Friday, March 15, 2024

મોગરા ના ફૂલ ( પ્રકરણ દસમું ,સત્સંગ) અહીં ક્રમશ:


મોગરા ના ફૂલ


પ્રકરણ દસમું               

સત્સંગ

 રણજીત સાથે છુટા પડ્યા પછી ભગત સીધો બહાર ઉભેલી રીક્ષામાં બેઠો સ્થાન બતાવતા મીટર ઝીરો કરી ચાલકે રીક્ષા ગતિમય કરી,ઘણા સમય પછી ભગત શહેરમાં આવ્યો હતો,રીક્ષામાં માતાજીનો ફોટો લાગેલો હતો તેના ઉપર નાનો હાર ચઢાવેલો હતો,ભગતને  ખુશી થઇ,"માતાજીમાં માનો છો...!"સ્વાભાવિક રીતે ભગતે પ્રશ્ન કર્યો 

"હા ભાઈ તેની કૃપાથી રોજી રોટી મળી જાય છે"અને ચર્ચામાં પ્રશ્ન ઉમેરાયો,"સારા પૈસા મળે છે....?" જવાબ આપતા ચાલકે કહ્યું " પૈસામાં તો એવું છેને ક્યારેક પેસેન્જરો સતત મળ્યા કરે ત્યારે ધંધો ચાર પાંચ કલાકમાં થઇ જાય ને ક્યારેક બેસી રહેવું પડે ત્યારે તકલીફ પડે પણ ભાડું થઇ જાય"અને ભગતે પૂછ્યું "ભાડું એટલે...?"ચાલકે કહ્યું "આ તો મારી પોતાની રીક્ષા છે,પણ મોટે ભાગેની રીક્ષા ભાડે ફરતી હોય છે,એટલે ચાલકે માલિકને નક્કી કરેલું ભાડું રોજ આપી દેવાનું " ચાલક સારો હતો,ભગતના સવાલના વ્યવસ્થિત જવાબ આપતો હતો, ચાલતી રીક્ષાના ચાલક સાથે વાત કરતા કરતા ભગતે તેનું નામ પૂછી લીધું,માતાજીનો  ફોટો જોઇને તેને ખુબ માન  થયું,પેલાએ જગદીશ   કહી તેની ઓળખ આપી,અને પાછળ જોઈ તેનું નામ પૂછ્યું અને "ભગત " જવાબ આવતા તો તે હસ્યો કહ્યું"ભગતજી ઉમર તો નાની છે ને ભક્તિ કેમની લાગી"અને ભગત પણ હસ્યો આમ મૂળતો મારું નામ મહેશ છે પણ ભૈબંધોએ મને ભગત બનાવી દીધો,"અને જગદીશ બોલ્યો,"ભગતજી ભક્તિના કૈક  અંશ  હોય તો આવું નામ પડે"  રીક્ષા ચાલતી રહી ને બંને વચ્ચે સંવાદ ચાલતો રહ્યો,” ભગતજી મને લાગે છે આપણે  એકજ રસ્તાના મુસાફર છીએ,બંને ધાર્મિક,તો  હજુ તમારી લોજ આવવાને વાર છે માતાજીના નામે કૈક ધર્મ વિષે કહો,"અને તરતજ ભગત મોટેથી હસીને બોલ્યો " અરે યાર હું કૈ કથાકાર થોડો છું,માતાજીનું નામ લીધું એટલે હવે કૈક કહેવું પડશે,નરસિંહ  મેહ્તાનું નામ સાંભળ્યું છે..?" "હા ,હા આપણા  આદિ કવિ" જગદીશે તરત જવાબ આપ્યો,"તો એના વિષે થોડુક જાણું છું તો ચાલશે"અને જગદીશે પાછળ જોઈ તરત કહ્યું "ચાલશે હું દોડશે,આવો  લાવો ક્યારે મળે,ઘેર બેઠા ગંગા"આ બે ત્રણ વખત તેણે  પાછું જોઇને જવાબ આપ્યો એટલે ભગતે હસતા હસતા ટકોર કરી "જગદીશ ભાઈ રીક્ષા સાચવીને ચલાવજો,નહિ  તો કઈ થશે તો ભલા ભગતોની રક્ષા ભગવાનને કરવાની ઈચ્છા હશે તો પણ કઈ કરી નહિ શકે"અને તરતજ જવાબ આવ્યો,"સવાલ જ નથી ,ભગતજી બે ફિકર રહેજો,આ ધંધામાં છું ત્યારથી કોઈ એક્સીડેન્ટ નથી," "તો સારું,આતો  મને થયું સલામતી પહેલી પછી બીજું બધુંખરુંને,"અને જગદીશ બોલ્યો"તમે તમારે મહેતાજી વિષે ચાલવા દો "અને ભગતે શરુ કર્યું" તો સાંભળો,આ મહેતાજી,ગુજરાતના પહેલા કવિ,કૃષ્ણ ભગવાનના મહા ભક્ત,ભગવાનમાં  બહુ વિશ્વાસ,તે ચૌદસો ચૌદમાં તળાજા ગામ સૌરાષ્ટ્રમાં જન્મેલા તેમના માતા દયાકુવર  ને પિતાનું નામ કૃષ્ણદાસ હતું,તેમના લગ્ન માનેક્બાઇ સાથે થયેલા,પાંચ  વરસે માં-બાપ ગુમાવ્યા પછી દાદીએ તેમને મોટા કર્યા, ચૌદસો ઓગણત્રીસમાં તેમના લગ્ન થયા પછી તેમના ભાઈ સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યા,તેમને બે સંતાન થયા પુત્ર શામળદાસ અને પુત્રી કુંવરબાઈ આ મેહતાજી  નાગર  બ્રાહ્મણ  પણ તેમને ભાભી બહુ પરેશાન કરતા મેણા  ટોણા મારે એટલે એક વખત સહન ન થતા મેહતાજી ઘર છોડી નજીકના વનમાં  મહાદેવજીનું તપ  કર્યું ત્યાંથી પ્રેરણા મળી તે વૃંદાવન ગયા ત્યાં કૃષ્ણ ની રાસ લીલા વગેરે ઉપર પંદરસો જેટલા પદો  લખ્યા,ખુબ માન  પામ્યા પછી જુનાગઢ પાછા આવી ભાભીને પગે પડી ગયા,ખુબ આભાર માન્યો,કુટુંબ સાથે ગરીબીમાં જીવન જીવતા જીવતા કરતાલ લઇ ભજન ગાતા,પછાત વર્ગ સાથે બેસી ભજન ગાતા એટલે નાગર બ્રાહ્મણો  તેનો વિરોધ કરતા ,બધા લોકો તેમની મશ્કરી કરતા,એક વખત એવું બન્યું કે કેટલાક 

ભક્તો વૃંદાવન ની જાત્રા એ જતા વચ્ચે જુનાગઢમાં અટક્યા,લાંબે જવાનું ને રસ્તામાં લુટારા લુટી લે એટલે હુંડી લખાવવાનું સ્થાન શોધતા હતા ત્યાં મહેતાજીના વિરોધીઓએ મહેતાજીનું નામ કહ્યું એટલે આ ભક્તો મહેતાજીને  મળ્યા,અને પૈસા આપી હુંડી લખવાનું કહ્યું એટલે ઘરમાં પાંચ દહાડાથી અનાજ નહોતું પણ મહેતાજી સંમત થયા,માંનેક્બાઈ તેમના પત્ની તેમને કહેવા લાગ્યા આપને વૃન્દાવનમાં તો કોઈ પેઢી નથી ને હૂંડીના પૈસા કોણ આપશે,એની ચિંતા આપણે નહિ કરવાની શામાંલશાની  પેઢીમાં  શામળાને  તેની ચિત્યા,કુટુંબને ભેગું કરો ને કરો જમણવાર,આવા વિશ્વાસુ ભગતે શામળામાં વિશ્વાસ મૂકી હુંડી લખી આપી,લોકોએ ખાઈ પી ને જલ્ષા કર્યા,કહેવાય છે કે તે વખતે પેલા ભક્તો નરસિંહ મહેતાની હુંડી વટાવવા વૃન્દાવનમાં  શામળશાની   પેઢી શોધવા લાગ્યા પણ ક્યાય મળી નહિ લોકોએ કહ્યું કે એ નામની તો કોઈ પેઢીજ  નથી,તમે છેતરાયા છો ભાઈ,અને ભક્તો પૈસા વગર નિરાશ થઇ યમુના કિનારે બેઠા ચિંતા કરતા હતા ત્યાં,મંદિર બાજુથી પાઘડી પહેરેલા એક વેપારી બુમો પાડતા આવ્યા,અલ્યાં  ભાઈ કોઈ શામળશાની હુંડી લઈને આવ્યું છે હું ક્યારનો શોધું છું ભાઈ મારી નોકરી જશે,અને પેલા ભક્તો ઉભા થયા ને હુડી આપી,શામળાએ હુંડી લઇ પૈસા આપી દીધા,ભક્તો ખુશ થયાને ને ભલા મહેતાના ભગવાને મહેતાની ભક્તિનો સ્વીકાર કરી તેની લાજ રાખીમહેતાજીની વાત પૂરી કરી   ભલે ભગતે ચર્ચાને બહુ મહત્વ ન આપ્યું હોય પણ જગદીશે તેને એક નાનો સત્સંગ માન્યો,તે ખુબ ખુશ થયો,સારી વસ્તુ હતી,માણસના જીવનમાં ક્યારે સત્સંગ આવે કઈ ખબર ન હોય પરંતુ સારા વિચારોની ટેવ ગમે ત્યારે સત્સંગની સહભાગી બની જતી હોય છે અને તે હકીકત છે,તેમ જગદીશ આવા અચાનક આવેલા નાના સત્સંગથી ખુબ ખુશ હતો,કથાઓમાં કહેવામાં આવતું હોય છે કે ભગવાન ભક્તને ક્યારે અને કયા રૂપમાં મળે  તેની ખબર નથી હોતી,પણ મળવાનો હોય તો સત્સંગથી તેની શક્યતાઓ વધી જતી હોય છે માટે સત્સંગ કરો,જગદીશ રીક્ષા ચલાવતો હતો પણ તેના આ ધંધામાં માતાજીની કૃપાથી ઉભા થતા સત્સંગી વાતાવરણથી જગદીશ ખુશ હતો,ખુશી કે સદા ખુશ રહેવું એ સારા જીવન માટે ખુબ અગત્યનું છેઅઘરું છે પણ સદા સત્ય  છે,ત્યાતો થોડીવાર માં પટેલ લોજ આવી ગઈ, જગદીશે સત્સંગ માટે ભગતનો આભાર માન્યો ,ભગતે ભાડું ચુકાવવા  ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું,અને જગદીશના  મોઢામાંથી અવાજ આવ્યો "શું કરોછો ભગતજી," અને ભગત અવાક બનીને હાથમાં રહેલા પાકીટમાંથી પૈસા કાઢી ,હાસ્યની મુદ્રામાં જગદીશને જોઈ રહ્યો,"ભગતજી મુકો પાકીટ ગજવામાં,બેસો  અને હું કહું તે તમે સાંભળો," "નાં હું હવે નહિ બેસું,તમારે શું કહેવું છે..?" ભગતે નજર સ્થિર કરી પૂછ્યું,"જુઓ ભગતજી સત્સંગ માટે જ્યાં કથા ચાલતી હોય ત્યાં જવું પડે,અને તમે કથાકાર નથી ,તમારા મિત્રોએ મજાકી મુડમાં તમને ભગતજી બનાવી દીધા છે,બધું બરાબર,પણ આ જે તમે સત્સંગ કર્યો તેનાથી મારી ખુશીનો  કોઈ પાર નથી,વિનતી કરીને કહું છું કે તમે આ પૈસા કોઈ જગ્યાએ દાન કરી દેજો,તો મને પુણ્ય પ્રાપ્તિ થશે," અને જગદીશની આ રજૂઆતથી ભગતે તરત કહ્યું,"તમારે કુટુંબ છે ને આ તમારી રોજી રોટી છે,સારા વિચાર છે પણ દાન કરવું હોય તો તમારે કરવાનું,ભાડું  તો લેવુજ પડે એમાં તમારી વિનંતી  ન સ્વીકારાઈ,"અને ભગતે વીસ રૂપિયાની નોટ આપી દીધીબાર રૂપિયા થતા હતા,"સારું તો સત્સંગ તમારા તરફથી થયો તો પ્લીઝ ભગતજી ખાલી પાંચ રૂપિયા આપો" 'જુઓ જગદીશ ભાઈ આ વીસની નોટ રાખો,ફરીવારનો  કોઈ સત્સંગ કરીશુંક્યારેક મળીશું તો, "અને તો ના ભાર હેઠળ ભગતે વીસની નોટ આપી ચાલવા માંડ્યું,નારાજગી હતી પણ ધીરા અવાજે જગદીશે જૈશ્રી કૃષ્ણ કહી આદર કર્યો,ગમે એમ તે ભગતના સત્સંગથી ખુશ હતો,રીક્ષા ગેરમા નાખી એટલે ચાલવા માંડી પણ લોજ બાજુથી અવાજ આવ્યો "એયરીક્ષા,રોક ભાઈ,રોકખાલી છેનેસ્ટેસન લઇ લે" "હા ,કાકા" હાથમાંનો સામાન રીક્ષામાં મૂકી એક વૃદ્ધ કાકા રીક્ષામાં બેઠા,જગદીશને લાંબુ ભાડું મળ્યું,તેણે  તેને સત્સંગનો પ્રભાવ કહ્યો,માતાજીના ફોટાને હાથ અડાડી મસ્તકે ચડાવી રીક્ષા ગતિમાન કરી.ક્યા સુધી રહેશે આ સત્સંગનો પ્રભાવ એતો જગદીશ જાણે પણ ધંધા ઉપર પ્રભુની કૃપા અવશ્ય દેખાતી હતી,  પટેલ લોજમાં દાખલ થતા પહેલા ભગતે છેલ્લી નજર નાખી, રીક્ષા ત્યાં ન હતી,લોજના ધ્યાનમાં થોડીવાર પહેલા થયેલો સત્સંગ ભુલાઈ ગયો,આખુને આખું દ્રશ્ય બદલાઈ ગયું,આખરે ભગત લોજમાં દાખલ થયો ,મેનેજરની ડેસ્ક સામે હતી,હસીને ભગતે પોતાનો પરિચય આપી રતિલાલને મળવાનો પોતાનો હેતુ બતાવ્યો,મેનેજરને ભગતની ખાતરી થતા બેઠક ઉપર બેસવા કહ્યું,રતિલાલના રૂમનો કોન્ટેક કરી ભગત વિષે કહ્યું,સંમતિ મળતા ભગતને રૂમનો નંબર આપી અંદર જવા દીધોરતિલાલનો રૂમ પહેલા ફ્લોર ઉપર હતો,ભગત સીડી ચઢી રૂમ શોધતો જતો હતો અને એક રૂમનું બારણું ખુલ્લું હતું,તેમાં એક સ્ત્રી અને બે પુરુષો વાતો કરતા હતા,અચાનક ભગતની નજર મળતા,ભગતે હસીને માન આપ્યું,પણ સામેથી માન  ન આવ્યું, ઉપરથી બધા ઘૂરકીને  ભગત સામે જોવા લાગ્યા,ભગતને માણસો બરાબર ન લાગ્યા,પણ મન મનાવી તે ચાલવા લાગ્યો,ત્યાં પેલી સ્ત્રી બોલી,"હાઈ"અને મોટેથી હસી,ભગત બને તેટલી ઝડપે ત્યાંથી ખસી ગયો,જાણે એકદમ ભાગ્યો,હજુ પાંચ દસ મિનીટ પહેલા તો સત્સંગની મોજમાં હતો અને જગદીશ જાણે તેનો દાસ બની ગયો હતો,જાણે કોઈ ભગવાની તત્વ તેની રીક્ષામાં ઉપસ્થિત હતું,અને અહી,આટલી બધી ભારે નજર,ઉપસેલા ઓરામાં કોઈ કહેતું હતું અહી તો દાનવો છે ભાગ ભગત નહિ તો....!!,નહિ તો...શું..કશું સલામત નથી,આ રૂમથી ખસી જા ભાગ અને ખબર નહિ પણ, અહી તેને આટલો બધો ડર કેમ લાગ્યો,રતિકાકા  મળશે અને મને જોઇને ખુશ થઇ જશે એવા વિચારો મન પર હજુ તાજા જ હતા, અને તેને ભાગવું પડ્યું,ક્યારે રતિકાકાનો રૂમ આવે તેની ચિંતામાં બીજા કોઈના રૂમ ઉપર ભૂલથી પણ નોક ના થઇ જાય તેની તકેદારી રાખતો રાખતો તે ભાગતો રહ્યો  ને પાછળ રહી ગયેલા રૂમ તરફ જોતો જોતો તે સાચા રૂમ પર આવી ગયો તેણે નોક કર્યું ને રતિકાકાએ બારણું ઉઘાડ્યું,તેના ચહેરાની લાલાશે રતિકાકાને ચિંતા થઇ રૂમની બહાર નજર કરી ત્યાં કોઈ ન હતું,બારણું બંધ કરી ભગતને પૂછ્યું "શું થયું ભગત,તું પરેશાન લાગે છે," "એક મિનીટ કાકા,...."ભગતની પરેશાની જાણવા પ્રયત્ન  કરતા રતિકાકાને રોકી ભગત બોલ્યો," કાકા અહી બધા કેવા માણસો છે,"અને " આ કેવો સવાલ  છે ભગત,કોઈએ  તને કશું કહ્યું,ચલ એક મીનીટમાં તેનો નિકાલ કરી દઈએ" "નાં નાં,કાકા રહેવા દો,આપણે અહી સલામત છીએ,ભગત છું પણ ભક્તિ નથી,એતો જગદીશ માટેજ સત્સંગ હશે....!!"અને કાકા તેને જોતા રહ્યા"ભગત,તું ખુબ પરેશાન છે લે થોડું પાણી પી ને કહે મને શું થયું "અને ભગતે કહ્યું "કાકા,હમણાં તો દસ મિનીટ પહેલા મઝાનો સત્સંગ કર્યો ને અહી આવતો હતો તો એક ઓરડાના માણસોએ મારો રંગ બદલી કાઢ્યો,"અને કાકાએ શાંત કરતા કહ્યું,"ભગત,અપમાન ભલ ભલાના રંગ બદલી કાઢે,આ લોજ છેટોળામાં જેટલા માણસો હોય ને કોઈ કોઈને ઓળખતું ન હોય એવું અહી છે,તું આવ્યો અને તને પરેશાની થઇ જ્યારે હું અહી કેટલાય વખતથી છું કોઈ પરેશાની નહિજેની નજરનો ભાર તેની જીત"ભગત હજુ શાંત ન હતો,"કાકા મને એ કહો કે ઉઘાડો ઓરડો હોય ને તમે ત્યાંથી પસાર થાઓ,તો તમારી નજર ત્યાં તમારી  ઈચ્છા  ન હોય તોય જાય ખરું કે નહિ,અને નજર મળ્યા પછી લોકો ધુરકે ને અપમાન કરે તો..."અને કાકાએ કહ્યું"તમારી તરફ જ્યારે નજર મળે ત્યારે જ નક્કી થઇ ગયું હોય કે તમારું અપમાન કરવું કે નહિ અને પછીજ કોઈ તેવું વર્તે,પણ એમાં પડવું નહિ કેમકે એ બધા લગભગ એક સરખા હોય,લોકોને હેરાન કરવામાં તેમને કોઈ શરમ નહિ,અને ઉઘાડા  ઓરડાની તમારે શું ચિંતા જ્યારે તમારે ત્યાં જવું જ ન હોય,પણ છોડ બધું અને બીજી વાત કર"અને ભગતે મન મનાવ્યું,  "કાકા,તમે મને હજુ સહેવાગની માફક બધી બાજુથી જુઓ છો પણ કાકા તમારી કોઈ વાતને અમે અવગણી નથી કેમકે તમારી વાત અમારા સહુના ભલા માટેજ હોયને,કાકા તમે મહાન છો"અને  કાકા હસ્યા," હવે તને એમ થશે કે કાકા કેમ હસ્યા,પણ હસવું આવે એવી વાત છે,સહેવાગે,એક વખત તારી માફક જ કહી નાખ્યું હતું,તેની નાદાનીમાં તેને ખબર નહિ કે કેટલી મોટી વાત હતી,પણ તકલીફ એવી હતી કે તેને સમજાવવા મારે માટે મુસીબત થઇ ગઈ હતી,ન બોલાય કે તેની વાતથી ન હસાય,અને કસોટીમાં ગોથા મારતા મારા મનમાં શૂન્યાવકાશ આવી ગયો હતો મારી આંખો શૂન્યથી ભરેલા આકાશ તરફ જોતી,સ્થિતિ ઉપર કાબુ કરવાનો પ્રયત્ન કરતી હતી" અને કાકાએ  ભગત બાજુ જોયું,અને એકધ્યાનથી સાંભળી રહેલા ભગતે વાત અટકી એટલે તરત હસીને કહ્યું " પણ પછી કાકા શું થયું...?"અને તરત જવાબ આપતા કાકા બોલ્યા " પછી શું થાય,કઈ થયું હોય તો કહુંને," ભગત એકીટશે કાકાને જોઇ રહ્યો"તો કાકા,તમે પણ મઝાક કરી શકો છો," તરત જવાબ આપ્યો,"મઝાક તો મઝાક પણ ભગત નાં મૂડને ફેરવી શકતી હોય તો મઝાક પણ મહાન છે"અને ભગત ઉભો થઈને કાકાને ભેટી પડ્યો" કાકા તમે મહાન છો," કાકા બોલ્યા "એ તો તારી કાકી વાત વાતમાં કહેતી હોય છે હવે કૈક નવું કહેવાનું ચાલુ કરો,કાકા કરતા કાકાના ભત્રીજા પણ એટલાજ મહાન છે "ભગતે ભીની આંખોને બાંયથી લુછતા કહ્યું"એટલે તો કાકાના ભત્રીજા કાકાથી હજુ દુર જવાનું પસંદ કરતા નથી," અને કાકાએ વાતને ફેરવતા કહ્યું" ભગત તને ખબર છે આજે બળેવ છે," અને ભગતે કહ્યું"કાકા મારે તો બેન નથી પણ રાખડી બાંધવામાં બેનનો પ્યાર જોઈએ પણ તે ન હોય તો પ્યારના નામ ઉપર ગમે તે રાખડી બાંધે તો ચાલેને"કાકા ભગતની હોશીયારીમાં દાખલ થયા " બેન ન હોય તો સ્મૃતિ તારી બેનજ છેને,સહેવાગને રાખડી બાંધશે તો તને પણ એને બે ગીફ્ટ મળશે,પણ બેનના હકમાં પ્યારને ક્યા દાખલ કરે છે,કોઈ મલી ગયું છે કે શું...?,ભગતજી,છુપા રુસ્તમ," ભગતની બોલતી બંધ થઇ અને કાકાની સામે તેની ડોકીએ હાલીને હકાર ને બે ત્રણ વખત હલાવ્યો,"લેઆમ કાકાના ખુબ વખાણ કરે છેને,કાકાને જ આટલી મોટી વાતથી દુર રાખ્યા છે,તું તો કહેતો હતો કે તમારાથી શું છુપાવવાનું અને....કોણ  છે એ સહભાગી...?!!"શરમે થોડોક પરેશાન ભગતે કહ્યું " નાનકી..."અને કાકાએ નમીને તેની આંખમાં આંખ પરોવતા કહ્યું "વાહ ભગત,વીરસિંહ ને ખબર છે," અને ભગતે સાચી વાતને ખોલી,"હજુ કાકી સિવાય કદાચ  તેની માં ને 

