે પ્રજા આ સમયે મારામાં લિન છે,તેને તમો પૂર્વ કલ્પની માફક મારાથી ઉત્તપન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી જાતે જ રચો.
શ્રી મૈત્રેયજી કહે છે -પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમલનાભઃ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આવી રીતે જગતની અભિવ્યક્તિ કરાવીને તેમના તે નારાયણસ્વરૂપથી અદ્રશ્ય થઇ ગયા.
અધ્યાય દસમો
દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન
વિદુરજીએ કહ્યું-મુનિવર ! ભગવાન નારાયણના અંતર્ધ્યાન થઇ જવાથી સંપૂર્ણ લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના દેહ અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્તપન્ન કરી ? ભગવન ! આ સિવાય મેં આપણે જે જે વાતો પૂછી છે તે બધાનો પણ ક્રમથી વર્ણન કરો,કેમકે આપ સહુ બહુજ્ઞોમાં શ્રેષ્ઠ છો.
સુતજી કહે છે- શૌનકજી વિદુરજીના આ પ્રકારે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખુબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં સ્થિર તે પ્રશ્નોનો આ રીતે જવાબ આપવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - અજન્મા ભગવન શ્રી હરિએ જેવું કહ્યું હતું,બ્રહ્માજીએ પણ તેવી રીતે મનને પોતાના આત્મા શ્રી નારાયણમાં લગાવીને સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું.બ્રહ્માજીએ જોયું કે પ્રલાયકાલીન પ્રબળ વાયુ ના ઝપાટાથી,જેનાથી તે ઉત્તપન્ન થયા છે અને જેના પર તે બેઠા છે તે કમલ અને પાણી કાપી રહ્યા છે.પ્રબળ તપસ્યા તેમ જ હૃદયમાં રહેલું આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધી ગયું,અને તેમને જળની સાથે વાયુને પીય લીધા પછી જેના પર પોતે બેઠેલા હતા,તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે 'પૂર્વરૂપથી લિન થયેલા લોકોને હું આનાથી રચીશ'. ત્યારે ભગવાન દ્વારા સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂ:,ભૂવઃ સ્વ:-આ ત્રણ ભાગ કર્યા,તે ઉપરાંત તે કમળ એટલું મોટું હતું કે તેના ચૌદ ભુવન અથવા તેનાથી પણ વધારે લોકોના રૂપમાં વિભાગ કરી શકાતા હતા, જીવોના ભોગ સ્થાનના રૂપમાં આજ ત્રણ લોકોનું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે,જે નિષ્કામ કર્મ કરનારા છે,તેમણે મહ:,તપ:,જન અને સત્યલોક રૂપ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
વિદુરજીએ કહ્યું -બ્રહ્મન ! આપે અંદ્ધર્તકર્માં વિશ્વરૂપ શ્રી હરિની જે કાળ નામની શક્તિની વાત કરી હતી ,
પ્રભુ ! કૃપા કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિષયોનું રૂપાંતર (બદલાવું)જ કાળનો આધાર છે.જાતે તો તે નિર્વિશેષ,અનાદિ અને અનંત છે.તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત-રમતમાં પોતાની જાતને સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે.પહેલા આ આખું વિશ્વ ભગવાનની માયાથી લિન થઈને બ્રહ્મરૂપથી સ્થિર હતું.તેને અવ્યક્તમૂર્તિ કાળ દ્વારા ભગવાને ફરીથી પૃથક રૂપથી પ્રગટ કર્યું છે.આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા હતું,અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે.તેમની સૃષ્ટિ નવ પ્રકારની હોય છે,તથા પ્રાકૃત-વૈકૃત ભેદથી એક બીજી દસમી સૃષ્ટિ પણ છે.અને તેના પ્રલયકાળ,દ્રવ્ય તથા ગુણોના દ્વારા ત્રણ પ્રકારથી થાય છે.(હવે હું પહેલા દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું) પહેલી સૃષ્ટિ મહત્વની છે.ભગવાનની પ્રેરણાંથી સતવાદી ગુણોમાં વિષમતા હોવી તેનું જ સ્વરૂપ છે..બીજી સૃષ્ટિ અહંકારની છે,જેનાથી પૃથ્વી વગેરે પંચભૂત એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ઉત્તપત્તિ થાય છે.ત્રીજી સૃષ્ટિ ભૂતસર્ગ છે,જેમાં પંચમહાભુતોને ઉત્તપન્ન કરનારા તન્માત્ર વર્ગ રહે છે.ચોથી સૃષ્ટિ ઇંદ્રિયોની છે,તે જ્ઞાન અને ક્રિયા શક્તિથી સંપન્ન થાય છે.પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયઅધિષ્ઠાતા દેવતાઓની છે,મન પણ તે સૃષ્ટિનું અંતર્ગત છે.છઠ્ઠી સૃષ્ટિ અવિદ્યાની છે,તેમાં તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,તમ,મોહ અને મહામોહ -આ પાંચ ગાંઠો છે.તે જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે.આ છ પ્રાકૃત સૃષ્ટિઓ છે,હવે વૈકૃત સૃષ્ટિઓનું પણ વર્ણન સાંભળો
જે ભગવાન પોતાનું ચિંતન કરનારા ના બધાજ દુઃખો હરિ લે છે,આ બધી જ લીલા શ્રી હરિની છે.તેઓ જ
બ્રહ્મના રૂપમાં રજોગુણને સ્વીકારીને જગતની રચના કરે છે.છ પ્રકારની પ્રાકૃત સૃષ્ટિઓ પછી સાતમી મુખ્ય વૈકૃત સૃષ્ટિ એ છ પ્રકારના સ્થાવર વૃક્ષોની હોય છે.વનસ્પતિ( જે મોર આવ્યા વિના ફળ આપે છે
જેમ ગુલર,વડ,પીપળો વગેરે વગેરે ),ઔષધિ (જે ફળોના પાકી જવાથી નષ્ટ થઇ જાય છે,જેમ ધન,ઘઉં,ચણા વગેરે.), વેલ(જે કોઈનો આશ્રય લઈને વધે છે,જેમ બ્રાહ્મી,ગિલોય વગેરે),ત્યકસાર(જેની છાલ ખુબ જ કઠણ હોય છે,જેમ વાસ વગેરે),વિરુધ(જે વેલ ધરતી ઉપર જ ફેલાય છે પરંતુ કઠણ થઈને ઉપરની બાજુ નથી ચઢતી,જેમ ખરબુચ,તરબૂચ વગેરે,અને દ્રુમ(જેમાં પહેલા ફૂલ આવીને પછી તેના સ્થાન પર ઉપર જ ફળ લાગે છે જેમ આંબો,જાંબુ વગેરે.તેનો સંચાર નીચે (મૂળ)થી ઉપરની બાજુ હોય છે,તેમાં પહેલા જ્ઞાનશક્તિ પ્રગટ નથી રહેતી,તે અંદરને અંદર ફક્ત સ્પર્શનો અનુભવ કરે છે તથા તેમાં દરેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે.આઠમી સૃષ્ટિ તિર્યગ યોનિઓ (પશુ પક્ષીઓ)ની છે.તે અઠ્ઠાવીસ પ્રકારની મનાઈ છે.તેને કાળનું જ્ઞાન નથી હોતું, તમોગુણ વધારે હોવાને કારણે તે ફક્ત ખાવું પીવું,મૈથુન કરવું,સૂવું વગેરે જ જાણે છે,તેમને ફક્ત સૂંઘવાથી વસ્તુઓની જાણ થઇ જાય છે.તેઓના હૃદયમાં વિચારશક્તિ અને દૂરનું વિચારવાની શક્તિ નથી હોતી.સાધુ શ્રેષ્ઠ ! આ તિર્યકોમાં ગાય, બકરા,ભેંસ,કાળીયાર(કૃષ્ણ-મૃગ),સુવર,નીલગાય,રુરુ નામનું હરણું,ભેડિયા અને ઉંટ-તે દ્વિશક(બે ખરીવાળા)પશુ કહેવાય છે.ગધેડા,ઘોડા,ખચ્ચર,ગૌરમૃગ,શરક અને ચમરી- આ એકશક (એક ખરીવાળા) છે.હવે પાંચ નખવાળા પશુ પક્ષીઓ ના નામ સાંભળો.કુતરા,ગીદડ ,ભેડિયા,વાઘ,બિલાડા,,,સસલા,સાહી,સિંહ,વાંદરા,હાથી,કાચબો,ગો અને મગર વગેરે(પશુ)છે.કંક(બગલો),ગીધ,,બટેર,બાઝ,ભાસ,ભલ્લુક,મોર,હંસ,સારસ,ચકલા,કાગડો,અને ઘુવડ વગેરે ઊડનારા જીવ પક્ષી કહેવાય છે.વિદુરજી ! નવમી સૃષ્ટિ મનુષ્યની છે,તે એક જ પ્રકારની છે.તેમનો ખોરાકનો પ્રવાહ ઉપર (મોઢું)થી નીચેની બાજુ હોય છે.મનુષ્ય રજોગુણપ્રધાન,કર્મપરાયણ અને દુઃખરૂપી વિષયોમાં જ સુખ માનનારા હોય છે.સ્થાવર,પશુ પક્ષી અને મનુષ્ય-એ ત્રણેય પ્રકારની સૃષ્ટિમાં તથા આગળ કહેનારા દેવસર્ગ વૈકૃત સૃષ્ટિ છે,તથા જે મહત્તત્વાદીરૂપ વૈકારીક દેવસર્ગ છે,તેની ગણના પહેલા પ્રાકૃત સૃષ્ટિમાં કરવામાં આવી છે.તેના સિવાય સનત્કુમાર વગેરે ઋષિયોના જે કૌમારસર્ગ છે,તે પ્રાકૃત-વૈકૃત બંને પ્રકારના છે.
દેવતા,પિત્રો,અસુર,ગંધર્વ-અપ્સરા,યક્ષ-રાક્ષસ,સિદ્ધ-ચારણ-વિદ્યાધર,ભૂત-પ્રેત-પિશાચ,અને કિન્નર-કિંપુરુષ-અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ આઠ પ્રકારની છે.વિદુરજી ! આવી રીતે શ્રી બ્રહ્માજીની રચેલી દસ પ્રકારની સૃષ્ટિ મેં તમને કહી.હવે આગળ હું વંશ અને મન્વંતરનું વર્ણન કરીશ.આવી રીતે સૃષ્ટિ કરનારા સત્યસંકલ્પ ભગવાન હરિ જ બ્રહ્માનાં રૂપમાં દરેક કલ્પની શરૂઆતમાં રજોગુંણથી પ્રસરીને જાતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે.
અધ્યાય અગિયારમો
મન્વંતરાદી કાળવિભાગનું વર્ણન
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પૃથ્વી વગેરે જે કાર્ય વર્ગના સૂક્ષતમ અંશ છે -જેનો બીજો વિભાગ ન થઇ શકે,તથા જે કાર્યરૂપને પ્રાપ્ત નથી થયા અને જેમના બીજા પરમાણુઓ સાથે સંયોગ નથી થયો તેને પરમાણુ કહેવાય છે.આ અનેક પરમાણુઓના એકબીજા સાથે મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાય રૂપ એક અવયવીની પ્રતીતિ થાય છે.આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે,પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલી આ પૃથ્વી વગેરે કાર્યોની એકતા (સમુદાય અથવા સમપ્રરૂપ )નું નામ પરમ મહાન છે.આ વખતે ન તો તેમાં પ્રલય વગેરે અવસ્થાભેદની સ્ફૂર્તિ હોય છે ,ના નવા-જુના વગેરે કાળભેદનું ભાન હોય છે અને ન પટ-પટાદી વસ્તુભેદની જ કલ્પના હોય છે.સાધુશ્રેષ્ઠ ! આવી રીતે આ વસ્તુનો સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો.તેના સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વિસ્તારીને વ્યક્ત પદાર્થોને ભોગવવાવાળા સૃષ્ટિ વગેરેમાં સમર્થ ,અવ્યક્તસ્વરૂપ ભગવાંન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે.જે કાળ પ્રપજ્ઞની પરમાણુ જેવી સૂક્ષ્મ અવસ્થામાં વ્યાપ્ત રહે છે,તે ખુબ જ સૂક્ષ્મ છે,અને જે સૃષ્ટિથી લઈને પ્રલય દરમ્યાન તેની બધી જ અવસ્થાઓનો ભોગ કરે છે,તે પરમ મહાન છે.
બે પરમાણુ મળીને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી 'ત્રસરેણુ' થાય છે,જે ઝરૂખામાંથી
આવતા સૂર્યના કિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતા જોઈ શકાય છે.એંવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને 'ત્રુટિ' કહેવાય છે.તેનાથી સોગણો કાળ 'વેધ' કહેવાય છે અને ત્રણ વૈદ્યનો એક 'લવ' થાય છે. ત્રણ લવને એક 'નિમેષ'અને ત્રણ નિમેષને એક 'ક્ષણ' કહેવાય છે.પાંચ ક્ષણની એક 'કાષ્ઠા' થાય છે અને પંદર કાષ્ઠનો એક 'લઘુ'. પંદર લઘુની એક 'નાડિકા'(દંડ) કહેવાય છે,બે નાડિકાનું એક 'મુહૂર્ત'થાય છે,અને દિવસના ઘટવા વધવા પ્રમાણે (દિવસ એટલે રત્ન બંને સંધિયોના બે મુહૂર્ત છોડીને)છ અથવા સાત નાડિકાનો એક 'પ્રહર' થાય છે.તે 'યામ'કહેવાય છે જે મનુષ્યના દિવસ અથવા રાતનો ચોથો ભાગ હોય છે.છ પલ તાંબાનું એક વાસણ બનાવવામાં આવે જેમાં એક પ્રસ્થ પાણી આવી શકે અને ચાર માશ સોનાની ચાર અંગુલ લાંબી છીણી બનાવીને તેના દ્વારા તે વાસણના તળિયામાં કાણું પાડીને તેને પાણીમાં છોડી મુકવામાં આવે.જેટલા સમયમાં એક પ્રસ્થ પાણી તે વાસણમાં ભરાઈ જાય તે વાસણ પાણીમાં ડૂબી જાય ,તેટલા સમયને એક 'નાડિકા' કહે છે.વિદુરજી ! ચાર ચાર પ્રહરના મનુષ્યના 'દિવસ ' અ ને 'રાત' હોય છે અને પંદર દિવસ-રાતનું એક 'પક્ષ'થાય છે.જે શુક્લ અને કૃષ્ણ ભેદથી બે પ્રકારના માનવામાં આવ્યા છે.તે બંને પક્ષને મેળવીને એક 'મહિનો' થાય છે. જે પિત્રાઈના એક દિવસ-રાત છે.બે મહિનાની એક 'ઋતુ' અને છ મહિનાનું એક 'અયન ' થાય છે.અયન 'દક્ષિણાયન' અને 'ઉત્તરાયણ' ભેદથી બે પ્રકારના છે.તે બંને અયન મળીને દેવોના એક દિવસ-રાત થાય છે.તથા મનુષ્ય લોકમાં તે 'વર્ષ'અથવા બાર મહિના કહેવામાં આવે છે.એવા સો વર્ષની મનુષ્યની પરમ ઉંમર બતાવવામાં આવી છે.'ચંદ્રમ' વગેરે ગ્રહ 'અશ્વિની ' વગેરે નક્ષત્ર અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાલસ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુ થી લઈને સંવત્સર દરમ્યાન કાળમાં બાર રાશિરૂપી સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે.સૂર્ય,બૃહસ્પતિ,
સવન,ચંદ્રમા અને નક્ષત્ર સંબંધી મહિનાઓના ભેદથી તે વર્ષ જ સંવત્સર,પરિવત્સર,ઈડાવત્સર,અનુવત્સર અને વત્સર કહેવાય છે.વિદુરજી ! આ પાંચ પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા ભગવાન સૂર્યની તમો ઉપહાર વગેરે સમર્પિત કરીને પૂજા કરો.આ સૂર્યદેવ યજ્ઞભૂતોથી તેજસ્વરૂપ છે,અને પોતાની કાળ શક્તિ થી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્તપન્ન કરવાની શક્તિને અનેક પ્રકારથી કાર્યોન્નમુખ કરે છે. તે પુરુષોની મોહ નિવૃત્તિને માટે તેની ઉંમરને ઓછી કરતા આકાશમાં ફર્યા કરે છે,તથા આ જ સકામ પુરુષ ને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનાર સ્વર્ગ વગેરે કલ્યાણકારી ફળોને વધારતા રહે છે.