ખબર છે,પણ નાનકી પૂરે પૂરી મારા જીવનમાં આવવા સંમત છે."અને કાકાએ નોધ લીધી આ વાત મઝાક  નહોતી "અચ્છા તો,અહી કાકા ને ત્યાં કાકીનો સહારો લેવાય છે...!"અને ભગત બોલ્યો" એવરીબડી લવ કાકાને કાકી"કાકા બોલ્યા "બેટમજી હવે તો કહેવુજ પડશે,નહિ તો વીરસિંહ થી કોણ બચાવશે,"ઘભરાતમાં કાકાના રૂમમાં દાખલ થયેલો ભગત કાકાના આરોહ અવરોહમાં લીન બની પોતાની વાત સુધી ખેચાઈ આવ્યો,બળેવના બેન ભાઈના પ્યારના મોટા તહેવારે  ભુદેવો પવિત્ર જનોઈને આજના દિવસે માં ગાયત્રીમાં મન એકાગ્ર કરી નવી જનોઈ પોતાના અંગ ઉપર અંગીકાર કરે છે,તે પણ એક આ દિવસની મહાનતા છે,આમ તો હિન્દુઓના દરેક તહેવારો મહાન છે,દરેકને પોતાનો આગવો એવો ઈતિહાસ છે,જેમકે હોળી,તેમાં લોકો તેના તાપથી પોતાના અંગો શેકે છે અને શરીરનો જામી ગયેલો કફ ઓગાળે છે,તેમાં વિજ્ઞાન સમાયેલું છે,ઋષિ મુનીઓએ દરેક તહેવારોમાં વિજ્ઞાનને સમાવીને ખુબજ કાળજી પૂર્વક તહેવારોની રચના કરી છે,તેને અનુસરતું નવું જનરેશન તેને સહેલાઈથી આપોઆપ અનુસરે, અને તંદુરસ્ત રહે, ભારતના ઋષીઓ મહાન છે, મહાનતાની વાતોમાં ખોવાયેલા કાકા અને ભગત મશગુલ હતા ત્યાં પટેલ આવ્યા અને કાકાએ ઉભા થઈને આવકાર આપતા કહ્યું"આવો આવો મણીભાઈ,અને ખુરશી ખસેડતા કહ્યું,"બેસો"મણીભાઈ બેઠા અને બોલ્યા"આ તો મને થયું કાકાના મહેમાન બરાબર આવી ગયા કે નહિ તેની તપાસ કરતો આવું ને ચા નાસ્તા માટે પૂછતો આવું "કાકામને એક વાત બતાવો જે મારા મનમાં ક્યારની ગુચવણ ઉભી કરે છે,મારું અત્યાર સુધીનું માનવું એવું કે તમને મળવા આવતા મહેમાનોમાં મને ક્યારેય ઉમર દેખાતી નથી બધાજ લગભગ યુવાન તમને મળવા આવે છે,એમ કેમ...!?"અને ભગત અને કાકા બંને હસ્યા"મણીભાઈ,તમને મારી ઈર્ષા તો નથી આવતી ને,મારા શરીર ઉપર ઉમરે દેખાવ કર્યો છે,પણ મારું મન ઘરડા થવામાં માનતું નથી,એટલે જુવાનીયા બધા સમજે છે કે અમારા પ્રશ્નોનું નિદાન ફક્ત એકમાત્ર કાકાજ છે,એટલે ખેચાઈ ખેચાઈને બધું  જોબન અહી ખેચાઈ આવે છે,અને એકલા મેલ નહિ ફીમેલ હોત,એટલે તમારા રડતા મને એ નોધ ન લીધી હોય તો લઇ લેજો,હવે એક વાત કહું કે તમારો પ્રશ્ન ઉકેલાવાને બદલે વધારે ગુચવાયો તો તેમાં કોઈ ઉકેલ નથી કેમકે મારો પ્રભુ મારે માટે એવી રીતે  સદા ખુશ છે.બોલો હવે કઈ કહેવું છે....!"અને કાકા સતત હસતા ભગતને ગોદો મારી મણીભાઈ તરફ જોઈ રહ્યા,મણીભાઈ બોલ્યા" હવે એટલુજ કહેવાનું સદાબહાર કાકા સદા માટે જુવાન રહે,એવી અમારી સુભેચ્છા"અને મણીભાઈ પણ હસ્યાઅને તરત કાકા ભગતને સંબોધતા બોલ્યા"જો ભાઈ ભગત આ મણીલાલ લોજના મેનેજર ,આવ્યો ત્યારથી મારી સેવામાં એવા તો પડી ગયા છે કે તમે બધા પાછા પડી જાઓ,સમયસર નાસ્તો,જમણ  ને નવરા પડ્યા એટલે પાછી કાકાની દેખરેખ"અને તરત ભગત બોલ્યો" મણીભાઈ,અમારા કાકાજ એવા છે કે આખું ગામ તેમની દેખરેખ રાખે,અમારા કાકા જો અમારા ગ્રુપમાંથી કોઈને કઈ થયું એટલે એવા તો ચિંતામાં પડી જાય કે કાકીને કહીને તરત જ આવી જાય અને કાકી પણ એવા કે તરત કહે તમે જલ્દી જાઓ ને અહીની ચિંતા ન કરતા,અને કાકા નીકળી પડે,પરદુઃખભંજન,કાકાની વાહે વાહે અમે પણ તરત પહોચી જઈએ," અને ભગતને બોલતો રોકી કાકા બોલ્યા" મણીભાઈ,કાકાના વખાણથી પેટ ભરાવવાનું નથી એટલે હમણાં તો ચાને ખારી  મોકલો એટલે ભગત સાથે મજા લઈએ" આટલું  કહ્યું એટલે તરત ઉભા થઈને ભગત સાથે હાથ મિલાવી મણીભાઈ જવા તૈયાર થયા અને ભગતે કહ્યું"બેસો તો ખરા,હમણાં તો આવ્યા"અને કાકા બોલ્યા"આપણે એકલા નથી કે મણીલાલ બેસે,એ તો બિચારા આપણા  માટે દોડ્યા જ કરે છે,"અને "દોડ્વુંજ પડેને કાકા વારેઘડીયે થોડા આવવાના છે તે સેવા કરવાનો લાભ મળે"એટલું કહેતા તો તે જતા રહ્યા,થોડીવારમાં  ચા નાસ્તો આવ્યો એટલે ભગતે થોડીવાર પહેલાની વાત ,નરસિંહ મહેતાના વિષયથી જગદીશ કેટલો ભાવિક બની ગયો હતો તેની વાત કરીને કાકાનું મન બહેલાવ્યું,કાકાને પણ ખુબ આનંદ થયો,પણ પછી હસતા હસતા તેમણે કહ્યું" ભગત તને ખબર છે હું રોજ સવારે તેમના ભજન સાંભળું છું અને એક ભજન તો ખાસ,જાગીને જોઉં તો જગત દિશે નહિ ઊંઘમાં અટપટા ભોગ જાગે।...સાંભળ્યું છે તેઅને ભજનની મજા તો ત્યાં આવે કે મહેતાજી કહેતા કહેતા એમ કહી દે છે કે "ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવા અંતે તો હેમનું હેમ હોયે," એટલે મહેતાજીએ આ ભજન રચીને ઘણી મોટી વાત કહી નાખી છે,"ભાવુક થયેલા કાકા ભજનના પ્રભાવમાં કેટલા બધા પ્રસન્ન દેખાતા હતા તે ભગતે પહેલી વખત અનુભવ્યું,સવાલ એ હતો કે કઈ વાત કાકા નહોતા જાણતા કાકા દરેક વાતથી અનુભવી હતા, "કાકા તમે તો જબરી મઝા લો છો,મને લાગે છે કે જો તમે પ્રધાન બનવાનું વિચારો તો તેમાય તમને સફળતા  મળે, " અને કાકા ભગત સામે જોતા બોલ્યા,"હવે કાકાને ગંદા પોલીટીક્સનો રસ્તો બતાવ્યા વગર તારું એકાએક્નુ પ્રોયોજન સમજાવીશ...?1"ભગત મશ્કરીના મુડમાં હોય તેમ "હવે કાકીની યાદ આવી લાગે છે,"કાકાએ જવાબ આપતા કહ્યું "હવે તો તમારે મઝા લેવાની,પણ એ મઝા બગાડતા કહું કે ચાર દિવસની ચાંદની ને ભગતજી પાછળ અંધારી રાત,એટલે ..."ભગતે વાત કાપતા કહ્યું"તમારી સલાહ પ્રમાણે ભૂતને ભૂલી ભાવિને શાને યાદ કરવું,અંધારી રાત તો આવતા આવશે પણ ચંદા  જેવી ચાંદનીની મઝા ન લઈએ,"અને કાકાની નજર સામે જ્યાં ચંદા આવી ત્યાં ભગતની નજર ઝુકી ગઈ પણ ચંદા હવે હકીકત હતી તો શરમથી ક્યા સુધી ઝુક્યા કરવું પણ ચંદાની યાદ સાથે તેણે  કહેલી એક વાત યાદ આવી ગઈ અને મઝાક મસ્તીના મુડ ઉપર ગંભીરતાનું આવરણ છવાઈ ગયું,કાકા તરફ એ ગંભીર બનેલો ચહેરો ફેરવાયો અને કાકાએ પ્રશ્ન કર્યો"શું વાત છે ભગત ..?"ભગતે કહ્યું" કાકા ચંદા એ જ્યારે મારામાં પૂરો વિશ્વાસ મુક્યો ત્યારે તેને મુઝાવતો પ્રશ્ન કહેતા બોલી ,ભગત વીરસિંહ છોકરીના મોહમાં એવો તો ફસાયો છે ઘરમાં બધાને ચિંતા થવા લાગી છે," અને કાકાને રતન અને કાવેરી વચ્ચેના ઉગ્ર સંવાદ વચ્ચે વીરસિંહ ની વાત યાદ આવી ગઈ અને તરત જ તેમના મનમાં સવાલ ઉઠ્યો અને તે પણ થોડા ગંભીર બન્યા,"હાભગત એ એક ગંભીર સમસ્યા છે  અને મને પણ ખબર નથી પડતી કે વીરસિંહ તેમાં સફળ થાય." અને ભગતે કહ્યું" કાકા એની તમને ખબર છે...?"માથું હલાવતા કાકા બોલ્યા" હા,રતન અને કાવેરી વચ્ચે ની ચર્ચા  પછીની મારી તારવણી  છે,એ મોહમાં છે પણ છોકરી નથી,સમજવું સારું નહિ તો બરબાદીહજુ તેની સાથે મુલાકાત થઇ નથી પણ મળશે તો સમજાવીશ" અને ભગત બોલ્યો  "કાવેરી રતનની ફ્રેન્ડ છે...!!" કાકા હસ્યા અને કહ્યું "એમાં અવળું છે,કાવેરી મોહમાં છેને રતન પાછો પડે છે,એટલે અહી બેઠો બેઠો આ બધું જોયા કરું છું પણ તારી માફક સો ટકાની મહોર નાં મંડાય ત્યાં સુધી કશું કહેવાય નહિ,"કાકાની વાતથી ભગતે પણ જાણ્યું કે અહી કોલેજની વાત જ કઈ જુદી છે,ખેરજીવન છે તો વાતો તો બનવાની જ છે પછી તે કોઈની પણ હોય,હકીકતનો સ્વીકાર કરીને ચાલતા રહેવાનું.બીજું શું...  "ભગત,જ્યારે આટલા બધા લોકોમાં આપણું જોડાય ત્યારે સબંધોનું   સર્જન થાય અને પછી  તે વધતા જાય,સારા નરસા ગમે તેવા સમયમાં લાગણીથી તેની માવજત થાય હવે આપણે  માટે વીરસિંહનો વિષય એકદમ ચિંતાજનક છે,તે માણસ   પોતાની વાતથી કેટલો બધો ભાંગી પડ્યો હશે કે જે પોતાના કહેવાતા કુટુંબ માટે પણ ચિંતાનો વિષય બની જાય,અરે કુટુંબ કરતા પણ પોતાની જાત પર પણ તેની અસર થાય ત્યારે શું વિચારાય જાણે  દુનિયા તેને માટે તો પૂરી થઇ ગઈ,અને જે વિષયથી તે હેરાન થતો હોય તે વિષય માટે તે વિષય સિવાય તેને બીજું કશુજ ન દેખાય,આપણે  કરીએ તો શું કરીએ,સામે મળે તો કહેવાય કે ભાઈ દુનિયા તો ત્યાની ત્યાજ છે બસ તારી ચિંતા અને તારો વિષય તારા મનમાં શૂન્ય થઇ ભળી ગયો છે,શું ખોવાઈ ગયું છેકે આટલે સુધી આવ્યા પછી બધા ભૂલાઈ  ગયા છે,ખેર,એનો પણ ઉપાય કરીશું,વીરસિંહ એક દિવસ ફરીથી ખુશ દેખાશે,જગનની ચિંતામાં અહી સુધી આવેલા આપણે  તો એક અજાણ્યા મુસાફરની માફક જ કહેવાઈએ,પણ સવાલોનો ઉકેલ તો થવોજ જોઈએ અને તે થશે,જરૂર થશે."કાકાની તરફ કાન માંડીને સાંભળી રહેલા ભગતે જ્યારે રતન નું નામ આવ્યું એટલે કાકાને કહ્યું"હવે જગનનો પ્રશ્ન તો કાકા ઉકેલાઈજ ગયો છે,એનો સંદેશો તો હું લઈને આવ્યો છું"અને કાકાએ કહ્યું "એમ એ કેવી રીતે ઉકેલાયેલો કહેવાય" કાકાના સવાલ ઉપર ભગત બોલ્યો""એની જે પહેલા સગાઇ થઇ હતી ,તે છોકરીના ફાધરે આવુ થવાથી તોડીને તેનો આફ્રિકાના એક છોકરા સાથે વિવાહ કર્યો છે,અને શેઠના કોઈ મિત્ર કે જે હાલમાં જગનને ત્યાં છે તેમની છોકરી સાથે વિવાહનું લગભગ નક્કી છે ,બસ જગન અને છોકરી 'હાકહે તો બંને પાર્ટીને કોઈ વાંધો નથી"કાકા બોલ્યા "એ છોકરીનું નામ શું છે"અને ભગતે કહ્યું "નામ તો મને ખબર નથી"અને કાકા નિરાશ થયા "નામ હોત તો ખબર પડી જાત,પણ વાંધો નહિ આજે રતન જગનને લઈને આવવાનો છે,એટલે  ખબર પડશે,ત્યાં સહુ મઝામાં છેને" અને ભગતે કહ્યું "હા,કાકા"ભગતના જવાબ સાથે કાકાએ ચાનો છેલ્લો ઘુંટડો ભર્યો ,ભગત નાનકી સાથેના સબંધ જ્યારે વીરસિંહ ને ખબર પડશે ત્યારે શું સ્થિતિ હશે તે વિચારમાં ઉતરી પડ્યો,કેમકે વીરસિંહ અહીજ હતો અને તેને કદાચ ખબર પણ પડશે પણ કાકાની હાજરી છે એટલે કૈક જુદુજ હશે,જે થાય તે,બારણાં  ઉપર ટકોરા કરી વળી પાછા મેનેજર પટેલ આવ્યા,પુછવા લાગ્યા,કઈ જોઈતું હોય તો અને સાથે સાથે કહેતા ગયા,બાજુમાં ત્રણ ચાર પછીના રૂમમાં ડ્રગના અનુસંધાનમાં પોલીસ આવી છે,એટલે કદાચ તમને કોઈ સવાલ પૂછે તો,કઈ જાણતા નથી એવુજ કહેજો,કેમકે પોલીસના લફરામાં પડ્યા પછી છુટાય નહિ" અને કાકાએ તરતજ કહ્યું "પટેલ ભાઈ અમે કઈ જાણતા જ નથી પછી એનો સવાલ જ નથી થતોને....!"અને પટેલે તરત કહ્યું "આ પોલીસ ને ઉકેલ ન મળે એટલે આજુબાજુવાળા  બધાને પુછતાછ કરે,હું  ત્યાજ જાઉં છું પણ આ તો મને થયું તમને કહેતો જાઉં "અને કાકાએ પટેલનો ચેતવ્યા બદલ આભાર વ્યક્ત કર્યો અને પટેલ ગયા,ભગત બોલ્યો"કાકા હું નહોતો કહેતોકૈક ખોટું છે,હું તો ગભરાઈ ગયો હતો"અને કાકાએ ભગતને રોકતા કહ્યું " ભગત એ વાતને રહેવા દે,ભીતને પણ કાન હોય છે,"અને ભગત ચુપ થઇ ગયો,કેમકે ભગત એ બાબતમાં હજુ નાદાન હતો. બળેવ પછી જન્માષ્ટમીનો કૃષ્ણ  જન્મનો તહેવાર ઘણો ધૂમધામથી મનાવવામાં આવે છે,હિંદુઓ આ દિવસે ઉપવાસ કરી રાત્રે ઝૂલામાં શણગારેલા બાલકૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવી "હાથી ઘોડા પાલખી જય  કનૈયા લાલકી " નાં મોટા નારા સાથે ઉત્સવ મનાવી ઉપવાસના પારણા રાત્રે બાર વાગે કરતા હોય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે અરસામાં જેલની પ્રથા ચાલુ થઇ એવું માનવામાં આવે છે,એ પહેલા રામરાજ્યના સમયમાં કારાવાસનો કોઈ ઉલ્લેખ નથી એવું સંતોનું મંતવ્ય છે,કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં યાદવ કુળમાં રાજકુમારી દેવકી અને વસુદેવ ને ત્યાં આઠમા બાળક તરીકે થયો,જેમાં સંતો અને પુરાણના  મંતવ્ય મુજબ કહેવાય છે કે,મથુરા નગરીનો રાજા કંસ  ખુબ પાપાચારી હતો એટલે આકાશવાણી થઇ હતી જેમાં તેની બેન દેવકીનું આઠમું સંતાન તેનો નાશ કરશે એવું સંબોધન થયું હતું તે અનુસાર કંસે દેવકીની પહેલી છ પુત્રીની હત્યા કરી પછી દેવકી અને વસુદેવને કારાવાસમાં રાખ્યા હતા,જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે વિષ્ણુ ભગવાને પ્રગટ  થઇ વસુદેવને યમુના પાર કરી કૃષ્ણને નંદ યશોદા ને ત્યાં ગોકુલમાં લઇ જવા કહ્યું અને ત્યાંથી યશોદાને નવી જન્મેલી બાળકીને બદલામાં લઇ આવ્યા સુચન કર્યું જે કૃષ્ણ માટે ખુબ સલામત હતું ભગવાનના સુચન અનુસાર વસુદેવ એક ટોપલીમાં કૃષ્ણને મૂકી માથે લઇ ભયંકર વરસાદમાં જવા દેવકીની આજ્ઞા લઇ નીકર્યા યમુના નદીમાં પુર હોવા છતાં કહે છે માર્ગ થઇ ગયો શેષનાગે  વરસાદથી કૃષ્ણનું રક્ષણ કર્યું,અને આમ વિષ્ણુ કૃપાથી બધું આપોઆપ થતું ગયું,ગોકુલમાં પહોચ્યા ત્યાં પણ બધા ઊંઘતા હતા એટલે બદલી કરવામાં કોઈ અડચણ ન પડી અને આમ યશોદાની પુત્રીને દેવકીના ખોળામાં લાવીને મૂકી જ્યાં કંસને આઠમા સંતાનના જન્મની ખબર પડી એટલે કંસે બાળકીને દેવકીની કુંખમાંથી ઝુટવી લઇ પત્થર ઉપર પટકી ને મારવાનો પ્રયત્ન કર્યો જ્યાં બાળકી તેના હાથમાંથી છટકી ગઈ  અને ચેતવણી આપતી બોલી કંસ મરવા માટે તૈયાર રહેજે તારો કાળ જન્મ લઇ ચુક્યો છે એટલું કહી અદૃશ્ય થઇ ગઈ તે વિષ્ણુ ભગવાનની એક યોગમાયા હતી કંસ ગભરાયો એના અનુસંધાનમાં તરતના જન્મેલા કેટલાય બાળકોનો સંહાર કર્યો,અને ગોકુલમાં કૃષ્ણ ભગવાનના જન્મની વધાઈ નંદ યશોદા તથા ગોકુળવાસીઓએ મનાવી ત્યાં કૃષ્ણ ભાઈ બલરામ સાથે લીલા કરતા મોટા થવા લાગ્યા જ્યારે કંસને મરણનો ભય સતાવવા માંડ્યો ત્યારે તેણે તેની બેન પૂતના નો ઉપયોગ કરીને તેને ધાવણમાં ઝેર ભરીને મારવા મોકલી જ્યાં બાલકૃષ્ણએ તેના જીવનનો અંત આણ્યો,બાળલીલા કરતા કરતા માખણચોર બની ગોપીયોના દિલ જીત્યા આખું વૃંદાવન ઘેલું થયું,માતા યશોદાને મો ખોલી બ્રહ્મના દર્શન કરાવ્યા,નાગદમન કરી કાળીનાગ ને નાથ્યો અને ભાઈ બલરામની મદદ સાથે તેમણે મામા  કંસનો સંહાર કર્યો. રતિકાકા અને ગોપાલને ભાગવત કથાનો ખુબ રસ હતો જ્યાં જ્યાં ભગવાનની કથા થતી ત્યાં તે બંને જતા,એટલે મિત્રો વચ્ચે પોતાનું કથા વિશેનું જ્ઞાન જ્યારે મોકો મળતો ત્યારે રજુ કરી બધાને ખુશ કરતાએક વખત તો ભગતે સમય અને તેની વાત વિષે એવી રજૂઆત કરી હતી કે કાકા પણ ખુબ પ્રભાવિત થયા હતા,સૂર્ય કરતા પૃથ્વીનું કદ અઢાર ઘણું નાનું અને ચંદ્રનું કદ પૃથ્વી કરતા અઢાર  ઘણું નાનું,એના અનુસંધાનમાં ગીતાની રચનામાં તેના અધ્યાય અઢાર આમ અઢારનો આંકડો ભગવાનની કોઈ ખુબજ ન જાણી શકાય એવી અજાયબી,જે હિંદુ ધર્મમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે,સુરજ ભગવાનની ગતિ પૂર્વમાં ઉગી પશ્ચિમ તરફની હોય પણ તે ગતિ સીધી ન હોય તે જ્યારે દક્ષીણ દિશા તરફ ઢળે ત્યારે તેને દક્ષિણાયન કહે અને જ્યારે ઉત્તર દિશા તરફ ઢળે ત્યારે તેને ઉત્તરાયણ કહેવાય,સાઈઠ પળોની એક મિનીટ,સાઈઠ મીનીટનો એક કલાક, ત્રણ કલાકનો એક પ્રહર થાય,ચાર પ્રહરનો  દિવસ અને ચાર પ્રહરની રાત્રી,આમ આઠ પ્રહરના એક દિવસ- રાત,આવા  સાત દિવસરાતનું  એક સપ્તાહ અને પંદર દિવસનો પક્ષ,બે પક્ષનો એક મહિનો,જેમાં પંદર દિવસ ચંદ્ર ની કક્ષા વધે એ શુક્લ પક્ષ અને પંદર દિવસ કક્ષા ઘટે એ કૃષ્ણ પક્ષ આવા બે મહિનાની એક ઋતુ, વસંત,ગ્રીષ્મ,વર્ષા,શરદ(પાનખર),હેમંત અને  શિશિર. છ ઋતુનું એક વર્ષ,  ,શિયાળો,ઉનાળો  અને ચોમાસુંએ ચાર મહિનાની એક મુખ્ય ઋતુ),દસ વર્ષનો એક દશકો,સો વર્ષનો એક સૈકો,કે જે સામાન્ય રીતે માણસનું જીવવાનું આયુષ્ય,ચાર લાખ બત્રીસ હજાર  આવા વર્ષોનો એક કલિયુગ,આંઠ લાખ ચોસઠ હજાર  વર્ષોનો એક દ્વાપર યુગ ,બાર લાખ છન્નું હજાર વર્ષોનો એક ત્રેતા યુગ અને સત્તર લાખ ત્રીસ હજાર વર્ષોનો એક સતયુગ,આમ ચાર યુગોની તેતાલીસ લાખ બસો હજાર વર્ષોની એક ચતુર્યોગી ચોકડી,આવી એક હજાર  ચોકડી બ્રહ્માજીનો એક દિવસ,આ દિવસ પૂરો થાય ત્યારે બ્રહ્મા સુઈ જાય અને પૃથ્વીનો પ્રલય થાય બ્રહ્માની રાત્રીના એક હજાર વર્ષો પૃથ્વી જીવ વિહોણી રહે,બ્રહ્મા જાગે ત્યારે ફરીથી જીવોનું સર્જન કરે અને આમ તેમનો ક્રમ ચાલ્યા કરે,ત્રણસોને સાઈઠ દિવસનું બ્રહ્માનું વર્ષ,અને આવા એકસો વર્ષ બ્રહ્માનું આયુષ્ય છે જેને હિંદુ ધર્મમાં કલ્પ કહેવામાં આવે છે.આટલી માહિતી ભગતને એક કથામાંથી મળી હતી અને તેની તેણે નોધ કરી રાખી હતી તે કાકાને કહી હતી. કાકા ભગતની ઘણીબધી  વાતોથી તાજ્જુબ થઇ ઘણીવખત તેની સામે એકીટશે જોયા કરતા,પણ આ ભગત અને તેની વાતોમાં તેમને ભોળપણ ખુબ દેખાતું,તે ખબર નહિ પણ તેની પોતાની વાતો કે જે ન કહેવાય એવી હોય તે પણ કાકાને સહજમાં કહી દેતો કાકા ઘણી વખત કહેતા અલા ભોળા ભગત આ બધા તારી  પાછળ પડીને  તારા ભોળપણ નો લાભ લઇ તારી મશ્કરી કરે છે,એટલે આજુબાજુના માણસો જોઇને બોલ્યા કર,પણ ભગત કહેતો કાકા મારી મશ્કરી કરી દુનિયાને મઝા આવતી હોય તો એનાથી વળી મોટો લાભ કયો,કરવા દો  આનંદ,થોકરાતુ  જીવન તો કાલે ખલાશ થઇ જશે,મને કોઈ દુખ નથી થતું,ત્યારે  કાકા કહેતા ભગત દરેક જીવનની સાથે તેની લાગણીયો જોડાઈને તેનું સર્જન થતું હોય છે  તે પ્રકૃતિનો નિયમ છે,એટલે તું ભલે ગમે એટલો મજબુત હોય પણ દિલને દુખ થયા વિના રહેતું નથી,અને છતાં પણ તું તારી વાતમાં સાચો હોય તો તું ભગત નહિ પણ ખરેખરો ભગવાનનો ભગત છેત્યારે ભગત જવાબમાં ખાલી હાસ્યને તરતું મૂકી વાત પૂરી કરી દેતો,પણ કાકાને ગમેતેમ પણ આ ભગતની દોસ્તી બીજા બધા કરતા ખુબજ પસંદ હતી,આજે પણ તે ભગત આવ્યો તેથી ખુબ ખુશ હતા,તેની સાથેના સમાચારની તેમને ઉતાવળ  ન હતી,પણ તેની હાજરીથી તે ખુશ હતા,ભલાની દોસ્તી જે સમજે તે સમજે બાકી હોશિયારીના અભિમાન પાછળ મઝાક કરવાવાળાને તેની શું ખબર પડે તેની પાછળ હોશિયારીના જોરથી મોટું ટોળું ઉભું થઇ જાયને તેની જીત પણ સહેલાઈથી થઇ જાય પણ તેની નજર તો ભલાની મઝાક પાછળ જ પૂરી થઇ જાય,ભલાના ભોળપણથી ભગવાન પણ આકર્ષાયેલાનાં  ઘણા દાખલા ઈતિહાસમાં છે,પણ હોશિયારીના મદમાં તેને તો બધું  જ ખોટું દેખાય,આજે ભગત ખુશ હતો પણ કાકાને ક્યારેક તેના ચહેરા ઉપર કૈક જુદોજ અનુભવ થતો હતો એટલે થોડી ચિંતાનું સમાધાન કરવા તેમણે ભગતને નાસ્તો કર્યા પછી પૂછી લીધું હતું પણ પહેલા હા ના કરતા કરતા ભગતે કાકાની સમશ્યાને સમાધાન કરતા ગળા સુધી આવીને અટકી જતી પોતાની અંગત વાત કાકાને કરી દીધી હતી તેમાં કોઈ ખરાબી તેના જીવનમાં દાખલ થઇ અને ઘર કરવા માંડી એટલે કોઈક ગુરુની આકૃતિએ તેના ડાબા હાથ ઉપર આકૃતિના રૂપમાં દેખા દીધી અને દાઢી  મુછવાલા ગુરુએ તેમની આંખો ઉપર તેમનો જમણો હાથ રાખી આંખો ઢાકી દીધી હોય તેવો દેખાવ હતો અને એ જોયને તે એવો તો ગભરાયો કે તેની ખરાબી ક્યા જતી રહી તેને તેની ખબર ન પડી,અને બદલામાં નાનકી સાથે સબંધ બંધાયો,બસ ત્યારથી મહાદેવના મંદિરના દર્શન તે રોજ કરવા માંડ્યો,અને બીજી વાત એ કરી કે કથામાં એક દાખલો સંતે એવો કહ્યો કે કથા સાંભળીને ઘેર ગયેલા એક ચિત્રકારે શ્રીનાથજીનું ચિત્ર શરુ કર્યું અને ભગવાનનો મુકુટ નું સુશોબન રંગથી કરી બીજું બધું બીજા દિવસ માટે રહેવા દીધું તો રોજ તેને સવારે સુરજ ઉગે ત્યારે ઉઠવાની  ટેવ તેમાં કોક કાળા માણસે સ્વપ્નામાં આવી  મેં તારી પાસે પહેલા કશું માંગ્યું છે,એવું પૂછ્યું પણ તેને યાદ આવ્યું કે આને પહેલા પણ તેણે  કૈક આપ્યું છે,એટલે એને કહ્યું 'હાઅને પેલા કાલિયાએ તરતજ તેની સામે કશુક પિસ્તોલ જેવું ટાંક્યું અને  તે ગભરાય ગયો અને તેનો હાથ પકડી લીધો ને તેની આંખ ઉઘડી ગઈ,