વિદુરજીએ કહ્યું-મુનિવર ! આપણે દેવતા,પિત્રો અને મનુષ્યોની પરમ ઉમરનું વર્ણન તો કર્યું.હવે જે સનકાદિ જ્ઞાની મુનિજન ત્રિલોકીથી બહાર કલ્પથી પણ વધારે કાળ સુધી રહેવાના છે,તેમની ઉંમરનું પણ વર્ણન કરો.તમો ભગવાન કાલની ગતિ સારીરીતે જાણો છો,કેમકે જ્ઞાની લોકો પોતાની યોગસિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી આખા સંસારને જોઈ લે છે.
મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! સત્યયુગ,ત્રેતા,દ્વાપર અને કળી- આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યાશોની સાથે દેવતાઓના બાર હજાર વર્ષો સુધી રહે છે,એવું બતાવવામાં આવ્યું છે.એ સત્યાદિ ચારો યુગમાં ક્રમથી ચાર ,ત્રણ ,બે અને એક હજાર દિવ્ય વર્ષ હોય છે અને દરેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બેગણા સો વર્ષ તેની સંધ્યા અને સંદ્યશોમાં હોય છે.(એટલે સત્યયુગમાં ૪૦૦૦ દિવ્ય વર્ષ યુગના અને ૮૦૦ સંધ્યા તેમેજ સંધ્યાશકે - આવી રીતે ૪૮૦૦ વર્ષ થાય છે.એવી રીતે ત્રેતામાં ૩૬૦૦,દ્વાપરમાં ૨૪૦૦ અને કળિયુગમાં ૧૨૦૦ દિવ્યવર્ષ હોય છે.મનુષ્યનું એક વર્ષ દેવતાઓનો એક દિવસ હોય છે,એટલે દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ૩૬૦ વર્ષના બરાબર થયા.એવી રીતે માનવીય માનથી કળિયુગમાં ૪૩૨૦૦૦ વર્ષ થયા,તથા તેનાથી બેગણા દ્વાપરમાં,ત્રણ ગણા ત્રેતામાં અને ચારગણા સત્યયુગમાં હોય છે.) યુગની શરૂઆતમાં સંધ્યા થાય છે,અને અંતમાં સંધ્યાનશ .તેની વર્ષ-ગણતરી સેંકડોની સંખ્યામાં બતલાવવામાં આવી છે.તેની વચ્ચેનો જે સમય હોય છે,તેને કાળવેત્તાઓએ યુગ કહ્યો છે.દરેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળતું હોય છે.સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચારે ચરણોથી રહે છે, પછી બીજા યુગોમાં અધર્મ વધવાથી તેનો એક એક ચરણ ઓછો થતો જાય છે.પ્યારા વિદુરજી ! ત્રિલોકીમાં બહાર મહલોકથી બ્રહ્મલોક દરમ્યાન અહીંના એક હજાર ચતુરયોગીનો એક દિવસ થાય છે અને એટલીજ મોટી રાત હોય છે.જેમાં જગત કર્તા બ્રહ્મા શયન કરે છે. તે રાતનો અંત થવાથી આ લોકના કલ્પની શરૂઆત થાય છે, તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે,ત્યાં સુધી ચાલ્યા કરે છે.તે એક કલ્પમાં ચૌદ મનુ થઇ જાય છે.દરેક મનુ
એકોતેર ચતુર્યુગીથી કૈક વધારે સમય (૭૧ ૬/૧૪ ચતુર્યુગી )પોતાનો અધિકાર ભોગવે છે.દરેક મન્વંતરમાં જુદા જુદા મનુ વંશી રાજા લોકો,સપ્તર્ષિ,દેવગણ,ઇન્દ્ર અને તેમના અનુયાયી ગંધર્વ વગેરે સાથે સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે.આ બ્રહ્માજીની દરેક દિવસની સૃષ્ટિ છે,જેમાં ત્રણે લોકની રચના થાય છે.તેમાં પોતપોતાના કર્માનુસાર પશુ-પક્ષી,મનુષ્ય,પિતૃ તેમ જ દેવતાઓની ઉત્તપત્તિ થાય છે.આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લે, પોતાની મનુ વગેરે મુરતિયો દ્વારા પૌરુષ પ્રગટ કરતા કરતા આ વિશ્વનું પાલન કરે છે.કાળક્રમથી જયારે બ્રહ્માનો દિવસ પસાર થઇ જાય છે,ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને પોતાના સૃષ્ટિરચનારૂપ પૌરુષને સ્થાગિત કરીને નિશ્ચિન્ત ભાવથી સ્થિર થઇ જાય છે.તે સમયે આખું જગત તેમનામાં લિન થઈ જાય છે.જયારે સૂર્ય અને ચંદ્રમા રહિત આ પ્રલયરાત્રિ આવે છે ત્યારે તેઓ ભૂ:,ભૂવઃ:સ્વ:- ત્રણે લોક તે બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે.તે અવસર ઉપર ત્રણે લોક શેષજીના મુખથી નીકળટી અગ્નિ રૂપ ભગવાનની શક્તિથી સળગવા માંડે છે.એટલા માટે તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરગણ મહલોકથી જનલોકમાં જતા રહે છે.એટલામાં જ સાતેય સમુદ્ર પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા ઊંચા ઊંચા મોઝાઓથી ત્રિલોકીને ડુબાડી દે છે.ત્યારે તે પાણીની અંદર ભગવાન શેષછાયી યોગનિદ્રામાં નેત્રો બંધ કરી શયન કરે છે.તે સમયે જનલોકી મુનીગણો તેમની પ્રાર્થના કર્યા કરે છે.આવી રીતે કાળની ગતિથી એક એક હજાર ચતુર્યુગી રૂપમાં દેખાતા દિવસ રાતના હેરફેરથી બ્રહ્માજીના સો વર્ષની પરમ ઉમર પણ વીતી ગયેલી દેખાવા લાગે છે.
બ્રહ્માજીની ઉંમરના અડધા ભાગને પરાર્ધ કહે છે.અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ગયો છે,બીજો ચાલી રહ્યો છે.પહેલા પરાર્ધનાં આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો.તેમ બ્રહ્માજીની ઉત્તપત્તિ થઇ હતી.પંડીત લોકો તેને શબ્દબ્રહ્મ કહે છે.તેજ પરાર્ધનાં અંતમાં જે કલ્પ થયો હતો,તેને પાદ્મકલ્પ કહે છે.તેમ ભગવાનના નાભિસરોવરથી સર્વલોકમય કમળ પ્રગટ થયું હતું.વિદુરજી ! આ વખતે જે કલ્પ ચાલી રહ્યો છે,તે બીજા પરાર્ધનો આરંભક બતલાવ્યો છે,તે વારાહ કલ્પ નામથી વિખ્યાત છે,તેમ ભગવાને શુવ્વરનું રૂપ લીધું હતું.આ બે પરાર્ધનો સમય અવ્યક્ત,અનંત,અનાદિ,વિશ્વાત્મા,શ્રી હરિનો એક નિમેષ મનાય છે.આ પરમાણુ થી લઈને દ્વિપરાર્ધ દરમ્યાન ફેલાયેલો કાળ,સર્વસમર્થ હોવાથી,જ સર્વાત્મા શ્રીહરિ ઉપર કોઈ પ્રકારની પ્રભુતા નથી રાખતો.આ બે બે દેહો વગેરેમાં અભિમાન રાખનાર જીવોનું જ શાસન કરવામાં સમર્થ છે.
પ્રકૃતિ,મહતત્વ,અહંકાર અને પંચતન્માત્ર -આ આઠ પ્રકૃતિયો ની સાથે દાસ ઇન્દ્રિયો,મન અને પંચભૂત -આ સોળ વિકારોમાં મળીને આ બનેલો બ્રહ્માન્ડકોષ અંદરથી પચાસ કરોડ વિસ્તારવાળો છે,તથા તેની બહાર ચારેબાજુ દસ દસ ગણા એક પછી એક સાત આવરણ છે.તે બધાની સાથે આ જેમાં પરમાણુ ની જેવા પડેલા દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્મરાશિયો છે,તે આ પ્રધાન આદિ બધાજ કારણોના કારણ અક્ષરબ્રહ્મ કહેવાય છે,અને આ જ પુરાણપુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુભગવાનનું શ્રેષ્ઠ ધામ (સ્વરૂપ) છે.
દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન
વિદુરજીએ કહ્યું-મુનિવર ! ભગવાન નારાયણના અંતર્ધ્યાન થઇ જવાથી સંપૂર્ણ લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના દેહ અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્તપન્ન કરી ? ભગવન ! આ સિવાય મેં આપણે જે જે વાતો પૂછી છે તે બધાનો પણ ક્રમથી વર્ણન કરો,કેમકે આપ સહુ બહુજ્ઞોમાં શ્રેષ્ઠ છો.
સુતજી કહે છે- શૌનકજી વિદુરજીના આ પ્રકારે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખુબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં સ્થિર તે પ્રશ્નોનો આ રીતે જવાબ આપવા લાગ્યા.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - અજન્મા ભગવન શ્રી હરિએ જેવું કહ્યું હતું,બ્રહ્માજીએ પણ તેવી રીતે મનને પોતાના આત્મા શ્રી નારાયણમાં લગાવીને સો દિવ્ય વર્ષો સુધી તપ કર્યું.બ્રહ્માજીએ જોયું કે પ્રલાયકાલીન પ્રબળ વાયુ ના ઝપાટાથી,જેનાથી તે ઉત્તપન્ન થયા છે અને જેના પર તે બેઠા છે તે કમલ અને પાણી કાપી રહ્યા છે.પ્રબળ તપસ્યા તેમ જ હૃદયમાં રહેલું આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધી ગયું,અને તેમને જળની સાથે વાયુને પીય લીધા પછી જેના પર પોતે બેઠેલા હતા,તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે 'પૂર્વરૂપથી લિન થયેલા લોકોને હું આનાથી રચીશ'. ત્યારે ભગવાન દ્વારા સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભૂ:,ભૂવઃ સ્વ:-આ ત્રણ ભાગ કર્યા,તે ઉપરાંત તે કમળ એટલું મોટું હતું કે તેના ચૌદ ભુવન અથવા તેનાથી પણ વધારે લોકોના રૂપમાં વિભાગ કરી શકાતા હતા, જીવોના ભોગ સ્થાનના રૂપમાં આજ ત્રણ લોકોનું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે,જે નિષ્કામ કર્મ કરનારા છે,તેમણે મહ:,તપ:,જન અને સત્યલોક રૂપ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
વિદુરજીએ કહ્યું -બ્રહ્મન ! આપે અંદ્ધર્તકર્માં વિશ્વરૂપ શ્રી હરિની જે કાળ નામની શક્તિની વાત કરી હતી ,
પ્રભુ ! કૃપા કરીને તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિષયોનું રૂપાંતર (બદલાવું)જ કાળનો આધાર છે.જાતે તો તે નિર્વિશેષ,અનાદિ અને અનંત છે.તેને નિમિત્ત બનાવીને ભગવાન રમત-રમતમાં પોતાની જાતને સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે.પહેલા આ આખું વિશ્વ ભગવાનની માયાથી લિન થઈને બ્રહ્મરૂપથી સ્થિર હતું.તેને અવ્યક્તમૂર્તિ કાળ દ્વારા ભગવાને ફરીથી પૃથક રૂપથી પ્રગટ કર્યું છે.આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલા હતું,અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે.તેમની સૃષ્ટિ નવ પ્રકારની હોય છે,તથા પ્રાકૃત-વૈકૃત ભેદથી એક બીજી દસમી સૃષ્ટિ પણ છે.અને તેના પ્રલયકાળ,દ્રવ્ય તથા ગુણોના દ્વારા ત્રણ પ્રકારથી થાય છે.(હવે હું પહેલા દસ પ્રકારની સૃષ્ટિનું વર્ણન કરું છું) પહેલી સૃષ્ટિ મહત્વની છે.ભગવાનની પ્રેરણાંથી સતવાદી ગુણોમાં વિષમતા હોવી તેનું જ સ્વરૂપ છે..બીજી સૃષ્ટિ અહંકારની છે,જેનાથી પૃથ્વી વગેરે પંચભૂત એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ઉત્તપત્તિ થાય છે.ત્રીજી સૃષ્ટિ ભૂતસર્ગ છે,જેમાં પંચમહાભુતોને ઉત્તપન્ન કરનારા તન્માત્ર વર્ગ રહે છે.ચોથી સૃષ્ટિ ઇંદ્રિયોની છે,તે જ્ઞાન અને ક્રિયા શક્તિથી સંપન્ન થાય છે.પાંચમી સૃષ્ટિ સાત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિયઅધિષ્ઠાતા દેવતાઓની છે,મન પણ તે સૃષ્ટિનું અંતર્ગત છે.છઠ્ઠી સૃષ્ટિ અવિદ્યાની છે,તેમાં તામિસ્ત્ર,અંધતામિસ્ત્ર,તમ,મોહ અને મહામોહ -આ પાંચ ગાંઠો છે.તે જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે.આ છ પ્રાકૃત સૃષ્ટિઓ છે,હવે વૈકૃત સૃષ્ટિઓનું પણ વર્ણન સાંભળો
જે ભગવાન પોતાનું ચિંતન કરનારા ના બધાજ દુઃખો હરિ લે છે,આ બધી જ લીલા શ્રી હરિની છે.તેઓ જ
બ્રહ્મના રૂપમાં રજોગુણને સ્વીકારીને જગતની રચના કરે છે.છ પ્રકારની પ્રાકૃત સૃષ્ટિઓ પછી સાતમી મુખ્ય વૈકૃત સૃષ્ટિ એ છ પ્રકારના સ્થાવર વૃક્ષોની હોય છે.વનસ્પતિ( જે મોર આવ્યા વિના ફળ આપે છે
જેમ ગુલર,વડ,પીપળો વગેરે વગેરે ),ઔષધિ (જે ફળોના પાકી જવાથી નષ્ટ થઇ જાય છે,જેમ ધન,ઘઉં,ચણા વગેરે.), વેલ(જે કોઈનો આશ્રય લઈને વધે છે,જેમ બ્રાહ્મી,ગિલોય વગેરે),ત્યકસાર(જેની છાલ ખુબ જ કઠણ હોય છે,જેમ વાસ વગેરે),વિરુધ(જે વેલ ધરતી ઉપર જ ફેલાય છે પરંતુ કઠણ થઈને ઉપરની બાજુ નથી ચઢતી,જેમ ખરબુચ,તરબૂચ વગેરે,અને દ્રુમ(જેમાં પહેલા ફૂલ આવીને પછી તેના સ્થાન પર ઉપર જ ફળ લાગે છે જેમ આંબો,જાંબુ વગેરે.તેનો સંચાર નીચે (મૂળ)થી ઉપરની બાજુ હોય છે,તેમાં પહેલા જ્ઞાનશક્તિ પ્રગટ નથી રહેતી,તે અંદરને અંદર ફક્ત સ્પર્શનો અનુભવ કરે છે તથા તેમાં દરેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે.આઠમી સૃષ્ટિ તિર્યગ યોનિઓ (પશુ પક્ષીઓ)ની છે.તે અઠ્ઠાવીસ પ્રકારની મનાઈ છે.તેને કાળનું જ્ઞાન નથી હોતું, તમોગુણ વધારે હોવાને કારણે તે ફક્ત ખાવું પીવું,મૈથુન કરવું,સૂવું વગેરે જ જાણે છે,તેમને ફક્ત સૂંઘવાથી વસ્તુઓની જાણ થઇ જાય છે.તેઓના હૃદયમાં વિચારશક્તિ અને દૂરનું વિચારવાની શક્તિ નથી હોતી.સાધુ શ્રેષ્ઠ ! આ તિર્યકોમાં ગાય, બકરા,ભેંસ,કાળીયાર(કૃષ્ણ-મૃગ),સુવર,નીલગાય,રુરુ નામનું હરણું,ભેડિયા અને ઉંટ-તે દ્વિશક(બે ખરીવાળા)પશુ કહેવાય છે.ગધેડા,ઘોડા,ખચ્ચર,ગૌરમૃગ,શરક અને ચમરી- આ એકશક (એક ખરીવાળા) છે.હવે પાંચ નખવાળા પશુ પક્ષીઓ ના નામ સાંભળો.કુતરા,ગીદડ ,ભેડિયા,વાઘ,બિલાડા,,,સસલા,સાહી,સિંહ,વાંદરા,હાથી,કાચબો,ગો અને મગર વગેરે(પશુ)છે.કંક(બગલો),ગીધ,,બટેર,બાઝ,ભાસ,ભલ્લુક,મોર,હંસ,સારસ,ચકલા,કાગડો,અને ઘુવડ વગેરે ઊડનારા જીવ પક્ષી કહેવાય છે.વિદુરજી ! નવમી સૃષ્ટિ મનુષ્યની છે,તે એક જ પ્રકારની છે.તેમનો ખોરાકનો પ્રવાહ ઉપર (મોઢું)થી નીચેની બાજુ હોય છે.મનુષ્ય રજોગુણપ્રધાન,કર્મપરાયણ અને દુઃખરૂપી વિષયોમાં જ સુખ માનનારા હોય છે.સ્થાવર,પશુ પક્ષી અને મનુષ્ય-એ ત્રણેય પ્રકારની સૃષ્ટિમાં તથા આગળ કહેનારા દેવસર્ગ વૈકૃત સૃષ્ટિ છે,તથા જે મહત્તત્વાદીરૂપ વૈકારીક દેવસર્ગ છે,તેની ગણના પહેલા પ્રાકૃત સૃષ્ટિમાં કરવામાં આવી છે.તેના સિવાય સનત્કુમાર વગેરે ઋષિયોના જે કૌમારસર્ગ છે,તે પ્રાકૃત-વૈકૃત બંને પ્રકારના છે.