મોગરા ના ફૂલ ( પ્રકરણ  દસમું ,સત્સંગ) અહીં ક્રમશ

જે  માર્ચ માસના પહેલા કોલમમાં ઉપલબ્ધ છે. 

આપનો અભિપ્રાય ખુબ જરૂરી,

આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,જય શ્રી કૃષ્ણ 


Tuesday, October 31, 2023

મોગરા ના ફૂલ ( પ્રકરણ નવમું, ભગતની વિટંબણા ) અહીં ક્રમશ:

 

મોગરા ના ફૂલ



પ્રકરણ નવમું  

ભગતની વિટંબણા          

ભગતને નાનકી અને તેની સખીઓ ભેગી જોતા કૈક બન્યાની શંકા પડી,કેમકે નાનકીના હાવભાવમાં તેના ઉપર સખીઓનો કોઈ જોરદાર હુમલો થયાનું તેને સમજમાં આવ્યું હતું,તે ગુચવાયો આ નાનકીની સખીયો બે શરમ હતી તે ચોક્કસ હતું કેમકે હાસ્યની વચ્ચે તેમની આંખોમાં લુચ્ચાઈ તરી આવતી હતી,વીરસિંહ મિત્ર હતો એટલે ઘણી વખત તે તેને ત્યાં જતો,પણ નાનકી ને એવી નજરથી જોઈ ન હતી,નાનકીની ભૂલ હતી કે આ સખીઓ વચ્ચેથી છૂટી પડી તે તેને યાદ કરાવવા  આવી,પણ વિચારતા વિચારતા હવે પછીની તેની અને નાનકીનાં સબંધોની સ્થિતિએ તેને ગભરાટ  થવા માંડ્યો હતો,અને આ છોકરીયો વાતને કઈથી કઈ લઇ જશે,જ્યાં સુધી બધું સામાન્ય ચાલતું હોય ત્યાં સુધી કઈ વાંધો નહિ પણ આવા નારદવેડા કરીને કોઈના નિર્દોષ સબંધો ઉપર આંગણી ચિંધાય ત્યારે કેમનો કાબુ રાખવો,અને વીરસિંહ સાથેના સબંધો,તેના કાને આવી નકામી વાત પહોચે તો!!!!,તેને તોફાન નો અણસાર દેખાયો ,કોઈ ખરાબી નક્કી હતી,બધું અસમતોલ થતું દેખાતું હતું,અને આ તોફાની ટોળી તેની ને નાનકીની આજુબાજુ જ રહે છે,તેને એક વિચાર આવ્યો હમણાજ નાનકીને જઈને મળવાનો,પણ ત્યાં જવા જાય તો મણીબેન પાસે જવાનું મોડું થાય,જેને દિવસની શરૂઆત આવી થાય તે આખો દિવસ પરેશાન થાય અને પાછું જે કામે જવાનું છે તેમાં ખુશીયોના સમાચાર છે,તો કેમનું થશે,પરાણે ખુશીને ચહેરા પર લાવવા તો કોઈ કલાકાર હોય એને પણ અઘરું પડે,કેટલીય વખત પ્રયત્ન કરે ત્યારે માંડ સફળતા મળે,અને મણીબેન જોતાવેત પારખી જાય તેમની પાસે કેમનું છુપાવવું,ભગત અને નાનકી કેવા નામ કે જેની પાછળ કોઈ વધારે પડતું વહાલનો ઈતિહાસ હોય,કોઈ ચોક્કસ સમૂહ બહુ ખુશ થાય ત્યારે આવા નામનું સર્જન થાય,તેમની પાછળ મુસીબત હાથ ધોઈને પડી હતી,હવે એજ સમૂહ કેમનો વણાંક લેશે,લોકો ઘુરકશે,પથરા પડશે,સૂઝ ખોઈ બેઠેલા ભગતના મનનો ભાર અતિરેક થઇ ગયો હતો,મહાદેવની આજની ભક્તિમાં જરૂર કોઈ ખામીઓ રહી ગઈ હશે,નહિ તો મહાદેવ તો ખુબ ભોળાદેવ,દેવાધિદેવ થોડી ભક્તિમાં પણ રાજી થઇ જાય,એવી લોકોની માન્યતા,તો ભગતને કેમના હેરાન કરે,પણ ભગત હેરાન હતો,ભગત તો  તેનું ઉપનામ હતું પણ ખરેખર મહાદેવ માટે તેને ઘણું જ્ઞાન હતું,ખુબ જાણતો હતો ,એટલે તે સવારમાં મહાદેવની આરતીમાં મંદિરે અચૂક  હાજર રહેવાનો પ્રયત્ન કરતો,આઘાત પ્રત્યાઘાત નાં આવરણ વચ્ચે ક્યારે તે શેઠના ઘર પાસે આવી ગયો તેની ખબર પણ ન પડી,બારણાને ધક્કો માર્યો બારણું ખુલ્લુજ હતું,

  " આવ ભાઈ ભગત,બેસ "મણીબેનના સદાય ખુશ એવા ચહેરાની અનુભૂતિ જોતાવેત શાંત કરે,પણ નાનકીના વારેઘડીયે આવી જતા આવરણ વચ્ચે તે થોડો પરેશાન હતો,તેને કશું જાહેર થવા દેવું નહોતું,પણ શાંત થવાનો તેને સમય જોઈએ,હમણાજ તો તાજો બનાવ બન્યો,જ્યારે મણીબેનની નજર મળી ત્યારે,પ્રશ્ન ઉભો થયો અને દબાણ વધ્યું," ભગત ,બધું બરાબર તો છેને,"અને જવાબ આવ્યો,"હા,કાકી બધું બરાબર છે કેમ,?"ભગત પોતાની જાતને સમતોલ કરતો રહ્યો,"નાભગત કશું બરાબર નથી,"અને મણીબેન તેની બાજુમાં બેસી તેના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા,

"હું તને અને તારા ચહેરાની લાગણીયોને જાણું છું,ભગત મારાથી કઈ છુપાવીશ નહિ જે કઈ હોય તે કહે,તારાથી ન જવાય તો બીજો બંદોબસ્ત કરીશું,તેની તું ચિંતા ન કરતો" અને ભગત થોડીવાર ચુપ રહ્યો " ન જવાય એવી કોઈ વાત નથી કાકી,પણ..." અને  આજુબાજુ કોઈ નથી તેની ખાત્રી થતા તે બોલ્યો " આતો મહાદેવના મંદિર ગયો તો,ને નાનકી પણ આવી હતી તે,હું સુક્લાજી સાથે વાત કરતો હતો,તેણે મને અહી આવવાનું યાદ કરાવ્યું મોડું નાં થાય એટલે, પણ એવું લાગ્યું કે તેની સખીયો તેની મશ્કરી કરતી હતી એટલે હું થોડો પરેશાન થઇ ગયો હતો" જેમ કોઈ દીકરો પોતાની વાત માને કહે તેમ ભગતે કહી નાખ્યું," ઓહ આટલી વાત છે,તેમાં શું વાંધો, સખીયો છે,નાનકી કોઇથી જાય એવી નથી,બહુ મજબુત છે ભગત,અને સબંધોમાં એવું હોય તો હું તને સલાહ  આપું કે કશું ખોટું નથી,મને તો જોડી નો સ્વીકાર છે,"મણીબેનના કહેવા ઉપર ભગતની આંખો સ્થિર થઇ ગઈ,તે અવાક બની ગયો,"પણ કાકી એવી રીતે નાનકીને મેં કોઈ દાડો જોઈ પણ નથી...!!!"અને "જોઈ નથી તો હવે જોજે,નાનકી તેની સખીયો પર ખીજવાઈ હોય તો તેને તારા માટે કૈક લાગણીયો જરૂર હશે,તારી કાકી તારા માટે ક્યારેય કશું ખોટું ના વિચારે તે તું જાણે છે,એટલે એતો સારા સમાચાર છે,તને જોઇને હું પારખી ગઈ હતી કે કૈક ખોટું થયું છે,સારું થયું તે સાચી વાત કહી દીધી,હવે આખો દિવસ શાંતિ લાગશે." અને અલ્કાબેન આવતા વાત રોકી,કાકાને શું કહેવાનું છે તે મણીબેન ભગતને સમજાવવા લાગ્યા,ભગતે વાત સાંભળી પણ તેના મને ક્યારેય નહિ વિચારેલી લાગણીયો ક્યાંકથી શરું થઇ,કોઈ રોમાંસનો અનુભવ થયો,નાનકી એવું વિચારતી હશે,'સબંધ'કાનો માત્ર વગરનો ગુજરાતી શબ્દ તેના માનસપટ ઉપર દબાણ કરીને કોઈક નવી દુનિયામાં તેને ધસેડી ગયો,સીધો સાદો ભગત મણીબેન ની સલાહથી ખોવાઈ ગયો,સાચું ખોટું જે હોય તે પણ તેના મનને કાકીની સલાહ ગમવા લાગી,ઘડીક પહેલા ફરિયાદ અનુભવતો હતો તે પોતે ગુનેગાર બનવા તૈયાર બન્યો,શૂન્યમાંથી સર્જન થયેલી કોઈક અદભુત લાગણીયોથી તે ખુબ ખુશ હતો  શું કહેવાનું અને બીજી બધી માહિતી ભગતે યાદ રાખી લીધી,અને જતા જતા મણીબેન તરફથી આવેલા સ્માઇલને ખુબ ખુશ એવા ભગતે એવોજ જવાબ આપી ત્યાંથી પ્રસ્થાન કર્યું,અલ્કાબેન ત્યાજ હતા પણ વાતાવરણમાં આટલી ખુશી કેમ તે કંઈજ સમજી ન શક્યા,વિચાર આવ્યો પ્રશ્ન કરવાનો પણ કોણ જાણે કેમ હિંમત ન કરી શક્યા,જય શ્રી કૃષ્ણ નો છેલ્લો ઉચ્ચાર બંધ થતા બારણા વચ્ચેથી આવી ઘરના વાતાવરણમાં ભળી ગયો,ભગત બસ સ્ટેન્ડ બાજુ રવાના થયો,વચમાં ચાલતા ભગતને વિચાર આવ્યો હજુ બસને આવવાને ઘણી વાર હતી,નાનકીનું ઘર વચ્ચેજ પડતું હતુંમણીકાકીની સલાહ સાથે કેટલી મજબૂતાઈ છે તે જાણવાનું તેને મન થયું,અને એટલું દબાણ આવ્યું કે તેણે તેને બીજું બધું પડતું મૂકી મુખ્ય સ્થાન પર મૂકી દીધું,રસ્તો બદલાયોસીધો નાનકીના ઘર તરફબીજા વિચારોએ આક્રમણ કર્યું,પેલી સખીયો બારીમાંથી ક્યાંક જોતી હશે તો!!!!,પણ નાનકી ને વાંધો ન હોય તો દુનિયા સાથે લડી લેવા તે તૈયાર હતો,વીરસિંહ તેનો ભાઈ,તેનો ભાઈબંધ હતો,પણ જ્યાં નાજુક સબંધોની વાત હોય ને તેની બેન સામેલ હોય તો,ભાઈબંધી સલામત રહેશે!!,અને ખીજ્વાયેલી નાનકી બારણું ખોલશે ત્યારે કઈ હિંમતથી તે બોલશે,બધા વિચારો તેને પાયમાલ કરવા લાગ્યા,તેની ચાલવાની ગતિમાં થોડી રુકાવટ આવવા લાગી,તેને ઘડીક માટે બસ સ્ટેન્ડ તરફ પાછા જવાનો વિચાર આવ્યો,સીધા સાદા જીવનને અનેક સમશ્યાઓમાં ફસાવવાનું બરાબર ન હતું  પણ કોઈ અજાણ્યા દબાણથી તેની ગતિ ન અટકી,તે ચાલતો રહ્યો,યુવાની જોબન પર હથોડા મારતી હતી,આખરે નાનકીનું ઘર આવી ગયું,બારણા ઉપર લટકતી સાકણને પકડી બે ટકોરા માર્યા,બારણું ખુલતા વાર લાગીખુલ્યું ત્યારે નાનકીની માં દરવાજા ઉપર હતી,થીજેલો બરફ ગરમીથી ઢેફાની માફક સરકી પડે તેમ ભગત પડ્યો,  " આવ ભગત,પણ તું બસમાં જવાનો હતો એવું નાનકી કહેતી  હતી,"હવે જવાબ શું આપવો,થોડોક ગુચવાયો,ન કરે નારાયણ ને નાનકી હાજર થાય," હાપણ નાનકી મંદિરે આવી ત્યારે કૈક પરેશાન દેખાતી હતી,એટલે સમય હતો ને વચ્ચે  ઘર આવ્યું એટલે મને થયું કે પુછતો જાઉં"જવાબ કેમ નો હતો તેની તેને ખબર ન હતી,નાનકીની માં શું વિચારશે તેની પણ ખબર ન હતી,અને નાનકીએ સાંભળ્યો હશે તો શું કહેશે તેની પણ ખબર ન હતી,પણ કૈક કહેવું જોઈએ એટલે તેને જે યોગ્ય લાગ્યું તે કહી દીધું,નાનકીની માં ઘડીક જવાબથી અટકી,કદાચ નાનકી માટેના વિચારે તે ભોથી પડી "સારું ને નાનકી માટે તું ભાવ રાખે છે,પણ તેણે મને કઈ કહ્યું નહિ, " અને નાનકી બહાર આવી  "મંદિરે શું થયું હતું બેટા..!!"અને નાનકીની ભારે નજર ભગત તરફ સ્થિર થઇ,ભગતના જોબનના ઝઝુમતા ઘોડાને લગામ લાગી ગઈ,કોઈક સારા દ્રશ્યની શોધમાં ખેચાઇ આવેલો ભગત હતાશ થઇ ગયો,મણીકાકી સાચા હોય તો નાનકી મારી હાજરીમાં આટલી ગરમ કેમ,અને મારા તરફ ભારે નજર કરવાની જરૂર શું,મેં તો કોઈ ભૂલ નથી કરી હું તો ફક્ત આજ સુધી વીરસિંહની ભાઈબંધીના સબંધે અહી આવતો હતો,તારી સખીઓ તારી મશ્કરી કરે એમાં મારા તરફ આટલો બધો ખીજ્વાટ,હું પણ ખીજવાઈ શકું છું,મન ચકરાવે ચઢ્યું,અરે ભગત,ક્યાંથી ક્યા આવી ગયો,એના કરતા સીધો બસ સ્ટેન્ડ તરફ ગયો હોત તો,હવે ખા લાડવા,જે કામ કરવાનું અગત્યનું હતું એમાય સમય કાઢીને પ્રેમની પરિક્ષા કરવા નીકળ્યો,અલ્યા કૃષ્ણ ભગવાન જાત જાતની હેરાનગતિ કરતા તોય વ્રજની ગોપીયો તેમના પ્રેમમાં સુધ બુધ ગુમાવી દેતી,નાનકી કઈ ગોપી નથી,એટલે જેમ ચઢતા પગલે અહી સુધી આવી ગયો તેમ વળતા પગલે પાછી પાની કરી જા,અત્યાર સુધી કેટલો ખુશ હતો અને નાનકીની  એક નજર તારે માટે કેટલી ભારે પડી,એટલે નરમ થઈને હાઈ હલ્લો જે કઈ કહેવું હોય તે કહીને અહીંથી ચાલતી પકડ,પણ ભગતને બીજી બાજુ વાળતું તેનું મન તેને તેમ કરતા રોક્યો,તે સ્થિર થઇ ગયો,અત્યાર સુધી બારણે સુધી આવ્યો તે નાનકીના હેતુ માટેજ આવ્યો હતો એટલે બારણા ઉપર ટકોરા મારતા પહેલા ગતિને રોકવાની જરૂર હતી હવે તો બારણા ખુલ્લા થઇ ગયા અને નાનકી અને નાનકીની માં બંને હાજર છે,તો પરિસ્થિતિનો સામનો એ એકજ ઉપાય છે,બાકી પાછી પાની કરવી એમાં તો તું ખરેખરો અપરાધી સાબિત થઇશ માટે થોભ,હજુ નાનકીને બોલવા દે,પડશે એવી દેવાશે.અને આ વિચારે તેને થોડો મજબુત કર્યો "ભગત માને તે શું કહ્યું,?!!"લો કહો નાનકી આટલી બેરહેમ,માન અપમાન બધું ભુલાઈ ગયું,માની આગળ ભગતનો દોષહવે તો સમજ ભગત,અપમાનનો ભાર વધતો જાય છે,અપમાન પછીની ક્રિયાઓ સહન કરવાની શક્તિ હોય તો ઉભો  રહે નહિ તો,સરખો જવાબ આપીને પૂર્ણવિરામ મૂકી ચાલતી પકડ,બસનો સમય થતા,તે પણ તારી રાહ જોઇને ઉભી નહિ રહે,તું ક્યાયનો નહિ રહે,  ચારે બાજુના દબાણથી ભગતના શ્વાશની ગતિની ઝડપ વધી,એકવાર એવું લાગ્યું  કે માની હાજરીમાં નાનકીને લાગણી હોય તો પણ કેવી રીતે કહે,એ તેની માં છે,અને જન્મથી તે તેના બંધનમાં છેતારી વસાત કેટલી,સાચું સમજ ભગત,દરેક વાત કહેવાની નથી હોતી,અને નાનકી તો નારી છે,સમજવાનું તારે છે,હજુ કઈ બગડ્યું નથી,નાનકી જે ભગતને જાણતી હતી તે ભગત અત્યારે તેને જુદો દેખાતો હોય,અને સખીયોની હેરાનગતિ તેને પરેશાન કરતી નહિ હોયમાટે વ્યવસ્થિત જવાબ આપતા પહેલા થોડો શાંત થઇ જા,ભગતે હવામાં નીસાસાનો શ્વાસ છોડ્યો,રૂમ મોગરાના ફૂલોની સુગંધથી ભરાઈ ગયો હતો,વાડામાં થયેલા મોગરા ઉપર આજે ખુબ ફૂલો ઉતર્યા હતા એટલે નાનકીની માએ ભગવાનનું મંદિર મોગરાના ફૂલોથી ભરી દીધું હતું,મોગરાનું અસ્તિત્વ એક કુદરતનું  વ્હાલ છે  કે જેની હાજરી માત્રથી ખુશ્બુ રેલાઈ અને આજુબાજુના વાતાવરણને ખુશીયો થી ભરી દે,પછી તે ભગવાનની સેવામાં ચઢે કે,સુંદરીના વાળની શોભામાં વેણી બની સુગંધ ફેલાવે જ્યાં તેની  હાજરી ત્યાં ચારેબાજુ સુગંધ,રંગ સફેદ પણ જલારામ બાપા જેવી વિભૂતિ પણ તેનાથી ખુબ ખુશ,જલારામ બાપાને વ્હાલા મોગરાના ફૂલ,આવા આ ફૂલોનાં વાતાવરણમાં ભગતની સ્થિતિ,સમશ્યા કે સમાધાન,ભગત એ ભક્તિ તરફી  એક શબ્દ એટલે સમાધાન,"માને મેં એટલુજ કહ્યું કે નાનકી પરેશાન દેખાતી હતી"અને નાનકીની નજરોમાં થોડી રાહત, માં બાજુ હળવો વણાંક પણ માં તરફથી કોઈ ફરિયાદ નહિ, “સારું ,હું કઈ હેરાન નથી,પણ તું તારી બસ ચુકી જશેમાટે જવું જરૂરી,"તમે માંથી તું થઇ ટુકાઈ  ગયેલો શબ્દ  અને નાનકીની નજરમાં ભળી ગયેલી ઠંડકથી વહી આવતું હોઠોનું સ્માઈલ,કોઈ નુકશાન નહિ,અજાણ્યા ઉપજેલા સબંધોની મજબુત પક્કડ,માના હૃદયમાં છવાતી ખુશી અને શાંતિ,ભગતનો સફળ પ્રયાશ,"મણીકાકીએ તને યાદ કરી હતી,સમય હોય તો જજે,"એક વધુ મજબૂતાઈ,"જય શ્રી કૃષ્ણકાકી"એક આદર અને ભગતનું પ્રયાણ,જય શ્રી કૃષ્ણ ભગત,સાચવીને જજે"ઘરડી નજરોમાંથી ચરાઈ આવતી લાગણી,બંધ થતું બારણું,બારણાની પુરાતી જગ્યામાંથી નાનકીના ચહેરાની ખુશીયો વચ્ચે નજરોની પરાકાષ્ઠા,અને એવોજ ભગતનો પ્રત્યાઘાત,"આવજે "અને નાનકીના હાથના ઇશારે બધ થયેલુ બારણું,મોગરાની છેલ્લી સુગંધ વચ્ચે ભગતનું બસ માટે પ્રયાણ,  ભગત બારણાની બંધ થવાની છેલ્લી પળોમાં નાનકીના સુમુધુર સ્માઈલને માણતો ચાલતો રહ્યો,આવજેના ઈશારામાં હલતો હાથ કોઈ ગજબ સ્વપ્નામાં લઇ ગયો,એ હાથનો સ્પર્શ થયો હોત તો....!!!,તો કોઈ ફિલ્મી સવાદમાં ફેરવીને કહેત તારા હાથો ખુબ સુંદર છે જેને સ્પર્શ કરે તેને જીવવાનું  શીખવી દે છે,તેનો એક ઈશારો મારા જીવનને ધન્ય બનાવવા જઈ રહ્યો છે,નાનકી,લોકો પોતાનું તકદીર હથેળીઓમાં શોધવાનો પ્રયત્ન કરે છે પણ મારી તકદીર તો તારા હાથોમાં છે અમીરી ગરીબીના કોઈ તફાવતની  જરૂર નથીબીજા કોઈ તફાવતની જરૂર નથી,સંતોષની દુનિયામાં જીવી લઈશું,અમીરીની ઈમારત અને સાધનો જેના હોય તેને મુબારક,તે તેનું નસીબ છે,તે ભભકતી દુનિયાના રંગથી દુર રહીશું,સંતોષી જીવનમાં જીવન રસની મીઠાશ છે,નાનકી બસ તું તારું માધુર્ય હવે ઓછું થવા ન દેતી,ખોવાઈ ગયેલો ભગત સ્વપ્નોની દુનિયામાં હતો કે તંદ્રાવસ્થામાં,પણ આંખો રસ્તો જોતી હતી અને એ ચાલ્યો  જતો હતો,આજુબાજુ બીજું બધું  તેની નજર બહાર હતું,બંધ થતા બારણે અટકેલી નજર કદાચ બસના દરવાજે ઉઘડે એવી તેની પરિસ્થિતિ હતીઅતિશયોક્તિ ક્યારેક નહિ પણ કાયમ જીવલેણ નીવડતી હોય છે,મધને તેની માત્રામાં લેવાય તો ગુણ કરે,ક્યારેય દુધની માફક ન પીવાય,પણ ખોવાયેલાને શીખામાણ કોણ આપે,બરાબર બસ સ્ટેન્ડે પહોચ્યો ને બસની ઘંટડી વાગી તે દોડ્યો બસનું બારણું બંધ થાય તે પહેલા તે બસમાં ચઢી ગયોકાળજી રાખતો કંડકટર બોલ્યો "કેમનું છે ભગત,કેમ દોડવું પડ્યું ?"હવે આને ક્યા જવાબ આપવો પણ મૂંગા રહેવામાં પણ ફાયદો નહોતો કેમકે બસ ગામના બીજા ઘણા માણસોને લઈને જતી હતી,એમાં જો કોકની નજર પાછી શંકા કરવા માંડે,કેમકે કૈક બન્યું  હોય એટલે નજર પણ શંકાશીલ બની ગઈ હોય અને જે કોઈ જુએ તે બધા જાણે દુશ્મન,જ્યાં સુધી કોઈની સાથે વાતચીત ન થાય ત્યાં સુધી સારું,એટલે તેને જવાબ આપી દીધો,"દોડ્તે નહિ તો તમે મારે માટે ઉભા થોડા રહેવાના હતા,દોડ્વુંજ પડેને " અને ચર્ચા અટકી નહિ"હોય કઈ ભગત,તને તો હું ઓળખું છું,પણ મારી નજર બહાર જ હોય,છેલ્લામાં છેલ્લા પેસેન્જરને આ બસ લઈને  જાય."અને  તે હસ્યો,હવે ભગતને ચર્ચા વધારવામાં રસ નહોતો એટલે ખાલી જગ્યામાં હસીને બેસી ગયો,ઘણા બધા ગામના હતા એટલે કોઈ ઓળખતા પણ હશે,પણ ભગતને આજુબાજુ જોવામાં પણ રસ નહોતો,બારી બહાર જોતો રહ્યો,પણ તેને ખબર નહોતી,કે આવી વર્તણુક લોકોની ઇન્તેજારી ખુબ વધારી દેતી હોય છે,કેમકે તે હવે સામાન્ય વ્યક્તિ નથી પણ લોકોની નજરોમાં કોઈક એક શંકાશીલ છે,અને એવુજ થયું તેની બાજુની જગ્યા ખાલી હતી,તેમાં એક દરબાર આવીને બેસી ગયા અને તેની સામે જોઈ હસ્યા,"કેમ ભગત,આજે શહેર બાજુ...? "કેમથી શરુ થતા બધા પ્રશ્નો હવે તેને માથાનો દુખાવો કરવા લાગ્યા,એકથી બચ્યો તો બીજો જોડાઈ ગયો,અને બરાબર બાજુમાં,હવે શું કરવું,ઉભા થઈને બીજે બેસવું તે પણ તેનું અપમાન અને પછી પાછો પ્રશ્ન તો કેમથી જ શરુ થવાનો,નવરા પડ્યા નથી ને કોઈનું નખ્ખોદ વાળ્યું નથી,હવે તો માથું ફાટી જશે,"બસ આ થોડું કામ હતું "હવે તેને ચુપ કરવામાં અહીજ પૂર્ણવિરામ મૂકી દેવું જો પાછું પૂછ્યું કે તમે, તો તો આ દરબાર ભગતને એવો ઘસડી જશે કે તેને શ્વાસોશ્વાસની તકલીફ થઇ જશે એટલે તે ચુપ રહી બારી બાજુ જોવા માંડ્યો,નજર છોડાવતા ભગતને દરબાર પલક માર્યા વગર જોતો રહ્યો,અને પાછો પ્રશ્ન આવ્યો