દેવતા,પિત્રો,અસુર,ગંધર્વ-અપ્સરા,યક્ષ-રાક્ષસ,સિદ્ધ-ચારણ-વિદ્યાધર,ભૂત-પ્રેત-પિશાચ,અને કિન્નર-કિંપુરુષ-અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ આઠ પ્રકારની છે.વિદુરજી ! આવી રીતે શ્રી બ્રહ્માજીની રચેલી દસ પ્રકારની સૃષ્ટિ મેં તમને કહી.હવે આગળ હું વંશ અને મન્વંતરનું વર્ણન કરીશ.આવી રીતે સૃષ્ટિ કરનારા સત્યસંકલ્પ ભગવાન હરિ જ બ્રહ્માનાં રૂપમાં દરેક કલ્પની શરૂઆતમાં રજોગુંણથી પ્રસરીને જાતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે.
અધ્યાય અગિયારમો
મન્વંતરાદી કાળવિભાગનું વર્ણન
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! પૃથ્વી વગેરે જે કાર્ય વર્ગના સૂક્ષતમ અંશ છે -જેનો બીજો વિભાગ ન થઇ શકે,તથા જે કાર્યરૂપને પ્રાપ્ત નથી થયા અને જેમના બીજા પરમાણુઓ સાથે સંયોગ નથી થયો તેને પરમાણુ કહેવાય છે.આ અનેક પરમાણુઓના એકબીજા સાથે મળવાથી જ મનુષ્યોને ભ્રમથી તેમના સમુદાય રૂપ એક અવયવીની પ્રતીતિ થાય છે.આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે,પોતાના સામાન્ય સ્વરૂપમાં રહેલી આ પૃથ્વી વગેરે કાર્યોની એકતા (સમુદાય અથવા સમપ્રરૂપ )નું નામ પરમ મહાન છે.આ વખતે ન તો તેમાં પ્રલય વગેરે અવસ્થાભેદની સ્ફૂર્તિ હોય છે ,ના નવા-જુના વગેરે કાળભેદનું ભાન હોય છે અને ન પટ-પટાદી વસ્તુભેદની જ કલ્પના હોય છે.સાધુશ્રેષ્ઠ ! આવી રીતે આ વસ્તુનો સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો.તેના સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વિસ્તારીને વ્યક્ત પદાર્થોને ભોગવવાવાળા સૃષ્ટિ વગેરેમાં સમર્થ ,અવ્યક્તસ્વરૂપ ભગવાંન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે.જે કાળ પ્રપજ્ઞની પરમાણુ જેવી સૂક્ષ્મ અવસ્થામાં વ્યાપ્ત રહે છે,તે ખુબ જ સૂક્ષ્મ છે,અને જે સૃષ્ટિથી લઈને પ્રલય દરમ્યાન તેની બધી જ અવસ્થાઓનો ભોગ કરે છે,તે પરમ મહાન છે.
બે પરમાણુ મળીને એક 'અણુ' થાય છે અને ત્રણ અણુઓના મળવાથી 'ત્રસરેણુ' થાય છે,જે ઝરૂખામાંથી
આવતા સૂર્યના કિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતા જોઈ શકાય છે.એંવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને 'ત્રુટિ' કહેવાય છે.તેનાથી સોગણો કાળ 'વેધ' કહેવાય છે અને ત્રણ વૈદ્યનો એક 'લવ' થાય છે. ત્રણ લવને એક 'નિમેષ'અને ત્રણ નિમેષને એક 'ક્ષણ' કહેવાય છે.પાંચ ક્ષણની એક 'કાષ્ઠા' થાય છે અને પંદર કાષ્ઠનો એક 'લઘુ'. પંદર લઘુની એક 'નાડિકા'(દંડ) કહેવાય છે,બે નાડિકાનું એક 'મુહૂર્ત'થાય છે,અને દિવસના ઘટવા વધવા પ્રમાણે (દિવસ એટલે રત્ન બંને સંધિયોના બે મુહૂર્ત છોડીને)છ અથવા સાત નાડિકાનો એક 'પ્રહર' થાય છે.તે 'યામ'કહેવાય છે જે મનુષ્યના દિવસ અથવા રાતનો ચોથો ભાગ હોય છે.છ પલ તાંબાનું એક વાસણ બનાવવામાં આવે જેમાં એક પ્રસ્થ પાણી આવી શકે અને ચાર માશ સોનાની ચાર અંગુલ લાંબી છીણી બનાવીને તેના દ્વારા તે વાસણના તળિયામાં કાણું પાડીને તેને પાણીમાં છોડી મુકવામાં આવે.જેટલા સમયમાં એક પ્રસ્થ પાણી તે વાસણમાં ભરાઈ જાય તે વાસણ પાણીમાં ડૂબી જાય ,તેટલા સમયને એક 'નાડિકા' કહે છે.વિદુરજી ! ચાર ચાર પ્રહરના મનુષ્યના 'દિવસ ' અ ને 'રાત' હોય છે અને પંદર દિવસ-રાતનું એક 'પક્ષ'થાય છે.જે શુક્લ અને કૃષ્ણ ભેદથી બે પ્રકારના માનવામાં આવ્યા છે.તે બંને પક્ષને મેળવીને એક 'મહિનો' થાય છે. જે પિત્રાઈના એક દિવસ-રાત છે.બે મહિનાની એક 'ઋતુ' અને છ મહિનાનું એક 'અયન ' થાય છે.અયન 'દક્ષિણાયન' અને 'ઉત્તરાયણ' ભેદથી બે પ્રકારના છે.તે બંને અયન મળીને દેવોના એક દિવસ-રાત થાય છે.તથા મનુષ્ય લોકમાં તે 'વર્ષ'અથવા બાર મહિના કહેવામાં આવે છે.એવા સો વર્ષની મનુષ્યની પરમ ઉંમર બતાવવામાં આવી છે.'ચંદ્રમ' વગેરે ગ્રહ 'અશ્વિની ' વગેરે નક્ષત્ર અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાલસ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુ થી લઈને સંવત્સર દરમ્યાન કાળમાં બાર રાશિરૂપી સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે.સૂર્ય,બૃહસ્પતિ,
સવન,ચંદ્રમા અને નક્ષત્ર સંબંધી મહિનાઓના ભેદથી તે વર્ષ જ સંવત્સર,પરિવત્સર,ઈડાવત્સર,અનુવત્સર અને વત્સર કહેવાય છે.વિદુરજી ! આ પાંચ પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા ભગવાન સૂર્યની તમો ઉપહાર વગેરે સમર્પિત કરીને પૂજા કરો.આ સૂર્યદેવ યજ્ઞભૂતોથી તેજસ્વરૂપ છે,અને પોતાની કાળ શક્તિ થી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્તપન્ન કરવાની શક્તિને અનેક પ્રકારથી કાર્યોન્નમુખ કરે છે. તે પુરુષોની મોહ નિવૃત્તિને માટે તેની ઉંમરને ઓછી કરતા આકાશમાં ફર્યા કરે છે,તથા આ જ સકામ પુરુષ ને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનાર સ્વર્ગ વગેરે કલ્યાણકારી ફળોને વધારતા રહે છે.
વિદુરજીએ કહ્યું-મુનિવર ! આપણે દેવતા,પિત્રો અને મનુષ્યોની પરમ ઉમરનું વર્ણન તો કર્યું.હવે જે સનકાદિ જ્ઞાની મુનિજન ત્રિલોકીથી બહાર કલ્પથી પણ વધારે કાળ સુધી રહેવાના છે,તેમની ઉંમરનું પણ વર્ણન કરો.તમો ભગવાન કાલની ગતિ સારીરીતે જાણો છો,કેમકે જ્ઞાની લોકો પોતાની યોગસિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી આખા સંસારને જોઈ લે છે.
મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! સત્યયુગ,ત્રેતા,દ્વાપર અને કળી- આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યાશોની સાથે દેવતાઓના બાર હજાર વર્ષો સુધી રહે છે,એવું બતાવવામાં આવ્યું છે.એ સત્યાદિ ચારો યુગમાં ક્રમથી ચાર ,ત્રણ ,બે અને એક હજાર દિવ્ય વર્ષ હોય છે અને દરેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બેગણા સો વર્ષ તેની સંધ્યા અને સંદ્યશોમાં હોય છે.(એટલે સત્યયુગમાં ૪૦૦૦ દિવ્ય વર્ષ યુગના અને ૮૦૦ સંધ્યા તેમેજ સંધ્યાશકે - આવી રીતે ૪૮૦૦ વર્ષ થાય છે.એવી રીતે ત્રેતામાં ૩૬૦૦,દ્વાપરમાં ૨૪૦૦ અને કળિયુગમાં ૧૨૦૦ દિવ્યવર્ષ હોય છે.મનુષ્યનું એક વર્ષ દેવતાઓનો એક દિવસ હોય છે,એટલે દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ૩૬૦ વર્ષના બરાબર થયા.એવી રીતે માનવીય માનથી કળિયુગમાં ૪૩૨૦૦૦ વર્ષ થયા,તથા તેનાથી બેગણા દ્વાપરમાં,ત્રણ ગણા ત્રેતામાં અને ચારગણા સત્યયુગમાં હોય છે.) યુગની શરૂઆતમાં સંધ્યા થાય છે,અને અંતમાં સંધ્યાનશ .તેની વર્ષ-ગણતરી સેંકડોની સંખ્યામાં બતલાવવામાં આવી છે.તેની વચ્ચેનો જે સમય હોય છે,તેને કાળવેત્તાઓએ યુગ કહ્યો છે.દરેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળતું હોય છે.સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચારે ચરણોથી રહે છે, પછી બીજા યુગોમાં અધર્મ વધવાથી તેનો એક એક ચરણ ઓછો થતો જાય છે.પ્યારા વિદુરજી ! ત્રિલોકીમાં બહાર મહલોકથી બ્રહ્મલોક દરમ્યાન અહીંના એક હજાર ચતુરયોગીનો એક દિવસ થાય છે અને એટલીજ મોટી રાત હોય છે.જેમાં જગત કર્તા બ્રહ્મા શયન કરે છે. તે રાતનો અંત થવાથી આ લોકના કલ્પની શરૂઆત થાય છે, તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે,ત્યાં સુધી ચાલ્યા કરે છે.તે એક કલ્પમાં ચૌદ મનુ થઇ જાય છે.દરેક મનુ
એકોતેર ચતુર્યુગીથી કૈક વધારે સમય (૭૧ ૬/૧૪ ચતુર્યુગી )પોતાનો અધિકાર ભોગવે છે.દરેક મન્વંતરમાં જુદા જુદા મનુ વંશી રાજા લોકો,સપ્તર્ષિ,દેવગણ,ઇન્દ્ર અને તેમના અનુયાયી ગંધર્વ વગેરે સાથે સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે.આ બ્રહ્માજીની દરેક દિવસની સૃષ્ટિ છે,જેમાં ત્રણે લોકની રચના થાય છે.તેમાં પોતપોતાના કર્માનુસાર પશુ-પક્ષી,મનુષ્ય,પિતૃ તેમ જ દેવતાઓની ઉત્તપત્તિ થાય છે.આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લે, પોતાની મનુ વગેરે મુરતિયો દ્વારા પૌરુષ પ્રગટ કરતા કરતા આ વિશ્વનું પાલન કરે છે.કાળક્રમથી જયારે બ્રહ્માનો દિવસ પસાર થઇ જાય છે,ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને પોતાના સૃષ્ટિરચનારૂપ પૌરુષને સ્થાગિત કરીને નિશ્ચિન્ત ભાવથી સ્થિર થઇ જાય છે.તે સમયે આખું જગત તેમનામાં લિન થઈ જાય છે.જયારે સૂર્ય અને ચંદ્રમા રહિત આ પ્રલયરાત્રિ આવે છે ત્યારે તેઓ ભૂ:,ભૂવઃ:સ્વ:- ત્રણે લોક તે બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે.તે અવસર ઉપર ત્રણે લોક શેષજીના મુખથી નીકળટી અગ્નિ રૂપ ભગવાનની શક્તિથી સળગવા માંડે છે.એટલા માટે તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરગણ મહલોકથી જનલોકમાં જતા રહે છે.એટલામાં જ સાતેય સમુદ્ર પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા ઊંચા ઊંચા મોઝાઓથી ત્રિલોકીને ડુબાડી દે છે.ત્યારે તે પાણીની અંદર ભગવાન શેષછાયી યોગનિદ્રામાં નેત્રો બંધ કરી શયન કરે છે.તે સમયે જનલોકી મુનીગણો તેમની પ્રાર્થના કર્યા કરે છે.આવી રીતે કાળની ગતિથી એક એક હજાર ચતુર્યુગી રૂપમાં દેખાતા દિવસ રાતના હેરફેરથી બ્રહ્માજીના સો વર્ષની પરમ ઉમર પણ વીતી ગયેલી દેખાવા લાગે છે.