"જુઓ,હું એક કોલેજમાં અભ્યાસ કરું છું,મારા હોમવર્કમાં આવો એક વિષય છે જેમાં આવી બધી માહિતી ભેગી કરવાની છે તમને વાંધો ન હોય તો,પ્લીઝ...!!!"અને ખબર નહિ પણ ભગતે પોતાનું નામ કહ્યું,"મારુ નામ ભગત"અને છોકરી હસી,અને "એમાં હસવા જેવું શું છે...?"હસતી છોકરી અને ખામોશ ભગતના સંવાદથી એક ઘોઘાટ જેવું વાતાવરણ ઉભું થયું,આજુબાજુ,આગળ પાછળ બધા એક તમાશાની નજરે જોવા માંડ્યા,અને એકે તો મોટા અવાજે બુમ પાડી "વાહ રે ભગત,તારી લીલા ન્યારી "અને તે જોરથી હસ્યો,અને બધા સામેલ થયા,તેમાં પેલા દરબારની નજર  પડી,અરે આતો બધા છોકરાની હાંસી ઉડાવે છે,અને દરબાર ઉભા થયા,ના ગમ્યું,અને એક જોરદાર તમાચો પેલા બોલનારના મોઢા ઉપર આવી ગયો,વાતાવરણ ફેરવાઈ ગયું,હાસ્યનું મોઝું જેટલા દબાણથી આવ્યું હતું એટલા દબાણથી શમી ગયું,તમાચો પડ્યા પછી કોની હિંમત કે કોઈ કઈ બોલે,ખભા પરથી સરકતો ખેસ સરખો કરતા દરબાર બોલ્યા "ખબરદાર વાત જાણ્યા વગર ભગતને કઈ કહ્યું છે તો,..." જવાબમાં પેલાએ દરબારની માફી માંગી લીધી,અને દરબારની નજર ફેરવાઈ પેલી છોકરી ઉભી થઇ, તે પણ બોલી,"સોરી,કાકા મારે લીધે બધી પરેશાની થઇ," "નાં બેટા,એમાં તારો કઈ વાંક નથી પણ બધાની વચ્ચે ગમે તેની મશ્કરી કરવી સારું નહિ,"જેમ તેમ બધું શાંત પડ્યું,પણ પેલી છોકરી હેરાન થઇ હોય તેમ તે ભગતની આગળની સીટ ખાલી હતી ત્યાં બેસી ગઈ,ઘડીક પહેલા જે દરબાર સાથે ભગતને માથાકૂટ થઇ એ દરબાર ભગતની મદદે આવ્યા ભગત અવાક બની ગયો,ક્યાંથી ક્યા બધું જોડાઈ છે,દરબારે તેમની બેઠક પર બેઠા બેઠા ભગતને બધું બરાબર હોવાનો  ઈશારો કરી હાથ ઉચો કર્યો,ભગત હજુ એ દરબારને સમજી ન શક્યો,ભગતને પેલી છોકરીને માહિતી પુછવી હોય તો પૂછી શકે એવું કહેવાની ઈચ્છા થઇ પણ તેનાથી કઈ ન બોલાયું,અને પેલી છોકરીને પણ આવું બધું બન્યું એટલે,એ બાબતમાં રસ નહોતો,બસ ભગત બારી બહાર જોતો રહ્યો અને બસ તેની ગતિમાં સરકતી રહીબે ત્રણ સ્ટોપ પસાર થઇ ગયા,બસમાંથી કેટલાક મુસાફરો ઉતર્યા અને કેટલાક બસમાં ચઢ્યા,દરબાર તેમની બેઠક ઉપરથી ઉભા થયા અને જેને સબક શીખવાડ્યો હતો તેની સીટ પાસે ઉભા રહ્યા,તેની નજર એક થઇ પણ પેલો ગભરાયો,એની બાજુમાં બેઠેલો પણ દરબાર કઈ કહે તે પહેલા બીજી સીટ પર જઈને બેસી ગયો,દરબાર ખાલી સીટમાં બેસી ગયા અને પેલાના ખભા ઉપર હાથ મૂકી બોલ્યા," જો ભાઈ,મારું ઉતરવાનું આવી ગયું,એટલે જતા પહેલા મને થયુકે તને મળતો જાઉં, તું ને આ ભગત મારે માટે બંને સરખા, થોડું ખોટું થયું,પણ ભગત તારી જગ્યાએ બોલ્યો હોત તો તેને પણ આવીજ સજા થાત,ભાઈ માફ કરી દેજે,આ ઉમર કોઈ પાઠ ભણાવવાની તો છે નહિ,પાંચ-દસ વર્ષમાં આ જીવન પૂરું થશે,બસ તું મને માફ કરી દે એટલે હું જાઉં"પેલો આ દરબારને જોતો રહ્યો,"કાકા કેવી વાત કરો છો,મને તો જિંદગીનો પાઠ મળી ગયો,નહિ તો આ એક તમાચાની જગ્યાએ કૈક જુદોજ અનુભવ થાત,એટલે તમારો તો ખુબ ઉપકાર છે,તમારે માફી માંગવાની ન હોય"અને દરબારને કૈક સંતોષ થયો હોય તેમ પેલાના ખભા ઉપર બે ત્રણ વાર હાથ ઠપકારી,"આભાર,બેટા નહિ તો મારો રામ મને માફ ન કરતે,રામ રામ," અને પેલો સમજી ન શક્યો ,બસ ઉભી રહી તે દરબારને જોતો રહ્યો,દરબાર ઉતરી ગયાઆ દરબાર હતા કે કોઈ રામના ભગત એ કોઈને ખબર ન પડી,ફરી ઉપડેલી બસમાં બેઠેલા ભગતની છેલ્લી નજર પડી જેમાં દરબારને જોયા અને બારીમાંથી હાથ હલાવી આવજોનો ઈશારો કર્યોદરબાર હસતા દેખાયા પણ અંતર વધતું ગયું અને એક વણાક આવ્યો ને દરબાર દેખાતા બંધ થયા,ભગત નિરાશ થયો, તેને યાદ ન આવ્યું આ દરબાર વિષે તે તેના ગામના રહીશ હતા,પણ પહેલા ક્યારેય આ દરબાર મળ્યા હોય તેવું તેના ધ્યાનમાં ન આવ્યું,તેને અફશોસ થવા માંડ્યો,કેમ તેણે આવી વિશેષ વ્યક્તિનો અનાદર કર્યો અને ગુચવાતું મન કેમ પ્રશ્નથી ડરવાને બદલે,પોતે કરેલી ભૂલની શોધમાં નીકળી પડ્યું,પોતાને  બધા ભગત કહે છે,પણ હવે તે બદલાવવું જોઈએક્યા બદલાશે,ખોવાયેલી નાનકી પણ ભગતના નામથીજ ઓળખે છે,ભગત રહેવા દે,હવે મહેશ નામ ઘણું પાછળ છૂટી ગયું છે,કોઈ મહેશને ઓળખતું નથી,જવા દે,એતો છપાઈ ગયું છે,અત્યાર સુધી કોઈ તકલીફ નહોતી,અને ચલાય તેમ ચાલ્યા કર નહિ તો પાછો ક્યાંક બદનામ નાં થઇ જાય,ભલા માણસને ભલા થવા માટે,નામને બદલે સારા કામની જરૂર હોય છે,ભગત મનના મંથનમાં ગુચવાતો રહ્યો,ત્યાં તો પેલી છોકરી જ્યાં બેઠી હતી ત્યાંથી ખસીને ભગતની સીટ બાજુ આવવા લાગી પેલી નોટબૂક તેના હાથમાજ હતી,ભગતની નજર પણ એ બાજુ સ્થિર થઇ,ભલા ભગતને કોણ સમજાવે કે બસમાં બેઠેલા બધા ઘડીક પહેલાજ આ છોકરીના કેસમાં સામેલ હતા અને તેમાંના ઘણા બધા હજુ ત્યાજ છે,દરબાર તો જતા રહ્યા હવે કોણ બચાવશે,મફતમાં મઝા મળતી હોય તો કોણ નહિ લેબધાજ જોડાઈ જશે,પણ ખબર નહિ ભગત જોતો રહ્યો પણ રચાતા દ્રશ્યમાં કઈ બદલાવ આવ્યો,સીટની નજીક આવેલી છોકરી ત્યાં બેસે એ પહેલા પાછળથી એક છોકરી દોડીને તેને ખસેડી ભગતની બાજુમાં ચુપચાપ બેસી ગઈ,અને ફરી એક હાસ્યનું મોઝું ફરી વળ્યું,હવે તો આ મનોરંજનમાં ન જોડાયેલા પણ જોડાઈ ગયા,આગળ પાછળથી સહુની નજર ત્યાં સ્થિર થઇ,ભગત ગભરાયો,કેમકે,હવે તે ખરેખરો ફસાયો,બંને વચ્ચે લડાઈ નાં થઈ જાય, પેલી છોકરી પણ ખસી નહિ,અને બેઠેલી છોકરી ખસવા તૈયાર ન હતી,પરિસ્થિતિ કાબુ ગુમાવવા માંડી,સીધી વાત  છે કે જ્યારે આવું થાય ત્યારે ઓથોરીટી વચ્ચે આવે તેમ બસનો કંડકટર તેની સીટ ઉપરથી ઉભો થયો,તેણે ઉભેલી છોકરીને પ્રશ્ન કર્યો "આટલી બધી સીટ ખાલી છેને તમે સીટ માટે ઝઘડા કરો છો...?!" અને પેલીએ સીધો જવાબ આપ્યો "આ સીટ માટે,હું અહી બેસતી હતીને આ બદતમીઝ બેસી ગઈ,"અને કંડકટર પણ હસ્યો,પણ બેઠેલી છોકરી બગડી,"બદતમીઝ કોને કહે છે,બદતમીઝ તું ને તારી માં"તખ્તો લડાઈમાં ફેરવાયો,બેઠેલી છોકરીએ એકદમ ધક્કો માર્યો, કંડકટરની સહાયથી ઉભેલી છોકરી પડતા બચી, કંડકટર સિવાય કોઈ ભાગ લેતું નહોતું,બધા તમાસાની મઝા લેતા હતા,આ છોકરી કોણ હતી કે અહિ બેસવા જીદ કરતી હતી,પણ જાય તેમ નહોતી,ધક્કો મારીને ચેતવણી આપી દીધી હતી કે હવે ચહેરો તૈયાર રાખજે,બગડતી બાજી,મુઝ્વાતો ભગત,મઝા લેતા લોકો બે છોકરીયોની વચ્ચે કંડકટર,આ બધાની વચ્ચે બસ ચલાવતા ડ્રાઈવરનો જોરદાર અવાઝ આવ્યો,    "હવે તમે બંને ચુપ નહિ થાઓ તો પોલીસ સ્ટેસન નજીકમાં જ આવે છે,બંનેને ત્યાં ઉતારી દઈશ,રોજની માથાકૂટ"વાત સાચી હતી આખા બસની જવાબદારીમાં તેના પર તો બધાનો આધાર હતો,એક ભૂલ અને કેટલા બધાના જાનનું જોખમ,અને તે ખુબજ શક્ય હતું,આવી માથાકુટમાં તેને કોઈ ઝોખમ લેવું નહોતું,અને પોલીસનાં લફરામાં કોણ ફસાય,જાણે તેની ચેતવણીથી બધું શાંત થઇ ગયું,ઉભેલી છોકરીની નજર ગુસ્સાથી લાલ હતી પણ મન સાથે સમજાવત કરી,હાર માની પહેલા જ્યાં બેઠી હતી ત્યાં બેસી ગઈ,વિજયનો આનંદ માણતી છોકરી માટે કંડકટરનો પ્રશ્ન હતો,અરે બધાનો પ્રશ્ન હતોતે આવું કેમ કર્યું,તેણે તેના હાથથી આગળની સીટનો સળીયો  પકડી રાખ્યો હતો,હવે ભગત ઉભો થઇ ગયો કદાચ પેલી છોકરી ઉપર તેને દયા આવી,પણ બાજુમાં બેઠેલી જીદ્દી છોકરી ની નજરોએ લાલાસ પકડી,તેણે તેની સળીયાની પકડ મજબુત કરી અને ભગતને જતો રોકવાનો પ્રયત્ન કર્યો,કેમ રોકતી હતી આ છોકરી,ભગતે પ્રશ્ન કર્યો "મને જવા દેશે...?" જેને જવું હોય તેને કેમ રોકાયતેણે તેનો હાથ હટાવી લીધો પણ તે હાર માનવા તૈયાર ન હતી,કહ્યું "જવું હોય તો જા,પણ નાનકીને બધું કહી દઈશ"ઓહ એમ વાત છે નાનકીનું નામ આવતા ભગત પણ અચકાયો,એ સીટ બદલવાની ગતિને રોકી પાછો બેસી ગયો,અને છોકરી ફરીથી જીતી ગઈ, નાનકીનો શબ્દ આજુ બાજુ પણ સંભળાયો,પણ હવે વાતમાંથી મઝા ઓછી થઇ હોય તેમ કોઈએ તેમાં ભાગ ન લીધો,પણ ભગતે તેના ગાલ ઉપર હળવો ચીમતો ભરી "કેમ નાનકીએ જાસુસી કરવા તને મોકલી છે,"છોકરીએ ફક્ત ડોકી ધુણાવી અને હસી," તો પછી હું તને કેમ ઓળખતો નથી...?!" પેલી તરત બોલી "ઓળખીને શું કામ છે,હવે તો નાનકી બસ...."અને ભગતની નજર પાછી પડી,"અરે ગાંડી,તારા માટે એવું વિચારાઇ પણ ખરું..!!" અને જવાબ આવ્યો "રહેવા દે ભગત,હું નાં હોત તો પેલી..."અને ભગતે તેના મોઢા ઉપર હાથ મૂકી  તેને  બોલતી અટકાવી,અવાજ  જ્યાં સુધી પહુચે  ત્યાં સુધી લોકો સાંભળતા હતા,પણ કોઈને રસ હોય તેમ લાગતું ન હતું,"અરે એતો કોલેજમાં ભણે છે એટલે બધું પૂછતી હતી "અને "હાહું પાછળ બેઠી બેઠી બધું જોતી જોતી હતી,બીજી વખત ભગતને તે પુછવા આવી હતી કે વ્હાલ કરવા..?"ભગત કહે તે પહેલા બસ સ્ટેન્ડ આવ્યું એટલે બસ ઉભી રહી,બંને માથાકૂટ કરતા હતા અને પેલી છોકરી બાજુમાંથી પસાર થતા છોકરીના હાથમાં ચીમતો ભરી દોડીને બસમાંથી હસતી હસતી ઉતરી ગઈ,આ તરત ઉભી થઇ પણ ભગતે તેને જવા ન દીધી, કંડકટરને શું થયું તેની  ખબર ન પડી,પણ બે વખત ઘંટડી વગાડી એટલે બસ ફરી ઉપડી. બસ તો તેની ગતિમાં ગતિમય થઇ પણ ચંદા સીટ પર પાછી ન બેઠી,ભગત તેને બેસાડવા આજીજી કરવા માંડ્યો,"બેસી જા ચંદા એ છોકરી તો નાદાન  હતી ,હરકત કરતી ગઈ પણ તે તો ગઈ," લાલચોળ થતી ચંદા ઘુરકી,"એને તું જાણતો નહોતો,તે તને જાણતી નહોતી,પણ જતા જતા તેણે જે હરકત કરી તેનો અર્થ તને ખબર પડી "અને એમાં ભગત પાછો ગુચવાયો,કયા જવાબથી ચંદા શાંત થશે 'હાકે 'નાંઅને તેણે 'નાંજવાબ કહી દીધોકંડકટર  ફરી પાછી માથાકૂટ સમજી ત્યાં આવ્યો,"હવે શું થયું પાછું,તું બેસી જા બેન,"અને ચંદાને જાણે સહારો મળ્યો,"પેલી જે હરકત કરીને ગઈ એને આ ભગત નાદાન કહે છે,બીજી વખત મલી,તો હું એને છોડીશ નહિ"અને ભગત બોલ્યો"તું શાંત થઇ જા,ચંદા,મને અર્થની કેવી રીતે ખબર પડે....? "અને કંડકટર  બોલ્યો "હું કહું,ચંદા શું કહેવા માંગે છે"અને ભગતની નજર કંડકટર  બાજુ ફરી,"એનો અર્થ એવો થાય કે ચંદા તારી બાજુમાં બેઠી એટલે ખોટી નજરે તે ચંદાની મશ્કરી કરતી ગઈ,"ભગતને  કંડકટરની વાત કઈ પલ્લે ન પડી,આવું ઘણી વખત થતું હોય,જ્યારે કઈ ન સમજાય ત્યારે ઉતાવળ કરવામાં ઉપરથી વાત બગાડે એની કરતા પલ્લે ન પડે તો તેનો એકરાર કરી શાંત થવું વધારે જરૂરી છેકંડકટર  ભગતને જોઈ હસતો રહ્યો,"અરે પણ જવા દેને ચંદા,એ તો ગઈ"બેઠેલી ચંદા શાંત થવાના કોઈ મુડમાં નહોતી,કંડકટર કંટાળી તેની સીટમાં જઈને બેસી ગયો,બસ ચાલતી રહી,જ્યારે ચંદા શાંત થઇ ત્યારે ભગતને ખબર પડી તે તેની માસીને ત્યાં જતી હતી,ભગત માટે તેને કોઈ ગુસ્સો નહોતો,પણ ભગતે અટકાવી ન હોત તો પેલીને જડબાતોડ જવાબ આપી શકી હોત,અને એટલે તે ગુસ્સામાં હતી,ગુસ્સે થયા પછી શાંત થવાને વાર લાગતી હોય છે એટલે ભગતને ખાસ્સી રાહ જોવી પડી,ચંદા નાનકીની નજીકની સખી હતી,બે સ્ટોપ પછી ચંદા બસમાંથી ઉતરી ત્યારે તે શાંત હતી,આવજે કહેતા તેણે સ્માઈલ આપ્યું હતું અને ટકોર કરતી ગઈ હતી કે,નાનકી  સિવાઈ બીજી કોઈ નહિ,જવાબમાં નાનકીના નામે ભગત મલકાયો હતોઅરે મારા ભગવાન ક્યા આ ચંદા અને ક્યા મારી નાનકી જેને ત્યાં ચંદા પરણીને જશે એનું તો આવી બનવાનું છે,જોકે તેનો ગરમ સ્વભાવ ખોટી વસ્તુ,જૂથાણું  અને કોઈકને હેરાનગતિ વગેરે સામે છે,તે એક ઘણી સારી વસ્તુ છે અને તે રીતે તેનાં કુટુંબ માટે તે સહાયક છે,પણ તેના ભાવી પતિને તેની સાથે જોડાતાની સાથેજ ખોટી ટેવો,બુરી આદત વગેરે છોડી દેવું પડશે,જોકે પ્રભુજીની કૃપા વગર કોઈ જોડી બનતી નથી,લોકો પરણ્યા વગર આખી આયખું પસાર કરી દેતા હોય છે,એતો જેને એકલવાયું ગમતું હોય તેનું કામ,સાથી તો જોઈએ,જે જીવન સાથી ઘણી વખત ન બની શકે પરંતુ,અત્યારની દુનિયામાં ઉભા થતા કેટલાય પ્રોબ્લેમો સામે તેની મદદથી જીંદગી જીવવાની સહેલી થઇ જાયજેને આપણે કહીએ થોડીક હૂફ મળી જાય,જ્યારે જ્યારે મુઝવણ ઉભી થાય તો તેની એક સલાહ,એક સુચન સહાયક બને,સાથીમાં ઘણી વખત માનવીની જગ્યાએ વેસ્ટમાં પ્રાણિઓ  જેવાકે,કુતરા,બિલાડા વગેરેને પાળીને તેની સાથે સમય પસાર કરી જીવનમાં મઝા લેવાનો પ્રયત્ન થતો હોય છે,ગમે એમ પણ સાથીથી જીવન પસાર કરવું ઘણું સહેલું થઇ જતું હોય છે,સદા સત્ય એ છે કે દુનિયામાં આવ્યા એકલા અને જવાનું પણ એકલા છતાં માયાનો રંગ,માનવીને તેના જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે અને તેનું નિવારણ કરવા તેને સાથીની જરૂર પડે છે એટલે એક કરતા બે ભલા, હસતા હસતા આ જીવન ની મુસાફરી પૂરી થાય એટલે બસ,હવે બસ તેના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી હતી,  કેટલાય મૂકામો પસાર કરી બસ છેલ્લા મુકામે અટકી ફરી પાછી અડધો કલાકના વિરામ પછી એજ રસ્તા ઉપર અહીંથી મુસાફરો લઇ પાછી ફરવાની હતી,.