બ્રહ્માજીની ઉંમરના અડધા ભાગને પરાર્ધ કહે છે.અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ગયો છે,બીજો ચાલી રહ્યો છે.પહેલા પરાર્ધનાં આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો.તેમ બ્રહ્માજીની ઉત્તપત્તિ થઇ હતી.પંડીત લોકો તેને શબ્દબ્રહ્મ કહે છે.તેજ પરાર્ધનાં અંતમાં જે કલ્પ થયો હતો,તેને પાદ્મકલ્પ કહે છે.તેમ ભગવાનના નાભિસરોવરથી સર્વલોકમય કમળ પ્રગટ થયું હતું.વિદુરજી ! આ વખતે જે કલ્પ ચાલી રહ્યો છે,તે બીજા પરાર્ધનો આરંભક બતલાવ્યો છે,તે વારાહ કલ્પ નામથી વિખ્યાત છે,તેમ ભગવાને શુવ્વરનું રૂપ લીધું હતું.આ બે પરાર્ધનો સમય અવ્યક્ત,અનંત,અનાદિ,વિશ્વાત્મા,શ્રી હરિનો એક નિમેષ મનાય છે.આ પરમાણુ થી લઈને દ્વિપરાર્ધ દરમ્યાન ફેલાયેલો કાળ,સર્વસમર્થ હોવાથી,જ સર્વાત્મા શ્રીહરિ ઉપર કોઈ પ્રકારની પ્રભુતા નથી રાખતો.આ બે બે દેહો વગેરેમાં અભિમાન રાખનાર જીવોનું જ શાસન કરવામાં સમર્થ છે.
પ્રકૃતિ,મહતત્વ,અહંકાર અને પંચતન્માત્ર -આ આઠ પ્રકૃતિયો ની સાથે દાસ ઇન્દ્રિયો,મન અને પંચભૂત -આ સોળ વિકારોમાં મળીને આ બનેલો બ્રહ્માન્ડકોષ અંદરથી પચાસ કરોડ વિસ્તારવાળો છે,તથા તેની બહાર ચારેબાજુ દસ દસ ગણા એક પછી એક સાત આવરણ છે.તે બધાની સાથે આ જેમાં પરમાણુ ની જેવા પડેલા દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્મરાશિયો છે,તે આ પ્રધાન આદિ બધાજ કારણોના કારણ અક્ષરબ્રહ્મ કહેવાય છે,અને આ જ પુરાણપુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુભગવાનનું શ્રેષ્ઠ ધામ (સ્વરૂપ) છે.
અધ્યાય બારમો
સૃષ્ટિનો વિસ્તાર
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! અહીં સુધી મેં આપને ભગવાનનો કાળરૂપ મહિમા સંભળાવ્યો.હવે જે પ્રકારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તે સાંભળો.સહુથી પહેલા તેમને અજ્ઞાનની પાંચ વૃત્તિઓ-તમ(અવિદ્યા),મોહ(અસ્મિતા),મહામોહ(રાગ),તામિસ્ત્ર(દ્વેષ) અને અંધ તામિસ્ત્ર(અભિનિવેશ ) રચી.
પરંતુ આ અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેમેને પ્રસન્નતા ન થઇ.ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને બીજી સૃષ્ટિ રચી.આ વખતે બ્રહ્માજીએ સનત,સનંદન,સનાતન અને સનતકુમાર-એ ચાર નિવૃત્તિપરાયણ ઉરધરતા મુનિ ઉત્તપન્ન કર્યા. પોતાના તે પુત્ર્ત્રોને બ્રહ્માજીએ કહ્યું ,'પુત્રો ! તમે લોકો સૃષ્ટિ ઉત્તપન્ન કરો.'પરંતુ તે જન્મથી જ મોક્ષમાર્ગ(નિવૃત્તિમાર્ગ)-નું અનુશરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા.એટલા માટે તેમણે એવું કરવાનું ન ચાહ્યું.જયારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા ન માનીને મારા પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે ત્યારે તેમણે અસહ્ય ક્રોધ થયો.તેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો.પરંતુ બુદ્ધિ દ્વારા તેને ખુબ રોકવા છતાં પણ તે ક્રોધ તરત જ પ્રજાપતિના મોહોની વચ્ચેથી એક નીલ- લોહિત ( નીલા અને લાલરંગના) બાળક ના રૂપમાં પ્રગટ થઇ ગયો.તે દેવતાઓના પૂર્વજ ભગવાન ભવ(રુદ્ર) રડતા રડતા કહેવા લાગ્યા -જગતપિતા,! વિધાતા ! મારુ નામ અને રહેવાનું સ્થાન બતાવો.
ત્યારે કમલયોની બ્રહ્માજીએ તે બાળકની પ્રાર્થના પુરી કરવાને માટે મધુરવાણીમાં કહ્યું,'રડો નહિ, હું તારી ઈચ્છા હમણાં જ પુરી કરું છું'.દેવ શ્રેષ્ઠ ! તમે જન્મ લેતા જ બાળકની માફક ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા,એટલા માટે પ્રજા તમને 'રુદ્ર' નામથી પોકારશે.તમારા રહેવા માટે મેં પહેલેથી જ હૃદય,ઇન્દ્રિય,પ્રાણ,આકાશ,વાયુ,અગ્નિ,પાણી ,પૃથ્વી,સૂર્ય ચંદ્રમા અને તપ-એ સ્થાનો રચી દીધા છે.તમારા નામ મન્યું,મનુ,મહીનસ,મહાન,શિવ,ઋતુધ્વજ,ઉગ્રરેતા,ભવ,કાલ,વામદેવ અને ધૃતવ્રતઃ હશે.તથા ઘી,વૃત્તિ,ઉશના ,ઉમા,નિયૂત,સર્પી,ઈલા,અંબિકા,ઈરાવતી,સુધા અને દીક્ષા-આ અગિયાર રૃદ્રાણીયો તમારી પત્નીઓ હશે.તમે ઉપરના નામો,સ્થાન અને સ્ત્રીઓનો સ્વીકાર કરો અને તેના દ્વારા ખુબ જ પ્રજા ઉત્તપન્ન કરો,કેમકે તમે પ્રજાપતિ છો.
લોકપિતા બ્રહ્માજીથી એવી આજ્ઞા મેળવીને ભગવાન નીલલોહિત બળ,આકાર અને સ્વભાવમાં પોતાના જ જેવી પ્રજા ઉત્તપન્ન કરવા લાગ્યા.ભગવાન રુદ્ર દ્વારા ઉત્તપન્ન થયેલા તે રુદ્રોના અસંખ્ય યુથ બનાવીને આખા સંસારને ભક્ષણ કરતા જોઈને બ્રહ્માજીને મોટી શંકા થઇ.ત્યારે તેમને રૂરને કહ્યું-'સુરશ્રેષ્ઠ ! તમારી પ્રજા તો તેમની ભયંકર દ્રષ્ટિથી મને અને બધી દિશાઓને ભસ્મ કરી નાખે છે,એટલે એવી સૃષ્ટિ વધારે ન રચો.તમારું કલ્યાણ થાવ, હવે તમો બધાજ પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો.પછી તે તપના પ્રભાવ થી જ આગળપ્રમાણે તમો આ સંસારની રચના કરો.પુરુષ તપના દ્વારા જ ઇન્દ્રિયાતીત,સર્વાન્તર્યામી,જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
શ્રી મૈત્રેયજી કહે છે-જયારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી,ત્યારે રુદ્રે 'ખુબ સરસ' કહીને તેને માથે ચઢાવી,અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા.
તેના પછી જયારે ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિને માટે સંકલ્પ કર્યો,ત્યારે તેમના બીજા દસ પુત્રો ઉત્તપન્ન થયા.તેમાં લોકોનો ખુબ વધારો થયો.તેમના નામ મરીચિ,સ્ત્રી,અંગિરા,પુલસ્તય,પુલહ,ક્રતુ,ભૃગુ,વશિષ્ઠ,દક્ષ અને દસમા નારદ.હતા.તેમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીની ગોદમાંથી,દક્ષ અંગુઠાથી,વશિષ્ઠ પ્રાણથી,ભૃગુ ત્વચાથી ,ક્રતુ હાથથી,પુલહ નાભિથી,પુલત્સ્ય ઋષિ કાનોથી,અંગિરા મોઢાથી,સ્ત્રી નેત્રોથી અને મરીચિ મનથી ઉત્તપન્ન થયા.પછી તેમના જમણા સ્તનથી ધર્મ ઉત્તપન્ન થયો,જેમની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતાર પામ્યા,તથા તેમની પીઠથી અધર્મનો જન્મ થયો.અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્તપન્ન થયું.એવી રીતે બ્રહ્માજીના હૃદયથી કામ,ભ્રવરોથી ક્રોધ,નીચેના હોઠથી લોભ,મુખથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી,લિંગથી સમુદ્ર,ગુદાથી પાપની નિવાસસ્થાન,(રાક્ષસોના અધિપતિ)નીત્રમૂર્તિ. છાયાથી દેવહૂતિના પતિ ભગવાન કર્દમજી ઉત્તપન્ન થયા.એવી રીતે આ આખું જગત જગત કર્તા બ્રહ્માજીના શરીરથી અને મનથી ઉત્તપન્ન થયા.
વિદુરજી ! બ્રહ્માની કન્યા સરસ્વતી ખુબ જ સુકુમારી અને મનોહર હતી. અમે સાંભર્યું છે-એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઇ ગયા હતા,જોકે તે જાતે વાસનાવગરની હતી.તેમને એવો અધર્મમય સંકલ્પ કરતાં જોઈ,તેમના પુત્ર મરીચિ વગેરે ઋષિયોએ તેમને વિશ્વાસપૂર્વક સમજાવ્યા-
'પિતાજી ! આપ સમર્થ છો,છતાં પણ આપના મનમાં ઉત્તપન્ન થયેલા કામના વેગને ન રોકીને પુત્રીગમન જેવું દુસ્તર પાપકરવાનો સંકલ્પ કરી રહ્યા છો.એવું તો આપનાથી પૂર્વવત કોઈ બ્રહ્માએ નથી કર્યું,અને આગળ પણ કોઈ નહિ કરે.જગતગુરુ ! આપ જેવા તેજસ્વી પુરુષને જ એવું કામ શોભા નથી આપતું,કેમકે આપલોકોના અચરણોને અનુશરણ કરવાથી જ જગતનું કલ્યાણ થાય છે.જે શ્રી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થિર આ જગતને પોતાના તેજથી પ્રગટ કર્યું છે,તેને નમસ્કાર છે.આ વખતે તેજ ધર્મની રક્ષા કરી શકે છે.' પોતાના પુત્ર મરીચિ વગેરે પ્રજાપતિઓને આવી રીતે તેમની સામે કહેતા જોઈ બ્રહ્માજી ખુબ જ લજ્જિત થયા,અને તેમણે તે શરીરને તે જ સમયે છોડી દીધું.ત્યારે તે ઘોર શરીરને દિશાઓએ લઇ લીધું,ત્યાં કોહરા થયો જેને અંધકાર પણ કહેવાય છે.
એકવાર બ્રહ્માજી એ વિચારી રહ્યા હતા કે"હું પહેલાની માફક સુવ્યવસ્થિતરૂપે બધા લોકોની રચના કેવી રીતે કરું?"તેજ વખતે તેમના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ થયા.તે સિવાય ઉપવેદ,ન્યાયશાસ્ત્ર,હોતા,ઉદ્દગાતા,અધ્વર્યુ અને બ્રહ્મા-આ ચાર ઋષિયોના કર્મ,યજ્ઞના વિસ્તાર,ધર્મના ચાર ચરણ અને ચારે આશ્રમ તથા તેમની વૃતિયો- તે બધું પણ બ્રહ્માજીના મુખમાંથી જ પ્રગટ થયું.
વિદુરજીએ પૂછ્યું-તપોધન ! વિશ્વ રચિયાતાના સ્વામી શ્રી બ્રહ્માજીએ પોતાના મુખોથી જયારે આ વેદ વગેરેને રચ્યા,તો તેમને તેમના ક્યાં મોઢાથી કઈ વસ્તુ ઉત્તપન્ન કરી.-તે તમો કૃપા કરીને મને બતાવો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું-વિદુરજી !બ્રહ્માએ પોતાના પૂર્વ,દક્ષિણ,પશ્ચિમ અને ઉત્તરના મોઢાથી ક્રમથી,ઋક,યજું,સામઅને અર્થવેદને રચ્યા તથા તે ક્રમથી શસ્ત્ર(હોતાનો કર્મ ),
ઈજ્યા (અધ્વર્યુનું કર્મ )સ્તુતીસ્તોમ(ઉદ્દગાતાનું કર્મ )અને પ્રાયશ્ચિત્ત (બ્રહ્માનું કર્મ)-આ ચારેની રચના કરી.-એવી રીતે આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર),ધનુર્વેદ(શસ્ત્રવિદ્યા),ગાંધર્વવેદ (સંગીત શાશ્ત્ર) અને સ્થાપત્યવેદ(શિલ્પવિદ્યા)-આ ચાર ઉપવેદોને પણ ક્રમથી તે પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન કર્યા.પછી સર્વદર્શી બ્રહ્માએ પોતાના ચારે મુખોથી ઇતિહાસ-પુરાણરૂપ પાંચમો વેદ બનાવ્યો.એજ ક્રમથી ષોડશી અને ઉકથ,ચયન અને અગ્નિષ્ટોમ,આપ્તોર્યમ અને અતિરાત્ર,તથા વાજપેય અને ગોસવ-એ બે બે યાગ પણ તેમના પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન થયા.વિદ્યા, દાન, તપ અને સત્ય-આ ધર્મના ચાર પગ અને વૃતિયો સાથે ચાર આશ્રમ પણ એ જ ક્રમથી પ્રગટ થયા.સાવિત્ર (ઉપનયન સંસ્કાર દરમ્યાન ગાયત્રીના અધ્યયન માટે ધારણ કરવાનું ત્રણ દિવસનું બ્રહ્મચર્યવ્રત.)પ્રાજાપત્ય (એક વર્ષનું બ્રહ્મચર્યવ્રત),બ્રાહ્મ(વેદાધ્યયનની સમાપ્તિ સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત) અને બૃહત (ઉંમર સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત)-આ ચાર વૃતિયો બ્રહ્મચારીની છે તથા વાર્તા(ખેતી વગેરે શાસ્ત્ર વગરની વૃતિયો ),સંચય (યાગ વગેરે કરાવવું),શાલીન( અયાચિત વૃત્તિ) તથા શિલૉંચ્છ (ખેતર કાપી નાખ્યા પછી જમીન પર પડેલા અને અનાજની મંદીમાં પડેલા દાણાને વીણીને જીવન ચલાવવું)આ ચાર વૃતિયો ગૃહસ્થની છે.
એવી રીતે વૃતિભેદથી વૈખાનસ(વગર ખેડ-રોપ ધરતીથી ઉત્તપન્ન થયેલા પદાર્થોથી નિર્વાહ કરનારા ),વાલખિલ્ય (નવું અનાજ માલ્ટા પહેલા સંગ્રહ કરેલું અનાજ દાન કરનારા ),ઔદુમ્બર (પ્રાતઃકાળમાં ઉઠીને જે દિશામા મોઢું હોય તે દિશામાંથી ફળો લાવીને નિર્વાહ કરનારા) અને ફેનપ (પોતાની જાતે ઝડીને પડેલા ફળો ખાઈને રહેનારા)આ ચાર ભેદો વાનપ્રસ્થોના તથા કુતિચક (ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેવું અને આશ્રમના ધર્મોનું પૂરું પાલન કરનારા ) ,વધુદક (કર્મની અને ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ મુખ્ય માનનારા),હંસ (જ્ઞાનાભ્યાસી) અને નિષ્ક્રિય(પરમહંસ,જ્ઞાની જીવન્મુક્ત ) -આ ચાર ભેદો સન્યાસિયોંના છે.એજ ક્રમથી આણ્વીક્સિકી(મોક્ષ પ્રાપ્ત કરાવનારી આત્મવિદ્યા),ત્રયી (સ્વર્ગાદિ ફળ આપનારી કર્મવિદ્યા ),વાર્તા(ખેતી વેપાર વગેરે સંબંધી વિદ્યા )અને દંડનીતિ (રાજનીતિ)-આ ચાર વિદ્યાઓ તથા ચાર વ્યાહુતિયા (ભૂ:,ભુર્વઃ:,સ્વ:-આ ત્રણ અને ચોથી ,મહ: ને મેળવીને ,આવી રીતે ચાર વ્યાહુતિયા આશ્વલાયનને પોતાના ગૃહસૂત્રોમાં બતલાવી છે -તેમજ વ્યાહતય:પ્રોકતા વ્યક્તા:
સમસ્તા:.અથવા ભૂ:ભૂવઃ:,સ્વ:અને મહ: -આ ચાર વ્યાહુતિયો,જેમ કે શ્રુતિ કહે છે -ભૂર્ભવઃ:સુવરીતિ વ એતસ્તિસ્ત્રો વ્યાહતયસ્થાસામું હ સમૈતાં ચતુર્થીમાંહ.વાચમસ્ય પ્રવેદયતે મહ: વગેરે.)પણ બ્રહ્માજીના ચાર મુખોથી ઉત્તપન્ન થઇ તથા તેમના હૃદયાકાશમાં ૐકાર પ્રગટ થયો.
તેમ ના રોમથી ઉષનિક,ત્વચાથી ગાયત્રી,માસથી ત્રિષ્ટુપ ,સ્નાયુથી અનુષ્ટુપ,અસ્થિઓથી જગતી મજ્જાથી પંક્તિ અને પ્રાણોથી બૃહતી છંદ ઉત્તપન્ન થયા.એમ જ તેમનો જીવ સ્પર્ષવાર્ણ(કવગ આદિ
પજ્ઞવર્ગ )અનેદેહ સ્વરવર્ણ(અકારાદિ) કહેવાયા. તેમની ઇન્દ્રિયોનો ઉષ્મવર્ણ (શ ય સ હ)અને વલકો અંતઃસ્થ (ય ર લ વ )કહે છે,તથા તેમની ક્રીડાથી નિષાદ,ઋષભ,ગાંધાર,ષડજ, મધ્યમ,ધૈવત અને પશ્ચમ- આ સાત સ્વર થયા.હે તાત ! બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે.તેઓ વૈખરી રૂપથી વ્યક્ત અને ઉંકારરૂપથી અવ્યક્ત છે.તથા તેમનાથી ઉપર જે સર્વત્ર પરિપૂર્ણ પરબ્રહ્મ છે,તેજ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપોમાં દેખાય રહ્યા છે.
વિદુરજી ! બ્ર્હમાજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી કોહરા થયું હતું- છોડ્યા પછી બીજું શરીર ધારણ કરીને વિશ્વવિસ્તારનો વિઆચાર કર્યો,તેઓ જોઈ ચુક્યા હતા કે મરીચિ વગેરે મહાન શક્તિશાળી ઋષિયોથી પણ સૃષ્ટિનો વિસ્તાર વધારે ન થયો ,એટલે તેઓ મનમાં ને મનમાં ફરીથી ચિંતા કરવા લાગ્યા -' અહો ! બ્રહ્મ આશ્ચર્ય છે,મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પ્રજાની વૃદ્ધિ નથી થઇ રહી.માલમ પડે છે તેમાં નસીબ જ કૈક વિઘ્ન નાખી રહ્યું છે.'જે વખતે યથોચિત ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી એવી રીતે નસીબના માટે વિચાર કરી રહ્યા હતા તે જ વખતે તેમના શરીરના અકસ્માતે બે ભાગ થઇ ગયા.'ક'બ્રહ્માજીનું નામ છે તેનાથી જુદા પડવાને કારણે શરીરને 'કાયા' કહે છે તે બંને વિભાગથી એક સ્ત્રી -પુરુષનું જોડું પ્રગટ થયું.તેમાં જે પુરુષ હતો તે સાર્વભોમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થઇ. ત્યારથી મીથુન ધર્મ(સ્ત્રી-પુરુષ-સંભોગ)થી પ્રજાની વૃદ્ધિ થવા લાગી.મહારાજ સ્વયંમભવ મનુએ શતરૂપાથી પાંચ સંતાનો ઉત્તપન્ન કરી.સાધુશિરોમની વિદુરજી ! તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -બે પુત્ર હતા તથા આકુતિ,દેવહુતિ અને પ્રસુતિ- ત્રણ કન્યાઓ હતી.મનુજીએ આકૃતિનો વિવાહ રુચિ પ્રજાપતિથી કર્યો ,વચલી કન્યા દેવહુતિ કર્દમજીને આપી અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને આ ત્રણ કન્યાઓની પ્રસુતિથી આખો સંસાર ભરાય ગયો.
તેરમો અધ્યાય
વરાહ અવતારની કથા
શ્રી શુકદેવજીએ કહયું -રાજન ! મુનિવર મૈત્રેયજીના મુખથી આ પરમ પુજયમયી કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરીથી પૂછ્યું,કેમકે ભગવાનની લીલાકથામાં તેમનો અત્યંત અનુરાગ થઇ ગયો હતો.
વિદુરજીએ કહ્યું - મુનિ ! સ્વમ્ભુ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપાને મેળવીને પછી શું કર્યું ? આપ સાધુશિરોમણી છો.આપ મને આદિરાજ રાજર્ષિ સ્વંભૂવઃ મનુના પવિત્ર ચરિત્ર સંભળાવો.તેઓ વિષ્ણુભગવાનના શરણાપાત્ર હતા,એટલે એમનું ચરિત્ર સાંભળવામાં મને ખુબ જ શ્રધ્દ્ધા છે.જેમના હૃદયમાં શ્રીમુકુંદના ચરણાર્વિન્દ વિરાજમાન છે,તે ભકજનોના ગુણોને સાંભળવા જ મનુષ્યોના ઘણા જ લાંબા સમયના કરેલા શાસ્ત્રભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે,એવો વિધ્નોનો શ્રેષ્ઠ મત છે.
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! વિદુરજી શાસ્ત્રશીર્ષા ભગવાન શ્રી હરિના ચારણાશ્રિત ભક્ત હતા.તેમણે જયારે વિનયથી ભગવાનની કથા માટે પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીના રોમે રોમ ખીલી ઉઠયા.તેમણે કહ્યું.
શ્રી મૈત્રેયજી બોલ્યા - જયારે પોતાની ભાર્યા શતરૂપાની સાથે સ્વાયંભુવ મનુનો જન્મ થયો,ત્યારે તેમણે ખુબ જ નમ્રતાથી હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું -‘ભગવન ! એકમાત્ર તમો જ બધા જીવોના જન્મદાતા અને જીવિકા આપનારા પિતા છો.તે ઉપરાંત અમે આપની સંતાન એવું કયું કર્મ કરીએ, જેનાથી આપની સેવા થઇ શકે?
પૂજ્યપાદ ! અમો આપને નમસ્કાર કરીએ છીએ. આપ અમોને થઇ શકે તે યોગ્ય કોઈ એવા કામ માટે આજ્ઞા આપો જેનાથી આ લોકમાં અમારી બધે જ કીર્તિ થાય,અને પરલોકમાં સદ્દગતિ મળે.
શ્રી બ્રહ્માજીએ કહ્યું-તાત ! પૃથ્વીપતિ ! તમારું બંનેનું કલ્યાણ થાઓ,હું તમારાથી ખુબ જ પ્રસન્ન છું,કેમકે તમે નિષ્કપટ ભાવથી 'મને આજ્ઞા આપો 'એવું કહીને મને આત્મસમર્પણ કર્યું છે.વીર ! પુત્રોને પોતાના પિતાની આ રૂપમાં પુંજા કરવી જોઈએ.તેમને તે જ શોભે છે જે બીજાના તરફ ઈર્ષ્યાનો ભાવ ન રાખીને જ્યાં સુધી થઇ શકે,તેમની આજ્ઞાનું આદરથી સાવધાની સાથે પાલન કરવું.તમે તમારી આ ભાર્યાથી પોતાના જેવી જ ગુણવાન સંતતિ ઉત્તપન્ન કરીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો,અને યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરો.રાજન ! પ્રજાપાલનથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમને પ્રસન્ન થશે.જેના પર યજ્ઞમૂર્તિ ભગવાન પ્રસન્ન નથી થતા,તેની બધી જ મહેનત નકામી જાય છે,કેમકે તે તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે.
મનુજીએ કહ્યું- પાપના નાશ કરનારા પિતાજી ! હું આપની આજ્ઞાનું પાલન જરૂર કરીશ,પણ તમો આ જગતમાં મારુ તેમજ મારી ભાવિ પ્રજાનું રહેવા માટેનું સ્થાન બતલાવો. દેવ ! બધા જીવોનું નિવાસસ્થાન પૃથ્વી અત્યારે પાણીમાં ડૂબેલી છે.આપ તે દેવીના ઉદ્ધારનો પ્રયત્ન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - પૃથ્વીને આવી રીતે અપાર જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે,
'એને કેવી રીતે કાઢું.'જે વખતે હું લોકરચનામાં લાગેલો હતો,તે સમયે પૃથ્વી પાણીમાં ડૂબી જવાથી રસતાલમાં જતી રહી.અમે લોકો સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત છીએ એટલે,તેના માટે અમારે શું કરવું જોઈએ ? હવે તો,જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે,તે શ્રી હરિ જ મારુ આ કામ પૂરું કરે.'
નિષ્પાપ વિદુરજી ! બ્રહ્માજી આવી રીતે વિચાર કરી રહ્યા હતા કે તેમના નસ્કોરામાં અકસ્માત અંગુઠાના બરાબર આકારનો એક વરાહ શિશુ નીકળ્યો.ભારત ! મોઅત આશ્ચર્યની વાત તો તે થઇ કે આકાશમાં ઉભેલો તે વરાહ શિશુ બ્રહ્માજીના જોતા જોતા તો મોટો થઈને હાથીના જેવો થઇ ગયો.તે વિશાલ વરાહ શિશુને જોઈને મરીચિ વગેરે મુનિજન,સનકાદિઅને સ્વાયંભુવ મનુ ની સાથે બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા.-
અહો ! સુવ્વરના રૂપમાં આજે આ કોણ દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે ?કેવું આશ્ચર્ય છે ! આ હમણાં જ મારા નાકથી નીકળ્યું હતું.પહેલા તો તે અંગુઠાના ટેળવા જેવું દેખાતું હતું પરંતુ એક જ ક્ષણમાં મોટી ભારે શીલા જેવું થઇ ગયું જરૂર યગ્નમૂર્તિ ભગવાન આપણા લોકોના મનને મોહિત કરી રહ્યા છે.બ્રહ્માજી અને તેમના પુત્રો આવી રીતે વિચારી રહ્યા હતા કે ત્યાં ભગવાન યગ્નપુરુષ પર્વતાકાર થઇ ગર્જવા લાગ્યા.સર્વશક્તિમાન શ્રી હરિએ તેમની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિ કરીને બ્રહ્મા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને હર્ષથી ભરી દીધા.પોતાનો ખેદ દૂર કરનારી માયામય વરાહ ભગવાનની ઘુરઘુરાટીને સાંભળીને તે જનલોક,તપલોક,અને સત્યલોક નિવાસી મુનિગણ ત્રણે વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.ભગવાનના સ્વરૂપોના વેદોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે,એટલે તે મુનીશ્વરો એ જે પ્રાર્થના કરી ,તેને વેદરૂપ માનીને ભગવાન ખુબ પ્રસન્ન થયા અને એકવાર ફરીથી ગરજીને દેવતાઓના હિતને માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા પાણીમાં ઘુસી ગયા.પહેલા તે સુવ્વર રૂપ ભગવાન પૂંછડી ઉઠાવીને ઘણા જ વેગથી આકાશમાં ઉછળ્યાઅને પોતાની ડોકના વાળને ફટકારતા ખૂરોના આઘાતથી વાદળોને વિખેરવા લાગ્યા . તેમનું શરીર ખુબ જ કઠોર હતું ત્વચા ઉપર કઠણ કઠણ વાળો હતા,દાઢો સફેદ હતી,અને નેત્રોથી તેજ નીકળી રહ્યું હતું,તે વખતે તેમની ખુબ શોભા દેખાઈ રહી હતી.ભગવાન જાતે યજ્ઞપુરુષ છે તે ઉપરાંત સુવ્વર રૂપ ધારણ કરવાને કારણે પોતાની નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીને શોધવા લાગ્યા.તેમની દાઢો ખુબ જ કઠોર હતી.આવી રીતે ક્યારેક તે ખુબ ક્રૂર દેખાતા હતા,છતાં પણ તેમની પ્રાર્થના કરનારા મરીચિ વગેરે મુનિયો તરફ ખુબ જ સૌમ્ય દ્રષ્ટિથી નિહાળતા તેમણે પાણીમાં પ્રવેશ કર્યો.
જે વખતે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર કલેવર પાણીમાં પડ્યું,ત્યારે તેના વેગથી જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું,અને તેમાં વાદળોની ગડગડાટ ના જેવો મોટો ભયંકર શબ્દ બન્યો.તે વખતે એવું દેખાતું હતું,જાણે પોતાની કસેલી તરંગરૂપ ભુજાઓને ઉઠાવીને તે મોટા આર્તસ્વરમાં 'હે યજ્ઞેશ્વર ! મારી રક્ષા કરો !' એવી રીતે પોકારી રહ્યો હોય. ત્યારે ભગવાન યગ્નમૂર્તિ પોતાના બાણના જેવા તીક્ષણ ખરીઓથી પાણીને ચીરતાં તે અપાર જળરાશીને તે પાર પહોંચ્યા ત્યાં રસાતળમાં બધાજ જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોયા,જેને કલ્પાન્તમાં સુવા માટે ઉદ્યત શ્રી હરિએ જાતે તેમના પેટમાં લિન કરી દીધા હતા.
પછી તે પાણીમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢોમાં લઈને રસાતળથી ઉપર આવ્યા.તે વખતે તેમની ખુબ શોભા થઇ રહી હતી.પાણીમાંથી બહાર આવતા તેમના માર્ગમાં વિઘ્ન નાખવા માટે મહાપરાક્રમી હિરણાક્ષયે પાણીમાં જ તેમની ઉપર ગદાથી આક્રમણ કર્યું.તેનાથી તેમનો ક્રોધ ચક્રના જેવો તીક્ષણ થઇ ગયો,અને તેમને તેને લીલાથી જ એ રીતે મારી નાખ્યો,જેમ સિંહ હાથીને મારી નાખે છે.તે વખતે તેના લોહીથી ઠુંઠની તથા કાનપટ્ટી સાની જવાથી તે એવા લાગતા હતા જાણે કોઈ હાથી લાલ માટીના મોટા ટેકરામાં ટક્કર મારીને આવ્યો હોય.તાત ! જેમ હાથી પોતાના દાતો પર કમળનું
ફૂલ ધારણ કરી લે,તેવી રીતે પોતાના સફેદ દાંતોની નોક ઉપર પૃથ્વીને ધારણ કરીને પાણીમાંથી બહાર નીકળતા,તમાલ જેવા નીલવર્ણ વરાહ ભગવાન જોઈને બ્રહ્મા,મરીચિ વગેરે ને ખાતરી થઇ કે આ ભગવાન જ છે.ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.