બસ ખાલી થયા પછી થોડીવાર  બધું ચેકિંગ થશે,સાફ થશે અને ફરીથી એના એજ રસ્તે મુસાફરી માટે તૈયાર હશે,ભગત ઓળખતા સર્વેને આવજો કહી જતો હતો ને રણજીત મળ્યો,તેનો એક ખાસ મિત્ર,એકબીજાના ખબર અંતર પૂછી,બંને મિત્રો ઘણા વખતે ભેગા થવાથી ખુશ હતા,રણજીતની ચા પીવાની વિનંતી ભગત ટાળી ન શક્યો,તેને જે કામે જવાનું છે તેમાં થોડું મોડું થશે,પણ તેનો મળતાવડો સ્વભાવ મિત્રોનાં હાલ ચાલ જાણવા સતત આનંદ અનુભવતો,ઘણી વખત મોડું થવાથી તેને સાંભળવું પડતું,પણ તે સહન કરી લેતો,બંને કેન્ટીનમાં બેઠા,અને ચા પીતાં પીતાં રણજીતે તે તેના ગામની બસમાં જવાનું જણાવતા ભગત અચરજ પામ્યોએનાજ ગામની એક છોકરીને તે જોવા જતો હતોકે જે તેની માસીને ત્યાં આજે આવવાની હતી,ભગતે કહ્યું ,"બહુ જ સારા સમાચાર,તને જોતાજ છોકરી જરૂર 'હાપાડી દેશે,એમાં કોઈ શંકા નથી,પણ તને ગમે છે કે નહિ તેના ઉપર બધો આધાર,શું નામ ખબર છે,તો હું કઈ મદદ કરી શકું,"જવાબમાં તેણે કહ્યું,"ચંદા"અને ભગતના વર્તાવથી તે અચરજ પામ્યો ભગત ચંદાને ખુબ નજીકથી જાણતો હોય એવો ખુશમય તેનો ચહેરો હતો,"રણજીત ચંદા મારી સાથેજ બસમાં હતી,તે તેની માસીને ત્યાં આવી છે,પણ કોઈ તેને જોવા આવવાનું છે એવું તેણે કઈ કહ્યું નહિ,.." રણજીતે કહ્યું,"કદાચ તેને તેની માસીએ એવી કોઈ વાત કરી નહિ હોય,"ભગતે કહ્યું "કદાચ એવું હોય,”   "તારા લવ મેરેજ,તરફનો પ્રયાશ હોત તો મારી સલાહ કઈ જુદી હોત પણ તે પૂછ્યું તો કહું છું કે તારૂ  કુટુંબ પૈસાદાર અને ચંદા મીડીયમ ક્લાસની છે,એટલે ઘણો મોટો ફરક ત્યાં છે,ચંદા પોતાની જાતે ઘણી વ્યવસ્થિત અને દેખાવડી છે,પણ ખોટી વાતો તે પસંદ કરતી નથી,એટલે એ બાબતમાં ખાસ કાળજી તારે લેવી પડે,તારી પસંદગી હોય અને કુટુંબ તેને સ્વીકારે તો કઈ ખોટું નથી."નાનકીના સબંધ પછી ચંદા માટે ઉભી થતી સ્થિતિમાં ભગત બે બાજુથી સબંધમાં હતો,એટલે બને ત્યાં સુધી સાચી વાત બતાવવાનો તેનો પ્રયત્ન હતો," સારી છોકરી હોય ,ને સબંધ થતો હોય,તો બીજું બધું તો ચલાવી લેવાય,"અને ભગત બોલ્યો,"એ તું કહે છે પણ એકના એક દીકરાના લગ્ન થતા હોય ત્યારે પૈસાને હિસાબે માં-બાપ કોઈ કસર ન છોડે,પણ જ્યારે બરાબરી ન થાય ત્યારે ઘણા પ્રશ્નો ઉભા થાય,ચંદાનું કુટુંબ બરાબરી કરી શકવાની કોઈ સ્થિતિમાં નથી,એટલે સબંધ થતા પહેલા બધી ચોખવટ કરી લેજે,"ભગત પોતે સલાહકારની સ્થિતિમાં હતો કે નહિ,એ એક સવાલ હતો પણ મિત્રની મદદ તે જરૂર કરી રહ્યો હતો," એમાં કોઈ વાંધો નહિ આવે ભગત,થેંક યુ"બસનો સમય પણ થવા આવ્યો હતો,બીલ ચૂકવી બંને ઉભા થયા,"ચંદા ખુબજ સારી છોકરી છે,બેસ્ટ ઓફ લક,રણજીત,ચંદા નું થાય તો આપણી દોસ્તી પણ ખાસ થઇ જશે"અને તરત રણજીત બોલ્યો"હું કઈ સમજ્યો નહિ,આપણે તો કેટલા વખતથી મિત્ર છીએ"અને ભગત બોલ્યો"એ તો તને ચંદા પાસેથી ખબર પડી જશે,”રણજીત માટે ઉભી થયેલી પઝલના ઉકેલ વગર બંને છુટા પડ્યાએક બસ બાજુ ગયો અને બીજો રીક્ષામાં બેઠો.   ચંદા પાસેથી ખબર પડશે એટલે શું...!!??,અચરજ અને પ્રશ્નો વચ્ચે ઝોલા ખાતો આ પ્રશ્ન રણજીતના મનના ઊંડાણમાં ઘર કરી ગયો,તે એક પૈસાદાર કુટુંબમાં જનમ્યો  હતો,હવે જ્યારે ઉમરના પડાવ ઉપર પરણવાનું પગલું આવ્યું તો તે તેમ કરી રહ્યો હતો,ઘણી બધી છોકરીઓ તેની સાથે વિવાહ કરવા તૈયાર હતી,જેમાં પૈસાનું પૂરેપૂરું ખેચાણ હતું,ભાવી ગમેતેવા સંજોગોમાંથી પસાર થાય પણ પૈસા હોય ત્યાં મુસીબતો હળવી જરૂર થઇ જાય,એટલે ઘણી છોકરીઓ મળતી હતી,તો  રણજીતને કઈ વાત  હેરાન કરતી હતી,ઘણી છોકરીઓ જોયા પછી પણ તે કોઈને પસંદ કરતો ન હતો,જ્યારે ચંદાની માટે તેને માહિતી મળી ત્યારે ભગત મિત્ર હતો છતાં મનમાં ઉલઝન  ઉભી થઇ,માં બાપ પોતાના દીકરા માટે સારું વિચારે તેમાં કોઈ શંકા ન હોય,રણજીત પસંદગી કરવામાં સફળ થતો ન હતો,તેથી તેના માં-બાપ પરેશાન હતા,ચંદા નામ ચન્દ્ર સાથે જોડાયેલું હોવાથી તેનો સ્વભાવ ચંદ્ર જેવો શીતલ હોવો જોઈએ,પણ ભગતની વાતથી કૈક જુદું જણાતું હતું,ચંદા ગરમ સ્વભાવની હતી,ગમે એમ પણ તે આકર્ષાયો હતો,થોડીક ભગતની વાત તેને પરેશાન કરી ગઈ હતી,બસમાં ચંદા તેની સાથેજ હતી,અને ભગતે તેની બધીજ વાત કરી હતી,ભગત મિત્ર હતો એટલે આડા અવળા કોઈ ખોટા વિચારોને  સ્થાન ન હતુંપણ તેની નારાજગી એ હતી કે તેનું   કોઈ કામ મુસીબત વગર કે પરેશાની વગર પાર પડતું ન  હતુ ,કૈકને કૈક વાતથી તે સહેલાઈથી પરેશાન થઇ જતો હતો, ભગતની માહિતીથી ઉપસેલા ચંદાના ચહેરાની કાલ્પનિક તસવીરનો તરજુમો કરવામાં તેનું મન વ્યસ્થ થઇ ગયું,ઘણી બધી છોકરીયો સાથે મુલાકાત થયા પછી ચંદા પણ તેના માટે સામાન્ય હોવી જોઈએ પણ કોઈ કારણસર તેના માટે તેની જુદીજ લાગણી ઉપસ્થિત થતી હતી,તેનું મન ચંદા સાથે જાતજાતના અગમ્ય જોડાણો જોડતું આજુબાજુનું બધું ભૂલી રહ્યું હતું,બસમાં તે બેઠો હતો,પણ ચંદાના વિચારોમાં ખોવાયેલો હતો,ટીકીટ તેના હાથમાં હતી પણ ક્યારે તેણે પૈસા કાઢીને આપ્યા તેની પણ તેને ખબર નહોતી,ટીકીટ આપીને  કંડકટર કૈક બોલ્યો હતો,તેણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો,કૈક 'રોમિયોજેવું,અને તે યાદ આવતા તેની નજર સીધી  કંડકટર તરફ ગઈ પણ વિતી ગયેલી પળોના એ ખરાબ શબ્દ માટે તે પોતે જવાબદાર હતો,તે ખોવાઈ ગયો હતો,તેનો કોઈકે લાભ લીધો હતો,તેને કોઈક ખોટું કહે તે સાંભળવાની આદત ન હતી,તેજ વખતે તેના ધ્યાનમાં આવ્યું હોત તો મોટો ઝગડો થઇ જાત,પણ તે સચેત હોત તો આવી  સ્થિતિ ઉભી જ ન થાતને,ગરમાતા ગુસ્સા ઉપર કાબુ મેળવી પોતાના કામમાં વ્યસ્ત એવા કંડકટર ઉપરથી નજર હટાવી તે પાછો ચંદામા ખોવાઈ ગયો,સારું થયું,એક અનહોની થતી રહી ગઈ,નહિ તો જેવા સાથે તેવામાં તે માનતો હતો,ઝગડો થયો હોત તો ઝગડો જોઇને મજા લેવાવાળા તો ઘણા હતા,'લોકોનાં મથાળા હેઠળ જાતજાતના પહેરવેશ,જુદાજુદા રંગો,પાઘડીધોતી,ચશ્માં,લાકડી,સાડી ,ચોળી ચણિયોજાતજાતના ચહેરા,કોઈક ચિંતાગ્રસ્ત,કોઈક સદાબહાર,વાતોડિયા,નરમ,ગરમ ,વાત વાતમાં ઝગડા કરવાવાળા,નાનેથી માંડીને ઘરડા  સુધીનું જાતજાતનું ઓડીયન્સ,પબ્લિક બસની જાત જાતની માનવ મેદની અને ઘણું બધું,બસ જ્યાંથી શરુ થાય અને જ્યાં છેલ્લા સ્ટેન્ડ પર અટકે ત્યાં સુધી મુસાફરી કરતા જાતજાતના મુસાફરો,રણજીત પણ મુસાફર હતો,તે તેની સમશ્યામાં ખોવાયેલો હતો,ઘડીક પછી તેનું પણ ઉતરવાનું આવશે ને તે પણ ઉતરી  જશેતેની બસની મુસાફરી પૂરી થઇ જશે,'રોમિયો'તેની સાથે બિલકુલ ફીટ ન થતો  કંડકટર ધ્વારા કહેવાયેલો શબ્દ,તે યાદ રાખશે કે ચંદાનું વાતાવરણ તેને ભૂસી કાઢશે,એક હવામાં તેના મનની આજુબાજુ ઘૂમરાતો ગરમાટો શબ્દત્રણેક સ્ટેન્ડ પછી તેને ઉતરવાનું આવ્યું,રોમિયોની આડમાં ગર્માતી તેની નજર છેક સુધી  કંડકટર ઉપર  સ્થિર થતી રહી,પણ  કંડકટર તેના કામમાં બીઝી હતોતે જ્યાં બેઠેલો હતો ત્યાંથી હાથ ઉંચો કરી,દોરી ખેચી એક ઘંટડી વગાડી બસ ઉભી રહી પહેલા મુસાફર પર તેની નજર પડી પણ પછીના ઉપર તેનું ધ્યાન ન હતું,રણજીતની  નજર તેના ઉપરથી હટતી ન હતી,પણ તે લાઈનમાં ચોથો હતો,  કંડકટર ને રોજનું હતુંરણજીતે પસાર થતા તેને ખભે હાથ મૂકી એટલું તો કહ્યુજ કે"તમારે મેનર શીખવાની જરૂર છે,"નજર મળી એટલે  કંડકટર હસ્યો પણ યાદ આવતા રણજીતની માફી માંગી લીધી,રણજીત વધારે કહી શક્યો હોત પણ સમયના અભાવે તે ઉતરી ગયો,બે ઘંટડી વાગી ને બસ ઊપડી,ગામ હતું,બસસ્ટેન્ડ ન હતું પણ વડના મોટા ઝાડની આજુબાજુ ગોળ ચોરા જેવું બનાવેલું હતું,સામે ચા નાસ્તાની નાની દુકાન હતી,રણજીત પહેલા આવી ગયો હતો એટલે શોધવાની કે પૂછવાની કોઈ તકલીફ ન હતી,ગામમાં લોકોને નવરાશ  હોય તેમ એકબે જણાં ચોળા  ઉપર ખુલ્લા ધારિયા સાથે ગપ્પા મારતા બેઠા હતા ,ધારિયું જીવલેણ હથિયાર હતું,હિંસક બનાવ સામે સલામતી માટે  તેનો ઉપયોગ હોય કે પછી રાખનાર ગામના કોઈ રખેવાળ હોય,રણજીતને એમાં કોઈ રસ ન હતો એટલે જાણીતા રસ્તે તે ચાલવા માંડ્યો,પોતાના ગામમાં તેનું નામ હતું,મોટું કુટુંબ હતું,એટલે બધા માનપાનથી બોલાવતા પણ અહી તેને જોઈ પસાર થતા અચરજ પામતા પણ કોઈને તેની પડી ન હતી,કોને સમય હતો,ટોળું હોય ત્યાં કોણ પૈસાદાર કે કોણ ગરીબ તેમાંથી છુટા પડો અને તમને જાણનારા મળે પછી તમારી કિંમત બાકી એકલ જીવ,માયાના જોડાણ માટે બધા ફાફા,સારું હોય તો સારું નહીતો ઉપાધિના પોટલા,રણજીત પણ ચંદાની ઓળખાણના અનુસંધાનમાં પડેલી કેડી ઉપર ચાલ્યો જતો હતોરોમિયો શબ્દ હજુ તેના માનસપટ ઉપર હજુ ઘુમરાયા કરતો હતો,પણ વધારે પડતો ઘુમરાય તો તકલીફ કેમકે તે જે તરફ જઈ રહ્યો હતો, તે તરફ બહુજ ધીરાશ અને શાંતિની જરૂર હતી,કેમકે કદાચ તેનું ભવિષ્ય માટેનું સ્વપ્નું સાકાર થવાના ઘણા બધા ચાન્સીસ હતા,બસ તો જતી રહીને સાથે રોમિયો કહેવાવાળો પણ જતો રહ્યો,હવે જવાદે એ વાત,તાજો  થઇ જા,ઘણા બધા પ્રશ્નોની લેવડ દેવડ હવે તો થશેઅને ચંદા સાથે મળશે ત્યારે તો,કૈક જુદી વાત હશે,આ પહેલા પણ ઘણી છોકરીયોને તે મલ્યો હતો, ,એટલે તેને એવી કોઈ દિલ દુભાવનારી મોટી ચિંતા ન હતી, તે જેને માટે જઈ  રહ્યો હતો તે પણ એક છોકરી હતી,અને તેની સાથે ફક્ત એક મુલાકાત હતી,કે જે વડીલોની આગવી ગોઠવણ લીધે શક્ય બની હતી,છોકરું મોટું થાય એટલે તેને ઠેકાણે પાડવાની વડીલોની ચિંતાનો આ એક હિસ્સો હતો,કેટલાય સમયથી રણજીત તેમાં સફળ થતો ન હતો,સારી સારી છોકરીયો સાથેની મુલાકાત ગમે તે કારણસર સફળ થતી ન હતી,મુલાકાત સમયે વડીલો ખુશ થતા,પણ પરિણામ ની અસફળતાથી નારાજ થઇ જતા,જીવન સાથે કોઈકને જોડાવાની પસંદગી હતી,એટલે એક ગંભીર વિષય હતો,મુલાકાતની ગોઠવણ વડીલો કરતા પણ સમય બદલાતા હવે છોકરાઓ જાતેજ પસંદ કરવામાં વધુ સક્રિય બન્યા હતા,તેમ આજે રણજીતને ચંદા સાથે મુલાકાત થવાની હતી,અને ચંદા વિશેની થોડી માહિતી તેના મિત્ર ભગત પાસેથી તેને મળી હતી,સામાન્ય વિષય હતો પણ ગમે તેમ તેને ખુબ અગત્યતા આપવામાં આવી રહી હતી,ગામના આજુબાજુમાંથી પસાર લોકો માટે રણજીત એક દેખાવડો યુવાન હતો,લોકો કૌતુકથી તેના તરફ એકી નજરે જોતા,પણ જ્યારે તેની માત્રા વધી જતી ત્યારે રણજીત હાથ ઉંચો કરીને તેનું અભિવાદન કરતો,તેને આ રીતના માનથી ખુશી થતી તે સફળ થાય કે નહિ પણ બસના અનુભવ પછી તે જરૂર ખુશ હતો,જીવન તો ચાલ્યા કરે પણ તેમાં દરેક સમયે ખુશ રહેવું ઘણું અગત્યનું છે,શક્ય નથી પણ પ્રયત્નથી તેમાં જરૂર મદદ મળે છે,રણજીત ઘરની લગભગ નજીક પહોચી ગયો હતો, દરવાજામાંથી પ્રવેશ કરતા ઘરના હીચકા ઉપર બે યુવતી જુલી રહી હતી તેમાં એક યુવતીએ પગ ટેકવી હિચકો રોક્યો અને બીજી આશ્ચર્યથી જોતી રહી,રણજીત અંદર આવ્યો,એક યુવતીએ તેનું હસીને સ્વાગત કર્યું,બીજીના મોઢા ઉપર સ્માઈલ હતું તે ઉભી થઇ પણ બીજી યુવતીની માફક ઉત્સાહિત ન થઇ,રણજીતે તે ધ્યાનમાં લીધું પણ સામે ચાલીને તેણે  પોતાની જાતને યુવતી સામે નમસ્કાર કરી 'હું રણજીત કહી રજુ કરી,યુવતી પ્રભાવિત ન થઇ પણ 'હું ચંદાએમ કહી યુવક સાથે હાથ મિલાવ્યો ,નમસ્કારની સામે ચંદાનું હાથ મીલાવવું કોઈક જુદી પ્રતિભા ઉભી કરતુ હતું,રણજીત તેનાથી નવાઈ પામ્યો કે ખુશ થયો તે તો રણજીત જાણે,પણ કૈક જુદા અનુભવની પ્રતીતિ જરૂર થઇ,બધા ઘરમાં ગયા,માસી ઘરમાં હાજર ન હતા,પણ તેની કોઈ ઝાઝી અસર ન હોય તેમ ખુલ્લી ચર્ચાએ સ્થાન લીધુંસમય બદલાયો હતો યુવક અને યુવતી વચ્ચ સર્જાતા સબંધોમાં ચર્ચા વગેરે થતું,હસી  ખુશી અને મજાક મસ્તી પણ થતા,પણ જ્યારે અતિશયોક્તિમાં કોઈ ગંભીર હરકત સ્થાન લેતી તો ચેતવણી આવી જતી,ક્યારેક આવી સ્થિતિ આવતી,ખોટું કરવાનું પરિણામ બહુ ગંભીર હતુંસબંધો તો તૂટે પણ સાથે ક્યારેક મોટો દંડ કે મોટી સજા થઇ જાય તો નવાઈ નહિ એટલે યુવક વર્ગ એવી કોઈ ભૂલ નથાય તેની કાળજી રાખતો, , કેટલીક ચર્ચા પછી ચંદાને માસીની ગોઠવણની ખબર પડી તેને કોઈ વાંધો ન હતો,ચર્ચામાં જ્યારે ભગત સાથેના સબંધની વાત આવી ત્યાર પછી ચંદા રણજીત સાથે વાતમાં વધુ સંગીન બની,અને અંત માસીની ગેરહાજરીમાં પણ સંગીન આવ્યો,ચંદા રણજીતની  જોડીનું સમર્થન સાથે સર્જન થયું,રણજીત ખુશ થયો. 