ઋષિયોએ કહ્યું- ભગવાન અજિત ! આપની જય થાઓ,જય થાઓ ! યજ્ઞપતિ ! આપ આપના વેદત્રયી રૂપ વિગ્રહને ફટકારી રહ્યા છો,આપને નમસ્કાર હો ! આપના રોમ કુંપોમાં સંપૂર્ણ યજ્ઞ લિન છે.આપને પૃથ્વીનો ઉદ્ધાર કરવા જ આ સુવ્વરનું રૂપ લીધું છે.આપને નમસ્કાર છે.દેવ ! દુરાચારીઓને આપના આ શરીરના દર્શન થવા અત્યંત કઠિન છે કેમકે તે યજ્ઞરૂપ છે.
તેમની ત્વચાથી ગાયત્રી વગેરે છંદ,રોમાવલીમાં કુશ,નેત્રોમાં ઘૃત તથા ચારો ચરણોમાં હોતા,અધ્વર્યુ,ઉદ્દગાતા અને બ્રહ્મા-આ ચારે ઋષિયોના કર્મ છે.ઈશ ! આપની થુંથની (મુખનો આગળનો ભાગ)માં શ્રુક છે,નાસીકાછિદ્રોમાં સ્તૃવા છે,પેટમાં ઈડા(યાજ્ઞિય ભક્ષણપત્ર )છે,કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશ્ચિત્ર (બ્રહ્મભાગપાત્ર),છે અને કંથછીદ્રમાં ગ્રહ(સોમપાત્ર)છે.ભગવન ! તમારું જે ચાવવાનું છે,તેજ અગ્નિહોત્ર છે.બાર બાર અવતાર લેવા યજ્ઞસ્વરૂપ આપની દિક્ષણીય દ્રષ્ટિ છે,ગરદન ઉપસદ (ત્રણ ઇષ્ટિયો)છે,બંને દાઢો પ્રાયણીય( દીક્ષા પછીની ઇષ્ટિ) અને ઊદનીય (યજ્ઞસમાપ્તીની ઇષ્ટિ) છે,જિહવા પ્રવમરય(દરેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ)છે,સિર સભ્ય
(હોમરહિત અગ્નિ)અને આવસધ્ય( ઔપાસનાગ્નિ)છે તથા પ્રાણ ચિતિ (ઈષ્ટકાચ્યન)છે.દેવ ! આપનું વીર્ય સોમ છે, આસન(બેઠક) પ્રાપ્ત:સવનાદિ ત્રણ સવન છે.સાતેય ધાતુ અગ્નિષ્ટોમ, અત્યંગ્નિષ્ટોમ,ઉકય,ષોડશી ,વાજપેય,અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંશ્થાઓ છે.તથા શરીરની સંધીયો(સાંધા),સંપૂર્ણ સત્ર છે.આવી રીતે આપ સંપૂર્ણ યજ્ઞ (સોમરહિત યાગ)અને ક્રતુ
( સોમસહિત યાગ) રૂપ છે.યજ્ઞાનુષ્ઠાન રૂપ ઇષ્ટિયો આપના અંગોને મેળવી રાખનારી માંસપેશીયો છે.બધાજ મંત્રો,દેવતા,દ્રવ્ય,યજ્ઞ અને કર્મ આપના જ સ્વરૂપ છે.આપને નમસ્કાર છે.વૈરાગ્ય,ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે,તે આપનું જ સ્વરૂપ છે.તથા તમો જ વિદ્યાગુરુ છો,તમોને વારંવાર પ્રણામ છે.પૃથ્વીને ધારણ કરનારા ભગવન ! આપની દાઢોની નોક પર રાખેલી આ પર્વત વગેરેથી છવાયેલી પૃથ્વી એવી સુશોભિત થઇ રહી છે,જેમ વનમાંથી નીકળીને બહાર આવેલા કોઈ હાથીના દાંતો પર પત્રયુક્ત કમલીની રાખી હોય.આપના દાંતો પર રાખેલા ભૂમંડળો સાથે આપનો આ વેદમય વરાહ વિગ્રહ એવો સુશોભિત થઇ રહ્યો છે,જેમ શિખરો પર છવાયેલી મેઘમાલાથી કુલપર્વતની શોભા થાય છે.નાથ ! ચરાચર જીવોને સુખપૂર્વક રહેવા માટે આપ પોતાની પત્ની આ જગતમાતા પૃથ્વીને પાણી ઉપર સ્થાપિત કરો.આપ જગતના પિતા છો,અને અરણીમાં અગ્નિસ્થાપન ની જેમ આપે એમાં ધારણશક્તિરૂપ આપનું તેજ સ્થાપિત કર્યું છે.
અમે આપને તથા આ પૃથ્વીમાતાને પ્રણામ કરીયે છીએ.પ્રભુ ! રસાતળમાં ડૂબેલી આ પૃથ્વીને કાઢવાનું સાહસ આપના સિવાય કોણ કરી શકવાનું હતું.પરંતુ તમો તો સંપૂર્ણ આશ્રયોના આશ્રય છો,તમારા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી. તમેજ તો આ આખાય વિશ્વની આપની માયાથી રચના કરી છે.જયારે આપ આપના વેગમય વિગ્રહને હલાવો છો,ત્યારે અમારા ઉપર આપના ગરદન ઉપરના વાળોથી ઝરતી ઠંડી બૂંદો પડે છે.ઈશ ! તેનાથી ભીંજાઈને અમે જનલોક ,તપલોક અને સત્યલોક માં રહેનારા મુનિજનો કાયમ માટે પવિત્ર થઇ જઇયે છીએ.જે પુરુષ આપના કર્મોની પાર પામવા ચાહે છે,જરૂરથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ છે,કેમકે આપના કર્મોનો કોઈ પાર જ નથી.તમારી જ યોગમાયાના સતવાદી ગુણોથી,આ આખું જગત મોહિત થઇ રહ્યું છે.ભગવન ! આપ તેનું કલ્યાણ કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! તે બ્રહ્મવાદી મુનિઓએ આવી રીતે પ્રાર્થના કરવાથી,બધાની રક્ષા કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી પાણીને સ્તંભિત કરીને તેના પર પૃથ્વીને સ્થાપિત કરી દીધી.એવી રીતે રસાતળથી લાવેલી પૃથ્વીને પાણી પર મૂકી તે વિશ્વકસેન પ્રજાપતિ ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.
વિદુરજી ! ભગવાનના લીલામય ચરિત્ર ખુબ જ કીર્તનીય છે,અને તેમાં લાગેલી બુદ્ધિ બધાજ પ્રકારના પાપ-તાપોને દૂર કરી દે છે.જે પુરુષ તેમની મંગલમયી પવિત્ર કથાને ભક્તિભાવથી સાંભળે અથવા સંભળાવે છે તેના તરફ ભક્તવત્સલ ભગવાન અંતલસ્થળથી તરત જ પ્રસન્ન થઇ જાય છે.ભગવાન તો બધી કામનાઓને પૂર્ણ કરવામાં સફળ છે.તેમના પ્રસન્ન થવાથી સંસારમાં શું દુર્લભ છે.પરંતુ તે નકામી કામનાઓની જરૂર જ શું છે ? જે લોકો તેમનું અનન્ય ભાવથી ભજન કરે છે,તેમને તો તે અંતર્યામી પરમાત્મા પોતે જાતે તેમનું પરમ પદ જ આપી છે.અરે ! સંસારમાં પશુઓને છોડીને પોતાના પુરુષાર્થનો સાર જાણનારા એવો કોણ પુરુષ હશે,જે અવન જવનને છોડાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાને પોતાના કાનોથી એક વાર સાંભળીને પછી તેના
તરફથી મન હટાવી લેશે.
સૃષ્ટિનો વિસ્તાર
શ્રી મૈત્રેયજીએ કહ્યું- વિદુરજી ! અહીં સુધી મેં આપને ભગવાનનો કાળરૂપ મહિમા સંભળાવ્યો.હવે જે પ્રકારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી તે સાંભળો.સહુથી પહેલા તેમને અજ્ઞાનની પાંચ વૃત્તિઓ-તમ(અવિદ્યા),મોહ(અસ્મિતા),મહામોહ(રાગ),તામિસ્ત્ર(દ્વેષ) અને અંધ તામિસ્ત્ર(અભિનિવેશ ) રચી.
પરંતુ આ અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને તેમેને પ્રસન્નતા ન થઇ.ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને બીજી સૃષ્ટિ રચી.આ વખતે બ્રહ્માજીએ સનત,સનંદન,સનાતન અને સનતકુમાર-એ ચાર નિવૃત્તિપરાયણ ઉરધરતા મુનિ ઉત્તપન્ન કર્યા. પોતાના તે પુત્ર્ત્રોને બ્રહ્માજીએ કહ્યું ,'પુત્રો ! તમે લોકો સૃષ્ટિ ઉત્તપન્ન કરો.'પરંતુ તે જન્મથી જ મોક્ષમાર્ગ(નિવૃત્તિમાર્ગ)-નું અનુશરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા.એટલા માટે તેમણે એવું કરવાનું ન ચાહ્યું.જયારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા ન માનીને મારા પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે ત્યારે તેમણે અસહ્ય ક્રોધ થયો.તેમણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો.પરંતુ બુદ્ધિ દ્વારા તેને ખુબ રોકવા છતાં પણ તે ક્રોધ તરત જ પ્રજાપતિના મોહોની વચ્ચેથી એક નીલ- લોહિત ( નીલા અને લાલરંગના) બાળક ના રૂપમાં પ્રગટ થઇ ગયો.તે દેવતાઓના પૂર્વજ ભગવાન ભવ(રુદ્ર) રડતા રડતા કહેવા લાગ્યા -જગતપિતા,! વિધાતા ! મારુ નામ અને રહેવાનું સ્થાન બતાવો.
ત્યારે કમલયોની બ્રહ્માજીએ તે બાળકની પ્રાર્થના પુરી કરવાને માટે મધુરવાણીમાં કહ્યું,'રડો નહિ, હું તારી ઈચ્છા હમણાં જ પુરી કરું છું'.દેવ શ્રેષ્ઠ ! તમે જન્મ લેતા જ બાળકની માફક ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા,એટલા માટે પ્રજા તમને 'રુદ્ર' નામથી પોકારશે.તમારા રહેવા માટે મેં પહેલેથી જ હૃદય,ઇન્દ્રિય,પ્રાણ,આકાશ,વાયુ,અગ્નિ,પાણી ,પૃથ્વી,સૂર્ય ચંદ્રમા અને તપ-એ સ્થાનો રચી દીધા છે.તમારા નામ મન્યું,મનુ,મહીનસ,મહાન,શિવ,ઋતુધ્વજ,ઉગ્રરેતા,ભવ,કાલ,વામદેવ અને ધૃતવ્રતઃ હશે.તથા ઘી,વૃત્તિ,ઉશના ,ઉમા,નિયૂત,સર્પી,ઈલા,અંબિકા,ઈરાવતી,સુધા અને દીક્ષા-આ અગિયાર રૃદ્રાણીયો તમારી પત્નીઓ હશે.તમે ઉપરના નામો,સ્થાન અને સ્ત્રીઓનો સ્વીકાર કરો અને તેના દ્વારા ખુબ જ પ્રજા ઉત્તપન્ન કરો,કેમકે તમે પ્રજાપતિ છો.
લોકપિતા બ્રહ્માજીથી એવી આજ્ઞા મેળવીને ભગવાન નીલલોહિત બળ,આકાર અને સ્વભાવમાં પોતાના જ જેવી પ્રજા ઉત્તપન્ન કરવા લાગ્યા.ભગવાન રુદ્ર દ્વારા ઉત્તપન્ન થયેલા તે રુદ્રોના અસંખ્ય યુથ બનાવીને આખા સંસારને ભક્ષણ કરતા જોઈને બ્રહ્માજીને મોટી શંકા થઇ.ત્યારે તેમને રૂરને કહ્યું-'સુરશ્રેષ્ઠ ! તમારી પ્રજા તો તેમની ભયંકર દ્રષ્ટિથી મને અને બધી દિશાઓને ભસ્મ કરી નાખે છે,એટલે એવી સૃષ્ટિ વધારે ન રચો.તમારું કલ્યાણ થાવ, હવે તમો બધાજ પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો.પછી તે તપના પ્રભાવ થી જ આગળપ્રમાણે તમો આ સંસારની રચના કરો.પુરુષ તપના દ્વારા જ ઇન્દ્રિયાતીત,સર્વાન્તર્યામી,જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
શ્રી મૈત્રેયજી કહે છે-જયારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી,ત્યારે રુદ્રે 'ખુબ સરસ' કહીને તેને માથે ચઢાવી,અને પછી તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા.
તેના પછી જયારે ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ સૃષ્ટિને માટે સંકલ્પ કર્યો,ત્યારે તેમના બીજા દસ પુત્રો ઉત્તપન્ન થયા.તેમાં લોકોનો ખુબ વધારો થયો.તેમના નામ મરીચિ,સ્ત્રી,અંગિરા,પુલસ્તય,પુલહ,ક્રતુ,ભૃગુ,વશિષ્ઠ,દક્ષ અને દસમા નારદ.હતા.તેમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીની ગોદમાંથી,દક્ષ અંગુઠાથી,વશિષ્ઠ પ્રાણથી,ભૃગુ ત્વચાથી ,ક્રતુ હાથથી,પુલહ નાભિથી,પુલત્સ્ય ઋષિ કાનોથી,અંગિરા મોઢાથી,સ્ત્રી નેત્રોથી અને મરીચિ મનથી ઉત્તપન્ન થયા.પછી તેમના જમણા સ્તનથી ધર્મ ઉત્તપન્ન થયો,જેમની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતાર પામ્યા,તથા તેમની પીઠથી અધર્મનો જન્મ થયો.અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્તપન્ન થયું.એવી રીતે બ્રહ્માજીના હૃદયથી કામ,ભ્રવરોથી ક્રોધ,નીચેના હોઠથી લોભ,મુખથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી,લિંગથી સમુદ્ર,ગુદાથી પાપની નિવાસસ્થાન,(રાક્ષસોના અધિપતિ)નીત્રમૂર્તિ. છાયાથી દેવહૂતિના પતિ ભગવાન કર્દમજી ઉત્તપન્ન થયા.એવી રીતે આ આખું જગત જગત કર્તા બ્રહ્માજીના શરીરથી અને મનથી ઉત્તપન્ન થયા.
વિદુરજી ! બ્રહ્માની કન્યા સરસ્વતી ખુબ જ સુકુમારી અને મનોહર હતી. અમે સાંભર્યું છે-એકવાર તેને જોઈને બ્રહ્માજી કામમોહિત થઇ ગયા હતા,જોકે તે જાતે વાસનાવગરની હતી.તેમને એવો અધર્મમય સંકલ્પ કરતાં જોઈ,તેમના પુત્ર મરીચિ વગેરે ઋષિયોએ તેમને વિશ્વાસપૂર્વક સમજાવ્યા-
'પિતાજી ! આપ સમર્થ છો,છતાં પણ આપના મનમાં ઉત્તપન્ન થયેલા કામના વેગને ન રોકીને પુત્રીગમન જેવું દુસ્તર પાપકરવાનો સંકલ્પ કરી રહ્યા છો.એવું તો આપનાથી પૂર્વવત કોઈ બ્રહ્માએ નથી કર્યું,અને આગળ પણ કોઈ નહિ કરે.જગતગુરુ ! આપ જેવા તેજસ્વી પુરુષને જ એવું કામ શોભા નથી આપતું,કેમકે આપલોકોના અચરણોને અનુશરણ કરવાથી જ જગતનું કલ્યાણ થાય છે.જે શ્રી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થિર આ જગતને પોતાના તેજથી પ્રગટ કર્યું છે,તેને નમસ્કાર છે.આ વખતે તેજ ધર્મની રક્ષા કરી શકે છે.' પોતાના પુત્ર મરીચિ વગેરે પ્રજાપતિઓને આવી રીતે તેમની સામે કહેતા જોઈ બ્રહ્માજી ખુબ જ લજ્જિત થયા,અને તેમણે તે શરીરને તે જ સમયે છોડી દીધું.ત્યારે તે ઘોર શરીરને દિશાઓએ લઇ લીધું,ત્યાં કોહરા થયો જેને અંધકાર પણ કહેવાય છે.
એકવાર બ્રહ્માજી એ વિચારી રહ્યા હતા કે"હું પહેલાની માફક સુવ્યવસ્થિતરૂપે બધા લોકોની રચના કેવી રીતે કરું?"તેજ વખતે તેમના ચાર મુખમાંથી ચાર વેદ પ્રગટ થયા.તે સિવાય ઉપવેદ,ન્યાયશાસ્ત્ર,હોતા,ઉદ્દગાતા,અધ્વર્યુ અને બ્રહ્મા-આ ચાર ઋષિયોના કર્મ,યજ્ઞના વિસ્તાર,ધર્મના ચાર ચરણ અને ચારે આશ્રમ તથા તેમની વૃતિયો- તે બધું પણ બ્રહ્માજીના મુખમાંથી જ પ્રગટ થયું.
વિદુરજીએ પૂછ્યું-તપોધન ! વિશ્વ રચિયાતાના સ્વામી શ્રી બ્રહ્માજીએ પોતાના મુખોથી જયારે આ વેદ વગેરેને રચ્યા,તો તેમને તેમના ક્યાં મોઢાથી કઈ વસ્તુ ઉત્તપન્ન કરી.-તે તમો કૃપા કરીને મને બતાવો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું-વિદુરજી !બ્રહ્માએ પોતાના પૂર્વ,દક્ષિણ,પશ્ચિમ અને ઉત્તરના મોઢાથી ક્રમથી,ઋક,યજું,સામઅને અર્થવેદને રચ્યા તથા તે ક્રમથી શસ્ત્ર(હોતાનો કર્મ ),
ઈજ્યા (અધ્વર્યુનું કર્મ )સ્તુતીસ્તોમ(ઉદ્દગાતાનું કર્મ )અને પ્રાયશ્ચિત્ત (બ્રહ્માનું કર્મ)-આ ચારેની રચના કરી.-એવી રીતે આયુર્વેદ (ચિકિત્સાશાસ્ત્ર),ધનુર્વેદ(શસ્ત્રવિદ્યા),ગાંધર્વવેદ (સંગીત શાશ્ત્ર) અને સ્થાપત્યવેદ(શિલ્પવિદ્યા)-આ ચાર ઉપવેદોને પણ ક્રમથી તે પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન કર્યા.પછી સર્વદર્શી બ્રહ્માએ પોતાના ચારે મુખોથી ઇતિહાસ-પુરાણરૂપ પાંચમો વેદ બનાવ્યો.એજ ક્રમથી ષોડશી અને ઉકથ,ચયન અને અગ્નિષ્ટોમ,આપ્તોર્યમ અને અતિરાત્ર,તથા વાજપેય અને ગોસવ-એ બે બે યાગ પણ તેમના પૂર્વાદિ મુખોથી જ ઉત્તપન્ન થયા.વિદ્યા, દાન, તપ અને સત્ય-આ ધર્મના ચાર પગ અને વૃતિયો સાથે ચાર આશ્રમ પણ એ જ ક્રમથી પ્રગટ થયા.સાવિત્ર (ઉપનયન સંસ્કાર દરમ્યાન ગાયત્રીના અધ્યયન માટે ધારણ કરવાનું ત્રણ દિવસનું બ્રહ્મચર્યવ્રત.)પ્રાજાપત્ય (એક વર્ષનું બ્રહ્મચર્યવ્રત),બ્રાહ્મ(વેદાધ્યયનની સમાપ્તિ સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત) અને બૃહત (ઉંમર સુધી રહેનારું બ્રહ્મચર્યવ્રત)-આ ચાર વૃતિયો બ્રહ્મચારીની છે તથા વાર્તા(ખેતી વગેરે શાસ્ત્ર વગરની વૃતિયો ),સંચય (યાગ વગેરે કરાવવું),શાલીન( અયાચિત વૃત્તિ) તથા શિલૉંચ્છ (ખેતર કાપી નાખ્યા પછી જમીન પર પડેલા અને અનાજની મંદીમાં પડેલા દાણાને વીણીને જીવન ચલાવવું)આ ચાર વૃતિયો ગૃહસ્થની છે.
એવી રીતે વૃતિભેદથી વૈખાનસ(વગર ખેડ-રોપ ધરતીથી ઉત્તપન્ન થયેલા પદાર્થોથી નિર્વાહ કરનારા ),વાલખિલ્ય (નવું અનાજ માલ્ટા પહેલા સંગ્રહ કરેલું અનાજ દાન કરનારા ),ઔદુમ્બર (પ્રાતઃકાળમાં ઉઠીને જે દિશામા મોઢું હોય તે દિશામાંથી ફળો લાવીને નિર્વાહ કરનારા) અને ફેનપ (પોતાની જાતે ઝડીને પડેલા ફળો ખાઈને રહેનારા)આ ચાર ભેદો વાનપ્રસ્થોના તથા કુતિચક (ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેવું અને આશ્રમના ધર્મોનું પૂરું પાલન કરનારા ) ,વધુદક (કર્મની અને ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ મુખ્ય માનનારા),હંસ (જ્ઞાનાભ્યાસી) અને નિષ્ક્રિય(પરમહંસ,જ્ઞાની જીવન્મુક્ત ) -આ ચાર ભેદો સન્યાસિયોંના છે.એજ ક્રમથી આણ્વીક્સિકી(મોક્ષ પ્રાપ્ત કરાવનારી આત્મવિદ્યા),ત્રયી (સ્વર્ગાદિ ફળ આપનારી કર્મવિદ્યા ),વાર્તા(ખેતી વેપાર વગેરે સંબંધી વિદ્યા )અને દંડનીતિ (રાજનીતિ)-આ ચાર વિદ્યાઓ તથા ચાર વ્યાહુતિયા (ભૂ:,ભુર્વઃ:,સ્વ:-આ ત્રણ અને ચોથી ,મહ: ને મેળવીને ,આવી રીતે ચાર વ્યાહુતિયા આશ્વલાયનને પોતાના ગૃહસૂત્રોમાં બતલાવી છે -તેમજ વ્યાહતય:પ્રોકતા વ્યક્તા:
સમસ્તા:.અથવા ભૂ:ભૂવઃ:,સ્વ:અને મહ: -આ ચાર વ્યાહુતિયો,જેમ કે શ્રુતિ કહે છે -ભૂર્ભવઃ:સુવરીતિ વ એતસ્તિસ્ત્રો વ્યાહતયસ્થાસામું હ સમૈતાં ચતુર્થીમાંહ.વાચમસ્ય પ્રવેદયતે મહ: વગેરે.)પણ બ્રહ્માજીના ચાર મુખોથી ઉત્તપન્ન થઇ તથા તેમના હૃદયાકાશમાં ૐકાર પ્રગટ થયો.
તેમ ના રોમથી ઉષનિક,ત્વચાથી ગાયત્રી,માસથી ત્રિષ્ટુપ ,સ્નાયુથી અનુષ્ટુપ,અસ્થિઓથી જગતી મજ્જાથી પંક્તિ અને પ્રાણોથી બૃહતી છંદ ઉત્તપન્ન થયા.એમ જ તેમનો જીવ સ્પર્ષવાર્ણ(કવગ આદિ
પજ્ઞવર્ગ )અનેદેહ સ્વરવર્ણ(અકારાદિ) કહેવાયા. તેમની ઇન્દ્રિયોનો ઉષ્મવર્ણ (શ ય સ હ)અને વલકો અંતઃસ્થ (ય ર લ વ )કહે છે,તથા તેમની ક્રીડાથી નિષાદ,ઋષભ,ગાંધાર,ષડજ, મધ્યમ,ધૈવત અને પશ્ચમ- આ સાત સ્વર થયા.હે તાત ! બ્રહ્માજી શબ્દબ્રહ્મસ્વરૂપ છે.તેઓ વૈખરી રૂપથી વ્યક્ત અને ઉંકારરૂપથી અવ્યક્ત છે.તથા તેમનાથી ઉપર જે સર્વત્ર પરિપૂર્ણ પરબ્રહ્મ છે,તેજ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપોમાં દેખાય રહ્યા છે.
વિદુરજી ! બ્ર્હમાજીએ પહેલું કામાસક્ત શરીર જેનાથી કોહરા થયું હતું- છોડ્યા પછી બીજું શરીર ધારણ કરીને વિશ્વવિસ્તારનો વિઆચાર કર્યો,તેઓ જોઈ ચુક્યા હતા કે મરીચિ વગેરે મહાન શક્તિશાળી ઋષિયોથી પણ સૃષ્ટિનો વિસ્તાર વધારે ન થયો ,એટલે તેઓ મનમાં ને મનમાં ફરીથી ચિંતા કરવા લાગ્યા -' અહો ! બ્રહ્મ આશ્ચર્ય છે,મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પ્રજાની વૃદ્ધિ નથી થઇ રહી.માલમ પડે છે તેમાં નસીબ જ કૈક વિઘ્ન નાખી રહ્યું છે.'જે વખતે યથોચિત ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી એવી રીતે નસીબના માટે વિચાર કરી રહ્યા હતા તે જ વખતે તેમના શરીરના અકસ્માતે બે ભાગ થઇ ગયા.'ક'બ્રહ્માજીનું નામ છે તેનાથી જુદા પડવાને કારણે શરીરને 'કાયા' કહે છે તે બંને વિભાગથી એક સ્ત્રી -પુરુષનું જોડું પ્રગટ થયું.તેમાં જે પુરુષ હતો તે સાર્વભોમ સમ્રાટ સ્વાયંભુવ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શતરૂપા થઇ. ત્યારથી મીથુન ધર્મ(સ્ત્રી-પુરુષ-સંભોગ)થી પ્રજાની વૃદ્ધિ થવા લાગી.મહારાજ સ્વયંમભવ મનુએ શતરૂપાથી પાંચ સંતાનો ઉત્તપન્ન કરી.સાધુશિરોમની વિદુરજી ! તેમાં પ્રિયવ્રત અને ઉત્તાનપાદ -બે પુત્ર હતા તથા આકુતિ,દેવહુતિ અને પ્રસુતિ- ત્રણ કન્યાઓ હતી.મનુજીએ આકૃતિનો વિવાહ રુચિ પ્રજાપતિથી કર્યો ,વચલી કન્યા દેવહુતિ કર્દમજીને આપી અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને આ ત્રણ કન્યાઓની પ્રસુતિથી આખો સંસાર ભરાય ગયો.
તેરમો અધ્યાય
વરાહ અવતારની કથા
શ્રી શુકદેવજીએ કહયું -રાજન ! મુનિવર મૈત્રેયજીના મુખથી આ પરમ પુજયમયી કથા સાંભળીને શ્રી વિદુરજીએ ફરીથી પૂછ્યું,કેમકે ભગવાનની લીલાકથામાં તેમનો અત્યંત અનુરાગ થઇ ગયો હતો.
વિદુરજીએ કહ્યું - મુનિ ! સ્વમ્ભુ બ્રહ્માજીના પ્રિય પુત્ર મહારાજ સ્વાયંભુવ મનુએ પોતાની પત્ની શતરૂપાને મેળવીને પછી શું કર્યું ? આપ સાધુશિરોમણી છો.આપ મને આદિરાજ રાજર્ષિ સ્વંભૂવઃ મનુના પવિત્ર ચરિત્ર સંભળાવો.તેઓ વિષ્ણુભગવાનના શરણાપાત્ર હતા,એટલે એમનું ચરિત્ર સાંભળવામાં મને ખુબ જ શ્રધ્દ્ધા છે.જેમના હૃદયમાં શ્રીમુકુંદના ચરણાર્વિન્દ વિરાજમાન છે,તે ભકજનોના ગુણોને સાંભળવા જ મનુષ્યોના ઘણા જ લાંબા સમયના કરેલા શાસ્ત્રભ્યાસના શ્રમનું મુખ્ય ફળ છે,એવો વિધ્નોનો શ્રેષ્ઠ મત છે.
શ્રી શુકદેવજી કહે છે- રાજન ! વિદુરજી શાસ્ત્રશીર્ષા ભગવાન શ્રી હરિના ચારણાશ્રિત ભક્ત હતા.તેમણે જયારે વિનયથી ભગવાનની કથા માટે પ્રેરણા કરી ત્યારે મુનિવર મૈત્રેયજીના રોમે રોમ ખીલી ઉઠયા.તેમણે કહ્યું.
શ્રી મૈત્રેયજી બોલ્યા - જયારે પોતાની ભાર્યા શતરૂપાની સાથે સ્વાયંભુવ મનુનો જન્મ થયો,ત્યારે તેમણે ખુબ જ નમ્રતાથી હાથ જોડીને શ્રી બ્રહ્માજીને કહ્યું -‘ભગવન ! એકમાત્ર તમો જ બધા જીવોના જન્મદાતા અને જીવિકા આપનારા પિતા છો.તે ઉપરાંત અમે આપની સંતાન એવું કયું કર્મ કરીએ, જેનાથી આપની સેવા થઇ શકે?
પૂજ્યપાદ ! અમો આપને નમસ્કાર કરીએ છીએ. આપ અમોને થઇ શકે તે યોગ્ય કોઈ એવા કામ માટે આજ્ઞા આપો જેનાથી આ લોકમાં અમારી બધે જ કીર્તિ થાય,અને પરલોકમાં સદ્દગતિ મળે.
શ્રી બ્રહ્માજીએ કહ્યું-તાત ! પૃથ્વીપતિ ! તમારું બંનેનું કલ્યાણ થાઓ,હું તમારાથી ખુબ જ પ્રસન્ન છું,કેમકે તમે નિષ્કપટ ભાવથી 'મને આજ્ઞા આપો 'એવું કહીને મને આત્મસમર્પણ કર્યું છે.વીર ! પુત્રોને પોતાના પિતાની આ રૂપમાં પુંજા કરવી જોઈએ.તેમને તે જ શોભે છે જે બીજાના તરફ ઈર્ષ્યાનો ભાવ ન રાખીને જ્યાં સુધી થઇ શકે,તેમની આજ્ઞાનું આદરથી સાવધાની સાથે પાલન કરવું.તમે તમારી આ ભાર્યાથી પોતાના જેવી જ ગુણવાન સંતતિ ઉત્તપન્ન કરીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો,અને યજ્ઞો દ્વારા શ્રી હરિની આરાધના કરો.રાજન ! પ્રજાપાલનથી મારી મોટી સેવા થશે અને તમને પ્રજાનું પાલન કરતા જોઈને ભગવાન શ્રી હરિ પણ તમને પ્રસન્ન થશે.જેના પર યજ્ઞમૂર્તિ ભગવાન પ્રસન્ન નથી થતા,તેની બધી જ મહેનત નકામી જાય છે,કેમકે તે તો એક પ્રકારે પોતાના આત્માનો જ અનાદર કરે છે.
મનુજીએ કહ્યું- પાપના નાશ કરનારા પિતાજી ! હું આપની આજ્ઞાનું પાલન જરૂર કરીશ,પણ તમો આ જગતમાં મારુ તેમજ મારી ભાવિ પ્રજાનું રહેવા માટેનું સ્થાન બતલાવો. દેવ ! બધા જીવોનું નિવાસસ્થાન પૃથ્વી અત્યારે પાણીમાં ડૂબેલી છે.આપ તે દેવીના ઉદ્ધારનો પ્રયત્ન કરો.