પ્રકરણ -૯ ભગતની વીટમ્બણા સમાપ્ત 

જે ઓક્ટોબર માસના પહેલા કોલમમાં ઉપલબ્ધ છે. 

પ્રકરણ -૧૦ સત્સંગ માર્ચ માસની ૧૫ તારીખે 

આપનો અભિપ્રાય ખુબ જરૂરી,

આભાર.

આ નવલકથા"મોગરાના ફૂલ" મેળવવા સંપર્ક સાંધો:૭૩૨-૭૮૯-૫૪૬૯.(સંપર્ક ન થાય તો સંદેશો મુકો સંદેશામાં મોગરાનાફૂલ માટે કહેવું જરૂરી,ત્વરિત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું,અથવા ઈ-મેઈલ કરો સરનામું:ompainting@gmail.com )
આપ ઈ-બે પર પણ ખરીદી શકો છો.

હવે આ નવલકથા "મોગરાના ફૂલ" એમેઝોન  (કિન્ડલ બેઝ ) ઉપર " ઈ બુક " ના રૂપમાં ઉપલબ્ધ છે તથા બીજી પણ મારી ઈ બુકો જેવી કે ,ચાંદની રાત(ટૂંકી વાર્તા સંગ્રહ),મોરનો ટહુકારો (ટૂંકી વાર્તા સંગ્રહ),ચકાચકીનો માળો (ટૂંકી વાર્તા સંગ્રહ) અવધૂતી રંગ (નારેશ્વરના સંત ગુરુ શ્ર્રી રંગ અવધૂત મહારાજ વિષે ) ઉપલબ્ધ છે જેનો આપ લાભ લઇ શકો છો.
આભાર,જય શ્રી કૃષ્ણ