શ્રી મૈત્રેયજીએ કહ્યું - પૃથ્વીને આવી રીતે અપાર જળમાં ડૂબેલી જોઈને બ્રહ્માજી લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે,
'એને કેવી રીતે કાઢું.'જે વખતે હું લોકરચનામાં લાગેલો હતો,તે સમયે પૃથ્વી પાણીમાં ડૂબી જવાથી રસતાલમાં જતી રહી.અમે લોકો સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત છીએ એટલે,તેના માટે અમારે શું કરવું જોઈએ ? હવે તો,જેમના સંકલ્પમાત્રથી મારો જન્મ થયો છે,તે શ્રી હરિ જ મારુ આ કામ પૂરું કરે.'
નિષ્પાપ વિદુરજી ! બ્રહ્માજી આવી રીતે વિચાર કરી રહ્યા હતા કે તેમના નસ્કોરામાં અકસ્માત અંગુઠાના બરાબર આકારનો એક વરાહ શિશુ નીકળ્યો.ભારત ! મોઅત આશ્ચર્યની વાત તો તે થઇ કે આકાશમાં ઉભેલો તે વરાહ શિશુ બ્રહ્માજીના જોતા જોતા તો મોટો થઈને હાથીના જેવો થઇ ગયો.તે વિશાલ વરાહ શિશુને જોઈને મરીચિ વગેરે મુનિજન,સનકાદિઅને સ્વાયંભુવ મનુ ની સાથે બ્રહ્માજી જાત જાતના વિચાર કરવા લાગ્યા.-
અહો ! સુવ્વરના રૂપમાં આજે આ કોણ દિવ્ય પ્રાણી અહીં પ્રગટ થયું છે ?કેવું આશ્ચર્ય છે ! આ હમણાં જ મારા નાકથી નીકળ્યું હતું.પહેલા તો તે અંગુઠાના ટેળવા જેવું દેખાતું હતું પરંતુ એક જ ક્ષણમાં મોટી ભારે શીલા જેવું થઇ ગયું જરૂર યગ્નમૂર્તિ ભગવાન આપણા લોકોના મનને મોહિત કરી રહ્યા છે.બ્રહ્માજી અને તેમના પુત્રો આવી રીતે વિચારી રહ્યા હતા કે ત્યાં ભગવાન યગ્નપુરુષ પર્વતાકાર થઇ ગર્જવા લાગ્યા.સર્વશક્તિમાન શ્રી હરિએ તેમની ગર્જનાથી દિશાઓને પ્રતિધ્વનિ કરીને બ્રહ્મા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને હર્ષથી ભરી દીધા.પોતાનો ખેદ દૂર કરનારી માયામય વરાહ ભગવાનની ઘુરઘુરાટીને સાંભળીને તે જનલોક,તપલોક,અને સત્યલોક નિવાસી મુનિગણ ત્રણે વેદોના પરમ પવિત્ર મંત્રોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.ભગવાનના સ્વરૂપોના વેદોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યા છે,એટલે તે મુનીશ્વરો એ જે પ્રાર્થના કરી ,તેને વેદરૂપ માનીને ભગવાન ખુબ પ્રસન્ન થયા અને એકવાર ફરીથી ગરજીને દેવતાઓના હિતને માટે ગજરાજ જેવી લીલા કરતા કરતા પાણીમાં ઘુસી ગયા.પહેલા તે સુવ્વર રૂપ ભગવાન પૂંછડી ઉઠાવીને ઘણા જ વેગથી આકાશમાં ઉછળ્યાઅને પોતાની ડોકના વાળને ફટકારતા ખૂરોના આઘાતથી વાદળોને વિખેરવા લાગ્યા . તેમનું શરીર ખુબ જ કઠોર હતું ત્વચા ઉપર કઠણ કઠણ વાળો હતા,દાઢો સફેદ હતી,અને નેત્રોથી તેજ નીકળી રહ્યું હતું,તે વખતે તેમની ખુબ શોભા દેખાઈ રહી હતી.ભગવાન જાતે યજ્ઞપુરુષ છે તે ઉપરાંત સુવ્વર રૂપ ધારણ કરવાને કારણે પોતાની નાકથી સૂંઘી સૂંઘીને પૃથ્વીને શોધવા લાગ્યા.તેમની દાઢો ખુબ જ કઠોર હતી.આવી રીતે ક્યારેક તે ખુબ ક્રૂર દેખાતા હતા,છતાં પણ તેમની પ્રાર્થના કરનારા મરીચિ વગેરે મુનિયો તરફ ખુબ જ સૌમ્ય દ્રષ્ટિથી નિહાળતા તેમણે પાણીમાં પ્રવેશ કર્યો.
જે વખતે તેમનું વ્રજમય પર્વત જેવું કઠોર કલેવર પાણીમાં પડ્યું,ત્યારે તેના વેગથી જાણે સમુદ્રનું પેટ ફાટી ગયું,અને તેમાં વાદળોની ગડગડાટ ના જેવો મોટો ભયંકર શબ્દ બન્યો.તે વખતે એવું દેખાતું હતું,જાણે પોતાની કસેલી તરંગરૂપ ભુજાઓને ઉઠાવીને તે મોટા આર્તસ્વરમાં 'હે યજ્ઞેશ્વર ! મારી રક્ષા કરો !' એવી રીતે પોકારી રહ્યો હોય. ત્યારે ભગવાન યગ્નમૂર્તિ પોતાના બાણના જેવા તીક્ષણ ખરીઓથી પાણીને ચીરતાં તે અપાર જળરાશીને તે પાર પહોંચ્યા ત્યાં રસાતળમાં બધાજ જીવોની આશ્રયભૂત પૃથ્વીને જોયા,જેને કલ્પાન્તમાં સુવા માટે ઉદ્યત શ્રી હરિએ જાતે તેમના પેટમાં લિન કરી દીધા હતા.
પછી તે પાણીમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢોમાં લઈને રસાતળથી ઉપર આવ્યા.તે વખતે તેમની ખુબ શોભા થઇ રહી હતી.પાણીમાંથી બહાર આવતા તેમના માર્ગમાં વિઘ્ન નાખવા માટે મહાપરાક્રમી હિરણાક્ષયે પાણીમાં જ તેમની ઉપર ગદાથી આક્રમણ કર્યું.તેનાથી તેમનો ક્રોધ ચક્રના જેવો તીક્ષણ થઇ ગયો,અને તેમને તેને લીલાથી જ એ રીતે મારી નાખ્યો,જેમ સિંહ હાથીને મારી નાખે છે.તે વખતે તેના લોહીથી ઠુંઠની તથા કાનપટ્ટી સાની જવાથી તે એવા લાગતા હતા જાણે કોઈ હાથી લાલ માટીના મોટા ટેકરામાં ટક્કર મારીને આવ્યો હોય.તાત ! જેમ હાથી પોતાના દાતો પર કમળનું
ફૂલ ધારણ કરી લે,તેવી રીતે પોતાના સફેદ દાંતોની નોક ઉપર પૃથ્વીને ધારણ કરીને પાણીમાંથી બહાર નીકળતા,તમાલ જેવા નીલવર્ણ વરાહ ભગવાન જોઈને બ્રહ્મા,મરીચિ વગેરે ને ખાતરી થઇ કે આ ભગવાન જ છે.ત્યારે તેઓ હાથ જોડીને વેદવાક્યોથી તેમની પ્રાર્થના કરવા લાગ્યા.
ઋષિયોએ કહ્યું- ભગવાન અજિત ! આપની જય થાઓ,જય થાઓ ! યજ્ઞપતિ ! આપ આપના વેદત્રયી રૂપ વિગ્રહને ફટકારી રહ્યા છો,આપને નમસ્કાર હો ! આપના રોમ કુંપોમાં સંપૂર્ણ યજ્ઞ લિન છે.આપને પૃથ્વીનો ઉદ્ધાર કરવા જ આ સુવ્વરનું રૂપ લીધું છે.આપને નમસ્કાર છે.દેવ ! દુરાચારીઓને આપના આ શરીરના દર્શન થવા અત્યંત કઠિન છે કેમકે તે યજ્ઞરૂપ છે.
તેમની ત્વચાથી ગાયત્રી વગેરે છંદ,રોમાવલીમાં કુશ,નેત્રોમાં ઘૃત તથા ચારો ચરણોમાં હોતા,અધ્વર્યુ,ઉદ્દગાતા અને બ્રહ્મા-આ ચારે ઋષિયોના કર્મ છે.ઈશ ! આપની થુંથની (મુખનો આગળનો ભાગ)માં શ્રુક છે,નાસીકાછિદ્રોમાં સ્તૃવા છે,પેટમાં ઈડા(યાજ્ઞિય ભક્ષણપત્ર )છે,કાનોમાં ચમસ છે, મુખમાં પ્રાશ્ચિત્ર (બ્રહ્મભાગપાત્ર),છે અને કંથછીદ્રમાં ગ્રહ(સોમપાત્ર)છે.ભગવન ! તમારું જે ચાવવાનું છે,તેજ અગ્નિહોત્ર છે.બાર બાર અવતાર લેવા યજ્ઞસ્વરૂપ આપની દિક્ષણીય દ્રષ્ટિ છે,ગરદન ઉપસદ (ત્રણ ઇષ્ટિયો)છે,બંને દાઢો પ્રાયણીય( દીક્ષા પછીની ઇષ્ટિ) અને ઊદનીય (યજ્ઞસમાપ્તીની ઇષ્ટિ) છે,જિહવા પ્રવમરય(દરેક ઉપસદની પહેલા કરવામાં આવતું મહાવીર નામનું કર્મ)છે,સિર સભ્ય
(હોમરહિત અગ્નિ)અને આવસધ્ય( ઔપાસનાગ્નિ)છે તથા પ્રાણ ચિતિ (ઈષ્ટકાચ્યન)છે.દેવ ! આપનું વીર્ય સોમ છે, આસન(બેઠક) પ્રાપ્ત:સવનાદિ ત્રણ સવન છે.સાતેય ધાતુ અગ્નિષ્ટોમ, અત્યંગ્નિષ્ટોમ,ઉકય,ષોડશી ,વાજપેય,અતિરાત્ર અને આપ્તોર્યામ નામની સાત સંશ્થાઓ છે.તથા શરીરની સંધીયો(સાંધા),સંપૂર્ણ સત્ર છે.આવી રીતે આપ સંપૂર્ણ યજ્ઞ (સોમરહિત યાગ)અને ક્રતુ
( સોમસહિત યાગ) રૂપ છે.યજ્ઞાનુષ્ઠાન રૂપ ઇષ્ટિયો આપના અંગોને મેળવી રાખનારી માંસપેશીયો છે.બધાજ મંત્રો,દેવતા,દ્રવ્ય,યજ્ઞ અને કર્મ આપના જ સ્વરૂપ છે.આપને નમસ્કાર છે.વૈરાગ્ય,ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે,તે આપનું જ સ્વરૂપ છે.તથા તમો જ વિદ્યાગુરુ છો,તમોને વારંવાર પ્રણામ છે.પૃથ્વીને ધારણ કરનારા ભગવન ! આપની દાઢોની નોક પર રાખેલી આ પર્વત વગેરેથી છવાયેલી પૃથ્વી એવી સુશોભિત થઇ રહી છે,જેમ વનમાંથી નીકળીને બહાર આવેલા કોઈ હાથીના દાંતો પર પત્રયુક્ત કમલીની રાખી હોય.આપના દાંતો પર રાખેલા ભૂમંડળો સાથે આપનો આ વેદમય વરાહ વિગ્રહ એવો સુશોભિત થઇ રહ્યો છે,જેમ શિખરો પર છવાયેલી મેઘમાલાથી કુલપર્વતની શોભા થાય છે.નાથ ! ચરાચર જીવોને સુખપૂર્વક રહેવા માટે આપ પોતાની પત્ની આ જગતમાતા પૃથ્વીને પાણી ઉપર સ્થાપિત કરો.આપ જગતના પિતા છો,અને અરણીમાં અગ્નિસ્થાપન ની જેમ આપે એમાં ધારણશક્તિરૂપ આપનું તેજ સ્થાપિત કર્યું છે.
અમે આપને તથા આ પૃથ્વીમાતાને પ્રણામ કરીયે છીએ.પ્રભુ ! રસાતળમાં ડૂબેલી આ પૃથ્વીને કાઢવાનું સાહસ આપના સિવાય કોણ કરી શકવાનું હતું.પરંતુ તમો તો સંપૂર્ણ આશ્રયોના આશ્રય છો,તમારા માટે તે કોઈ આશ્ચર્યની વાત નથી. તમેજ તો આ આખાય વિશ્વની આપની માયાથી રચના કરી છે.જયારે આપ આપના વેગમય વિગ્રહને હલાવો છો,ત્યારે અમારા ઉપર આપના ગરદન ઉપરના વાળોથી ઝરતી ઠંડી બૂંદો પડે છે.ઈશ ! તેનાથી ભીંજાઈને અમે જનલોક ,તપલોક અને સત્યલોક માં રહેનારા મુનિજનો કાયમ માટે પવિત્ર થઇ જઇયે છીએ.જે પુરુષ આપના કર્મોની પાર પામવા ચાહે છે,જરૂરથી તેની બુદ્ધિ નષ્ટ થઇ ગઈ છે,કેમકે આપના કર્મોનો કોઈ પાર જ નથી.તમારી જ યોગમાયાના સતવાદી ગુણોથી,આ આખું જગત મોહિત થઇ રહ્યું છે.ભગવન ! આપ તેનું કલ્યાણ કરો.
શ્રી મૈત્રેયજી કહે છે-વિદુરજી ! તે બ્રહ્મવાદી મુનિઓએ આવી રીતે પ્રાર્થના કરવાથી,બધાની રક્ષા કરનારા વરાહ ભગવાને પોતાની ખરીઓથી પાણીને સ્તંભિત કરીને તેના પર પૃથ્વીને સ્થાપિત કરી દીધી.એવી રીતે રસાતળથી લાવેલી પૃથ્વીને પાણી પર મૂકી તે વિશ્વકસેન પ્રજાપતિ ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા.
વિદુરજી ! ભગવાનના લીલામય ચરિત્ર ખુબ જ કીર્તનીય છે,અને તેમાં લાગેલી બુદ્ધિ બધાજ પ્રકારના પાપ-તાપોને દૂર કરી દે છે.જે પુરુષ તેમની મંગલમયી પવિત્ર કથાને ભક્તિભાવથી સાંભળે અથવા સંભળાવે છે તેના તરફ ભક્તવત્સલ ભગવાન અંતલસ્થળથી તરત જ પ્રસન્ન થઇ જાય છે.ભગવાન તો બધી કામનાઓને પૂર્ણ કરવામાં સફળ છે.તેમના પ્રસન્ન થવાથી સંસારમાં શું દુર્લભ છે.પરંતુ તે નકામી કામનાઓની જરૂર જ શું છે ? જે લોકો તેમનું અનન્ય ભાવથી ભજન કરે છે,તેમને તો તે અંતર્યામી પરમાત્મા પોતે જાતે તેમનું પરમ પદ જ આપી છે.અરે ! સંસારમાં પશુઓને છોડીને પોતાના પુરુષાર્થનો સાર જાણનારા એવો કોણ પુરુષ હશે,જે અવન જવનને છોડાવનારી ભગવાનની પ્રાચીન કથાઓમાંથી કોઈ પણ અમૃતમય કથાને પોતાના કાનોથી એક વાર સાંભળીને પછી તેના
તરફથી મન હટાવી લેશે.
વધુ તૃતીય સ્કંધ મે મહિનાની ૧૫ મી તારીખે
આ પોસ્ટ જમણી બાજુના કોલમમાં ફેબ્રુઆરી માસના (૧) કોલમમાં માં ઉપલબ્ધ છે,પ્રિય વાચકો.આપનો અભિપ્રાય તેમજ સૂચન જરૂર આપશો.
આભાર.
આ સાથે મારી નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.
હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,
મહેન્દ્ર ભટ્ટના જય શ્રીકૃષ્ણ.